CIA ALERT

Blog - Page 516 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 14, 2019
saudi_fuji.jpg
1min5890
ઈરાનની ચીમકી બાદ અખાતમાં લશ્કરી હાજરી સુદૃઢ બનાવતું અમેરિકા
અખાતમાં પોતાના બે તેલ ટેન્કરોને ભાંગફોડિયા હુમલામાં નુકસાન થયાનું સાઉદી અરેબિયાએ આજે જણાવ્યુ હતું, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની મડાગાંઠથી આ પ્રદેશમાં ઓલરેડી પ્રવર્તી રહેલો તનાવ વધુ તીવ્ર બની રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ મોસ્કોની તેમની આયોજિત મુલાકાત પડતી મૂકી સુધારેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ઈરાન સહિતની ‘તાકીદની બાબતે’ ફ્રેન્ચ, બ્રિટીશ અને જર્મન અધિકારીઓ સાથે ચર્ચા કરવા બ્રસેલ્સ જવાનું ગોઠવ્યા બાદ આ થયું છે.
આ ભયસૂચક હુમલાની તપાસની તહેરાને હાકલ કરી છે અને દરિયાઈ સુરક્ષા રોળી નાખવા વિદેશી ખેલાડીઓ ‘દુ:સાહસ’ આચરતા હોવા ચેતવણી આપી હતી. ઈરાનની કથિત ચીમકીઓના પ્રતિસાદરૂપે કેટલાક વ્યૂહાત્મક બી-પ2 બોમ્બર્સ તૈનાત કરવા સાથે અમેરિકાએ આ પ્રદેશમાં તેની લશ્કરી હાજરી ઓલરેડી સુદૃઢ બનાવી લીધી છે.
સંયુકત આરબ અમીરાત (યુએઈ)એ રવિવારે જણાવ્યુ હતું કે ફુજૈરાહ અમીરાત સામે વિવિધ દેશોના 4 વ્યાપારિક જહાજોને ભાંગફોડિયા કૃત્યના નિશાન બનાવાયા હતા. બે સાઉદી ટેન્કર અરબી અખાત ઓળંગવાના રસ્તે હતા ત્યારે યુએઈના સુવાંગ આર્થિક ઝોનમાં વિધ્વંસક હુમલાના નિશાન બનાવાયા હતા એમ જણાવી સાઉદી ઉર્જા મંત્રી ખાલિદ અલ-ફલીહે ઉમેર્યુ હતું કે આ બે ટેન્કરોને નોંધનીય નુકસાન’ થયું હતુ, પરંતુ કોઈ ખુવારી થઈ ન હતી તેમ તેલજથ્થો સમુદ્રમાં ફેલાયો (ઓઈલસ્પિલ) થયો નથી. બે પૈકી એક ટેન્કરમાં, અમેરિકી ગ્રાહકો માટે સાઉદી ઓઈલ ટેન્કરમાંથી ભરેલું ખનિજ તેલ હતું.
ઈરાન અવારનવાર એવી ચીમકી આપતું આવ્યુ છે કે અમેરિકા સાથેની તેની લશ્કરી અથડામણના સંજોગોમાં તે સામુદ્રધુની બંધ કરી દેશે.
યુએઈએ હુમલા માટેની જવાબદારી બદલ કોઈ પર આક્ષેપ કર્યો નથી, પરંતુ એવી ચેતવણી આપી હતી કે વ્યાપારિક કે મુલ્કી જહાજો પરના ભાંગફોડના કૃત્ય આચરવા અને જહાજ પરના લોકોના સલામતી માટે ખતરો સર્જાય એ ગંભીર બાબત છે. સાઉદી અરેબિયા,’ ઈરાક, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાનની લગભગ તમામ તેલ નિકાસ-પ્રતિ દિન 1.પ કરોડ બેરલ-હોર્મઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું હોય છે.
આજે ઈરાની વિદેશ મંત્રી સાથે સુષ્મા સ્વરાજની બેઠક
આજે રાતે ભારત આવી જનારા ઈરાની વિદેશ મંત્રી જાવાદ ઝરીફ આવતી કાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. ઈરાનના ભારત સહિતના 8 તેલગ્રાહક દેશોને અમેરિકી પ્રતિબંધોમાંથી અપાયેલી મુકિતનો અંત આવ્યાની પશ્ચાદભૂમાં આ બેઠક યોજાઈ રહી છે. ભારત માટેની મુકિત તા. પહેલી મેએ પૂરી થવા સાથે ઈરાનમાંથી ભારતે તેલની આયાત કરવાનું નિષિદ્ધ બન્યું છે અન્યથા સરકારી કે ખાનગી માલિકીની કંપનીઓએ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવાનો રહેશે.
પુલવામામાંના હુમલા બાદ આતંકવાદ સામે લડવા બાબતે અમેરિકા ભારતની પડખે ઉભું રહ્યુ હોઈ ઈરાનના આતંકી નેટવર્કને રોળી નાખવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતામાં ભારત તરફથી ય પારસ્પરિકતાની અપેક્ષા રહે છે એમ વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવી દીધું છે.
May 14, 2019
priyank-gandhi.jpg
1min5940

ચૂંટણી માહોલમાં સોફટ હિન્દુત્વની પોતાની વ્યૂહરચના પર કોંગ્રેસ સતત આગળ વધી રહી છે. પક્ષના અધ્યક્ષ રાહુલનાં ‘ટેમ્પલ રન’ બાદ હવે તેમનાં બહેન પક્ષનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંદિરોમાં દર્શનની શરૂઆત કરી દીધી છે.

પ્રિયંકા ગાંધીએ મુખ્ય જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર (મહાકાલ) મંદિરમાં પૂર્ણ વિધિ સાથે પૂજાથી અને પંચામૃતથી અભિષેક કર્યો હતો. આ દરમ્યાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ, પ્રિયંકાના મહાકાલ દર્શન મામલે પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી અને મુખ્યમંત્રી કમલનાથ પર નિશાન સાધ્યું હતું.

શિવરાજે મંદિર દર્શનના બહાને પ્રિયંકાની સાથે કમલનાથ પર પણ નિશાન સાધ્યું હતું. શિવરાજે કહ્યું કે, ‘િપ્રયંકાજી મહાકાલ મંદિરમાં દર્શન માટે જઇ રહ્યો છે, તો ત્યાં તેમનાં ભાઇ અને મુખ્યમંત્રી (કમલનાથ)ને પૂછો કે, તેમણે 10 દિવસની અંદર બધા કિસાનોની ઋણ માફીની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવું ન થયું તો મુખ્યમંત્રીને અમે હટાવી નાખશું.’ ખેડૂતોની લોન હજુ માફ નથી થઇ. મુખ્યમંત્રી તમારા ભાઇને ગુમરાહ કરે છે અને બીજી તરફ તમારા ભાઇ ખોટું બોલી રહ્યા છે.

May 14, 2019
kejri.jpg
1min5610

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી જો કે તેમને પહેલા જ દિવસે સ્થાનિક દેખાવકારોએ કાળા ઝંડા દેખાડીને આપ નેતાનો વિરોધ કર્યો હતો.
કેજરીવાલ આપના ઉમેદવાર ભગવંત માનના પ્રચાર માટે ગયા હતા. રાજ્યને માદક પદાર્થોના નામે બદનામ કરવા માટે દેખાવકારોએ કેજરીવાલ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
પ્રદર્શનકર્તા ગુરિંદરસિંહે કહ્યું કે કેજરીવાલે પૂર્વમંત્રી બિક્રમસિંહ મજિઠિયા માદક પદાર્થના કારોબારમાં સંડોવાયા હોવાનો આરોપ લગાવ્યો હતો, પાછળથી તેમણે માફી પણ માગી હતી. જો કે હકીકતમાં કેજરીવાલે પંજાબના લોકો પાસે વારંવાર જૂઠ બોલવા માટે માફી માગવી જોઈતી હતી.
May 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6070
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
May 13, 2019
ahmedabad_metro1.jpg
1min13810

મેટ્રો ટ્રેન બાઈકથી પણ ઓછી સ્પીડે દોડી રહી છે. એલિવેટેડ કોરિડોરમાં મેટ્રોને ક્યાંય ટ્રાફિક કે અવરોધ નડતો નથી છતાં મેટ્રો ખૂબ જ ધીમી એટલે કે ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડે છે. એટલે કે, મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી ૨૦ મિનિટમાં પહોંચે છે.

ગુજરાતમાં મેટ્રો ટેન પ્રોજેક્ટ ૨૦૧૪માં શરૂ કર્યો હતો અને માર્ચ ૨૦૧૯માં તેનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી કરાયું હતું. દેશમાં સૌથી પહેલા દિલ્હીમાં મેટ્રો શરૂ કરાઈ હતી ત્યારે ત્યાં પણ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર અને એવરેજ સ્પીડ ૩૨ કિલોમીટર નક્કી કરાઈ હતી.

જ્યારે અમદાવાદ મેટ્રોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે સરેરાશ સ્પીડ ૩૪ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી છતાં ફર્સ્ટ ફેઝમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો હાલ ૨૨થી ૨૫ કિલોમીટરની સ્પીડે દોડી રહી છે. જોકે, ગત તા.૬ઠી માર્ચે મેટ્રો લોકો માટે ખુલ્લી મુકવામાં આવી ત્યારથી આજ સુધી કુલ ૧.૫૮ લાખ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શરૂઆતમાં તા.૬ઠી માર્ચથી તા.૧૪મી માર્ચ સુધી ફ્રી મુસાફરી દરમિયાન ૭૫૯૧૭ લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે શહેરમાં તહેવારોમાં અને શનિ-રવિમાં મેટ્રોમાં મુસાફરની સંખ્યા વધુ હોય છે.

May 13, 2019
turkheda.jpg
1min7370

ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.

May 13, 2019
Narendra_Modi_PTI_0.jpeg
1min12460

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા પોતાના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં અને રાજ્યોમાં રચાયેલી યુતિ સરકારની તાજેતરમાં વાત કરતા વિપક્ષો એવું અર્થઘટન કરી રહ્યા છે કે મોદીને લોકસભાની હાલની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કેન્દ્રમાં સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી મળવાની શંકા છે અને તેથી તેઓ યુતિ સરકારની વાત કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લગતા અનેક જનમતમાં ભાજપને સ્પષ્ટ બહુમતીમાં થોડી બેઠક ખૂટવાની અને ભાજપ પોતાના સાથી પક્ષોની મદદથી કેન્દ્રમાં એનડીએની સરકાર બનાવે એવી આગાહી કરાઇ હતી.

અગાઉ, ભાજપને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં બહુમતી માટે જરૂરી ૨૭૨ બેઠક કરતાં દસ બેઠક વધુ એટલે કે ૨૮૨ બેઠક મળી હતી.

ભારતીય જનતા પક્ષના ગુજરાત એકમે શનિવારે વડા પ્રધાનને ટાંકીને ટ્વીટ કર્યું હતું કે મોદીજી ભૂતકાળમાં ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્યોમાં રચાયેલી યુતિ સરકારની અને તેના સફળ વહીવટની વાત કરી હતી.

ભાજપના ગુજરાત એકમે મોદીને એમ કહેતા ટાંક્યા હતા કે ભાજપ યુતિ સરકાર સારી રીતે ચલાવવાની કળા જાણે છે. મેં વિવિધ રાજ્યમાં ભાજપના સાથી પક્ષોની સાથે મળીને કામ કર્યું છે. વાજપેયીજીએ પણ પોતાના શાસનકાળમાં યુતિ સરકાર શ્રેષ્ઠ રીતે ચલાવી હતી.

મોદીજીના આવા નિવેદનનું વિપક્ષો એવું અર્થઘટન કરી રહ્યા છે કે ભાજપ ઓછી બેઠકો મળવાનો સંકેત મળતા હતાશ થઇ ગયો છે અને ચૂંટણીના અંતિમ તબક્કામાં પૂરા જોશથી પ્રચાર કરી રહ્યો છે.

ભાજપ પણ પોતાના બધા સાથી પક્ષો હાલમાં એકત્ર હોવાનો દેખાવ કરી રહ્યો છે.

મોદીજી વારાણસીમાં ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે ભાજપના મોટા ભાગના સાથી પક્ષોના નેતાઓ હતા.

વિપક્ષના નેતાઓ એવી અફવા ફેલાવી રહ્યા છે કે ભાજપને કેન્દ્રમાં સત્તા પર આવવા માટે જરૂરી બેઠકો મળવાની શંકા હોવાથી હતાશ થઇ ગયો છે.

May 13, 2019
voting111.jpg
1min5450

લોકસભાની ચૂંટણીના રવિવારે યોજાયેલા છઠ્ઠા તબક્કામાં ૬૩.૩૩ ટકા મતદાન થયું હતું. આ ટકાવારીમાં થોડો વધારો થઇ શકે છે, કારણ કે ઘણી જગ્યાએ સાંજના છ વાગ્યા પછી પણ મતદારો કતારમાં ઊભા હતા.

દેશના સાત રાજ્યમાંની કુલ ૫૯ બેઠક માટે રવિવારે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ર્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭, બિહારની ૮, હરિયાણાની ૧૦ અને ઝારખંડમાં ૪ બેઠક માટે રવિવારે યોજાયેલું મતદાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મેનકા ગાંધી, વરુણ ગાંધી, રીટા બહુગુણા જોશી, દિલીપ ઘોષ, મીનાક્ષી લેખી, કૉંગ્રેસના દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શીલા દીક્ષિત, અજય માકેન, ભૂપિન્દરસિંહ હૂડા, કીર્તિ આઝાદ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ જેવા અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે.

દિલ્હીમાં અનેક ઠેકાણે મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનમાં ખામી સર્જાઇ હતી. સેંકડો વ્યંડળે સૌપ્રથમ વખત ‘વ્યંડળ’ તરીકે મતદાન કર્યું હતું. તેઓએ અત્યાર સુધી સ્ત્રી કે પુરુષ તરીકે મતદાન કરવું પડતું હતું. દિલ્હીમાં ૫૯.૮૮ ટકા, હરિયાણામાં ૬૨.૯૧ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૦.૦૬ ટકા, ઝારખંડમાં ૬૫.૧૭ ટકા, બિહારમાં ૫૯.૩૮ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૫૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું.

પશ્ર્ચિમ બંગાળમાં સાંજે પાંચ વાગ્યા સુધી અંદાજે ૮૦ ટકા મતદાન થયું હતું.

દરમિયાન, ભોપાળમાંથી ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢ ખાતે મતદાન કરવા જઇ નહોતા શક્યા.

ફુલપૂર મતક્ષેત્રના મઉઆઇમામાં મદારી ગામ ખાતે સમાજવાદી પક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રવિવારે મતદાન કર્યું હતું.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને તેમના પત્ની ઉષાએ નિર્માણભવન મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.

ઘાટલના ભાજપનાં ઉમેદવાર ભારતી ઘોષની કાર પિંગલા જતી હતી ત્યારે રોકાઇ હતી. તેમના અંગરક્ષકે ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે પોલીસને ભારતી ઘોષ સામે ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.

પશ્ર્ચિમ બંગાળના ઝારગ્રામ ગામમાં મતદારોએ પાણીની અછતને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

કેશપુરમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ પર હુમલો કરાયો હોવાના અહેવાલ પણ છે.

દિલ્હીમાં અંદાજે ૬૦ ટકા મતદાન થયું હતું. અગાઉ, દેશની રાજધાનીમાં ૨૦૧૪માં ૬૫ ટકા મતદાન થયું હતું.

May 13, 2019
maya_modi.jpg
1min9100

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે બહુજન સમાજ પક્ષ (બસપ)નાં વડાં માયાવતી રાજસ્થાનના અલવરમાં થયેલા સામૂહિક બળાત્કારના સંબંધમાં ‘મગરના આંસુ પાડી’ રહ્યા છે અને તેઓ આ કિસ્સામાં ખરેખર ગંભીર હોય તો તેમના પક્ષે રાજ્યમાંની કૉંગ્રેસ સરકારને અપાયેલો ટેકો પાછો ખેંચી લેવો જોઇએ.

અલવરમાં ૨૬મી એપ્રિલે મોટરસાઇકલ પર પ્રવાસ કરી રહેલા દંપતીને આરોપીઓએ અટકાવ્યા હતા અને પતિને માર મારીને તેની સામે જ પત્ની પર સામૂહિક બળાત્કાર કરાયો હતો તેમ જ દંપતીને ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.

પતિએ દાવો કર્યો હતો કે હું ૨૬મી એપ્રિલે રાજસ્થાન પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ પોલીસે ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બતાવીને છેક બીજી મેએ પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો હતો.

મોદીએ કુશીનગર અને દેવરિયામાં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે (માયાવતીજી) મહેરબાની કરીને ‘મગરના આંસુ’ ન પાડો. જો તમે ખરેખર આ કિસ્સામાં ગંભીર હો તો રાજસ્થાનમાંની કૉંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લો.

મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાંની કૉંગ્રેસની સરકાર દલિત મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારના કિસ્સાને દબાવી દેવા માગે છે અને વિચારે છે ‘હુઆ તો હુઆ’.

દરમિયાન, માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે મોદીજી દલિત મહિલા પરના સામૂહિક બળાત્કારના મુદ્દે રાજકીય રમત રમી રહ્યા છે.

બહુજન સમાજ પક્ષનાં વડાંએ દલિતો પર થયેલા અત્યાચારને મુદ્દે મોદીજીના રાજીનામાની માગણી કરી હતી.

May 13, 2019
mi_ipl2019.jpg
1min6520

મુંબઈ ઇન્ડિયન્સે  ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૨મી સિઝનની દિલધડક ફાઇનલના છેલ્લા બૉલ પર એક રનના માર્જિનથી હરાવીને ચોથી વાર વિજેતાપદ મેળવ્યું હતું. આઇપીએલના ૧૨ વર્ષના ઇતિહાસમાં આ નવો વિક્રમ છે. મુંબઈએ ચોથા ચૅમ્પિયનપદ સાથે અગાઉ ત્રણ વિજેતાપદ મેળવનાર ચેન્નઈને બીજા નંબર પર ધકેલી દીધું હતું. ચારેય વિજેતાપદ રોહિત શર્માના સુકાનમાં મળ્યા છે.

ફક્ત બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો લસિથ મલિન્ગા (૪-૦-૪૯-૧) સુપર-બોલર સાબિત થયો હતો. તેણે સ્પર્ધાની છેલ્લી ઓવરમાં ચેન્નઈને જરૂરી ૯ રન નહોતા થવા દીધા. ફાઇનલના અંતિમ બૉલમાં શાર્દુલ ઠાકુરે ચેન્નઈને જિતાડવા બે રન બનાવવાના હતા, પણ મલિન્ગાના સ્લો, યૉર્કર અને લેગ સ્ટમ્પ પરના બૉલમાં ઠાકુર એલબીડબ્લ્યુ થઈ ગયો હતો અને મુંબઈનો એક રનથી રોમાંચક વિજય થયો હતો.

મુંબઈએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન બનાવીને આપેલા ૧૫૦ રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૮ રન બનાવી શક્યું હતું.

૪ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ફાઇનલના સ્પેશિયાલિસ્ટ ખેલાડી શેન વૉટ્સન (૮૦ રન, ૫૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની બધી મહેનત પાણીમાં ગઈ હતી. ગયા વર્ષની સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આઇપીએલ ફાઇનલમાં વૉટ્સને ૮ સિક્સર, ૧૧ ફોરની મદદથી અણનમ ૧૧૭ રન બનાવીને ચેન્નઈને ચૅમ્પિયન બનાવ્યું હતું, પણ ગઈ કાલે તે ત્રણ જીવતદાન મળવા છતાં છેવટે કૃણાલ પંડ્યાના થ્રો બાદ વિકેટકીપર ડી’કૉકના હાથે રનઆઉટ થઈ ગયો હતો.

આ વખતની આઇપીએલમાં મુંબઈએ ત્રણેય વાર ચેન્નઈને હરાવ્યું હતું જેનો બદલો ધોની ઍન્ડ કંપનીએ ફાઇનલના વિજય સાથે મેળવી લેવાનો હતો, પણ આ ચોથા મુકાબલામાં પણ ચેન્નઈએ હાર જોવી પડી હતી. ડ્વેઇન બ્રાવો ૧૫ રન, ઓપનર ફૅફ ડુ પ્લેસી ૨૬ રન અને કૅપ્ટન ધોની બે રન બનાવી શક્યો હતો. મુંબઈ વતી બુમરાહે બે તેમ જ રાહુલ ચહર, મલિન્ગા અને કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. મિચલ મૅક્લેનઍગન તથા હાર્દિકને વિકેટ નહોતી મળી.

કૅપ્શન રોહિત શર્માએ ગઈ કાલે બોલિંગમાં થોડી ભૂલો કરી હતી. હાર્દિક પંડ્યાની એક ઓવરમાં ફક્ત ત્રણ રન બન્યા છતાં રોહિતે તેને વધુ ઓવર ન આપીને મલિન્ગા પર ભરોસો રાખ્યો હતો અને વૉટ્સન સામે અગાઉ તે નિષ્ફળ રહ્યો હોવા છતાં તેને વધુ એક ઓવર આપી હતી જેમાં વૉટ્સને બે સિક્સર, બે ફોર સહિત ૨૦ રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરે ચેન્નઈની તરફેણમાં બાજી લાવી દીધી હતી. પછીથી કૃણાલ પંડ્યાની ૧૮મી ઓવરમાં વૉટ્સને હૅટ-ટ્રિક સિક્સર ફટકારતાં એ ઓવરમાં પણ ૨૦ રન બન્યા હતા. જોકે, છેલ્લી ઓવરમાં મલિન્ગાએ કૅપ્ટન રોહિત શર્માએ પોતાના પર મૂકેલા વિશ્ર્વાસને સાર્થક ઠરાવ્યો હતો.

૩૭ વર્ષનો શેન વૉટ્સન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. ગઈ કાલે યાદગાર ઇનિંગ્સમાં તેનો ત્રણ વખત કૅચ છૂટ્યો હતો. ૯મી ઓવરમાં તે ૩૩ રને હતો ત્યારે મલિન્ગાએ તેનો ઊંચો કૅચ પડતો મૂક્યો હતો. વૉટ્સન ૧૪મી ઓવરમાં ૪૨ રને હતો ત્યારે બોલર ખુદ રાહુલ ચહેર તેનો કૅચ નહોતો પકડી શક્યો. ૧૭મી ઓવર બુમરાહે કરી હતી જેમાં રાહુલ ફરી વૉટ્સનનો ઊંચો કૅચ હાથમાં આવી ગયા બાદ છોડ્યો હતો.

કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના રનઆઉટનો વિવાદ થયો હતો. અનેક વખત રિપ્લે બતાવાયા બાદ છેવટે થર્ડ અમ્પાયર નાઇજેલ લૉન્ગે ધોનીને આઉટ આપ્યો હતો. અગાઉ ઇશાન કિશને તેને રનઆઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો, પણ આ વખતે તેને રનઆઉટ કરવાની તક ઝડપી લીધી હતી.

એ પહેલાં, મુંબઈએ જે ૮ વિકેટે જે ૧૪૯ રન બનાવ્યા હતા એમાં પોલાર્ડના અણનમ ૪૧ રન અને ડી’કૉકના ૨૯ રન, ઇશાન કિશનના ૨૩ રન, હાર્દિકના ૧૬ રન, રેાહિત તથા સૂર્યકુમારના ૧૫-૧૫ રનનો સમાવેશ હતો. ચેન્નઈના બોલરોમાંથી દીપક ચહરે ત્રણ, શાર્દુલે બે અને ઇમરાન તાહિરે બે વિકેટ લીધી હતી.

ઇમરાન તાહિરે સ્પર્ધામાં સૌથી ૨૬ વિકેટ લીધી હોવાથી તેને પર્પલ કૅપ મળી હતી. બૅટ્સમેનોમાં વૉર્નર (૬૯૨ રન)ને ઑરેન્જ કૅપનો વિજેતા જાહેર કરાયો હતો.