માયાવતી કે આંસૂ મગરમચ્છ કે હૈ: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે બહુજન સમાજ પક્ષ (બસપ)નાં વડાં માયાવતી રાજસ્થાનના અલવરમાં થયેલા સામૂહિક બળાત્કારના સંબંધમાં ‘મગરના આંસુ પાડી’ રહ્યા છે અને તેઓ આ કિસ્સામાં ખરેખર ગંભીર હોય તો તેમના પક્ષે રાજ્યમાંની કૉંગ્રેસ સરકારને અપાયેલો ટેકો પાછો ખેંચી લેવો જોઇએ.
અલવરમાં ૨૬મી એપ્રિલે મોટરસાઇકલ પર પ્રવાસ કરી રહેલા દંપતીને આરોપીઓએ અટકાવ્યા હતા અને પતિને માર મારીને તેની સામે જ પત્ની પર સામૂહિક બળાત્કાર કરાયો હતો તેમ જ દંપતીને ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.
પતિએ દાવો કર્યો હતો કે હું ૨૬મી એપ્રિલે રાજસ્થાન પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ પોલીસે ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બતાવીને છેક બીજી મેએ પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો હતો.
મોદીએ કુશીનગર અને દેવરિયામાં ચૂંટણીસભાને સંબોધતા જણાવ્યું હતું કે (માયાવતીજી) મહેરબાની કરીને ‘મગરના આંસુ’ ન પાડો. જો તમે ખરેખર આ કિસ્સામાં ગંભીર હો તો રાજસ્થાનમાંની કૉંગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લો.
મોદીએ જણાવ્યું હતું કે રાજ્યમાંની કૉંગ્રેસની સરકાર દલિત મહિલા પર થયેલા સામૂહિક બળાત્કારના કિસ્સાને દબાવી દેવા માગે છે અને વિચારે છે ‘હુઆ તો હુઆ’.
દરમિયાન, માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે મોદીજી દલિત મહિલા પરના સામૂહિક બળાત્કારના મુદ્દે રાજકીય રમત રમી રહ્યા છે.
બહુજન સમાજ પક્ષનાં વડાંએ દલિતો પર થયેલા અત્યાચારને મુદ્દે મોદીજીના રાજીનામાની માગણી કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now