ઈરાનની ચીમકી બાદ અખાતમાં લશ્કરી હાજરી સુદૃઢ બનાવતું અમેરિકા
અખાતમાં પોતાના બે તેલ ટેન્કરોને ભાંગફોડિયા હુમલામાં નુકસાન થયાનું સાઉદી અરેબિયાએ આજે જણાવ્યુ હતું, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની મડાગાંઠથી આ પ્રદેશમાં ઓલરેડી પ્રવર્તી રહેલો તનાવ વધુ તીવ્ર બની રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ મોસ્કોની તેમની આયોજિત મુલાકાત પડતી મૂકી સુધારેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ઈરાન સહિતની ‘તાકીદની બાબતે’ ફ્રેન્ચ, બ્રિટીશ અને જર્મન અધિકારીઓ સાથે ચર્ચા કરવા બ્રસેલ્સ જવાનું ગોઠવ્યા બાદ આ થયું છે.
આ ભયસૂચક હુમલાની તપાસની તહેરાને હાકલ કરી છે અને દરિયાઈ સુરક્ષા રોળી નાખવા વિદેશી ખેલાડીઓ ‘દુ:સાહસ’ આચરતા હોવા ચેતવણી આપી હતી. ઈરાનની કથિત ચીમકીઓના પ્રતિસાદરૂપે કેટલાક વ્યૂહાત્મક બી-પ2 બોમ્બર્સ તૈનાત કરવા સાથે અમેરિકાએ આ પ્રદેશમાં તેની લશ્કરી હાજરી ઓલરેડી સુદૃઢ બનાવી લીધી છે.
સંયુકત આરબ અમીરાત (યુએઈ)એ રવિવારે જણાવ્યુ હતું કે ફુજૈરાહ અમીરાત સામે વિવિધ દેશોના 4 વ્યાપારિક જહાજોને ભાંગફોડિયા કૃત્યના નિશાન બનાવાયા હતા. બે સાઉદી ટેન્કર અરબી અખાત ઓળંગવાના રસ્તે હતા ત્યારે યુએઈના સુવાંગ આર્થિક ઝોનમાં વિધ્વંસક હુમલાના નિશાન બનાવાયા હતા એમ જણાવી સાઉદી ઉર્જા મંત્રી ખાલિદ અલ-ફલીહે ઉમેર્યુ હતું કે આ બે ટેન્કરોને નોંધનીય નુકસાન’ થયું હતુ, પરંતુ કોઈ ખુવારી થઈ ન હતી તેમ તેલજથ્થો સમુદ્રમાં ફેલાયો (ઓઈલસ્પિલ) થયો નથી. બે પૈકી એક ટેન્કરમાં, અમેરિકી ગ્રાહકો માટે સાઉદી ઓઈલ ટેન્કરમાંથી ભરેલું ખનિજ તેલ હતું.
ઈરાન અવારનવાર એવી ચીમકી આપતું આવ્યુ છે કે અમેરિકા સાથેની તેની લશ્કરી અથડામણના સંજોગોમાં તે સામુદ્રધુની બંધ કરી દેશે.
યુએઈએ હુમલા માટેની જવાબદારી બદલ કોઈ પર આક્ષેપ કર્યો નથી, પરંતુ એવી ચેતવણી આપી હતી કે વ્યાપારિક કે મુલ્કી જહાજો પરના ભાંગફોડના કૃત્ય આચરવા અને જહાજ પરના લોકોના સલામતી માટે ખતરો સર્જાય એ ગંભીર બાબત છે. સાઉદી અરેબિયા,’ ઈરાક, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાનની લગભગ તમામ તેલ નિકાસ-પ્રતિ દિન 1.પ કરોડ બેરલ-હોર્મઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું હોય છે.
આજે ઈરાની વિદેશ મંત્રી સાથે સુષ્મા સ્વરાજની બેઠક
આજે રાતે ભારત આવી જનારા ઈરાની વિદેશ મંત્રી જાવાદ ઝરીફ આવતી કાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. ઈરાનના ભારત સહિતના 8 તેલગ્રાહક દેશોને અમેરિકી પ્રતિબંધોમાંથી અપાયેલી મુકિતનો અંત આવ્યાની પશ્ચાદભૂમાં આ બેઠક યોજાઈ રહી છે. ભારત માટેની મુકિત તા. પહેલી મેએ પૂરી થવા સાથે ઈરાનમાંથી ભારતે તેલની આયાત કરવાનું નિષિદ્ધ બન્યું છે અન્યથા સરકારી કે ખાનગી માલિકીની કંપનીઓએ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવાનો રહેશે.
પુલવામામાંના હુમલા બાદ આતંકવાદ સામે લડવા બાબતે અમેરિકા ભારતની પડખે ઉભું રહ્યુ હોઈ ઈરાનના આતંકી નેટવર્કને રોળી નાખવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતામાં ભારત તરફથી ય પારસ્પરિકતાની અપેક્ષા રહે છે એમ વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવી દીધું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944