સરકાર નહીં પણ ખુદ ગામના લોકોએ એક જ મહિનામાં ડુંગર ચીરી બનાવ્યો રસ્તો
ગુજરાત સરકાર વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વિકાસના દાવા છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયા છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. છોટાઉદેપુરના તુરખેડા ગામમાં લોકોએ પાણી સહિતની જીવનજરૂરી વસ્તુઓ માટે ડુંગરને તોડીને રસ્તા બનાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિકાસના મોટા દાવા કરવામાં આવે છે અને છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. ગામમાં સરકારની એક પણ વિકાસ યોજનાઓ આજદીન સુધી પહોંચી નથી, પરંતુ સરકારના આ દાવા છોટાઉદેપુર જીલ્લાનું તુરખેડા ગામમાં પોકળ પુરવાર થયું છે. તુરખેડા ગામ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રીભેટે ડુંગરની વચ્ચે બે હજાર કરતા વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે. સરકાર દ્વારા કોઈ સુવિધા હજુ સુધી પહોંચાડવામાં આવી નથી. ૧૦ કિલોમીટરમાં ડુંગરાળ વિસ્તારની અંદર ફેલાયેલા ગામમાં ૭ જેટલા ફળિયા આવેલા છે, જેમાંથી બે ફળિયા ડુંગરની ઉપર વસેલા છે, જ્યાં તુરખેડા ગામ ડુંગરાની વચ્ચે છે. ગામમાં રસ્તો નથી. ચોમાસા દરમિયાન ગામવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં કોઈ બીમાર પડે તો તેને ઝોળી બનાવીને ઊંચકીને ત્રણ કિલોમીટર દૂર ડુંગરો ચઢી ઉતરીને નજીકના ગામ લઈ જવું પડતું હતું. ત્યાં જઈને ફોન કરો ત્યારે ૧૦૮ ની સુવિધા મળતી હતી. જેને કારણે ગ્રામજનો ગામમાં પ્રવેશવા માટેનો માર્ગ નહીં હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી કંટાળીને ગ્રામજનોએ પોતાની જાતે ફંડફાળો અને શ્રમદાન કરીને ગામમાં પ્રવેશવા માટેનો ડુંગરને ચીરીને એક મહિનાથી રસ્તો બનાવવાનું ચાલુ કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now