CIA ALERT

Blog - Page 515 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 15, 2019
paytm-1280x960.jpeg
1min7340

Paytm સાથે 10 કરોડની છેતરપિંડી

Paytm સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. Paytmના પ્રમુખ વિજય શેખર શર્માએ કહ્યું કે નાના વેપારી અને હવે Paytmથી અલગ થઈ ચુકેલા સેલર્સે કમાયેલા ભારે કેશબેકની તપાસમાં આ છેતરપિંડી સામે આવી છે. આ તપાસમાં Paytmના કર્મચારીઓનું પણ નામ ખુલતા તેમણે નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

શર્માએ કહ્યું કે દીવાળી બાદ અમારી ટીમે જોયું કે કેટલાક નાના સેલર્સને કેશબેક તરીકે મોટી રકમ મળી રહી છે. અમારી ટીમના ઑડિટર્સને કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરે. જે તપાસમાં સામે આવ્યું કે કેટલાક સેલર્સ જૂનિયર કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરીને કેશબેક કમાઈ રહ્યા હતા.

છેતરપિંડીની આ રકમ 10 કરોડ જેવી થવા જાય છે. તેમણે કહ્યું કે જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્રવાઈ કરાશે. જેમાં અનેક સેલર્સને Paytmમાંથી ડીલિસ્ટ પણ કરવામાં આવશે. અનેક કર્મચારીઓને આ મામલે કાઢી મુકવામાં આવ્યા છે. કેટલાક કર્મચારીઓ કથિત રીતે થર્ડ પાર્ટી વેંડર્સ સાથે મળીને ફેક ઑર્ડર પોસ્ટ કરતા હતા અને કેશબેક ઑફરના લાભ ઉઠાવતા હતા.

May 15, 2019
monsoon.png
1min6190

ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન અંગેની માહિતી આપતી એજન્સીએ મંગળવારે જણાવ્યું કે, ભારતમાં 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે. આ જાણકારી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે, જે હવામાન અંગેની ભવિષ્યવાણી કરે છે. ચોમાસું કેરળ પહોંચવાની તારીખ પહેલા 1 જૂન જણાવાઈ હતી, એટલે કે તે સમય કરતા થોડું મોડું આવી રહ્યું છે.

May 15, 2019
studentoftheyear.jpg
1min9310

કરણ જોહરના સ્ટુડન્ટ બોક્સ ઓફિસ પર પાસ થયા નથી. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની અને પૂનિત મલ્હોત્રાના ડાયરેક્શનમાં બનેલી બિગ બજેટની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2એ બોક્સ ઓફિસ પર નબળો દેખાવ કર્યો છે. સોમવારે આ ફિલ્મના કલેક્શનમાં પપ ટકાનો ઘટાડો આવ્યો હતો.
સોમવારે સ્ટુડન્ટના બીજા ભાગે માત્ર પ.2પ કરોડનો જ વકરો કર્યો હતો. આથી કરણ જોહરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ છે. 100 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા નથી. વધીને 60-70 કરોડ આસપાસ પહોંચી શકે તેમ છે. તેની કુલ કમાણી 43 કરોડ થઈ છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસની આ પહેલા રીલિઝ થયેલી મોટા બજેટની ફિલ્મ કલંક સુપર ફલોપ રહી હતી.
May 15, 2019
weather-forecast.jpg
1min10160

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.

May 15, 2019
Amit-Shah-Rally-Kolkata-DH-1557844028.jpg
1min6370

શહેરમાં મંગળવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપના ટેકેદારો અને વિદ્યાર્થી કાર્યકરોની ડાબેરી અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના કાર્યકરોની સાથે અથડામણ થઇ હતી. ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડી પડાયું હતું, સામસામો પથ્થરમારો કરાયો હતો અને સાઇકલો તેમ જ મૉટરબાઇક્સ સળગાવાઇ હતી.

અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. (પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન) મમતા બેનરજીએ હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી, પરંતુ હું સલામત છું.

શાહે આક્ષેપ કર્યો હતો કે હિંસા ફાટી નીકળી ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોયા કરતી હતી. પોલીસ મને ગેરમાર્ગે લઇ ગઇ હતી અને જ્યાં ખૂબ જ વાહનવ્યવહાર હતો તે રસ્તે મારા કાફલાને વાળવામાં આવ્યો હતો.

શહેરના મધ્યમાં આવેલા એસ્પ્લેનેડથી અંદાજે ૩.૫ કિલોમીટરના અંતરે આવેલા બિધાન સરાની અને કૉલેજ સ્ટ્રીટ થઇને અમિત શાહનો કાફલો ઉત્તર કોલકાતામાં આવેલા સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાને જતો હતો ત્યારે તેના પર પથ્થરમારો શરૂ થતાં હિંસા વણસી હતી. કલકત્તા યુનિવર્સિટી કેમ્પસની બહાર કૉલેજ સ્ટ્રીટ ખાતે ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ અમિત શાહની વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યો ત્યારે અથડામણ થઇ હતી.

ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ ‘અમિત શાહ પાછા જાઓ’ લખાયેલા પૉસ્ટર અને કાળા વાવટા દેખાડ્યા હતા. પોલીસે વધુ હિંસા ફેલાતી રોકી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાસાગર કૉલેજ અને યુનિવર્સિટી હૉસ્ટેલની બહાર અથડામણ થઇ હતી. અગાઉ, ડાબેરીઓ અને તૃણમૂલ કૉંગ્રેસ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓએ અમિત શાહના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.

ભાજપના ટેકેદારોએ આ હૉસ્ટેલના દરવાજા બંધ કરી દીધા હતા અને બહાર ઊભી રખાયેલી સાઇકલો અને મૉટરબાઇક્સ સળગાવી હતી. તેઓએ આ ઇમારત પર પથ્થરમારો કર્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે આ કૉલેજનું નામ જેના પરથી પડ્યું છે એ ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરના હૉસ્ટેલની ઇમારતની બહાર રખાયેલા પૂતળાને ભાજપના ટેકેદારોએ આ અથડામણ દરમિયાન તોડી નાખ્યું હતું. પોલીસના મોટા કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

May 15, 2019
modi.jpg
1min5730

પોતે મિલકત ભેગી કરી હોય અથવા વિદેશી બૅંકમાં નાણાં મૂક્યાં હોય તેવું સાબિત કરી બતાવવા વડા પ્રધાન મોદીએ વિપક્ષોને પડકાર ફેંક્યો હતો. પૂર્વી ઉત્તર પ્રદેશના બલિયામાં એક ચૂંટણી પ્રચારસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે “મહામિલાવટીઓને હું પડકાર ફેંકું છું, મારી પાસે કોઈ બેનામી મિલકત અથવા ફાર્મહાઉસ, શોપિંગ કોમ્પ્લેક્સ હોય અથવા વિદેશી બૅંકોમાં નાણું મૂક્યું હોય અથવા વિદેશમાં મિલકત લીધી હોય તો સાબિત કરી બતાવે. તેમણે કહ્યું કે તેમણે ધનવાન બનવાની ઈચ્છા રાખી નથી અથવા ગરીબોનું નાણું લૂંટવાનું પાપ કર્યું નથી. “અમે ગરીબોનું કલ્યાણ, માતૃભૂમિનું ગૌરવ અને સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપીએ છે. આ જ કારણથી પાકિસ્તાનની અને તેમના ત્રાસવાદીઓની હેકડી (ઘમંડ) હવે જોવા નથી મળતી. પાકિસ્તાનમાં ખુલ્લેઆમ શસ્ત્રો લઈને ફરતા ત્રાસવાદીઓ ભૂગર્ભમાં છુપાઈ ગયા છે અને મોદીને હટાવવા પ્રાર્થના કરી રહ્યા છે. કોઈવાર તેઓ જંગલમાં, કોઈવાર આકાશમાં, કોઈવાર સાગરમાં તાકી રહ્યા છે. તેઓ બેચેન થઈ ગયા છે અને તેમની ઊંઘ ઊડી ગઈ છે. આ દેશના બહાદુર સૈનિકોને મેં છૂટ્ટો દોર આપ્યો હતો. આથી પહેલા સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને પછી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્રાસવાદ સામેની લડત આપણે સરહદને પાર લઈ ગયા છીએ

બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષને લક્ષ્ય બનાવતા તેમણે કહ્યું હતું કે, “આ મહામિલાવટી લોકોએ તમને કેવી રીતે છેતર્યા છે, કેટલું લૂંટ્યા છે, તમને બરાબર ખબર છે. જાતિના રાજકારણના નામમાં તેમણે સગાંઓ માટે બંગલા, મહેલો બનાવ્યા છે. બેનામી મિલકત ખરીદી છે… જે પક્ષો એકબીજા સામે લડતા હતા તેઓ ‘મહામિલાવટ’ જોડાણ કરવા લાચાર થયા છે.

તેમણે કહ્યું કે “હું માતાઓ, બહેનો, પુત્રીઓના સન્માન માટે મેદાનમાં છું. હું ગરીબોનો આત્મવિશ્ર્વાસ વધારવા ઊભો છું. સમાજના છેવાડાના માનવીને સુખી કરવા હું પ્રયત્નશીલ છું.

હું ઘણી ચૂંટણી લડ્યો છું અને અન્યોને પણ લડાવી છે, પણ કોઈ દિવસ મારી જાતિ પર આધાર નથી રાખ્યો. મેં ગરીબી અને પછાતપણું શું છે તેનો જાતઅનુભવ કર્યો છે. મારી ગરીબી દૂર કરવા માટે હું નથી આવ્યો, હું તમારે માટે જીવું છું. તમારે માટે હું પરિશ્રમ કરું છું અને મને ખાતરી છે કે આ પરિસ્થિતિમાં સંપૂર્ણ બદલાવ લાવવામાં આપણે સફળ થઈશું, તેવું તેમણે કહ્યું હતું.

તેમણે સ્થાનિક પરિબળને ધ્યાનમાં લઈ કહ્યું હતું કે જે રીતે બલિયાએ વિદેશી શાસન સામે લડત આપી હતી તે રીતે મોદી ગરીબી સામે લડત આપી રહ્યો છે.

May 15, 2019
mani_ayier.jpg
1min5960

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેનારા કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે લખેલા એક લેખમાં પોતાના આ નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું.

તેમણે મોદીને દેશના સૌથી વધુ ‘ગંદા મોઢાવાળા’ (ગાળાગાળી કરનારા) વડા પ્રધાન પણ ગણાવ્યા હતા.

‘રાઇઝિંગ કાશ્મીર’ અને ‘ધ પ્રિન્ટ’માં પ્રસિદ્ધ થયેલા આ અહેવાલોની ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ આકરી ટીકા કરી હતી.

ભારતીય જનતા પક્ષે મણિશંકર ઐયરને ‘નિંદા કરનારા વડા’ અને કૉંગ્રેસ પક્ષને ‘ઘમંડી’ ગણાવ્યા હતા.

મણિશંકર ઐયરે લખેલા અહેવાલમાં મોદીની અનેક મુદ્દે ટીકા કરી હતી અને સવાલ કર્યો હતો કે મેં તેમના (મોદી) માટે 2017ની સાતમી ડિસેમ્બરે જે કંઇ કહ્યું હતું તે યાદ છે?

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને નરેન્દ્ર મોદીને 2017માં ‘નીચ માણસ’ કહ્યા હતા અને તેને કારણે તેમને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

મણિશંકર ઐયરે જણાવ્યું હતું કે મોદીને દેશની જનતા જ 23મી મેએ સત્તા પરથી દૂર કરશે. દેશના ‘ખરાબ મોઢાવાળા’ વડા પ્રધાનનો એ દિવસે યોગ્ય અંત આવશે.

ભારતીય જનતા પક્ષે જણાવ્યું હતું કે ઐયર મોદીજીને ‘રાષ્ટ્રવિરોધી’ કહે છે. દેશના લોકો વડા પ્રધાનની ‘દેશભક્તિ’ જાણે છે. ઐયર રાજકીય વંશવેલાની ‘પરિવાર-ભક્તિ’ અને ગુલામી માટે જાણીતા છે. ગંદું બોલનારા બધા લોકો ગાંધી પરિવારના વિશ્ર્વાસુ હોવાની વાતથી આશ્ર્ચર્ય નથી થતું.

ભાજપના આઇટી વિભાગના વડા અમિત માલવિયાએ કૉંગ્રેસના નેતા સૅમ પિત્રોડા દ્વારા શીખવિરોધી રમખાણના સંબંધમાં કરાયેલા ‘હુઆ તો હુઆ’ના નિવેદનની આકરી ટીકા કરી હતી. (એજન્સી)

આ મણિશંકરના વ્યક્તિગત વિચાર છે: કૉંગ્રેસ

નવી દિલ્હી: કૉંગ્રેસે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મણિશંકર ઐયરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતા ફરી કરેલી ટિપ્પણીથી મંગળવારે પોતાને અલગ કરતા જણાવ્યું હતું કે મણિશંકર ઐયરના આ વ્યક્તિગત વિચાર છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગીલે જણાવ્યું હતું કે મોદીજીને ભૂતપૂર્વ વડા પ્રધાન અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ શરમ આવવી જોઇએ.

શેરગીલે જણાવ્યું હતું કે વડા પ્રધાને આવી ગંદી ભાષા વાપરવા બદલ દેશની માફી માગવી જોઇએ.

અગાઉ, મોદીએ રાજીવ ગાંધીને ‘ભ્રષ્ટાચારી નંબર વન’ કહ્યા હતા.

May 14, 2019
gseb-1280x720.jpg
1min23070

ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા અને નબળા પરીણામ બાદ સમગ્ર રાજ્યમાંથી ભારે ઉહાપોહ મચી ઉઠ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કેમેસ્ટ્રી વિષયનું પેપર અને તેના પરીણામ અંગે ભારે આક્રોશ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પાડવા માટે આખરે સરકારની સૂચના બાદ ગુજરાત બોર્ડે આજે જાહેરાત કરી છે કે ધો.12 સાયન્સમાં એક નહીં પરંતુ, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગામી જુલાઇ 2019માં લેવામાં આવનારી પૂરક પરીક્ષા (સપ્લીમેન્ટરી એકઝામ) આપીને જો તેમાં સફળ થશે તો તેમની કારકિર્દીનું એક અમૂલ્ય વર્ષ બચાવી શકશે.

ધો.12 સાયન્સના ગઇ તા.9મી મે ના રોજ જાહેર થયેલા પરીણામમાં કુલ 34800 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. નાપાસ વિદ્યાર્થીઓ પૈકી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી થવા જાય છે. આમ, બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે તેમનું એક વર્ષ બચી જાય તેવી તક આપી છે.

આજે તા.14મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એ આ મુજબ છે.

May 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10150

જયેશ બ્રહ્મભટ્ટ

સેન્ટ્રલ બોર્ડની સ્કુલોમાં ગુજરાત બોર્ડની સ્કુલો કરતા સારુ શિક્ષણ મળતું હોવાની વાત માની શકાય પરંતુ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોની બીજી કેટલીક નબળાઇઓ વિદ્યાર્થીઓને જીવનભર ભારે પડી શકે તેમ છે. સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલમાં ધો.12 સાયન્સ ભણીને પાસ થયેલા વિદ્યાર્થીઓએ ગુજકેટ-2019ની પરીક્ષા આ વખતે આપી નહીં હોવાથી તેમના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર જેવા કોઇ જ અભ્યાસક્રમમાં મેરીટ ધરાવતા હોવા છતાં પ્રવેશ નહીં મળે.

ઉપરોક્ત ત્રણેય સ્કુલોના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સ્કુલમાંથી ક્યારેય એવી સમજણ આપવામાં આવી ન હતી કે તેમણે ગુજકેટ જેવી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી જોઇએ. પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે એક તરફ ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી પડી રહેશે અને બીજી તરફ સીબીએસઇના વિદ્યાર્થીઓ સારા ટકા લાવ્યા હોવા છતાં ગુજકેટના અભાવે પ્રવેશ નહીં મેળવી શકે.

જેઇઇ મેઇન્સનું પરીણામ સાવ ખરાબ આવ્યું અને સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી નહીં, હવે એન્જિનિયરિંગ કોલેજોમાં ક્યાંયે પ્રવેશ નહીં મળી શકે

સુરતમાં સીબીએસઇ બોર્ડ સાથે સંલગ્ન રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલોના સંચાલકો અને આચાર્યો એમના મગજમાં એવી રાય ભરીને જ ચાલતા હોય છે કે તેમને બધી જ બાબતોનો ખ્યાલ છે. પરંતુ, આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મગજમાંથી રાય કાઢી નાંખે તેવી સ્થિતિ પેદા થઇ છે.

ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફક્ત નીટ અને જેઇઇની તૈયારી કરવાની સલાહ આપતા સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોના પાપે આ વખતે સેન્ટ્રલ બોર્ડના સેંકડો વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં સારું પરીણામ લાવ્યાં હોવા છતાં તેઓ ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ નહીં મેળવી શકે. એક તરફ જેઇઇ મેઇન્સનું પરીણામ પાછલા વર્ષોની તુલનામાં અત્યંત કડક આવ્યું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એડવાન્સ માટેની લાયકાત સુદ્ધાં મેળવી શક્યા નથી, તો એન.આઇ.ટી. કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મળવાની વાત તો દૂર રહીં.

એક અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કુલ સેન્ટ્રલ બોર્ડની એકમાત્ર એવી શાળા છે જ્યાં ધો.11-12ના વિદ્યાર્થીઓને દરેકે દરેક પ્રવેશ પરીક્ષા અંગે અગાઉથી માહિતગાર કરીને તે અંગેની પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે. એ સિવાય મોટા ભાગની સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનના નામે મીંડું આપવામાં આવે છે.

મગજમાં આઇએમ સમથીંગનો ફાંકો રાખીને ફરતા સીબીએસઇ સ્કુલોના સંચાલકો અને આચાર્યો ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને એવું પણ ગાઇડન્સ આપી ન શક્યા કે તેમણે ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવું જોઇએ

સીબીએસઇની સ્કુલોએ જો તેમના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને એવી સલાહ, સમજણ આપી હોત કે જેઇઇ મેઇન્સની સાથે ગુજકેટની પરીક્ષા આપવાથી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો, એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ મળશે અને તેના માટે ગુજકેટ જરૂરી છે તો કદાચ સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડતા બચી ગયું હોત.

લેખક કરીયર કાઉન્સલર હોવાના નાતે અત્યાર સુધીમાં રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેના 125થી વધુ વિદ્યાર્થીઓ પર્સનલ કાઉન્સેલિંગ માટે રૂબરૂ મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો કે તેમને ક્યારેય સ્કુલ તરફથી એવી સમજ, સલાહ કે ગાઇડન્સ આપવામાં આવ્યું ન હતું કે જેઇઇની સાથે તેમણે ગુજકેટની પરીક્ષા પણ આપવી જોઇએ. જો વિદ્યાર્થીઓને એ વાતની પહેલેથી જ જાણકારી હોત તો તેઓ આજે એન્જિનિયરિંગ કોલેજમાં સાવ જ પ્રવેશથી વંચિત ન રહી ગયા હોત.

સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ગુજકેટની પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાલ તો પગતળેથી ધરતી ખસી ગઇ છે કેમકે હવે તેમની પાસે સહારો માત્ર બી.એસસી.માં પ્રવેશનો બચ્યો છે પરંતુ, તેમને થયેલા આ નુકસાનની જવાબદારી કોની, સેન્ટ્રલ બોર્ડનું એક વખત એફિલિયેશન મેળવી લીધા બાદ હાટડીની જેમ સ્કુલો ચલાવતા સંચાલકોને સ્વપનેય ખ્યાલ નહીં હોય કે તેમણે વિદ્યાર્થીઓનું કેટલું અહીત કર્યું હશે.

ગુજકેટની પરીક્ષા નહીં આપનારા રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલના સેંકડો વિદ્યાર્થીઓની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી થઇ

પોતાના સંતાનોને સીબીએસઇ સ્કુલોમાં અભ્યાસ કરાવવા માટે અધીરા બની રહેલા વાલીઓ, માબાપ માટે ઉપરોક્ત કિસ્સો આંખ ઉઘાડનારો છે. સીબીએસઇ સ્કુલો શિક્ષણ ભલે સારું આપે, સીબીએસઇમાં ટીચર્સની ક્વોલિટી ગુજરાત બોર્ડના શિક્ષકો કરતા સારી હોય પણ અન્ય બાબતોમાં સેન્ટ્રલ બોર્ડના સંચાલકોની અજ્ઞાનતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી નાંખે તેટલી જવાબદાર બને છે.

May 14, 2019
birthday-bumps-images-8.jpg
1min7790

(Symbolic Pic)

સુરતમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના યંગસ્ટર્સ પોતાના મિત્રની બર્થ ડે ઉજવણીના બહાને જાહેર માર્ગ પર વગર પીધે છાકટા થઇને જંગલીયત પર ઉતરી આવતા હતા. પોતાના મિત્રની સાથે ટપોરીઓને પણ શરમાવે એ રીતે મારઝૂડ અને જુલ્મો આચરતા સુરતી યંગસ્ટર્સની આખરે શાન ઠેકાણે લાવવા માટે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર બર્થડે બમ્પસના સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવો પડ્યો હતો. બર્થ ડે પર ઘાતકી રીતે મારઝૂડ કરવાનો ટ્રેન્ડ મિડલ અને લોઅર મિડલ ક્લાસ પરિવારના યંગસ્ટર્સમાં જ જોવા મળતો હતો. જ્યારે બર્થ ડે ની જાહેર માર્ગ પર ઉજવણી કરતા ત્યારે આ સુરતી યંગસ્ટર્સ એટલી જંગલિયત પર ઉતરી આવતા હતા કે મારઝૂડની સાથે ગાળાગાળી કરીને આખા વિસ્તારમાં અશાંતિ મચાવી મૂકતા હતા.

(Symbolic Pic)

પણ હવે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ જંગલીયતભર્યા બર્થ ડે સેલિબ્રેશન સામે નિષેધાત્મક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

સુરતના અડાજણ, ઉમરા, ડુમસ વગેરે વિસ્તારમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસાત્મક અને જાહેર જીવનમાં ખલેલ પહોંચાડનારી બનતી હતી. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.

બર્થ ડે બમ્પસ સામે પ્રતિબંધ મૂકવાની આખા દેશમાં પહેલ કરનારા પોલીસ કમિશનર શ્રી શર્માએ કહ્યું હતું કે, ‘આ જાહેરનામું લોકોમાં સાવચેત કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.