CIA ALERT

Blog - Page 512 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 18, 2019
voting111.jpg
1min7800

છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે શમી ગયા હતા.

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારે સાતમા તબક્કામાં પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પ. બંગાળમાં નવ, બિહાર અને મધ્ય પ્રદેશ પ્રત્યેકમાં આઠ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઝારખંડમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક માટે મતદાન થશે. માર્ચ મહિનામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના થયેલા મૃત્યુ બાદ પણજીમાં પણ પેટાચૂંટણી યોજવાનું જરૂરી બન્યું હતું.

અમિત શાહના રૉડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચૂંટણી પંચના આદેશને પગલે પ. બંગાળમાં ચૂંટણીપ્રચાર નિર્ધારિત સમય કરતા ૨૦ કલાક વહેલો થંભી ગયો હતો.

મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પાર પડે તે માટે પૂરતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પ્રારંભિક ટિપ્પણી કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો.

અમતિ શાહે ભાજપ સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

May 18, 2019
shatrughan-sinha_0.jpeg
1min6070

૨૦૧૪ની મોદી લહેર છેલ્લાં પાચ વર્ષમાં અધોગતિ પામીને હવે આપત્તિ બની ગઇ છે અને મહાગઠબંધન વર્તમાન ચૂંટણીમાં એનડીએને બિહારમાંથી હાંકી કાઢશે, એવો દાવો અભિનેતા-કમ-રાજકારણી શત્રુઘ્ન સિંહાએ શુક્રવારે કર્યો હતો.

ઉત્તર પ્રદેશમાં પણ મારી પત્ની પૂનમ સિંહા એસપી-બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ત્યાં પણ ભાજપ ભૂંડા હાલે હારવાનો છે, એમ શત્રુઘ્ને દાવો કર્યો હતો. શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઊભા છે. આશરે ત્રણ દાયકાનો સાથ છોડી ગયા મહિને શત્રુઘ્ન સિંહા કૉંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે દાવો કર્યો હતો કે મોદી સરકારમાં તેમને પ્રધાન પદ નહીં મળવાથી શત્રુઘ્ન સિંહાએ નારાજ થઇને પક્ષ છોડ્યો હતો. ભાજપના દાવાનો વિરોધ કરતા બિહારી બાબુના હુલામણા નામે જાણીતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, ‘ચોરી ઉપરથી સિનાજોરી.’

‘ચાલો એક વખત માની લઇએ કે મને પ્રધાનપદ નહીં મળવાથી હું નારાજ હતો, પરંતુ બે વ્યક્તિની ફોજ (મોદી, અમિત શાહ) મને જણાવી શકશે કે એલ. કે. અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ધુરંધરો સાથે દુર્વ્યવહાર શા માટે કરવામાં આવ્યો. એક સમયના ભાજપના કટ્ટર સમર્થક અરુણ શૌરી આજે શા માટે તેમના કટ્ટર વિરોધી થઇ ગયા છે. યશવંત સિંહાએ પક્ષ શા માટે છોડ્યો,’ એમ શત્રુઘ્ન સિંહાએ સવાલ કર્યા હતા. ‘હું સાચુ બોલતો હતો. નોટબંધીને કારણે લોકોને ભારે અગવડ પડી હતી અને અર્થતંત્રને પણ ફટકો પડ્યો હતો. જીએસટીના કંગાળ અમલ સામે મેં વિરોધ દર્શાવ્યો હતો. રાફેલ મુદૃે સરકારને મેં તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું,’ એમ સિંહાએ જણાવ્યું હતું.

May 18, 2019
bjp_logo.png
1min8310

ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને લગતા નિવેદનોને લઇને ભારતીય જનતા પક્ષ (ભાજપ) મુશ્કેલીમાં સપડાયો છે અને તેને પોતાના ત્રણ નેતા પાસે ખુલાસો માગવાની ફરજ પડી હતી.

bjp notice 3 leaders માટે છબી પરિણામ

દરમિયાન, કૉંગ્રેસે આ પ્રકરણમાં આક્રમક વલણ અપનાવ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ કિસ્સામાંની ચુપકીદી અંગે સવાલ ઉઠાવ્યો હતો.

ભોપાળમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતું નિવેદન કર્યું હતું, પરંતુ બાદમાં પક્ષના મોવડીમંડળ દ્વારા તેમના પર દબાણ લવાતા તેમણે પોતાનું આ નિવેદન પાછું ખેંચ્યું હતું અને માફી માગી હતી.

ભાજપના પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અમારા પક્ષે ત્રણ નેતા – કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડે, પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્ણાટકના સાંસદ નલિનકુમાર કટીલના વિવાદાસ્પદ નિવેદનની ગંભીર નોંધ લઇને તેઓને દસ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું હતું કે હું ગોડસે અંગે વાંધાજનક નિવેદન કરનારા પ્રજ્ઞાસિંહ ઠાકુરને દિલથી માફ કરી નહિ શકું.

દરમિયાન, કૉંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞાસિંહ ગોડસેને દેશભક્ત ગણાવતા હોય અને અમિત શાહના રોડશો વખતે ઇશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડીને હિંસા ફેલાવાતી હોય એવા સંજોગમાં અમારા માટે દેશ માટે પ્રાર્થના કરવા સિવાય કંઇ બાકી નથી રહેતું.

ભાજપના સાંસદ નલિનકુમાર કટીલે જણાવ્યું હતું કે ગોડસેએ એકની હત્યા કરી હતી, કસાબે ૭૨ને માર્યા હતા અને રાજીવ ગાંધીએ ૧૭,૦૦૦ને માર્યા હતા. તમે (જનતા) જ નિર્ણય લો કે કોણ વધુ ક્રૂર ગણાય.

દેશમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના પ્રચારનો શુક્રવારે અંત આવ્યો હતો. દેશમાં રવિવારે લોકસભાની ૫૯ બેઠક માટે મતદાન થવાનું છે.

May 18, 2019
Kamal_Haasan.jpeg
1min6560

હિન્દુ આતંકવાદની ટિપ્પણી કરવાને મામલે વિવાદના કેન્દ્રમાં આવી ગયેલા અભિનેતા-રાજકારણી કમલ હસને શુક્રવારે કહ્યું હતું કે પ્રત્યેક ધર્મના પોતાના અંતિમવાદી છે અને કોઈ પવિત્ર હોવાનો ડોળ કરી શકે એમ નથી.

મક્કલ નિધિ મિયામ-એમએનએમના વડા કમલ હસને કહ્યું હતું કે હું ધરપકડથી નથી ગભરાતો અને ચેતવણી આપી હતી કે એવું કોઈપણ પગલું તણાવ વધારશે. તમિળનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહૂએ કહ્યું હતું કે કરુરસ્થિત અરાવાકુરિચી ખાતે હિન્દુ આતંકવાદ અંગેના કમલ હસને કરેલા નિવેદન અંગે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મગાવવામાં આવ્યો છે. અરાવાકુરિચી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન રવિવારે કરવામાં આવેલું નિવેદન પહેલીવારનું નથી એમ જણાવી કમલ હસને ભારપૂર્વક કહ્યું હતું કે પ્રત્યેક ધર્મનો પોતાનો અંતિમવાદી છે. કરુરસ્થિત અરાવાકુરિચી ખાતે હિન્દુ આતંકવાદ અંગેના કમલ હસને કરેલા નિવેદનને મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ વચગાળાના જામીનની અરજી કરનાર કમલ હસને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ મેં આ જ પ્રકારનું નિવેદન કર્યું હતું, પરંતુ મારા આ નિવેદનની હવે એ લોકોએ નોંધ લીધી જે જેમનો આત્મવિશ્ર્વાસ ડગી ગયો છે.

May 17, 2019
admission-1280x1360.jpg
1min17590

આખરે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોના પહેલા વર્ષ માટે તેમજ ફાર્મસી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર (14 આંકડાનો પીન) તેમજ બુકલેટનું વિતરણ તેમજ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાની તારીખોનું એલાન એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ધો.12 પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉચાટમાં હતા, કેમકે અનેક જાહેરાતો થઇ પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકી ન હતી. એડમિશન કમિટીએ તા.17મી મે શુક્રવારે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી છે જેના સત્તાવાર કાર્યક્રમો નીચે મુજબ છે.

ગુજરાતમાં ઇજનેરી પ્રવેશ કાર્યક્રમ

એન્જિનિયરિંગમાં પ્રવેશ લાયકાત

એન્જિનિયરિંગમાં મેરીટ કેવી રીતે બનશે

ગુજરાતમાં ફાર્મસી પ્રવેશ કાર્યક્રમ

ફાર્મસીમાં એ ગ્રુપ અને બી ગ્રુપ બન્નેના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે, ફાર્મસીમાં પ્રવેશ માટેનું લઘુત્તમ ધોરણ ધો.12 પીસીએમ, પીસીબી પાસ છે. 

એગ્રિકલ્ચર કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી 24મી મે 2019થી

 

મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ પ્રક્રિયા નીટના પરીણામ સાથે શરૂ થશે

May 17, 2019
weather-forecast.jpg
1min5170

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા, રાજુલામાં વરસાદ

રાજકોટથી મળતા અહેવાલો મુજબ શુક્રવારે સાંજથી સૌરાષ્ટ્રના સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં ઝરમર અને ક્યાંક મોટા ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ અને કરા સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યાના પણ અહેવાલો છે.

શનિવારે ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બંને જિલ્લામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશનના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. ગુરુવારે બનાસકાંઠાના થરાદ અને વાવ પંથકમાં વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું.

May 17, 2019
husband-wife.jpeg
1min5560

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં પત્નીના ત્રાસથી કંટાળી રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે યુવકનાં મોત બાદ એક ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પતિને આત્મહત્યા માટે પ્રેરિત કરતો પત્નીનો ઓડિયો પણ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં પતિ કહી રહ્યો છે કે, મને ૬ મહિના વધુ જીવવા દે. જેના જવાબમાં પત્ની કહે છે કે, ના, તમારે બે મહિનાની અંદર જ આત્મહત્યા કરવી પડશે. આ ઓડિયો ક્લિપ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે કે ગુડિયા દેવીએ પોતાના પતિ અંજની કુમારને આત્મહત્યા માટે મજબૂર કર્યા હતા. પત્નીએ પોતાના પતિને એટલી હદે માનસિક પરેશાન કર્યો હતો કે તેણે પોતાનું જીવન ટૂંકાવવુ પડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે વિભાગમાં ફરજ બજાવતા અંજની કુમારનાં પાંચ વર્ષ પહેલા ગુડિયા દેવી સાથે લગ્ન થયા હતાં, જેમાં અઢી વર્ષનો એક પુત્ર હતો. પરંતુ લગ બાદ દંપતી વચ્ચે નાની નાની વાતમાં ખટરાગ શરૂ થયો.

બાદમાં પત્નીએ પતિ સામે બે વખત પોલીસ ફરિયાદ પણ કરી હતી, જેથી યુવક પોલીસ અને કોર્ટનાં ધક્કા ખાઈ કંટાળ્યો હતો. એક તરફ પત્નીનો માનસિક ત્રાસ તો બીજી તરફ કોર્ટ કચેરીનાં ધક્કાની વચ્ચે પીસાઈ રહેલી જિંદગીનો અંત યુવકે ઝેરી દવા પીને લાવ્યો હતો. તેના મોત બાદ એક ઓડિયો ક્લિપ પોલીસ સામે આવી અને જેના આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

May 17, 2019
trump-vs-china.png
1min13080

ચીને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનની દૂરસંચાર ક્ષેત્રની અગ્રણી કંપની હુઆવેઇ પર મુકાયેલા પ્રતિબંધથી ગુસ્સે થઇને અમેરિકાને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. ચીને જણાવ્યું હતું કે અમે અમારા દેશના વ્યાપારી હિતાર્થે જરૂરી પગલાં લઇશું.

અમેરિકાના પ્રમુખે અમેરિકાની કંપનીઓને વિદેશી બનાવટના દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બેસાડતા રોકતો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે મૂકેલા આ પ્રતિબંધથી ચીનની હુઆવેઇ કંપનીના અમેરિકામાંના નેટવર્કસને માઠી અસર થવાની શક્યતા છે.

અમેરિકાના પ્રમુખના આ નિર્ણયથી બન્ને મહાસત્તા વચ્ચે ફરી વ્યાપાર-યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઊભી થઇ છે. અગાઉ, બન્ને દેશે એકબીજાને ત્યાંથી આયાત કરાતા માલસામાન પરની જકાતમાં વધારો કરતા વ્યાપાર-યુદ્ધ શરૂ થયું હતું અને વૈશ્ર્વિક અર્થતંત્ર પર તેની સીધી કે આડકતરી રીતે માઠી અસર થવાનો ભય ઊભો થયો હતો.

દૂરસંચાર ક્ષેત્રનાં સાધનો બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓમાંની એક હુઆવેઇ અમેરિકામાં પોતાનાં સાધનો બેસાડીને જાસૂસી કરાવતી હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે ટ્રમ્પના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે ચીનની કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને વળતાં પગલાં લઇશું.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વાણિજ્ય મંત્રાલયનો સંબંધિત નિર્ણય ચિંતાજનક છે. ચીન હંમેશાં નિકાસના નિયંત્રણને લગતા કાયદાને અને આંતરરાષ્ટ્રીય જવાબદારીનું પાલન કરે છે.

May 17, 2019
shastri.jpg
1min7850
ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કપ્તાનીમાં આઇસીસી વર્લ્ડ કપનો તેનો ત્રીજો ખિતાબ જીતવા 22મીએ અહીંથી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતનો પહેલો મેચ તા.પ જૂને દ. આફ્રિકા સામે સાઉથમ્પટનમાં છે. એ પહેલા ભારતીય ટીમ બંગલાદેશ અને ન્યુઝિલેન્ડ સામે અભ્યાસ મેચ રમશે.
આઇપીએલને લીધે ટીમ ઇન્ડિયાના પસંદ થયેલા 1પ ખેલાડીનો કોઇ કન્ડિશનિંગ કેમ્પ યોજાયો નથી. બધા ખેલાડી 21મીએ મુંબઈમાં ભેગા થશે. 21મીએ સાંજે બીસીસીઆઈના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની પત્રકાર પરિષદ યોજાશે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઇજાગ્રસ્ત કેદાર જાધવ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે કે નહીં ?
ભારતને વિશ્વ કપમાં જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કેદાર જાધવની ફિટનેસ સમસ્યા એકમાત્ર ટીમનું ચિંતાનું કારણ છે. જો તે ઇજામાંથી બહાર આવી જશે તો ટીમ સાથે જ ઇંગ્લેન્ડ રવાના થશે. તેના વિકલ્પે રીષભ પંતને સ્થાન મળી શકે છે.
હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં કેટલાક સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી વધુ કેએલ રાહુલે પ93 અને શિખર ધવને પ21 રન કર્યા હતા. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાએ દમદાર દેખાવ કર્યો હતો જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ જોરદાર દેખાવ કર્યો હતો.
May 17, 2019
gujarat_map-1280x1023.png
1min5860

ગુજરાતમાં ચોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ થશે અને રાજ્યમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી વરસાદ પડવાની સંભાવના છે, તેમ ભારત સરકારના હવામાન ખાતાના રાજ્ય નિયામકે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય સચિવે ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

અલનિનોની ઇફેક્ટ માઇલ્ડ હોય અને એ સાથે ઇન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોય ત્યારે સારો વરસાદ થતો હોય છે. ત્યારે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ઊભી થતા ચોમાસુ સારું રહેવાની હવામાન ખાતએ અગાહી કરી હતી. બેઠકમા ઇસરો દ્વારા ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેનો લાભ આ વખતે લેવાશે, તેમ જણાવવવામાં આવ્યું હતું. બેઠકમાં એનડીઆરએફની પ્રત્યેક ટીમમાં ૪૭ જવાનો ધરાવતી કુલ ૧૫ ટીમો વડોદરા અને ગાંધીનગર ખાતે સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે, એમ પણ જણાવાયું હતું. બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં લશ્કરની ત્રણ પાંખોના, રેલવે-ટેલિફોન- એસ.ટી.ના તેમ જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.