ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીની કપ્તાનીમાં આઇસીસી વર્લ્ડ કપનો તેનો ત્રીજો ખિતાબ જીતવા 22મીએ અહીંથી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. 30 મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતનો પહેલો મેચ તા.પ જૂને દ. આફ્રિકા સામે સાઉથમ્પટનમાં છે. એ પહેલા ભારતીય ટીમ બંગલાદેશ અને ન્યુઝિલેન્ડ સામે અભ્યાસ મેચ રમશે.
આઇપીએલને લીધે ટીમ ઇન્ડિયાના પસંદ થયેલા 1પ ખેલાડીનો કોઇ કન્ડિશનિંગ કેમ્પ યોજાયો નથી. બધા ખેલાડી 21મીએ મુંબઈમાં ભેગા થશે. 21મીએ સાંજે બીસીસીઆઈના ક્રિકેટ સેન્ટરમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની પત્રકાર પરિષદ યોજાશે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઇજાગ્રસ્ત કેદાર જાધવ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે કે નહીં ?
ભારતને વિશ્વ કપમાં જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કેદાર જાધવની ફિટનેસ સમસ્યા એકમાત્ર ટીમનું ચિંતાનું કારણ છે. જો તે ઇજામાંથી બહાર આવી જશે તો ટીમ સાથે જ ઇંગ્લેન્ડ રવાના થશે. તેના વિકલ્પે રીષભ પંતને સ્થાન મળી શકે છે.
હાલમાં જ સમાપ્ત થયેલ આઇપીએલમાં કેટલાક સ્ટાર ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી વધુ કેએલ રાહુલે પ93 અને શિખર ધવને પ21 રન કર્યા હતા. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડયાએ દમદાર દેખાવ કર્યો હતો જ્યારે બોલિંગમાં બુમરાહ અને શમીએ જોરદાર દેખાવ કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now