CIA ALERT

Blog - Page 493 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 16, 2019
mevani.jpg
1min6420

વાતે વાતે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરીને લોકોમાં હાઇપ ઉભી કરવાના પ્રયાસમાં અપરિપક્વ યુવા નેતાઓ કેટલો મોટો દાટ વાળે છ તેની પ્રતીતિ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરાવી છે. કોઇ શિક્ષક એક વિદ્યાર્થિની સાથે મારઝૂડ કરી રહ્યાના વિડીયોને વલસાડની સ્કુલના નામ સાથે જોડીને તેને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાની કોશિસ કરનાર જિજ્ઞેશ મેવાણીની સામે આખરે પોલીસ ફરીયાદ થતાં તેની શાન ઠેકાણે આવી છે.

વડગામથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાની ટ્વીટર વોલ પર વલસાડની એક સ્કૂલને બદનામ થાય એ રીતનો વિદ્યાર્થિનીની મારઝૂડનો વીડિયો શેર કર્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટર પર 20 મેએ એક વીડિયો શેર કરાયો હતો. વીડિયોમાં વલસાડની એક સ્કૂલના નામે શિક્ષક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક લાકડીથી મારતા દેખાય છે. જે બાદ વસલાડ પોલીસ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે મેવાણીએ વાઈરલ વીડિયોને ક્રોસ ચેક કર્યા વિના તેને પોસ્ટ કરી દીધો.

મેવાણી વિરુદ્ધ આઈપીસીના સેક્શન હેઠળ બદનક્ષીનો દાવો કરાયો છે.

પોલીસે વિધાનસભાના સ્પીકરને માહિતી આપી હતી કે વલસાડની દેસાઈ સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ બિજલ પટેલે મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં બિજલ પટેલે જણાવ્યું કે મેવાણીએ વીડિયોનું સત્ય જાણ્યા વિના તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના કારણે શિક્ષકો તથા શાળાની શાખને નુકસાન થયું છે.

પોલીસ દ્વારા સ્કૂલની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મેવાણીએ વીડિયો શેર કરીને સ્કૂલના નામે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને મેસેજ શેર કરવા કહ્યું હતું ‘તે શિક્ષકનું બરતરફ ન કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે.’

આ મામલે જીગ્નેશ મેવાણીએ પોતે અધિકારીઓ સમક્ષ ઘટના લાવવા માટે વીડિયો શેર કર્યો હોવાનું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ટ્વીટમાં મેં PMOને પૂછ્યું હતું કે આ વીડિયો સાચો છે કે શું? મારો સ્કૂલની શાખને બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું દુઃખ પહોંચેલા લોકોની હજાર વખતે માફી માગવા તૈયાર છું. પોલીસે કેસ નોંધતા પહેલા મારો ખુલાસો લેવો જોઈતો હતો. પોલીસ દ્વારા મહિલાને જાહેરમાં લાત મારનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. પરંતુ ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે મેવાણીએ 21મેએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું અને સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે લાગણીમાં આવીને વીડિયો શેર કર્યો હતો.

June 16, 2019
metro.jpeg
1min5060

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર
મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે.
એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.
June 16, 2019
surandranagar.jpg
1min5430
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક જ દિવસમાં પપ લાખથી વધુના દારૂ સાથેના બે ટ્રક ઝડપાયા હતા. રાજસ્થાનથી આવેલા બન્ને ટ્રકના ચાલકની ધરપકડ કરાઈ હતી.’ સાયલા-બોટાદ હાઈવે પરથી રાજસ્થાન પાસીંગની દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે વોચ ગોઠવી હતી અને સાયલા-બોટાદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂ. ર7.93 લાખની કિમતની 9303 બોટલ દારૂનો જથ્થો મળી આવતા દારૂ-ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી તરબુચની આડમાં દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીના સ્ટાફે હરીપર ગામના પાટિયા પાસેથી ટ્રક ઝડપી લીધો હતો. અને રૂ.ર7.66 લાખના દારૂનો જથ્થો-ટ્રક કબજે કર્યો હતો. જ્યારે નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
ધ્રાંગધા-માલવણ હાઈવે પરના હરીપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી. અને રાજસ્થાન પાસીંગની ટ્રક નીકળતા ઝડપી લીધી હતી. અને ટ્રકની તલાસી લેતા તેમાથી તરબુચની આડમાંથી રૂ.ર7.66 લાખની કિંમતની 6916 બોટલદારૂનો જથ્થો મળી આવતા ટ્રક-દારૂ મળી કુલ રૂ.37.પ0 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે લુધીયાણાના ટ્રકચાલક રાજેશકુમાર પુથ્વીસીગ જાટને ઝડપી લીધો હતો. જ્યારે કારચાલક નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
લીંબડીમાંથી દારૂ-બીયરનો જથ્થો પકડાયો: મકાન માલિક ફરાર
લીંબડીમાં કબીર આશ્રમ પાછળ રહેતા ઘોઘા બેચર સોડલા નામના ભરવાડ શખસના મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને 71 બોટલ દારૂ અને ર8 ટીન બીયરનો જથ્થો ઝડપી લીધો હતો જ્યારે ઘોઘા ભરવાડ નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
June 16, 2019
indiavspakistan.jpeg
1min7700

આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.

June 16, 2019
dr_strike.jpg
2min8840

પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં એક તબીબ ઉપર જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખાના સેક્રેટરીએ 17મી જૂનના સોમવારે ગુજરાતના ડૉક્ટરો હડતાળ ઉપર ઊતરવાનું એલાન અપાયું હતું.

સુરતનું ચિત્ર

સુરતની વાત કરીએ તો સુરતના તબીબ અગ્રણી ડો. વિનોદ સી. શાહે સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું હતું કો કોલકાત્તામાં તબીબ થયેલા જીવલેણ હુમલાનો અમે સૌ સુરતના તબીબ આલમ વખોડી કાઢીએ છીએ. આ ઘટનાને અનુસંધાને તાજેતરમાં સુરત કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપી દેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં તબીબોની સ્ટ્રાઇકના ભાગરૂપે સોમવાર, તા.17મી જુને સુરત શહેરના લગભગ 99 ટકા તબીબો અને હોસ્પિટલ્સ કામકાજથી અળગા રહેશે. 500થી વધુ હોસ્પિટલ્સ પણ કાર્યરત નહીં રહીને પોતાનો વિરોધ દર્શાવશે.

ડો.વિનોદ શાહે કહ્યું હતું કે સુરતના તબીબોની માગણી છે કે એસોલ્ટ ઓન ડોક્ટર્સના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આવા સંજોગોમાં રાજ્યવાર નહીં બલ્કે દેશમાં તબીબોના રક્ષણ માટે એક સમાન કોમન કાયદો બને અને તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે.

(Symbolic Photo)

ગુજરાતનું ચિત્ર

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમવારે સવારે છ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી આ હડતાળ ચાલશે. પણ આ હડતાળમાં ઈમરજન્સી સેવાને કોઈ અસર નહીં થાય, માત્ર નોન-ઈમર્જન્સી સેવાને હડતાળ લાગુ પડે તે રીતે હશે.

17મી જૂને એસોસિયેશન સાથે સંકળાયેલા 28 હજાર ડોક્ટરો હડતાળ પાડશે. તમામ મેમ્બર્સને આ સંદર્ભે જાણ કરાઈ હતી. ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ડોક્ટરોની મિટિંગ યોજવામાં આવી હતી. ડૉક્ટરોએ વડા પ્રધાન અને દેશના ગૃહપ્રધાનને ઈ-મેઈલ કરી ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં હૉસ્પિટલ હુમલા માટે ઓછામાં ઓછા સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ તેવી માગણી કરાઈ હતી.

Guidance by IMA Gujarat

Date: 16-6-2019 To, All Local branches Presidents & Secretaries, All State Working Committee members. Dear Doctor,

1. The withdrawal of services on Monday, June 17th, 2019 for 24 Hours between 06:00 AM to 06:00 AM (next day) is hereby reconfirmed and reiterated. Everyone is requested to strengthen the agitation.

2. All health care institutions across the sectors are requested to participate.

3. All doctors in all sectors are requested to participate.

4. Emergency and casualties should function normally.

5. Already admitted inpatients should be cared for as usual.

6. All the local branches are directed to give a press statement regarding withdrawal of all non-essential services (especially O.P.D.). Model press statement will follow.

7. All local branches shall report in realtime with photographs at imagsb@gmail.com

8. Associated activities like Protest Marches, Public Meetings etc. can be held as per local exigency.

9. Posters and social media postings can be customised to local needs and prepared at local branches level.

10. Students of all medical colleges should be involved through IMA MSN and respective local branches.

11. IMA JDN and the state branches should coordinate will all Resident Doctors Associations and Junior Doctors.

12. Local Branches should request and involve all Government Doctors organisations.

13. Local branches should request and involve Local chapters of all speciality organisations.

14. Local branches and IMA HBI should involve all Hospital and Nursing Home Organisations.

 

Thanking You Yours sincerely, Dr. S.S. Vaishya Dr. Kamlesh Saini President Hon. State Secretary G.S.B. I.M.A. G.S.B. I.M.A.

June 16, 2019
jalyatra.jpg
1min905

શહેરમાં ભગવાન જગનાથજીની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને સોમવારે તા.17મી જૂને મંદિરથી ગજરાજોની સવારી સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજા માટે અને મંદિરમાં 108 કળશ જળ ભરી લાવી ભગવાનને જળાભિષેક કરવામાં આવશે. યાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, શહેર મેયર બીજલ પટેલ તેમ જ સાધુ સંતો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાશે.

ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી તા.4થી જુલાઈને અષાઢી બીજનાં દિવસે નીકળવાની હોઈ તેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢ મહિના બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે 142મી રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. ત્યારે અમદાવાદમાં રથયાત્રા પર્વનો એક અનેરું મહત્ત્વ છે. વર્ષમાં એકવાર બહેન સુભદ્રાજીના ભાઈ બળભદ્રજી અને જગતનો નાથ જગન્નાથજી શ્રદ્ધાધાળુઓને દર્શન આપવા મંદિરની બહાર નીકળીને અમદાવાદ શહેરના રસ્તાઓ પર નીકળે છે.

આ મહોત્સવ પૂર્વેનો અંતિ મહત્ત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ જેઢ સુદ પૂનમને તા. 17મી જૂનને સોમવારે જગનાથ મંદિરથી હજારો સાધુ સંતો ઉપરાંત ગજરાજો અને બેન્ડ બાજા અને ડીજેના નાદ સોથે શોભાયાત્રા મંદિરથી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા અને નદીએથી 108 કળશ જળ ભરી મંદિરે લાવી ભગવાન જગનાથજીની ષોડસોપચાર પૂજનવિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવશે.

જલયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શહેર મેયર બિજલ પટેલ સહિત શહેરના મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં હર્ષઉલ્લાસ સાથે જોડાશે.

June 16, 2019
manmohan.jpg
1min5840

વિશ્ર્વમાં ભારતને એક ઉચ્ચ સત્તા સુધી લઈ જવામાં વિશ્ર્વવિખ્યાત અને ભારતના પ્રખર અર્થશાસ્ત્રી તેમ જ એક વખત ભારતના 10 વર્ષ સુધી વડા પ્રધાનપદે બિરાજનારા ડૉ. મનમોહન સિંહનું રાજ્યસભાનું પદ 15 જૂને પૂરું થાય છે. એક સરળ અને વિદ્વાન વ્યક્તિ જેમણે ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે તેમને સંભવિતપણે માનભેર વિદાય આપવામાં સરકાર અને કૉંગ્રેસ બંને ઊણી ઊતરી તેમ કહી શકાય. જો સરકારે ઈચ્છયું હોત તો આજે 15 જૂને વિશેષ સભા બોલાવી તેમને માનભેર વિદાય આપી હોત. કૉંગ્રેસ દ્વારા તેમને ફરી વખત રાજ્યસભામાંથી મોકલવાની જાહેરાત થઈ નથી. આથી કહી શકાય સંભવિતપણે હવે ડૉ. સિંહ રાજ્યસભામાં નહીં દેખાય. જો સરકારે વિશેષ સભાગૃહ બોલાવી આ સરળ અને સક્ષમ વ્યક્તિને વિદાય આપી હોત તો સંસદની ગરિમા ઉજ્જવળ બને, પરંતુ તેમ થઈ ન શક્યું.

28 વર્ષના રાજકારણના કામમાં ડૉ. સિંહ 10 વર્ષ ભારતના વડા પ્રધાન રહ્યા. તેમણે ક્યારેય કોઈ પણ પક્ષના દબાણ વિના કામ કર્યું. ફક્ત સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવાની તેમની નેમ હતી. કૉંગ્રેસ પક્ષમાં હાલમાં તેમને કોઈ વિશેષ સ્થાન અપાય તેમ જણાતું નથી. દેશના ખાડે ગયેલા આર્થિકતંત્રને વેગવાન કરી દોડતું કર્યાનું બહુમાન તેમને જાય છે. પહેલા નાણાપ્રધાન અને પછી વડા પ્રધાન બંને પદની ગરિમા તેમણે જાળવી હતી.

તત્કાલીન વડા પ્રધાન ડૉ. પી. વી. નરસિંહરાવ તેમને રાજકારણમાં લાવ્યા અને દેશના નાણાપ્રધાન બનાવ્યા, જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને વડા પ્રધાન બનાવ્યા. દેશમાં જાગૃતિકરણ અને ઉદારીકરણ લાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. ડૉ. સિંહની સરકાર બાદ દેવગૌડા, ડૉ. ઈન્દરકુમાર ગુજરાલ અને અટલ બિહારી વાજપેયીની સરકાર આવી, પરંતુ તેમણે પણ ડૉ. સિંહના પગલાં પર ચાલવાનું નક્કી કર્યું અને ઉદારીકરણ તેમ જ અર્થતંત્રને વેગવાન બનાવ્યું જે ડૉ. સિંહના પગલાંને યથાર્થ ઠેરવ્યું હતું, તેમ પ્રવીણ બર્દાપૂરકરે તેમના બ્લોગમાં જણાવ્યું છે.

દેશના ખાડે ગયેલા અર્થતંત્રને વેગવાન બનાવવા નરસિંહરાવે ડૉ. સિંહ પર પૂરો ભરોસો મૂક્યો હતો. જેને કારણે ભારત વિશ્ર્વમાં એક મહાસત્તા તરીકે ઊભરી આવ્યું. આજે પણ અર્થનિષ્ણાતો ડૉ. સિંહના પગલાંને યોગ્ય ગણે છે તેમ જ માર્ગદર્શન માગે છે. 28 વર્ષ રાજકારણમાં સક્રિય રહેનારા ડૉ. સિંહને માનભેર વિદાય આપવામાં ઊણી ઊતરનારી સરકાર અને ખાસ તો કૉંગ્રેસ પક્ષ માટે એટલું જ કહી શકાય કે સિંહ ઈઝ ઑલવેઝ કિંગ. વિરોધીઓની અનેક ટીકા સહન કરી ‘મૌનીબાબા’નું બિરુદ મેળવનારા ડૉ. સિંહના હૃદયમાં અનેક રહસ્યો ધરબાયેલા છે જે ક્યારેય બહાર આવશે નહીં…

ખડસેને પ્રદેશાધ્યક્ષપદ તો આટલું અપમાન કેમ?

મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ ખડસેનું નામ આજકાલ ફરી ચર્ચામાં છે, પરંતુ વિવાદમાં નહીં ભાજપના પ્રદેશાધ્યક્ષપદ માટે. એક વખત મુખ્ય પ્રધાનપદ માટેના દાવેદાર ગણાતા એકનાથ ખડસેનું નામ કૌભાંડમાં આવતાં જ તેમને દૂધમાંથી માખી કાઢી ફેંકી દેવાય તેમ પ્રધાનમંડળમાંથી પડતા મુકાયા હતા, એટલું જ નહીં ભાજપના રાજ્યના રાજકારણમાંથી તેમને દૂર કરાયા હોવાનું જણાઈ આવતું હતું. હાલમાં મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ રાવસાહેબ દાનવે સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવતાં તેમની જગ્યાએ ખડસેનું નામ સૌથી આગળ દાવેદાર તરીકે બોલાઈ રહ્યું છે. જોકે તેમનો બોલ કેટલો પળાશે તે તો સમય જ કહેશે.

June 15, 2019
medical.jpg
1min15830

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જરૂરી પીન નંબર અને બુકલેટનું વિતરણ આગામી તા.17મી જુન ને સોમવારથી રાજ્યભરમાં આવેલી એક્સિસ બેંકમાંથી કરવામાં આવશે.

એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નેચરોપેથી કે જ્યાં નીટના સ્કોરના આધારે પ્રવેશ મળશે. જ્યારે ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, ઓર્થેટિક્સ વગેરે કોર્સમાં નીટ સિવાય એડમિશન મળશે. આ તમામ અભ્યાસક્રમોમના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ધો.12 પીસીબી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની સઘળી વિગતો નીચે મુજબની અખબારી યાદીમાં સામેલ કરવામાં આવી છે.

In English

 

એક્સીસ બેંકની આ બ્રાન્ચ પરથી મળશે મેડીકલ એડમિશનના પીન અને બુકલેટ

June 15, 2019
allen_akash.jpg
1min18530

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં જ નહીં દેશના મોટા શહેરોમાં ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને કોચીંગ આપવાનો દેશવ્યાપી ધંધો કરી રહેલા એલન ALLEN અને આકાશ AAKASH નામના કોચિંગ ક્લાસીસો નવા-નવા વિદ્યાર્થીઓ એટલે કે નવો ધંધો મેળવવા માટે કેવા કેવા પેંતરાઓ અજમાવતા હોય છે એની પ્રતીતિ કરાવવાનો પ્રયાસ અહીં કરાયો છે.

તાજેતરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ)માં એમ.બી.બી.એસ.માં પ્રવેશ માટે લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષાનું પરીણામ જાહેર થયું હતું. આ પ્રવેશ પરીક્ષામાં સ્થાનિક ગુજ્જુ વિદ્યાર્થી વિશ્વ વડોદરીયાએ ટોપ રેન્કરમાં સ્થાન હાંસલ કર્યું છે.

akash & allen માટે છબી પરિણામ

રેન્કર્સનું નામ વટાવી ખાવાની મોડસ ઓપરેન્ડી

વિશ્વ વડોદરીયા ટોપ રેન્કર છે અને એ પોતાનો સ્ટુડન્ટ છે એવી જાહેરાતો અને દાવાઓ એલન ALLEN અને આકાશ AAKASH બન્નેએ કરવા માંડી છે. એલન અને આકાશ પૈકી એલન કહે છે કે વિશ્વ વડોદરીયાએ પોતાના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે અને આકાશ કહે છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સથી કોચિંગ લીધું છે. આ એક પ્રકારની શાબ્દિક રમતો છે જેની સાથે સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ કે લોકોનો ખબર હોતી નથી. કોઇ વિદ્યાર્થી આકાશ કે એલનના ટેસ્ટ પેપરની ડિમાંડ કરે એટલે તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન થાય બસ એટલે એ સિસ્ટમમાં એન્ટર થઇ જાય અને પછી બન્ને ક્લાસીસ એ વિદ્યાર્થી પોતાનો હોવાનો દાવો કરીને તેની ઇમેજ એન્કેશ કરવા માડે છે. આવી પ્રવૃત્તિ પર સરકારનો કોઇ અંકુશ કે નિયમો નથી એટલે કોચિંગ ક્લાસીસો મનફાવે તેવી છટકબારીઓ શોધીને પોતાનો ધંધો રળવા માટે તેજસ્વી વિદ્યાર્થીઓના નામ એન્કેશ કરવા માંડે છે.

અહીં આકાશ AAKASH કોચિંગ ક્લાસની વેબસાઇટ પર એઇમ્સમાં સેકન્ડ ટોપર વિશ્વ વડોદરીયાનું નામ અને ફોટો છાપીને એવી ભ્રમણા ફેલાવવામાં આવી છે કે આ વિદ્યાર્થીઓ મેળવેલી સિદ્ધિમાં આકાશનો ફાળો છે. અહીં આકાશ AAKASH ક્લાસે એવો પેંતરો રચ્યો છે કે વિશ્વ વડોદરીયાએ ડિસ્ટન્સ લર્નિંગથી આકાશનું કોચિંગ લીધું છે.

સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓને એવી ખબર હોતી નથી કે ડિસ્ટન્સ નો અર્થ શું અને ક્લાસરૂમનો અર્થ શું, આકાશ જેવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ રીતસર રેન્કર સ્ટુડન્ટના નામ વટાવી ખાવાની પ્રવૃતિ બેરોકટોક શરૂ કરી દીધી છે.

અહીં એલન ALLEN ક્લાસીસે પણ ગુજરાત સમેત દેશભરના અખબારોમાં એઇમ્સના ટોપર્સ પોતાના હોવાની મોટી મોટી અખબારી જાહેરાતો છપાવી છે. એલનની જાહેરાતમાં પણ વિશ્વ વડોદરીયાનો ફોટો અને નામ સાથે એલન ક્લાસીસે ક્રેડીટ લેવાની કોશિશ કરી છે. એલન ALLEN ક્લાસીસની જાહેરાતમાં એવું દર્શાવાયું છે કે વિશ્વ વડોદરીયાએ તેના ક્લાસરૂમમાં કોચિંગ લીધું છે.

અહીં એલન ALLEN અને આકાશ AAKASHની આ પ્રવૃત્તિ એટલા માટે રજૂ કરવામાં આવી છે કે આવા ધંધાદારી કોચિંગ ક્લાસીસોની નિયત ફક્ત રૂપિયા રળવાની છે. વિદ્યાર્થીઓ જેટલા વધુ મળશે એટલો ધંધો સારો ચાલશે એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાના હોવાનો દાવો કરીને સમગ્ર ભારતમાં એક પ્રકારની જાળ બિછાવવામાં આવે છે અને આવી જાહેરાતો જોઇને સામાન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમના રવાડે ચઢી જતા હોય છે.

June 15, 2019
Untitled-1-1280x497.jpg
1min14570

વડોદરા નજીક ડભાઈ તાલુકાના ફરતીકુઈ પાસે આવેલી હોટલ દર્શનના ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા સાત મજૂરોના એક પછી એક કૂવામાં જ ગૂંગળાઇ જતા મોત નિપજ્યાની કમકમાટી ભરેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં એરેરાટી ફેલાવી દીધી છે.

ખાળકૂવો સાફ કરવા માટે પહેલા પિતા-પુત્ર ઉતર્યા હતા અને તેમને જોવા માટે અન્ય મજૂરો એક પછી એક ઉતર્યા હતા. ખાળકૂવામાં અત્યંત ઝેરી ગેસ ધરબાયેલો હતો જેનાથી અજાણ મજૂરો અંદર ઉતરતા જ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. આ દુર્ઘટનામાં થુવાવી ગામમાં રહેતા પિતા-પુત્ર અશોકભાઇ હરીજન અને હિતેષ હરીજન સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા.

મૃતકોના નામ

1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

7. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે છ કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખેંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો અને તેને બચાવવા માટે અન્ય છ મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા.

ફરતીકુઈ પાસેની દર્શન હોટલના માલિક હસન અબ્બાસ છે. રાતે હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત ચાર અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતા સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. ડૂબેલા મજૂરોને બચાવવાને બદલે ગભરાયેલા હોટલ માલિક હસન અબ્બાસે હોટલ બંધ કરીને દીધી હતી.