CIA ALERT
29. April 2024
June 16, 20191min5100

Related Articles



India vs Pakistan : આજની મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નહીં આવે: વિરાટ કોહલી

Share On :
Print Friendly, PDF & Email

આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :