ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ
ગઢવાલ હિમાલયમાં 7 May મંગળવારે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે અને ઉત્તરકાશીના ગંગોત્રી તથા યમનોત્રીના પવિત્રધામને વૈદિક સ્તોત્રોચ્ચાર સાથે ખુલ્લાં મૂકવામાં આવ્યા હતા. વહીવટી અને મંદિર સમિતિના અધિકારીઓ અને હજારો યાત્રાળુઓની હાજરીમાં ગંગોત્રી ધામના દ્વાર સવારે 11.30 કલાકે અને યમનોત્રી ધામના દ્વાર બપોરે 1.15 કલાકે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.
દ્વાર ખોલવાના સમારંભની શરૂઆત થઇ તે પહેલાં દેવી ગંગા અને યમુનાની મૂર્તિઓ તેમના શિયાળુ ઘર અનુક્રમે મુખબા અને ખરસાલીથી લાવવામાં આવી હતી. આ બંને યાત્રાધામના દ્વાર ખુલવાની સાથે જ હિંદુઓના પવિત્ર ચારધામની યાત્રાનો પ્રારંભ થયો છે. દેશવિદેશના લાખો યાત્રાળુઓ દર વર્ષે અહીં યાત્રા માટે ઊમટે છે.
ચારધામમાં ચાર પવિત્ર સ્થળની યાત્રા કરવામાં આવે છે, જેમાં યમનોત્રીથી શરૂ કરી ગંગોત્રી અને છેલ્લે કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે. ગઢવાલ હિમાલયનું અર્થતંત્ર ચારધામ યાત્રા પર નભે છે. કેદારનાથ ધામના દ્વાર નવમી મેના રોજ અને બદ્રીનાથના દ્વાર દસમી મેના રોજ ખોલવામાં આવશે. ઑક્ટોબર-નવેમ્બરમાં ભારે બરફવર્ષાને કારણે ચારધામને બંધ કરી દેવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now