હાલમાં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપની પરીક્ષા આપી ચૂકેલા ઘણાં વિદ્યાર્થીઓ મેડીકલ-પેરામેડીકલની એન્ટ્રન્સ એક્ઝામ, નીટ-2022ના ફોર્મ ભરી શક્તા નથી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસના ટેલિફોનિક ફોન શિક્ષણ સર્વદાને મળ્યા, તેમના ફોર્મ કેમ નથી ભરી શકાતા તેનું કારણ તેમને જાણવા મળ્યું નહીં. આથી તેમને સ્પષ્ટીકરણ મેળવી આપ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર 31-12-2022 સુધીમાં 17 વર્ષ કે તેથી ઉપર હશે તેમને જ આ વર્ષે નીટ પરીક્ષામાં બેસવા દેવાશે અને તેમને જ મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ આપવામાં આવશે.
ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 31-12-2005 કે એ પહેલાની છે તેઓ જ નીટ કે મેડીકલમાં પ્રવેશ માટે લાયકાત પાત્ર છે. જેમની જન્મતારીખ 31-12-2005 પછીની છે તેઓ નીટના ફોર્મ જ ભરી શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે તેમને મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મળી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પ્રવેશપાત્ર બની શકશે.
મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 17 વર્ષની ઉંમર હોવી જરૂરી, ઉપલી વય મર્યાદા હટાવી લેવામાં આવી છે, હવે 17 વર્ષની વય ધરાવતા હોય અને નીટ ક્લીયર કરી હોય તેવા કોઇપણ વયના વ્યક્તિઓ નીટ આપી શકે છે અને મેડીકલમાં અભ્યાસ કરી શકે છે
પ્યોર સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ કરાવતા ચાર વર્ષના બેચલર ઓફ સાયન્સ (રિસર્ચ) અભ્યાસક્રમ આઠ સેમેસ્ટરમાં પૂર્ણ થાય છે. ચાર વર્ષના બેચલર ડિગ્રી પ્રોગ્રામને ઓનર્સ પણ કહેવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં અંતિમ (આઠમું) સેમેસ્ટર ફક્ત સંશોધન પ્રોજેક્ટ માટે સમર્પિત છે.
ભારતને સૌથી વધુ જરૂર રિસર્ચ કરનારા લોકોની છે અને ભારત સરકાર સૌથી વધુ પ્રોત્સાહન પણ રિસર્ચ ફેલોને આપી રહી છે. ધો.12 પછી બાયોલોજી કે મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ રિસર્ચ ફિલ્ડમાં કારકિર્દી ઘડવા માટે આ કોર્સમાં જવું જોઇએ.
બેચલર ઑફ સાયન્સ (સંશોધન) B.S. Research પ્રોગ્રામમાં નીચેની મુખ્ય શાખાઓ ઉપલબ્ધ છે: બાયોલોજી
રસાયણશાસ્ત્ર Chemistry
પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન Earth and environment
સામગ્રી Material Science
ગણિત Mathematics
ભૌતિકશાસ્ત્ર Physics
ઉપરોક્ત કોઈપણ વિદ્યાશાખામાં વિશેષતા ધરાવતા વિદ્યાર્થીઓએ પસંદ કરેલા ફિલ્ડમાં મુખ્ય (મેજર) અને વૈકલ્પિક (ઓપ્શનલ) વિષયો પસંદ કરવાના રહે છે. તેઓ સારી રીતે ગોળાકાર શિક્ષણ અનુભવ માટે એન્જિનિયરિંગ, માનવતા અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પણ લેશે. જ્યારે વિદ્યાર્થી એક મુખ્ય વિદ્યાશાખામાં નિષ્ણાત હોય છે, ત્યારે તે અન્ય વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમો લઈને તેના/તેણીના જ્ઞાન અને કૌશલ્યોને પણ વિસ્તૃત કરી શકે છે. વિદ્યાર્થીઓ કે જેઓ તેમના મુખ્ય સિવાયની કોઈ ફિલ્ડમાં પર્યાપ્ત સંખ્યામાં પસંદગીના અભ્યાસક્રમો લે છે તો તેમને માન્યતા આપવામાં આવે છે. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોનું સંયોજન તેની/તેણીના અંતિમ ટ્રાન્સક્રિપ્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.
Commencement of submission of online applications:
01-04-2022
Last date for submission of online applications:
31-05-2022
સેમેસ્ટર 1, 2 અને 3:
પ્રથમ ત્રણ સેમેસ્ટર દરમિયાન વૈજ્ઞાનિક, ગાણિતિક અને ઈજનેરી સિદ્ધાંતોનું વ્યવસ્થિત એક્સપોઝર થશે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, એન્જિનિયરિંગ અને માનવશાસ્ત્રમાં પ્રત્યેક એક કોર્સ લેશે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ફરજિયાત મુખ્ય અભ્યાસક્રમોના શિક્ષણમાં પ્રયોગશાળાના પ્રદર્શનો અને હાથ પરના પ્રયોગોના નોંધપાત્ર ઘટકોનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને માનવતાના અભ્યાસક્રમોથી પણ પરિચિત કરવામાં આવશે જે તેમને વિજ્ઞાન અને સમાજ માટે તેની અસરોની પ્રશંસા કરવામાં મદદ કરશે અને નિષ્ણાતો અને સામાન્ય લોકો બંને સાથે વિજ્ઞાનની વાતચીતમાં તેમની કુશળતાને વધુ તીવ્ર બનાવશે.
સેમેસ્ટર 4, 5 અને 6:
ચોથા સેમેસ્ટરની શરૂઆતમાં, દરેક વિદ્યાર્થી તેની/તેણીની શૈક્ષણિક રુચિ અનુસાર વિશેષતા (“મેજર”) માટે એક ફિલ્ડ પસંદ કરવાનું રહેશે. નીચેની વિશેષતાઓ ઉપલબ્ધ છે: (1) જીવવિજ્ઞાન (2) રસાયણશાસ્ત્ર (3) પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન (4) સામગ્રી (5) ગણિત (6) ભૌતિકશાસ્ત્ર. આ તમામ વિશેષતાઓ આંતરશાખાકીય છે અને અન્ય વિદ્યાશાખાઓમાં પર્યાપ્ત એક્સપોઝર હશે. દરેક વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સમાન હશે. વિદ્યાર્થીની શૈક્ષણિક રુચિઓ અને પ્રથમ ત્રણ સેમેસ્ટરમાં તેનું પ્રદર્શન બંનેને મુખ્ય શિસ્ત સોંપવામાં ધ્યાનમાં લેવામાં આવશે. “મેજર” ફિલ્ડ ઉપરાંત, વિદ્યાર્થી “માઇનોર” ફિલ્ડ પણ પસંદ કરી શકે છે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પસંદ કરેલ મેજર અને માઇનોર શાખાઓમાં ચાર અભ્યાસક્રમો લેશે; તેઓ એન્જિનિયરિંગનો એક વૈકલ્પિક અભ્યાસક્રમ અને માનવતામાં એક સેમિનાર અભ્યાસક્રમ પણ લેશે.
સેમેસ્ટર 7 અને 8: અદ્યતન વૈકલ્પિક અભ્યાસક્રમો સાથે સાતમા સેમેસ્ટરમાં સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અંતિમ સેમેસ્ટર ફક્ત પ્રોજેક્ટને જ સમર્પિત કરવામાં આવશે. પ્રોજેક્ટ પસંદ કરેલ મુખ્ય શિસ્ત અથવા આંતરશાખાકીય વિષયમાં હોવો જોઈએ જે મુખ્ય શિસ્ત સાથે નોંધપાત્ર રીતે ઓવરલેપ થાય છે. તમામ વ્યાખ્યાન અભ્યાસક્રમો IISc ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવશે જેઓ તેમના સંશોધન અને સ્નાતક તાલીમના સમૃદ્ધ અનુભવને અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ પર સહન કરવા માટે લાવશે. માર્ગદર્શન અને ટ્યુટોરિયલ્સ IISc ખાતે અંડરગ્રેજ્યુએટ અનુભવના બે મહત્વપૂર્ણ પાસાઓ હશે. લેક્ચર કોર્સ ટ્યુટોરિયલ્સ સાથે હશે જેમાં IISc ના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને મદદ કરશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ પ્રયોગશાળાના વર્ગો ચલાવવામાં સામેલ થશે. જે વિદ્યાર્થીઓ બેચલર ઓફ સાયન્સ (સંશોધન) ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેમની પાસે પાંચમા વર્ષ માટે સંસ્થામાં અભ્યાસ કરીને માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ હોય છે. અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં હાલમાં ઉપલબ્ધ છ મુખ્ય શાખાઓમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે. માસ્ટર ઓફ સાયન્સ પ્રોગ્રામ માટે પસંદગી કરતા વિદ્યાર્થીઓ પાંચમા વર્ષના અંતે બેચલર ઓફ સાયન્સ (સંશોધન) અને માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી બંને મેળવશે જો તેઓ માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે.
તાજેતરમાં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ હવે કોલેજ પ્રવેશ અંગેની કાર્યવાહી સમયસર શરૂ કરવી પડશે. અહીં શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર)ની ટીમ દ્વારા ધો.12 પછીની પ્રવેશ પરીક્ષાઓની સઘળી માહિતીનું સંકલન કરીને પ્રસ્તુત કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે પ્રવેશ પરીક્ષાના આધારે જે કોર્સ, કોલેજ પ્રવેશ આપતી હોય તેનું કન્ટેન્ટ સામાન્ય યુનિવર્સિટીઓથી અલગ હોય છે.
ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ
સારા કોર્સ કન્ટેન્ટ અને સારા કેમ્પસ માટે ઓછામાં ઓછી બેથી ત્રણ પ્રવેશ પરીક્ષા આપવી ઘટે
આ કન્ટેન્ટ શિક્ષણ સર્વદાએ વિદ્યાર્થીઓ માટે સંકલિત કર્યું છે,
વન ટુ વન, વ્યક્તિગત કાઉન્સેલિંગ અથવા તો આપના જ્ઞાતિ, સમાજ, મંડળ, ક્લબ, સોસાયટી, સ્કુલ, કોલેજ વગેરેના સભ્યો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવું હોય તો સંપર્ક કરોઃ 98253 44944
Subject
Exam
For Whom?
Registration up to
Exam Date
Law
CLAT 15 Law Univerties IIM Rohtak IPL
12 Any Stream
31/03/2022
08/05/2022
Humanities and Social Sciences
HSEE – IIT Madras
12 Any Stream
27/04/2022
12/06/2022
ALL
CUET – Central Universities all over India
12 Any Stream
01/04/2022
July First Week
For Perfect Career Guidance
Contact
98253 44944
Shikshan Sarvada
Management
UGAT – India’s 200 Business Schools
12 Any Stream
29/04/2022
07/05/2022
Management
NPAT – Narsee Monjee Mumbai
12 Any Stream
Running now
Management
IPM Aptitude Test – IIM Rohtak
12 Any Stream
02/05/2022
21/05/2022
Management
JIPMET-22 – IIM Bodhgaya – IIM Jammu
12 Any Stream
30/04/2022
20/06/2022
Management
IPMAT – IIM Indore – IIM Ranchi – NIRMA Uni
12 Any Stream
21/05/2022
02/07/2022
Management
SYM-SET – Symbiosis Pune
12 Any Stream
08/06/2022
26/06/2022
Engineering
JEE Main Phase-1 JEE Main Phase-2 – NITs, IIITs
12 PCM
30/04/2022
20 to 29 June 2022 21 to 30 July 2022
Engineering
JEE Advanced – IITs
12 JEE Main qualified
14/06/2022
03/07/2022
Engineering/Pharm
GUJCET – Engineering – Pharmacy – Agriculture
12 Science A/B
05/02/2022
18/04/2022
Engineering
BITSAT Phase-1 BITSAT Phase-2
12 PCM
21/05/2022
20-26/06/2022 22-26/06/2022
Architecture
NATA Phase-1 NATA Phase-2 NATA Phase-3
12 PCM
30/04/2022
12/06/2022 03/07/2022 24/07/2022
Medical/Paramedical
NEET UG
12 PCB
06/05/2022
17/07/2022
કારકિર્દી માર્ગદર્શન એપોઇન્ટમેન્ટ મેળવવા માટે લિંક ઓપન કરીને ફોર્મ ભરો
રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.
એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’
એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.
એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.
તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.
આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.
આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.
લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.
ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.
પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો
એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.
વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર
આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.
પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.
હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની પ્રવેશ પરીક્ષાની તારીખોની ઘોષણા અને રજિસ્ટ્રેશ શરૂ થઇ ગયા છે.
આર્કિટેક્ચર કોર્સમાં પ્રવેશ માટે નાટા આ વર્ષથી ત્રણ ફેઝમાં લેવાશે
ધો.12 પીસીએમ પછી પાંચ વર્ષના બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવતી નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર (નાટા) પ્રવેશ પરીક્ષા આ વર્ષે ત્રણ ટ્રાયલમાં લેવાની ઘોષણા કરવામાં આવી છે.
નાટા ફેઝ વન- 12-06-2022
નાટા ફેઝ ટુ – 03-07-2022
નાટા ફેઝ થ્રી – 24-07-2022
ટૂંક સમયમાં નાટા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે
નેશનલ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આગામી તા.22મી માર્ચ બાદ ગમે ત્યારે શરૂ થઇ જશે. નાટા અગર તો કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરની વેબસાઇટ સતત જોતા રહેવું.
બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી- પીલાની, ગોવા, હૈદરાબાદ અને દુબઇ કેમ્પસમાં પ્રવેશ માટેની પરીક્ષા બીટસેટ
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપ બાદ દેશમાં આઇ.આઇ.ટી. જેટલી જ ગુણવત્તાસભર એન્જિનિયરિંગ કોલેજ બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (બીટ) પીલાની રાજસ્થાન, ગોવા અને હૈદરાબાદ કેમ્પસ ઉપરાંત દુબઇ કેમ્પસમાં ચાલતા ઇજનેરીના જુદા જુદા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે બીટસેટ નામની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ વખતે આ પરીક્ષા બે વખત લેવાનું આયોજન છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે બીટસેટ માટેના રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યા છે.
28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.
ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.
જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.
સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે.
A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે. B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.
ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500
નેશનલ ટેસ્ટીંગ એજન્સીના આવ્યા પછી જાહેર પ્રવેશ પરીક્ષાઓની તારીખોમાં ઢંગધડા વગરનું સંકલન, જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષામાં જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા જ બેસી શકવાના છે તેની તારીખ જાહેર કરી દેવાઇ પણ હજુ મેઇન્સ ક્યારે લેવાશે, કેવી રીતે લેવાશે કેટલી ટ્રાયલ મળશે એ અંગે કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી
ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ પર પ્રવેશ પરીક્ષાઓની તારીખોના નામે એક પ્રકારનો જુલમ જ કરવામાં આવી રહ્યો છે. ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ અને વાલીઓની વાત કરીએ તો તેઓ જેઇઇ મેઇન્સ, ઇજનેરીની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાની તારીખની કાગડોળે રાહ જોઇને બેઠા છે તે ક્યારે જાહેર કરાશે તેવી પણ કોઇ સ્પષ્ટતા નથી કરાતી, જ્યારે બીજી તરફ જેઇઇ એડવાન્સ્ડ કે જે જેઇઇ મેઇન્સ પછી લેવાય છે તેની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓને ઉલ્ટાની મુશ્કેલીમાં મૂકી દેવામાં આવ્યા છે.
આ વખતે જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાનું સંચાલન આઇ.આઇ.ટી. બોમ્બે દ્વારા કરવામાં આવશે. તા.3 જુલાઇના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન તા.8થી 14 જૂન દરમિયાન કરી શકાશે.
Schedule of JEE (Advanced) 2022 The examination consists of two papers (Paper 1 and Paper 2) of three hours duration each. Appearing in both the papers is compulsory. The examination schedule is as follows.
Date of Examination
July 03, 2022 (Sunday)
Paper 1
09:00 IST to 12:00 IST
Paper 2
14:30 IST to 17:30 IST
JEE (Advanced) 2022: Full Schedule
S. No.
Event
Date & Time
1
Registration for JEE (Advanced) 2022
Wednesday, June 08, 2022 (10:00 IST) to Tuesday, June 14, 2022 (17:00 IST)
2
Last date for fee payment of registered candidates
Wednesday, June 15, 2022 (17:00 IST)
3
Admit Card available for downloading
Monday, June 27, 2022 (10:00 IST) to Sunday, July 03, 2022 (14:30 IST)
4
Choosing of scribe for PwD candidates
Saturday, July 02, 2022
5
JEE (Advanced) 2022
Sunday, July 03, 2022 Paper 1: 09:00-12:00 IST Paper 2: 14:30-17:30 IST
6
Copy of candidate responses to be available on the JEE (Advanced) 2022 website
Thursday, July 07, 2022 (10:00 IST)
7
Online display of provisional answer keys
Saturday, July 09, 2022 (10:00 IST)
8
Feedback and comments on provisional answer keys from the candidates
Saturday, July 09, 2022 (10:00 IST) to Sunday, July 10, 2022 (17:00 IST)
9
Online declaration of final answer keys
Monday, July 18, 2022 (10:00 IST)
10
Result of JEE (Advanced) 2022
Monday, July 18, 2022 (10:00 IST)
11
Online registration for Architecture Aptitude Test (AAT) 2022
Monday, July 18, 2022 (10:00 IST) to Tuesday, July 19, 2022 (17:00 IST)
12
Tentative Start of Joint Seat Allocation (JoSAA) 2022 Process
Tuesday, July 19, 2022
13
Architecture Aptitude Test (AAT) 2022
Thursday, July 21, 2022 (09:00-12:00 IST)
14
Declaration of results of AAT 2022
Sunday, July 24, 2022 (17:00 IST)
જેઇઇ મેઇન્સમાં ક્વોલિફાય થનારા ટોપ 2.40 લાખ વિદ્યાર્થીઓ જ એડવાન્સ્ડની પરીક્ષા આપી શકે છે
જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષાના સ્કોરથી આઇ.આઇ.ટી.માં પ્રવેશ મળે છે.
જેઇઇ મેઇન્સ પરીક્ષા સ્કોરથી એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી.માં પ્રવેશ મળે છે
ધો.11-12 સાયન્સ અને કોલેજોના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને ભવિષ્યમાં પ્યોર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્કોલરશીપ મળે તે માટે કેવીપીવાય નામની એપ્ટીટ્યુડ ટેસ્ટ દર વર્ષે લેવામાં આવે છે. 2021માં કોવીડ પેન્ડેમિકના સંજોગોવસાત્ નહીં લઇ શકાયેલી કેવીપીવાય પરીક્ષા હવે આગામી તા.22મી મે 2022ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ કેવીપીવાય 2021ની પરીક્ષા તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી પરંતુ, એ સમયે કોવીડ-19ની ત્રીજી લહેરમાં ભારતમાં સૌથી વધુ કેસો મળી રહ્યા હોઇ, આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 22મી મેએ લેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ગત સપ્ટેમ્બર 2021માં જ પૂરા થઇ ચૂક્યા છે. જેમણે સપ્ટેમ્બર 2021 સુધીમાં કેવીપીવાય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
સુરત શહેરમાં પણ લેવાશે કેવીપીવાય પરીક્ષા
સુરત શહેરને પણ આ વર્ષે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સુરતમાંથી પરીક્ષા આપવા ઇચ્છતા હજારો વિદ્યાર્થીઓએ વડોદરા કે અમદાવાદ સુધી પરીક્ષા આપવા જવું પડતું હતું. પરંતુ હવેથી સુરત શહેરમાં જ કેવીપીવાય પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રોની માહિતી નીચે અંગ્રેજી આર્ટીકલ સાથે આપવામાં આવી છે.
Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) Aptitude Test 2021 will be held on May 22, 2022.
Due to the Covid-19 pandemic situation in India, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 was postponed. Earlier, the KVPY 2021 was scheduled to be held on January 9, 2022. The exam was postponed in the larger interest of the students.
Aptitude Test: Candidates meeting the eligibility criteria for various streams, will be called for aptitude test conducted both in Hindi and English at different centers across the country on Sunday, the 9th January 2022.
KVPY 2021: Admit Card Students may download the admit card for the aptitude test from the website from the first week of May 2022.
Empowerment initiative in the KVPY Fellowship Program:
A certain number of additional fellowships exclusively for the students belonging to SC/ST community under the various streams as stated above will be operated.
About KVPY
The Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.
The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.
Selection of the students is made from those studying in XI standard to 1st year of any undergraduate Program in Basic Sciences namely B.Sc./B.S./B.Stat./B.Math./Int. M.Sc./M.S. in Mathematics, Physics, Chemistry and Biology having aptitude for scientific research. Special groups / Committees are set up at IISc to screen the applications and conduct an aptitude test at various centres in the country. Based on the performance in the aptitude test, short-listed students are called for an interview which is the final stage of the selection procedure. For receiving a fellowship, both aptitude test and interview marks are considered.
KVPY Aptitude Test 2022 will be held in the following cities across India:
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.