CIA ALERT

યંગિસ્તાન Archives - Page 2 of 37 - CIA Live

June 2, 2025
SS_Logo_Red-1280x986.png
3min250

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરે સોમવારે (2 જૂન) JEE એડવાન્સ 2025નું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટૉપ કર્યું છે. તેણે 360 માંથી 332 ગુણ મેળવ્યા છે, પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર રિઝલ્ટ જોઈ શકે છે.

રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવી છે, જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ 2025ની પરીક્ષા 18 મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં પેપર-1 અને પેપર-2 સામેલ હતા. વિદ્યાર્થીની રિસ્પૉન્સ શીટ 22 મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને 25મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ વખતે ગણિતનું પેપર સૌથી અઘરૂ હતું. જોકે, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પણ એટલાં જ અઘરા હતાં. પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓ હવે JoSAA કાઉન્સિલિંગના માધ્યમથી પોતાની પસંદગીના IIT સંસ્થામાં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

JEE એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની (એગ્રીગેટ માર્ક્સ)ની ગણતરી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે. ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે. આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ 360 છે, જેમાં પેપર-1 અને પેપર-2 દરેકમાં 180 ગુણ છે. દરેક વિષય – ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ 120 ગુણ હોય છે, જેને પેપર-1 અને પેપર-2 દરેકમાં 60 ગુણમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

JoSAA Counselling 2025: 3/6/25 to 12/6/25

The Joint Entrance Examinations (JEE) Advanced results 2025 have been released on the official website, jeeadv.ac.in. Following the release of the result, the Joint Seat Allocation Authority (JoSAA) counselling will start tomorrow, on June 3, 2025, at 5 PM. All candidates who have qualified the JEE Advanced are eligible to participate in the seat allocation process for admission to Indian Institutes of Technology (IITs), National Institute of Technology (NITs), Indian Institutes of Information Technology (IIITs), and other Government Funded Technical Institutes (GFTIs).

The registration and choice-filling window will remain open till June 12, 2025, on the official website — josaa.nic.in. Candidates are required to complete the registration, fill in their preferred institute choices, and lock them before the deadline. On June 9, 2025, the mock seat allocation 1 list will be displayed based on the choices filled by the candidates. Mock seat allocation 2 list will be displayed on June 11, 2025.

JoSAA Counselling 2025: Steps to register
Candidates can follow the steps mentioned here to apply for the JoSAA Counselling 2025:

Visit the official website: josaa.nic.in.

Click on the link for JoSAA Counselling 2025 registration.
Enter JEE Main/Advanced credentials and complete the registration.
Log in to your account and fill out the application form.
Select and prioritize institute/course choices.
Submit the form and download a copy for future reference.

Candidates must ensure all personal and academic details are accurately filled out during registration. Choice filling must be completed before the last date; preferences can influence seat allotment results.

Candidates are advised to stay in touch with the official website to get the complete details of the JoSAA counselling 2025.

June 2, 2025
IPL-25-Final.png
1min311

ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

May 28, 2025
SS_Logo_Red-1280x986.png
1min520

USA President ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (F), વ્યવસાયિક (M) અને એક્સચેન્જ વિઝિટર (J) કેટેગરીમાં વિઝા ઈન્ટરવ્યૂની નવી અપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે. જેને પરીણામે સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી આગામી સપ્ટેમ્બર 2025 ઇન્ટેકમાં અમેરીકા ભણવા જવા માટેની પૂર્વતૈયારીઓ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ભારે આઘાત લાગ્યો છે. સમગ્ર વિશ્વમાં આ સમાચાર દાવાનળની જેમ વાઇરલ થયા છે. આ વીઝા કેટેગરીને અનિશ્ચિત મુદત માટે હોલ્ટ પર મૂકી દેવામાં આવી છે. હવે ફોરેન સ્ટડીનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓએ અમેરીકાને બદલે કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય યુરોપિયન દેશો તરફ નજર દોડાવવી પડશે.

આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની વ્યાપાક યોજનાનો હિસ્સો છે. પોલિટિકોના અહેવાલમાં અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયો દ્વારા સહી કરેલા એક દસ્તાવેજના આધારે આ દાવો કરાયો હતો. એમાં સ્પષ્ટ જણાવાયું છે કે તાત્કાલિક અસરથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તરણની તૈયારી હેઠળ કોઈપણ નવા વિદ્યાર્થી એક એક્સચેન્જ વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ શિડ્યુલ ન કરવામાં આવે. એ પણ ત્યાં સુધી જ્યાં સુધી કોઈ નિર્દેશ ન આપવામાં આવે.

આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવાની તૈયારી કરી રહી છે. જોકે અમેરિકાએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નવી તપાસ પ્રક્રિયા કયા ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી પગલાં અને યહૂદી વિરોધી કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલ અને ગાઝા અંગે અમેરિકન કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે લેવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

May 27, 2025
ojas.jpg
2min598

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના આજે સોમવાર (26 મે, 2025)થી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં આગામી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે. 

રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રાજ્યભરમાં મહેસૂલ તલાટી ભરતી માટે આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન થશે. ત્યારે અહીં જાણીશું કે મહેસૂલ તલાટી માટે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ.

મહેસૂલ વિભાગમાં સીધી ભરતીના મહેસૂલી તલાટીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર, પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.)

લઘુતમ લાયકી ધોરણ

પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલી પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુતમ લાયકી ધોરણ પ્રશ્નપત્ર દીઠ 40 ટકા રાખવામાં આવ્યું છે.

પ્રાથમિક પરીક્ષા (MCQ આધારિત)

મહેસૂલ તલાટી ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં ત્રણ કલાકના સમયમાં 200 માર્કનું પેપર લખવાનું રહેશે. 200 માર્ક વિષય પ્રમાણે વિભાજીત કોષ્ટકમાં દર્શાવ્યા છે.

વિષય માર્કસ
ગુજરાતી 20
અંગ્રેજી 20
પોલીટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ઇકોનોમિક્સ 30
હીસ્ટ્રી, જીયોગ્રાફી, કલ્ચર હેરિટેઝ 30
એનવારમેન્ટ, સાયન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 30
કરન્ટ અફેર્સ 30
મેત્થ્સ અને રિઝિઓનિંગ 40
કુલ 200

મુખ્ય પરીક્ષા
પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભના જાહેરનામા મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો Appendix-C મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે.
મુખ્ય પરીક્ષાના ગુજરાતી તથા અંગ્રેજી વિષયનો વિગતવાર અભ્યાસક્રમ Appendix-D મુજબનો રહેશે. જ્યારે સામાન્ય અભ્યાસ વિષયનો વિગતવાર અભ્યાસક્રમ મંડળ દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે.

વિષય માર્ક્સ સમય
ગુજરાતી ભાષા સ્કિલ 100 3 કલાક
અંગ્રેજી ભાષા સ્કિલ 100 3 કલાક
જનરલ સ્ટડિઝ 150 3 કલાક
350

ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતાં સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજી પત્રક કર્નફોર્મ થયેલી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાને લેવામાં આવશે નહીં.આથે જો ઉમેદવારને અરજીપત્રકની કોઈ વિગતોમાં ફેરફાર કરવો હોય તો તેઓ એ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં સાચી વિગતો અને પુનઃ અરજી કરી કર્નફોર્મ નંબર મેળવી કર્નફોર્મ નંબર માટે નિયત ફી ભરવાની રહેશે.

ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવા પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે-તે તબક્કે રદ્દ ગણવામાં આવશે.
અગત્યની સૂચનાઓ અંગે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી?

આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ
https://ojas.gujarat.gov.in પર જવું

May 17, 2025
image-7.png
1min209

કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.

નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.

જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.

દોહા ડાયમંડ લીગમાં તમામ 11 ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો

જુલિયન વેબર (જર્મની) – 91.06 મીટર
નીરજ ચોપરા (ભારત) – 90.23 મીટર
એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 85.64 મીટર
કેશોર્ન વોલ્કોટ (ત્રિનિદાદ અને ટોબેગો) – 84.65 મીટર
મોહમ્મદ હુસૈન અહેમદ સમેહ (ઇજિપ્ત) – 79.42 મીટર
ઓલિવર હેલૈન્ડર (ફિનલેન્ડ) – 79.61 મીટર
જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 79.06 મીટર
કિશોર જેના (ભારત)- 78.60 મીટર
જુલિયસ યેગો (કેન્યા)- 78.52 મીટર
રોડરિક જી. ડીન (જાપાન) – 76.49 મીટર
મેક્સ ડેહનિંગ (જર્મની)- 74.00 મીટર
ચોપરાના ટોચના પાંચ થ્રો

89.94 મીટર સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022
89.49 મીટર લૌઝેન ડાયમંડ લીગ 2024
89.45 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – એફ
89.34 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – ક્યૂ
89.30 મીટર પાવો નુરમી ગેમ્સ 2022

May 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min553

તા.13મી મે 2025ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના પરીણામો ઘોષિત કરવામાં આવ્યા. પરીણામો ઘોષિત કરાયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એ મૂંઝવણ ઉપસ્થિત થઇ છે કે સેન્ટ્રલ બોર્ડે રીઝલ્ટમાં માર્કસ અને પર્સન્ટેજ જાહેર કર્યા છે. જ્યારે ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસીનું મેરીટ તૈયાર કરવામાં આવે છે તેમાં પર્સન્ટાઇલ રેન્ક ગણવામાં આવે છે.

તો આવી મૂંઝવણ ફક્ત શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) દૂર કરી શકે છે. શિક્ષણ સર્વદા જણાવે છે કે દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર ધેન ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના કેટલા માર્કે કેટલા પર્સન્ટાઇલ થાય તેની અધિકૃત માહિતી ધરાવતુ કોષ્ટક સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં હાઇએસ્ટ માર્કસથી લઇને લોએસ્ટ માર્ક સુધીના માર્ક પર કેટલા પર્સન્ટાઇલ થાય તે દર્શાવવામાં આવે છે.

અહીં અમે 2024માં માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ માર્ક ગણતરીમાં લેવામાં આવ્યા હતા તે ચાર્ટ જાણકારી માટે, વાલીઓ વિદ્યાર્થીઓને એક રેન્ડમ આઇડિયા મળે તે માટે પ્રસ્તુત કરી રહ્યા છે જેના આધારે અંદાજો આવી શકશે કે સેન્ટ્રલ બોર્ડમાં ધો.12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, ત્રણ વિષયોના થિયરીના કુલ માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ મેરીટની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે.

ગુજરાતમાં એસીપીસી દ્વારા એન્જિનિયરિંગ એડમિશનમાં પીસીએમના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટમાં કુલ પર્સન્ટાઇલના 50 ટકાનો સરવાળો કરીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. મેરીટના આધારે મેરીટ રેન્ક આપવામાં આવે છે.

ઉપરોક્ત 2024ના ચાર્ટનો આધાર લઇએ તો કોઇ વિદ્યાર્થીના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયોમાં થિયરીમાં 190 માર્કસ આવ્યા હોય તો તેના થિયરી પર્સન્ટાઇલ 90.63 થાય છે, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં મેરીટની ગણતરીમાં 90.63ના 50 ટકા એટલે કે 45.31 પીઆર ગણનામાં લેવાશે. જેમાં ગુજકેટના 50 ટકા ઉમેરીને મેરીટ બનાવવામાં આવે છે.

May 8, 2025
SS_Logo_Red-1280x986.png
2min483

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરીણામ વેબસાઇટ મારફતે જાહેર કર્યું હતું. ગુજરાત રાજ્યનું ધો.10નું સરેરાશ પરીણામ 83.08 ટકા આવ્યુ હતું જ્યારે સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 86.20 ટકા આવ્યું હતું. 2025ની ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી હાઇએસ્ટ પરીણામ 83.08 ટકા છે. ગયા વર્ષે 82 ટકા પરીણામ આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાંથી 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 620532 વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

સમગ્ર રાજ્યમાંથી કૂલ 28055 વિદ્યાથીઓ 100 ટકાથી 91 પર્સન્ટાઇલ માર્ક એટલે કે એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કરી શક્યા છે. સુરત શહેર જિલ્લામાથી 5393 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે.

ગ્રેડવાર પરીણામ

વિષયવાર પરીણામ

મિડીયમ વાઇઝ પરીણામ

May 8, 2025
image-2.png
1min243

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. જો કે, હજુ સુધી નવા કેપ્ટન અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રોહિત ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, રોહિત શર્મા વનડેમાં રમવાનું ચાલુ રાખશે.

રોહિતે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આ અંગે કહ્યું કે, ‘હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ટેસ્ટ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર. હું ODI ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ.’

આ નિર્ણયની સાથે જ રોહિત શર્માએ 11 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરનો અંત થઈ ગયો. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. રોહિતે ટેસ્ટમાં 88 છગ્ગા અને 473 ચોગ્ગા લગાવ્યા.

રોહિત વર્ષ 2010માં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ નાગપુરમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ કરવાના હતા, પરંતુ તે મેચમાં ટોસ પહેલા તેને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમનું ટેસ્ટ ડેબ્યૂ ત્રણ વર્ષ બાદ થયું. તેમણે વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર પોતાની ડેબ્યૂ ટેસ્ટ પર સદી બનાવી. મુંબઈમાં પોતાની આગામી ટેસ્ટમાં તેમણે વધુ એક સદી ફટકારી. ત્યારે, રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.

April 6, 2025
anant-ambani.png
1min355

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.

પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

March 27, 2025
semi-conductor.webp
13min505

સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર ભારતમાં સૌથી પહેલો કોર્સ, ગુરુગ્રામની નોર્થકેપ યુનિવર્સિટીમાં શરૂ થશે
જુલાઇ 2025થી Start

સરળ ભાષામાં સમજો સેમિકન્ડક્ટર ચીપ શું હોય

સેમિકન્ડક્ટર એક એવી માઇક્રોચીપ છે કે જે પૂર્વનિર્ધારિત પ્રોગ્રામિંગ અનુસાર જુદી જુદી પરિસ્થિતિઓમાં જે તે ઉપકરણને ઓટોમેટીક અને સતત કાર્યરત રાખે છે. સેમિકન્ડક્ટર ચીપ કમ્પ્યુટર્સથી લઇને મોટરકાર, એરોપ્લેન, રોકેટ, હોમ એપ્લાયન્સીસઝ, મોબાઇલ ફોન્સ વગેરે વર્તમાન સમયના દરેકે દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું હાર્દ હોય છે.

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), IIT મંડી અને ધ નોર્થકેપ યુનિવર્સિટી (NCU), ગુરુગ્રામે, સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ટેકનોલોજીમાં વિશેષતા સાથે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) માં B.Tech રજૂ કરવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ઔપચારિક રીતે કૌશલ ભવન, નવી દિલ્હી ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.

સેમિકન્ડક્ટર ટેક્નોલોજી એવું ક્ષેત્ર છે જે આધુનિક ઇક્વિપમેન્ટ્સથી લઇને મોટરકાર સુધીની તમામ ચીજવસ્તુઓના મેન્યુફેક્ચરીંગમાં અનિવાર્ય અંગ છે.ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી માંગને અનુરૂપ મેનપાવર ઉદભવે તે સાથે જ ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલાવિદ્યાર્થીઓને ઉદ્યોગ-સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ તાલીમથી સજ્જ કરવા માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને બી.ટેક. વીથ સેમિકન્ડક્ટર ટેક્નોલોજી કોર્સ ડિઝાઇન કર્યો છે.

આઠ સેમેસ્ટરમાં રચાયેલ આ ચાર વર્ષનો કાર્યક્રમ સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે, જેમાં નીચેના ચેપ્ટર્સનો સમાવેશ થાય છે:

નેનોટેકનોલોજી અને સેમિકન્ડક્ટર મટિરિયલ્સ એન્જિનિયરિંગ

સેમિકન્ડક્ટર ફિઝિક્સ

માઇક્રોફેબ્રિકેશનનો પરિચય

સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન

સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ ડિઝાઇન અને ટેકનોલોજી

મેન્યુફેક્ચરિંગમાં એડવાન્સ્ડ વિષયો

અભ્યાસક્રમમાં NCU, NSDC અને IIT મંડી દ્વારા સહ-વિકસિત એપ્લિકેશન-ઓરિએન્ટેડ લર્નિંગના 25 ક્રેડિટ્સનો સમાવેશ થાય છે. ડિગ્રી NCU નોર્થકેપ યુનિવર્સિટી ગુરુગ્રામ દ્વારા એનાયત કરવામાં આવશે.

અમલીકરણમાં NSDC ની ભૂમિકા

NSDC આ કાર્યક્રમના સરળ રોલઆઉટને સુનિશ્ચિત કરશે:

તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થી નોંધણી કરવી

શિક્ષણ લોન સાથે પાત્ર ઉમેદવારોને ટેકો આપવો

AI-સક્ષમ સામગ્રી, વ્યાખ્યાનો અને સોંપણીઓ સાથે એક-સ્ટોપ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું

વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને નોકરી પ્લેસમેન્ટમાં સહાય કરવી

IIT મંડી ખાતે હેન્ડ્સ-ઓન લર્નિંગ

IIT મંડી ફેકલ્ટી વિશિષ્ટ અભ્યાસક્રમો ચલાવશે અને ચાર વર્ષમાં અદ્યતન પ્રયોગશાળાઓમાં છ હેન્ડ્સ-ઓન નિમજ્જન કાર્યક્રમો પ્રદાન કરશે. સંસ્થા અભ્યાસક્રમ, પરીક્ષાઓ, સબમિશન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરશે, જે NCU ખાતે અંતિમ ડિગ્રી માટે ગણવામાં આવશે.

વેદ મણિ તિવારી, CEO, NSDC (અને MD, NSDC ઇન્ટરનેશનલ) કહે છે કે “IIT મંડી અને NCU સાથેનો અમારો સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણનું લોકશાહીકરણ અને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોને ઉચ્ચ શિક્ષણમાં એકીકૃત કરવા તરફ એક પગલું છે. આ પહેલ રોજગાર ક્ષમતામાં વધારો કરે છે અને વિદ્યાર્થીઓને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે – જે ભારતના તકનીકી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.”

ડૉ. તુષાર જૈન, CCE, IIT મંડી કહે છે કે “આ સહયોગ IIT મંડીની સંશોધન કુશળતા, NCUના શૈક્ષણિક માળખા અને NSDCની કૌશલ્ય વિકાસ પહેલને જોડીને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવે છે.”

પ્રો. નુપુર પ્રકાશ, વાઇસ ચાન્સેલર, NCU: “આ અગ્રણી કાર્યક્રમ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વ્યવહારુ સંપર્કનું એક અનોખું મિશ્રણ પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ IIT મંડી ખાતે સ્વચ્છ રૂમ અને અદ્યતન પ્રયોગશાળાઓમાં વ્યવહારુ અનુભવ મેળવશે, જે તેમને ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે તૈયાર કરશે.”

આ પહેલ વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની તક આપે છે, જે તેમને વિકસતા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઉદ્યોગ માટે તૈયાર વ્યાવસાયિકો બનાવે છે.

The B.Tech CSE with Specialisation in Semiconductor Technology at The NorthCap University (NCU) is designed to equip students with in-depth knowledge of semiconductor design, fabrication, and advanced computing technologies. As semiconductors drive innovation across industries, this programme blends core computer science principles with cutting-edge semiconductor technologies to prepare students for high-demand roles in chip design, embedded systems, and nanoelectronics.

This specialisation focuses on VLSI design, semiconductor materials, circuit fabrication, and AI-enabled hardware, making graduates highly valuable in industries such as quantum computing, artificial intelligence, telecommunications, and IoT. With industry collaborations, state-of-the-art semiconductor labs, and hands-on exposure to chip design, testing, and fabrication, students gain practical expertise essential for the rapidly evolving semiconductor industry.

Highlights

  • Industry-Relevant Curriculum – Covers VLSI design, semiconductor fabrication, circuit design, embedded systems, and AI-driven chip architectures.
  • State-of-the-Art Labs – Hands-on training with Cadence, Xilinx, Siemens, Key Soft, and Ansys design software.
  • Global Academic Collaborations – Partnerships with NTHU Taiwan and University of Illinois, USA for advanced semiconductor technology research.
  • Research & Innovation Opportunities – Focus on quantum computing, AI-driven chip design, and next-gen semiconductor materials like graphene and gallium nitride.
  • Real-World Industry Exposure – Internships with leading semiconductor companies to gain practical experience in semiconductor design, testing, and production.
  • Multidisciplinary Skill Development – Integration of circuit design, embedded systems, semiconductor testing, and packaging technologies for industry readiness.

Curriculum – Detailed Programme Structure

The B.Tech CSE with Semiconductor Technology is structured over four years (eight semesters), integrating fundamental computer science principles with specialized semiconductor knowledge.

Year 1: Core Computer Science & Fundamentals

  • Programming in C, C++, Java
  • Digital Logic Design
  • Data Structures & Algorithms
  • Computer Networks
  • Discrete Mathematics

Year 2: Introduction to Semiconductor Technology

  • Introduction to VLSI Design & Embedded Systems
  • Semiconductor Materials & Device Fabrication Techniques
  • Advanced topics in Logic Gates, Power Management, and Circuit Analysis
  • Lab exposure with design and simulation software

Years 3 & 4: Advanced Specialisation & Industry Exposure

  • Digital & Analog Circuit Design for semiconductor applications
  • Embedded Systems Design for IoT, automotive, and AI applications
  • Quantum Computing & AI-Enabled Hardware
  • Semiconductor Fabrication & Testing with industry-standard tools
  • Research & Capstone Project in Semiconductor Innovations
  • Mandatory Internship with Semiconductor Firms

Programme Outcomes (POs)

Graduates of the B.Tech CSE with Semiconductor Technology will:

✅ Master semiconductor design methodologies and integrate AI-driven chip development.
✅ Develop expertise in VLSI circuit design, embedded systems, and chip fabrication techniques.
✅ Apply knowledge of semiconductor physics and materials to innovate in device miniaturisation and efficiency.
✅ Design and test semiconductor devices and circuits for various industrial applications.
✅ Gain industry-ready skills through practical exposure to semiconductor fabrication and testing.
✅ Be equipped for high-paying careers in semiconductor research, design, and manufacturing.

Career Opportunities After Course Completion

Graduates of this programme are in high demand across semiconductor design, fabrication, and emerging technology fields. Career opportunities include:

🔹 Chip Design Engineer – Develop next-gen semiconductor chips and processors.
🔹 Process Engineer – Optimise fabrication processes for high-yield semiconductor production.
🔹 Field Application Engineer (FAE) – Work on customer-focused chip design and implementation.
🔹 Embedded Systems Engineer – Design and develop hardware-driven AI and IoT applications.
🔹 Nanoelectronics Engineer – Innovate in miniaturised semiconductor devices and quantum computing.
🔹 AI Hardware Engineer – Develop AI-driven chips for machine learning and deep learning applications.

Top Hiring Companies:

✔ Intel Corporation
✔ TSMC (Taiwan Semiconductor Manufacturing Company)
✔ Samsung Electronics
✔ Apple Inc.
✔ Qualcomm
✔ NVIDIA
✔ Texas Instruments
✔ Infineon Technologies
✔ NXP Semiconductors
✔ Cadence
✔ IBM Research
✔ Micron Technology
✔ Broadcom Inc.

With the semiconductor industry driving advancements in AI, IoT, and smart devices, graduates enjoy strong career prospects with global companies.

Why Choose NCU for BTech CSE – Semiconductor Technology?

  • State-of-the-Art Labs – Hands-on experience with leading semiconductor design software (Cadence, Xilinx, Siemens, Ansys, and Key Soft).
  • Industry-Aligned Curriculum – Covers VLSI design, embedded systems, quantum computing, and semiconductor materials.
  • Global Collaborations – Academic partnerships with NTHU Taiwan and University of Illinois, USA for semiconductor research.
  • Research & Innovation Focus – Students engage in projects on AI-driven chip design, quantum computing, and emerging semiconductor materials.
  • Internships & Industry Exposure – Strong ties with semiconductor giants like Intel, TSMC, and Qualcomm ensure students gain practical experience.
  • Placement Support – Graduates secure roles in leading semiconductor, AI, and computing companies worldwide.

With a strong blend of theoretical knowledge, practical training, and industry engagement, the B.Tech CSE – Semiconductor Technology programme at NCU ensures that students emerge as industry-ready professionals, shaping the future of semiconductor and computing technologies.