CIA ALERT
21. May 2024

યંગિસ્તાન Archives - Page 4 of 34 - CIA Live

February 16, 2022
cia_edu-1280x925.jpg
4min466

Jayesh Brahmbhatt 98253 44944

જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓમાં ટ્રાયલના નામે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખીલવાડ થઇ રહ્યો છે. જે રીતે દર વર્ષે ટ્રાયલની સંખ્યા બદલવામાં આવી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રાયલના નામે ધતિંગો ચાલી રહ્યા છે. આ વર્ષે મળતી માહિતી મુજબ એન્જિનિયરિંગની રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન JEE Main પેપર-1 પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બે જ ટ્રાયલ આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એન.ટી.એ. અને કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના અધિકારીઓની મિટીંગમાં આ વર્ષે ધો.12 સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓને JEE Main પેપર-1ની બે ટ્રાયલ, પહેલી ટ્રાયલ એપ્રિલ 20222માં અને બીજી ટ્રાયલ મે 2022માં આપવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. એપ્રિલ 2022ની ટ્રાયલ માટેના રજિસ્ટ્રેશન ચાલુ ફેબ્રુઆરી માસના અંતમાં શરૂ કરવામાં આવશે.

ધો.12 સાયન્સ વિદ્યાર્થીઓ પર પ્રયોગો ચાલી રહ્યાની અનુભૂતિ

જે રીતે જેઇઇ મેઇન્સમાં ટ્રાયલના નામે ધતિંગો ચાલી રહ્યા છે એ જોતા એવું કહેવામાં કોઇ જ અતિશયોક્તિ જણાતી નથી કે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર રમત રમાઇ રહી છે. 2019 સુધી જેઇઇ મેઇન્સ પેપર-1ની એક જ ટ્રાયલ લેવાતી હતી. એ પછી 2021માં કોરોના પેન્ડેમિક હોવાનું જાણવા છતાં એન.ટી.એ. અને કેન્દ્રના અધિકારીઓએ જેઇઇ મેઇન પેપર-1ની ચાર ચાર ટ્રાયલ આપવાનું નક્કી કર્યું અને બે ટ્રાયલ લીધા બાદ પાંચ મહિના સુધી પરીક્ષા યોજી શકાઇ ન હતી. હવે ચાલુ વર્ષે 2022માં ચાર ટ્રાયલ ઘટાડીને 2 જ ટ્રાયલ આપવાનો નિર્ણય કરી દેવાયો છે. આ પ્રકારના પ્રયોગોને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ વાજ આવી ગયા છે.

પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોને ફાયદો થાય એ રીતે જેઇઇ ની ગોઠવણ ચાલી રહ્યાની અનુભૂતિ

જેઇઇ અને નીટ પરીક્ષાનું મહત્વ વધારી દેવાતા દેશભરમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસોને કરોડોની કમાણી મળી રહી છે. હજુ પણ ધંધાદારી કોચિંગ ક્લાસીસોને ફાયદો થાય એ રી તે જ જેઇઇ અને નીટ પરીક્ષાની ગોઠવણ કરી આપવામાં આવી રહ્યાની અનુભૂતિ ચાલી રહી છે.

જેઇઇ મેઇન્સના સ્કોરથી NIT, IIIT CFTIsમાં પ્રવેશ મળે છે, જ્યારે JEE Advancedથી IITમાં પ્રવેશ મળે છે

IN English

Engineering course aspirants will get two, instead of four, attempts to appear for the Joint Entrance Examination (JEE-Main) this year, as the National Testing Agency (NTA) h as decided to conduct the entrance test only in April and May. The m inistry of education had decided to increase the number of attempts to four from 2021 onwards.

As per the initia l discussion between officials of MoE and ministry of health, the National Eligibility cum Entrance Test (Undergraduate) or NEET-UG will be conducted between the third week of June and first week of July. Ar ound 26 lakh engineering, medical and allied programme aspirants took these tests in 2021.JEE (Main), the multi-session computer-based test, is taken by students for getting admission in top engineering institutions as well as securing eligibility to appear for the JEE (Advanced), the entrance test for the Indian Institutes of Technology.

The number of attempts allowed to a student was increased from one to two in 2019 and to four from 2021 and some of the results show how aspirants significantly benefited from taking multiple shots at a high-pressure exam. The best of the four attempts was considered the candidate’s final score in 2021.

The official said the primary reason for offering four attempts last year was due to Covid-19. “Situation was different due to the second wave. However, things have improved and based on the current situation it has been decided that two attempts would be as beneficial. The registration will start by the end of this month

” Another reason, sources said, is that due to the delay in most exams, including the class XII Board exams, the window for entrance has shrunk if admissions are to be conducted on time this year. The CBSE class XII exams are to commence from April 26, while the Council for the Indian School Certificate Examinations will conduct exams from the last week of April.

February 3, 2022
cia_multi-1280x1045.jpg
3min496

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ સર્વિસીઝ, સનદી સેવા અધિકારીઓની જુદી જુદી 26 જેટલી કેડર માટે ભરતી પ્રક્રિયા કરતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ બુધવાર, તા.2 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે 2022ના ચાલુ કેલેન્ડર વર્ષમાં સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા તા.5 જૂને લેવામાં આવશે. કુલ 861 પોસ્ટ માટે આ પરીક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા અને ભારતીય પોલીસ સેવા, અન્યો વચ્ચેના અધિકારીઓની પસંદગી માટે સિવિલ સેવાઓની પરીક્ષા વાર્ષિક ત્રણ તબક્કામાં લેવામાં આવે છે – પ્રીલીમ્સ, મુખ્ય અને ઇન્ટરવ્યુ.

પ્રીલીમનરી પરીક્ષા દ્વારા શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયાના અંતે કુલ 861 જેટલી સનદી અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકો અપાશે. આ પ્રક્રિયામાં વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે 34 જગ્યાઓ આરક્ષિત કરવામાં આવી છે.

સનદી સેવા અધિકારીઓમાં પણ પુરુષ અને મહિલા ઉમેદવારોની સંખ્યાનું સંતુલન જળવાય રહે તે માટે ખાસ મહિલા ઉમેદવારો આ પરીક્ષા વધુને વધુ સંખ્યામાં આપે તે માટે મહિલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે તમામને કહેવામાં આવી રહ્યું છે.

કોઇપણ સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો www.upsconline.nic.in વેબસાઇટ પર યુપીએસસી પ્રીલીમનરી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી સાંજે 6 વાગ્યા સુધી છે.

1 માર્ચથી 7 માર્ચ સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજીઓ પાછી ખેંચી શકાશે.

જે ઉમેદવારો ચાલુ વર્ષે ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષની પરીક્ષા આપવાના છે તેઓ પણ આ પરીક્ષા આપી શકે છે

In English

Civil services preliminary examination 2022 will be held on June 5 to fill 861 posts, the Union Public Service Commission (UPSC) said on Wednesday 2nd February 2022. The civil services examination is conducted annually in three stages — preliminary, main and interview — to select officers of Indian Administrative Service, Indian Foreign Service and Indian Police Service, among others.

The number of vacancies to be filled through the examination is expected to be approximately 861 which include 34 vacancies reserved for persons with benchmark disability category — seven for candidates of blindness and low vision, 11 for deaf and hard of hearing, and eight for locomotor disability.

The final number of vacancies may change after getting the exact number of vacancies from cadre controlling authorities, the UPSC said.

In a notification, it said the civil services preliminary examination will be held on June 5, 2022.
“The government strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply,” it said.

Candidates can apply online at www.upsconline.nic.in. The last date for sending online applications is Feb 22 till 6 pm.

Online applications can be withdrawn from March 1 to March 7 till 6 pm.

“No request for withdrawal of candidature will be entertained after the expiry of the specified period by the commission under any circumstances,” the notification said.

January 26, 2022
sat_test.jpg
1min1007

અમેરીકન કોલેજ એસોસીએશન દ્વારા તાજેતરમાં પુનઃડિઝાઇન કરાયેલી SAT (પરીક્ષા) ટૂંકી હશે એટલું જ નહીં પણ તેનો વ્યાપ વિસ્તાર વધારતા તેમાં વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. સેટ પરીક્ષામાં હવે સમગ્ર ગણિત વિભાગના પ્રશ્નો એટેન્ડ કરવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સેટ પરીક્ષાનું સંચાલન કરતી અમેરીકી કૉલેજ બોર્ડે તા.25 જાન્યુઆરી 2021ના રોજ આ જાહેરાત સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેના (એસ.એ.ટી.) સ્યુટ ઑફ એસેસમેન્ટને ડિજિટલ રીતે ઑફર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે પાંચની જગ્યાએ સાત તકો આપવામાં આવશે.

SAT એ અમેરીકામાં કૉલેજ પ્રવેશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પરીક્ષા છે. વર્તમાન SAT ને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવા ઉપરાંત – નવી પદ્ધતિ અનુસાર SAT સરળતાથી લઇ શકાય, સેટ પરીક્ષા સરળતાથી આપી શકાય તેવી બનાવવામાં આવી છે. આજની જનરેશનના વિદ્યાર્થીઓ માટે નવી સેટ પરીક્ષા વ્યવસ્થા વધુ સુસંગત હશે. નવી વ્યવસ્થા મુજબ સેટ ટેસ્ટ ટૂંકી હશે. અત્યાર સુધી સેટ પરીક્ષાની અવધી ત્રણ કલાકની હતી પણ હવે નવા ફેરફારો મુજબ સેટ 3 કલાકને બદલે લગભગ 2 જ કલાકમાં પૂરી થઇ જશે.

વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેતા ટૂંકા વાંચન ફકરાઓ હશે અને હવે સમગ્ર ગણિત વિભાગ માટે કેલ્ક્યુલેટરને મંજૂરી આપવામાં આવશે. કૉલેજ બોર્ડ અનુસાર, પરિણામો ઝડપથી જનરેટ થશે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અઠવાડિયાના બદલે દિવસોમાં સ્કોર પ્રાપ્ત થશે. યુએસ માર્કેટ સાથે સંરેખિત કરીને આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાંચને બદલે હવે SAT લેવાની સાત તકો છે.

સમગ્ર બોર્ડમાં પરીક્ષાને વધુ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા આપવા અને તેઓ હાંસલ કરી શકે તેવો શ્રેષ્ઠ સ્કોર મેળવવા માટે વધુ વિકલ્પો હશે.

SATની નવી પદ્ધતિ અમેરીકામાં 202 માં આંતર રાષ્ટ્રીય સ્તરે 2024 માં લોંચ કરવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિ મહદઅંશે ડિજિટલ રીતે જ લેવામાં આવશે. કૉલેજ બોર્ડના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને હવે વર્ચ્યુઅલ લનિંગનો ખાસ્સો અનુભવ છે અને તેની આદત પણ પડી ગઇ છે, ઓનલાઇન લર્નિંગ, ટેસ્ટીંગમાં વિદ્યાર્થીઓને ફાવટ આવી ગઇ હોવાથી હવે પછી સેટનું નવું સ્વરૂપ પણ ડિજિટલ જ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

કોરોના પેન્ડેમિક બાદથી વિશ્વભરની શાળાઓમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ટેક્નોલોજી પર આધારિત બની ચૂકી છે આથી સેટ ટેસ્ટ ડિજિટલ થવા સાથે વધુ સુરક્ષિત બનશે, કારણ કે દરેક વિદ્યાર્થી એક અનન્ય કસોટી મેળવશે અને જવાબો શેર કરવા વ્યવહારીક રીતે અશક્ય હશે. 80% વિદ્યાર્થીઓએ કસોટી ઓછી તણાવપૂર્ણ હોવાનું જણાયું હતું અને 100% શિક્ષકોએ નવા ફોર્મેટ સાથે સકારાત્મક અનુભવ હોવાનું જણાવ્યું હતું.

January 7, 2022
cia_multi-1280x1045.jpg
3min368

ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે લેવાતી કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજનાની ફેલોશીપ પરીક્ષાને કોરોનાના વધી રહેલા કેસોને કારણે મૌકૂફ રાખી દેવામાં આવી છે. આ પરીક્ષા રાષ્ટ્રવ્યાપી સ્તરે આગામી તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી. અનેક રાજ્યોમાં વીકએન્ડ કરર્ફ્યુ તેમજ લોકડાઉન જેવા નિયંત્રણો હોવાના કારણે છેલ્લી ઘડીએ કેવીપીવાય પરીક્ષાને મૌકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

http://kvpy.iisc.ac.in/main/ વેબસાઇટ પર આ મુજબની સૂચના જારી કરવામાં આવી છે

Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.

IN English

The Kishore Vaigyanik Protsahan Yojana Exam (KVPY Exam) 2022 has been postponed due to rising cases of Covid-19 in several state. As per the latest updates available, the KVPY Exam 2022 has been deferred until further notice owing to rapid rise in Omicron cases throughout the country.

KVPY 2022 exam was scheduled to be conducted on January 9, 2022. A notification available on the official website – kvpy.iisc.ac.in – reads, “Due to the emerging unprecedented surge of COVID-19 cases, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 to be held on 9th January 2022, is postponed in the larger interest of the students. Please check KVPY website regularly for further updates.”

Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.

The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.

The advertisement for the KVPY Fellowship appears in all the national dailies normally on the Technology Day (May 11) and the Second Sunday of July every year.

January 4, 2022
cia_multi-1280x1045.jpg
1min509

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જાન્યુઆરીએ રાજ્યની તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં આગામી તા.6 અને 7ના રોજ યોજાનારી દ્વિતિય એકમ કસોટીનો બીજો તબક્કો મુલતવી રાખવાની જાહેરાત કરી છે. સરકારી પરીપત્રમાં આ તારીખો 7 અને 8 દર્શાવવામાં આવી છે. શાળાઓમાં હાલ ચાલી રહેલા વેક્સીનેશનના કાર્યક્રમને અસર ન પહોંચે તે માટે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોવાનું કારણમાં જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગઇ તા.3થી શરૂ કરીને તા.8મી જાન્યુઆરી સુધી દ્વિતિય એકમ કસોટી લેવાનું આયોજન છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ, હાલમાં 15 કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓનું વેક્સીનેશન શાળાઓમાં જ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોરોનાની વધી રહેલા કેસો જોતા બાળકોમાં વેક્સીનેશન થાય એ જરૂરી છે અને આ સંજોગોમાં જો શાળાઓમાં પરીક્ષાઓ યોજાશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વેક્સીન નહીં મૂકાવે તેવો ભય હતો. આથી રાજ્ય સરકારના પરીપત્ર અનુસાર તા.7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી દ્વિતિય એકમ કસોટીની પરીક્ષાઓને જ મુલતવી રાખી દેવાનું એલાન કરી દીધું છે જેથી કરીને વેક્સીનેશનની કામગીરી ન ખોરવાય. હવે પછી આ પરીક્ષાઓની તારીખોનું એલાન કરવામાં આવશે.

January 1, 2022
vaccine-1.jpg
1min310

આજથી દેશભરમાં 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશન માટે કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વેક્સીન માટે આજથી 15થી 18 વર્ષની વયના કિશોરો પણ એલિજિબલ ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વયજૂથના બાળકોને કોવાક્સીન વેક્સીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

15-18 વયજૂથના કોરોના રસીકરણની નોંધણી આજથી શરૂ, 3 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે રસી

સરકારની માર્ગદર્શિકા અનુસાર, આ વય જૂથના લોકો 1 જાન્યુઆરીથી તેમના ID કાર્ડનો ઉપયોગ કરીને CoWin એપ્લિકેશન પર સ્લોટ બુક કરી શકે છે. કોવિન પ્લેટફોર્મના વડા ડો. શર્માએ અગાઉ કહ્યું હતું કે આધાર અને અન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ સિવાય, બાળકો નોંધણી માટે તેમના ધોરણ 10ના આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બર 2021ના રોજ તેમના સંબોધન દ્વારા જાહેરાત કરી હતી કે 3 જાન્યુઆરી, 2022થી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.

December 6, 2021
NIFT_official_logo.png
6min711

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.

ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Courses offered at NIFT campus

ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ  ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.

લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.

ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.

NIFT Admission 2022: Important dates

EventDates
Last date to apply onlineJanuary 17, 2022
Registration with late fee of Rs. 5000January 18 to 22, 2022
NIFT Admit Card release dateJanuary 29, 2022
NIFT Entrance Exam 2022 dateFebruary 6, 2022
Result of Written Entrance ExaminationMarch 2022
Situation Test/ Group Discussion/ InterviewApril 2022
Last date for online registration for foreign
nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)May 2022
CounsellingMay-June2022 onwards

NIFT Admission 2022: How to apply online

1) Register yourself for the online application process at http://niftadmissions.in/.
2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.

3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form

4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.

5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).

6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.

7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.


NIFT Admission 2022: Scheme of examination

Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.

December 5, 2021
cia_multi-1280x1045.jpg
1min321

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે.

આઈઆઈટી ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની 400 ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે.

આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે 2.40 કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે.

આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે. પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.

આઈઆઈટી દિલ્હીના 400 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ 2.15 કરોડ રુપિયાનુ રહ્યુ છે.

આઈઆઈટી ગૌહાટીના 200 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં 43 ટકાનો વધારો થયો છે.

December 2, 2021
placement-2021.jpg
1min250

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોરોના વૈશ્વિક રોગચાળાના અને મંદીના માહોલ પછી ભારતના પ્રીમિયર IIT કેમ્પસમાં કરોડોથી વધુ રકમના જોબ પેકેજો મળ્યા છે. ડોમેસ્ટીક જોબ માર્કેટમાં આઇ.આઇ.ટી.ના ગ્રેજ્યુએટ્સને વાર્ષિક રૂ.1.8 કરોડ તેમજ ઇન્ટરનેશનલ જોબ માર્કેટમાં આઇ.આઇ.ટી.ના પાસઆઉટ ઉમેદવારને રૂ.2 કરોડના પે પેકેજ મળતા, આઇઆઇટીની પ્લેશમેન્ટ ઇનિંગની શરૂઆત ધમાકેદાર રીતે થઇ છે.

આઇ.આઇ.ટી. જોબ પ્લેશમેન્ટની સિઝનના આજે પહેલા જ શરૂઆતના દિવસે, ઘણા IITiansને કરોડો રૂપિયા પ્લસ પેકેજની ક્લબમાં પ્રવેશ મળ્યો છે, કારણ કે આ વર્ષે પ્લેશમેન્ટમાં મળેલું આઇઆઇટીના ઉમેદવારોને સર્વોચ્ચ સ્થાનિક (ડોમેસ્ટિક ઇન્ડીયા પ્લેશ) પેકેજ રૂ. 1.8 કરોડના પગારની નોકરી ઓફર થઇ છે જે આઇઆઇટીમાં અત્યાર સુધીની, સર્વકાલીન હાઇએસ્ટ ઓફર છે. એવી જ રીતે આઇ.આઇ.ટી.ના કેન્ડીડેટ્સને આંતરરાષ્ટ્રીય કંપની તરફથી થયેલી ગાર ઓફરની રકમ રૂ. 2 કરોડ વાર્ષિકને પાર કરી ગઈ છે.

વૈશ્વિક ટ્રાન્સપોર્ટેશન કંપની ઉબરે IIT-બોમ્બે અને મદ્રાસ સમેતની 5 આઇઆઇટી કેમ્પસમાંથી પાસઆઉટ એક-એક વિદ્યાર્થીને રૂ.2.05 કરોડ (અથવા $274,000)ના પેકેજમાં પસંદ કર્યા છે, જ્યારે IIT-રુરકીના એક વિદ્યાર્થીને રૂ. 2.15 કરોડ ($287,550) અને ત્રણની આંતરરાષ્ટ્રીય ઓફર મળી હતી. અન્યને રૂ. 1.30 કરોડથી રૂ. 1.8 કરોડની સ્થાનિક ઓફર મળી હતી.

IIT બેંગ્લોર  ખાતે પ્રથમ સ્લોટમાં, ઉબેર પછીની સૌથી વધુ ઓફર ક્લાઉડ ડેટા મેનેજમેન્ટ કંપની રૂબ્રિક તરફથી આવી હતી, જેમાં રૂ. 90.6 લાખ (અથવા $121,000) પેકેજ હતું. કેટલીક કંપનીઓ તરફથી પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

ઇન્ડીયા લોકલ ડોમેસ્ટિક માર્કેટમાંથી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ મિલેનિયમે પ્રથમ સ્લોટમાં રૂ. 62 લાખના પેકેજ માટે વિદ્યાર્થીઓને પસંદ કર્યા હતા, જ્યારે વર્લ્ડ ક્વોન્ટે રૂ. 52.7 લાખ અને બ્લેકસ્ટોને રૂ. 46.6 લાખ ઓફર કર્યા હતા.

Google, Microsoft, Qualcomm, Boston Consulting Group (BCG), Airbus અને Bain & Company દ્વારા સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક ઑફર્સ કરવામાં આવી હતી. IT/સોફ્ટવેર, કોર એન્જિનિયરિંગ અને કન્સલ્ટિંગ એ પ્રથમ સ્લોટમાં સંસ્થા પાસેથી ભાડે લેવા માટે અગ્રણી ક્ષેત્રો હતા.

IIT-મદ્રાસમાં પ્રથમ દિવસે 11 જેટલી આંતરરાષ્ટ્રીય ઑફરો કરવામાં આવી હતી, એમ IIT મદ્રાસના સલાહકાર (તાલીમ અને પ્લેસમેન્ટ) પ્રોફેસર સીએસ શંકર રામે જણાવ્યું હતું.

સંસ્થાએ પ્લેસમેન્ટના પ્રથમ સત્રમાં 407 ઓફરો રેકોર્ડ કરી હતી, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ છે, જેમાં 231 PPOનો સમાવેશ થાય છે.

કુલ મળીને, 11 વિદ્યાર્થીઓએ રૂ. 1 કરોડને વટાવી ગયેલી ઓફરો પ્રાપ્ત કરી હતી અને તેમાંથી 10 વિદ્યાર્થીઓને સ્થાનિક ઓફર મળી હતી અને 13 વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય ઓફર માટે સાઇન અપ કર્યું હતું, જેમાંથી 12 વિદ્યાર્થીઓએ જાપાન અને સિંગાપોરમાં નોકરી કરવા માટે રૂ. 1 કરોડથી ઓછા પેકેજની પસંદગી કરી હતી.

November 1, 2021
cia_multi-1280x1045.jpg
1min612

સુરતના અઠવાલાઇન્સ સ્થિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી માટે આ એક ગર્વની ક્ષણ છે જેમાં SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકની ટીમને 10મી કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા – ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021 માં “પ્રથમ પુરસ્કાર” એનાયત કરવામાં આવ્યો છે.

ઇનએપ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોજેક્ટ એવોર્ડ્સ 2021ની સ્થાપના નવીન સોફ્ટવેર એપ્લિકેશનો વિકસાવવામાં અસાધારણ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે.કરવામાં આવી હતી. આ એવોર્ડની પસંદગી પ્રક્રિયા 6 મહિનાની લાંબી પ્રક્રિયા હતી જેમાં વિશ્વભરના 2000 થી વધુ પ્રતિસ્પર્ધીઓ દ્વારા સબમિટ કરાયેલા 600+ પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં એલિમિનેશનના 3 રાઉન્ડ હતા જે થકી ક્વોલિફાઇ થઇને પ્રથમ પુરસ્કાર મેળવવું એ કોમ્પ્યુટર ઇન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ- સ્કેટ ના વિદ્યાર્થીઓની મોટી સિદ્ધિ છે.

શરૂઆતમાં સ્પર્ધા કરતી 600+ ટીમોમાંથી, પસંદગીના 2 રાઉન્ડ હતા. 20મી ઓક્ટોબર 2021ના રોજ રાજભવન, ત્રિવેન્દ્રમ ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં અંતિમ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી અને કેરળના માનનીય રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને વિજેતાઓને ઈનામો એનાયત કર્યા હતા.

SCET ના કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થી ટીમના સભ્યો છે:

  • નિનાદ અંકલેસરિયા,
  • ધ્યેય નિકલવાલા,
  • યશવી માલુ,
  • ઉર્મિ પાઠક અને
  • જીનલ પટેલ.

આ વિદ્યાર્થીઓને SCET ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ડો. નિરાલી નાણાવટી અને સુશ્રી પ્રીતિ શ્રીનિવાસન (IIT મંડીમાં માસ્ટર્સ રિસર્ચ સ્કોલર) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુપરસ્કેન સુરત સાથે સંકળાયેલા રેડિયોલોજિસ્ટ એવા ડૉ. નિપુન જિંદલ દ્વારા અભ્યાસ હેતુ માટે MRI ડેટા પ્રદાન કરવામાં આવ્યો હતો.

SCET ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ પ્રથમ પુરસ્કાર વિજેતા પ્રોજેક્ટનું નામ- “મેડિકલ ઇમેજ ટ્રાન્સલેશન” છે. આ પ્રોજેક્ટમાં MRI ઇમેજને એક પ્રકારની ઇમેજમાંથી બીજી પ્રકારની ઇમેજમાં અનુવાદિત કરવા માટે ડીપ લર્નિંગ ફ્રેમવર્કનો ઉપયોગ કરાય છે.

આ પ્રોજેક્ટ નો ફાયદો છે કે – આનાથી રેડિયોલોજિસ્ટના  સંસાધનો અને સમય બચશે , દર્દીઓ માટે ખર્ચ ઓછો થશે , રેડિએશનની શરીર પરની અસર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ના કારણે -એમઆરઆઈ સ્કેનનો સમય ઓછો થશે અને જેથી ખર્ચો પણ ઓછો થશે, તદુપરાંત થોડા રીસોર્સીસ-સમયમાં – વધુ એમઆરઆઈ પરીક્ષણ  થઇ શકશે. આ પ્રોજેક્ટ બાળકો માટે પણ ખુબ જ ફાયદાકારક રહેશે કારણ કે તે તેમના એમઆરઆઈ માટે જરૂરી રેડિએશન નો સમય ઘટાડશે.