CIA ALERT
03. May 2024

કિડઝિસ્તાન Archives - Page 3 of 11 - CIA Live

June 17, 2021
covid_cia.jpg
1min265

સરકારે કોરોનાવાઇરસની સારવાર માટે dt 17/6/21, બુધવારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કોવિડ-૧૯ના પુખ્ત વયના દરદીઓને સારવારમાં અપાતી આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સ બાળકોને હાલમાં નહિ આપવાની સલાહ આપીએ છીએ.

કોરોનાવાઇરસની ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થવાની હોવાના ભયને ધ્યાનમાં રાખીને સરકારે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી હતી.

બાળકોને કોરોનાવાઇરસ સામેની રસી આપવા મંજૂરી મળી જાય તે પછી અન્ય બીમારીઓ ધરાવતા બાળકોના રસીકરણને પ્રાધાન્ય આપવા માગીએ છીએ.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આઇવર્મેક્ટિન, હાઇડ્રોક્સિક્લોરોક્વીન, ફેવિપીરાવિર અને ડોક્સિસાઇક્લિન તેમ જ એઝીથ્રોમાઇસીન જેવી એન્ટિબાયોટિક્સનું બાળકોમાં કોવિડ-૧૯ની સારવાર માટે જરૂરી પરીક્ષણ હજી પૂરું નથી કરાયું અને તેથી આ દવા બાળકોને નહિ આપવાની સલાહ આપીએ છીએ.

7 more children die of AES in Bihar; govt starts survey | Latest News India  - Hindustan Times

આગામી ત્રણથી ચાર મહિનામાં લૉકડાઉન ઉઠાવી લેવાય અને શાળાઓ ખોલાય તે પછી જો કોરોનાવાઇરસનો રોગચાળો ફરી વધુ ફેલાય તો બધાએ (ખાનગી અને જાહેર ક્ષેત્રે) તેનો સાથે મળીને સામનો કરવો જોઇએ.

માર્ગદર્શિકામાં જણાવાયું હતું કે બાળકોમાં કોવિડ-૧૯ના વધતા દૈનિક કેસને ધ્યાનમાં રાખીને તેઓની સારવાર માટેના બૅડ્સ વગેરે સુવિધાને વધારવી જોઇએ. તેણે જણાવ્યું હતું કે કોરોનાથી અસરગ્રસ્ત બાળકોની સારવાર માટે જરૂર પડે તો ડૉક્ટરો અને નર્સને પણ વધારાની સુવિધા પૂરી પાડવી જોઇએ. કોવિડ-૧૯નો ચેપ જે બાળકોને લાગ્યો હોય તેઓની સારવાર માટે હૉસ્પિટલમાં અલગ બૅડ્સ સહિતની સુવિધા રાખવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જે બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય પરંતુ તેના લક્ષણ દેખાતા ન હોય અથવા ઓછી અસર દેખાતી હોય તેઓને માતા-પિતા ઘેર રાખીને પણ ડૉક્ટરોની મદદથી સારવાર અપાવી શકે છે.

તેણે જણાવ્યું હતું કે કોરોનાના દરદીઓને તાવમાં પેરાસિટામોલ જેવી દવા અપાય છે અને તેઓના શ્ર્વાસોચ્છ્વાસ તેમ જ ઑક્સિજન પર સતત નજર રાખવી જરૂરી છે.

June 11, 2021
kids-mask.png
1min489

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

June 2, 2021
cbse1.jpg
1min295

દેશભરમાં કોરોનાની મહામારીને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો સરકારે મંગળવારે નિર્ણય લીધો હતો.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સીઆઈએસસીઈ બોર્ડે પણ બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું બોર્ડના સેક્રેટરી ગેરી અરથાનુ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમ જ વિદ્યાર્થીઓ અને વાલીઓની બેચેનીનો અંત આણવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સીબીએસઈ બૉર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં પરિણામ તૈયાર કરવા પગલાં લે એવો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં થયેલા વધારા અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધિત સમસ્યા ઊભી થવાની આશંકા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું આરોગ્ય અને તેમની સુરક્ષા સર્વોપરી છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં મોદીને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની બેચેનીનો અંત આણવો જોઈએ અને આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે સંબંધિત લોકોએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સંવેદનશીલતા દર્શાવવી જોઈએ.

સમીક્ષા બેઠકમાં અધિકારીઓએ રાજ્ય સરકાર સહિત, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અભિપ્રાય અને કરવામાં આવેલી વ્યાપક ચર્ચાવિચારણાની વિગતો રજૂ કરી હતી.

આ વિગતોની સમીક્ષા કર્યા બાદ સીબીએસઈ બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારીએ શૈક્ષણિક વર્ષ પર વિપરીત અસર કરી હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે બૉર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં તીવ્ર બેચેની ઊભી કરી હતી જેનો અંત આણવાની જરૂર હતી.

આ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આરોગ્ય અંગે ચિંતિત હતા એમ જણાવતાં મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે આવી તણાવપૂર્ણ સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ ન પાડવી જોઈએ.

May 30, 2021
coronavictims.jpg
3min365

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર બીજી મુદતનું બીજું વરસ પૂરી કરી રહી હોવાની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકોના કલ્યાણ માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી જેમાં તેમને શિક્ષણ આપવા સહિત તેઓ ૧૮ વર્ષના થાય ત્યારે તેમને રૂ. ૧૦ લાખનું કૉર્પસ આપવાનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા લેવામાં આવનારાં સંભવિત પંગલાંઓ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ યોજના અંતર્ગત આવા બાળકોને મદદ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ખોલવામાં આવશે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત પીએમ કેર્સ ફંડ મારફતે યોગદાન આપી આવું પ્રત્યેક બાળક જ્યારે ૧૮ વર્ષનું થશે ત્યારે તેના માટે રૂ. ૧૦ લાખનું કૉર્પસ ઊભું કરવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ કૉર્પસનો ઉપયોગ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસના સમયગાળા દરમિયાન તેની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી તેને માસિક આર્થિક સહાય કે સ્ટાયપન્ડ આપવા ઉપયોગમાં લેવામાં આવશે.

બાળક ૨૩ વર્ષનું થયા બાદ અંગત કે વ્યાવસાયિક ઉપયોગ માટે આ કૉર્પસની રકમ તેને આપવામાં આવશે.

આ જાહેરાત કરતી વખતે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સરકાર તેમની સુરક્ષા અને સહાય માટે બનતું બધું જ કરશે જેથી કરીને આ બાળકો દેશના સશક્ત નાગરિકો બને અને તેમનું ભવિષ્ય ઉજળું રહે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે કટોકટીના આવા સમયમાં એક સમાજ તરીકે બાળકોની કાળજી લઈ તેમનામાં ઉજળા ભવિષ્યની આશાનું નિરુપણ કરવું એ આપણી ફરજ છે.

તમામ બાળકો જેમણે કોરોનાને કારણે માતાપિતા કે તેમને દત્તક લેનાર પાલક માતાપિતા બંને ગુમાવ્યા હોય તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આવા બાળકોના શિક્ષણ અંગે લેવામાં આવનારાં પગલાં પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષથી નાના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય કે ખાનગી શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

૧૧થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને સૈનિક સ્કૂલ, નવોદયા વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

જો બાળકને ખાનગી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હશે તો રાઈટ ટૂ ઍજ્યૂકેશન ઍક્ટની જોગવાઈ મુજબ તેની ફી, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને નૉટબુકનો ખર્ચ પીએમ કૅર ફંડમાંથી આપવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હાલના નિયમાનુસાર ઉચ્ચ શિક્ષણ માટે આવા બાળકોને ભારતમાં પ્રોફેશનલ કૉર્સ કે ઉચ્ચ શિક્ષણ માટે ઍજ્યૂકેશન લૉન મેળવવામાં પણ મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ભરવામાં આવશે.

વિકલ્પરૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ વૉકેશનલ કૉર્સ કે અન્ડર ગ્રૅજ્યૂએટ કૉર્સની ટ્યૂશન ફીના પ્રમાણમાં સ્કૉલરશિપ આપવામાં આવશે.

આવા તમામ બાળકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમ જ આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ પણ આપવામાં આવશે.

આ બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી વીમાનું પ્રીમિયમ પીએમ કેર ફડમાંથી ભરવામાં આવશે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૫૭૭ બાળક અનાથ થયા છે, એમ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. (એજન્સી)

આશ્રિતોને પૅન્શન અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને લીધે મરણ પામેલાના આશ્રિતોને પૅન્શન આપવા સહિત જે કુટુંબની કમાતી વ્યક્તિનું મરણ કોરોનાને કારણે થયું હોય એવા કુટુંબોને મદદરૂપ થાય એવા અનેક પગલાંની જાહેરાત શનિવારે કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૅમિલી પૅન્શનની ઉપરાંત ઍમપ્લોયી ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ (ઇડીએલઆઇ) યોજનાને વધુ ઉદાર અને વિસ્તારીત કરાઇ છે. આ પગલાં એવા કુટુંબોની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર આવા કુટુંબોની સહાયતા માટે એમની પડખે ઊભી છે. આવા કુટુંબો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઇએસઆઇસી પૅન્શન યોજનાને કોવિડને કારણે મરણ પામેલી વ્યક્તિઓ માટે પણ વિસ્તારીત કરાઇ હોવાની વાત પીએમઓ કાર્યાલયે જણાવી હતી.

આવી વ્યક્તિના આશ્રિતો સરેરાશ મેળવતા દૈનિક વેતનના ૯૦ ટકા જેટલું પૅન્શન મેળવી શકશે. આ યોજનાનો લાભ ૨૪મી માર્ચ ૨૦૨૦થી ૨૪મી માર્ચ ૨૦૨૨ સુધીના આવા બધા જ કેસ માટે અમલમાં રહેશે.

ઇડીએલઆઇ વીમાના લાભ વધારવાનો લાભ કોરોનાને લીધે મરણ પામેલા કર્મચારીઓના કુટુંબીઓને મળશે. વીમાના મહત્તમ લાભની રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને ઓછામાં ઓછી રકમ અઢી લાખ રૂપિયા ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પીએમઓ કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ વિશેની વિસ્તૃત માહિતી જાહેર કરશે. (પીટીઆઇ)

ડેટા અપલોડ થશે

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)એ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીમાં માતાપિતા બંને અથવા માતાપિતામાંથી એક જણ ગુમાવનાર બાળકોનો ડેટા એમના પોર્ટલ પર અપલોડ કરવા જણાવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મંગળવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગત એક એપ્રિલથી પચીસ માર્ચ સુધીના રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે દેશભરમાં ૫૭૭ બાળકો અનાથ થયા હતા. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા

અધિકારીઓને બાળ સ્વરાજ પોર્ટલ પર કોવિડ કેર લિંક હેઠળ ૨૪ કલાકની અંદર અનાથ બાળકોનો ડેટા ભરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બાળ સ્વરાજ એ એનસીપીસીઆરનું ઓનલાઇન ટ્રેકીંગ પોર્ટલ છે જે સુરક્ષા અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો પર ધ્યાન આપે છે. (પીટીઆઇ)

તમિળનાડુ સરકાર

₹ પાંચ લાખ આપશે

ચેન્નઇ: તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની શનિવારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગ્રેજ્યુએશન સુધી તેમના શિક્ષણ અને છાત્રાલયનો ખર્ચ ઉઠાવશે. માતા અને પિતામાંથી એક ગુમાવનારા બાળકોને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમ. કે. સ્ટાલિનની એઅધ્યક્ષતાવાળી બેઠકમાં

બાળકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તેમને આજીવિકા માટે મદદરૂપ થશે. બાળકો ૧૮ વર્ષના થાય ત્યાર પછી જમા કરેલી રકમ વ્યાજની રકમ સાથે બાળકને આપવામાં આવશે. સરકારી મકાનોમાં આ બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તમિળનાડુ સરકારે માતાપિતા ગુમાવનારા બાળકોની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આસામ સરકાર નાણાકીય સહાયતા કરશે: સીએમ

ગુવાહાટી: કોવિડ-૧૯ને લીધે અનાથ થયેલા દરેક બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે આસામ સરકાર એમનાં વાલીઓને દર મહિને બાળકદીઠ રૂ. ૩૫૦૦ની નાણાકીય સહાયતા કરશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા સર્માએ આ જાહેરાત કરવા સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાળકોનું કોઇ સગું નહીં હોય એમને આશ્રમશાળા

અથવા એવી સંસ્થામાં મોકલવામાં આવશે અને એમનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે.

કોરોનાના રોગચાળાને લીધે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, એ બધા આગળ જઇને પગભર થઇ શકે એ માટે એમને કુશળતા કેળવી શકાય એવા તાલીમ આપવામાં આવશે.

આ માટે રવિવારે મુખ્ય પ્રધાનની શીશુ સેવા યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

May 6, 2021
CIA_Live_Logo_New2.jpg
1min316

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 એસ.એસ.સી.માં ચાલુ વર્ષે કોરોનાની ઉદભવેલી પરિસ્થિતિને જોતા આ ધોરણમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઇએ, આ માટે ગુજરાત સરકાર તૈયાર ન હોઇ, ઓલ ગુજરાત વાલીમંડળ નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન ફાઇલ કરી છે.

ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંગે ગુજરાત સરકારે આગામી તા.15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા તા.5મી મે 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી છે. ધો.10માં માસ પ્રમોશન આપવા બાબતે પીઆઈએલ કરાઈ છે.

કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધો.10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

April 16, 2021
corona-gujarat.jpg
1min303

ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.

April 5, 2021
CIA_Live_Logo_New2.jpg
1min312

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એવી જાહેરાત કરી છે કે કોરોનાના વધતા સંક્રમણને કારણે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં બઢતી આપવામાં આવશે. ધો.૧થી ૮માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોઇપણ પ્રકારે વાર્ષિક પરીક્ષા નહીં લેવાય.

તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધો.૯થી ૧૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઇને જાણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શું કહ્યું સાંભળો

April 1, 2021
kvs.jpg
14min671

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

દેશભરમાં પથરાયેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૧ માં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઓનલાઇન નામાંકન (રજિસ્ટ્રેશન) પ્રક્રિયા આજરોજ તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી શરૂ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે ધો.૧માં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૧૯મી એપ્રિલ સુધી ચાલશે.

કેન્દ્રીય વિદ્યાલયો સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન હોય છે અને તમામ કેન્દ્રીય વિદ્યાલયોની ફી અન્ય ખાનગી સ્કુલોની ફી કરતા ઓછી હોય છે. મોટા ભાગે સરકારી નોકરી કરતા લોકોના બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવે છે અને કેન્દ્રીય વિદ્યાલયો સંપૂર્ણ પણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત રહેતા હોય છે.

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ જારી કરવામાં આવશે.

દેશભરમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોમાં ધો.૧માં પ્રવેશ નોંધણી માટે નીચેની લિંક પર ક્લીક કરો

https://kvsonlineadmission.kvs.gov.in/instruction.html

ગુજરાતમાં આવેલા કેન્દ્રીય વિદ્યાલયોની નામાવલિ અને તેની સત્તાવાર વેબસાઇટની લિંક

Link of Gujarat State’s Kendriya Vidyalayas

Sr. No.School NameLinks
1KENDRIYA VIDYALAYA NO. I M.R. CAMPUS AHMEDABADhttps://mrcahmedabad.kvs.ac.in/
2KENDRIYA VIDYALAYA SABARMATIhttps://sabarmati.kvs.ac.in/
3KENDRIYA VIDYLAYA NO.I BARODAhttps://no1baroda.kvs.ac.in/
4KENDRIYA VIDYALAYA BHAVNAGAR PARAhttps://bhavnagarpara.kvs.ac.in/
5KENDRIYA VIDYALAYA BSF DANTIWADAhttps://bsfdantiwada.kvs.ac.in/
6KENDRIYA VIDYALAYA DIUhttps://diu.kvs.ac.in/
7KENDRIYA VIDYALAYA DWARKAhttps://dwarkagujarat.kvs.ac.in/
8KENDRIYA VIDYALAYA RLY. COLONY GANDHIDHAMhttps://gandhidham.kvs.ac.in/
9KENDRIYA VIDYALAYA CRPF GANDHINAGARhttps://crpfgandhinagar.kvs.ac.in/
10KENDRIYA VIDYALAYA NO. I GANDHINAGARhttps://no1gandhinagar.kvs.ac.in/
11KENDRIYA VIDYALAYA HIMMAT NAGARhttps://himmatnagar.kvs.ac.in/
12KENDRIYA VIDYALAYA JETPURhttps://jetpur.kvs.ac.in/
13KENRIYA VIDYALAYA JUNAGARHhttps://junagarh.kvs.ac.in/
14KENDRIYA VIDYALAYA PORBANDERhttps://porbander.kvs.ac.in/
15KENDRIYA VIDYALAYA RAJKOThttps://rajkot.kvs.ac.in/
16KENDRIYA VIDYALAYA SILVASSAhttps://silvassa.kvs.ac.in/
17KENRIYA VIDYALAYA NO.I SURAThttps://no1surat.kvs.ac.in/
18KENDRIYA VIDYALAYA VIRAMGAONhttps://viramgaon.kvs.ac.in/
19KENDRIYA VIDYALAYA GODHRAhttps://godhra.kvs.ac.in/
20KENDRIYA VIDYALAYA DAHODhttps://dahod.kvs.ac.in/
21KENDRIYA VIDYALAYA AHMEDABAD CANTThttps://ahmedabadcantt.kvs.ac.in/
22KENDRIYA VIDYALAYA NO.II BARODAhttps://no2baroda.kvs.ac.in/
23KENDRIYA VIDYALAYA NO.III (AFS) BARODAhttps://no3baroda.kvs.ac.in/
24KENDRIYA VIDYLAYA AFS NO.I BHUJhttps://no1afsbhuj.kvs.ac.in/
25KENDRIYA VIDYALAYA NO.II BHUJ CANTT.https://no2bhujcantt.kvs.ac.in/
26KENDRIYA VIDYALAYA DHARANGANDHRAhttps://dharangandhra.kvs.ac.in/
27KENDRIYA VIDYALAYA NO. III GANDHINAGAR CANTT.https://no3gandhinagarcantt.kvs.ac.in/
28KENDRIYA VIDYALAYA NO.I AFS JAMNAGARhttps://no1jamnagar.kvs.ac.in/
29KENDRIYA VIDYALAYA NO.II JAMNAGARhttps://no2jamnagar.kvs.ac.in/
30KENDRIYA VIDYALAYA NO.III (AF) JAMNAGARhttps://no3afjamnagar.kvs.ac.in/
31KENDRIYA VIDYALAYA AFS SAMANAhttps://samanaafs.kvs.ac.in/
32KENDRIYA VIDYALAYA INS VALSURAhttps://insvalsura.kvs.ac.in/
33KENDRIYA VIDYALAYA AFS NALIYAhttps://afsnaliya.kvs.ac.in/
34KENDRIYA VIDYALAYA OKHAhttps://okha.kvs.ac.in/
35KENDRIYA VIDYALAYA AFS WADSARhttps://afswadsar.kvs.ac.in/
36KENDRIYA VIDYALAYA AFS DARJEEPURAhttps://afsdarjeepura.kvs.ac.in/
37KENDRIYA VIDYALAYA V V NAGARhttps://vvnagar.kvs.ac.in/
38KENDRIYA VIDYALAYA SAC AHMEDABADhttps://sacahmedabad.kvs.ac.in/
39KENDRIYA VIDYALAYA ONGC CHANDKHEDAhttps://ongcchandkheda.kvs.ac.in/
40KENDRIYA VIDYALAYA ONGC ANKLESHWARhttps://ongcankleshwar.kvs.ac.in/
41KENDRIYA VIDYALAYA NO. IV BARODAhttps://no4baroda.kvs.ac.in/
42KENDRIYA VIDYALAYA ONGC CAMBEYhttps://ongccambey.kvs.ac.in/
43KENDRIYA VIDYALAYA IFFCO GANDHIDHAMhttps://iffcogandhidham.kvs.ac.in/
44KENDRIYA VIDYALAYA ONGC MEHSANAhttps://ongcmehsana.kvs.ac.in/
45KENDRIYA VIDYALAYA HAJIRA NO.II SURAThttps://no2hajirasurat.kvs.ac.in/
46KENDRIYA VIDYALAYA ONGC NO.III SURAThttps://ongcno3surat.kvs.ac.in/
47KENDRIYA VIDYALAYA PATANhttps://patan.kvs.ac.in/

In English

KV Admissions 2021: Documents Needed

  • Self Declaration distance between school and residence
  • Service Certificate Central Govt
  • Service Certificate State Govt
  • Affidavit for single girl child
  • Died in harness certificate
  • Transfer certificate
  • Date of Birth

Kendriya Vidyalaya Sangathan (KVS) admission process for Class 1 pupils would begin from April 01, 2021, 10.00 AM onwards. The KVS Admission 2021 window will remain open for over 19 days. The last date to submit online application form for KVS Admission 2021 is April 19.

Once the registration process ends, KVS will release a provisional selection and waitlist of the registered candidates. As per the admission schedule released by the KVS, the first provisional admission list will be out on April 23, followed by the second list on April 30. If at all there are seats left after the second list, then a third list will be issued on May 5.
In case an insufficient number of applications are received online, a second notification will be issued for registrations on May 10.

March 18, 2021
Schoolsclosed4.jpg
1min355

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

February 14, 2021
election_coverage-1280x1047.jpg
1min566

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હાલ સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો અને ઉમેદવારો પોતપોતાની રીતે મતદારો સુધી આગવી શૈલીમાં પોતાની વાત પહોંચાડી રહ્યા છે. અમે અહીં વાત કરી રહ્યા છે એક નાનકડા સ્ટાર પ્રચારકની. આ સ્ટાર પ્રચારકની ઉંમર ફક્ત 12 વર્ષની છે. પરંતુ સુરતના વોર્ડ નં.12, સોનિફળિયા, નાનપુરા, અઠવા, પીપલોદ વોર્ડમાં 12 વર્ષિય વિવાન એક સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ જમાવી રહ્યો છે. એક બાર વર્ષિય નાનકડો બાળક વોર્ડ નં.21ના ઉમેદવારો અશોકભાઇ રાંદેરીયા, વ્રજેશભાઇ ઉનડકટ, ડિમ્પલબેન કાપડીયા અને સુમનબેન ગડીયા માટે આગવી વાક્શૈલીમાં કેન્વાસિંગ કરી રહ્યો છે.

સી.આઇ.એ. લાઇવની ટીમ જ્યારે વોર્ડ નં.21ના રાઉન્ડ પર હતી ત્યારે આ વોર્ડના ઉમેદવાર વ્રજેશ ઉનડકટના નિવાસસ્થાને એક ગ્રુપ મિટીંગનું આયોજન થયું હતું. આ ગ્રુપ મિટીંગમાં સૌના આશ્ચર્ય વચ્ચે વિવાના નામનો 12 વર્ષિય બાળક આગળ આવ્યો અને તેણે છટાદાર વાક્ છટા સાથે હિન્દી ભાષામાં ભાષણ શરૂ કર્યું. જોત જોતામાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી લઇને સુરતના વિકાસની વાતો કરવા માંડી. ગ્રુપ મિટીંગમાં હાજર સૌ દંગ રહી ગયા કે 12 વર્ષિય વિવાન ભારતની રાજનીતિથી લઇને સુરતના કરન્ટ સિનારિયોનું નોલેજ ધરાવે છે અને તેને શાબ્દિક રીતે પ્રેઝન્ટ પણ કરી રહ્યો છે.

એ જ વિવાને રવિવારે સિટીલાઇટ ખાતે પદમકૃતિ એપાર્ટમેન્ટમાં ભાજપના ઉમેદવારો સાથે યોજાયેલી ગ્રુપ મિટીંગમાં ફરીથી જોરદાર ભાષણ કરીને સૌને દંગ કરી દીધા.

સી.આઇ.એ. લાઇવની ટીમે જ્યારે છટાદાર શૈલીમાં ભાષણ કરતા વિવાન અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે એ વોર્ડ નં.21ના ભાજપાના ઉમેદવાર વ્રજેશભાઇ ઉનડકટનો દિકરો છે અને તેના ડેડીને બીગ માર્જિન વિક્ટરી મળે તે માટે કેન્વાસિંગ કરી રહ્યો છે. વિવાન માટે કહેવાય છે કે તેના ડેડીના કેન્વાસિંગમાં એ સ્પીચ આપવાની તક મળે તેની સતત રાહ જોતો હોય છે અને જેવી તક મળે એ પોતાનું ભાષણ હિન્દીમાં શરૂ કરી દે છે, જેને સાંભળીને મતદારોથી લઇને કાર્યકરો અચંબિત થઇ જાય છે અને એટલે જ એ સ્ટાર પ્રચારક જેવું આકર્ષણ વોર્ડ નં.21 સોનીફળિયા, નાનપુરા, અઠવાલાઇન્સ, પીપલોદ વિસ્તારની ગ્રુપ મિટીંગોમાં ધરાવી રહ્યો છે.