વાયરલ Archives - Page 70 of 82 - CIA Live

January 24, 2020
coronavirus.jpg
8min9210

કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ

જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.

આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.

ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.

વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.

આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.

દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.

ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ

ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.

અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.

ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.

આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા  ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.

2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.

સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.

Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.

What is this virus?

It’s a new type of coronavirus that scientists have not seen before.

Coronaviruses circulate in a variety of animals, including humans. Some types can cause common colds. Others have evolved into severe illnesses like severe acute respiratory syndrome (SARS) and Middle East respiratory syndrome (MERS).

The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.

“This is a serious situation,” Messonnier said.

SCIENCE

Q&A: What is coronavirus? What you should know about the virus behind the outbreak in ChinaJan. 21, 2020

Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.

Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.

China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.

Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.

Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.

“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”

January 22, 2020
sharapova.jpeg
1min5830

ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને’ ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી.

32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નડાલે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.

મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.

ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min5860

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 18, 2020
jeemain.jpg
6min8500

JEE Main January 2020 પરીક્ષાનું ફક્ત પરીણામ જાહેર થયું છે, રેન્ક મે-2020માં જાહેર થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.18મી જાન્યુઆરી 2020ની સવાર જાણે 9 લાખ પરિવારો માટે સુખદ આશ્ચર્ય લઇને આવી હતી. આ 9 લાખ પરિવારો એ હતા કે જેમના સંતાનોએ હજુ તા.11મી જાન્યુઆરી 2020 સુધી ભારતમાં એન્જિનિયરિંગની નેશનવાઇડ ટેસ્ટ જેઇઇ (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) મેઇન પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયાના ફક્ત 7 જ દિવસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 8.69 લાખ ઉપરાંત પરીક્ષાર્થીઓનું પરીણામ જાહેર કરી દીધું હતું. અનેક સ્કુલોના આચાર્યો, વિદ્યાર્થીઓને તો કલ્પના પણ ન હતી કે જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે. સી.આઇ.એ લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા અનેક સ્કુલોના આ બાબતે જાણ કરવામાં આવી હતી.

ગઇ તા.7 જાન્યુઆરીથી તા.11 જાન્યુઆરી વચ્ચે જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ઓનલાઇન ધોરણે લેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે ઓનલાઇન પરીક્ષાનું પરીણામ જો ધારીએ તો કલાકોમાં જ જાહેર કરી શકાય છે પરંતુ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાત દિવસમાં પરીણામ આપ્યું છતાં સમગ્ર દેશમાં સુખદ આશ્ચર્ય ફેલાયું કેમકે ભારતમાં પરીક્ષાના પરીણામો અત્યંત વિલંબથી આવે એ માટે આપણે સૌ ટેવાયેલા છે.

જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ 30મી જાન્યુઆરી સુધીમાં જાહેર થવાનું હતું. પરંતુ 18મીની વહેલી સવારે જ જાહેર કરી દેવાયું હતું.

આજે જેઇઇ મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવા સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છેકે આજે પરીણામમાં ફક્ત પર્સન્ટાઇલ જ ઘોષિત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક ઘોષિત કરવામાં આવ્યા નથી. એ.આઇ.આર. એપ્રિલ 2020માં લેવામાં આવનારી જેઇઇ મેઇન્સ -2 ના પરીણામ સાથે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરી અને એપ્રિલ બન્ને મેઇન્સ પરીક્ષા આપશે, તેમનો બેમાંથી જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર હશે તેને ધ્યાનમાં રાખીને તેમનો એ.આઇ.આર. (રેન્ક) ઘોષિત કરવામાં આવશે.

JEE Main Result Announced In Record Time, 9 Students Score 100 Percentile

The National Testing Agency (NTA), has released the JEE Main result within 8 days of completing the exam, which is a record of sort in the history of competitive examinations. The exam was held from January 6 to 9, in shifts, for more than 11 lakh candidates. Press Trust of India reported that nine candidates scored perfect 100 in JEE Main examination.

JEE Main Result Direct Link

Of the nine who got 100 percentile score in the examination also include Delhi boy Nishant Agarwal. The others are – one each from Gujarat and Haryana, two each from Andhra Pradesh, Rajasthan and Telangana, the news agency quoted the education ministry.

In this national entrance exam for admissions to undergraduate engineering courses held, 8,69,010 candidates had appeared for the exam for BE and BTech courses for which the results have been released now. 

1,38,409 candidates had appeared for for BArch paper and 59,003 for BPlanning paper — the results for both the papers are awaited. 

JEE Main result is available on the official websites of the NTA at nta.ac.in and jeemain.nic.in.

In the last JEE main, 24 students had scored 100 percentile.

The NTA was formed in 2017, after the Central Board of Secondary Education (CBSE) requested to withdraw itself from the responsibility of conducting engineering and medical entrance exams. The board, one of the biggest in the country, conducts class 10, 12 board exams for more than 30 lakh students annually.

JEE Main is also a gateway for admission to engineering (B.Tech) courses in NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTI), Institutions funded by participating State Governments.

JEE Main is also an eligibility test for the JEE Advanced, which the candidate has to take if they are aspiring for admission to the undergraduate programs offered by the Indian Institute of Technology (IITs).

JEE Main is held twice a year, in January and in April, to give more opportunity to the students to improve their scores in examination if they fail to give their best in first attempt, without wasting their whole academic year. 

The top 2,24,000 rankers are considered eligible to take JEE Advanced. The next JEE Main will be held in April and the exam details will be notified in February.

January 15, 2020
sabji_market-1280x720.jpg
1min4960

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને 7.35 ટકાની ઊંચાઇએ પહોંચી ચૂક્યો છે. આ સ્તર વતેલા પાંચ વર્ષનો સૌથી ઊંચો દર છે. આ પહેલા જૂલાઇ 2014માં રિટેલ મોંઘવારી દર 7.39 ટકા થયો હતો. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ડિસેમ્બર 2018માં આ દર 2.11 ટકા પર હતો, નવેમ્બર 2019માં રિટેલ મોંઘવારી દર 5.54 ટકા હતો. એક મહિના દરમિયાન મોંઘવારી દરમં 1.81 ટકાનો ચિંતાજનક વધારો નોંધવામાં આવ્યો હતો. દર વર્ષના આધારે મોંઘવારી દરમાં આશરે 5.24 ટકાનો વધારો થયો છે. 

જૂલાઇ 2016 પછી ડિસેમ્બર 2019 એવો પહેલો મહિનો છે જ્યાં મોંઘવારી દર રિઝર્વ બેન્કની અપર લિમિટને પાર કરી ગયો હોય. ઓક્ટોબરમાં આ દર 4.62 ટકા હતો, નોધનીય છે કે કેટલાક મહિનાઓથી ડૂંગળીની કિંમત આસમાને પહોંચી છે. હાલમાં ડૂંગળીનો ભાવ  60 રુપિયા પ્રતિ કિલોનો છે. મોંઘવારી દરમાં ધરખમ વધારા પાછળ ડૂંગળીના ભાવ વધારાને માનવામાં આવી રહ્યો છે. 

માહિતી મુજબ ફૂડ ઇમ્પ્લેશન ડિસેમ્બરમાં વધીને 14.12 ટકા પહોંચી ગયો હતો. નવેમ્બરમાં દર 10.01 ટકા હતો. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્કને મોંઘવારી દર 4 ટકા રાખવા જણાવ્યું છે, એની સાથે બે ટકા વધારે અને બે ટકા ઓછુ માર્જિન છે એટલે કે ઊચ્ચ સ્તર 6 ટકા અને નિમ્ન સ્તર 2 ટકા સુધી હોવુ જોઇએ. 

January 12, 2020
medical_logo.jpg
1min5130

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં થઇ રહેલા નવજાત બાળકોના મૃત્યુના કેસોમાં ગાજ તબીબો પર પડી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ભીંસ વધારતા એવા સવાલો કર્યા કે જેમાંથી સ્ટાફની કમીની વિગતો બહાર આવી અને તેની સાથે એવી પણ સ્ફોટક માહિતી સપાટી પર આવી કે 2019 યુવક-યુવતિઓ સરકારી કોલેજમાં સસ્તામાં ડોક્ટરી ભણીને બાદમાં વિદેશ ભાગી ગયા છે. ભાગી ગયા એટલા માટે કહેવાય છે કે તેમણે નિયમાનુસાર ઇન્ટર્નશીપ કરવાની હતી એનો ભંગ કરીને તેઓ વિદેશમાં સ્થાયી થઇ ચૂક્યા છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરકારમાં સેવા આપવાની નિયત સમય મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમની પાસેથી રૂ. ૨.૯૪ કરોડની બોન્ડની રકમની વસૂલાત કરવામાં આ‌વી છે. 

સરકારી ખર્ચે સસ્તામાં ભણીને તબીબ બન્યા બાદ સેવા આપ્યા વગર વિદેશ જતા રહે છે તે વધુ એક વખત બહાર આવ્યું છે. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે રાજ્યમાંથી ડોક્ટરો તબીબી અભ્યાસ પૂર્ણ કરીને વિદેશ જતા રહ્યા હોવાના અને બોન્ડની રકમ વસૂલ કરવા અંગેનો સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કરીને નિયત સેવા મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા છે. જેમની પાસેથી ૨.૯૪ કરોડની બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે. બાકીના કિસ્સાઓમાં હજુ ૨૧.૧૩ કરોડની રકમ વસૂલ કરવાની કામગીરી ચાલી રહી છે. 

કોંગ્રેસના જ જીતુ ચૌધરીએ સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી કરાર આધારીત, માનદ વેતન અને આઉટ સોર્સિંગથી કેટલી જગ્યા છે તેની માહિતી માગતો સવાલ રજૂ કર્યો હતો. આ સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં વર્ગ-૧થી વર્ગ-૪ સુધીનું કુલ મંજૂર મહેકમ ૩૭૫૪ કર્મચારી-અધિકારીનું છે. તેમાંથી કરાર આધારીત ૧૧, માનદ વેતન અપાતું હોય તેવા ૩ અને આઉટસોર્સથી રાખવામાં આવ્યા હોય તેવા ૮૯૬ કર્મચારી છે. આઉટ સોર્સિંગથી નિમાતા કર્મચારીઓ-અધિકારીઓ ગેરરીતિ આચરે તો તેમની સામે ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવાની થતી હોવાનું પણ જવાબમાં જણાવાયું હતું.

January 7, 2020
strike.jpg
2min9340

વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.

આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.

એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.

ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.

દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.

હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.

દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે

સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.

‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.

બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.

ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.

જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.

‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

January 5, 2020
amreligandhi.jpg
1min4200

મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.  

એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, જેને સુરતના એક હીરા વેપારી ઢોળકિયા એન્ડ ઢોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. 

અધિકારીના જણાવ્યા મુજબ પોલીસ આ કૃત્ય કરનારા અસામાજીક તત્વોની શોધ કરી રહી છે. તેમની વિરુદ્ધ હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

એક પોલીસ અધિકારી મુજબ હરિકૃષ્ણા તળાવના વિકાસ કાર્યથી રોષે ભરાયેલા લોકોએ આ કૃત્ય કર્યું હશે.

January 1, 2020
arundhati.jpg
1min5710

ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના

ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના

આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.

દુલ્હને 10 ગ્રામ સોનુ મેળવવા આટલું કરવું પડશે

  • દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય.
  • લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
  • દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  • અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.

December 27, 2019
up.jpg
1min441

 નાગરિકતા કાયદા(CAA) પર થઈ રહેલા આંદોલન અને વિરોધને જોતા આજે ઉત્તરપ્રદેશ યુપીમાં જુમ્માની નમાજ પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. યુપીના 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જે જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે તેમાં ગાઝિયાબાદ (ગત રાત 10 વાગ્યાથી), બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠ સામેલ છે. 

બુલંદશહેર, આગરા, સંભલ, મુઝફ્ફરનગર, બિજનોર, સહારનપુર, ફિરોઝાબાદ, અલીગઢ, મથુરા, શામલી, કાનપુર, સીતાપુર, અને મેરઠમાં ઇન્ટરનેટ ગુરુવારે રાતથી બંધ

સરકારે ઉપદ્રવીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં હિંસા કરનારા અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓ સામે સરકારે લાલ આંખ કરી છે.જિલ્લા વહીવટીતંત્ર તમામને નોટિસ ફટકારી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સાર્વજનિક અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારા આરોપીઓની ઓળખ કરીને 373 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. 

હકીકતમાં લખનઉમાં 19 ડિસેમ્બરના રોજ થયેલી હિંસાની ઘટના બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યા હતાં કે જે લોકોએ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું તેમની ઓળખ કરવામાં આવે અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે. નોટિસમાં મોટાભાગના એવા લોકો સામેલ છે જેમની ઓળખ વિરોધ પ્રદર્શન અને ધરપકડ વખતે લેવાયેલા વીડિઓ અને તસવીરોને સ્કેન કરીને કરાઈ છે. 

રામપુર, સંભલ સહિત મુરાદાબાદ મંડલમાં 200, લખનઉમાં 110, ફિરોઝાબાદમાં 29, ગોરખપુરમાં 34, રામપુરમાં 28 ઉપદ્રવીઓને સંપત્તિ વસૂલીની નોટિસ મોકલવામાં આવી છે. બિજનોરમાં 20 ડિસેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાનની આકરણી કર્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે 43 લોકોને વસૂલાતની નોટિસ ફટકારી છે. 


તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ફિરોઝાબાદમાં 29 લોકોને નોટિસ મોકલવામાં આવી છે. સંભલમાં 26 લોકોને નોટિસ મોકલાઈ છે. ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને તોડફોડ બાદ હવે પોલીસ તપાસના આધારે તોડફોડ અને સંપત્તિઓને નુકસાન પહોંચાડવાના આરોપમાં ઓળખ થયેલા આયોજક રાજકીય પક્ષો, સંગઠન, અને વ્યક્તિગત આધાર પર પાઠવવામાં આવેલી નોટિસમાં બધાને 3 દિવસથી લઈને એક અઠવાડિયા સુધીનો સમય અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં યુપીમાં લગભગ 1.9 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારવામાં આવેલી છે. જેમાંથી બુલંદશહેરમાં 6 લાખની વસૂલાત માટે નોટિસ બહાર પડી છે. સંભલમાં 15 લાખની વસૂલાત માટે નોટિસ, જ્યારે રામપુર જિલ્લામાં 25 લાખ રૂપિયાના નુકસાનની નોટિસ બહાર પાડવામાં આવી છે. 

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન યુપીમાં અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે. યુપીમાં 288 પોલીસકર્મી ઘાયલ થયા છે. 61 પોલીસકર્મી ફાયર આર્મ્સમાં ઘાયલ થયા છે. લખનઉ-ડીજીપી મુખ્યાલયે આંકડા બહાર પાડ્યા છે. આ બાજુ નાગરિકતા કાયદા પર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસ હવે એસઆઈટી કશે. યુપીના ડીજીપીએ દરેક જિલ્લામાં એસઆઈટી બનાવવાની અને એડિશનલ એસપી સ્તરના અધિકારી પાસે તપાસ કરાવવાના નિર્દેશ આપ્યાં છે