વાયરલ Archives - Page 71 of 82 - CIA Live

December 26, 2019
bhu.jpg
1min6100

વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.

‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ

BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

આ છે પાઠ્યક્રમ નવા કોર્સમાં ભૂત વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.

December 26, 2019
UddhavFadnavis.jpg
1min5760

સત્તામાં પરિવર્તન આવતા ઘણી બધી બાબતો બદલાતી હોય છે, પરંતુ મહારાષ્ટ્રમાં સત્તામાં પરિવર્તન સાથે નવાં સમીકરણો અને એક સમયના મિત્રપક્ષો સામસામે આવી જતા ઘણા પરિવર્તનો અખબારોની હૅડલાઈન બની જાય છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ જે ઍક્સિસ બૅંકના ઉચ્ચ અધિકારીપદે છે, તેમાં પોલીસ અધિકારીઓના પગાર જમા થાય છે. લગભગ બે લાખ જેટલા આ ખાતાં અહીંથી બંધ કરી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય ઠાકરે સરકાર લે તેવી સંભાવના છે. આ નિર્ણય અમૃતા ફડણવીસ માટે બહુ ચિંતાજનક હશે, તેમ માનવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી અમૃતા સોશિયલ મીડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિશે ટ્વીટ પણ કરી રહ્યાં છે, તે પાછળ પણ આ કારણ હોવાનું કહેવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ બૅંક રાજ્યની પૅનલમાં આવતી બૅંકોમાંની એક છે, આથી માત્ર મારાં પત્ની આમાં કામ કરે છે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો તે યોગ્ય નથી.

આ નિર્ણય કેબિનેટના વિસ્તરણ બાદ થાય તેવી સંભાવના છે, જેથી નાણાં અને ગૃહ ખાતું કોની પાસે છે અને તેના પ્રધાન કોણ છે, તે સ્પષ્ટ થાય. જોકે આ નિર્ણયને આખરી મહોર તો મુખ્ય પ્રધાને જ આપવાની હોય છે. આ નિર્ણય લેવાશે તો લગભગ રૂ.૧૧,૦૦૦ કરોડ જેટલી રકમ ઍક્સિસમાંથી રાષ્ટ્રીયકૃત બૅંકમાં ટ્રાન્સફર થશે.

અગાઉ દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય ૨૦૦૫માં લેવાયો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તત્કાલીન કૉંગ્રેસ નેતા અને હાલના વિધાનસભાના સ્પીકર નાના પટોલેએ તેમના દાવાને ખોટો પાડતા જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૭માં લેવાયો હતો અને ફડણવીસે પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમણે ત્યારે કર્યો હતો.

December 22, 2019
senameal.jpg
1min4750

વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ મુંબઈગરા માટે ૧૦ રૂપિયામાં જમવાની થાળીની જાહેરાત કરી હતી, તેની શરૂઆત મુંબઈ મહાનગરપાલિકાથી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની કૅન્ટિનમાં માત્ર ૧૦ રૂપિયામાં થાળી આપવાના પ્રોજેક્ટનો ગુરુવારે મેયર કિશોરી પેડણેકરને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલિકામાં દસ રૂપિયામાં થાળી ચાલુ કરવામાં આવી છે, જોકે તેનો લાભ ફક્ત પાલિકા કર્મચારીઓને જ મળવાનો છે. અન્ય લોકોને જોકે કેન્ટિને નક્કી કરેલા દરે જ થાળી મળશે. ગુરુવારે બપોરે પાલિકાની કૅન્ટિનમાં દસ રૂપિયાની થાળીની યોજનાનું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દસ રૂપિયામાં થાળી આપવાની યોજના શક્ય છે કે નહીં તે બાબતે પાલિકા વિચાર કરી રહી છે આ દરમિયાન પાલિકાના અન્ય વોર્ડમાં પણ દસ રૂપિયામાં થાળી આપવાની યોજના બહુ જલદી ચાલુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાંં રાજ્યમાં દસ રૂપિયાની થાળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી.

December 21, 2019
net_off.jpg
1min4790

ગુજરાતમાં નાગરિકતા કાયદાનો વિરોધ થવા સામે બંધના એલાન બાદ અમદાવાદ અને વડોદરામાં થયેલા તોફાનોને ગંભીરતાથી લઇને રાજ્ય સરકાર અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. સરકારે ઇન્ટરનેટ બંધ કરવાની સત્તા એડી.જીપીને આપવામાં આવી હોવાની વાત ફેલાઇ હતી. જોકે, ખુદ ગ્ાૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ આખી વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, આવી કોઇ સૂચના આપી નથી અને ઇન્ટરનેટ ચાલુ જ છે અને આવતીકાલે પણ ચાલુ જ રહેશે.

બીજી બાજુ સરકારે કરેલા આદેશ મુજબ ૨૦થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ઇન્ટરનેટ સેવા બંધ રાખવા ઈન્ટેલિજન્સના એડીજીપીને અધિકાર અપાયા છે. રાજ્યમાં ઉગ્ર દેખાવો અને ક્ધટ્રોલ બહાર જતી દેખાય તેવી સ્થિતિ હોય ત્યારે ઈન્ટરનેટ બંધ કરાશે. જે વિસ્તારમાં તંગદિલીભરી સ્થિતિ હોય ત્યાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગુરૂવારે થયેલા પથ્થરમારા બાદ સ્થિતિ કાબૂમાં છે જ્યારે વડોદરામાં થયેલા જુમ્માની નમાઝ બાદ થયેલા પથ્થરમારા બાદ પોલીસ ઘટનાસ્થળે છે અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. રાજ્યમાં આવી કોઈ ઘટનાઓ બને અને સ્થિતિ વણસતી જણાય તો જ ઈન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવશે. આ અંગે એક પરિપત્ર વાયરલ થયો હતો.

December 19, 2019
jnu.jpg
2min4830

કેટલાક લોકો શિક્ષણનું દેવાળું ફૂંકવાની સોપારી ફોડી રહ્યા છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શૈક્ષણિક સંસ્થાઓમાં સર્વોચ્ચ સ્થાનો પર બિરાજેલા કેટલાક લોકો જે પ્રકારે નિર્ણયો લઇ રહ્યા છે એ જોતા એવું લાગે છે કે તેઓ ભારતના શિક્ષણ જગતનું દેવાળું ફૂંકવાનું મિશન પાર પાડવા આવ્યા હોય તેવું જણાય આવે છે. છેલ્લા ત્રણેક વર્ષથી ભારતમાં ભારે વિવાદોમાં સપડાયેલી ભારતની જૂનામાં જૂની યુનિવર્સિટીઓ પૈકીની એક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રશાસને એવી જાહેરાત કરી છે કે તેઓ વ્હોટ્સએપ કે ઇમેલથી વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો આપીને તેના પર વિદ્યાર્થીઓ પોતાના જવાબો મોકલશે. આ પ્રકારે વ્હોટ્સએપથી પરીક્ષા લેશે.

The Jawaharlal Nehru University (JNU) administration has decided to conduct its year-end semester exams via Whatsapp and email amidst the exam boycott by students.

જે.એન.યુ. સામે દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓએ સેમેસ્ટરીયલ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ઘોષણા કરી છે પરીણામે કોલેજ પ્રશાસને એવુ તુક્કો લગાડ્યા છે કે તેઓ પરીક્ષામાં ફિઝિકલી હાજર નહીં રહે તેમને વ્હોટ્સ એપ તેમજ ઇમેલથી પ્રશ્નપત્ર મોકલીને પરીક્ષા લેવામાં આવશે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ટીચર્સ એસોસીએશને આ મુદ્દાના ભારે વિરોધ કર્યો અને રાષ્ટ્રપતિ શ્રી કોવિંદને લખ્યું છે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની શાખ ખરડાવા માટે કુલપતિ અને તેમના મળતીયાઓ આ પ્રકારે નિર્ણય લઇ રહ્યા છે તેમને રોકવા જરૂરી છે.

As the semester-end exams at the Jawaharlal Nehru University were boycotted by students, the JNU administration has come up with a rather unique way of conducting the exams – through Whatsapp and email. Such a step has never been taken before and it has been termed ‘absurd’ and ‘bizarre’ by the JNUTU.

School of International Studies (SIS) Dean Aswini K Mohapatra sent a letter to the Centre chairpersons on Monday wherein she said that the step has been taken “in view of the extraordinary situation” on the JNU campus.

December 19, 2019
nirbhayasuprem.png
1min5330

નાગરિકત્વ સુધારા ધારા (સીએએ), 2019ની બંધારણીય કાયદેસરતાને પડકારતી પ9 લોકહિત અરજીઓ પરથી સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી, પરંતુ ધારાનું અમલીકરણ સ્થગિત રાખવાનો ઈનકાર કર્યો હતે. અદાલતે કેન્દ્રને જાન્યુઆરી ’20ના બીજા સપ્તાહ સુધીમાં જવાબ રજૂ કરવા દોરવણી આપી છે.

અરજી કરનારાઓમાં મુખ્યત્વે કોંગ્રેસી નેતા જયરામ રમેશ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા, રાજદ, જમિયત ઉલેમાએ હિન્દ, આઈયુએમએલ, આસુનો સમાવેશ થાય છે.

અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તની બનેલી બેન્ચે અરજીઓ સાંભળી હતી અને આગામી સુનાવણી 22મી જાન્યુ. ’20ના રોજ થવા આદેશ આપ્યો હતો. સરકાર વતી ઉપસ્થિત એટર્ની જનરલ (એજી) વેણુગોપાલે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ચાર ચુકાદાઓ છે કે ધારાને (તેના અમલને) સ્થગિત કરી ન શકાય. અદાલતે એજીને સરકારને એવી તાકીદ કરવાની સૂચના આપી હતી કે તે ધારા અંગે મીડિયામાં વિગતો પ્રકાશિત કરે, જેથી લોકોમાં તે અંગે સ્પષ્ટતા ઉભી થાય.વિધેયક અંગે લોકોમાં ગૂંચવાડો પ્રવર્તે છે તેમ જણાવી ધારાશાત્રી અશ્વનીકુમાર ઉપાધ્યાયે કરેલી વિનંતીને પગલે અદાલતે આ નિરીક્ષણ કર્યું હતું.

કાયદાને પડકારતાં અરજદારોએ એવી દલીલ કરી છે કે ધારો,’ નિરાશ્રિતોને ધર્મના આધારે વર્ગીકૃત કરતો હોઈ તે ગેરબંધારણીય છે. કાયદાને સ્થગિત રાખવા માગતા અરજદારોની દલીલ એવી છે કે કાયદો રાષ્ટ્રના ધર્મનિરપેક્ષતાના પાયાના સિદ્ધાંતને અસર કરે છે.

વિધેયક રાજ્યસભામાં પસાર થયા બાદ આસામ અને પ.બંગાળમાં વ્યાપક વિરોધ થયો છે. રાષ્ટ્રપતિએ ખરડાને મંજૂરી આપી દીધા બાદ ઈશાન ભારતમાંના વિરોધ હિંસક થયા હતા-આસામ અને મેઘાલયના અમુક ભાગોમાં કર્ફયુ લદાયો હતો. આસામમાંની હિંસામાં પાચ મૃત્યુ થયા હતા. તે પછી વિરોધો દિલ્હીમાં ફેલાયા અને જામિયા મિલિયાના કેમ્પસમાં પોલીસે અશ્રુવાયુ છોડયા બાદ તનાવ વધ્યો હતો. સોનિયા ગાંધીની આગેવાનીમાં બાર વિપક્ષોએ ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળી આમાં દરમિયાનગીરી કરવા અને આ ધારો તત્કાળ રદ કરવા સરકારને સલાહ આપે તેવી વિનંતી કરી હતી.

December 19, 2019
rawat.jpg
1min4750

એલઓસી પર ગમે ત્યારે સ્થિતિ વણસવાની શક્યતા સેનાધ્યક્ષ બીપીન રાવતે દર્શાવતા જણાવ્યું હતું કે દેશે ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે અને ભારતીય સેના ગમે તેવી વણસેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

પાંચમી ઑગસ્ટ બાદ જમ્મુ અને કાશ્મીરની સરહદે પાકિસ્તાન તરફથી વધેલા ગોળીબાર અને તોપમારાને ધ્યાનમાં લઇને એમણે આ વાત કહી હતી.

રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભાને ગયા મહિને જણાવ્યું હતું કે ઑગસ્ટથી ઑક્ટોબર ૨૦૧૯ વચ્ચે પાકિસ્તાને ૯૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પર પાકિસ્તાનની બેટની ટુકડી વારંવાર ભારતીય સેનાને નિશાન બનાવીન હુમલા કરતી રહે છે. બેટમાં પાકિસ્તાની કમાન્ડો તથા ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે.

દરમિયાન, ઉત્તરી કમાનના જનરલ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ લે. જનરલ રણબીરસિંહે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લઇને યુદ્ધની તૈયારીની સમિક્ષા કરી હતી.

આ પ્રસંગે અગ્રિમ ચોકીઓ પર તહેનાત જવાનો સાથે એમણે વાતચીત કરી હતી અને એમની કાર્યકુશળતાના વખાણ કર્યા હતા. એમણે જવાનોને કાયમ સતર્ક અને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી.

કારાકોલમ પર્વતમાળામાં સમુદ્રની સપાટીથી ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા સિયાચિન ગ્લેશિયરમાં વિશ્ર્વના સૌથી ઊંચી લશ્કરી છાવણી સ્થિત છે.

અહીં દેશની સરહદની રક્ષા કરતા ભારતીય જવાનોને દુશ્મનો સિવાય બરફના તોફાનો, ભૂસ્ખલન અને ભારે ઠંડીનો સામનો પણ કરવો પડે છે. અહીંનું તાપમાન ક્યારેક માઇનસ ૬૦ ઔંસ સુધી નીચું જતું હોય છે.

December 16, 2019
toni_singh.jpg
1min9610

લંડનમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2019 પ્રતિયોગિતામાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન.િસંહનાં શિરે વિશ્વસુંદરીનો તાજ અલંકૃત થયો છે. વર્ષ 2018ની મિસ વર્લ્ડ વેનેસા પોન્સે તેનાં માથે તાજ પહેરાવ્યો હતો. આ વિશ્વ સુંદરી સ્પર્ધામાં દુનિયાભરની કુલ 120 સુંદરીઓએ ભાગ લીધો હતો. ટોની સિંહ જમૈકાની ચોથી મહિલા છે જેણે આ તાજ જીત્યો છે.

આ વર્ષે 2019માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બન્નેની વિજેતાઓ અશ્વેત રહી છે. આ પહેલા 8 ડિસેમ્બરે સાઉથ આફ્રિકાની 26 વર્ષની જોઝિબિની ટુંઝી મિસ યુનિવર્સ બની હતી. આ વર્ષ સુંદરતા જગતમાં ભારતની સુમન રાવે પણ દેશનું નામ રોશન કર્યુ છે. તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહી છે. બીજા ક્રમે મિસ ફ્રાન્સ ઓપેલી મેઝિનો આવી છે.’


November 8, 2019
old_currency.jpg
1min8760

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજથી બરાબર 3 વર્ષ અગાઉ તા.8મી નવેમ્બર 2016ના રોજ ભારતમાં રૂ.500 અને રૂ.1000ના દરની ચલણી નોટો રદ્ કરી દેવાના નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ભારતીયો પાસે રૂ.500 અને રૂ.1000ની જે ચલણી નોટો હતી તેને બદલવા માટે તા.8મી નવેમ્બર 2016થી તા.30મી ડિસેમ્બર 2016 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

3 વર્ષમાં ભારતીય ચલણી નોટોની સીકલ બદલાઇ ગઇ

2016ની 8મી નવેમ્બરથી શરૂ થયેલી જૂની નોટોની બંધી બાદ આજે તા.8મી નવેમ્બર 2019 સુધીમાં ભારતીય ચલણી નોટોની સિકલ જ બદલી દેવામાં આવી છે. 2000 રૂ.ની નવી નોટ સાથે રૂ.500ની પણ નવી નોટ બહાર પાડવામા આવી હતી. એ પછી તબક્કાવાર રીતે રૂ.200, રૂ.100, રૂ.50, રૂ.10ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી. ત્રણ વર્ષમાં દરેક રકમની ચલણી નોટોની ડિઝાઇન બદલાઇ ચૂકી છે.

ટ્વીટર પર BlackDay ટ્રોલ

નોટબંધીની આજે ત્રીજી વરસીએ સોશ્યલ મિડીયામાં પ્રત્યાઘાત જોવા મળ્યા. ટ્વીટર પર બ્લેકડે ના હેશટેગ સાથે પાંચ હજારથી વધુ ટ્વીટ જોવા મળી રહી છે. કેટલીક ટ્વીટ ફોટા સાથે કરવામાં આવી છે. જેમકે

મોદી સરકાર પર વ્યંગ નાણાંમાં બધા રંગ છે, બ્લેક કરન્સી જ ગૂમ છે

ટ્વીટર પર આ ઇમેજ ભારે ટ્રોલ થઇ રહી છે. જેમાં ઇન્ડિયન કરન્સી નોટ્સમાં બધા જ કલર આવી ગયા છે પણ બ્લેક કરન્સી ગૂમ હોવા અંગેનો કટાક્ષ મોદી સરકાર પર કરવામા આવી રહ્યો છે.

500 અને 100ની જૂની નોટોને શ્રદ્ધાંજલિ

ટ્વીટર પર એક તસ્વીર આ પણ ખૂબ શેર થઇ રહી છે જેમાં રૂ.500 અને રૂ.1000ની જૂની નોટોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ ફોટોમાં જૂની નોટોને હાર પહેરાવવામાં આવ્યો છે.

2000ની નોટમાં ચીપ હોવા અંગેની અફવા પણ આ રીતે ફેલાવાઇ હતી

https://twitter.com/i/status/1192653963570466816

August 29, 2019
SpiceJet-MAX2.jpg
3min10020

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.

1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.

સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં