CIA ALERT

વાયરલ Archives - Page 69 of 82 - CIA Live

March 7, 2020
CIA_Live_Logo_New2.jpg
3min5080

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. અફવાઓ અને ગેરમાન્યતાઓ એવું નથી કે એકલા ભારતમાં પ્રવર્તી રહી છે. કોરોના અંગે વિશ્વના દરેક દેશોમાં અફવાઓ છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ એવો કહેર મચાવ્યો છે ટોઇલેટ પેપરની ભારે કમી ઉદભવી છે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ વગેરે જાહેર સ્થળો ટોઇલેટ પેપર વિનાના બની ચૂક્યા છે. લોકો ટોઇલેટ પેપરની તીવ્ર માગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની કમી દૂર કરવા માટે એન.ટી. ન્યુઝ નામના એક ટેબ્લોઇડ અખબારે કુલ 8 પાના કોરા છાપ્યા છે. અખબારે ફ્રન્ટ પેજ પર જાહેરાત કરી છે કે 8 પાના ઇરાદાપૂર્વક કોરા છોડવામાં આવ્યા છે. લોકો આ પાનાનો ઉપયોગ ટોઇલેટ પેપર તરીકે કરી શકે છે.

The editor of NT News, Matt Williams, said in an interview with the Guardian Australia that it was “certainly not a crappy edition.”

લોકો ટોઇલેટ પેપર તરીકે ઉપયોગ કરી શકે એ માટે અખબારના 8 પાના કોરા છાપનાર ઓસ્ટ્રેલિયન અખબાર એન.ટી. ન્યુઝના એડીટર મેટ વિલિયમ્સે જણાવ્યું કે અમે ઇરાદાપૂર્વક આઠ પાના કોરા છાપ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની ભારે કમી છે. મોલ્સમાં એક ગ્રાહકને વધુમાં વધુ 4 રોલ્સ ટોઇલેટ પેપર મળે છે. પબ્લિક ટોઇલેટમાં ટોઇલેટ પેપર્સ આઉટ ઓફ સ્ટોક છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે અમારા કસ્ટમર્સને કોઇપણ રીતે ઉપયોગી નિવડીએ.

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું વાંચો અહીં

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું એ વાંચવા માટે નીચેની લિંક ક્લીક કરો.

https://edition.cnn.com/2020/03/05/world/coronavirus-australia-toilet-paper-scli-intl/index.html?utm_content=2020-03-07T07%3A22%3A34&utm_term=link&utm_source=twCNN&utm_medium=social

An Australian newspaper has printed an extra eight pages to be used as toilet paper after coronavirus fears prompted customers to bulk buy supplies, leaving some supermarket shelves bare.In a bid to tackle the shortage, The NT News provided a practical — if unconventional — solution.Australians living in the Northern Territories would have noticed on Thursday that eight pages in the paper had been left bare, except for watermarks and a cut-out guide edition.”Run out of loo paper? The NT News cares,” the newspaper read.”That’s why we’ve printed an eight-page special liftout inside, complete with handy cut lines, for you to use in an emergency.”

ઓસ્ટ્રેલિયાના અખબારમાં ટોઇલેટ પેપર તરીકે 8 પાના કોરા છાપવામાં આવ્યા, નીચેની લીંક ક્લીક કરો અને જુઓ વિડીયો

https://twitter.com/TheNTNews/status/1235320458733588482

March 7, 2020
coronavirus.jpg
2min9140

કોરોના અપડેટ, 7 માર્ચ સુધીનું સ્ટેટસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા તા.7મી માર્ચ 2020ના રોજ 1 લાખની સંખ્યાને આંબી ગઇ હતી. હવે વિશ્વભરમાં 75 દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ચૂક્યો છે. તા.22મી ડિસેમ્બર 2020થી ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરમાં હાલમાં 3500 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં શરૂ થયેલો કોરોનાનો કહેર હવે ચીનમાં ઘટવા માંડ્યો છે અને ઇટલી તેમજ ઇરાનમાં હાલ કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યાના અહેવાલો મળ્યા છે.

ચીનની બહાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા વિશ્વભરમાં કુલ 20,290 દર્દીઓ છે. ચીનની બહાર કોરોનાથી મોતને ભેટેલો દર્દીઓની સંખ્યા 414ની છે.

On Saturday અમૃતસરમાં કોરોનાના 2 દર્દીઓ કન્ફર્મ કેસ, ભારતમાં કુલ કેસ 33 થયા

ભારતની વાત કરીએ તો સદનસીબે ભારતમાં હજુ 33 લોકો કન્ફર્મ કેસ તરીકે નોંધાયેલા છે અને તેમાંના અડધોઅડધ ઇટાલિયન નાગરીકો છે. તા.7મી માર્ચ 2020ના રોજ અમૃતસર ખાતે કોરોનાથી પીડીત હોય તેવા બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા હોવાની જાહેરાત સાથે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે 33 પર પહોંચી છે.

ભારતનું સદનસીબ એ પણ છે કે હજુ સુધી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી અને હાલમાં કોરોનાથી ઇન્ફેક્ટેડ દર્દીઓ પૈકી કોઇની સ્થિતિ ક્રિટીકલ (સિરીયસ) નથી.

અમેરીકામાં ગ્રાન્ડ પ્રિન્સેસ ક્રુઝ પર 3500 દર્દીઓ પૈકી 21 મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્યો

In Brief

Total coronavirus cases has crossed one lakh globally, with almost 3,500 deaths. Outside China, a total of 20,290 cases have been recorded around the world since the epidemic began, including 414 deaths. In India, a Delhi resident became the 31st person testing positive. Stay with TOI for live updates.

Incoming flights to/from Kuwait are temporarily suspended for following countries (Bangladesh, Philippines, India, Sri Lanka, Syria, Lebanon, Egypt) starting from March 7, 2020 until one week: Kuwait’s low cost carrier Jazeera Airways

March 6, 2020
rain-1280x720.jpg
1min5050

ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા

આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.

કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,

ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.

ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.

કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.

કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.

March 4, 2020
violence_delhi.jpg
1min4690

ઈશાન દિલ્હીમાં ગયા અઠવાડિયે થયેલા કોમી રમખાણો દરમિયાન ૭૯ ઘર અને ૩૨૭ દુકાન આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું હતું.

અત્યાર સુધીમાં ૪૧ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

રમખાણના અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ. ૩૮.૭૫ લાખનું વળતર આપવામાં આવ્યું હોવાનું સરકારે કહ્યું હતું.

રમખાણમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને અત્યાર સુધીમાં બાવીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ઈજાગ્રસ્તોને અત્યાર સુધીમાં નવ લાખ રૂપિયા તો જેમના ઘર અને માલસામાનનું નુકસાન થયું હોય તેવા લોકોને રૂ. ૭.૫ લાખ આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

દરમિયાન, છેલ્લા ૨૪ કલાકમાં શિવપુરી, મુસ્તફાબાદ અને કરવાલ નગર વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા અસરગ્રસ્ત લોકો મુસ્તફાબાદ ખાતે સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી રાહત છાવણીમાં સ્થળાંતર કરી ગયા હોવાનું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

રાહત છાવણીઓમાં ડૉક્ટર, દવા, ખોરાક, શૌચાલય, કપડાં તેમ જ જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

વળતરનું ફૉર્મ ભરવા માટે રાહત છાવણીઓમાં મદદનીશ પણ રાખવામાં આવ્યો છે.

રમખાણોમાં જરૂરી દસ્તાવેજો ગુમાવનારાઓ નવેસરથી તે મેળવી શકે તે માટે વિશેષ હૅલ્પ ડૅસ્ક પણ ઊભી કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના અન્ય પ્રધાન પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

February 19, 2020
looplapeta.png
1min8200

બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.

February 17, 2020
coronavirus.jpg
2min7200

કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ

Reported on 17 February 2020 : 8.30 a.m.

Infection Summary as of 8 am IST on February 17th, 2020: –

  • 71,223 Confirmed Cases –
  • 1,770 Deaths –
  • 10,699 in Serious/Critical Condition –
  • 10,559 Recovered –
  • 29 Territories

ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.

ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.

Reported on 16 Feb.

ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું

છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન

તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ

જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.

January 29, 2020
rakeshjhunjhunwala.jpg
1min5660

અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા ઉપર ઇનસાઇડર ટ્રેડિંગના આરોપ લાગ્યા છે. સેબી દ્વારા એપ્ટેક લિમિટેડના શેર સંબંધિત ગરબડમાં ઝુનઝુનવાલા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. એપ્ટેક એક શૈક્ષણિક એકમ છે અને તેના ઉપર ઝુનઝુનવાલા અને તેના પરિવારની માલિકી છે.

સેબી આમાં ઝુનઝુનવાલા પરિવારના અન્ય સદસ્યોની ભૂમિકા પણ ચકાસી રહ્યું છે. સાથોસાથ રોકાણકાર રમેશ એસ. દામાણી અને કંપનીમાં ડાયરેક્ટર મધુ જયાકુમાર સહિત કેટલાક બોર્ડ સદસ્યોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

આ તપાસ અંગે વાકેફ સૂત્રોના હવાલેથી મળેલા અહેવાલ અનુસાર ઇનસાઇડર ટ્રેડિંગની તપાસ માટે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચેની ઝુનઝુનવાલાની ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કયા સમયગાળામાં ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોનો ભંગ થયો હતો તે અંગે કોઈ ચોક્કસ જાણકારી હજી સુધી મળી નથી. સેબીએ ઝુનઝુનવાલા અને અન્ય બેને ફટકારેલી નોટિસમાં તપાસમાં સહયોગ આપવા કહ્યું છે.

ઝુનઝુનવાલા ઉપરાંત તેની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર, સાસુ સુશીલા દેવી ગુપ્તાને પણ સેબીએ 24મી જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઝુનઝુનવાલા સેબીના અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા અને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ સ્થિત સેબીનાં મુખ્યાલયે આશરે બે કલાક સુધી તેની પૂછતાછ થઈ હતી.

January 27, 2020
coronaupdate.jpg
1min17580

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.

January 26, 2020
weather-forecast.jpg
1min5590

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.

January 25, 2020
sexual-harassment-at-work.png
1min5190

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.

આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.

ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.