CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 76 of 78 - CIA Live

June 30, 2018
stcnew1.jpg
1min9960

જયેશ બ્રહ્મભટ્ટ

આવતીકાલ રવિવાર તા.1લી જુલાઇ 2018ના રોજ સુરત શહેરના નીયોરીચ પરિવારોની મેમ્બરશીપ ધરાવતી સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં કોઇ નક્કર મુદ્દા વગર બે જૂથ, પરિવર્તન પેનલ (હાલની સત્તાધારી પેનલ)ની વિરુદ્ધ નવસર્જન પેનલ વચ્ચે હાઇપ્રોફાઇલ, ખર્ચાળ ચૂંટણી જંગ ખેલાય રહ્યો છે. તપાસ કરાતા જાણવા મળ્યું કે આ ચૂંટણી સુરત ટેનિસ ક્લબને ફક્તને ફક્ત ‘અપના અડ્ડા’ બનાવવાના જંગ તરીકે ખેલાઇ રહી છે. સુરત ટેનિસ ક્લબ મોટા ભાગે પૂર્ણ સ્વરૂપે વિકસી ચૂકી છે, હવે ભવિષ્યમાં વધારાનો કોઇ વિકાસ થઇ શકે નહીં સિવાય કે ઇનહાઉસ હોસ્પિટાલિટીને વધુ ઘનિષ્ઠ કરવામાં આવે. આવી સ્થિતિમાં કોઇ ગ્રુપ પાસે એવી કોઇ નક્કર યોજના નથી કે જે સુરત ટેનિસ ક્લબની સીકલ બદલી શકે.

એવી ટેનિસ ક્લબ કે જ્યાં ટેનિસની વાત સૌથી ઓછી થતી હશે

અપના અડ્ડા કેમ

સુરત ટેનિસ ક્લબમાં જુદી જુદી એક્ટિવિટીઝ માટે આવતા સભ્યો પૈકી કેટલાક સભ્યો આખો દિવસ પડ્યા પાથર્યા રહે છે એ ત્યાં સુધી કે બપોરે 3-4 વાગ્યે આવ્યા પછી રાત્રે ક્લબ બંધ થવાના સમયે ઘરે જતા હોય છે. સુરત ટેનિસ ક્લબમાં નીયોરીચ પરિવારો માટે જાણે કોઇ ટાઇમની પાબંદી જ નથી. ગમે તે સભ્ય એક્ટિવિટીના નામે ગમે તેટલો સમય ક્લબમાં બેસી રહે છે. કેટલાક સભ્યો સુરત ટેનિસ ક્લબને એક એવી જગ્યા બનાવવા માગે છે કે જ્યાંથી પોતાની ધંધાદારી સમેતની પ્રવૃતિઓનું સંચાલન કરી શકે. આશ્ચર્યની વાત એ છે કે બેમાંથી એકેય પેનલ સભ્યો માટે સમયની પાબંદી લગાડવાના મુદ્દાને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ કર્યો નથી. બન્ને ગ્રુપ સગવડીયા નીતિ નિયમો બનાવીને પોતાના સભ્યો માટે સુરત ટેનિસ ક્લબ જેવી જાહેર સંસ્થાની, શહેરના પોશ વિસ્તારમાં વચ્ચોવચ પ્રાઇમ લોકેશન પર આવેલી પ્રોપર્ટીને પોતાનો અડ્ડો બનાવી શકે તેની જ લડાઇ લડી રહ્યાની અનૂભુતિ થઇ રહી છે. તા.1લી જુલાઇ 2018ની ચૂંટણી એ વાત નિયત કરી આપશે કે સુરત ટેનિસ ક્લબ કોનો અડ્ડો બનશે પરિવર્તન પેનલનો કે નવસર્જન પેનલનો.

ફિક્સીંગ બંધ થતા મામલો ચૂંટણી સુધી પહોંચ્યો

એક સમય એવો હતો કે સુરત ટેનિસ ક્લબ પૈસા-નાનાના જુગાર માટે બદનામ હતી અને ઉમરા પોલીસે એકાદ-બે વખત રેઇડ કરીને સુરત ટેનિસ ક્લબના ગોરખધંધાઓ ઉજાગર કર્યા હતા. એ પછી પ્રજ્ઞેશ જગાશેઠ એન્ડ કંપનીએ સુરત ટેનિસ ક્લબનો કારોબાર હાથમાં લીધો અને જાહેરમાં થતી કેટલીક પ્રવૃતિઓને ખાનગીમાં થાય ત્યાં સુધી સીમીત કરી દીધી હતી. જગાશેઠ એન્ડ કંપનીએ સુરત ટેનિસ ક્લબની એક્ટિવીટીઝને પ્રોપર-વેમાં લાવવામાં મહદઅંશે સફળતા મેળવી છે. પ્રજ્ઞેશ જગાશેઠ એન્ડ કંપનીએ કેટલાક મનસ્વી રીતે ચાલતા વહીવટને બંધ કરાવી દેતા કેટલાક સભ્યોના પેટમાં તેલ રેડાયું હતું. બીજી તરફ જગાશેઠ એન્ડ કંપની પર પણ વિરોધી પેનલ એવો જ આરોપ લગાડી રહી છે કે મનસ્વી રીતે કારોબાર કરે છે અને લાખો રૂપિયા મનફાવે ત્યાં વાપરી નાંખ્યા છે. પરંતુ, અહીં નવસર્જન પેનલ કોઇ સજ્જડ પુરાવાઓ રજૂ કરી શક્યા નથી. સુરત ટેનિસ ક્લબમાં નવરાત્રી હોય કે અન્ય કેટલીક પ્રવૃતિઓ, સ્પર્ધાઓમાં રીતસર ફિક્સીંગ જ ચાલતું હતું અને એ પણ વર્ષોથી ચાલતી આવી પ્રવૃતિને જગાશેઠ એન્ડ કંપનીએ બંધ કરાવી દેતા મામલો ચૂંટણી સુધી પહોંચી ગયો છે. સુરત ટેનિસ ક્લબમાં ઇગો પ્રોબ્લેમ્સ તો એટલા કે ક્લબમાં ડેઇલી આવતા મેમ્બર્સ કેટલીક પ્રવૃતિઓ ક્યાં કરવી, કોચ કોને રાખવો એ બાબતે વહીવટકર્તાઓની પણ ઉપરવટ જઇને નિર્ણય કરતા, આવા મુદ્દાઓ પર તકરાર થયાની ઘટનાઓ પણ બની ચૂકી છે.

ટેનિસ ક્લબના 70 ટકા મેમ્બર્સને ચૂંટણી સાથે કોઇ લેવા-દેવા નથી

સુરત ટેનિસ ક્લબના 70 ટકા મેમ્બર્સ એવા છે જેમને ચૂંટણી સાથે કોઇ લેવા-દેવા નથી. ખાનદાન પરિવારો સુરત ટેનિસ ક્લબ ઉપરાંત અન્ય ક્લબની પણ મેમ્બરશીપ ધરાવતા હોવાથી અહીં સુરત ટેનિસ ક્લબની ચૂંટણી સાથે તેમને કશી પણ લેવાદેવા નથી આમ છતાં તેમને ચૂંટણીમાં ઘસડવા માટે છેલ્લા 15 દિવસથી પ્રયાસો થઇ રહ્યા છે. મેમ્બર્સના ફોન પર મેસેજિસથી લઇને તેમના ઘરે જઇને વોટ માટે કેન્વાસિંગ કરવામાં આવી રહ્યું હોઇ, મોટા ભાગના મેમ્બર્સને પણ અજુગતું લાગી રહ્યું છે કે સુરત ટેનિસ ક્લબમાં પહેલી વખત ચૂંટણીનો આવા નિમ્નસ્તરનો માહોલ જોવા મળી રહ્યો છે.

વોટર્સ એટલા ખમતીધર છે કે કોઇ લાલચ કામ કરી શકે તેમ નથી

સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં જે વોટર્સ વોટિંગ કરવાના છે એ જ એટલા ખમતીધર છે કે બન્ને જૂથ પરિવર્તન પેનલ અને નવસર્જન પેનલ માટે વોટર્સને રીઝવવા માટે કયા મુદ્દા પર લોભપ્રલોભન આપવું એ જ વિસામણ હતી. બન્ને જૂથ પૈકી એક પણ પાસે કોઇ જ મુદ્દો નથી. વોટર્સ પોતે ખાનદાન અને સાધનસંપન્ન અને ધનવાન છે, ચૂંટણીનો કોઇ મુદ્દો તેમને રિઝવી શકે તેમ નથી. એટલે હોસ્પિટાલિટી, વીઆઇપી ટ્રીટમેન્ટ સિવાય અન્ય કોઇ મુદ્દો સુરત ટેનિસ ક્લબના બહુમતિ વોટર્સને રીઝવી શકે તેમ નથી. નવસર્જન પેનલે તો હોસ્પિટાલિટીના મુદ્દા પર આપેલા ચૂંટણી વચનમાં એક એવું પણ વચન આપ્યું છે કે મેમ્બર ક્લબમાં આવે ત્યારે તેને વેલકમ ડ્રીંક અને રવિવારે બ્રેકફાસ્ટ વિનામૂલ્યે આપવાનું શરૂ કરાશે. શું સુરત ટેનિસ ક્લબના મતદારોએ વેલકમ ડ્રીંક અને રવિવારના બ્રેકફાસ્ટ માટે ચૂંટણીમાં મતદાન કરવું જોઇએ.

June 22, 2018
stcfea.jpg
1min8140

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

Dt.18 June, 2018, 10.00am

છેલ્લા નવ દાયકાથી શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લોકોને સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ અને ફેસ્ટિવલ સેલિબ્રેશનનું માધ્યમ બનેલી અઠવાલાઇન્સ સ્થિત ધ સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ હોવી એ જ આજે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. મૂળ સુરતીઓ, ખાનદાન ઘરાનાઓ માટે સુરત ટેનિસ ક્લબ એક પરિવારીક પ્રોપર્ટી સમાન છે. જેની મેમ્બરશીપની જ વેલ્યુ લાખો રૂપિયા થાય છે ત્યાં જો વહીવટની વાત આવે તો ? આ પ્રશ્નનો જવાબ સુરત ટેનિસ કલબની પ્રતિષ્ઠાભરી બની રહેલી ચૂંટણી પૂર્વે હાલ રચાયેલા માહોલ પરથી જણાય આવે છે. સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સના ભાવ આજકાલ એટલા માટે જ ઉંચકાયા છે.

એક સમય એવો હતો કે જ્યારે સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ 40 હજાર રૂપિયામાં મળતી હતી. આજે 10-12 લાખ રૂપિયા આપ્યા પછી પણ મેમ્બરશીપ ભાગ્યે મળી શકે છે. સુરત ટેનિસ ક્લબ શહેરના પોશ એરિયા અઠવાલાઇન્સ ખાતે લોકેટેડ હોવા સાથે તેની એક્ટિવિટીઝ અને ફેસ્ટિવલ સેલિબ્રેશન માટે લોકોમાં વધુ આકર્ષણ ધરાવે છે.

1927માં સ્થપાયેલી ધ સુરત ટેનિસ ક્લબના 10 સભ્યોની ચૂંટણી આગામી તા.1લી જુલાઇના રોજ યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે મુખ્ય ગ્રુપ વચ્ચે જંગ છે. એક ગ્રુપ શહેરના જાણીતા સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠનું છે, જેમના હાથમાં હાલ સુરત ટેનિસ ક્લબનો વહીવટી દોર છે.

પરિવર્તન ગ્રુપ

આ ગ્રુપ હાલમાં ટેનિસ ક્લબમાં સત્તાધારી છે. તેમણે નિલેશ દેસાઇ, ધર્મેશ કાપડીયા, ડો. પ્રફુલ્લ દોશી, કેતન મોદી, ઇબ્રાહિમ ઘડીયાળી, ચિરાગ પંચાલ, પ્રજ્ઞેશ જગાશેઠ, દક્ષેશ પારેખ, વિપુલ જાગીરદાર અને ધવલ શાહને મેદાનમાં ઉતાર્યા છે. આ ગ્રુપ એવું છે જેમણે પોતાની મોબાઇલ એપ પણ બનાવી છે અને તેના થકી મેમ્બર્સમાં પ્રચાર કરી રહ્યા છે. પરિવર્તન પેનલનું આ પોસ્ટલ  હાલમાં સોશ્યલ મિડીયા મારફતે સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સના મોબાઇલ ફોન પર સતત સેન્ડ થઇ રહ્યું છે.

 

STC નવસર્જન પેનલ

સુરત ટેનિસ ક્લબમાં હાલમાં સત્તા ધરાવતા પરિવર્તન પેનલની સામે ક્લબના જ કેટલાક મેમ્બર્સે ભેગા મળીને એક ધરી રચી છે અા ધરીનું નામ STC નવસર્જન પેનલ રાખવામાં આવ્યું છે. નવસર્જન પેનલમાં સુધીર બજાજ, સી.એ. દિનેશ દ્વિવેદી, શ્યામ લખુપોટા, સમીર શ્રોફ, પુષ્કર રાજ નકુમ, રાજીવ છાબરા, અપૂર્વ ગાંધી, વીરચંદ મહેતા, નઝીર વલી, નિલેખ કોન્ટ્રાક્ટરનો સમાવેસ થાય છે. આ પેનલ મતદારોને વધુ કાર્યક્ષમ વહીવટ તેમજ વધુ લાભો મેમ્બર્સને મળે તેવા પ્રયાસો કરવાનો કોલ આપી રહ્યું છે. STC નવસર્જન પેનલનું આ પોસ્ટર હાલ સોશ્યલ મિડીયા મારફતે સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સને મોકલવામાં આવી રહ્યું છે.

સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં બન્ને પેનલના નામો જોતા દરેકે દરેક વ્યક્તિ સમાજમાં પોતાની અલગ પ્રતિભા ધરાવે છે. ટેનિસ ક્લબની આ ચૂંટણી એટલા માટે જ કહેવાય છે કે પ્રતિષ્ઠાભરી બની છે કેમકે લબ્ધ પ્રતિષ્ઠિત લોકો વચ્ચે આ ચૂંટણી જંગ લેખાઇ રહ્યો છે.

પરિવર્તન પેનલ માટે બોલીવુડની હસ્તીઓએ વિડીયો રિલીઝ કર્યા

સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠની આગેવાની હેઠળની પરિવર્તન પેનલનો પ્રચાર એટલો હાઇટેક છે કે કદાચ કોઇ એમ.એલ.એ. કે એમ.પી.ની ચૂંટણીમાં બોલીવુડની હસ્તીઓ નહીં ઉતરે તેટલી સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલ માટે ઉતરી છે. બોલીવુડમાં પોતાનું અલગ નામ ધરાવતા અનુપ જલોટા, ગૌતમ ગુલાટી, મુકેશ રિશી, વિદુ દારાસિંહ, અલી મુરાની, ગૌતમ ગુલાટી, ઇન્સ્પિરેશનલ વક્તા સંજય રાવલ વગેરે જેવી હસ્તીઓએ તા.1લી જુલાઇએ સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલને વોટ આપવા અંગેના વિડીયો જારી કર્યા છે જે ટેનિસ ક્લબના દરેક મેમ્બરના વ્હોટ્સ એપ પર આ વિડીયો મોકલાવાઇ રહ્યા છે.

એવી જ રીતે પરિવર્તન પેનલ દ્વારા પોતાની મોબાઇલ એપ પણ રિલીઝ કરી દેવામાં આવી છે. આમ, આ લબ્ધ પ્રતિષ્ઠિત લોકો વચ્ચેની ચૂંટણીએ સોશ્યલ મિડીયામાં ખાસ્સું આકર્ષણ ઉભું કર્યુ છે.

June 16, 2018
airport_building.jpg
1min14670

સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ્સના મુદ્દે પખવાડિયામાં તપાસ રિપોર્ટ આવશે

એરપોર્ટના રનવેને નડતરરૂપ 80 બિલ્ડિંગ્સના 190 ફ્લેટ્સ પર હથોડા ઝીંકવા કે કેમ મુદ્દે હવે પખવાડિયામાં કોઈ સ્પષ્ટ સંકેત મળે તેમ છે. એરપોર્ટ ઓથોરિટીએ નાસિકની એજન્સીને સરવે કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યુ છે. આ એજન્સી સોમવારથી સરવેનું કામ પણ હાથ ધરી દેશે. 80 જેટલી બિલ્ડિંગ્સના તમામ નહીં પણ 190 ફ્લેટ્સ પૈકી કેટલાક સમૂળગા તોડી નાંખવા પડે તો કેટલાકના આંશિક હિસ્સાને દૂર કરીને બિલ્ડિંગની ઉંચાઇ નિર્ધારિત પ્રમાણ સુધી લાવવી પડે તેમ છે.

 (પ્રતિકાત્મક તસ્વીર)

સૌથી પહેલા આ તપાસ એજન્સીએ આજે પાલિકા, કલેક્ટરાલય અને એરપોર્ટ ઓથોરિટી સાથે એક બેઠક પણ યોજી દીધી છે. ગયા સોમવારે ડીજીસીએના સ્ટાફે સુરતની મુલાકાત પણ લીધી હતી. છેલ્લાં ઘણા સમયથી 18 પ્રોજેક્ટ્સની 80 બિલ્ડિંગ્સ અને 190 ફ્લેટ્સ સુરત એરપોર્ટને નડી રહ્યાં છે. આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં મુકાયો છે. આ મુદ્દે ગત 26મી મેના રોજ એક બેઠક સુરત પાલિકાકલેક્ટરાલયપીડબલ્યુડી વિભાગસુડા અને એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી.

પાલિકાના અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા

બેઠકમાં પાલિકા તરફથી એવી રજૂઆત થઈ હતી કેઆ જે વિવાદી બિલ્ડિંગ્સ છેતે પ્રોજેક્ટ્સની મંજૂરી માટે સુરત મહાનગર પાલિકા પાસે જે સમયે અરજીઓ સામે આવી હતી. તે સમયે રાજ્ય સરકારના પીડબલ્યુડી વિભાગના એનઓસીના આધારે ફાઇનલ પ્લોટ બનાવાયા હોઈ તેના ઉપર ડેવલપમેન્ટ માટેની મંજૂરીની પ્રક્રિયા આગળ વધારાઈ હતી. તેમાં એરપોર્ટ ઓથોરિટીએ પણ એનઓસી આપ્યું હોવાથી પાલિકાએ આ તમામ 80 બિલ્ડિંગ્સને સાંકળતા 18 પ્રોજેક્ટસને મંજૂરી આપી હતી. એટલે પાલિકાની તરફે કોઈ મુદ્દો રહેતો નથી. એમ કહીને સિફતપૂર્વક હાથ ખંખેરી લીધાં હતાં.

મ્યુનિ.ને ગેરમાર્ગે દોરીને પ્લાન મંજૂર કરાવાયા હતા

તપાસના ધમધમાટને પગલે ઓર્ગેનાઈઝર્સમાં ફફડાટ ફેલાવા માંડ્યો છે કેમકે વિવાદી પ્રોજેક્ટ્સના પ્લાન મંજૂર કરાવવા માટે પાલિકાને ખોટી વિગતો અપાઈ હતી. આને આધારે પાલિકા ઇચ્છે તો પ્લાન રદ્દ કરી શકે તેમ હોવા છતાં વિવાદમાંથી પાલિકાએ હોંશિયારીપૂર્વક હાથ બહાર કાઢી લીધાં છે. ઉપરથી કલેક્ટરાલય એટલે કે રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે કોઈ સહયોગ જોઈતો હોય તો અમે આપવા માટે તૈયાર છીએતેવું જણાવીને હાથ ઉપર રાખ્યો હતો. એટલે દડો ફરી એરપોર્ટ ઓથોરિટીના પલ્લામાં પડ્યો હતો. એટલે, એરપોર્ટ ઓથોરિટીએ આવી બિલ્ડિંગ્સની તપાસ કરીને રિપોર્ટ કરાવવા માટેની ગતિવિધિ શરૂ કરી દીધી છે. 

June 14, 2018
smcbuilding.jpg
1min16880

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સુરત મહાનગરપાલિકામાં 1995થી શાસન કરી રહેલા ભાજપાના હાઇકમાન્ડે આજે મેયર પદે ડો.જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન પદે શ્રી અનિલભાઇ ગોપલાણી અને શાસક પક્ષના નેતા પદે શ્રી ગિરજાશંકર મિશ્રાની  નિયુક્તિ કરીને સ્થાનિક સ્તરે અંદરખાને લડતા-ઝઘડતા રહેતા નેતાઓને ‘લાડવાઓ’ વહેંચી આપ્યા. કેટલાક ભાજપી ભક્તોએ એમ કહી રહ્યા છે કે દંડક પદે મહિલાની નિમણૂંક કરી છે, ત્યારે આવા ભક્તોને રાજકીય વિશ્લેષક એવી સલાહ આપી રહ્યા છે કે દંડક એ શાસકોની પોસ્ટ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સત્તાવાર પદ એ જાણવા માટે બીપીએમસી એક્ટની ચોપડી વાંચવી જોઇએ.

સુરત મેયર પદે ડો. જગદીશ પટેલની વરણી

સુરતના ડેપ્યુટી મેયર પદે શ્રી નિરવ શાહની વરણી

સુરત મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની ચાવી હવે ડો. અનિલ ગોપલાણી પાસે

ભાજપા હાઇકમાન્ડની આ વહેંચણીમાં સ્ત્રી સશક્તિકરણનો ‘સરાસર’ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની દુહાઇ આપીને ભાજપા હાઇકમાન્ડે મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાની વરણીમાં મેરીટ જોઇને  નિમણૂંક આપવાનો કોલ આપ્યો હતો એનો મતલબ એ થયો કે ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકાના ચાવીરૂપ પદો પૈકી એક પણ પદ માટે કોઇપણ મહિલા કોર્પોરેટર લાયક ન દેખાઇ. જોકે, પદોની વહેંચણીમાં મહિલા કોર્પોરેટરો પૈકી શ્રીમતી હેમાલી બોઘાવાલા, શ્રીમતી કલ્પના મદનસિંહ અટોદરીયા, શ્રી રોહિણીબેન છોટુભાઇ પાટીલ, શ્રીરૂપલબેન શાહ, શ્રી રશ્મિકાબેન પટેલ વગેરેના નામો ચાલતા હતા પણ એકેય મહિલાને ચાવીરૂપ પદ પૈકી એક પણ પદ માટે સમોવડી ગણવામાં આવી ન હતી.

ભાજપા હાઇકમાન્ડની બલિહારી તો એવી પણ રહી છે કે 1995થી અત્યાર સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે અગર તો શાસક પક્ષના નેતા તરીકે ક્યારેય કોઇપણ મહિલા કોર્પોરેટરની નિયુક્તિ કરી નથી. આ બાબત પ્રતીતિ કરાવે છે કે વુમન એમ્પાવરન્મેન્ટના મુદ્દે ભાજપાના ચાવવાના અને બતાવવાના દાંતમાં ટેન્ડરમાં જે રીતે ડેવિએશન આવે છે તેવું ડેવિએશન છે.

એક તરફ સ્પેન એવો દેશ છે જેણે તાજેતરમાં 17 સભ્યોની સરકારમાં 11 મહિલા મિનિસ્ટર અને ફક્ત 6 પુરુષને સમાવ્યા છે અને બીજી તરફ ભાજપા હાઇકમાન્ડને સુરત મહાનગરપાલિકામાં એકેય મહિલા કોર્પોરેટર પદ માટે લાયક જણાય નથી.

મેયર કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે ભારે લોબિંગ હતું

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશના ચાવીરૂપ પદોની વહેંચણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી હતી કે મેયર પદ કરતા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ માટે સ્થાનિક સ્તરેથી લઇને રાજ્ય સ્તરના નેતાઓ ભારે ઇન્ટ્રેસ્ટેડ હતા. જ્યારે મેયર પદ માટે ડો. જગદીશ પટેલનું નામ આવ્યું ત્યારે સ્થાનિક સ્તરે જૂથવાદમાં રાચતા એકેય નેતાએ તેમના નામનો વિરોધ કર્યો નહીં, એ બાબત સૂચક છે કે મેયર પદ માટે અહીં કોઇ લડાઇ હતી જ નહીં જે હતું એ સ્થાયી સમિતિ ચેરમેન પદ કે જેની પાસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની ચાવી રહે છે એ પદ માટે જ ખેંચતાણ હતી.

મુખ્યમંત્રીનું પણ માન ન રાખ્યું

મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે નિરવભાઇ શાહને મૂકવાની લાગણી ધરાવતા હતા. નિરવ શાહ સ્થાનિક સ્તરે પૂર્ણેશ મોદી જૂથ સાથે સક્રિય હોઇ, અન્ય જૂથ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે ફાઇનલ થતા થતા રહી ગયું.

સવારે 9 વાગ્યે નામ ફાઇનલ થયા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના પદો પણ નામ ફાઇનલ કરવામાં ભાજપા મોવડીઓમાં છેક છેલ્લી ઘડી સુધી મડાગાંઠ જોવા મળી હતી. તા.13મીને બુધવારે રાત્રે જે નામો પણ સંમતિ સાધી લેવાઇ હતી, એ નામ આજે સવારે 9 વાગ્યે બદલવા પડ્યા હતા. સ્થાનિક નેતાઓએ પ્રદેશ નેતાઓ પર પોતપોતાના મળતીયાઓને ગોઠવવા માટે દરેક પ્રકારે લોબિંગ કરી જોયા હતા.

June 9, 2018
suratfire4.jpg
1min14150

આજે સવારથી એક તરફ મુંબઇમાં વરસાદી માહોલની ચર્ચા હતી તો બીજી તરફ ફોર્ટ વિસ્તારમાં આવેલી જુની અને જાણીતી ઇમારત કોઠારી મેન્સનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. મુંબઇની આ આગે નેશનલ ન્યુઝ ચેનલ્સ પર સ્થાન જમાવ્યું હતું તો સાથોસાથ સુરતના પાંડેસરા વિસ્તારમાં શાલુ મિલમાં શુક્રવારે મધરાતથી ભભૂકી ઉઠેલી આગને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ શનિવારે આખો દિવસ મુંબઇ અને સુરતમાં આગની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન રહી હતી.

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

 

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

સુરતના પાંડેસરાની સાલુ ડાઇંગમાં લાગેલી આગની તસ્વીરો

પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી શાલુ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં શુક્રવારે રાત્રે ભયંકર આગ ફાટી નીકળી હતી, અાગની ઘટનાને પગલે સ્લેબમાં પડેલા ગાબડાના કાટમાળ નીચે લેબર દબાય ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેની જવાળાઓની લપેટમાં બાજુની મિલમાં પણ આગ લાગી જવા પામી હતી. ગંભીરતા પારખીને ફાયર બ્રિગેડએ આ ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે બચાવ-રાહતની કામગીરી હાથ ધરી હતી.

આજે શનિવારના પણ આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો, સ્લેબ પડતા દબાયેલા મજૂરોને ફાયર દવારા બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદ સી.આર.પાટીલ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મુંબઈ: કોઠારી મેંશનમાં ભીષણ આગ

મુંબઈ: કોઠારી મેંશનમાં ભીષણ આગ, બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી

મુંબઈનાં ફોર્ટ વિસ્તારમાં એક છ માળની પ્રખ્યાત બિલ્ડિંગ કોઠારી મેંશનમાં શનિવારે વહેલી સવારે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે બિલ્ડિંગનો એક ભાગ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ૧૬ ગાડીઓ અને ૧૧ જંબો ટેંકર યુદ્ધના ધોરણે કામે લગાડવામાં આવ્યા હતા. જો કે, બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી હદ સુધી પ્રસરી ગઈ છે કે તેના પર સંપૂર્ણ કાબુ મેળવવો અશક્ય છે. આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં બે ફાયરબ્રિગેડનાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સવારે ૪.૧૬ વાગ્યે આગ લાગી હોવાની અંગેની જાણકારી ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેની આઠ મિનિટની અંદર જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

June 7, 2018
whether.jpg
1min14130

દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે પણ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમી ચોમાસું કેરળથી આગળ વધી કર્ણાટકા અને દક્ષિણી મુંબઇ પ્રવેશ કરી દીધો છે. દેશનાં અન્ય ભાગો જેવા કે, દક્ષિણ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં પણ ચોમાસું બેસી ગયું છે.

હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ દક્ષિણથી પ્રવેશ કરશે અને દક્ષિણ ગુજરાતમાં આગામી શનિવાર અને રવિવારના રોજ છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. કેરળ પછી હવે કર્ણાટકા, ગોવામાં પણ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકમાં દેશના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ પડશે. આગામી દિવસોમાં આ ચોમાસું મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, સિક્કિમ અને અન્ય રાજ્યોમાં આગળ વધશે. આવતી કાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે.

વિતેલા સપ્તાહમાં ગઇ તા.2 જૂનની મધરાતે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભયંકર વાવાઝોડું ફુંકાયું હતું એ અંગે હવામાન ખાતાએ કોઇ જ આગાહી કરી ન હતી. અણસાર પણ મળ્યો ન હતો. હવે જ્યારે આગામી વીકએન્ડમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતે એ કરી છે ત્યારે એ સાચી પડે છે કે ફક્ત કાગનો વાઘ પુરવાર થાય છે એ તો સુરતીઓએ અનુભવ કરીને જ જાણવું પડશે.

June 5, 2018
tdb.png
1min15950

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આગામી ચોમાસાની ઋતુમાં વીજગ્રાહકો અને જાહેર જનતાની વીજ સલામતી અર્થે તકેદારી રાખવા અનુરોધ

આગામી ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજગ્રાહકો અને જાહેર જનતાની વીજ સલામતી અર્થે તકેદારી રાખવા અને સાવચેતીના ભાગરૂપે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. :જે મુજબ
• કોઈપણ જગ્યાએ વીજળીનો થાંભલો કે તાર તૂટેલો કે ભયજનક રીતે નમેલો જણાય તો તૂટેલા ઝુલતા તારને કોઈપણ સંજોગોમાં અડકવું નહી અનેતુરંત જ આપની નજીકની વીજ કંપનીની સ્થાનિક પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી જાણ કરવી અથવા ટોલ નંબર ૧૯૧૨૩ કે ૧૮૦૦૨૩૩ ૩૦૦૩ પર જાણ કરો અને સંભવિત વીજ અકસ્માતને ટાળો.
• વીજસ્થાપનના ઉપકરણો જીવંત સ્વરૂપે વીજવાહક હોવાથી સલામતીની દ્રષ્ટિએ સાવચેત રહેવું જરૂરી છે.
• વીજ સાધનો માટે યોગ્ય ક્ષમતાના ફયુઝ, એમ.સી.બી. તથા ઈ.એલ.સી.બી. નો ઉપયોગ કરવો.
• વીજળીના થાંભલા કે તેના અર્થીગ વાયર કે સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે ધાતુનો તાર બાંધી કપડાં સુકવવા નહિં અથવા પશુઓને પણ ત્યાં બાંધવા નહિં.
• વરસાદના સમયે ભેજવાળા વાતાવરણમાં ઘરના વીજસ્થાપનોમાં લાગતા વીજ આંચકાઓથી બચવા ઈ.એલ.સી.બી. અવશ્ય લગાડવી.
• કોઈપણ બાંધકામ ચાલતું હોય તો તે સ્થળ પાસેથી પસાર થતી વીજ લાઈન અને થાંભલાથી સલામત અંતર અવશ્ય જાળવવું.
• વીજ લાઈનની નીચે તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટરને અડીને વાહનો ઉભા રાખવા નહિં કે પાર્ક કરવા નહિં તેમજ વધુ ઉંચાઈના વાહનો વીજ લાઈનની નીચેથી સાવચેતીપૂર્વક પસાર કરવામાં આવે તેની ખાસ કાળજી લેવી.
• કારખાનાની ઘરની બારીમાંથી અથવા ગેલેરીમાંથી કોઈપણ જાતનો કચરો, પાણી, મેટાલીક યાર્ન, તાર, વાયર કે લોખંડનો ભંગાર વિગેરે વીજ લાઈન પર ફેંકશો નહીં. તેમ કરવાથી ઈલેકટ્રીક કરંટ (શોક) લાગવાનો ભય રહે છે.
• વીજ વિક્ષેપ જેવાં કે મીટર બોક્ષમાં સ્ટ્રીટ લાઈટ પોલ પર ટ્રાન્સફોર્મર પર કે અન્ય કોઈ જગ્યાએ શોર્ટ સર્કીટ જણાય તો અમારા ૨૪ ૭ કોલ સેન્ટર નંબર ૧૯૧૨૩અથવા૧૮૦૦ ૨૩૩ ૩૦૦૩અથવા મોન્સુન કન્ટ્રોલ રૂમનો ટેલીફોન નંબર ૦૨૬૧-૨૫૦૬૨૯૯ તથા મો.નં.૯૮૭૯૨ ૬૮૯૫૯ પર જાણ કરી વીજ સલામતીમાં ભાગીદાર બનો.આ ઉપરાંતવીજ સંબંધિત સમસ્યાઓની નોંધણી અને નિરાકરણ માટે, વેબસાઇટ www.dgvcl.comપર ઉપલબ્ધ આપની સ્થાનિક કચેરીઓ સ્થિત ૨૪ કલાક કાર્યરત ફોલ્ટ સેન્ટર્સ નંબરનો પણ સંપર્ક સાધવો

June 4, 2018
neet1.jpg
1min23810

44 વિદ્યાર્થીઓના નીટમાં 400થી વધુ માર્કસ, આશાદીપ શાળાએ જ નીટના કોચિંગની પણ વ્યવસ્થા કરી હતી

ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના પરીણામો હોય, કોમર્સના હોય કે ધો.10ના પરીણામો હોય સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ અને એ-વન રેન્કર્સ જેણે આપ્યા છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ આજે નીટ-2018ના પરિણામમાં પણ ઝળહળતો દેખાવ કર્યો છે.

 

જેઇઇ અને નીટ એ બે નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ છે, સેન્ટ્રલ બોર્ડ દ્વારે તેનું સંચાલન કરવામાં આવે છે અને સુરતની આશાદીપ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓ ન સિર્ફ બોર્ડ પરીક્ષામાં પણ આ નેશનલ એકઝામ્સમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યા છે. આજે નીટની પરીક્ષાના જાહેર થયેલા પરીણામમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીએ હાઇએસ્ટ 574 માર્કસ હાંસલ કર્યા છે.

આશાદીપના ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ. લાઇવને માહિતી આપતા જણાવ્યું હતું કે આશાદીપના કુલ 13 વિદ્યાર્થીઓએ નીટમાં 500 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. એવી જ રીતે 44 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે નીટમાં 400 કે તેનાથી વધુ સ્કોર કર્યો છે. આમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓએ નીટમાં પણ પોતાનું ઓલરાઉન્ડ પરફોમર્ન્સ જાળવી રાખ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે જેઇઇ હોય કે નીટ હોય, મોટાભાગની શાળાઓ પ્રવેશ પરીક્ષાના કોચિંગ આપવામાંથી હાથ ઉંચા કરી દેતી હોય છે પરંતુ, આશાદીપ વિદ્યાલય કે જેણે હંમેશા અલગ ભાત પાડી છે ત્યાં નીટ હોય કે જેઇઇ, પ્રવેશ પરીક્ષાનું કોચિંગ પણ શાળામાં જ આપવામાં આવે છે. આજે નીટમાં જે ટોપટેન આવ્યા છે એ મોટા ભાગે એક જ બ્રાન્ડેડ પ્રાઇવેટ કોચિંગ ક્લાસના આવ્યા છે, જે તોતિંગ ફી લઇને કોચિંગ આપે છે જ્યારે આશાદીપ સાયન્સ સ્કુલમાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા જ એફોર્ડેબલ ફી માં તમામ પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

June 3, 2018
jbcscmain.jpg
1min17960

ભારત વૈશ્વિક કક્ષાએ “વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી(૫-જુન-૨૦૧૮) માટે યજમાન બન્યુ છે, આ વર્ષની મુખ્ય થીમ “પ્લાસ્ટિક પ્રદુષણને મહાત કરો (beat plastics pollution) પર એક અઠવાડિયું જનજાગૃતિ, સફાઈ ઝુંબેશ વગેરે કાર્યક્રમો માતા પાયે હાથ ધરવામાં આવનાર છે, તેનાં ભાગ રૂપે ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ વિભાગના, સુરત વન વિભાગ, અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરતના  સંયુક્ત ઉપક્રમે ૫-જુન-૨૦૧૮ના રોજ સમગ્ર જીલ્લામાં મહુવા, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, રેન્જ(ડુમસ) પર અને સુરત શહેર કક્ષાએ વિવિધ કાર્યક્રમો જેવાકે  બાળકો માટે ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરાની સફાઈ, વૃક્ષારોપણ, રોપાવિતરણ,  જનજાગૃતિ રેલીઓ, પ્રવચનો,વગેરે કાર્યક્રમો/પ્રવૃતિઓ રાખવામાં આવેલ છે, 

 

રસ ધરાવનાર બાળકો જે તે રેન્જ ઓફિસનો સંપર્ક કરવા, શ્રી પુનીત નાયર, નાયબ વન સંરક્ષક,સુરત વન વિભાગ અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરતના ડાયરેકટર શ્રી જી.એન.કાકડીયા, દ્વારા જણાવામાં આવે છે, આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી પ્લાસ્ટિકના પ્રદુષણથી થતા નુકશાન અને તેને દુર કરવા અત્યારથી જાગૃત થાય તે મુખ્ય આશય છે. બાળકોએ ચિત્રો દ્વારા પોતાની વેદના અને સામે ઉપાયો ચિત્રણ દ્વારા ખુજ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવશે.ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા પણ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરત, વાસુદેવ સ્માર્ત પ્રાથ. શાળા નં.૪ , પીપલોદ ખાતે વૃક્ષારોપણ અને સફાઈ જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

June 1, 2018
rutu1.jpg
1min17000

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.