CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 77 of 81 - CIA Live

August 22, 2018
vior.jpg
1min13070

સુરતના લાલદરવાજા, ભટાર અને વેસુ ખાતે સ્કીન ક્લિનિક ધરાવતા સખીયા ગ્રુપ દ્વારા હવે સ્કીન ટાઇટનિંગ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને અત્યંત અદ્યતન ટ્રીટમેન્ટ પદ્ધતિ લાવ્યા છે. સમગ્ર ગુજરાતવાસીઓ માટે સખીયા સ્કીન ક્લિનિકને સુરતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉપલક્ષમાં ભટાર સ્થિત સખીયા ક્લિનિક ખાત ેસ્કીન ટાઇટનિંગ માટે ઇઝરાયેલ મેઇક વિઓરા સિસ્ટમ્સનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન સુરત ખાતે સ્થાપિત કર્યું છે. સ્કીન ટાઇટેનિંગ માટે આનાથી વિશેષ આધુનિક સુવિધા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

વધુ વિગતો આપતા ડો. જગદીશ સખીયાએ કહ્યું કે સખીયા સ્કીન ક્લિનિકમાં ચામડીના વિવિધ રોગો જેવા કે સોરીયાસીસ, ખીલ, પીગમેન્ટેશન, હઠીલી ધાધર, એલર્જી, શીળવા, બેક્ટેરિયલ વાઇરલ ઇન્ફેકશન, તજા ગરમી, ખસ, ખરજવું વગેરે જેવા રોગોની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ડર્મેટો દ્વારા સફેદ ડાઘની સર્જરી, ખીલના ખાડાની સર્જરી, ચરબીની ગાંઠ, ગળા પરના મસા, કપાસી, કણી, નખની સર્જરી, અત્યાધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ, બાયોપ્સી દ્વારા નિદાન વગેરે પ્રકારની સર્જરી પણ સખીયા સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

લેસર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટીક સર્જરી વગેરે સુવિધા પણ સખીયા સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. વધુમાં સખીયા સ્કીન ક્લિનિક આઇ.પી.ઓ. બહાર પાડી રહી છે, એ પછી સમગ્ર ભારતમાં સખીયા સ્કીન ક્લિનિકની 2000 જેટલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશે.

 

ઉપરોક્ત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે એ રીતે વિઓરા મશીન્સથી સ્કીન ટાઇટેનિંગ ટ્રીટમેન્ટ સુરતના સખીયા સ્કીન ક્લિનિક, ભટાર રોડ ખાતે ઉપલબ્ધ બનશે. આ ટ્રીટમેન્ટના રૂ.36 હજાર ચાર્જ છે જેમાં 6 સેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

August 19, 2018
varachha.jpg
1min5090

પાટીદારનો ગઢ ગણાતા શહેરના પુણા વિસ્તારમાં મોડીરાત્રે  બીઆરટીએસની 2 બસ પર પત્થરમારો કરીને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. એ ઉપરાંત સરથાણા વિસ્તારમાં ટાયરો સગળગાવવાની  ઘટનાને પગલે પોલીસની ગાડીઓ દોડતી થઇ ગઇ હતી. આવી ઘટનાઓને પગલે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત અને તે પછી અલ્પેશ કથિરીયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ બાદ આ પરિસ્થિતિનું  નિર્માણ થયું હોવાનું જણાય આવે છે.

એ પૂર્વે આજે રવિવાર તા19મી ઓગસ્ટ 2018ની સવારે અમદાવાદ ખાતે હાર્દિક પટેલની અટકાયતના સમાચારને પગલે સુરતમાં પાટીદાર આંદોલનના સમર્થકો વરાછાના મીનીબજાર ખાતે ધરણા પર બેઠા હતા. ધરણા પર બેઠેલા પાટીદારોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા મામલો બિચકયો હતો. વરાછામાં એકઠું થયેલું ટોળું તોફાને ચઢ્યું હતુ અને પત્થરમારો શરૂ કરી ને બે કચરાપેટીને ઉંધી વાળી દીધી હતી.

વરાછામાં પાટીદાર આંદોલન વધુ તીવ્ર બને એવી સ્થિતિ જણાતા પોલીસે સુરતમાં 40 જેટલા પાટીદારો અને કોગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને હજીરા પોલીસ સ્ટેશન મોકલી આપ્યા છે.

 

August 19, 2018
va1.jpg
1min8030

Jayesh Brahmbhatt  98253 44944

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યો દ્વારા શહેરના ભાઠા વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલો, સિનિયર સિટીઝન્સને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના જાણીતા શિવ તિર્થ ધામના દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા.

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિસના વૈશાલી ગાલાએ સી.આઇ.એ. ને જણાવ્યું હતું કે વડીલ સિનિયર સિટીઝન્સને સુરતથી લક્ઝરી બસદ્વારા કાવી કંબોઇ (જંબુસર), ભાડભૂત, ભરૂચના નિલકંઠેશ્વર ધામ ખાતે લઇ જવામાં આવ્યા હતા. માર્ગમાં તેમના માટે ચા-પાણી નાસ્તા તેમજ ભોજનની પણ વ્યવસ્થા એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશ તરફથી જ રાખવામાં આવી હતી.

વૈશાલી ગાલાએ કહ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવજીની આરાધના માટેના આ શ્રેષ્ઠ મહિનામાં ભાઠા વૃદ્ધાશ્રમના વડિલો શિવજીના મંદિરના દર્શન કરીને ખૂબ ખુશ થયા હતા. એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યોએ પણ વડિલોને તિર્થસ્થાને લઇ જવામાં ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

 

August 19, 2018
n2.jpg
1min11490

આગામી બકરી ઈદના દિવસે મુસ્લિમ સંપ્રદાયમાં બકરાની સૌથી વધુ કતલ થતી હોય તેવા સંજોગો વચ્ચે જીવદયામાં માનતા દિપા જૈન યુવક મંડળ દ્વારા વધુ મા વધુ જીવતદાન મળે તે આશયથી કતલખાને લઇ જવાઇ રહેલી અંદાજે ૨૦૦ થી વધુ બકરી ને મુક્ત કરવામાં આવી હતી અને તેમને જીવતદાન આપવામાં આવ્યું હતું.

શહેરના જૈન અગ્રણી અને ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયા અગ્રીમ માનવામાં આવે છે. આગામી બકરી ઇદના તહેવારને અનુલક્ષીને શક્ય એટલી ઓછી જીવ હિંસા થાય તે માટે અડાજણ પાટીયા સ્થિત દિપા કોમ્પ્લેક્સના દિપા જૈન યુવક મંડળ દ્વારા કતલખાને લઇ જવામા ંઆવી રહેલી 200થી વધુ બકરીઓને છોડાવવામાં આવી હતી અને તેને જીવન બક્ષવામાં આવ્યું હતું. દિપા જૈન યુવક મંડળની આ કામગીરી સરાહનીય હતી.

ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે કહ્યું કે કતલખાને લઇ જવાતી 200 બકરીઓને મુક્ત કરાવ્યા બાદ તેમને દિપા કોમ્પ્લેક્સ ખાતે લાવવામાં આવી હતી. આ બકરીઓને એવી જગ્યાએ લઇ જવામાં આવશે જ્યાં તેમનો નૈસર્ગિક વાતાવરણમાં ઉછેર થાય અને તે જીવનભર હિંસાનો ભોગ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બકરીઓને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવશે.

August 19, 2018
suratairport1.jpg
1min11310

જુલાઇ 2016થી 15 જુલાઇ 2018 સુધીમાં સુરત એરપોર્ટને લક્ષમાં રાખીને પ્લેન સાથે પક્ષીઓ ટકરાવાની કુલ 22 ઘટનાઓ બની હોવાની સત્તાવાર માહિતી એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે સુરત એરપોર્ટને સાંકળી લેતી બર્ડ હીટની આ 22 ઘટનાઓ પૈકી એક પણ ઘટના અંગે જે તે પ્લેનના પાઇલોટ્સ દ્વારા સુરતના એર ટ્રાફિક કન્ટ્રોલરને કોઇપણ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો.

નિમ્નદર્શિત ડોક્યુમેન્ટ પરથી જાણકારી મળે છે કે 16 જુલાઇ 2016 પછી સુરત એરપોર્ટને કેન્દ્રમાં રાખીને કેટલા બર્ડ હીટ થયા હતા. 16 જુલાઇથી 31 ડિસેમ્બર 2016 સુધીમાં બર્ડ હિટની કુલ 4 ઘટનાઓ બની. કેલેન્ડર વર્ષ 2017માં વિમાન સાથે પક્ષીઓ ટકરાવાની કુલ 14 ઘટનાઓ બની અને 1લી જાન્યુઆરી 2018થી 15 જુલાઇ 2018 સુધીમાં 4 ઘટનાઓમાં પક્ષીઓ પ્લેન સાથે ટકરાયા હોવાનો ખુલાસો એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વણઓળખાયેલી વ્યક્તિને પાઠવવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો છે.

બર્ડ હિટને અનુલક્ષીને કેટલી વખત પાઇલોટ દ્વારા સુરતના એટીસી (એર ટ્રાફિક કન્ટ્રોલર)ને રિપોર્ટ કરવામાં આવ્યો એ અંગેની માહિતી માંગવાના જવાબમાં જણાવાયું છે કે રેકોર્ડ પ્રમાણે બર્ડ હિટની એકેય ઘટનામાં પાઇલોટ દ્વારા સુરત એટીસીને કોઇપણ પ્રકારનો રિપોર્ટ કરાયો નથી.

 

August 17, 2018
tiranga.jpg
1min6330

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્રારા આયોજીત 1100 મીટર લાંબા તિરંગા યાત્રા વખતે ડ્રોનનો ઉપયોગ કરવા ઉપરાંત ડ્રોનને એટલી ભયજનક ઉંચાઇએ ઉડાડ્યું કે સુરત એરપોર્ટ પર આવી રહેલા પ્લેનના પાઇલોટની નજરમાં આવ્યું હતું અને પ્લેન પાઇલોટે એર ટ્રાફિક કન્ટ્રોલરને જાણ કરતા મામલો ગરમાયો હતો. તેના રિપોર્ટને આધારે જ તિરંગા યાત્રાના આયોજક અને ડ્રોનના માલિક સામે પોલીસે ગુનો નોંધી બનેંની અટકાયત કરી છે.

સુરતમાં 72માં સ્વાંત્તત્ર્ય વર્વની ઉજવણીમાં ડ્રોનનો ઉપયોગ કરવાનું  બે લોકોને ભારે પડ્યું હતું, પોલીસે એર ક્રાફુટની કલમ 11 મુજબ ગુનો નોંધી બેની અટકાયત કરી હતી.અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ પંદરમી ઓગસ્ટના રોજ 1,100 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં એરપોર્ટના વિસ્તારમાં 1 હજાર મીટરથી વધુ ઉંચાઈ પર ડ્રોન ઉડાડવા બદલ યાત્રાના આયોજક તેમજ ડ્રોનના માલિક સામે ઉમરા પોલીસ મથકમાં એર ક્રાફ્ટની કલમ 11 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બન્નેની અટકાયત કરી છે.

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની આ યાત્રા એરપોર્ટની નજીક, ઉધના મગદલ્લા રોડ અને સુરત ડુમસ રોડને જોડતા વાય જંક્શન પર પહોંચી ત્યારે ત્યાં 1 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો. રન-વે વિસ્તારમાં આ રીતે એક હજારથી વધુ ઉંચાઈ પર કોઈ પણ વસ્તુ ઉડાડવાથી અકસ્માત સર્જાઈ શકે છે તે જાણતા હોવા છતાં આ રીતે ડ્રોન ઉડાડવા બદલ ડ્રોનના માલિક કમલ રમણ પટેલ અને તિરંગા યાત્રાના આયોજકોમાંથી એક રાહુલ ઓમપ્રકાશ અગ્રવાલ સામે એર ક્રાફ્ટની કલમ 11 તેમજ પોલીસ કમિશનરની જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.

August 14, 2018
court-1280x880.jpg
1min40830

Jayesh Brahmbhatt        98253 44944

તાજેતરમાં સુરતના હજીરા રોડ, ઓએનજીસી સામે શરૂ થયેલી કોર્ટયાર્ડ મેરિયટને ફાઇવ સ્ટાર રેટિંગ્સ મળ્યું છે. આ સાથે જ તાજ ગેટ-વે અને ટીજીબી પછી સુરતની ત્રીજા ફાઇવસ્ટાર હોટેલ બની છે સુરતની કોર્ટયાર્ડ મેરિયટ.

દેશમાં કોઇપણ હોટેલને સ્ટાર રેટિંગ મેળવવું હોય તો એ હોટેલ મેનેજમેન્ટએ ટુરીઝમ મંત્રાલય સમક્ષ એપ્લિકેશન કરવી પડે છે. ટુરીઝમ મંત્રાલય દ્વારા જે તે હોટેલના ઇન્સ્પેકશન માટે પાંચ સભ્યોની કમિટી  બનાવીને તેને સ્થળ તપાસ, સ્થિતિ ચકાસવા માટે મોકલવામાં આવે છે અને એ કમિટી દ્વારા જાંચ-પડતાલ કરાયા બાદ જે તે હોટેલને કેટલા સ્ટારનું સ્ટેટસ મળી શકે તે અંગે ભલામણ કરવામાં આવે છે.

સુરતના હજીરા રોડ પર ઓએનજીસી સામે આવેલી કોર્ટયાર્ડ મેરિયટ હોટેલ દ્વારા ફાઇવ સ્ટાર રેટિંગ માટે ટુરીઝમ મંત્રાલયને અરજી કરાયા બાદ ગઇ તા.10મી ઓગસ્ટ 2018ના રોજ તેનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. કમિટીએ કોર્ટયાર્ડ મેરિયટ હોટેલમાં નિર્ધારિત પેરામિટર્સ ચેક કર્યા બાદ સંતોષકારક સ્થિતિ જોઇને કોર્ટયાર્ડ મેરિયટ હોટેલને ફાઇવસ્ટાર રેટિંગ આપવાનું નક્કી કર્યું હતું. આમ, કોર્ટયાર્ડ મેરિયટ સુરતની ત્રીજા ફાઇવસ્ટાર હોટેલ બની છે.

ફાઇવસ્ટાર રેટિંગ માટે હોટેલમાં કયા પરિબળોને પ્રાથમિકતા અપાય

(1) શારીરિક રીતે સક્ષમ ન હોય તેવા ટુરીસ્ટ્સ માટે કેવા પ્રકારની સુવિધાઓ હોટેલમાં વિકસાવવામાં આવી છે એ સૌથી પહેલા જોવામાં આવે છે.

(2) હોટેલ પ્રિમાઇસીસમાં ગાર્બેજ કલેકશનથી લઇને તેના નિકાલની શું સુવિધાઓ હોય છે એ બાબતને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઘન કચરો, પ્રવાહી કચરો અલગ રીતે અેકત્રિત થાય છે કે કેમ, પ્રવાહી કચરાને ખાતરમાં તબદિલ કરીને ફરીથી ઉપયોગમાં લેવાય છે કે કેમ તે જોવામાં આવે છે.

(3) હોટેલ પ્રિમાઇસીસમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પોતાનો છે કે કેમ તે ખાસ જોવામાં આવે છે.

(4) સિક્યુરિટી સિસ્ટમ્સ કેવી છે, અહીં બેગેજ સ્કેનર્સ છે કે કેમ, મુસાફરો તેમજ અન્ય વાહનોની અવરજવર સ્કેન થાય છે કે કેમ આવી સુવિધાઓ હોવાની ખાસ તકેદારી રાખવામાં આવે છે.

(5) સેફ ટુરિઝમ માટે હોટલ લાયક છે કે કેમ, જેમાં વુમન ટ્રાફિકિંગ, ચાઇલ્ડ એબ્યુઝિંગને પ્રોત્સાહન ન મળે એ અંગે પ્લેજ પણ લેવડાવવામાં આવે છે અને જો આવું કંઇ બનતું હોય તો ત્વરિત તેની જાણ હોટેલ ઓથોરિટીને કરવી પડે છે.

(6) હાઇજિન સ્ટાન્ડર્ડ કેવા છે, આ ફેક્ટરમા ંસ્ટાફ કાફેટેરિયા, સ્ટાફ વોશરુમ્સ, ટોઇલેટ્સ, રેસિડેસ્ન્સ વગેરે ખાસ જોવામાં આવે છે. હોટેલ મેનેજમેન્ટ સ્ટાફને કેવી રીતે રાખે છે તેના પરથી સ્ટાફ ગ્રાહકોને કેવી સુવિધા પુરી પાડતા હોય તે નિયત કરવામાં આવે છે.

(7) રસોડામાં વેજ-નોનવેજ માટેના વાસણો, જગ્યા, ટુલ્સ વગેરે અલગ છે કે કેમ, અલગ કઇ રીતે તારવવામાં આવે છે તેની નિશાનીઓ વગેરે સુવિધા વિકસાવવામાં આવી છે કે કેમ તે અંગે જોવામાં આવે છે.

ઉપરોક્ત અનેક બાબતો પરથી ટુરીઝમ મંત્રાલય દ્વારા નિયુક્ત કમિટી જે તે હોટેલને સ્ટાર રેટિંગ્સ આપે છે.

August 13, 2018
i8.jpg
1min9720

પસંદ થયેલ બાળકોનેઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતા બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોકની તક મળશે

સુરત:ઇન્ડિયા કિડ્સ ફેશન વીક સીઝન 6માટે સુરત ખાતે સફળતાપૂર્વક ઓડિશન યોજાયું હતું. એ.ડી.એફ. ઇન્સ્ટિટ્યૂટખાતે યોજાયેલ ઓડિશનમાં 150જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જે તમામને ગુજરાતના પહેલા મહિલા ફેશન કોરિયોગ્રાફર તેમજ ઇન્ટરનેશનલ બ્યુટી પેઝેન્ટ માટેના ટ્રેઇનર અને ગ્રૂમર મંજુલા અને રિકી દ્વારા ટ્રેઇન કરાયા હતા. આ ઓડિશનમાં જૂરી તરીકે કિરણ પાજવાની અને પુનીત ઉપસ્થિત રહ્યા હતા.

ઓડિશનના અંતિમ રાઉન્ડ બાદ પસંદ થયેલા બાળકોને ઇન્ટરનેશનલ રનવે શોમાં જાણીતી બ્રાન્ડ્સ અને ડિઝાઇનર્સ માટે રેમ્પવોક કરવાની તક મળશે. આગામી 15મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે ઓડિશનયોજાશે. જેમાં જૂરી તરીકે મંજુલા અને રિકી ઉપસ્થિત રહેશેજેઓએ આજ સુધી 500 થી વધુ બાળકોને ટ્રેઇન કર્યા છે.

 

-x-x-x-x-

August 13, 2018
piy.jpg
1min16460

સુરત :પર્સનાલિટીના ક્ષેત્રે સફળતાના ગુરુ કહેવાતા પૂજા અને પિયુષ વ્યાસ દ્વારા નવા કન્સેપ્ટ શો કેસ અને ડિગ્નિટિ વોક સાથે એક અનોખા બ્રાન્ડ શો કેસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડુમસ રોડ સ્થિત અવધ ક્લબ ખાતે ભવ્ય રીતે આ કાર્યક્રમ યોજાયો હતો.

પહેચાન-2018-સ્ટેમ્પ યોર આઇડેન્ટિટી કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ થી માંડીને અલગ-અલગ કાર્યક્રમ માં સફળ થયેલા મહાનુભાઓએ પોતાની સફળતા ગાથા વર્ણવી હતી જેમાં ડો અતુલ અભ્યંકર, શ્રી અરવિંદ તેજાણી,શ્રી જસમત વિડિયા,શ્રી કનુભાઈ ટેલર, ડો નીરજ ગોએંકા, સીએ રવિ છાવછરિયા,શ્રી હિરેન કાકડિયા,શ્રી વિલિશ પટેલ,શ્રી હર્ષદ પંડ્યા,શ્રી રાજેન્દ્ર શેઠ,શ્રી અમીશમાલજી,શ્રી વિજય કલાલ,શ્રી મુકેશ પટેલે પોતાની સક્સેસ સ્ટોરી ની સાથે અત્યાર સુધીની સફર વર્ણવી હતી.

આ વખતની સિઝનમાં મુંબઈની સેલિબ્રિટી શુભ મલ્હોત્રા તથા વિશાલ કપૂર જેવા લોકોએ ભાગ લીધો હતો. તેમના દ્વારા તેમના જીવનમાં ઉતાર-ચઢાવ, સફળતા તેમ જ અંગત વાતો સાથે અત્યાર સુધીની સફર વર્ણવી હતી. મિસિસ ટિઆરા ઈન્ડિયાનુ 2018તાજેતરમાં જ ટાઇટલ મેળવ્યા બાદ શ્રીમતી પૂજા વ્યાસે સુરતની પ્રતિસ્થિત કપડા તેમજ જ્વેલરીની બ્રાન્ડને એક અનોખો અંદાજ સાથે બ્રાન્ડ શો કેસના નામ સાથે જેમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓ જેમણે ફેશન વોકની તાલીમ અને માર્ગદર્શન આપી પ્રતિસ્થિત બ્રાન્ડ માટેનુંકેટવોક કરાયું હતું. તેમને માર્ગદર્શન અને તાલીમ આપી હતી.

આ અંગે પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે કંપની ને સૌ કોઈ ઓળખે છે પરંતુ એ બ્રાન્ડની સક્સેસ સ્ટોરી શું છે? કંપનીણે બનાવનાર વ્યક્તિની મહેનત અને દિશાદ્રષ્ટિ શું હતી તે ભાવિ પેઢીને ખબર પડે તે માટે પહેચાન-2018-સ્ટેમ્પ યોર આઇડેન્ટિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે પૂજા વ્યાસે જણાવ્યું હતું કે સામાન્ય રીતે હંમેશા બ્રાન્ડની ધારણા હોય છે. તેમજ માર્કેટિંગ પ્રોફેશનલ મોડલ દ્વારા જ કરાવવું જોઈએ. જ્યારે બ્રાન્ડ શોકેસમાં દરેક રંગ, રૂપ કે વજનની યુવતી તેમજ મહિલાઓની પસંદગી રેમ્પ માટે કરાઇ હતી.કારણ કે પૂજા વ્યાસ માને છે કે દરેક મહિલા સુંદર છે અને ખાસ છે. બ્રાન્ડની પ્રોડક્ટ કે સર્વિસની ખરીદી કરતી હોય છે.

-x-x-x-x-

 

August 13, 2018
yogichok-1-1280x721.jpg
1min5850

વરાછાના યોગીચોક ખાતે બિલ્ડરના ઇશારે ડિમોલિશનની હરકત થતાં મામલો ગરમાયો હતો

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત યોગી ચોક વિસ્તારમાં મોટા ગજાના બિલ્ડર ગણાતા હિન્દવા ગ્રુપના એક પ્રોજેક્ટને નડતર રૂપ સ્થાનિક સોસાયટીવાસીઓની દિવાલ તોડવા માટે સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહી કરતા મોટું ટોળું એકત્રિત થઇ ગયું હતુ અને સુરત મહાનગરપાલિકાએ કામગીરી પડતી મૂકવી પડી હતી.

સમગ્ર મામલા અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વરાછાના યોગીચોક ખાતે આવેલી પેરેડાઇઝ રેસિડેન્સી પ્રોજેક્ટના રહેવાસીઓએ તેમના મંજૂર પ્લાન અનુસાર એક દિવાલનું ચણતર કરાવ્યું હતું. આ પ્રોજેક્ટને અડીને જ અનુપમ બિઝનેસ હબ નામે હિન્દવા ગ્રુપનો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અનુપમ બિઝનેસ હબ પ્રોજેકટ માટે પેરેડાઇઝ સોસાયટીવાસીઓએ ચણેલી દિવાલ નડતરરૂપ હોઇ મોટા ગજાના બિલ્ડરોએ પાલિકાના એક અધિકારી સાથે સાંઠગાંઠ કરીને આજે દિવાલનું ડિમોલિશન કરવાની પેરવી કરાવી હતી. જેની સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોતજોતામાં એકત્રિત થઇ ગયેલા ટોળાએ પાલિકા સ્ટાફ અને  મુકેશ નામના બિલ્ડરનો હૂરીયો બોલાવ્યો હતો. મામલો ગરમાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ તુરત ડિમોલિશન પડતું મૂકવું પડ્યું હતું.

ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ હિન્દવા ગ્રુપ દ્વારા પ્રોજેક્ટના પહેલી વખતના મંજૂર પ્લાનમાં રિવાઇઝ કરીને કેટલીક ગેરરીતિ આચરવામા ંઆવી છે જે અંગે પણ તપાસ કરવા માટે સ્થાનિક રહેવાસીઓએ પાલિકાને રજૂઆત કરી છે. સુરત મહાનગરપાલિકાએ સોસાયટીવાસીઓની દલીલને માન્ય રાખતા 5 દિવસમાં આ મુદ્દાનું નિરાકરણ લાવવા અંગે જણાવ્યું છે.