CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 75 of 81 - CIA Live

September 27, 2018
kanji2-1280x960.jpg
1min7870

સહકારી બેંકિંગ ક્ષેત્રે અગ્રણી હરોળમાં જેનું નામ લેવાય છે એ વરાછા કો.ઓ.બેંક સુરતએ નક્કર અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. દક્ષિણ ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેડરેશન (સ્કોબા) તરફથી કેરળના કોવાલમ ખાતે તાજેતરમાં સ્કોબા એવોર્ડ 2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત થયા હતા. જેમાં વરાછા કો.ઓ. બેંકને તેની કામગીરી અને વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ એવોર્ડ એનાયત કરાયા હતા.

વર્ષ 2017-18 બેંકિંગ ક્ષેત્ર માટે મુશ્કેલીભર્યું રહ્યું હતું. એવા સમયમાં વરાછા કો.ઓ. બેંકએ ધિરાણમાં 33 ટકા અને થાપણમાં 10 ટકાનો ગ્રોથ કર્યો છે. આ કામગીરી માટે સ્કોબાએ વરાછા બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્સન એવોર્ડ એનાયત કર્યો હતો. વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ માટે પણ વરાછા બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને  એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની તમામ સહકારી બેંકોમાં વિવિધ માપદંડને આધારે 23 બ્રાન્ચ અને રૂ.2100 કરોડનો બિઝનેસ ધરાવતી વરાછા બેંકને 2017-18 માટે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખાસ એવોર્ડ આપીને તેના વર્તમાન ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાને બહુમાનિત કરાયા હતા. વરાછા કો.ઓ. બેંક વતી શ્રી કાનજીભાઇ ભાલાળાએ ત્રણેય એવોર્ડ સ્વીકાર્યા હતા. બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા તથા બેંકના મહિલા ડિરેક્ટર શ્રીમતી વિમળાબેન વાઘાણીની આખી ટીમ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને બહુમાન સ્વીકાર્યું હતું.

September 25, 2018
DARSHAN_naik.jpg
1min10190

સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે જિલ્લા પંચાયત અધિકારીથી લઇને રાજ્ય સરકારને સુરત જિલ્લામાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો કે જેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તે અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા આક્રમક રજૂઆતો કરી

સુરત જિલ્લાના રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના સિનિયર મેમ્બર દર્શન નાયકએ આજે જિલ્લા પંચાયત અધિકારીને લેખિત રજૂઆતોમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના વિસ્તારોમાં પાણીજન્ય અને જંતુ જન્ય રોગચાળાના કેસો વકરી રહ્યા છે. સુરત જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, માંગરોળ તાલુકાઓમાં ઔદ્યોગિકીકરણને કારણે અહીં ગીચ વસતિ આકાર પામી છે. બીજા જિલ્લામાંથી આવેલા ગરીબ પરિવારો કાચા પાકા આવાસોમાં વસવાટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રહેતા લોકોને લૂંટવા માટે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને ચોર્યાસી તાલુકામાં સૌથી વધારે બોગસ તબીબો બેરોકટોક પણે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં કીમ, સાયણ, દેલાડ વગેરે જેવા ઘણાં ગામોમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. પલસાણ તાલુકામાં ચલથાણ, વરેલી, જોળવા, તાતીથૈયા જેવા વિસ્તારોમાં, માંગરોળ તાલુકામાં મોટા બોરસરા, પીપોદરા, સીયાલજ, કીમ ચોકડી, બંભોરા, માંડવી તાલુકામાં કરંજ, હરીયાલ, વગેરે વિસ્તારમાં જિલ્લા પંચાયતની ટીમોએ રેડ પાડીને બોગસ પ્રેક્ટિસ કરી રહેલા તબીબો સામે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો અનુસાર કાર્યવાહી કરવી જોઇએ.

શ્રી દર્શન નાયકે કહ્યું કે અગાઉ તંત્રવાહકોને 30 બોગસ તબીબોના નામ સરનામા, પ્રેક્ટિસના સ્થળો સમેતની વિગતો સાથે લેખિતમાં રજૂઆતો કરી હતી આમ છતાં એકેય તબીબ સામે કેમ કાયદેસરની કાર્યવાહી થઇ નહીં, તેમણે તંત્રવાહકોની બોગસ તબીબો સાથે મિલીભગત હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સુરત જિલ્લામાં બેરોકટોક પણે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ઇસમો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તેઓ સારવારની યોગ્ય પદ્ધતિ નહીં જાણતા હોવા છતાં એલોપેથી દવાઓ, ઇન્જેકશન આપીને લોકોના જીવનને ભયમાં મૂકી રહ્યા છે.

September 21, 2018
4-1280x720.jpg
1min42930

જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સે તા.21મી સપ્ટેમ્બર 2018ને શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવેલા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીનો કાળા વાવટા બતાવીને વિરોધ પ્રદર્શન કરતા સુરતની ખટોદરા પોલીસે વિવર્સ અગ્રણી શ્રી અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, વિજય માંગુકીયા, નિરવ સભાયા સમેત ચારની અટકાયત કરી હતી. કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની સિન્થેટિક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ટેકસ્ટાઇલ એક્ઝિબિશનના ઉદઘાટન સમારંભમાં આવ્યા હતા. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારભારીઓ આ ઘટના પછી મોટા સંકટમાં ફસાય જવા પામ્યા છે. વિવર્સ અગ્રણીઓ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યા હતા.

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

(સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા બતાવી રહેલા વિવર્સ અગ્રણીઓને પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયતમાં લીધા તેના લાઇવ દ્રશ્યો)

35 દેશના 200 જેટલા ખરીદારો સરસાણા ડોમમાં ઉપસ્થિત હોય અને કેન્દ્રના નાણામંત્રી સમેતના અગ્રણીઓની હાજરીમાં સુરતના વિવર્સે કાળા વાવટા તેમજ વિરોધ પ્રદર્શિત કરતા સુરત માટે નીચા જોણું થયું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આ ઘટના નાલેષીજનક બની છે. કેન્દ્રીય નાણામંત્રી સ્મૃતિ ઇરાની પણ આ બાબતથી નારાજ થયા હતા અને તેમણે ચેમ્બર આગેવાનોને પણ આ મુદ્દે કહ્યું હતું કે સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ કેમ પરિસ્થિતિ કાબૂમાં રાખી શક્તી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સ્મૃતિ ઇરાનીએ આજના પ્રદર્શનના મુદ્દે સુરતના ચેમ્બર અગ્રણીઓને પણ દિલ્હી તેડાવ્યા છે.

સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવર્સે જબરદસ્ત હંગામો કર્યો હતો અને હાય રે સ્મૃતિ ઇરાની હાય હાય અને ભાજપ મુર્દાબાદ તથા હમ અપના હક માંગતે હૈ નહીં કીસી સે ભીખ માંગતે જેવા નારા લગાવ્યા  હતા.

ચેમ્બર ઓફ કોમર્સે સમારંભ પછી તરત જ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ હાથ ધરવું પડ્યું

સ્મૃતિ ઇરાનીની હાજરીમાં તેમજ વિદેશી બાયર્સની ઉપસ્થિતિ વચ્ચે સુરતમાં વિવર્સ એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ કાળાવાવટા બતાવવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ ચેમ્બરના આગેવાનોનો ઉધડો લીધો હતો. જેવા સ્મૃતિ ઇરાની વિદાય પામ્યા હતા કે તરત જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અાગેવાનોએ ડેમેજ કન્ટ્રોલ મેનેજમેન્ટ શરૂ કરી દીધું હતું. આ મુદ્દે મિડીયા ટ્રાયલ ન થાય અને કેન્દ્ર સરકારને નીચાજોણું ન થાય તે હેતુથી પત્રકારોને પણ ફોન કરીને આ મુદ્દે વધુ તુલ ન અપાય તેવી રજૂઆતો ચેમ્બર આગેવાનોએ કરવી પડી હતી. ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ સોશ્યલ મિડીયામાં મેસેજ પણ વહેતા મૂકવા પડ્યા હતા કે રાજકીય લાભ ખાટવા માટે વિવર્સ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.

 

You Can Find us on Google Play Store

September 20, 2018
new_civil_hospital.jpg
1min7630

Jayesh Brahmbhatt   98253 44944

તાજેતરમાં કેગ (ક્રોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ની ટીમ દ્વારા ગુજરાતની સરકારી હોસ્પિટલ્સની મુલાકાત લેવામાં આવી હતી, એ દરમ્યાન એવી સ્થિતિ જોવા મળી કે સુરત સિવિલ હોસ્પિટલ અને જામનગર સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી (તાત્કાલિક સારવાર) વિભાગ આઇ.સી.યુ. વગર જ ચાલી રહ્યા છે. કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને કેગની ટીમે રજૂ કરેલા આ રિપોર્ટને કેગ દ્વારા ગુજરાત સરકારને સુપરત કરવામાં આવેલા રિપોર્ટમાં સમાવવામાં આવ્યો છે.

કેગનો રિપોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વહીવટની ચાડી ખાય છે અને કેગના રિપોર્ટ બાદ ગમે તેવા જડ તંત્રમાં પણ સુધારો થઇ જતો હોય છે. આ વખતે કેગના રિપોર્ટની અડફેટે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સરકારી મેડીકલ કોલેજો પણ ચાલી રહી છે એ આવી છે. કેગની ટીમ દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવતી હેલ્થ સેવાઓનું મૂલ્યાંકન કરવા માટે મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કેગની ટીમે એવું નોંધ્યું હતું કે સુરત અને જામનગરની સિવિલ હોસ્પિટલમાં કેઝ્યુલિટી વિભાગ ઇમરજન્સી સારવાર વિભાગ આઇસીયુ વગર જ ચલાવવામાં આવે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ હોસ્પિટલો વર્ષોથી નહીં દાયકાઓથી ચાલે છે અને ક્યારેય કોઇ તબીબ કે હોસ્પિટલના વડાને આઇસીયુ વગર ચાલતા કેઝ્યુલિટી વિભાગને ઠીકઠાક કરવાની જરૂરીયાત મહેસૂસ થઇ નહીં એ બાબત પણ કેગની ટીમને હેરાન કરનારી નિવડી છે. કોઇપણ હોસ્પિટલ હોય ત્યાં તાત્કાલિક સારવાર વિભાગ સાથે આઇસીયુ હોય જ અને એ કાયદાકીય નોર્મ્સ અનુસાર પણ જરૂરી છે. આમ છતાં દાયકાઓથી ચાલતી આ સરકારી હોસ્પિટલમાં માળખાગત સુવિધાની આ મોટી ક્ષતિ સુધારવાની દરકાર અત્યાર સુધીના કોઇ અધિકારીએ લીધી નહીં.

કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છેકે સુરત સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ. છે પરંતુ, એ કેઝ્યુલિટી ડિપાર્ટમેન્ટથી દૂર છે. આકસ્મિક સંજોગોમાં ઘનિષ્ઠ સારવાર માટે દર્દીને આઇસીયુ સુધી મોકલતા સુધીમાં જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થઇ જાય તો જવાબદારી કોની..

એવું માનવામાં આવે છે કે કેગના રિપોર્ટ પછી દાયકાઓથી ચાલી આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હવે કેઝ્યુલિટી વોર્ડમાં આઇસીયુ સુવિધા આગામી દિવસોમાં ઉભી કરવામાં આવશે.

September 19, 2018
surat-e1490634420589.jpg
1min11520

જયેશ બ્રહ્મભટ્ટ    98253 44944

નોટબંધી પછી કેશ લિક્વીડિટીની સમસ્યાના કારણે અને એ પછી રેરા કાયદાને કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ મંદીની ગર્તામાં ધકેલાય ગયો હતો જોકે, આજકાલ સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ એટલે કે ઇકોનોમી ક્લાસ અને મિડીયમ ક્લાસના પ્રોજેક્ટસ, ફ્લેટ્સમાં સારી એવી ઘરાકી નીકળી હોવાનો મત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યા છે. સુરતના રિયલ એસ્ટેટ બિઝનેસની વાત કરીએ તો ફાર્મ હાઉસ, લક્ઝુરીયસ એપાર્ટમેન્ટસ, વીકએન્ડ હોમ, સ્ટુડીયો ફ્લેટ્સ વગેરે જેવા પ્રોજેક્ટસ કરનારા બિલ્ડરો પાસે ઘરાકી નથી જ્યારે વાસ્તવિક રહેવા માગતા ફેમિલી એફોર્ડેબલ હોમ્સ એટલે કે રૂ.40થી 65 લાખની રેન્જના ફ્લેટ્સની ખરીદી સારી એવી કરી રહ્યા છે.

એફોર્ડેબલ હોમમાં સારી ઘરાકી, ફાર્મ હાઉસ અને લક્ઝુરીયસ પ્રોજેક્ટ કરતા બિલ્ડરો નવરાધૂપ

રૂ.40લાખથી 65 લાખના ફ્લેટ્સના ખરીદારો 

સુરતના રિયલ એસ્ટેટ માર્કેટ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે જુદા જુદા જેમકે બિલ્ડર્સ, ડેવલપર્સ, બેંક ઓફિસર્સ તેમજ મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ જે બાંધકામની પરવાનગી આપવા સાથે સંકળાયેલા છે તેમની સાથે હાલમાં રિયલ એસ્ટેટ ઉધોગની સ્થિતિ અંગે વાતચીત કરી એનો નિષ્કર્ષ એ આવ્યો કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જેટલી મંદીની બૂમો પડી રહી છે તેવી સ્થિતિ નથી. એફોર્ડેબલ હાઉસિંગમાં ગ્રાહકો મળી રહ્યા છે અને રૂ.40થી 65 લાખની વચ્ચેની કિંમતના મકાનો, ફ્લેટ્સ વેચાઇ રહ્યા છે. શહેરના એક બિલ્ડરએ જણાવ્યું કે ઇકોનોમી રેન્જ નહીં કહી શકાય પણ મિડલ ક્લાસ અને લૉઅર મિડલ ક્લાસ ફ્લેટ્સ ખરીદી રહ્યા છે. ખાસ કરીને વેસુ, જહાંગીરપુરા અને પાલ એરીયામાં 50 લાખનું બજેટ હોય તેવા પ્રોજેક્ટસમાં ઘરાકી જોવા મળી રહી છે. એવી જ રીતે કતારગામ અને વરાછામાં પણ એફોર્ડેબલ હાઉસિંગમાં કોઇ મંદી જોવા મળતી નથી.

બજારમાંથી ઇન્વેસ્ટર્સ ઓછા થઇ ગયા એટલે લિક્વિડીટી મળતી બંધ થઇ 

શહેરમાં જાણીતી બ્રાન્ડના ડેવલપરએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાંથી ઇન્વેસ્ટર્સ સાવ ઓછા થઇ ગયા છે. નોટબંધી અને એ પછી રેરાના કાયદો એવો આવ્યો છે કે ઇન્વેસ્ટર્સ કે જે અગાઉ પ્રોજેક્ટમાં ફ્લેટ, રો હાઉસ, દુકાનો કે ઓફિસોમાં બ્લેક મની રોકી રાખતા અને નફો મળે એટલે નીકળી જતા હતા એ સાવ બંધ થઇ જતા હવે બિલ્ડર્સને લિક્વિડટીનો પ્રોબ્લેમ નડી રહ્યો છે. એ સિવાય રિયલ રહેવાવાળા, વપરાશકર્તાઓ ખરીદી માટે આવી રહ્યા છે તેમાં કોઇ બે મત નથી.

ફાર્મ હાઉસ લેવાવાળા સામે પ્રોપર્ટી વળગાડવાની ઓફર કરી જાય છે

બીજી તરફ, શહેરની ફરતેના વિસ્તારોમાં ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટસની ભરમાર લોંચ થઇ ચૂકી છે પરંતુ, છેલ્લા બે વર્ષથી સતત ફાર્મ હાઉસ પ્રોજેક્ટસના બિલ્ડર્સ ઘરાકીનો અભાવ સહન કરી રહ્યા છે. ફાર્મ હાઉસના પ્રોજેક્ટ રૂ.2 કરોડથી લઇને રૂ.5 કરોડ સુધીના હોઇ બજારમાં નાણાંભીડને કારણે એલીટ ક્લાસના કસ્ટમર્સ પણ આવી ખરીદીથી દૂર ભાગી રહ્યા છે. ઓલપાડ વિસ્તારમાં ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ ધરાવતા એક બિલ્ડરે કહ્યું ફાર્મ હાઉસ ખરીદવા માટે અઠવાડીયે એકલ દોકલ લોકો આવે છે અને એ પણ હવાલામાં કે બદલામાં મિલકત ઓફર કરી રહ્યા છે. શહેર ફરતેના મોટા ભાગના ફાર્મ હાઉસીસના પ્રોજેક્ટમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

લક્ઝુરીયસ ફ્લેટ્સ બિલ્ડરોનું બ્લડ પ્રેશર વધારી રહ્યા છે

શહેરમાં જ્યારે તેજીનો માહોલ હતો ત્યારે 3-3 કરોડમાં પણ ફ્લેટો વેચાયા હતા. આવી સ્થિતિમાં એ સમયે નોટબંધી ન હતી કે રેરા પણ ન હતું. પરંતુ, છેલ્લા બે વર્ષમાં પરિસ્થિતિ બદલાઇ જતા, હાલમાં દોઢ કરોડથી ઉપરની કિંમત ધરાવતા ફ્લેટોનું વેચાણ સાવ મંદ થઇ જવા પામ્યું છે. વેસુ વિસ્તારમાં લક્ઝરીયસ પ્રોજેક્ટ માટે દલાલી કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે હાલમાં ગ્રાહકો સ્પેશિફિક બજેટ લઇને આવે છે, રીયલ રહેવાવાળા માટે એક કરોડનું બજેટ પણ મોટું થઇ પડે છે. મોટા ભાગના લક્ઝરીયસ પ્રોજેક્ટના ફ્લેટસ ખાલી પડી રહ્યા છે અને તેનું મેઇન્ટેનન્સ કરવું હવે બિલ્ડરો માટે માથાનો દુખાવો બની રહ્યું છે.

September 18, 2018
suratairport.jpg
1min8780

Jayesh Brahmbhatt  98253 44944

વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં જેમ સુરત શહેરનું નામ ચર્ચામાં આવે છે તેમ હવે ભારતના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટસમાં સુરત એરપોર્ટનું નામ રોકેટ ગતિઓ આગળ આવી રહ્યું છે.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ મુજબ ગત ઓગસ્ટ 2018 નો મહિનો એવો હતો કે સુરત એરપોર્ટ પર કોઇ એક મહિનામાં સૌથી વધુ મુસાફરોની આવન-જાવન થઇ છે. ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી કુલ 88,653 મુસાફરોએ ક્યાં તો સુરત એરપોર્ટ પર લેન્ડ કર્યું ક્યાં તો ટેક ઓફ કર્યું. અને ચાલુ સપ્ટેમ્બર 2018ના એક મહિનામાં સુરત એરપોર્ટ પરથી આવન-જાવન કરનારા મુસાફરોની સંખ્યાનો આંકડો એક લાખ પર પહોંચી જશે એમાં કોઇ બેમત નથી જણાતો.

સુરત એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર આંકડાઓ આ મુજબનું ગ્રાફિકલ પિક્ચર રજૂ કરી રહ્યા છે.

સુરતએ આમ તો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે પરંતુ, ઓગસ્ટ 2018માં સુરત એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓનો આ આંકડો ચાલુ સપ્ટેમ્બર 2018ના મહિનામાં એક લાખ મુસાફરોનો માઇલસ્ટોન હાંસલ કરે તેવો પણ આશાવાદ સેવાય રહ્યો છે.

આ અંગે વધુ વિગતો આપતા સુરત એરપોર્ટ માટે સતત પ્રયત્નશીલ સુરતીઓ પૈકીના શ્રી મનોજ સિંગાપુરીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2018 મહિનાના અંતે સુરત એરપોર્ટથી એક જ મહિનામાં 1 લાખથી વધુ પેસેન્જરોની આવન-જાવન નોંધાશે અને એ એક માઇલસ્ટોન સાથે ઇતિહાસ પણ બનશે એમાં બે મત નથી. આ માટે મજબૂત કારણ આપતા મનોજ સિંગાપુરી કહે છે કે ઇન્ડિગો એરલાઇન્સની જે ફ્લાઇટ્સ ઓગસ્ટ 2018માં શરૂ થઇ હતી એ મધ્ય ભાગથી શરૂ થઇ હતી. પ્રથમ બે સપ્તાહમાં આ ફ્લાઇટ ન હોવાથી પેસેન્જરની સંખ્યા ન હોય સ્વાભાવિક છે. પણ હવે સપ્ટેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સના મુસાફરોની સંખ્યા આખો મહિનો ગણનામાં આવશે એટલે સુરત એરપોર્ટ કોઇ એક મહિનામાં 1 લાખની મુસાફરોની સંખ્યાના લક્ષ્યાંકને સરળતાથી પાર કરી દે તેવું હાલ તુરત તો નિશ્ચિત મનાય છે.

વધુમાં હાલમાં સુરત એરપોર્ટ પર દૈનિક 26 ફ્લાઇટ્સ (વિમાનો) આવે છે અને 26 વિમાનો પરત જાય છે. સપ્ટેમ્બર 2018માં કોઇ નવી ફ્લાઇટને અવકાશ જણાતો નથી, પણ ઓક્ટોબર 2018માં સુરતને વધુ બે નવી ફ્લાઇટ્સ મળી રહી છે.

(સુરત એરપોર્ટનું ઉપરોક્ત સમયપત્રક ઓક્ટોબર 2018થી અમલી બનશે)

 

September 18, 2018
trenn.jpg
1min10120
  • 19 હજારથી વધુ છોડો રોપીને ગ્રીનમેન તરિકે ઓળખ ઉભી કરનાર યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈનો અનોખો પ્રયાસ 
  • ટ્રી ગણેશા સાથે સ્થાપિત કરેલી નાનકડી પ્રતિમાનું પણ સ્થળ પર જ વિસર્જન કરી તે માટીમાં છોડોનું વાવેતર કરાશે

 

સુરત. ગણેશ ઉત્સવનો શહેરભરમાં માહોલ જામ્યો છે ત્યારે સ્થાપિત થયેલી હજારો પ્રતિમાઓની વચ્ચે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા સુરતના જ એક યુવાન ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટ્રીમાં ટ્રી ગણેશાની સ્થાપના કરી છે.  આ ઉદ્યોગપતિનું નામ છે વિરલ સુધીરભાઈ દેસાઈ. વિરલ દેસાઈ છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આ કાર્ય માટે તેમણે હાર્ટસ એટ વર્ક ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેઓ વૃક્ષા રોપણનું અભિયાન ચલાવી રહ્યા છે.  આ અભિયાન હેઠળ તેઓ અત્યાર સુધી 19 હજારથી વધુ છોડોનું રોપણ કરીને ગ્રીનમેન તરિકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. ત્યારે ગણેશ ઉત્સવને પણ તેમને પર્યાવરણ સંરક્ષણની સાથે જોડયો છે અને પોતાની ફેક્ટરીમાં જ એક વૃક્ષને ગણપતિનું રૂપ આપીને સાથે માટીની એક નાનકડી પ્રતિમાની સ્થાપના કરી છે. દસ દિવસની આરાધના બાદ આ પ્રતિમાનું સ્થળ પર જ વિસર્જન કરવામાં આવશે અને ત્યારબાદ એ માટીમાં છોડ રોપવામાં આવશે.

એટલું જ નહીં પણ વિરલ દેસાઈ ગણેશ ઉત્સવ દરમિયાન પણ રોજ વૃક્ષારોપણ કરી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન તેઓ વી.આર.પોપાવાલા ખાતે 68 અને સિવિલ હોસ્પિટલ સ્થિત છાંયડો ખાતે 82 છોડ રોપી ચૂક્યા છે.

વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રકૃતિ એ જ ભગવાન છે ત્યારે પ્રકૃતિનું સંરક્ષણ કરવી એ જ સાચી ભક્તિ છે.આ અનોખા આયોજન પાછળનો ઉદ્દેશ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે લોકો ને જાગૃત કરવાનો છે.

-x-x-x-x-

 

September 12, 2018
blend.jpg
1min12740
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યમાં આવેલી દારુની કાયદેસરની દુકાનો એટલે કે પરમીટ લિકર શોપમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદી જુદી જાતના દારુની ગંભીર અછત વર્તાય રહી છે. પરમિટ હોલ્ડરને દારુ ખરીદવા માટે પહેલા જે પ્રકારની ચોઇશ મળતી હતી તેને બદલે હવે બે-પાંચ બ્રાન્ડ પૈકી જે બ્રાન્ડ હાજર હોય તો બ્રાન્ડ લઇને ચાલતી પકડવી પડે છે. આનું કારણ દારુ બનાવતી ડિસ્ટલરીઓ, કંપનીઓ દ્વારા ગુજરાતની પરમિટ શોપમાં દારૂનો સપ્લાય બંધ કરી દીધો હોવાનું જાણવા મળે છે. એક તરફ
(1) રાજ્ય સરકારે નવી પરમિટ આપવાનું બંધ કરી દીધું છે
(2) જુની પરમિટ રિન્યુ કરવાનું બંધ કરી દીધું છે
(3) દારુની દુકાનો પર પ્રાઇશ ટેગ લખ્યા વગરની બોટલો વેચવાનું બંધ કરાવી દીધું છે અને
(4) દારુની દુકાનોમાં વેચાતી જુદી જુદી બ્રાન્ડ માટેની બોટલનો લઘુત્તમ ભાવ નક્કી થઇ શકે તે સબબની ફાઇલને મંજૂરી આપવાનું કામ વિલંબમાં નાંખ્યું છે.
આવા કારણોસર ગુજરાતમાં કાયદેસર રીતે પરમિટ લઇને દારુ પીનારા લોકો માટે મુસિબતોનો પાર રહ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું આશ્વાસન લઇ રહી છે કે તેઓ ગુજરાતમાં દારુબંધીનો ચૂસ્ત અમલ કરી રહ્યા છે. હકીકત એ છે કે જે રાજ્યોમાં દારુ મુકિ્ત છે તેના કરતા વધુ દારુ જ્યાં દારુબંધી છે એ ગુજરાતમાં વેચાય છે અને પીવાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પરમિટ શોપમાં પહેલાની જેમ જુદી જુદી જાતના દારુની વેરાયટી બ્રાન્ડ મળતી હતી તે મળવાનું બંધ થવા પાછળનું કારણ પરમીટ શોપ માટે રાજ્ય સરકારે નક્કી કરેલા નવા નિયમો છે.
દારુની બોટલનો યુનિટ રેટ નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતની લિકર શોપમાં ફેક્ટરીઓ દારુ સપ્લાય નહીં કરે
થોડા મહિના અગાઉ રાજ્યના તોલમાપ વિભાગે કેટલીક પરમીટેડ લિકર શોપ ઉપર કાર્યવાહી હાથ ધરીને કિંમત દર્શાવ્યા વગરની દારૂની બોટલો વેચવાના આરોપ સર લિકર શોપ માલિકોને લાખો રૂપિયા દંડ ફટકાર્યો હતો. આટલેથી આગળ વધીને સરકારે દારૂની ફેક્ટરીઓને નોટિસ આપીને દારુની પ્રત્યેક બોટલો પર લઘુત્તમ ભાવ છાપવા સબબની ચીમકી આપી હતી. આ નોટીસના જવાબમાં ફેક્ટરી દ્વારા ગુજરાત સરકારને ગુજરાતમાં લાગુ પડતા વિવિધ વેરા અને દુકાન માલિકના નફાની ટકાવારીની માહિતી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
દારુની બોટલનો પ્રતિ યુનિટ દર નક્કી કરવા માટે  ગુજરાતમાં લાગુ પડતા વેરાઓ તેમજ નફા અંગેની તમામ માહિતી હોવી અનિવાર્ય છે. હવે દારુની ફેક્ટરીઓને પહોંચાડવા સબબની માહિતીની ફાઇલ  સરકારમાં જુદા જુદા કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં ખો-ખોની રમતનો દાવ આપી રહી છે.
ગુજરાતમાં ભરવા પાત્ર ટેક્સ તેમજ અન્ય માહિતીના અભાવે દારુની ડિસ્ટલરીઓ, ફેક્ટરીઓ દ્વારા કિંમત છાપ્યા વગરનો માલ ગુજરાતની લિકર શોપમાં સપ્લાય કરવાનું બંધ કરી દેવાયું છે. અને આ જ કારણે રાજ્યની પરમીટ શોપ કહો કે લિકર શોપમાં દારુ પીનારાઓની ભાષામાં કહીએ તો માલ મલવાનો બંધ થઇ રહ્યો છે.

We are in Google Play store too….

September 11, 2018
azura-1280x856.jpg
1min6330

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવે કર્યું ઉદઘાટન

સુરત, સપ્ટેમ્બર 2018: હેલ્થકેર અને વેલનેસ ક્ષેત્રે નામના ધરાવતી અઝુરા વેલનેસ ક્લબનાબીજા સેન્ટરનું શનિવાર, તા. 8સપ્ટેમ્બરના રોજ કેનોપસ મોલ, પાર્લે પોઈન્ટ સર્કલ, ઘોડ દોડ રોડ ખાતે ધમાકેદાર લોન્ચીંગ કરી હતી.જેનું ઉદઘાટન બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા અમૃતા રાવેકર્યું હતું.

આ પહેલા અઝુરા વેલનેસ ક્લબના પહેલા સેન્ટરનું ઉદઘાટન 23મી એપ્રિલ 2017ના રોજ ટ્રીનીટી સિગ્નસ, સોમેશ્વરા ચાર રસ્તા, સુરત ખાતે બોલીવુડની પ્રસિદ્ધ અદાકારા ઝરીન ખાનેકર્યું હતું.

“અઝુરા” શબ્દનો અર્થ શક્તિશાળી અને સંપૂર્ણ થાય છે, આમ આ બ્રાન્ડ આપણી આંતરિક શક્તિ તેમજ મગજ, શરીર અને આત્મા જેવા શરીરના મૂળભૂત તત્વોના પોષણને મહત્વ આપી રહી છે. તેના માટે ક્લબમાં રીલેક્સીંગ, મિકેનીકલ, પેસીવ, ઇન્વેસીવ અને નોન-ઇન્વેસીવ થેરાપીનું સંયોજન ઉપલબ્ધ કરાશે, આ થેરાપી દરેક વ્યક્તિની જરૂરિયાત માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેને સામાન્ય બનાવવા, અઝુરાએ બાહ્ય દુનિયાની અરાજક્તાને ભૂલીને  માનસિક રીતે શાંત અને આરામપ્રદ રહેવાની જગ્યા ડિઝાઇન કરી છે.

આ હેલ્થ ક્લબ વિવિધ સંશોધનાત્મક અને સગવડસભર સેવાઓ મારફતે સાકલ્યવાદી સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેવી કે કિડ્સ મેનીયા-શહેરી માતા-પિતા કે જેઓ તેમના બાળકોને લાડ લડાવવા લાંબા અંતરની મુસાફરી ઇચ્છતા હોય તેમના માટે, ટ્રાયો કેર-વાળને લગતી દરેક પ્રણાલીઓ, ત્વચાની સંભાળ-ત્વચાની નિયમિત કાળજી માટે, સ્પા-વિશ્રામ માટે અને ફેટ2ફીટ-યોગ્ય પોષક આહારના ઉપયોગ માટે. આ દરેક સેવાઓ સંપૂર્ણ કુશાગ્ર તાલીમ પામેલા કર્મચારીઓ દ્વારા પુરી પાડવામાં આવશે.

બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં 18 વર્ષથી વધુ મૂલ્યવાન અનુભવ ધરાવતા વિભા શર્માના નેતૃત્વ હેઠળ અઝુરાનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષોમાં ભારતના દરેક ખૂણે સેવાઓનો વ્યાપ વધારવાનો છે. વિભા શર્મા જણાવે છે કે, “અઝુરા દ્વારા અમે દરેક હેલ્થ અને વેલનેસની અને તે પણ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની જરૂરિયાતો પુરી પાડવાનું વન-સ્ટેપ સોલ્યુસન સુરતને ભેટ ધરીએ છીએ. મને જાહેર કરતા આનંદ થાય છે કે અમે અહીં વિસ્તરણની યોજનાઓ તૈયાર રાખી છે અને રાજકોટ, અમદાવાદ, ઇન્દોર, જયપુર, શિલોંગ, લુધિયાણા, આગરા, પુણે અને ચેન્નાઇ વગેરે જેવા દેશના દસથી વધુ શહેરોમાં એક નેટવર્ક ઉભું કરવાનો અમારો ઉદ્દેશ છે.”

-x-x-x-x-

September 10, 2018
Live_Darshan_Ganesh-1280x798.png
1min6330

સી.આઇ.એ. લાઇવ હવે એક પ્રાદેશિક ન્યુઝ વેબ રહી નથી. દેશભરમાંથી વ્યુઅર્સ www.cialive.in વેબ સાઇટ પર રોજેરોજ ન્યુઝ વાંચવા, જોવા આવી રહ્યા છે.

ગુગલ સર્ચ એન્જિનના આંકડા સ્પષ્ટ સૂચવે છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કેરેલા વગેરે રાજ્યોમાં ઓડિયન્સ www.cialive.in વેબસાઇટ પર ક્લીક કરી રહ્યા છે. એવી જ રીતે અમેરિકા, યુકે અને કેનેડામાં વસતા બિન નિવાસી ભારતીયો માટે પણ સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ માનીતી બની ગઇ છે.

આગામી ગણેશ ઉત્સવને અનુલક્ષીને www.cialive.in દ્વારા સુરત શહેરમાં ધામધૂમથી, આન-બાન-શાનથી, હર્ષોલ્લાસભેર ઉજવાતા ગણેશોત્સવના ફોટા, ઇવેન્ટસ, આવકારદાયક થીમ, પ્રેરણાદાયી કાર્યો વગેરેનો લહાવો દેશ-વિદેશમાં પથરાયેલા પોતાના વ્યુઅર્સ સુધી પહોંચાડશે.

આથી સુરત શહેરના ગણેશ આયોજકો પછી ભલે એ શેરી, મહોલ્લા, એપાર્ટમેન્ટ, સોસાયટી, રો હાઉસ, પોતાના ઘરમાં સ્થાપના કરતા હોય એવા તમામને પોતાના ગણેશજીનો ફોટો તેમજ તેની ટૂંકી નોંધ સી.આઇ.એ લાઇવને ઇમેલ cialive@yahoo.com કરશે તો અમે તેને www.cialive.in વેબસાઇટ પર પ્રકાશિત કરીશું.

તો આજે જ આપના ગણેશજીના દર્શન અને આશીર્વાદનો લ્હાવો દેશ-દુનિયાભરના ભક્તજનોને પહોંચાડો.

આપના ગણેશજીની મૂર્તિના ફોટા, ગ્રુપ ફોટા, સેલ્ફી ટૂંકી વિગત સાથે અમને આ મેઇલ પર મોકલશો

Email  cialive@yahoo.com

Contact number 98253 44944

 

ON Google Play Store