CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 75 of 79 - CIA Live

August 31, 2018
ng.jpg
1min10100

જયેશ બ્રહ્મભટ્ટ

અસ્સલ સુરતીને જોવા, જાણવા હોય તો નરેન્દ્રભાઇ ગાંધીને જોઇ લો. બોલવાની સ્ટાઇલથી, પહેરવેશ અને રહેનસહેનથી લઇને ખાણીપીણીની શોખીન નરેન્દ્રભાઇ ગાંધીને સૌથી વધુ વખત રક્તદાન કરવા તેમજ રક્તદાન સંબંધિત પ્રવૃતિઓને સતત પ્રોત્સાહિત કરવા બદલ રાજ્યના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે ગાંધીનગર ખાતે બહુમાનીત કરવામાં આવ્યા ત્યારે એક પત્રકાર તરીકે મને પહેલો વિચાર એ જ આવ્યો કે કર્મ કીયે જા ફલ કી ચિંતા છોડ કર…આ ઉક્તિને નરેન્દ્રભાઇ ગાંધીએ પચાવી જાણી છે અને એ લોકો માટે સતત પ્રયત્નશીલ રહે છે પછી એ શિક્ષણનું ફિલ્ડ હોય, બેંકિંગ ક્ષેત્ર હોય, સામાજિક કામ હોય કે પછી સ્પોર્ટસનું ફિલ્ડ હોય, તેમની ઓફિસ કે કાર્યાલયે પહોંચેલા મુલાકાતી માટે એટલિસ્ટ એક ફોન કરીને રજૂઆત તો કરી જ દે.

(ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

(ગુજરાતના નાયક મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રાજ્યમાં રક્તદાન મહાદાન પ્રવૃત્તિ માટે સુરતના નરેન્દ્રભાઇ ગાંધીનું પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું એ વેળાની તસ્વીર)

અઢી દાયકાથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેમને અનેક વખત મળવાનું થયું. ખરેખર લોક નેતા જો કહું તો એમાં શંભુભાઇ પટેલ, સી.આર. પાટીલ, નરેન્દ્ર ગાંધી, પ્રવીણ નાયક જેવા નેતાઓના અનુભવો શ્રેષ્ઠતમ જણાયા છે. આ નેતાઓની પાસે કોઇપણ કામની અપેક્ષાએ જતા મિત્રો, મુલાકાતીઓ માટે આ નેતાઓ સતત સક્રીય રહીને ફોલોઅપ પણ કરતા.

નરેન્દ્ર ગાંધી માટે કહેવાય છે કે મેરીટ પર એ સંગઠનના નેતા છે. સામાન્ય કાર્યકર તેમને વર્ષોથી નહીં દાયકાઓથી વળગી રહ્યા. જે ક્ષેત્રમાં જવાબદારી મળી તે ક્ષેત્રમાં પૂરી સમજણ કેળવે અને નિષ્ઠાપૂર્વક તેમાં લીન રહે એવા છે નરેન્દ્રભાઇ ગાંધી. તેમણે ક્યારે કોઇ અપેક્ષા રાખી નથી પછી ભલે એ ખેલ જગત હોય કે રાજકીય તખ્તો. સતત પ્રવૃતિમય રહેતા નરેન્દ્ર ગાંધી માટે કહેવાય અનેક વખત રાજકીય સ્તરે ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરાયા પરંતુ એ કોળીયો પણ છેલ્લી ઘડીએ તેમના મુખેથી છીનવાય ગયો. આમ છતાં કોઇપણ ફિકર કર્યા વગર સતત પ્રયાસો કરે છે અને એટલે જ કુદરત પણ તેમને અન્યાય થવા દેતી નથી.

કોઇ રાજ્યના રાજ્યપાલના હસ્તે રક્તદાન જેવી નેક પ્રવૃત્તિ માટે ઇનામ મળે એનાથી મોટી ગૌરવવંતી વાત કઇ હોઇ શકે. સી.આઇ.એ. લાઇવ પરિવાર શ્રી નરેન્દ્રભાઇ ગાંધીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

August 28, 2018
shott-1280x853.jpg
1min9990

વરૂણ કાબરાં બેન્ડ દ્વારા લાઈવ પર્ફોર્મન્સ સાથે જ યુવાઓએ ભારે ધમાલ મસ્તી કરી અને પ્રાઇઝ પણ જીત્યા

સુરત: ગુજરાતનું પહેલું ફુલ્લી ફેમીલી એન્ટરટેઈનમેન્ટ સેંટર શોટ દ્વારા ચોથી વર્ષગાંઠની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શોટખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વરૂણ કાબરા બેન્ડે લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું.લાઈવપર્ફોમન્સમાં યુવાઓને જલસા પડી ગયા હતા.આ ઉપરાંત આ પ્રસંગે વિવિધ ગેમ્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં યુવાઓ ભાગ લઈ ખૂબ જ મોજમસ્તી કરી હતી. વિવિધ ગેમ્સમાં વિજેતાઓને આઇફોનથી લઈને વિવિધ ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.સમગ્ર ઈવેન્ટનું આયોજન વન ફોર ઓલ દ્વારા કરવામાં આવ્યું હતું.

-x-x-x-x-

August 24, 2018
cpr1-1280x720.jpg
1min7530

શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની વકરી રહેલી સમસ્યા અને તેના પર હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત શહેર પોલિસ કમિશનર શ્રી સતીશ શર્માએ આજે બપોરે રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ગીચ માર્કેટ રોડ્સ પર રાઉન્ડ લીધો હતો.

પોલીસ કમિશનર શ્રી શર્મા તેમની ટીમ સાથે જે જે માર્કેટ નજીક પાર્કિંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં પગપાળા ચાલીને ગયા હતા. તેમણે સમગ્ર પશ્ન અંગે સવાલો કરીને જાત માહિતી મેળવી હતી.

અત્રે એ ખાસ નોંધનીય છે કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગની જગ્યાઓ કવર કરી દેવામાં આવી છે અને વ્યાપારીઓ તેમજ મુલાકાતીઓ રોડ પર વાહનો પાર્ક કરી રહ્યા હોઇ, શહેરના હાર્દ સમા રિંગ રોડ  વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય રહી છે.

સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બન્ને સંકલન સાધીને હાલમાં આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

August 22, 2018
Ukai-1.jpg
1min44310

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ખેતી સિંચાઇ તેમજ પીવાના પાણીના સૌથી મોટા સ્ત્રોત સમાન ઉકાઇ ડેમમાં પાણીની સપાટી ધીમે ધીમે વધી ગઇ છે અને તા.23મી ઓગસ્ટને ગુરુવારે બપોરે 3 કલાકે ઉકાઇ ડેમની સપાટી 311 ફૂટના લેવલને આંબી ગઇ છે.

 

ઉકાઇ ડેમ અંગે બે બાબતો હાલમાં ચર્ચાસ્પદ છે એક સકારાત્મક અને એક નકારાત્મક. સકારાત્મક બાબત એ છે કે ધીમે ધીમે ખરું પણ ઉકાઇ ડેમમાં પાણીનો આવરો થઇ રહ્યો છે અને સપાટી 292 ફૂટ પરથી વધીને તા.23મી ઓગસ્ટ 2018ના રોજ 311.34 ફૂટ પર પહોંચી છે. આમ, ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા કે જ્યાં વરસાદ શરૂ થયો છે અને ત્યાંથી પાણીનો આવરો ડેમમાં થઇ રહ્યો છે.

નકારાત્મક બાબત એ છે કે રાજ્ય સરકારે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ મેઇન્ટેન કરવા માટે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે. જેમાં એક નિયમ રુલ લેવલની જાળવણીનો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે તે તારીખે ડેમમાં પાણીનું લેવલ કેટલું જાળવવું તે અંગે ચોક્કસ ગણતરી સાથે કાર્યવાહી થાય છે. તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું રૂલ લેવલ 335 ફૂટ હોવું જોઇએ. તેના કરતા આજના દિવસે પાણીની સપાટી 24 ફૂટ ઓછી છે.

પણ દેર આયે દુરસ્ત આયે એ રુએ પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતે આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદનું પાણી ઉકાઇ ડેમને ધીમી ધારે ભરી રહ્યું છે એ પોઝિટીવ બાબત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ધીમે ધીમે જળસંકટ ઓછું કરી રહી છે.

અગાઉ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ નહીં પડવાને કારણે ડેમમાં પાણીનો આવરો નહીં થતા ચોમાસાના પ્રારંભે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ હવે જિલ્લા પ્રશાસન તેમજ દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઉકાઇ ડેમની પાણીની સપાટી વધવાથી હાશકારો થઇ રહ્યો છે.

August 22, 2018
vior.jpg
1min13000

સુરતના લાલદરવાજા, ભટાર અને વેસુ ખાતે સ્કીન ક્લિનિક ધરાવતા સખીયા ગ્રુપ દ્વારા હવે સ્કીન ટાઇટનિંગ માટે વૈશ્વિક સ્તરે સ્વીકૃત અને અત્યંત અદ્યતન ટ્રીટમેન્ટ પદ્ધતિ લાવ્યા છે. સમગ્ર ગુજરાતવાસીઓ માટે સખીયા સ્કીન ક્લિનિકને સુરતમાં 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ ઉપલક્ષમાં ભટાર સ્થિત સખીયા ક્લિનિક ખાત ેસ્કીન ટાઇટનિંગ માટે ઇઝરાયેલ મેઇક વિઓરા સિસ્ટમ્સનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન સુરત ખાતે સ્થાપિત કર્યું છે. સ્કીન ટાઇટેનિંગ માટે આનાથી વિશેષ આધુનિક સુવિધા વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી.

વધુ વિગતો આપતા ડો. જગદીશ સખીયાએ કહ્યું કે સખીયા સ્કીન ક્લિનિકમાં ચામડીના વિવિધ રોગો જેવા કે સોરીયાસીસ, ખીલ, પીગમેન્ટેશન, હઠીલી ધાધર, એલર્જી, શીળવા, બેક્ટેરિયલ વાઇરલ ઇન્ફેકશન, તજા ગરમી, ખસ, ખરજવું વગેરે જેવા રોગોની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે. ડર્મેટો દ્વારા સફેદ ડાઘની સર્જરી, ખીલના ખાડાની સર્જરી, ચરબીની ગાંઠ, ગળા પરના મસા, કપાસી, કણી, નખની સર્જરી, અત્યાધુનિક હેર ટ્રાન્સપ્લાન્ટ, બાયોપ્સી દ્વારા નિદાન વગેરે પ્રકારની સર્જરી પણ સખીયા સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ છે.

લેસર ટ્રીટમેન્ટ, પ્લાસ્ટીક સર્જરી વગેરે સુવિધા પણ સખીયા સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. વધુમાં સખીયા સ્કીન ક્લિનિક આઇ.પી.ઓ. બહાર પાડી રહી છે, એ પછી સમગ્ર ભારતમાં સખીયા સ્કીન ક્લિનિકની 2000 જેટલી ફ્રેન્ચાઇઝી શરૂ કરશે.

 

ઉપરોક્ત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે એ રીતે વિઓરા મશીન્સથી સ્કીન ટાઇટેનિંગ ટ્રીટમેન્ટ સુરતના સખીયા સ્કીન ક્લિનિક, ભટાર રોડ ખાતે ઉપલબ્ધ બનશે. આ ટ્રીટમેન્ટના રૂ.36 હજાર ચાર્જ છે જેમાં 6 સેશનમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

August 19, 2018
varachha.jpg
1min5050

પાટીદારનો ગઢ ગણાતા શહેરના પુણા વિસ્તારમાં મોડીરાત્રે  બીઆરટીએસની 2 બસ પર પત્થરમારો કરીને કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. એ ઉપરાંત સરથાણા વિસ્તારમાં ટાયરો સગળગાવવાની  ઘટનાને પગલે પોલીસની ગાડીઓ દોડતી થઇ ગઇ હતી. આવી ઘટનાઓને પગલે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર ગણાતા સુરતના વરાછા વિસ્તારમાં ફરી એકવાર વાતાવરણ તંગ બન્યું છે. અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયત અને તે પછી અલ્પેશ કથિરીયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ બાદ આ પરિસ્થિતિનું  નિર્માણ થયું હોવાનું જણાય આવે છે.

એ પૂર્વે આજે રવિવાર તા19મી ઓગસ્ટ 2018ની સવારે અમદાવાદ ખાતે હાર્દિક પટેલની અટકાયતના સમાચારને પગલે સુરતમાં પાટીદાર આંદોલનના સમર્થકો વરાછાના મીનીબજાર ખાતે ધરણા પર બેઠા હતા. ધરણા પર બેઠેલા પાટીદારોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા મામલો બિચકયો હતો. વરાછામાં એકઠું થયેલું ટોળું તોફાને ચઢ્યું હતુ અને પત્થરમારો શરૂ કરી ને બે કચરાપેટીને ઉંધી વાળી દીધી હતી.

વરાછામાં પાટીદાર આંદોલન વધુ તીવ્ર બને એવી સ્થિતિ જણાતા પોલીસે સુરતમાં 40 જેટલા પાટીદારો અને કોગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને હજીરા પોલીસ સ્ટેશન મોકલી આપ્યા છે.

 

August 19, 2018
va1.jpg
1min7950

Jayesh Brahmbhatt  98253 44944

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યો દ્વારા શહેરના ભાઠા વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમના 40 જેટલા વડીલો, સિનિયર સિટીઝન્સને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દક્ષિણ ગુજરાતના જાણીતા શિવ તિર્થ ધામના દર્શનાર્થે લઇ જવામાં આવ્યા હતા.

એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિસના વૈશાલી ગાલાએ સી.આઇ.એ. ને જણાવ્યું હતું કે વડીલ સિનિયર સિટીઝન્સને સુરતથી લક્ઝરી બસદ્વારા કાવી કંબોઇ (જંબુસર), ભાડભૂત, ભરૂચના નિલકંઠેશ્વર ધામ ખાતે લઇ જવામાં આવ્યા હતા. માર્ગમાં તેમના માટે ચા-પાણી નાસ્તા તેમજ ભોજનની પણ વ્યવસ્થા એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશ તરફથી જ રાખવામાં આવી હતી.

વૈશાલી ગાલાએ કહ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવજીની આરાધના માટેના આ શ્રેષ્ઠ મહિનામાં ભાઠા વૃદ્ધાશ્રમના વડિલો શિવજીના મંદિરના દર્શન કરીને ખૂબ ખુશ થયા હતા. એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિશના સભ્યોએ પણ વડિલોને તિર્થસ્થાને લઇ જવામાં ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

 

August 19, 2018
n2.jpg
1min11370

આગામી બકરી ઈદના દિવસે મુસ્લિમ સંપ્રદાયમાં બકરાની સૌથી વધુ કતલ થતી હોય તેવા સંજોગો વચ્ચે જીવદયામાં માનતા દિપા જૈન યુવક મંડળ દ્વારા વધુ મા વધુ જીવતદાન મળે તે આશયથી કતલખાને લઇ જવાઇ રહેલી અંદાજે ૨૦૦ થી વધુ બકરી ને મુક્ત કરવામાં આવી હતી અને તેમને જીવતદાન આપવામાં આવ્યું હતું.

શહેરના જૈન અગ્રણી અને ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં જીવદયા અગ્રીમ માનવામાં આવે છે. આગામી બકરી ઇદના તહેવારને અનુલક્ષીને શક્ય એટલી ઓછી જીવ હિંસા થાય તે માટે અડાજણ પાટીયા સ્થિત દિપા કોમ્પ્લેક્સના દિપા જૈન યુવક મંડળ દ્વારા કતલખાને લઇ જવામા ંઆવી રહેલી 200થી વધુ બકરીઓને છોડાવવામાં આવી હતી અને તેને જીવન બક્ષવામાં આવ્યું હતું. દિપા જૈન યુવક મંડળની આ કામગીરી સરાહનીય હતી.

ડેપ્યુટી મેયર શ્રી નિરવ શાહે કહ્યું કે કતલખાને લઇ જવાતી 200 બકરીઓને મુક્ત કરાવ્યા બાદ તેમને દિપા કોમ્પ્લેક્સ ખાતે લાવવામાં આવી હતી. આ બકરીઓને એવી જગ્યાએ લઇ જવામાં આવશે જ્યાં તેમનો નૈસર્ગિક વાતાવરણમાં ઉછેર થાય અને તે જીવનભર હિંસાનો ભોગ ન બને તેની તકેદારી રાખવામાં આવશે. બકરીઓને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવશે.

August 19, 2018
suratairport1.jpg
1min11170

જુલાઇ 2016થી 15 જુલાઇ 2018 સુધીમાં સુરત એરપોર્ટને લક્ષમાં રાખીને પ્લેન સાથે પક્ષીઓ ટકરાવાની કુલ 22 ઘટનાઓ બની હોવાની સત્તાવાર માહિતી એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે સુરત એરપોર્ટને સાંકળી લેતી બર્ડ હીટની આ 22 ઘટનાઓ પૈકી એક પણ ઘટના અંગે જે તે પ્લેનના પાઇલોટ્સ દ્વારા સુરતના એર ટ્રાફિક કન્ટ્રોલરને કોઇપણ પ્રકારનો રિપોર્ટ કરવામાં આવ્યો ન હતો.

નિમ્નદર્શિત ડોક્યુમેન્ટ પરથી જાણકારી મળે છે કે 16 જુલાઇ 2016 પછી સુરત એરપોર્ટને કેન્દ્રમાં રાખીને કેટલા બર્ડ હીટ થયા હતા. 16 જુલાઇથી 31 ડિસેમ્બર 2016 સુધીમાં બર્ડ હિટની કુલ 4 ઘટનાઓ બની. કેલેન્ડર વર્ષ 2017માં વિમાન સાથે પક્ષીઓ ટકરાવાની કુલ 14 ઘટનાઓ બની અને 1લી જાન્યુઆરી 2018થી 15 જુલાઇ 2018 સુધીમાં 4 ઘટનાઓમાં પક્ષીઓ પ્લેન સાથે ટકરાયા હોવાનો ખુલાસો એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વણઓળખાયેલી વ્યક્તિને પાઠવવામાં આવેલા પત્રમાં કરવામાં આવ્યો છે.

બર્ડ હિટને અનુલક્ષીને કેટલી વખત પાઇલોટ દ્વારા સુરતના એટીસી (એર ટ્રાફિક કન્ટ્રોલર)ને રિપોર્ટ કરવામાં આવ્યો એ અંગેની માહિતી માંગવાના જવાબમાં જણાવાયું છે કે રેકોર્ડ પ્રમાણે બર્ડ હિટની એકેય ઘટનામાં પાઇલોટ દ્વારા સુરત એટીસીને કોઇપણ પ્રકારનો રિપોર્ટ કરાયો નથી.

 

August 17, 2018
tiranga.jpg
1min6240

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્રારા આયોજીત 1100 મીટર લાંબા તિરંગા યાત્રા વખતે ડ્રોનનો ઉપયોગ કરવા ઉપરાંત ડ્રોનને એટલી ભયજનક ઉંચાઇએ ઉડાડ્યું કે સુરત એરપોર્ટ પર આવી રહેલા પ્લેનના પાઇલોટની નજરમાં આવ્યું હતું અને પ્લેન પાઇલોટે એર ટ્રાફિક કન્ટ્રોલરને જાણ કરતા મામલો ગરમાયો હતો. તેના રિપોર્ટને આધારે જ તિરંગા યાત્રાના આયોજક અને ડ્રોનના માલિક સામે પોલીસે ગુનો નોંધી બનેંની અટકાયત કરી છે.

સુરતમાં 72માં સ્વાંત્તત્ર્ય વર્વની ઉજવણીમાં ડ્રોનનો ઉપયોગ કરવાનું  બે લોકોને ભારે પડ્યું હતું, પોલીસે એર ક્રાફુટની કલમ 11 મુજબ ગુનો નોંધી બેની અટકાયત કરી હતી.અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ પંદરમી ઓગસ્ટના રોજ 1,100 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં એરપોર્ટના વિસ્તારમાં 1 હજાર મીટરથી વધુ ઉંચાઈ પર ડ્રોન ઉડાડવા બદલ યાત્રાના આયોજક તેમજ ડ્રોનના માલિક સામે ઉમરા પોલીસ મથકમાં એર ક્રાફ્ટની કલમ 11 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બન્નેની અટકાયત કરી છે.

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટની આ યાત્રા એરપોર્ટની નજીક, ઉધના મગદલ્લા રોડ અને સુરત ડુમસ રોડને જોડતા વાય જંક્શન પર પહોંચી ત્યારે ત્યાં 1 હજાર ફૂટથી વધુ ઉંચાઈ પર ડ્રોન કેમેરો ઉડાડવામાં આવ્યો હતો. રન-વે વિસ્તારમાં આ રીતે એક હજારથી વધુ ઉંચાઈ પર કોઈ પણ વસ્તુ ઉડાડવાથી અકસ્માત સર્જાઈ શકે છે તે જાણતા હોવા છતાં આ રીતે ડ્રોન ઉડાડવા બદલ ડ્રોનના માલિક કમલ રમણ પટેલ અને તિરંગા યાત્રાના આયોજકોમાંથી એક રાહુલ ઓમપ્રકાશ અગ્રવાલ સામે એર ક્રાફ્ટની કલમ 11 તેમજ પોલીસ કમિશનરની જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.