સુરતીઓની દુનિયા Archives - Page 66 of 79 - CIA Live

January 30, 2019
modi.jpg
1min21330

સુરત અને નવસારીની અડધા દિવસની મુલાકાતે આજે સુરત પધારેલા નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર પોતાની પહેલા જ કાર્યક્રમને સંબોધતા પૂર્ણ બહુમતવાળી સરકાર આપવા માટે સુરતવાસીઓ સમેત દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે પૂર્ણ બહુમતવાળી સરકાર હશે તો જ મોટા, કઠોર અને ત્વરીત નિર્ણય લઇ શકાશે. વાંચો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આખું ભાષણ અહીં…

પૂર્ણ બહુમતવાળી સરકાર આપજો મને, મોદીએ કહ્યું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એક્સપાન્સના વિધિવત પ્રારંભ પ્રસંગે આજે સુરત ખાતે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા સુરતના પોંક અને ઉંધીયાનો ઉલ્લેખ કર્યો હતો. પૂ. બાપૂની પૂણ્યતિથીએ નવસારી નજીક દાંડીના નમક  સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ આજે થવાનું છે ત્યારે કર્મયોગીઓના શહેર સુરતથી સ્વ.પૂ.બાપૂને નમન. સુરતના સેંકડો સત્યાગ્રહીઓ દાંડી માર્ચમાં પૂ.બાપૂ સાથે જોડાયા છે. સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશી જેવા ગાંધીજીના ગુણોને સુરતે બખૂબી નિભાવ્યા છે. હીરા અને કપડાની સાથોસાથ અનેક નાના ઉદ્યોગોથી મેઇક ઇન ઇન્ડિયાને સુરત સશક્ત બનાવી રહ્યું છે. સુરતની સ્પિરીટને વધુ મજબૂતી મળશે જ્યારે આજે સેંકડો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ થયો છે. સુરતને સ્માર્ટ બનાવવા માટે ડઝનો પ્રોજેક્ટનું ઉદઘાટન થયું, સુરતના વિકાસને વધુ વેગ મળશે. વિકાસના પ્રોજેક્ટસ માટે સુરતી ભાઇઓને ખૂબ ખૂબ અભિનંદન.

આગામી 10-15 વર્ષમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસતા વિશ્વના જે 10 શહેરો હશે એ ભારતના છે અને તેમાં સૌથી ટોચ પર સુરત હશે. આગામી સમય સુરતનો હશે, ભારતના શહેરોનો સમય આવશે. સમગ્ર વિશ્વમાંથી સુરત સમેત ભારતના શહેરોમાં રોકાણ થશે, લાખો રોજગારીઓની તકો ઉપલબ્ધ બનશે. દુનિયા ભારતના શહેરોથી એટલી આશાવાદી છે ત્યારે આપણું દાયિત્વ છે કે શહેરોને વર્તમાનની સાથે ભવિષ્ય માટે તૈયાર કરવું જોઇએ. માળખાગત સુવિધા, વ્યવસ્થા, શિક્ષણની સાથે માનવીના મનને પણ ઉંચાઇ પર લઇ જવાનું છે.

દેશમાં દરેક પ્રકારની કનેક્ટિવિટીના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ ગુજરાતના ત્રણ મોટા એ પોર્ટ, વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થઇ ચૂક્યું છે. એક દિવસમાં સુરતથી 1800 મુસાફરોની વિમાની અવરજવર શક્ય બનશે. સુરત એરપોર્ટની ભવિષ્યની ક્ષમતા વાર્ષિક 4 લાખથી વધીને 26 લાખ મુસાફરોની થઇ જવાનો આશાવાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો. બહારગામથી આવનારા લોકોના સમયનો પણ બચાવ થશે. થોડા દિવસોમાં સુરતથી શારજાહ ઇન્ટરનેશલ ફ્લાઇટ પહેલી શરૂ થઇ રહી છે. વ્યાપારની દ્રષ્ટીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઘણી ઉપયોગી નિવડશે.

કેન્દ્ર સરકાર હવાઇ કનેક્ટિવિટી માટે સતત પ્રયત્નશીલ છે. 17 એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી ચાર વર્ષોમાં 50 એવા એરપોર્ટને સક્રિય કરશે જ્યાં એરપોર્ટની સુવિધા

હવાઇ ચપ્પલ પહેરવાવાળા પણ હવાઇ મુસાફરી કરી શકે તેવું સપનું સાકાર કરવામાં આવશે. ઉડાન યોજનાથી દેશ  એવીએશન સેક્ટરમાં 12 લાખ વિમાની સીટ્સ ઉપલબ્ધ બની શકી, નવા 40 એરપોર્ટ એવીએશન મેપમાં ઉમેરાયા, ગુજરાતમાંથી ચાર ફ્લાઇટ્સ ઉડાન-1 અને ઉડાન-3થી ગુજરાતના ચાર નાના શહેરોને જોડી શકાયા. ઉડાન-3માં પણ ગુજરાતના નવા 4 એરપોર્ટને જુદા જુદા ભાગો સાથે જોડી દેવાશે. ગુજરાતમાં સીપ્લેન પ્રોજેક્ટસ સાકાર થશે. સાબરમતિ રિવરફ્રન્ટથી સરદાર સ્ટેચ્યુ સુધી વોટર પ્લેન દોડશે. પાસપોર્ટ માટે લોકોએ મોટા શહેરોના ચક્કર ન લગાડવા પડે એટલા માટે મુખ્ય પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા ફક્ત 80 હતી, પાછલા 4 વર્ષમાં મુખ્ય પાસપોર્ટ કચેરીઓની સંખ્યા 400નો આંકડો પાર કરી ગઇ છે. બડા સોચના, જ્યાદા સોચના, અચ્છે ઢંગ સે કરના વગેરે નીતિઓ સાથે સરકાર કામ કરી રહી છે. મોટી સંખ્યામાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરાયા જેથી પાસપોર્ટ સરળતાથી અને ઝડપથી ઇશ્યુ કરી શકાય છે.

દેશમાં ફોક્સ એપ્રોચ અને મિશન મોડ પર કામ થઇ રહ્યું છે. દરેક સ્તરના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતમાં થયેલા પ્રોજેક્ટસ તેની નિશાની છે. ગરીબોના આવાસો ગરીબ પરિવારોને સમૃદ્ધ બનાવશે. શહેરોમાં રહેવાવાળા ગરીબ પરીવારો માટે કેન્દ્ર સરકારે 13 લાખ મકાનો બનાવ્યા, 37 લાખ નવા મકાનો બની રહ્યા છે. 70 લાખ નવા આવાસો બનાવવા માટે જુદા જુદા શહેરોના પ્રોજેક્ટસને સરકારે મંજૂરી આપી દીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 1.30 કરોડ આવાસો બની ચૂક્યા છે, ગરીબો આ ઘરોમાં રહેવા માંડ્યા છે. ગ્રામીણ વિસ્તારના ઘરોની સવા કરોડની સંખ્યા પરથી જાણી શકાય છે કે કોંગ્રેસી સરકારે ફક્ત 25 લાખ ઘરો બનાવ્યા હતા, બેઘર, ગરીબોને પાકા મકાનો મળે તે માટે કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં સવા કરોડથી વધુ મકાનો બનાવીને તેમને સમર્પિત કરી દેવાયા છે. મારી સરકારમાં દેશમાં પહેલી વખત મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસોની નવી કેટેગરી બનાવી, તેમના ધિરાણમાં રાહત આપવાની યોજના અમલમાં મૂકી. મધ્યમવર્ગીય પરિવાર રૂ.20 લાખની આવાસ લોન લે છે તે તેને તેના વ્યાજમાં ઘટાડો કરી આપવામાં આવશે. જ્યારે એ પરિવાર લોન પૂરી કરશે ત્યારે વ્યાજમાં રૂ.6 લાખની મોટી બચત થશે. હિન્દુસ્તાનમાં આવી લાભકારી યોજના અન્ય કોઇ સરકારે આપી નથી, ફક્ત મારી સરકારે આપી છે.

કેટલાક લોકો નોટબંધીનો ફાયદો પૂછે છે, તેમને સવાલ એવા લોકોને પૂછવો જોઇએ, જેમને નોટબંધી પછી સસ્તા મકાનો મળ્યા. મોટા મોટા બિલ્ડરો કેટલો ફાયદો ઉઠાવ્યો એ સુરતવાળા જાણે છે, નોટબંધી પછી મકાનો સસ્તા થયા તેનો શ્રેય કેમ કોઇ આપતું નથી. રેરા કાયદાથી લોકોના નાણાંનો વ્યય થતો અટક્યો. સરકારમાં ઇચ્છા શક્તિ હોય તો શું ન થાય. પહેલા જે એલ.ઇ.ડી. બલ્બ રૂ.350માં મળતો હતો એ જ બલ્બ આજે રૂ.40-50માં મળે છે. આટલો મોટો ફર્ક કેવી રીતે પડ્યો. કેન્દ્ર સરકારે 32 કરોડ એલ.ઇ.ડી. બલ્બ સસ્તા ભાવે વેચ્યા. પરિવારોને એલ.ઇ.ડી. બલ્બથી રૂ.16,500 કરોડની વીજબિલ બચત થઇ છે.

મુદ્રા યોજના લાગૂ કરીને અમારી સરકારે 15 કરોડથી વધુ લોન બેંક ગેરેન્ટી વિના યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે અપાવી છે. 7 લાખ કરોડ રૂપિયાના ધિરાણની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 4.25 કરોડ યુવાનો એવા છે જેમણે પહેલી વખત ધંધા માટે ધિરાણ મેળવ્યું છે. આવું બધું પૂર્ણ બહુમતિની સરકારને કારણે થયું છે. ગરીબોને આવાસો ન તો મોદી, ન તો ભારત સરકાર પણ સુરતના લોકો આપી રહ્યા છે. મતદારોના એક વોટની તાકાત છે કે ગરીબને એક મત મળ્યો છે. જે પણ પરિવર્તન આપ જોઇ રહ્યા છો એ પરિવર્તન તમારા વોટની તાકાત છે. 30 વર્ષ ભારતમાં અસ્થિતરતાનો દૌર રહ્યો, ત્રિશંકુ પાર્લામેન્ટ, જોડતોડની રાજનીતિથી દેશ કેટલીક બાબતોમાં પછડાયો, છેલ્લા 4.5 વર્ષથી સ્થિરતાનું કારણ દેશના લોકોએ પરિપક્વતાથી મતદાન થયું. પૂર્ણ બહુમતવાળી સરકાર કડક અને મોટા નિર્ણયો લઇ શકાય એ તમે છેલ્લા 4 વર્ષમાં જોયું. પૂર્ણ બહુમતની સરકાર ના હોત કડક, કઠોર, મોટા નિર્ણય ન લઇ શકાયા હોત. પૂર્ણ બહુમત એટલે એક એક મતદાતા પોતાના મતની તાકાત જોઇને મતદાન કરે.

યાદ કરો અગાઉ સરકારો કેવી રીતે ચાલતી હતી. મને કહો આજે સુરત એરપોર્ટ પર 70-72 વિમાનો અવરજવર કરે છે, પણ ક્યારે આપણે ભૂલી શકીશું કે અહીંયા એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યું હતું, મેમોરેન્ડમ આપવા પડતા હતા. અનેક રજૂઆતો મારે મુખ્યમંત્રી તરીકે પણ કરવી પડતી હતી. સુરત એરપોર્ટ વિકાસ થયો એ અમે જોયું પણ અગાઉની સરકારોને કેમ ન દેખાયું. નવું ભારત બનાવવાના અમારા પ્રયાસોને કેટલાક લોકો મજાક ઉડાડી રહ્યા છે. બદલાતા ભારતને કેટલાક અદેખાઓ જોઇ શક્તા નથી. નવા ભારતની નવી ઉર્જાને વિકાસમાં લગાડવા માટે પ્રયત્નશીલ છું.

January 30, 2019
suratairport1.jpg
1min19990

આજે તા.30મી જાન્યુઆરી 2019ના દિવસે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે એક્સપાન્સન વર્કનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઇ રહ્યો છે. ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવું રહેશે એ બાબતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આર્ટિસ્ટીક ઇમ્પ્રેશન્સ તૈયાર કરાવવામાં આવી છે. ભવિષ્યમાં સુરતનું એરપોર્ટ અહીં ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલી ઇમેજીસ જેવું દેખાશે એમ માનવામાં આવી રહ્યું છે.

આ રહી ભવિષ્યના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાવાયેલી ઇમેજીસ..

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

 

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

January 28, 2019
pahechan_logo.jpg
1min9340

સુરત હવે ગુજરાત કે ભારતનું જ નહીં બલ્કે વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું ધંધાકીય સિટી બન્યું છે. સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, મોડેલ સિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી એવા કઇ કેટલાય હુલામણા નામો સુરતને એમ જ નથી મળ્યા. સુરત સફળ થયું છે તેના સફળ બિઝનેસમેન, સફળ પ્રોફેશનલ્સ થકી. મૂળ સુરતીઓ કે સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા ગુજ્જુ હોય કે પછી ભારતના કોઇપણ રાજ્યમાંથી સુરતને કર્મભૂમિ બનાવીને અહીં સ્થાયી થયેલા લોકો હોઇ, તાપી નદી તટે વસેલા આ સુરત શહેરે તમામને અપનાવ્યા અને સબકા સાથ સબકા વિકાસ સૂત્રને વાસ્તવિક રીતે ચરિતાર્થ કરી દેખાડ્યું છે.

Posted by Pahechaan By Pooja & Piyush Vyaas on Thursday, 24 January 2019

સુરતમાં છેલ્લા દાયકાઓમાં જબરદસ્ત પ્રગતિ સાધનાર અનેક હસ્તીઓ મૌજુદ છે. આ સુપર સુરતીઓની સક્સેસ સ્ટોરીઝ પાછળ અનેક સિક્રેટ સંતાયેલા છે. આ સફળ સુરતીઓની સક્સેસ સ્ટોરીઝના સિક્રેટ સુરતના જાણીતા કપલ અને પબ્લિક સ્પિકીંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પિયુષ વ્યાસ અને પૂજા વ્યાસની જોડી બખૂબી ઉજાગર કરી રહી છે. પિયુષ-પૂજાની જોડીએ અગાઉ પહેચાન સીઝન-1 બાદ હાલમાં જ પહેચાન સીઝન-2 લોંચ કરી છે. પહેચાન એવો ટૉક શૉ છે જેમાં સુરતમાં રહીને પોતાના કર્મો થકી પોતાની ઓળખ ઉભી કરનારા બિઝનેસમેન, પ્રોફેશનલ્સ કે સેવાકીય કામ કરતા આગેવાનો સાથે વાતચીત, ચર્ચા વિચારણા કરીને તેમના જીવનની એવી અતરંગ વાતો બહાર લાવે છે કે જેનાથી પ્રેરાયને અનેક સામાન્ય લોકોને તેમની મુશ્કેલીઓમાંથી આગળ વધવાનું બળ મળે છે, પ્રેરણા મળે છે. આ જ કારણથી પિયુષ-પૂજા વ્યાસનો ટૉક શૉ પહેચાન સિરીઝ ટુ હાલમાં હીટ થઇ રહ્યો છે.

પહેચાન સીઝન ટુમાં પહેલા જ એપીસોડમાં સુરતમાં વિકલાંગો માટે કાર્યરત એવા કનુભાઇ ટેલરની સાથે પૂજા-પિયુષ વ્યાસની વાતચીત સુપર હીટ રહી અને જુદા જુદા ટેલિવિઝન, સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આ શૉ લાખો લોકોને આકર્ષવામાં સફળ નિવડ્યો છે.

પિયુષ-પૂજા વ્યાસના પહેચાન સીઝન-2 ટોક શૉના એપિસોડ્સ શરૂ થઇ ચૂક્યા છે અને તેને વી ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ, સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ, જુદા જુદા ડિજીટલ પ્લેટફોર્મ્સ જેવા કે ગ્લોબલ સિટી, સિટી તડકા, જલ્સા કરો ને જેંતીલાલ, સુરત પ્રાઇડ વગેરે પરથી નિહાળી શકાય છે.

January 22, 2019
sadhna_vidyabhavan_logo.png
1min6790

વરાછા રોડ પર છેલ્લા 48 વર્ષથી કાર્યરત સાધના વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત કે.સી. કોઠારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા જે.ઇ.ઇ. મેઇન 2019 પેપર-1 પરીક્ષાના પરીણામમાં એ-વન ગ્રેડ પર્સન્ટાઇલ હાંસલ કરીને સાધના વિદ્યાભવનનું નામ સમગ્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં નામ રોશન કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા જયદીપ રમેશભાઇ મકવાણાએ કુલ 94.24 પર્સન્ટાઇલ, હર્ષ અશોકભાઇ ડોબરીયાએ કુલ 92.83 પર્સન્ટાઇલ અને ગૌરવ દિલીપભાઇ કાતવાએ કુલ 90.78 પર્સન્ટાઇલ જે.ઇ.ઇ. મેઇન પેપર-1 2019 જેવી રાષ્ટ્રવ્યાપી પરીક્ષામાં હાંસલ કરતા શાળા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળા સમેત ટ્રસ્ટગણ તેમજ સંચાલક મંડળએ તમામને શુભેચ્છાઓ પાઠવી છે. આ ત્રણ ઉપરાંત શાળાના 9 જેટલા વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનમાં 80 પ્લસ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારો ફી મુક્તિ આપી છે.

January 21, 2019
mosmi-1280x622.jpg
1min6190

મૂળ કોંગ્રેસી અને અનેક પરાક્રમોને કારણે બદનામ ઉમેશ મહેતાએ આજે મૌસમી ચૈટરજીની પ્રત્રકાર પરીષદ યોજીને ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા અને ભાજપાના સ્થાનિક આગેવાન પીવીએસ શર્માની મુશ્કેલી વધારી મૂકી છે. મૌસમી ચૈટરજીએ પત્રકારો સાથે વાદવિવાદ કર્યા એ મુદ્દો વિવાદીત બન્યો છે પણ મોડી રાત્રે કોંગ્રેસી ઉમેશ મહેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મૌસમી ચૈટરજી તેમના અંગત આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. પત્રકાર પરિષદ ઉમેશ મહેતાએ યોજી હતી, તેમાં ભાજપાનું કોઇ આયોજન ન હતું.

ઉમેશ મહેતાનો ખુલાસો આ મુજબનો છે

જમીનના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂકેલા ઉમેશ મહેતાએ કરેલા ઉપરોક્ત ખુલાસાએ ભાજપમાં મોટું ઘમસાણ ઉભું કરી દીધું છે. ખુદ ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા તેમજ પીવીએસ શર્મા હવે ફિક્સમાં મૂકાઇ ગયા છે, કેમકે ભાજપામાં જોડાયેલા મૌસમી ચૈટરજીનો કાર્યક્રમ કે પ્રેસકોન્ફરન્સ જો કોંગ્રેસી ઉમેશ મહેતાએ કરી હતી એવી સ્પષ્ટતા બાદ ભાજપમાં હવે ભજીયાવાલા વિરોધી જૂથે આ સમગ્ર મુદ્દાને ભાજપની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો છે અને આ મુજબના સવાલો સોશ્યલ મિડીયામાં પૂછાઇ રહ્યા છે.

  1. ઉમેશ મહેતા કોંગ્રેસી છે તેમાં ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા કોના આમંત્રણથી ત્યાં ગયા ?

  2. આયોજન કોંગ્રેસી ઉમેશ મહેતાનું હતું તો મંચ પર 20 ફૂટનું બેનર ભાજપ સુરત મહાનગરનું નામ, મોદી-અમિતશાહ અને નીતિન ભજીયાવાળાના ફોટા સાથે કોણે છપાવ્યું , છપાવનારાની સામે શું પગલાં લીધા?

  3. મૌસમી ચૈટરજીને મળવા માટે અન્ય કોઇ સ્થળ મળી શક્યું હોત પણ પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે ઉપસ્થિત રહ્યા ?

  4. ભાજપાનું નામ વટાવવાની કોશીસ કરનાર ઉમેશ મહેતા સામે ભાજપા સુરત મહાનગર શું પગલાં ભરશે ?

  5. પ્રેસ કોન્ફરન્સની વાત છેલ્લા 3 દિવસથી ચાલી રહી હતી આમ છતાં ભાજપાએ કેમ તેને રોકવાની કોશીસ ન કરી ?

  6. ભાજપાના સાંસદો કે અન્ય નેતાઓને મૌસમી ચૈટરજીના કાર્યક્રમ અંગે કેમ વિશ્વાસમાં ન લેવાયા

બદનામ ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો હોવાની વાત

મૂળ બંગાળના અને બોલીવુડની પીઢ એક્ટ્રેસ મૌસમી ચૈટરજીને આજે સુરતમાં પ્રેસકોન્ફરન્સ યોજીને આ પ્રેસકોન્ફરન્સના આયોજક અને એક બદનામ કોંગ્રેસી ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો ગોઠવાયો હોવાની પણ ચર્ચાઓ ભાજપા અને કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસીઓ એવી મજા લઇ રહ્યા છે કે જેને કોંગ્રેસ હવે પોતાનો નેતા ગણતી નથી એ ઉમેશ મહેતા કે જમીનોના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂક્યા છે તેમને ભાજપા પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે આમંત્રી રહી છે. જોકે, આજે મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સમાં થયેલા ભવાડા બાદ ભાજપે પ્રેસકોન્ફરન્સના આયોજન પોતાનું ન હોવાનું જણાવી દઇને ઉમેશ મહેતાના ભાજપામાં પ્રવેશની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

 

January 19, 2019
buddh-1280x960.jpg
1min5380

સુરતમાં ધર્મ પરિવર્તન માટે 500થી વધુ વ્યક્તિઓએ પાંચ વર્ષ પહેલા કલેકટરને અરજી કરી હતી કે બાદ્વધર્મ અંગિકાર કરવા માટેની મંજૂરી આપો   આ ધર્મ પરિવર્તન માટે આખરે પાંચ વર્ષ બાદ સરકારે 432 વ્યક્તિઓને બૌદ્ધધર્મ અંગિકાર કરવાની મંજૂરી આપી છે. જે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત ધર્મ પરિવર્તનની ઘટના બનશે.

આજરોજ તા.19 જાન્યુઆરીને શનિવારે સવારે  સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલા મંગલ પાંડે કોમ્યુનિટી હોલ  ખાતે બૌદ્ધધર્મ દિક્ષા અંગિકાર કરવાનો સમારોહ અનેક લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં 430 વ્યકિતઓ બૌદ્ધધર્મ અપનાવ્યો હતો.  સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમારોહ યોજાયો હોઇ, સમગ્ર દેશ દુનિયામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

બૌદ્ધધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સુરતના કન્વીનર એડવોકેટ પરીક્ષિત રાઠોડએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરવા કાયદાની લાંબી પ્રકિયા પૂર્ણ કરાયા બાદ સુરત જિલ્લા કલેકટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી પ્રાપ્ત થઇ છે. જે અંગેના પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરાયું છે.

January 17, 2019
suratairport1.jpg
1min20240

સુરત એરપોર્ટ આજકાલ ચર્ચાના ચગડોળે છે અને તેમાં મોટા ભાગે હકારાત્મક ન્યુઝ કારણભૂત હતા, પરંતુ, આગામી તા.30મી જાન્યુઆર 2109ના રોજ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાનો છે તેવી સ્થિતિમાં એક નકારાત્મક ન્યુઝ એ આવ્યા છે કે સુરત એરપોર્ટ પર આજે તા.17મી જાન્યુઆરીના રોજ જોઇન્ટ જનરલ મેનેજર જેવી પોસ્ટ પર ખાસ નિયુક્ત કરાયેલા એક અધિકારી રાધા રમણ ગુપ્તાને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે લાંચના છટકામાં આબાદ ઝડપી પાડ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.30 હજારની લાંચ લેવાના પ્રકરણમાં તેઓ આબાદ ઝલાયા છે અને તેમણે સુરત એરપોર્ટના ચાંદ રૂપી સ્વરૂપમાં કાળી ટીલી પણ લગાડી દીધી છે.

એસીબીની ટ્રેપ થયા બાદ એરપોર્ટ ઓથોરિટી તરફથી કેટલાક અધિકારીઓ સમગ્ર ઘટના અંગે ઢાંકપીછોડો કરવાની કોશીસ કરી હતી અને આ સમગ્ર પ્રકરણ અંગેની કોઇ વિગતો મિડીયાને આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મળતી માહિતી મુજબ જોઇન્ટ જનરલ મેનેજરની સુરતમાં એક ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. એરપોર્ટ વિસ્તરણનું મહત્વનું કામ આ પોસ્ટ પર નિમાયેલા ગુપ્તા નામના એક અધિકારીને સોંપવામાં આવ્યું હતું. હાલ એરપોર્ટ પર વિસ્તરણ ચાલી રહ્યું છે ત્યારે અનેક કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુપ્તા નામના આ અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.30 હજારની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે આ અધિકારને પાઠ ભણાવવા માટે એન્ટી કરપ્શનન બ્યુરોને ફરીયાદ કરીને આજે તેમને આબાદ છટકામાં પકડાવી દીધા હતા.

આ સાથે જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા પહેલા આ અધિકારી મહાશયે કાળી ટીલી લગાડી દીધી છે.

 

January 12, 2019
sachin.jpg
1min5400

સચીન જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગોને પાણી વિતરણમાંથી કરોડ રૂપિયાની કમાણી થાય તેવી ગણતરી માંડીને બેઠેલા કેટલાક લોકો યેનકેન પ્રકારે સચીન જીઆઇડીસીમાં પાણીની બૂમો પાડીને પાણી વિતરણનું સમગ્ર કામ ખાનગી હાથોમાં સુપરત કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હકીકતમાં સચીન જીઆઇડીસીના ઉદ્યોગોને ખાનગી સપ્લાયર પાણી વિતરણ કરશે તો હાલના સિંચાઇ વિભાગના દરથી અનેક ગણું મોંઘુ પાણી મળશે અને તો જ કરોડોની કમાણી શક્ય બનશે. આ સમગ્ર કારસામાં સિંચાઇ વિભાગના કેટલાક અધિકારીઓ પણ ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે. હકીકતમાં પાણીનો કોઇ મેજર પ્રોબ્લેમ હજુ સુધી જોવા મળી રહ્યો નથી પરંતુ, ઇશ્યુને મોટો દર્શાવીને મામલો પાણી સપ્લાયના ખાનગીકરણ સુધી લઇ જવાની પેરવી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટીએ બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી સુરતની સચીન જીઆઇડીસીમાં પાણીની અછતની બૂમો પાડીને પાણી વિતરણનો કરોડોનો કોન્ટ્રાક્ટ ખાનગી હાથોમાં સોંપવાનો કારસો સિફતપૂર્વક રચાઇ ચૂક્યો છે. રાજ્ય સરકાર સામે પાણી અછતની બૂમો પાડીને ખુદ સરકાર જ સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણનું કામ ખાનગી કોન્ટ્રક્ટરને સોંપવા અંગેના આદેશો જારી કરે તેવી ગેમ ગોઠવવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સચીન જીઆઇડીસીમાં પાણી વિતરણ કરતું સિંચાઇ વિભાગથી લઇને સચીન જીઆઇડીસીનો વહીવટ કરતા સત્તાધારીઓ તેમજ વિરોધી પેનલ તમામ એક પાટલે બેઠા છે અને તમામ એવા પ્રયાસો કરી રહ્યા છે કે સચીનમાં પાણીનો ધંધો ખાનગી હાથોમાં જતો રહે અને કરોડો રૂપિયાની કમાણી અને કમિશનની મલાઇદાર આવક ઉભી થાય. સિંચાઇ વિભાગ ઇરાદાપૂર્વક પાણી ઓછું આપીને પાણીની કુત્રિમ અછત ઉભી કરી રહી છે તો બીજી તરફ વર્તમાન વહીવટર્તાઓ, ભૂતકાળના વહીવટકર્તાઓ એવી બૂમો પાડી રહ્યા છે કે સચીન જીઆઇડીસીમાં પાણીની તંગીને લીધે ઉદ્યોગોને માઠી અસર પહોંચી રહી છે.

તાજેતરમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે 750 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલી સચીન જીઆઇડીસી અમદાવાદના વટવાની જીઆઇડીસી બાદ ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી છે જેમાં 2350 નાના મોટા ઓદ્યોગિક એકમો સ્થપાયેલા છે અને કમસે કમ અઢી લાખ લોકો રોજગાર અહીંથી રોજગારી મેળવી રહ્યા છે. આ તમામ લોકોને પાણી પુરવઠો પર્યાપ્ત પ્રમાણમાં મળતો નથી. 22મી ફેબ્રુઆરી સુધી સિંચાઇ વિભાગ પાણી આપી શકે તેમ નથી. અને મોટા ભાગે પાણી પર નિર્ભર રહેતા ઉદ્યોગો મોટી નુકસાની વેઠી રહ્યા છે, પાણીના અભાવે કામદારોની પણ હિજરતની દહેશત પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.

આ પત્રને પહેલી સોગઠી ગણવામાં આવી રહી છે. આગામી દિવસોમાં તપાસના નામે રિપોર્ટ તૈયાર કરીને બાદમાં સમગ્ર મામલો પાણી સપ્લાયના ટેન્ડરિંગની પ્રક્રિયા સુધી પહોંચાડી દેવામાં આવે તો નવાઇ નહીં.

January 12, 2019
patang1.jpg
1min15790

જયેશ બ્રહ્મભટ્ટ. સુરત

સુરતીઓની ઉતરાણ પહેલા જેવી ક્યાં રહી છે. દાયકા અગાઉ સુધી સુરતીઓ માટે ઉતરાણ એટલે જાણે પતંગ અને દોરી સિવાય બીજું કશું નહીં. હવે ઉતરાણ પતંગ-દોરાથી વિશેષ ખાણીપીણી અને પાર્ટીઓનો ફેસ્ટિવલ બની ગઇ છે. આ શબ્દો છે સુરતના સૌથી જૂના પતંગના વિક્રેતા શ્રી મનહરભાઇના. સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં મનહરભાઇએ જણાવ્યું કે પહેલા જેવા પતંગો ક્યાં સુરતીઓ ચગાવે છે, એવા ગ્રાહકો હતા જેઓ 500-500 પતંગ અને 6-7 ફિરકીઓ લઇને ધાબે ચઢી જતા અને બે દિવસ બસ અગાસી પર જ. હવે એ જ ગ્રાહકો 50 પતંગ માંડ ખરીદે છે અને ફક્ત ઉતરાણના દિવસે સાંજે 5 થી 7માં જે પતંગો ચગાવી શકાય એ ચગાવાના નહીં તો કંઇ નહીં.

symbolic photo

આવો જ માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સુરતીઓની હાલની યુવા પેઢી એટલે કે યંગસ્ટર્સ, કિડ્ઝીસ્તાનને પતંગ દોરા પરત્વે ખાસ આકર્ષણ નથી. 7થી 18 વર્ષની વયના સુરતીઓ તેમના ડેડીની જેમ પતંગના રસીયા નથી એટલે માહોલ નિરસ બની રહ્યો છે, તબક્કાવાર ઉતરાણ હવે ખાણી-પીણીનો ફેસ્ટિવલ બની રહ્યો છે.

પારિવારીક અને ફ્રેન્ડસ સર્કલના મેળાવડા, પાર્ટીઓ થાય પણ પહેલાની જેમ પતંગ ચગાવવાનું કામ પ્રાયોરિટીમાં નહીં પણ આખા દિવસમાં શું ખાવા પીવાનું અને ડ્રેસિંગ બસ એટલા પૂરતી ઉતરાણ સિમીત બની ચૂકી છે. પતંગ દોરાના વિક્રેતા કરતા આજે ઉંધીયું, પૂરી, રેડીમેડ ખાણું વગેરેનું માર્કેટ ઉતરાણમાં ઉંચકાય જાય છે પણ પતંગ અને દોરાનો વેપાર પહેલા જેટલો પણ નહીં તેનાથી ઓછો થયો છે. હાલાકી વસતિ વધી છે પણ પતંગ દોરાનો કારોબાર 10 વર્ષ પહેલાની સરખામણીમાં વધવો જોઇએ તેવો વધ્યો ન હોવાનું રાંદેરના પતંગ વેપારીઓ જણાવી રહ્યા છે.

સોમવાર તા.14મી જાન્યુઆરીએ ઉતરાયણના દિવસે મોટા ભાગે અગાસીઓમાં ખાણીપીણીની જયાફતો યોજાવાની છે. આમેય ઉતરાણના દિવસે પહેલા જેવો પવન પણ વાતો નથી કે ફૂંકાતો નથી, એટલે તબક્કાવાર એવું નોંધાયું છે કે સુરતીઓની પતંગ ચગાવવાની મઝા પણ પવનની ગેરહાજરી કિરકીરી કરી રહી છે.

January 10, 2019
surat.jpeg
1min26350

સુરતનો વિકાસ કરતી મ્યુનિસિપલ કોર્પોરેશન હાંફી ગઇ છે, તિજોરી તળીયું દેખાતી થઇ છે ત્યારે શહેરમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓ સામે આવીને સુરતના માળખાગત સુવિધાઓ વિકસાવવામાં યોગદાન ક્યારે આપશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના અર્થતંત્રને સમગ્ર વિશ્વમાં ગણનાપાત્ર બનાવતા બે મુખ્ય ઉદ્યોગો હીરા અને ટેક્સટાઇલનું સમાજ પ્રત્યે પણ ઉત્તરદાયિત્વ હોય છે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હવે સતત તળીયા ઝાટક બની રહી છે ત્યારે સુરતમાંથી કમાણી કરતા ઉદ્યોગોની નૈતિક ફરજ બને છે કે સામે આવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને શહેરમાં માળખાગત સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

સુરતમાંથી લખલૂંટ કમાણી કરતા ઉદ્યોગપતિઓએ આ શહેરના વિકાસમાં પણ યોગદાન આપવાનું થતું હોય છે. કોર્પોરેટ જગતમાં રાજ્ય સરકારે ફરજિયાત સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી) એક્ટવિટી કરાવે છે પરંતુ, સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે વ્યક્તિગત કે ભાગીદારી પેઢીમાંથી વિકાસ પામ્યા છે ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ એટલે કે સુરતના વિકાસમાં પણ યોગદાન આપવાની બાબત વ્યક્તિગત બની ગઇ છે.

સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ સખાવતમાં પાછું વળીને જોયું નથી

છેલ્લા 25 વર્ષથી પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને સામાજિક ઉત્તરદાયિત્વમાં જે જોયું જાણ્યું છે એના પરથી લખી રહ્યો છું કે સુરત પાસેથી કમાણી કરીને સુરતને ઋુણ ચૂકવવામાં હીરા ઉદ્યોગપતિઓએ જબરદસ્ત ફાળો આપ્યો છે અને આપી રહ્યા છે. હીરા ઉધોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓએ સુરતના વિકાસમાં જ્યારે જ્યારે ટહેલ પડી છે ત્યારે રકમની સામું જોયા વગર કરોડો રૂપિયા આપ્યા છે અગર તો સુરતને પબ્લિક પ્રોજેક્ટ સમર્પિત કર્યા છે. કિરણ હોસ્પિટલ હોય કે સૌરાષ્ટ્ર પટેલ સમાજની લાઇબ્રેરી હોય કે પછી પબ્લિક દવાખાના હોય, હીરા ઉદ્યોગપતિઓએ સુરતના લોકો માટે આ પ્રોજેક્ટસ આપીને ઋુણ અદા કરવામાં કોઇ કચાશ છોડી નથી. બીજી તરફ, શહેરમાં સી.સી. ટીવી કેમેરાનું નેટવર્ક બિછાવવાનું હોય કે સરહદ પર શહીદ થતા વીર સૈનિકોના પરિવારજનોને આર્થિક સહયોગ આપવાનો હોય સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓએ આવા સામાજિક ઉત્તરદાયિત્વના કામો માટે અપેક્ષા કરતા મોટી રકમ આપી છે.

  • હીરા ઉધોગપતિઓ ન હોત તો આ મેગા પ્રોજેક્ટસના મીઠાં ફળ સુરતીઓને મળી શક્યા હોત
  • કિરણ હોસ્પિટલ
  • લોકસમર્પણ બ્લડ બેંક
  • લોકદ્રષ્ટી ચક્ષુબેંક
  • વરાછા કો.ઓ. બેંક
  • ડાયમંડ હોસ્પિટલ
  • જે.ડી. ગાબાણી લાઇબ્રેરી અને પુસ્તકાલય
  • ઓડીટોરીયમ અને આર્ટ ગેલેરી (પ્રપોઝ્ડ)
  • સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ
  • આવી તો કંઇ કેટલીય પ્રવૃતિઓ છે જેનો લાભ સમાજના દરેક વર્ગના લોકોને આજે મળી રહ્યો છે, આ પ્રવૃતિઓ હીરા ઉદ્યોગ સાથે કંળાયેલા ઉદ્યોગપતિઓએ ઉદાર હાથે આપેલા દાનમાંથી ધમધમી રહી છે. આવા પ્રોજેક્ટસને કારણે સ્થાનિક વહીવટીતંત્રોને મોટી રાહત મળતી હોય છે. સુરતના વિકાસમાં આ પ્રોજેક્ટસ મહત્વની ભૂમિકા ભજવે છે.

બિનગુજરાતી ઉદ્યોગપતિઓની સખાવત સ્વકેન્દ્રી બની રહી

બીજી તરફ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌથી વધુ હિન્દીભાષીઓ કાર્યરત છે અને તેઓ કમાણી પણ કરી રહ્યા છે. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, ઉત્તર પ્રદેશ વગેરેથી અહીં મોટા પ્રમાણમાં વર્કર્સ આવ્યા છે, તેઓ મર્યાદિત આવક રળી રહ્યા છે, રોજી રોટી માટે આવ્યા છે માની શકાય પરંતુ, સુરતમાં એવા અનેક હિન્દીભાષી, બિનગુજરાતી ટેકસટાઇલ ઉદ્યોગપતિઓ છે જેઓ કરોડો નહીં અબજો રૂપિયાની કમાણી સુરતમાંથી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. પરંતુ, ઉડીને આંખે વળગે તેવા સોશ્યલ રિસ્પોન્સિબિલીટીના એકેય પ્રોજેક્ટ આ વર્ગમાંથી મળ્યા નથી. કહેવાનો મતલબ એવો હરગીઝ નથી કે બિનગુજરાતી ઉદ્યોગપતિઓ દાન-ધર્મ નહીં કરતા હોય પરંતુ, હોસ્પિટલ, સ્કુલ, કોમ્યુનિટી હોલ જે કંઇ પણ આ વર્ગે બનાવ્યું એમાં ટોપ પ્રાયોરિટી પોતાના વર્ગ પૂરતી સિમીત રાખી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુરતમાંથી લખલૂંટ કમાણી કર્યા પછી બિનગુજરાતી ઉદ્યોગપતિઓએ જે સખાવતો કરી એ પોતાના વર્ગ પૂરતી સ્વકેન્દ્રી કરી છે. સ્વકેન્દ્રી એટલા માટે લખવું પડી રહ્યું છે કેમકે બિનગુજરાતી કહો કે હિન્દીભાષી ઉદ્યોગપતિઓએ આ શહેરમાં જો પબ્લિક પ્રોજેક્ટસ આપ્યા હોય તો એ મહત્તમ સીબીએસઇ સ્કુલ્સ છે કે કોલેજો છે. સીબીએસઇ એટલા માટે કે આખા દેશમાં સીબીએસઇ બોર્ડ હોય અને આવી સ્કુલ્સમાં મિડીયમ ઓફ ટીચીંગ કોમન હોય એટલે એ વર્ગના પરિવારોના બાળકોની શિક્ષણની સુવિધાઓ સચવાય રહે. સીબીએસઇ સ્કુલ્સમાં પ્રાયોરિટી બિનગુજરાતી પરિવારોને પહેલા આપવામાં આવે છે પરીણામે સ્વકેન્દ્રી અભિગમ છતો થઇ રહ્યો છે.

સૌથી કંજૂસ હજીરાના ઉધોગો, સુરતની તાપી નદીનું પાણી લીધું એટલા રૂપિયા પણ આપતા નથી

એવું નથી કે સુરતને ધંધાકીય સિટીની ઓળખ હજીરાના ઉદ્યોગોથી મળી હોય. દાયકાઓ પૂર્વેથી સુરત વેપાર-વણજ માટે પ્રખ્યાત હતુ અને છે. અને આ જ કારણે દેશના ઉદ્યોગપતિઓ સુરત નજીક હજીરામાં આવ્યા. હજીરા ખાતે પ્લાન્ટસ નાખીને દેશની અગ્રણી હરોળની બનેલી અનેક કંપનીઓએ સુરતના તટેથી વેપાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. સી.એસ.આર. એક્ટિવિટીના નામે આ ઉધોગોએ હજીરાના આસપાસના ગામોમાં થોડી ઘણી સખાવતો કરી છે, એ સિવાય તાપી નદીમાંથી રોજેરોજ કરોડો લિટર પાણી ઉલેચી રહેલી હજીરાની કંપનીઓ જો સુરતને પાણી લીધા બરાબર પણ ઋુણ અદા કરે તો સુરતમાં અનેક માળખાગત સુવિધાઓ વિકસી શકે. સુરતના વિશાળ હિતમાં જ્યારે જ્યારે કોઇ પ્રોજેક્ટ હાથ ધરાય અને પબ્લિક પાર્ટિશિપેશનની જરૂર પડે ત્યારે સ્થાનિક અધિકારીઓએ દમ મારીને દાનના રૂપિયા હજીરાના ઉધોગો પાસેથી કઢાવવા પડે એ સિવાય સ્વયંભુ સુરતને કશું આપવા માટે હજીરાના ઉદ્યોગો ક્યારેય આગળ આવતા નથી.

હવે એવો સમય આવી ગયો છે કે સુરતના વિકાસ માટે એક્સ્ટ્રા એટેમ્પ્ટ કરવો પડશે. એકલી સુરત મહાનગરપાલિકા પાસે જ સુરતના વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. ઉધોગો અને ઉધોગપતિઓએ સામાજિક ઉત્તરદાયિત્વ સમજવું પડશે. સુરત એવા લેવલમાં આવી ચૂક્યું છે કે અહીંથી આયોજનબદ્ધ રીતે વિકાસને દિશા મળી શકે અન્યથા મુંબઇની જેમ અણઘડ રીતે એ વિકાસના નામે ફેલાતું રહેશે. એકલા ઉદ્યોગપતિઓ નહીં સમગ્ર ઉદ્યોગે સાથે મળીને સુરતના વિકાસના પ્રોજેક્ટસની જવાબદારી ઉપાડી લેવાનો વખત આવી ચૂક્યો છે.