એરફોર્સમાં કામ કરતી સુરતી યુવતિએ અફવા ફેલાતી રોકવા યાચના કરવી પડી
સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.
ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.
ઉત્સાહના અતિરેકમાં સુરતીઓએ ઉર્વિશા જરીવાળાના નામથી જે અફવાઓ ફેલાવી તેનાથી તેના પરિવારજનો, સગાસબંધીઓ સમેત અનેક લોકોએ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
