CIA ALERT
19. May 2024
February 15, 20191min5080

Related Articles



સુરતીઓ આઘાતમય, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સમૂહ લગ્નોત્સવ શોકાંજલિથી શરૂ થશે

Share On :
Print Friendly, PDF & Email

કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.

હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :