

કાશ્મીરના પુલવામા ખાતે ભારતીય સૈન્ય પર આતંકી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. ભારતીય નાગરીકો, સંસ્થાઓ પોતપોતાની રીતે કાર્યક્રમો યોજીને સૈનિકોનું મનોબળ વધારી રહી છે. સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આવતીકાલ તા.19મી ફેબ્રુઆરી 2019ને મંગળવારે સાંજે 7 કલાકે સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું કે પુલવામાની ઘટના બાદ મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા ગણેશ ભક્તોમાં આતંકીઓ અને પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ જોવા-સાંભળવા મળ્યો છે. એ પછી અમે સંચાલક મંડળએ ભારતીય સૈનિકોનું મનોબળ વધારવા તેમજ તેમના રક્ષણ કાજે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના ચરણોમાં મહાઆરતી સમર્પિત કરીને ભારતીય સેન્ય માટે મંગળ થાઓની પ્રાર્થના કરીશું.

આ કાર્યક્રમમાં સુરત એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામ કોલેજો, શાળાઓના કર્મચારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શહેરના જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો, શહેરના જુદા જુદા જ્ઞાતિ સંગઠનો, મહિલા મંડળો, સોસાયટીઓ, સ્થાનિક સામાજિક, રાજકીય અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મહાઆરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ભક્તજનના હાથમાં દિવડા હશે અને તેઓ પણ ભારતીય સૈન્ય જવાનો માટે ગણેશજીની આરતી ઉતારીને તેમના માટે પ્રાર્થના કરી શકશે.
કાશ્મીરમાં આતંકી હુમલાથી સ્તબ્ધ સુરતવાસીઓ પોતાની સંવેદના ઘેરા શોક અને આક્રોશ સાથે વ્યક્ત કરી રહ્યા છે. આગામી રવિવાર તા.17મી ફેબ્રુઆરી 2019ના રોજ પીપી સવાણી અબ્રામા સ્કુલના ગ્રાઉન્ડ પર 261 યુગલનો સમુહ લગ્નોત્સવ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજક શ્રી કાનજીભાઇ ભાલાળાએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે આતંકી હુમલાની ઘટનાએ અમને હચમચાવી મૂક્યા છે. 261 યુગલો તેમનું નવું જીવન શરૂ કરી રહ્યા છે, રવિવારે. તેમનો લગ્ન સમારોહ તો રોકી શકાય નહીં પરંતુ, અમે તેને સાદગીપૂર્ણ બનાવી રહ્યા છીએ.
હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.
કાશ્મીરમાં આતંકી હુમલામાં 44 જવાનોની શહીદીની ઘટના બાદ ભારતવાસીઓ ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા છે. સુરતની વાત કરીએ તો સંવેદનશીલ સુરતીઓના હૈયા આતંકી હુમલાની ઘટનાએ હચમચાવી મૂક્યા છે, એવી દેશદાઝ ઝળહળી ઉઠી છે કે જો તક મળે તો પાકિસ્તાન અને તેના પ્રરીત આતંકીઓનો ખાત્મો બોલાવાના મિશનમાં દરેક નાગરીક મંડી પડે. આખો દેશ એક થઇ ગયો છે. સુરતીઓ પોતપોતાની રીતે શહીદોને અંજલી આપી રહ્યા છે, સુરતીઓ પોતપોતાની રીતે આતંકીઓ પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે.
સુરતીઓની સંવેદના તા.14મીએ સાંજથી જ હળબળી ઉઠેલી જોવા મળી હતી. આતંકીઓના પૂતળા બાળીને યુવાન હૈયાઓ પોતાની લાગણી પ્રદર્શિત કરી. કેટલાક નાગરીકો એટલા આઘાતમાં છે કે તેમણે શહીદ સૈનિકો માટે પોતાના જીવનમાં પણ સાદગી લાવી દીધી છે.
શહેરમાં એક સ્થાનિક પરિવારે લગ્નના ભપકાદાર કાર્યક્રમો રદ કરીને લગ્ન પ્રસંગ સાદગીથી ઉજવવા માટે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. જોકે, આ પરિવાર મિડીયા સમક્ષ આવ્યો નથી એટલે તેના વિશે વધુ વિગતો કહી શકાય તેમ નથી.
કામરેજમાં એક નખશીખ દેશભક્ત પરિવારના તમામ સભ્યો કાશ્મીરની આતંકી ઘટનાથી એટલા હચમચી ઉઠ્યા છે કે તેમના 17 જણના બહોળા પરિવાર કે જેમાં 6 વર્ષની બાળા પણ છે આ પરિવારે 13 દિવસ સુધી ઘરમાં શોક રાખ્યો છે. પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ રીતે સૈનિકોની શહીદીને આદર આપી રહ્યા છે. સી.આઇ.એ.એ તેમને સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારા માટે કશું લખશો નહીં. આ છતાં અમે લખી રહ્યા છીએ કે આ પરિવાર 13 દિવસ સાદી ખીચડી ખાઇને ગુજારશે. ઘરમાં ટીવી બંધ રહેશે. વડીલો તો સફેદ કપડા ધારણ પણ કરી લીધા છે. આટલી સંવેદનશીલતા જોઇને પ્રતીતી થાય છે કે જવાનોની શહીદીએ સુરતીઓની સંવેદનાને ઢંઢોળીને મૂકી દીધી છે.
હાલમાં બે નિર્ણય લેવાયા છે. જેમાં 1. સમૂહ લગ્નોત્સવ શહીદ જવાનોને શોકાંજલિ અને મૌન પાળીને શરૂ કરવામાં આવશે. 2. લગ્નોત્સવમાં જે કંઇપણ યુગલોને ચાંદલા સ્વરૂપે મળશે એ રકમની પાઇ પાઇ પુલવામાની ઘટનામાં શહીદ થયેલા સૈનિક પરિવારોને મોકલી આપવામાં આવશે.
સુરતની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓએ આજે તા.15મીએ સવાર અને બપોરના સેશનમાં સૌથી પહેલા પ્રાર્થના કર્યા બાદ કાશ્મીર હુમલામાં શહીદ થયેલા જવાનોને સલામી આપતા તેમના માનમાં મૌન પાળ્યું હતું. શાળાઓએ સૈનિકોની શહીદી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરીને તેમને દેશ માટે કંઇપણ કરી છૂટવાના વિચારો આપ્યા હતા. અનેક સંસ્થાઓએ આજના તેમના જુદા જુદા કાર્યક્રમો રદ કરી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે તા.15મી ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે 5.30 કલાકે એક અગત્યની બેઠક યોજી હોવાનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે.
Solidarity with the Soldiers and the Nation Trade Industries and Services join their hands together with the SGCCI and extend their deepest condolences to the martyred soldiers at the PULWAMA ATTACK, We pledge our solidarity and oness of the trade industries and services of the entire south Gujarat in all efforts of the brave army in their steps for avenging their loss. Just to stand with solidarity we meet today, 15th February at 5:30 pm at SGCCI, 4th floor, Samruddhi Building, Nr. Makkai Pool, Surat. JAI HIND
લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને ગુજરાતી ગીત ને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.
તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.
‘ જબ કોઇ બાત બીગડ જાયે – વાલમ આવો ને ‘ સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.
વાલમ આવો ને…જીગગદાન ગઢવી, લિરીક્સ નિરેન ભટ્ટ, મ્યુઝિક સચીન જીગર
પ્રોડ્યુસ બાય અક્ષર કમ્યુનિકેશન્સ
આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી…બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.
કસ્ટમ ઓફિસમા વિદેશી દારૂની બોટલ મુદ્દે તમામ સ્ટાફની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા
સુરત અમદાવાદની ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ વિજીલેંસની ટીમે ગયા બુધવારે, તા.6 ફેબ્રુઆરીના રોજ અચાનક સગરામપુરા ખાતે આવેલી કસ્ટમ ઓફિસમા તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી કેટલીક ગેરરીતીઓ મળી આવી હતી. જેમાં ત્રીજા માળે મુકવામા આવેલા એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. આ કિસ્સામાં આજે કસ્ટમ વિભાગના ઉચ્ચાધિકારીઓએ એક સાથે 10 અધિકારી કર્મચારીઓની ટ્રાન્સફર કરી દીધી હોવાના સમાચારો ચમક્યા છે. કુલ 4 અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે દારુની બાટલી મળ્યા બાદ અત્યાર સુધી ત્યાં હાજર સ્ટાફની પૂછપરછમાં કોઇએ પણ સ્વીકાર કર્યો નથી. જેને પગલે વિજિલેંસના અધિકારીઓ પણ ગુંચવણમા મુકાયા છે જોકે તેઓ પણ આ મુદ્દે કાચું કાપવાના મુડમા નથી.
આગામી દિવસોમાં બુધવારે હાજર રહેલા તમામ કર્મચારી અને અન્ય સ્ટાફનો નિવેદન લેવામા આવે તેવી સંભાવના છે.
કસ્ટમનાં સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિજિલેંસની ટીમે બુધવારે બપોરે સાડા ત્રણ વાગે શરૂ કરેલી તપાસ ગુરુવારે વહેલી સવાર ત્રણ વાગે સુધી ચાલુ હતી. તપાસ દરમિયાન એક કબાટમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવી હતી. જોકે કબાટની માલિકી કોની છે તેનો કોઇએ સ્વીકાર કર્યો નથી. હવે આશ્ચર્યની વાત એ છે કે કસ્ટમ ઓફિસમા ત્રીજા માળે કબાટમાં દારૂની બોટલ કોણે મુકી છે. વિજિલેંસના અધિકારીઓ પણ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે જોકે તેમણે દારૂની બોટલ મળ્યા બાદ તરતજ ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફનો નિવેદન લેવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ અત્યાર સુધી કોઇ ઠોસ માહિતી મળી નથી તેથી સંભાવના છે કે કસ્ટમ વિભાગ દ્વારા તે દિવસે હાજર રહેલા તમામ કર્મચારી ઇન્સ્પેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટ સહિત અન્ય તમામના નિવેદન લેવામા આવી તેવી શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે કસ્ટમ વિભાગમાં વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવવાની ઘટનાને લીધે ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ છે. વિદેશી દારૂ મળ્યા અંગે ખુદ કસ્ટમ વિભાગ પણ કસ્ટમ એક્ટના ભંગ બદલ તપાસ શરૂ કરશે. કસ્ટમ વિભાગમાં આવી ગેરરીતી મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા છે જોકે હવે તપાસ બાદ કેટલીક હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.
અમરોલી કોલેજના યંગસ્ટર્સે દ્વારા અભિનીત અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી પ્રાયોજિત નાટક મેં ગનદેવીનો ગલો નો પ્રયોગ ગઇ તા.3જી ફેબ્રુઆરીને રવિવારે સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યો હતો. શ્રોતાઓને આ નાટક એટલું ગમ્યું હતું કે આજકાલ સુરતના સોશ્યલ મિડીયા નેટવર્કમાં આ નાટકની ભારે ચર્ચાઓ થઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સ્થાનિક તળપદી ભાષા પ્રયોગ સાથે લખાયેલા આ નાટકના પાત્રોના અભિનયને પણ લોકો વખાણી રહ્યા છે.

(સુરતના ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગઇ તા.3 ફેબ્રુઆરી 2019ના રોજ મેં ગનદેવીનો ગલો નાટ્ય પ્રયોગ પૂર્વે સમારોહનું દિપ પ્રાગટ્ય કરી રહેલા ડો. ધવલ પટેલ, સુરત કલેક્ટર તેમજ અમરોલી જીવન જ્યોત ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના સભ્યો)
આ નાટક પ્રાદેશિક ભાષા, દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાનું સંવર્ધન થાય તે માટે પ્રાયોજિત કરવામાં આવ્યું છે. શ્રી સતીષ વ્યાસ દ્વારા લિખીત અને અમરોલી કોલેજના અધ્યાપિકા સોનલ વૈદ્ય કુલકર્ણી દ્વારા દિર્ગદર્શિત આ નાટ્યને ખુદ સુરત કલેક્ટર શ્રી ધવલ પટેલ, સુરતના નાટ્ય આગેવાનો સર્વશ્રી યઝદી કરંજીયા, શ્રી કપિલ દેવ શુક્લ સમેત અગ્રણીઓ વખાણી ચૂક્યા છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી -ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને જે.જેડ.શાહ આર્ટસ એન્ડ એચ. પી.દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત “મેં ગંદેવીનો ગલો” (લેખક:સતીશ વ્યાસ, દિગ્દર્શક: સોનલ વૈદ્ય કુલકર્ણી) નાટક તારીખ 3/2/2019 ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભજવવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધવલભાઈ પટેલ (આદરણીય કલેકટર શ્રી સુરત), શ્રી સતિષભાઈ વ્યાસ, શ્રી યઝદી ભાઈ કરંજીયા, શ્રી ભરતભાઈ શાહ (પ્રમુખશ્રી જીવન જ્યોત ટ્રસ્ટ,અમરોલી) તથા જીવન જ્યોત ટ્રસ્ટ ના અન્ય ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પ્રેક્ષકોએ હાજરી આપી આ નાટકને માણ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન પ્રિ.ડૉ.કે.એન. ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર શ્રી સતિષભાઈ વ્યાસ , પ્રા. સોનલ વૈદ્ય કુલકર્ણી,નાટકના પાત્ર ભજવનાર તમામ વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામ વ્યક્તિઓ નો ખુબ ખુબ આભાર માને છે.
ગુજરાતી ભાષા પ્રમોટ કરવા માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વારસાગત જાળવણી સ્કિમ અંતર્ગત નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના નાટક ની પસંદગી કરવામાં આવી છે. સુરતમાંથી પસંદ થયેલા નાટક સુરત સહિત અલગ અલગ શહેરોમાં ભજવાશે. ગુજરાતમાંથી 250 એન્ટ્રી આવી હતી સ્પર્ધા માટે અમદાવાદ, બરોડા, રાજકોટ, વડોદરા અને સુરત ની કોલેજ મળીને કુલ 250 જેટલી એન્ટ્રીઓ આવી હતી. જેમાં સુરતના નાટકો પણ હતાં. ભજવણી માટે સુરતના બેસ્ટ નાટકનું સિલેક્શન કરવામાં આવ્યું. દ.ગુજરાતની બોલી દર્શાવતુ નાટક છે અમરોલી કોલેજના પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીએ કહ્યું હતું કે, “અમરોલી કોલેજ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. સુરતી તળપદી ભાષા અને દક્ષિણ ગુજરાતની બોલી અને ગુજરાતી માધ્યમને પુષ્ટિ આપતું હોવાથી પસંદ કરવામાં આવ્યું છે.
અમરોલી કોલેજનું નાટક “મેં ગંદેવીનો ગલો” નાટક સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ નાટક ગુજરાતી આદિવાસી પ્રજા ઘેરૈયા લોકો અને એમની વિસરતી જતી સંસ્કૃતિ દર્શાવતું નાટક છે.સુરતના નાટકો ભજવાશે સિલેકશન સ્પર્ધાના તજજ્ઞ કહે છે કે “વારસાગત જાળવણી સ્કિમમાં સુરતની અનેક કોલેજોએ નાટકની એન્ટ્રી મોકલી હતી. જેમાં નાટક સિલેક્ટ થયા છે. હવે આ નાટક ગુજરાતમાં સુરત, વલસાડ, બારડોલી, વડોદરા, અમદાવાદ, દમણ વગેરે વિસ્તારોમાં ભજવવામાં આવશે.

(શ્રી દિનેશ નાવડીયા, રિજિયોનલ ચેરમેન શ્રી..જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ બજેટ અંગે જણાવ્યું હતું કે હજુ ડિટેઇલ્ડ નોટિફિકેશન્સ આવશે જેના આધારે આજે થયેલી મૌખિક જાહેરાતો અંગે વધુ ઉંડાણપૂર્વક સમજ કેળવી શકાશે. શ્રી દિનેશ નાવડીયાએ આમ છતાં જણાવ્યું કે આજે વચગાળાના બજેટમાં કરમાં કોઇ ખાસ રાહતની જોગવાઇ કરવામાં આવી નથી. પરંતુ, સામાન્ય લોકો પર જે ટેક્સભારનો બોજ હતો તેને ઘટાડવામાં આવ્યો છે. જેના કારણે ડાયમંડ જ્વેલરીની લોકલ લેવલ પર ખરીદી વધે તેવી શક્યતાઓ જોવાય રહી છે.
તેમણે જણાવ્યું કે હાલમાં મંદીના માહોલનેે કારણે તેમજ અન્ય કારણોસર ડાયમંડ તેમજ જ્વેલરી સેક્ટરમાં ખરીદારીનો અભાવ જોવા મળી રહ્યો છે, લોકોને ટેક્સ બેનિફિટથી રાહત મળતી થશે એટલે આ સેક્ટરમાં ખરીદી નીકળે તેવું ગણિત હાલ તો મંડાય રહ્યું છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના શ્રી કપીશ ખાટુએ બજેટની સમક્ષી કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમજીવીઓને મહિને રૂ.3 હજારનું પેન્શન આપવાની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. સુરતમાં ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ મળીને 18 લાખથી વધુ કારીગરો કામ કરે છે, જેઓ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે, તેમને 60 વર્ષની ઉંમર બાદ મહિને રૂ.3 હજારનું પેન્શન આપવામાં આવશે.
શ્રી કપિશ ખાટુવાલાએ ઉમેર્યુ કે આવી યોજનાઓને કારણે એક પ્રકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો તેમજ અન્ય ડેટાબેઝ પણ યોગ્ય રીતે જળવાશે અને સરવાળેએ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને ઉપયોગી નિવડશે.

બજેટ બ્રિફિંગ બાદ તેની સમીકા કરતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ગિરધર ગોપાલ મુંદડાએ બજેટની જણાવ્યું હતું કે ઇન્ટ્રીમ બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગને સ્પેશિફિક કોઇ સીધો લાભ મળી રહેલો જણાતો નથી. ચીન, વિયેતનામથી વાયા બાંગ્લાદેશ થઇને સુરતમાં જે કાપડ ડમ્પ થાય છે, તથા અન્ય જે સસ્તા ઇલેક્ટ્રોનિક ગેડજેટ્સ ભારતમાં ખડકાય રહ્યા છે, માલ પ્રેક્ટિકસીસ થઇ રહી છે, તેને અટકાવવા માટે પોઇન્ટ ઓફ ઓરિજિનનો મુદ્દો બજેટમાં સાંકળવાની જરૂરીયાત હતી. આ સાથે ડબલ્યુ.ટી.ઓ.ની ગાઇડલાઇનના કારણે ફાર ઇસ્ટ અને યુરોપિયન કન્ટ્રીઝમાં જે કાપડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ તેને ડ્યુટી ડ્રો બેકનો લાભ મળી શકતો નથી. જેમાં પણ સુધારાની આશા હતી. અંદાજે 6 બિલિયન અમેરિકન ડોલરનું એમએમએફ કાપડ વૈશ્વિક બજારમાં વેચાય છે જેમાંથી 40 ટકા હિસ્સો સુરત એકલાનો છે. ત્યારે સ્પેશિયલ રેટ ઓફ ડ્યૂટી મળવી જોઇતી હતી.