સુરતીઓની દુનિયા Archives - Page 47 of 76 - CIA Live

September 17, 2019
ikim1.jpg
1min8060

ઉપરોક્ત પોસ્ટર જો તમે વાંચ્યુ હોય તો એવું ન માનતા કે એ સોશ્યલ મિડીયામાં ફરતો થયેલો ખોટો વાઇરલ મેસેજ છે. ઉપરોક્ત પોસ્ટરની વાત 100 એ 100 ટકા સાચી છે.

સુરતની જાણીતી આઇસ્ક્રીમ બ્રાન્ડ જનતા આઇસ્ક્રીમ દ્વારા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા તેમની જાણિતી આઇકીમ બ્રાન્ડના આઉટલેટ પર સાંજે 5.30 કલાકથી 6.39 કલા સુધીના 69 મિનિટના સમયગાળા દરમિયાન સુરતવાસીઓને બિલકુલ ફ્રીમાં રાજભોગ આઇસ્ક્રીમ ખવડાવશે.

17મી સપ્ટેમ્બર 2019ની સાંજે 5.30થી 6.39 સુધી આઇકીમ આઇસ્ક્રીમ પાર્લર 48, લક્ષ્મી એન્કલેવ, ગજેરા સ્કુલની સામે, કતારગામ ખાતે રાજભોગ આઇસ્ક્રીમ ફ્રી ખવરાવાશે

જનતા આઇસ્ક્રીમના ઑનર પવનભાઇએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસે આઇકીમ બ્રાન્ડના કતારગામ આઉટલેટ ખાતે ખાસ એક અલાયદું કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને 69 મિનિટમાં જેમણે જેટલો પણ આઇસ્ક્રીમ ખાવો હશે એ બિલકુલ ફ્રીમાં ખવરાવીશું.

આ માર્કેટિંગ સ્ટ્રેટેજી તો નથીને એવા સવાલના જવાબમાં જનતા આઇસ્ક્રીમના પવનભાઇએ જણાવ્યું હતું કે સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં લોકો જનતા આઇસ્ક્રીમને જાણે જ છે. જનતા આઇસ્ક્રીમ લોકોનો મનપસંદ ફ્રેશ આઇસ્ક્રીમ છે. આજે મોદી સાહેબના બર્થ ડે નિમિતે લોકોનું મોઢું મીઠું કરાવવાનો આશય છે. 69 મિનિટ એટલે રાખી છે કેમકે તેમણે આજે 69 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું છે.

તેમણે કહ્યું કે આ ઓફર ફક્ત કતારગામ આઉટલેટ પર જ છે અને ખાસ બર્થ ડે માટે કાઉન્ટર બનાવાયું છે. બહું ભીડ થશે તો કતાર બનાવીને લોકોને 69 મિનિટ આઇસ્ક્રીમ ફ્રીમાં આપવામાં આવશે.

September 16, 2019
memo.jpg
1min36460

ઉપરોક્ત ટ્રાફિક પોલીસનો મેમો આજે સુરત સમેત ગુજરાતના સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયો હતો. નવા ટ્રાફિકના રૂલ્સનું ગુજરાતમાં આજે પહેલી વખત પાલન કરવાનું શરૂ કરાયું અને સુરતના પોલીસે સહારા દરવાજા ખાતે એક આઇશર ટેમ્પો ચાલકનો રોક્યો હતો. ફિટનેશ સર્ટિફિકેટ વગર ચાલતા આ ટેમ્પોના ચાલકને પોલીસે રૂ.5000નો દંડ નિયમાનુસાર ફટકાર્યો હતો.

પોલીસે જેવો રૂ.5000નો મેમો ફાડ્યો કે તરત જ મેમોનો ફોટો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો. પહેલી મોટી દંડની રકમ રૂ.5000, દંડનું ખાતું ખૂલ્યું વગેરે ટેગ સાથે સુરતના ટ્રાફિક પોલીસનો મેમો વાઇરલ થયા બાદ સુરત પોલીસના ઉચ્ચાધિકારીઓએ સમગ્ર ઘટનામાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને સાંજે એવો નિર્ણય કર્યો હતો કે હકીકતમાં ટેમ્પોના ફિટનેશ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની કામગીરી તેમજ એ સંદર્ભની ક્ષતિઓ અંગે દંડ ઉઘરાવવાની સત્તાઓ આર.ટી.ઓ.ને હસ્તક છે. ટ્રાફિક પોલીસ આ કામગીરી કરી શકે નહીં. સુરત પોલીસે આઇશર ચાલકને કોર્ટ મેમો અગર તો આર.ટી.ઓ. મેમો આપવાનું નક્કી કર્યું છે અને તેની પાસેથી લીધેલી દંડની રકમ પરત કરવામાં આવશે એમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

રૂપિયા પરત કરવા માટે ટેમ્પો ચાલકને પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક ડીસીપી શ્રી સુધીર દેસાઇએ બોલાવ્યો પરંતુ, પહેલા તો ગભરાટના માર્યા ટેમ્પો ચાલક દંડની રકમ લેવા પરત આવતો ન હતો.

September 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min18390

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તમામ પોલીસ મથકની બહાર પોલીસ જવાનોની બાઇક, મોપેડ પર હેલ્મેટ જોવા મળતી હતી, માર્ગો પર હેલ્મેટધારી પોલીસો જોવા મળ્યા, નિયમોનું પાલન પોલીસે સ્વયંથી શરૂ કર્યું

આજે તા.16મી સપ્ટેમ્બર 2019થી ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમો ખાસ કરીને દંડનાત્મક જોગવાઇઓમાં વધારાનો અમલ શરૂ કરાયો છે. સામાન્ય લોકોમાં ટ્રાફિકના નવા નિયમોથી એટલી હલચલ મચી ગઇ છે કે લોકો પીયુસી કઢાવવા અને હેલ્મેટ ખરીદવા માટે કતારો લગાડી રહ્યા છે. કારચાલકો સીટબેલ્ટ બાંધીને નીકળ્યા છે.

ટ્રાફિકના નવા રૂલ્સનો અમલ શરૂ થાય એ પૂર્વે અઠવા પોલીસ મથકના જવાનોએ પોતાની હેલ્મેટ સાથે નિયમ પાલન કવરા અંગેન કટિબદ્ધતા વ્યક્ત કરી એ વેળા લેવાયેલી તસ્વીર, સુરતના પોલીસ જવાનોએ લોકોમાં દાખલો બેસાડ્યો

ખાસ કરીને સામાન્ય લોકોમાં ટ્રાફિકના નવા નિયમો અંગે એટલી દાઝ છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં હેલ્મેટ નહીં પહેરતા કે સીટ બેલ્ટ બાંધ્યા વગર પોલીસ જીપ કે ખાનગી વાહનોમાં ફરતા પોલીસ જવાનો કે પોલીસ અધિકારીઓને વિડીયો ઉતારી, ફોટા ક્લીક કરીને લોકોએ સોશ્યલ મિડીયામાં પોલીસ સામે જ ભારે દેકારો મચાવી દીધો છે.

સુરત શહેર પોલીસને સલામ છે કે આજે ટ્રાફિકના નવા નિયમોના પાલનના પહેલા જ દિવસો સ્થાનિક પોલીસ જવાનોએ જડબેસલાક રીતે ટુ વ્હીલ વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરીને લોકોમાં દાખલો બેસાડ્યો છે. ઘણાં લોકો એવી પણ ફિરાકમાં હતા કે હેલ્મેટ પહેર્યા વગર કે સીટ બેલ્ટ બાંધ્યા વગર નીકળતા પોલીસ જવાનોના વિડીયો ઉતારીને કે ફોટો ઉતારીને તેમની જ સામે સોશ્યલ મિડીયામાં ઝુંબેશ ચલાવવામાં આવે.

પરંતુ, સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલએ ગઇકાલ તા.15મી સપ્ટેમ્બર 2019ના રોજ પોલીસ જવાનોને ખાસ અપીલ અને તાકીદ બન્ને કરી હતી કે પોલીસ જવાનોએ પોતાનાથી જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે, લોકો પોલીસને પહેલા આગળ ધરતા હોય છે. ઇન્ચાર્જ સી.પી.ની આ અપીલ કહો કે તાકીદ જબરદસ્ત રીતે કારગત નિવડી છે અને 99 ટકાથી વધુ પોલીસ જવાનો કે જેઓ ટુ વ્હીલ વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે આજે હેલ્મેટ પહેરીને લોકોને દાખલો બેસાડ્યો છે.

આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ માટે આવતા પોલીસ જવાનોની બાઇક જુઓ કે પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરાયેલા ટુ વ્હીલ વાહનો જુઓ તમામ પર હેલ્મેટ હતી. શહેરના માર્ગો પર ફરતા પોલીસ જવાનોને જોયા ત્યારે પણ અનુભૂતિ થઇ કે સુરતના પોલીસ જવાનોએ સ્વયંથી જ ટ્રાફિકના નવા નિયમોના પાલનની શરૂઆત કરીને પોતાની ટીકાનો એકેય મોકો આપ્યો નહીં.

September 14, 2019
amul-milk-500x500.jpg
1min8700

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુરતમાં 2જી ઓક્ટોબર 2019થી સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કમર કસી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ તો શામ, દામ, દંડ, ભેદ જે રીતે થાય એ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. હકીકત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનકર્તાઓ સામે ગુજરાત સરકાર કે સુરત મહાનગરપાલિકા એક હરફ ઉચ્ચારતી નથી, તેમનુ પ્રોડકશન બેધડક ચાલે છે અને તેઓ માલ સપ્લાય બિન્ધાસ્ત કરે છે, પાલિકા કે સરકાર આ ચેઇનને હાથ અડાડ્યા વગર ગ્રાસરૂટ લેવલે ફેરીયાઓ, દુકાનદારો અને વપરાશકર્તાઓ પર ઢોંસ જમાવીને પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

આવી સુરતમાં 35 લાખ દૂધની કોથળીઓનું વેચાણ રોજેરોજ થાય છે, આવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથળીઓનો હાલ તુરત કોઇ વિકલ્પ નથી. પ્લાસ્ટિક બેન સુરતમાં ત્યારે જ સંભવ છે જ્યારે કોઇ વ્યાજબી વિકલ્પ મળી રહે.

સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન પર પ્રતિબંધ અશક્ય એટલા માટે છે કેમકે ખુદ સુરત મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે કે સુરતીઓ રોજ દોઢથી બે કરોડ પ્લાસ્ટિકના ઝભલા થેલીનો ઉપયોગ કરે છે, આ પ્લાસ્ટિક સિંગલ યુઝ છે, એવી જ રીતે સુરતમાં સુમુલડેરીની દુધની 35 લાખ કોથળીઓથી સુરતના ઘરેઘરમાં દૂધ પહોંચે છે, આ પ્રકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની મોટી ડિમાન્ડ અને વપરાશ બન્ને સુરતમાં જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા તંત્ર પાસે કે સરકાર પ્લાસ્ટિકની અવેજીમાં શું વાપરવું તેનો અસરકારક વિકલ્પ આપ્યા વગર પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

શું કહે છે સુમુલના સૂત્રો

સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રોએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ અમને વખતોવખત પ્લાસ્ટિકની કોથળીની જગ્યાએ દૂધ અન્ય ઇકો ફ્રેન્ડલી પેકેજિંગમાં સપ્લાય કરવા કહ્યું છે અને અમે એ વિકલ્પો ચકાસી જોયા છે, ચકાસી રહ્યા છીએ અને ચકાસતા રહીશું. પરંતુ, હજુ સુધી કોઇ બેસ્ટ અલ્ટરનેટીવ મળી શકતો નથી. પેપર પેકમાં જો રોજની 35 લાખ દૂધની કોથળી જેટલું દૂધ સપ્લાય કરવા જઇએ તો દૂધની કોસ્ટ સીધી ડબલ થઇ જશે. જો કાચની બોટલોમાં સપ્લાય કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ત્રણ ગણું વધી જાય અને વધુ વાહનો ચાલશે તો ખર્ચ અને પ્રદૂષણ વધુ થશે. સુમુલડેરી સતત પ્લાસ્ટિકની કોથળીના અલ્ટરનેટિવ શોધી રહી છે.

સુમુલની દૂધની કોથળી 55 માઇક્રોનની

સુમુલડેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સુમુલ ડેરીની હાલની મા જે દૂધની કોથળીનો વપરાશ કરે છે એ દૂધની કોથળી 55 માઇક્રોનથી વધુની છે એટલે એ આમેય હાનિકર્તા નથી.

સુરતમાં સુમુલ સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના અનેક મોટા સ્ત્રોત

સુરતમાં રોજ લગભગ દોઢથી બે કરોડ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાઓનો વપરાશ થાય છે.

એવું નથી કે સુરતમાં સુમુલડેરીની દૂધની કોથળીઓ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મોટા સ્ત્રોત છે, હકીકતમાં સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ખાસ કરીને ઝભલાઓના મુખ્યસ્ત્રોત સુમુલ ડેરી કરતા પણ વધુ છે. સુરતના શાકભાજી માર્કેટમાં સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલા વેચાય છે, એ પછી છૂટક કરીયાણા વિક્રેતાઓથી લઇને નાના છુટક વેપારીઓ સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. શાકભાજી બાદ ફ્રુટ્સની લારીવાળાઓ, છુટક ફ્રુટ્સ વિક્રેતાઓ મોટા પાયે પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે સુરતમાં રોજેરોજ લગભગ દોઢથી બે કરોડના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે.

September 13, 2019
bike-taxi.jpg
6min10260

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

15 વર્ષ પહેલા સુરતમાં, સુરતના માર્ગો પર ટ્રાફિક, પાર્કિંગની જે સ્થિતિ હતી એ આજે એટલી વકરી ચૂકી છે કે સુરતીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સુરતમાં એવા ઘર ઓછા હશે કે જેમાં પુખ્તવયના લોકોની સંખ્યા જેટલા ટુ વ્હીલ વાહનો ન હોય. આવી સ્થિતિમાં સુરતના માર્ગો પર ટ્રાફિક ગીચતા એટલી હદે વકરી રહી છે કે લોકો પાસે અલ્ટરનેટીવ નથી.

સુરતમાં મહાનગરપાલિકાએ બસ સર્વિસીઝ શરૂ કરી છે પરંતુ, બસ સર્વિસીઝમાં બેસવા માટે મધ્યવર્ગ સામે આવ્યો નથી. સૌથી મોટું પરિબળ એ પણ છે કે પોતાના ડેસ્ટીનેશનથી બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડથી પોતાના ડેસ્ટીનેશન પર જવા માટેના રૂટ પર ચાલીને જવાનું સુરતીઓને પસંદ નથી. આમ સુરતનો એક મોટો વર્ગ બસ સર્વિસીઝ માટે અમદાવાદ કે મુબઇગરાઓની જેમ ઉપભોક્તા બની શક્યો નથી.

સી.આઇ.એ. લાઇવનું વિઝન કહે છે કે સુરતમાં માર્ગ પરિવહનના ઢાંચાની મુશ્કેલીઓને જોતા હવે સુરતીઓ શહેરના આંતરીક પરિવહન માટે અલ્ટરનેટિવ શોધી રહ્યા છે અને એ અલ્ટરનેટિવ બાઇક ટેક્સી (ટુ વ્હીલ ટેક્સી) બને તેવા સંજોગો અને સમયનો તકાજો પણ જોવાય રહ્યો છે.

C.I.A. Vision જો કોઇ પહેલ કરે તો સુરતીઓ બાઇક ટેક્સીને અપનાવવા તૈયાર છે

કયા કારણોસર સુરતમાં બાઇક ટેક્સીના સંજોગો ઉજળા બન્યા

  • માર્ગો પર ટ્રાફિક ગીચતા, કામ ધંધા માટે આખો દિવસ એક જ સ્થળે રહેનારા લોકોને ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન પીકઅપ એન્ડ ડ્રોપ મળે તો તેઓ પોતાના ટુ વ્હીલ વાહનો કે ફોર વ્હીલ વાહનો રોજેરોજ રોડ પર ડ્રાઇવ કરવાનું ટાળશે એમાં બે મત નથી
  • શહેરમાં વાહનો એટલા વધી ગયા છે કે કમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગ પ્લેશ નથી, ડેસ્ટીનેશ ટુ ડેસ્ટીનેશ પીક અપ એન્ડ ડ્રોપ હશે તો પોતાના વાહનો લઇને નીકળવાવાળા લોકો ઓછા થશે અને પાર્કિંગની સમસ્યા ઓછી થશે. બાઇક ટેક્સીવાળા બહુ લાંબો સમય પોતાના વાહનો પાર્કિંગ અવસ્થામાં નહીં રાખે. તેમની મોબિલિટી જેટલી તેટલી કમાણી હશે.
  • ભારતમાં જે રીતે નવા ટ્રાફિક રૂલ્સ અને તેનું એન્ફોર્સમેન્ટ થઇ રહ્યું છે તે જોતા ગુજરાતમાં હજુ આ દૌર આવવાનો બાકી છે અને ટ્રાફિક રૂલ્સ એન્ફોર્શમેન્ટ વખતે જે દ્રશ્યો સર્જાશે તેનાથી શોખીન સુરતીઓ દૂર રહેવાની માનસિકતા ધરાવે છે એટલે તેઓ બાઇક ટેક્સીનો વિકલ્પ પસંદ કરીને જફા ઝંઝટથી દૂર રહેવાનું પસંદ કરશે.
  • હાલમાં ડેસ્ટીનેસન ટુ ડેસ્ટીનેસન પરિવહન માટે રીક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ, રીક્ષાચાલકો ઇન્ટર્નલ ડેસ્ટીનેશ માટે વધુ રૂપિયા માગતા હોય છે. એક કે બે મુસાફરો માટે સ્પેશયલ રિક્ષાનો ચાર્જ વધુ ઉસેટતા હોવાથી લોકો હવે બાઇક ટેક્સીના વિકલ્પને એટલે અપનાવશે કેમકે તેમાં પર પર્સન લેખે ચાર્જ ચૂકવવાનો થશે જે રીક્ષા કરતા પણ સસ્તો વિકલ્પ બની શકે.

એવા ઘણા સાધન સંપન્ન સુરતીઓ છે જેઓ પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે

સુરતમાં સાધન સંપન્ન હોય તેવા અનેક પરિવારો છે, જેમની પાસે મોટરકારો, ટુ વ્હીલ વાહનોની કમી નથી પરંતુ, તેઓ અનિવાર્ય સંજોગો સિવાય સામાન્ય કામકાજ, વેપાર ધંધા માટે પોતાના વાહનો લઇને માર્ગો પર નીકળવાનું ટાળી રહ્યા છે. તમારી આસપાસ નજર દોડાવશો તો એવા અનેક લોકો હશે જેઓ શટલિયા રીક્ષા, લિફ્ટ કે અન્ય વિકલ્પો અપનાવીને પોતાના ડેસ્ટીનેશન પર જવાનું પસંદ કરતા હશે.

સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી, મધ્યમવર્ગ સિટી બસથી દૂર રહ્યો

સુરતમાં બેશક સિટી બસનું જબરદસ્ત નેટવર્ક ઉભું થયું છે પરંતુ, મોટા ભાગે શ્રમજીવી પરિવારો સિટીબસનો ઉપયોગ કરી રહ્યા છે. મધ્યવર્ગીય પરિવારોનો વિશાળ વર્ગ હજુ સુધી સિટી બસમાં ટ્રાવેલ કરતો ઓછો જોવા મળે છે, જેનું મુખ્યકારણ એ જ છે કે સિટી બસ ડેસ્ટીનેશન ટુ ડેસ્ટીનેશન નથી. પોતાના ઘર, ધંધાકીય સ્થળોથી બસ સ્ટેન્ડ દૂર હોઇ, લોકોએ બસને અપનાવી નથી. હાલમાં બાઇક ટેક્સીની ગેરહાજરીમાં એકલ-દોકલ લોકો રીક્ષાનો જ ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકો માટે બાઇક ટેક્સી સૌથી બેસ્ટ વિકલ્પ બની રહેશે.

દેશના 200 શહેરોમાં બાઇક ટેક્સીનો યુગ આવે તેવી શક્યતા

According to a driving habits’ survey conducted by Ford Motor Company in 2015, Indian commuters spend more time behind the wheel as compared to their counterparts residing in China, Thailand, the Philippines and Australia. 4 years on, the situation has become even worse as our metro cities grapple with harrowing traffic congestions. With the growing population, the infrastructure of urban Indian cities has failed to keep pace. Be it Delhi, Mumbai or Bangalore, getting stuck in a jam is a common thing for intracity travellers. Overpopulation, outdated infrastructure and unplanned growth of metropolises are the major reasons why the carrying capacity of Indian roads is declining rapidly.

Affordable and Quick Rides

By offering value-for-money rides, bike taxis have emerged as the preferred mode of transportation for the price-sensitive Indian middle class. Commuters who use bike taxis spend significantly less money in comparison to their counterparts who take cabs. In addition to being affordable, bike taxis reach the destination faster as they can slide through the traffic. This explains why intracity travellers in tier I cities are making a switch to bike taxis with much enthusiasm.

Employment Opportunities for India’s Youth

The bike taxi industry is providing employment opportunities to thousands of Indians. And it is expected to create new jobs for many in the days to come. Whether it’s carrying passengers or parcels, two-wheeler taxis have become the source of livelihood for many of India’s skilled youth. Not only full-time employees, but college students are also taking up bike-taxi driving to earn some extra cash in their free time.

Reduced Traffic Congestion

Bike taxis can lessen the traffic congestion in urban Indian cities to a great extent once their adoption is accelerated. At a time when most cities in India are struggling with the number of four-wheelers on the roads, bike taxis can help in reducing the nightmarish jams commuters face every day. This is one of the main reasons why the concept of bike taxis has become so popular and is receiving support from all quarters.  

Less Carbon Footprint

Two-wheelers emit less carbon dioxide than cabs and buses. With the whole world striving for a sustainable future, environmentally-cautious commuters are inclining toward vehicles that do not have adverse effects on our surroundings.

Addressing the First and Last Mile Connectivity Issue

In cities like Chennai and Bangalore, commuters’ biggest challenge is to reach the metro stations on time. Factors like infrequency of bus services, unavailability of autos and steep cab fares have added to the problem. This is where bike taxis come in, offering a viable solution to urban India’s first and last mile connectivity problems, and encouraging more people to opt for public transportation. Realizing the market opportunity, a few of the aggregators have already tied up with various metro stations across the country.

September 12, 2019
CIA_Live_Logo_New2.jpg
3min8110

જયેશ બ્રહ્મભટ્ટ

ગણેશોત્સવ સુરતીઓ માટે હોટફેવરિટ ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલમાં મોજશોખની સાથે સુરતીઓ બાપ્પાની પણ એટલી જ ભક્તિ કરે છે. સુરતીઓની ભક્તિના રંગ આજે વિસર્જન દરમિયાન જોવા મળ્યા.

કોઇકે ખભે બેસાડીને બાપ્પાને વિદાય આપી તો કોઇકે હાથલારી શણગારી, કોઇકે ડોલી અને પાલખી શણગારી તો કોઇકે મર્સીડીઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય આપી. રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પોથી લઇને 18 પૈડાના ટ્રેલર સુધીના વાહનો મૂષકવાહન ધરાવતા ગણપતિ બાપ્પાની વિદાય માટે સુરતીઓએ એટલા આકર્ષક ડેકોરેટ કર્યા કે ગણપતિ બાપ્પાએ પ્રશન્ન થવું પડે એવી ભક્તિ હતી સુરતીઓની.

મર્સિડિઝ બેન્ઝમાં બાપ્પાને વિદાય- આશાદીપ વિદ્યાલય, નાના વરાછા

નાના વરાછા સ્થિત આશાદીપ વિદ્યાલયમાં બિરાજમાન ગણપતિજીને વિદાય આપવા માટે આજે સંસ્થાના સુકાની એવા શ્રી મહેશભાઇ રામાણીએ પોતાની મર્સિડિઝ ઇ-220ને બાપ્પાની વિદાય માટેનું વાહન બનાવ્યું હતું.
તસ્વીર સૌજન્ય મહેશ રામાણી

હાથ લારી ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય- વેસુ સ્થિત શુભ એન્કલેવ

વેસુ સ્થિત શુભ એન્કલેવના ગણેશ સ્થાપકોએ આજે હાથ લારીને સરસ રીતે ડેકોરેટ કરીને બાપ્પાને ભાવપૂર્ણ વિદાય આપી હતી. શ્રમજીવીના આવકના સ્ત્રોત સમી હાથલારીને ડેકોરેટ કરીને શુભ એન્કલેવ વેસુના રહેવાસીઓએ પોતાના કેમ્પસમાં બાપ્પાની શોભાયાત્રા કાઢી હતી એ વેળાની તસ્વીર
તસ્વીર સૌજન્ય વૈશાલી ગાલા

બાપ્પાને ડોલીમાં બેસાડીને વિદાય અપાઇ

આજે અનંત ચતુદર્શીએ ગણપતિ બાપ્પાને આ પ્રકારે ડેકોરેટીવ ડોલી-પાલખીમાં બેસાડીને ભાવપૂર્ણ રીતે વિદાય આપવામાં આવી હતી. સુરતમાં અનેક વિસ્તારોમાં ગણપતિ બાપ્પાની વિસર્જન શોભાયાત્રા ડોલીમાં કાઢવામાં આવી હતી.

સુરતમાં હર્ષોલ્લાસભેર ગણેશ વિસર્જન, બાપ્પાને સુરતીઓની ભાવભીની વિદાય

સુરત શહેરમાં આજે સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના ગણેશ સ્થાપકોએ ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાનના ભાગરૂપે પોતાની સોસાયટી એપાર્ટમેન્ટસમાં જ ગણપતિજીની પ્રતિમાના વિસર્જનની વિધીઓ વહેલી સવારથી હાથ ધરી દીધી હતી.

ઘરમાં જ બાપ્પાને વિસર્જિત કર્યા

મોટી ગણેશ મૂર્તિઓનું વિસર્જન તાપી નદીમાં ન થાય તેની તકેદારી રાખતા સુરત શહેરના તમામ તંત્રોએ સંકલન સાધીને તાપી નદી પરના તમામ ઓવારાઓને સીલ કરી દીધા છે. કોઇને પણ આજે તાપી નદીના કિનારે જવા નહીં દેવાય.

સુરત શહેરમાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ચોકબજાર સ્થિત ડક્કા ઓવારે બનાવવામાં આવેલા કુત્રિમ તળાવમાં તાપી નદીના પાણી ફરી વળતા આજે તેને બંધ રાખવામાં આવ્યો છે. તેના વિકલ્પમાં ગાંધીબાગ ખાતે મૂર્તિઓનો સ્વીકાર કરવામાં આવશે. પાલિકાએ આ વખતે નાનાવરાછામાં રામજી મંદિર પાસેનું કૃત્રિમ તળાવ બનાવવાનું રદ્દ કર્યું છે.

તાપીનદીમાં પાણી વધુ હોય લોકો સીધા નદીમાં જ વિસર્જન કરવા જાય તેવી શક્યતાને પગલે પાલિકાએ આવા 35 ઓવારાઓને સીલ કરી દીધા છે. આ વખતે શહેરમાં 70હજાર ઉપરાંત મૂર્તિઓની સ્થાપના થઈ છે. તેમાંથી કૃત્રિમ તળાવોમાં થનારા વિસર્જનને બાદ કરતાં મોટાભાગની મોટી મૂર્તિઓ ડુમસ અને હજીરાના ઓવારાઓ ઉપર વિસર્જિત કરવામાં આવશે.

22 તળાવોને સ્થાને દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવ સાકાર કરી દીધા છે. આ કૃત્રિમ તળાવમાંથી વિસર્જીત થયેલી પ્રતિમાઓને હજીરા એસ્સાર જેટી ખાતે દરિયામાં લઈ જઈ વિસર્જિત કરાશે. તમામ કૃત્રિમ તળાવોમાં જે અંદાજે 68 લાખ લિટર જેટલું પાણી વપરાશે તેને પણ શુદ્ધ કરીને ઉપયોગમાં લેવા માટેનો દાવો કરાયો છે. 


આ ઓવારાઓ ઉપર કૃત્રિમ તળાવો પણ બનાવાયા છે
ચોકબજાર ડક્કાઓવારાના કૃત્રિમ તળાવ નદીના પાણીમાં ગરકાવ
તાપીનદીમાં પાણીનું લેવલ વધી જતાં ચોકબજારમાં ડક્કા ઓવારા પાસે મેરીટાઈમ બોર્ડ ઓફિસ બાજુમાં બનાવાયેલા બે કૃત્રિમ તળાવો તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. નાના વરાછામાં રામજી ઓવારા ઉપર પણ આવી સ્થિતિને લીધે આ વખતે તળાવ નથી બનાવાયા.
વિસર્જનને લીધે આ રસ્તાઓ ઉપર નહીં જઈ શકાશે
– દિલ્હીગેટથી ચોકબજાર સુધી બંને સાઈડ આવવા જવાનો રસ્તો વાહનો માટે બંધ
– વાય જંકશનથી ડુમસ તરફ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો બંધ રહેશે
– વેસુ ચારરસ્તાથી વાય જંકશન સુધીનો માર્ગ એરપોર્ટ જતા વાહનો સિવાય વાહનો માટે બંધ
– ડુમસ લંગરથી મોટી બજાર ઓવારા જવાનો રસ્તો વાહનો માટે બંધ રહેશે
– હજીરા ONGC સર્કલ તરફથી સચીન જતા એરપોર્ટ જતા વાહનો સિવાયના વાહનો એસ.કે.નગર બ્રિજના બન્ને સાઇડના એપ્રોચ રોડથી જઈ શકશે નહીં

આ રસ્તાઓ વૈકલ્પિક રોડ તરીકે ઉપયોગ થઈ શકશે

– દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેન્ડ, રિંગરોડ થઈ જઈ શકાશે. 
– ચૌટાબજારમાંથી ચૌટાપુલની નીચે થઈને નાણાવટ-શાહપોર તરફ જઈ શકાશે
– સુરત-ડુમસરોડ ઉપર વીઆર મોલ નજીક વાય જંકશનથી ઉધના મગદલ્લા રોડ થઈ શહેરમાં જઈ શકશે.
– વેસુ વીઆઇપી રોડથી થઈને આભવા તરફ જઈ શકાશે
– ડુમસમાં વિસર્જન બાદ ખાલી વાહનોને ડુમસ લંગર થઈને સુરત ડુમસ રોડ ઉપર લઈ જઈ શકાશે.
– હજીરા ONGC તરફથી સચિન તરફ તથા સચિનથી ઓએનજીસી સર્કલ હજીરા તરફ જતા વાહનો અને સચિનથી ઓએનજીસી હજીરા તરફ જતા વાહનો એસ.કે.નગર બ્રિજ ઉપરથી જઈ શકશે.

September 11, 2019
CIA_Live_Logo_New2.jpg
2min5350

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર ભારતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત સુરતમાં હાલ જબરદસ્ત મંદીનો માહોલ છે અને સૌથી તીવ્ર મંદી હાલ રિયલ એસ્ટેટ એટલે કે બાંધકામ ક્ષેત્રમાં પ્રવર્તી રહી છે અને આ મંદી બેકાબૂ છે. અગ્રણી બિલ્ડરો તો ત્યાં સુધી કહે છે કે આ એક અનકન્ટ્રોલ્ડ માહોલ છે, કોઇ પેકેજ મંદી દૂર કરી શકે નહીં ફક્તને ફક્ત માનસિકતા, વિચારધારા બદલાશે તો જ સુરતનો બાંધકામ ઉદ્યોગ ફરી મંદીમાંથી બહાર આવશે અને તેને બહાર આવતા પણ સહેજેય બે-ત્રણ વર્ષ નીકળી જશે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની કઠિણાઇ જ એ છે કે તેમાં રિયલ વપરાશકર્તા ઓછા છે અને જે છે તેમની પાસે બિલ્ડરોને આપવાના બ્લેકના રૂપિયા નથી, વ્હાઇટના તો બેંકો ધિરાણ આપે જ છે.

તા.10મી સપ્ટેમ્બરે ક્રેડાઇના જક્ષય શાહ સુરત આવ્યા હતા. બિલ્ડરોએ કઇ રીતે ધંધો કરવો જોઇએ એ વિષય પર તેમણે કેટલાક નિવેદનો કર્યા. એક નિવેદન એ કર્યું કે ડાયરી પ્રથા બિલ્ડરોએ બંધ કરવી જોઇએ. ડાયરી પ્રથા એટલે બ્લેક મનીના હિસાબો.

એવું નથી કે ઘર, મકાન, ફ્લેટ ખરીદનારાઓ હવે માર્કેટમાં રહ્યા નથી. પરંતુ, અવાસ્તવિક ભાવોને કારણે ઉપરોક્ત પેન્સિલ ડ્રોઇંગની જેમ લોકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે ફ્લેટ, દુકાનો, મકાનોના ભાવો ઉતરે અને તેઓ લઇ શકે.

સુરતના અનેક બિલ્ડરો સાથે સી.આઇ.એ. લાઇવ એ વાત કરી પછી જે નિષ્કર્ષ મળ્યો તે અહીં રજૂ કરીએ છીએ.

બુકિંગ પહેલા 10, 20 લાખ રૂપિયા આપીને મોટો નફો કમાઇ લેવાની વૃતિએ ઇન્વેસ્ટરોને તો ભેરવ્યા, બિલ્ડરો પણ આસમાન સે ટપકા ખજૂર પે અટકા સ્થિતિમાં લાવી દીધા

હાલમાં રિયલ એસ્ટેટમાં પ્રવર્તમાન મંદી માટે જવાબદાર જો કોઇ પરિબળ હોય તો એ ઇન્વેસ્ટર્સ છે. એવા રોકાણકારો કે જેઓ પોતાના ધંધામાંથી સરપ્લસ મની લઇને અગર તો એવા ઇન્વેસ્ટર્સ કે જે ફ્લેટ, દુકાન, ઓફિસ, રો હાઉસ વગેરેમાં 10, 20 લાખ રૂપિયા બુકિંગ અગાઉથી રોકીને ટૂંકા ગાળામાં નફો રળી લેવાની વૃતિ ધરાવતા હોય એવા લોકોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ એટલું ખરડી નાંખ્યું કે આજે ચાર ચાર બંગડીઓવાળી ગાડી લઇને ફરતા બિલ્ડરોએ ગ્રાહકોથી મોઢા છુપાવતા ફરવું પડી રહ્યું છે.

રિયલ એસ્ટેટમાં રિયલ રહેવાવાળા, રિયલ વપરાશકર્તા જ ગાયબ

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી રિયલ વપરાશકર્તાઓ જ ગાયબ થઇ ગયા અને એટલે જ ક્રેડાઇના ગુજરાત ચેરમેને કહેવું પડ્યું કે બાંધકામ ઉદ્યોગમાંથી બ્લેકના રૂપિયાનું ચલણ દૂર કરો, શક્ય એટલા વ્હાઇટના રૂપિયાથી ધંધો કરશો તો રિયલ યુઝર્સ, રિયલ વપરાશકર્તા, રિયલ રહેવાવાળા ફ્લેટ, દુકાન, ઓફિસ ખરીદશે કેમકે તેમને જેટલા વ્હાઇટના પેપર મળશે તેટલી લોન વધુ મળશે.

બ્લેકના રૂપિયા આપી આપીને ઇન્વેસ્ટરે મંદીમાં તો બિલ્ડરો કરતા પણ વધારે કમાઇ લીધું હતું હવે બાંધકામ ઉદ્યોગમાં તેમની જે હાલત હતી કે નહીં ઘરના (પોતાના ધંધાના) નહીં ઘાટના (બાંધકામ ઉદ્યોગના) ન રહ્યા, એમની હાલત નફો રળી લેવાની, કટકી કરી લેવાની હતી, એ વધુ લાલચે ભેરવાયા પરંતુ, બિલ્ડરોએ પણ તેમના દોરવાયા દોરવાઇને પ્રોજેક્ટો કર્યા આજે એ હાલત છે કે બાંધકામ ઉદ્યોગ બેકાબુ મંદીના દૌરમાં સપડાયો છે. બાંધકામ ઉદ્યોગમાં તેજીના સમયે ઇન્વેસ્ટરોએ જે ઘીકેળા કર્યા આજે બધું જ ઘસડાઇને પાછું ચાલ્યું જાય તેવી સ્થિતિ છે.

પ્રોજેક્ટમાં 10, 20 ટકા રૂપિયા રોકીને ટૂંકાગાળામાં નફો કમાઇ લેવાની વૃતિ વાળા ઇન્વેસ્ટરોએ હવે પ્રોજેક્ટસમાં પાર્ટ પેમેન્ટ કર્યા પછી બિલ્ડરો, ડેવલપર્સને રૂપિયા આપવાનું બંધ કરી દેતા બિલ્ડરોના પ્રોજેક્ટ પણ ઘોંચમાં પડ્યા છે. જેમ આંખ, નાક, કાન જડેલા હોય એ રીતે ઇન્વેસ્ટરો સાથે સંકળાયેલા બિલ્ડરો ગ્રાહકોને જે રીતે પેમેન્ટ માટે દમ મારતા હોય તે રીતે ઇન્વેસ્ટરોને મારી શક્તા નથી અને તેને કારણે બિલ્ડરોના પ્રોજેક્ટ ઠપ થવા માંડ્યા છે.

ઇન્વેસ્ટરોએ જ બ્લેકના રૂપિયાનું ચલણ વધારીને બાંધકામ ઉદ્યોગને અત્યાર સુધી બ્લેક એન્ડ વ્હાઇટમાં રાખ્યો, હવે ઇન્વેસ્ટરોની બિલ્ડરોના ખભે બંદૂક મૂકીને કમાઇ લેવાની વૃતિ બંધ થશે. પહેલા ઇન્વેસ્ટરોના રૂપિયાથી જ ધંધો શરૂ કરતા બિલ્ડરો હવે મંદીના સમયમાં ઇન્વેસ્ટરોને કશું કહી શકતા નથી.

ઇન્વેસ્ટરો પાસેથી બ્લેકના રૂપિયા મળતા હોઇ, બિલ્ડરોએ અત્યાર સુધી 25 ટકા વ્હાઇટ 75 ટકા બ્લેકથી ધંધો કર્યો હતો આજે 40 ટકા વ્હાઇટ 60 ટકા બ્લેક અને છેલ્લે 50 ટકા વ્હાઇટ 50 ટકા બ્લેક સુધી પહોંચ્યા છે.

કોણ કોણ આવે છે ઇન્વેસ્ટર્સમાં

  • એન.આર.આઇ.
  • ડાયમંડ ઉદ્યોગપતિઓ
  • ડોક્ટરો
  • ખેડૂતો
  • ફાઇનાન્સરો
  • બિન નિવાસી ગુજરાતીઓ ખાસ કરીને મુંબઇ નિવાસીઓ
  • રાજકારણીઓ
  • મેનેજમેન્ટ લેવલના પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ
  • સરકારી અધિકારીઓ
  • જમીન, મકાન, ઓફિસ લેવેચ કરતા દલાલો

ઉપરોક્ત ઉપરાંત એવા લોકો જેમની પાસે સરપ્લસ રૂપિયા ઘરમાં કે અન્યત્ર રોકાણમાં હતા એ લોકોએ તેજીના સમયમાં રૂપિયા રિયલ એસ્ટેટમાં નાંખ્યા અને કમાયા પણ ખરા, પણ હવે તેમણે જે ટેવ પાડી હતી એ ટેવ બિલ્ડરોને નડી રહી છે.

કેટલાક દલાલો રૂપિયા શું કમાયા પોતે જ ઇન્વેસ્ટર બની ગયા હતા હવે ભેખડે ભેરવાયા

સુરતના રિયલ એસ્ટેટમાં જ્યારે તેજી હતી ત્યારે કેટલાક ગણ્યા ગાંઠ્યા (બધા નહીં) દલાલો હજારોપતિમાંથી કરોડોપતિ બની ગયા હતા. એવા દલાલોએ પોતાની પાસે ઉભી થયેલી મૂડીને તેજીના સમયમાં ફ્લેટ, મકાન, દુકાનમાં રોકવા માંડી હતી, એ ટ્રેન્ડ એવો ચાલ્યો કે દલાલી કરનારા મોટાભાગના પોતે જ ઇન્વેસ્ટર બનવા માંડ્યા. એવા દલાલો ભેગા થઇને 10, 20 ટકા રોકીને એવી લાલચે ઇન્વેસ્ટ કરતા કે બે-પાંચ મહિનામાં વધુ ભાવ મળે એટલે ફટકારી મારીશું, એ બે-પાંચ મહિના હવે વર્ષોમાં કન્વર્ટ થવા માંડ્યા છે અને દલાલોએ ઉભી કરેલી મહામૂલી કેપિટલ પણ બાંધકામ ઉદ્યોગમાં ચટણી થઇને ભેરવાય ગઇ છે.

જેટલા વ્હાઇટના રૂપિયા લેવાશે એટલા રિયલ યુઝર વધુ મળશે

બિલ્ડર એસોસીએશનના પ્રમુખ જક્ષય શાહ કહે છે કે પૂરેપૂરા વ્હાઇટથી ધંધો કરવાવાળાની મિલકતો પણ વેચાઇ રહી છે, સુરતના બિલ્ડરોએ ડાયરી પ્રથા એટલે કે બ્લેક મનીનું માર્જિન દૂર કરવું જ પડશે. જો બ્લેક મનીનું માર્જિન દૂર કરવામાં આવશે તો આપોઆપ ઇન્વેસ્ટરોનો એકડો નીકળી જવાનો છે એમાં બે મત નથી. રિયલ એસ્ટેટના ધંધામાં ઓફિસ, દુકાન, મકાન, ફ્લેટ, રો હાઉસ લેવા માટે રિયલ યુઝર્સ, ખરો વપરાશકર્તા ત્યારે જ ખરીદવા માટે આવશે કે જ્યારે તેને વ્હાઇટની અમાઉન્ટ વધુ ચૂકવવાની થશે. જેટલી વ્હાઇટની અમાઉન્ટ વધુ તેટલી લોન વધુ મળશે એટલે રિયલ એસ્ટેટમાં રિયલ વપરાશકર્તાને આકર્ષવા માટે બિલ્ડરોએ ડાયરી પ્રથા બંધ કરવી જ પડશે.

સુરતે તેજી પણ વધુ જોઇ એટલે મંદી પણ વધુ આકરી જોઇ રહ્યું છે

બાંધકામ ઉદ્યોગમાં એવું નથી કે બધે જ મંદી છે. સુરતની સરખામણીમાં વડોદરા કે અમદાવાદ કે મુંબઇ, બેંગ્લોર જેવા શહેરોમાં સુરત જેટલી અસહ્ય પરિસ્થિતિ નથી. સુરતે, સુરતના બિલ્ડરોએ તેજીમાં પણ મબલખ કમાણી રળી એટલે મંદીમાં પણ વધુ માર ખાઇ રહ્યા છે. સુરત સિવાયના શહેરોમાં બિલ્ડરો હવે ધંધો વ્હાઇટની અમાઉન્ટ પર કરવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં પણ ઘણાં બિલ્ડરોએ સમયવર્તે સાવધાન રૂએ વ્હાઇટમાં રૂપિયા લેવાનું શરૂ કર્યું છે.

Note : અહીં અમે રેરા, મ્યુનિ. કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ, જીએસટી વગેરેની ચર્ચા જ કરી નથી, એના પ્રશ્નો તો બિલ્ડરોને કનડી રહ્યા છે જ

September 11, 2019
truck-lungi_201909115228.jpg
1min12440

ભારતમાં હાલ સૌથી વધુ ચર્ચા જો કોઇ મુદ્દાની થઇ રહી હોય તો એ નવા ટ્રાફિક રૂલ્સની છે. ઉત્તર પ્રદેશથી એક એવી વાત પણ ચર્ચાસ્પદ બની છે કે ટ્રક ડ્રાઇવરો કે તેમના ક્લીનરો કે સહાયકો જો લૂંગી, બનિયાન પહેરીને ટ્રક ચલાવતા દેખાશો તો તેમની પાસેથી નવા મોટર વ્હીકલ એક્ટ અન્વયે રૂ.2000નો દંડ વસૂલ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં તો લૂંગી ટ્રક ડ્રાઇવરો પાસેથી બે-બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરી દેવાતા ટ્રાન્સપોર્ટસે હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

હજીરામાં હજારો ટ્રક ડ્રાઇવરોનો જમાવડો થાય છે ત્યાં હાલ લૂંગી ડ્રાઇવરોમાં મુદ્દો ભારે ચર્ચાસ્પદ

આગામી તા.16મી સપ્ટેમ્બર 2019થી ગુજરાતમાં પણ નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ થવાનો છે ત્યારે સુરત શહેર નજીક હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભારે હડકંપ મચી જાય તો નવાઇ નહીં. કેમકે હજીરામાં આવેલી મહાકાય કંપનીઓમાં માલની હેરફેર માટે 10 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોની અવરજવર સાપ્તાહિત રીતે જોવાય છે અને હજીરા આવતા જતા મોટાભાગના ટ્રક ડ્રાઇવરો, ક્લીનરો, તેમના સહાયકો લૂંગી બનિયાનમાં જ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા ત્રણેક દિવસથી લૂંગી ધારી ટ્રક ડ્રાઇવરોમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આવા લૂંગીધારી ટ્રક ડ્રાઇવરો જોવા મળશે બે હજારનો દંડ ભરવો પડશે

ઉત્તર પ્રદેશ રાજ્યના કોઈ પણ વેપારી વાહનોના ચાલકો અને સહાયકોએ લુંગી અને બનિયાન પહેરીને ગાડી ચલાવતાં પકડાય તો તેમણે ૨૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

મોટર વાહન (એમવી) અધિનિયમના નવા કાયદા અનુસાર ડ્રાઇવરોને ડ્રેસકોડનું પાલન કરવાનું હોય છે, પરંતુ હજી સુધી એને કડકાઈ સાથે લાગુ કરવામાં આવ્યો નથી. હવે એના પર કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

ચાલકોએ ફુલ-લેન્ગ્થ પૅન્ટ અને શર્ટ અથવા ટીશર્ટ પહેરીને જ ગાડી ચલાવવી પડશે. એ સિવાય ચંપલ કે સૅન્ડલ પહેરીને અથવા ઉઘાડા પગે ગાડી ચલાવી શકાશે નીં. તેમણે જૂતાં પહેરવાં અનિવાર્ય છે. નવા પ્રાવધાન અનુસાર આ નિયમ તમામ સ્કૂલ વાહનોના ડ્રાઇવરો પર લાગુ થશે. સ્કૂલના બસ-ડ્રાઇવરોએ વર્દી પહેરવી અનિવાર્ય છે.

શું છે પબ્લિક ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરો માટેનો નિયમ?

મોટર વ્હીકલના નવા એક્ટ અનુસાર ડ્રેસકોડ ૧૯૩૯થી એમવી અધિનિયમનો ભાગ છે અને ૧૯૮૯માં અધિનિયમમાં સંશોધન કરવામાં આવ્યું હતું. એના ઉલ્લંઘન માટે ૫૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. હવે એમવી ઍક્ટ ૨૦૧૯ની કલમ- ૧૭૯ અંતર્ગત ડ્રેસકોડનું ઉલ્લંઘન કરવા બદલ ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ સ્કૂલના ડ્રાઇવરોને પણ લાગુ છે.

September 10, 2019
varachab.jpg
3min9470

સાઉથ ગુજરાત કો.ઓ. બેંક એસોસીએશન દ્વારા દર વર્ષે યોજવામાં આવતો કો.ઓ. બેંક એવોર્ડ સમારોહ ગઇ તા.9મી સપ્ટેમ્બર 2019ના રોજ સિક્કીમના ગેંગટોક ખાતે યોજવામાં આવ્યો હતો. જુદી જુદી કેટેગરીમાં આપવામાં આવેલા એવોર્ડ અંગેની માહિતી આ મુજબ છે.

દ.ગુ.ની મોટામાં મોટી સહકારી બેંકોના ક્ષેત્રમાં

ટોટલ બિઝનેસ ગ્રોથ એક્સપાન્સનમાં

  • પ્રથમ ક્રમે પ્રાઇમ કો.ઓ.બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ સ્થાને સુટેક્ષ કો.ઓ. બેંક

ફાઇનાન્સીયલ સ્ટેબિલટીમાં

સુરતની વરાછા કો.ઓ. બેંક લિ.ને તાજેતરમાં સિક્કીમના ગેંગટોક ખાતે યોજાયેલા સ્કોબા એવોર્ડ સેરેમનીમાં દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ધરાવતી તેમજ પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટમાં અવ્વલ દરજ્જાની બેંકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બેંકના ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા તેમજ અન્ય પ્રતિનિધિઓએ આ એવોર્ડ સ્વીકાર્યો એ વેળાની તસ્વીર
  • પ્રથમ સ્થાને વરાછા કો.ઓ. બેંક લિ.
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ સ્થાને કોઇ નહીં.

પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટમાં

  • પ્રથમ સ્થાને વરાછા કો.ઓ. બેંક લિ.
  • સેકન્ડ રનર અપ સ્થાને પ્રાઇમ કો.ઓ. બેંક લિ.
  • સુટેક્ષ કો.ઓ. બેંક લિ.

પબ્લિક રિલેશન અને સોશ્યલ એક્ટિવિટીમાં

  • પ્રથમ ક્રમે પ્રાઇમ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત પીપલ્સ કો. ઓ. બેંક
  • દ્વિતિય રનર અપ સ્થાને વરાછા કો.ઓ. બેંક

દક્ષિણ ગુજરાતની લાર્જ કો.ઓ. બેંક ક્ષેત્રમાં

ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્સન

  • પ્રથમ ક્રમે સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ ક્રમે સુરત નેશનલ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ ક્રમે સર્વોદય સહકારી બેંક

ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ ક્રમે સુરત નેશનલ કો.ઓ. બેંક

પ્રોફિલેટેબિલટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ભીલવાડા પીપલ્સ કો.ઓ. બેંક લિ.
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સર્વોદય સહકારી બેંક લિ.

પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ એક્ટિવિટી ક્ષેત્રમાં

  • પ્રથમક્રમે સર્વોદય સહકારી બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને સુરત નેશનલ કો.ઓ. બેંક

દક્ષિણ ગુજરાતની મધ્યમ સ્તરની કો.ઓ. બેંક

ટોટલ બિઝનેસ એક્સપાન્સન ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને અખંડઆનંદ કો.ઓ. બેંક
  • સેકન્ડ રનર અપ સ્થાને એસોસીએટ કો.ઓ. બેંક

ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને બારડોલી નાગરીક સહકારી બેંક

પ્રોફિટેબિલીટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને વલસાડ મહિલા નાગરીક બેંક

પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ક્ષેત્રમાં

  • પ્રથમ ક્રમે માંડવી નાગરીક સહકારી બેંક
  • ફર્સ્ટ રનર અપ સ્થાને ગણદેવી પીપલ્સ કો.ઓ. બેંક

દક્ષિણ ગુજરાતની સ્મોલ કો.ઓ. બેંક

  • ટોટલ બિઝનેસ ગ્રોથ એક્સપાન્સનમાં રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક ફર્સ્ટ રનર અપ
  • ફાઇનાન્સિયલ સ્ટેબિલીટી ક્ષેત્રમાં રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક પ્રથમ ક્રમે
  • પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રમાં રાંદેર પીપલ્સ કો.ઓ. બેંક પ્રથમ ક્રમે
  • પબ્લિક રિલેશન એન્ડ સોશ્યલ એક્ટિવિટીમાં આદીનાથ કો.ઓ. બેંક ફર્સ્ટ રનર અપ સ્થાને

September 10, 2019
tajiya.jpg
1min836

ઇસ્લામ એટલે હિજરી સનનો પહેલો મહિનો મહોરમ છે. ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.

કરબલા અત્યંત દુ:ખદ ઘટના છે. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી.

ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.

સુરતમાં 300થી વધુ કલાત્મક તાજીયાનું ઝુલુસ નીકળશે

સુરતમાં દાયકાઓ જુની પરંપરા મુજબ આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયા નીકળશે અને રાજમાર્ગ પર ભાગળ ખાતે પહોંચશે અને ત્યાંથી મેઇન ઝુલુસ નીકળશે એમ તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું. જે તે પોલીસ મથક વિસ્તારના તાજીયા હોલ્ડર્સને કેટલીક આચારસંહિતા અંગે જાણકારી આપીને તેનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર

દરમિયાન સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી શ્રી અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે મોતી ટોકીઝ પાસે તાજીયા કમિટીનો એક કન્ટ્રોલ ટાવર કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષે અંદાજે 350 જેટલા તાજીયા માટે પરમિટ ઇશ્યુ કરવામાં આવી છે. જેમાં તાજીયા અને સવારી ઉપરાંત દુલદુલ તેમજ પરી અને પાણીની પરબનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજરોજ તા.10મી સપ્ટેમ્બરને મંગળવારે સાંજે 5 કલાકથી તાજીયા ઝુલુસ પૂરું થાય ત્યાં સુધી તાજીયા કમિટીના સભ્યો સેવા આપશે. આજે યવમે આશુરાના દિવસે સલાબતપુરા વિસ્તારના તીજાયા સ્થળ પરથી નીકળી મોતી ટોકીઝ પાસે ભેગા થશે. મહીધરપુરાના તાજીયાઓ મોતી ટોકીઝ પાસે ભેગા થશે. લિંબાયતના તાજીયા પણ મોતી ટોકીઝ પાસે એકત્ર થશે અને ત્યાંથી પાણીની ટાંકી થઇ રાજમાર્ગ પર મુખ્ય ઝુલુસમાં જોડાશે.

તેવી જ રીતે અઠવા પોલીસ મથકના, સચીન પોલીસ મથકના, ઉધના પોલીસ મથકના, પાંડેસરા પોલીસ મથકના, ખટોદરા પોલીસ મથક વિસ્તારના તાજીયાઓ નવસારી બજાર એકત્ર થઇ ઝુલુસ રૂપે ડી.કે.એમ. હોસ્પિટલ, એરઇન્ડિયા, કોટસફિલ રોડ થઇ ભાગળ ચાર રસ્તાથી ઝુલુસમાં જોડાશે.

ચોક પોલીસ મથક વિસ્તારના તાજીયા કાંસકીવાડ ચાર રસ્તા થઇ ગોળવાલા ચકલા, રુવાલા ટેકરા થઇ, પારસી શેરી થઇને રાજમાર્ગના મુખ્ય ઝુલુસમાં જોડાશે.

રાંદેર અને અમરોલી પોલીસ મથક વિસ્તારના તાજીયા પોતાના જ વિસ્તારોમાં નીકળશે.

સુરત શહેર તાજીયા કમિટીના મહામંત્રી અસદ કલ્યાણી સાથે તાજીયા હોલ્ડર બિરાદરોની તસ્વીર

તાજીયા કમિટીએ આજે મુખ્ય ઝુલુશ શાંતિપૂર્ણ રીતે અને કોમીએખલાસભર્યા માહોલમાં નીકળે એ માટે આચારસંહિતાઓ ઘડી છે, તાજીયા પરમીટ હોલ્ડરોને તેનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે.