Slider Archives - Page 390 of 487 - CIA Live

February 28, 2019
air_logo.jpg
1min6830

વિમાની મુસાફરોના રાઇટ્સ ચાર્ટરને આખરે મંજૂરી

કેન્દ્ર સરકારે ગત મે 2018માં ડ્રાફ્ટ કરેલા હવાઇ મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ માટેના રાઇટ્સ ચાર્ટરને તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ કેન્દ્રના સિવિલ એવિએશન મંત્રાલયે મંજૂરીની મહોર મારતા જારી કર્યા છે. હવે હવાઇ મુસાફરોને કયા કયા અધિકારો મળ્યા છે એ અંગે સી.આઇ.એ. લાઇવની ટીમે કેટલીક વિગતો મેળવી છે જે અત્રે પ્રસ્તુત છે.

જો તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ 6 કલાક કે તેનાથી વધુ સમય માટે વિલંબ (ડિલે) થાય તેમ હશે તો જે તે એરલાઇન કંપનીએ તમને એક દિવસ એડવાન્સમાં જાણ કરવી પડશે અને એ જ કંપનીએ તમને વૈકલ્પિક ફ્લાઇટ વ્યવસ્થા અગર તો ફુલ ટિકીટ  રિફંડ પણ ઓફર કરવું પડશે.

: If your domestic flight is delayed by six hours or more, then the airline should inform you a day in advance and offer you an alternative alternate flight or a full ticket refund.

જો એરલાઇન તમારી ડોમેસ્ટિક ફ્લાઇટને કેન્સલ (રદ) કરશે અને તમને તેની જાણ કરવામાં ચૂક કરશે, અગર તમે એ કારણથી તમારી બીજી કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાવ કે ચૂકી જશો એમ હોવ તો એરલાઇન કંપનીએ તમને રૂ.5 હજારથી રૂ.10 હજારનું વળતર આપવું પડશે, આ વળતર મુસાફરીના સમય પર આધારીત હશે અથવા તો તમારી મુસાફરીનું એક તરફી ભાડું વત્તા ફ્યુઅલ ચાર્જ એ બેમાંથી જે ઓછું હશે એ રકમ એરલાઇન કંપનીએ તમને ચૂકવવી પડશે.

If the airline has cancelled your flight and has failed to inform you or you have missed a connecting flight because the airline’s earlier flight wasn’t on time, then you could get a compensation of Rs 5,000 to Rs 10,000 depending on travel time or oneway base fare plus fuel charge, whichever is less.

જો તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો અને તમારી ફ્લાઇટ 2થી 6 કલાક મોડી પડે તેમ છે, એવા સંજોગોમાં એરલાઇન કંપનીએ તમને વિનામૂલ્યે ભોજન તેમજ અન્ય રિફ્રેશમેન્ટસની વ્યવસ્થા કરી આપવી પડશે.

If you’re at the airport and the flight is delayed by 2-6 hours (depending on the travel time), the airline needs to offer you free meals and refreshments.

રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા દરમિયાનના સમયગાળામાં 6 કલાકથી વધુ સમયના ફ્લાઇટ વિલંબના કેસમાં એરલાઇન કંપનીએ પેસેન્જરને હોટેલ એકોમોડેશન બિલકુલ ફ્રી માં આપવું પડશે.

For delays more than six hours for flights scheduled between 8pm and 3am and a delay of over 24 hours for other flights, airlines should inform passengers a day in advance and also offer them free hotel accommodation, the charter said.

આ પ્રકારની અનેક જોગવાઇઓ સિવિલ એવિએશનના પેસેન્જર ચાર્ટરમાં સામેલ કરવામાં આવી છે.

સી.આઇ.એ. લાઇવ પેસેન્જર ચાર્ટરની ફુલ કોપી મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે અને જેવી અમને ફાઇલ મળશે અમે અમારી ન્યુઝ પોર્ટલ પર એ કાયમ માટે અપલોડ રાખીશું.

February 28, 2019
bse.jpg
1min6950

રોકાણકારને ગયા બજેટથી આ બજેટ સુધીમાં શેર્સમાં કમાણી થઈ હોય તો તેણે પોતાને નસીબદાર ગણવો જોઈએ. સૂચિત ગાળામાં BSE પર લિસ્ટેડ 86 ટકા શેર્સના ભાવમાં 1 ફેબ્રુઆરી 2018થી 30 જાન્યુઆરી 2019 સુધીના ગાળામાં 97 ટકા સુધી ધોવાણ થયું છે. સમાન ગાળામાં સેન્સેક્સ 315 પોઇન્ટ (0.88 ટકા) ઘટ્યો છે. જોકે, કેટલાક શેર્સે કરેક્શનના આ તબક્કામાં પણ માતબર વળતર આપ્યું છે.

  • વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટ  708 ટકા
  • દાર્જિલિંગ રોપવેએ 572 ટકા
  • દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા
  • ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા
  • બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા
  • ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા
  • ગયા બજેટથી આ બજેટ સુધીમાં 31 સ્મોલ-કેપ શેર્સે રોકાણકારોની સંપત્તિમાં બમણાથી વધુ ઉમેરો કર્યો છે. જેમ કે, વિકાસ પ્રોપેન્ટ એન્ડ ગ્રેનાઇટના શેરે આ ગાળામાં 708 ટકા, દાર્જિલિંગ રોપવેએ 572 ટકા, દોલત ઇન્વેસ્ટમેન્ટે 515 ટકા, ઓરિએન્ટ ટ્રેડલિંકે 376 ટકા, બુલિશ બોન્ડ્સ એન્ડ હોલ્ડિંગ્સે 349 ટકા અને ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સે 302 ટકા સુધીનું વળતર આપ્યું છે. અન્ય કેટલાક શેર્સ બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા છે.

બાયો ગ્રીન પેપર્સ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, પંજાબ આલ્કલીઝ, મર્ક, સુકામા એક્સ્પોર્ટ્સ, કિલિચ ડ્રગ્સ, IOL કેમિકલ્સ, સ્કેન સ્ટીલ્સ, બિરલા કેબલ, દલાલ સ્ટ્રીટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને સાધના નાઇટ્રો કેમના ભાવ 100થી 225 ટકા સુધી ઊછળ્યા

વૈશ્વિક ટ્રેડ વોર, ક્રૂડના ભાવમાં મોટી વધઘટ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો સહિતનાં પરિબળોને કારણે ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 મહિના બહુ વોલેટાઇલ રહ્યા છે. ખાસ કરીને સ્મોલ અને મિડ-કેપ શેર્સના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE મિડ-કેપ ઇન્ડેક્સ 16 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 26 ટકા ઘટ્યા છે. તેની સામે સેન્સેક્સના 30માંથી 11 શેર્સે 1 ફેબ્રુઆરી 2018થી રોકાણકારોને પોઝિટિવ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં બજાજ ફાઇનાન્સ 50 ટકા ઊછળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL, TCS, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ICICI બેન્ક, HCL ટેક અને HDFC બેન્કમાં આ ગાળામાં 2 ટકાથી 27 ટકાની વૃદ્ધિ થઈ છે. સેન્સેક્સ શેરોમાં ટાટા મોટર્સ 56 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો છે. ઘટનારા અન્ય શેર્સમાં યસ બેન્ક, વેદાંત, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, ONGC અને બજાજ ઓટોનો સમાવેશ થાય છે. જેમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 1 ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધીમાં 3.3 ટકા ઘટ્યો છે.

છેલ્લા 12 મહિનામાં સ્થાનિક રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટને કારણે ઘટાડો મર્યાદિત રહ્યો છે. ગયા બજેટથી અત્યાર સુધીમાં BSE ટેલિકોમ ઇન્ડેક્સ સૌથી વધુ 34 ટકા ઘટ્યો છે. BSE રિયલ્ટી, મેટલ્સ, ઓટો, પાવર, કેપિટલ ગૂડ્ઝ અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં અનુક્રમે 32 ટકા, 30 ટકા, 30 ટકા, 20 ટકા, 17 ટકા અને 17 ટકા ઘટાડો નોંધાયો છે. તેની સામે BSE IT, ટેક, અને FMCG ઇન્ડેક્સ અનુક્રમે 19 ટકા, 8.28 ટકા અને 6.27 ટકા વધ્યા છે.

February 28, 2019
congress.jpg
1min12530

સરહદે ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવિધિને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એકમાત્ર વિચારે રાહુલજી એ આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે, પરંતુ આવતીકાલે વડા પ્રધાને દેશભરમાં વીડિયો કોન્ફરન્સ કરીને લોકોને સંબોધવાનો કાર્યક્રમ હજુ સુધી યથાવત્ રાખ્યો છે, એવું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું. પુલવામાં હુમલા પછી સરકારના પડખે ઊભી રહેલી કૉંગ્રેસ રાજકીય હિસાબો સમય આવે ચૂંટણીના મેદાનમાં પૂરા કરી લેશે, પરંતુ આજે જ્યારે પાકિસ્તાનનો હિસાબ કરવાનો સમય છે ત્યારે દેશનું અને સરકારનું પીઠબળ બની અડીખમ રહેશે આ ભાવના જ વિરોધીઓના મનોબળને તોડવા પૂરતી છે. રાજકીય મતભેદો અને વૈચારિક અંતર મીટાવી રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવવાની દિશામાં લેવાયેલા આ પગલા બદલ કૉંગ્રેસ પક્ષ અને દેશની જનતા રાહુલજી પર ગર્વ અનુભવે છે. પાકિસ્તાનને બે બે વખત યુદ્ધમાં પરાસ્ત કરી બે ભાગમાં વહેંચી દેનાર કૉંગ્રેસનો એક એક સિપાહી આજે રાહુલજીની દેશદાઝ અને સંવેદનશીલતા ને સલામ કરે છે. હવે મોદીજી આવતી કાલે જ તેમની દેશ વ્યાપી 15000 સ્થળોએ રાજકીય વિડિયો કોન્ફરન્સ કરવાના છે એ મોકૂફ રાખે છે કે પછી જેમ પુલવામામાં 42 જવાનોની શહીદી પછી જેમ તેમની રાજકીય રેલીઓ અને શૂટિંગ ચાલુ જ રાખ્યું હતું તેમ ચાલુ રાખે છે એ જોવાનું રહ્યું.

February 28, 2019
india-pak-army-compa.jpg
1min7650

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે ભારતના મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બે પાયલટ તેમના કબ્જામાં છે. સાથોસાથ ચેતવણી આપી હતી કે અણુશસ્ત્રો ધરાવતાં બંને દેશ વચ્ચેની તંગદિલી દૂર કરવા વાતચીત કરવી જોઈએ.

ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધતા કહ્યું હતું કે ભારતના બે પાયલટ મીગ વિમાનને તોડી પાડ્યા બાદ બંને પાયલટ તેમના કબ્જામાં છે. અમારા દેશમાં પ્રવેશ કરશે તો સમાન પગલાં લેવાશે.

અગાઉ વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હવાઈ દળે ભારતના મિલિટરી બેઝને લક્ષ્યાંક બનાવ્યો હતો, જ્યારે ભારતે આતંકવિરોધી કામગીરી હાથ ધરી હતી. ભારતનો એક પાયલટ લાપતા છે આ નિવેદન બાદ ઇમરાન ખાને સંબોધન કર્યું હતું.

તમામ યુદ્ધ ખોટી ગણતરીના આધારે શરૂ થયેલા છે. માનવના ભોગે યુદ્ધ લડાયા છે. પ્રથમ અને બીજું વિશ્ર્વયુદ્ધ હોય કે આતંક સામેના યુદ્ધમાં પણ એ જ સ્થિતિ હતી. બંને દેશોએ ડહાપણભર્યું પગલું લેવું જોઈએ. બંને પાસે અણુશસ્ત્રો છે. યુદ્ધ બંનેને પરવડે એમ છે? હાલની સ્થિતિ વણસશે તો નરેન્દ્ર મોદી કે ઇમરાન ખાનના હાથમાં કાંઈ અંકુશ રહેશે નહીં. આપણે બંને સાથે બેસીને વાતચીત કરીએ એવી ઓફર તેમણે મુકી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ તપાસમાં સહકાર આપવા અમે ઓફર કરી હતી. બંને દેશો દાયકાઓથી યુદ્ધના કારણે અસરગ્રસ્ત થયેલા છે. ઉગ્રવાદીઓને તેમની જમીન વાપરવા દેવાથી પાકિસ્તાનના હિતમાં નથી.

ભારત તંગદિલીમાં વધારો કરશે તો પાકિસ્તાન તેનો જવાબ આપશે.

February 28, 2019
khelo_india.jpg
1min7410

તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલી મોબાઈલ એપ ‘ખેલો ઇન્ડિયા એપ’નું લોકાર્પણ કર્યું હતું. ખેલો ઇન્ડિયા એપનો મુખ્ય આશય નાગરિકોમાં ખેલ-કૂદ પરત્વે જાગૃતિ લાવવાનો હોવાનું રમતગમત મંત્રી રાજ્યવર્ધન સીંધે જણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશેષ દ્ષ્ટિકોણથી એપ તૈયાર કરવામાં આવી છે. જેનો આશય દેશમાં રમત-જગત પરત્વે સકારાત્મક અભિગમ જાગ્રત કરવાનો તથા આવનારા સમયમાં ખેલકૂદ ક્ષેત્રે ભારતને સ્પોર્ટિંગ સુપરપાવર સાબિત થવા પ્રેરણા પૂરી પાડવાનો છે.

ખેલમંત્રી રાજ્યવર્ધને ખેલો ઇન્ડિયા એપને ખેલકૂદ ક્ષેત્રે મહત્ત્વના પગલા સ્વરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેલકૂદના વિસ્તરતા વ્યાપથી લોકો ફિટનેસ પ્રત્યે પણ સભાન થશે. યુવાનોને તેમની ક્ષમતા ઓળખવાની તક મળી રહેશે. તૈયાર કરાયેલી એપના પહેલા સેશનમાં એપ યુઝર્સને 18 રમતોના નીતિ નિયમોની જાણકારી મળી રહેશે. બીજા સેશનમાં જે તે રમત અંગેની જાણકારી એ અંગે પ્રાપ્ત થતી સગવડો અને દેશના કયા ભાગમાંથી એ સગવડો પ્રાપ્ત થશે એ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે જેમાં સાઈ ફેસેલિટી, સાઈ સપોર્ટેડ ફેસેલિટી તથા પ્રાઈવેટ ફેસેલિટીની માહિતી ઉપલબ્ધ હશે.

ખેલો ઇન્ડિયા એપમાં બાળકોની ફિટનેસ અંગેની પ્રાથમિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ફિટનેસ સેકશનમાં 8 જાતના ફિટનેસ ટેસ્ટ દ્વારા બાળકની ફિટનેસ ચકાસી શકાશે. ફિટનેસ ટેસ્ટ શાળાના ફિઝીકલ એજ્યુકેશન ટીચર્સ દ્વારા કરવામાં આવશે. હિન્દી તથા ઇંગ્લીશમાં તૈયાર થયેલી એપ એકવાર ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઇન્ટરનેટ વગર પણ વાપરી શકાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ સગવડો ઉપલબ્ધ નથી ત્યાં પણ ખેલો ઇન્ડિયા એપ લોકો સુધી પહોંચી શકશે.

February 27, 2019
smc.jpg
1min11870

સુરત મહાનગરપાલિકાના 3 કોર્પોરેટરો અને તેમના અત્યંત નજીકના સગાઓ ભ્રષ્ટાચારના સંગીન કેસોમાં એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાયા છે, કોર્પોરેટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કેસોની આ સંખ્યા જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. ત્રણ કોર્પોરેટરો ઉપરાંત તાજેતરમાં ઘીવાળા નામનો ક્લાર્ક પણ ભ્રષ્ટાચારમાં આબાદ ઝડપાઇ ચૂક્યો છે. જે રીતે કેસોની સંખ્યા બહાર આવી રહી છે અને જે રીતે કોર્પોરેટરો અને તેમના સગાસંબંધીઓ રૂપિયા કમાવવાના રસ્તા અજમાવી રહ્યા છે એ જોતા સુરતના વહીવટીતંત્રોમાં સૌથી વધુ ભ્રષ્ટ વહીવટીતંત્ર સુરત મહાનગરપાલિકાનું જ હોય તેવું ફલિત થઇ રહ્યું છે.

  • ઓગસ્ટ 2018માં મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ એસીબીમાં ઝડપાયા હતા
  • જાન્યુઆરી 2019માં એસએમસી ક્લાર્ક ભાગ્યેશ ઘીવાળા રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો
  • ચાલુ માસ ફેબ્રુઆરી 2019માં જ કોર્પોરેટર જયંતિ ભંડેરી રૂ.50 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ચૂક્યા છે
  • તા.27મી ફેબ્રુઆરીએ મહિલા કોર્પોરેટર કોંગ્રેસના લીના સોનવણેનો પુત્ર કૃણાલ રૂ.15000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં18ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર કૃણાલ સોનવણે 15000 રૂ.ની લાંચ લેતા એસીબીના હાથે સપડાઇ ગયો છે. એસીબીએ આ કેસમાં કુલ 3 લોકોની ધરપકડ કરી છે. મહિલા કોર્પોરેટરના પુત્રએ આંજણા- ખટાદરો વિસ્તારમાં ચાલતા એક બાંધકામ પ્રોજેકટ માટે પોતાની માના નામે ધમકી આપી જો હેરાનગતિ રોકવી હોય તો રૂપિયા 15000 આપવા પડશે એવી માગ કરી હતી.ફરિયાદીએ એસીબીની મદદ માગી હતી.એસીબીએ છટકું ગોઠવ્યુ હતું જેમાં કોર્પોરેટરના પુત્રનો ઓફીસ બોય લાંચની રકમ લેવા આવ્યો હતો જે રંગેહાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે 3ની ધરપકડ કરી છે.

(મ્યુનિ. કોર્પોરેટર લીના સોનવણેનો પુત્ર કૃણાલ સોનવણે રૂ.15000ની લાંચ લેતા તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ એસીબીના હાથે ઝડપાય ગયો છે.)

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં 18 આંજણા- ખટોદરા વિસ્તારના લીનાબેન સોનવણે (કોંગ્રેસ)ના કોર્પોરેટર છે.આ વિસ્તારમાં ચાલતા એક  મકાનના બાંધકામ તોડી નહીં પાડવા અને હેરાનગતિ નહીં કરવા કૃણાલ સોનવણેએ ફરિયાદી પાસેથી રૂપિયા 15000 માગ્યા હતા. કોર્પોરેટર માતા લીનાબેનના હોદ્દાની બીક બતાવી કુણાલ  ફરિયાદીને ધમકાવતો હતો. કુણાલે પોતાના મળતિયા ભટ્ટુભાઇ પાટીલને રૂપિયા લેવા મોકલ્યો હતો. ફરિયાદીએ ભટ્ટ્ભાઇને રૂપિયા આપ્યા નહોતો અને તેને બદલે એસીબીને જાણ કરી હતી. ફરીવાર ભટ્ટુભાઇ પાટીલે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે ઓફીસ બોયને 15000 આપી દે જે. એસીબીએ ગોઠવેલા છટકામાં જેવા ઓફીસ બોયએ લાંચની રકમ સ્વીકારી પોલીસે તેને પકડી લીધો હતો.ઓફીસ બોય કિશોર હોવાને કારણે એસીબીએ નામ જાહેર કર્યું નથી.એસીબીએ કુણાલ સોનવણે, ભટ્ટુ પાટીલ અને ઓફીસ બોય ત્રણેયની ધરપકડ કરી છે.

February 27, 2019
1.jpg
4min11980

તા.26મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે એલ.ઓ.સી.પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલા હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધ્યો છે. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એક જવાબદાર ડિજીટલ મિડીયા તરીકે વર્તીને તેમના વાચકો સુધી સતત અને સાચી માહિતી રજૂ કરવા તત્પર છે. અહીં આ સેકશનમાં અમે વિગતવાર અપડેટ આપતા રહીશું.

13:01 (IST), FEB 27
ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ એવી જાહેરાત કરી હતી કે એરસ્પેશ ક્લોઝરના કારણે શ્રીનગર, જમ્મુ, ચંદીગઢ, અમૃતસર અને દહેરાદૂન જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવામાં આવી છે.
12:42 (IST), FEB 27
પીએમ  મોદી કાર્યક્રમો ટૂંકાવીને સલામતિ સમીક્ષા માટે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા.27મી ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી ખાતેના તેમના વિજ્ઞાન ભવન ખાતેના કાર્યક્રમને ટૂંકાવીને તુંરત તેઓ નેશનલ સિક્યુરિટીની રિવ્યુ મિટીંગમાં ધસી ગયા હતા. પાકિસ્તાની જેટ્સ દ્વારા ભારતીય વાયુ સીમામાં ઘૂસીને કરાયેલા આક્રમણને ભારતે ગંભીરતાથી લઇને કેટલાક પગલાં ભર્યા તેની માહિતી તેમણે મેળવી હતી.
12:40 (IST), FEB 27
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પણ તણાવને પગલે અસરગ્રસ્ત થઇ. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે જ્યારે કેટલીક ઉડતી ફ્લાઇટ્સ તેમના ઓરિજિનલ ડેસ્ટિનેશન્સ પર વાળી દેવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા.
12:37 (IST), FEB 27

પાકિસ્તાને પણ લાહોર, મુલતાન, ફૈઝલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ ખાતેના ફ્લાઇટ્સ ઓપરેશન્સ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને હંગામી ધોરણે સ્થગિત કરી દીધાના અહેવાલો મળ્યા હતા.

 12:37 (IST), FEB 27
પાકિસ્તાનના ફાઇટર જેટ્સ પ્લેન દ્વારા આજે જમ્મુ-કાશ્મિરની ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. નૌસેરા સેક્ટર ખાતે ઇન્ડિયન એરફોર્સએ પાકિસ્તાની જેટ ફાઇટર્સને આંતર્યા હતા અને તેને પગલે પાકિસ્તાની પાઇલોટ્સ તેમના ફાઇટર પ્લેન પાકિસ્તાનની વાયુ સીમામાં માં પરત લઇ ગયાના અહેવાલો છે. પાકિસ્તાનની આ કાર્યવાહીને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે.

12:31 (IST), FEB 27

પાકિસ્તાન આર્મીના સ્પોક્સ પર્સન મોહમદ ફૈઝલએ પોતાના દેશનો બચાવ કરતા એવી બડાઇ પાકિસ્તાની ચેનલ પર હાંકી હતી કે પાકિસ્તાને એલ.ઓ.સી.ની પાર જઇને કેટલાક હુમલાઓ કર્યા હતા. મોહમંદ ફૈઝલે એવી ડીંગ પણ હાંકી હતી કે આવું કરવા પાછળ પાકિસ્તાનનો હેતુ ભારતને એ બતાવવાનો હતો કે તેઓ તેમની રક્ષા માટે કંઇપણ કરી શકે છે.

12:30 (IST), FEB 27
ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી રાજનાથસિંહએ નવીદિલ્હી સ્થિત નોર્થ બ્લોક ખાતે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, ખુફીયા એજન્સી રૉના વડા, ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચાધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર પ્રવર્તી રહેલી તણાવજનક સ્થિતિ પર કેટલાક નિર્ણયો કર્યા હતા.
12:29 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિરને અડીને આવેલી ભારત પાકિસ્તાનની એલ.ઓ.સી. પર પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા તા.26મીની રાતથી કરવામાં આવી રહેલા ગોળીબારનો ભારતે જડબાંતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને બુધવારે વહેલી સવારે પણ આવા હુમલાઓ ચાલુ રાખ્યા હતા.
12:25 (IST), FEB 27
જમ્મુ-કાશ્મિર ક્ષેત્રના પાંચ એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ
શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ અને અમૃતસર એમ પાંચ એરપોર્ટસને આજે નાગરિક ઉડ્ડયન માટે સલામતિના કારણોસર બંધ રાખવામાં આવ્યા છે. આજે બુધવારે સવારે ભારતીય વાયુ સેનાનું એક જેટ પ્લેન બડગામ જિલ્લામાં તૂડી પડ્યાના તુરંત બાદ આ પાંચ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચ એરપોર્ટ બિલકુલ હંગામી ધોરણે અને ભારત પાકિસ્તાન સીમા પર વધેલા તણાવને જોતા બંધ કરવામાં આવ્યા છે.

Five airports closed on Wednesday for civilian air traffic

Srinagar, Jammu and Leh airports were among five airports closed on Wednesday for civilian air traffic shortly after an IAF jet crashed in Kashmir’s Budgam district. Airports at Chandigarh and Amritsar were also closed, according to airline officials. The move to close the five airports comes amid escalation of tension between India and Pakistan after IAF carried out strikes on terror bases in Pakistan.

12:06 (IST), FEB 27
સી.આર.પી.એફ.ના ડીજી આર.આર. ભટનાગર, જેઓ હાલ જમ્મુ ખાતે ફરજ પર છે, તેમણે જણાવ્યું કે જૈશ એ મહોમંદના બે આતંકવાદીઓને આજે ભારતીય સૈનિકોએ જાનથી મારી નાંખ્યા છે. તેમણે કહ્યું કે ઓપરેશન્સ ચાલી રહ્યા છે અને હજુ એ ચાલશે. આતંકવાદીઓનો સફાયો થઇને રહેશે.
 
12:05 (IST), FEB 27
ભારતીય વાયુ સીમામાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના એફ-16 પ્લેનને ભારતીય વાયુ સેનાએ આંતરીને તેના પર કરેલા બોંબમારાને કારણે પાકિસ્તાની પ્લેન પાકિસ્તાનની લામ વેલી ટેરેટરીમાં જઇને તૂટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા હતા.

 

February 27, 2019
bharat_k_veer1-1280x720.jpg
3min14850

ભારતની રક્ષા કાજે પોતાના જીવ ન્યોછાવર કરી દેતા શહીદ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય કરવાની બાબતમાં ભારતીયો હરહંમેશ ઉદારતા દાખવતા હોય છે. 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર સૈનિકોના પરિવારજનોને જ્યારે મદદની વાત આવી ત્યારે પણ ભારતીયોએ એટલા ઉત્સાહ અને તત્પરતાથી દરેક શહીદોના બેંક અકાઉન્ટ છલકાવી દીધા કે ખુદ શહીદોના પરિવારજનો માટે ફંડિંગ મેનેજમેન્ટ કરતી ભારત કે વીર વેબસાઇટના સંચાલકોએ લખવું પડ્યું કે શહીદોના પરિવારજનોના બેંક અકાઉન્ટમાં મેક્સીમમ લિમીટની રકમ પહોંચી ચૂકી છે હવે જે દાન ભારત કે વીર વેબસાઇટ મારફતે મળી રહ્યું છે તે ભારત કે વીર કોર્પસ ફંડસમાંં જશે અને આ રકમ પણ શહીદોના પરિવારજનોના કલ્યાણાર્થે જ ઉપયોગમાં લેવાશે.

ભારતીયો દ્વારા આપવામાં આવતું દાન ભારતની રક્ષા કાજે પોતાનો જીવ ગુમાવી દેનારા વીર શહીદ સૈનિકોના પરિવારજનોના સીધા જ બેંક અકાઉન્ટમાં જમા થાય તેવું વ્યવસ્થા તંત્ર ભારત કે વીર નામની વેબસાઇટ તેમજ એપ્લિકેશન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. કોઇપણ ભારતીય વિશ્વના કોઇપણ છેડેથી ઓનલાઇન આર્થિક સહાય સીધી જ જે તે શહીદના પરિવારજનોને https://bharatkeveer.gov.in મારફતે કે તેની એપ્લિકેશન મારફતે જમા કરાવી શકતા હતા.

પરંતુ, ભારત કે વીર https://bharatkeveer.gov.in વેબસાઇટ પર હવે સીધા જ શહીદ પરિવારોના બેંક અકાઉન્ટમાં આર્થિક સહાયની રકમ જમા કરવાની સિસ્ટમ બંધ કરવામાં આવી છે. વેબસાઇટ સંચાલકોએ વેબસાઇટ પર લખ્યું છે કે શહીદોના પરિવારજનો સુધી દાનની મહત્તમ લિમીટ સુધીની રકમ જમા થઇ ચૂકી છે. હવે ભારતીયો જે દાન આપી રહ્યા છે તે ભારત કે વીર કોર્પસ ફંડ Bharat Ke Veer Corpus Fund માં જમા થશે.

ભારત કે વીર https://bharatkeveer.gov.in  વેબસાઇટ આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

એવી જ રીતે ભારત કે વીર મોબાઇલ એપ્લિકેશન પર પણ આ પ્રકારે સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.

ભારત કે વીર વેબસાઇટ પર ભારતીયો દ્વારા કરવામાં આવતા દાનને આ મુજબના ફોર્સીસના શહીદ સૈનિકોના પરિવારજનોમાં વિતરીત કરવામાં આવે છે.

The CAPFs are armed forces under the Ministry of Home Affairs and comprise of the following forces :

  1. Assam Rifles (AR) engaged in border guarding along Indo-Myanmar border, as well as in counter insurgency operations in the North East.
  2. Border Security Force (BSF) guards Indias borders with Pakistan and Bangladesh, and are also deployed for anti insurgency operations.
  3. Central Industrial Security Force (CISF)provides security to the key sectors including Airports, Metro systems, important industries in the public and private Sector, heritage monuments, Government buildings and security to protected persons.
  4. Central Reserve Police Force (CRPF) is the primary force for internal secruity including anti naxal operations, counter insurgency duties in J&K and North East, and Law & Order problems.
  5. Indo-Tibetan Border Police (ITBP) guards Indias borders with China. Specially trained to operate in high altitude mountainous terrain, it is also engaged in internal security duties from time to time.
  6. National Disaster Response Force (NDRF) is for specialized response to natural and man-made disasters, saving lives and livelihood and prepares communities in disaster resilience and disaster risk reduction.
  7. National Security Guard (NSG)is a Special Force mandated to conduct counter-terrorist, counter-hijack, and hostage-rescue operations as well as provide `mobile security to designated protectees.
  8. Sashastra Seema Bal (SSB)with the motto of “Service Security Brotherhood” is primarily mandated to guard Indias borders with Nepal and Bhutan. The force is also performing internal security duties and is deployed to deal with LWE / Counter-insurgency in many states.
February 27, 2019
rbi.png
1min14110

આર્થિક વૃદ્ધિને ટેકો મળે તે માટે બેન્કોને સશક્ત કરવાના સરકારના ઇરાદા પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) માળખામાંથી દૂર કરી છે અને તેમને મુક્તપણે ધિરાણ આપવાની છૂટ આપી છે.

બંને બેન્કોએ તેમની બેલેન્સ શીટ મજબૂત કરવા અને ફાઇનાન્શિયલ રેશિયોમાં સુધારો કરવા માટે સરકાર પાસેથી મળેલી નવી મૂડીનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. સરકારે 20 ફેબ્રુઆરીએ અલ્હાબાદ બેન્ક માટે ₹6,896 કરોડ અને કોર્પોરેશન બેન્ક માટે ₹9,086 કરોડના નવા મૂડીભંડોળની જાહેરાત કરી હતી.

RBIએ ખાનગી સેક્ટરની ધનલક્ષ્મી બેન્ક પર લાદેલી મર્યાદાઓ પણ હટાવી દીધી છે. અત્યારે આ બેન્ક એક પણ મર્યાદાનો ભંગ કરતી નથી. આ બેન્કોના પર્ફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ મંગળવારે RBIના બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન (‌BFS)એ આ નિર્ણય લીધો હતો. સમીક્ષા બેઠક બાદ RBIએ જણાવ્યું હતું કે, આ બેન્કોએ ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે અને તેમના પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે.

વધારે પડતી બેડ એસેટ્સ અને નેગેટિવ રિટર્ન આપવા બદલ કુલ 12 બેન્કોને PCA હેઠળ મૂકવામાં આવી હતી, જેમાંથી છ બેન્ક હવે આ કડક નિયમોમાંથી બહાર છે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સૌથી પહેલાં આમાંથી બહાર થઈ હતી.

“જાહેર ક્ષેત્રની બેન્કોમાં સુધારો ચાલુ રહ્યો છે. 4R સ્ટ્રેટેજીને કારણે કેટલીક અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ શકી છે. બંને બેન્કોએ સારું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખવું પડશે અને ક્લીન બેન્કિંગ માટે દૂરંદેશી દાખવવી પડશે.” એમ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું. ઇકોનોમિક ટાઇમ્સે 20 ફેબ્રુઆરીએ નોંધ્યું હતું કે, અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ જશે.

February 27, 2019
india.gif
1min1825

ભારતે મંગળવારે પરોઢિયા પહેલાં પાકિસ્તાનમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદના સૌથી મોટા કૅમ્પ સહિત અનેક છાવણી પર હુમલા કરીને અંદાજે 350 ત્રાસવાદીને મોતને ઘાટ ઉતાર્યા હતા.ભારતભરમાં આ હુમલા બાદ ખુશાલી અને દેશપ્રેમનું નવું જોશ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાન ડઘાઇ અને હેબતાઇ ગયું હતું.ભારતીય હવાઇ દળે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને અનેક ઠેકાણે આવેલી ત્રાસવાદીઓની છાવણીઓ પર કરેલા હુમલામાં ‘મિરાજ 2000 કૉમ્બેટ જૅટ્સ’નો ઉપયોગ કર્યો હતો.ભારતીય યુદ્ધવિમાનો બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચાકોટીમાંની ત્રાસવાદીઓની છાવણીઓ પર ત્રાટક્યા હતા.જૈશે મહંમદના વડા મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર અહીંની ત્રાસવાદી છાવણીઓને સંભાળતો હતો, પરંતુ તે આ હુમલામાં માર્યો ગયો છે કે નહિ તે હજી અસ્પષ્ટ છે.

વિદેશસચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં આ હુમલાને લગતી માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 12 દિવસ પહેલાં કેન્દ્રીય અનામત પોલીસ દળના 40 જવાનનો જાન લેનારા ત્રાસવાદી હુમલા બાદ જૈશે મહંમદ ભારતમાં વિવિધ સ્થળે વધુ હુમલા કરવાની યોજના ઘડી રહ્યું હોવાની અને તેના માટે આત્મઘાતી જેહાદીઓને તાલીમ અપાતી હોવાની વિશ્ર્વાસપાત્ર માહિતી ગુપ્તચરો પાસેથી મળતા ભારતે પરોઢિયા પહેલાં રાતના બાલાકોટમાંની જૈશે મહંમદની સૌથી મોટી તાલીમ છાવણી અને અન્ય તાલીમ કૅમ્પ પર હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં જૈશે મહંમદના અનેક ત્રાસવાદી, તાલીમ આપનારા, વરિષ્ઠ કમાંડર, જેહાદીઓ, આત્મઘાતી હુમલાખોરો વગેરે માર્યા ગયા હતા.

કેન્દ્રના રાજ્ય કક્ષાના કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વીટ કર્યું હતું કે ભારતે સીમા પરની અંકુશ હરોળ પાર કરીને ત્રાસવાદીઓની છાવણીઓ પર હુમલો કર્યો હતો. બાલાકોટ પાકિસ્તાનના સામાન્ય નાગરિકોની વસતિથી દૂર પર્વતીય વિસ્તારમાં છે અને અહીંના ગાઢ જંગલમાં ત્રાસવાદીઓની છાવણીઓ હતી.

વિદેશસચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંની ત્રાસવાદીઓની છાવણીઓનો નાશ કરવો ભારત માટે જરૂરી બની ગયો હતો. ભારત ત્રાસવાદ સામેની લડતમાં દરેક પ્રકારના પગલાં ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાની ભૂમિ પર ચાલતી ત્રાસવાદીઓની બધી છાવણીઓનો નાશ કરશે.

ભારતીય હવાઇ દળ પાકિસ્તાન પર ત્રાટક્યું તેના થોડા કલાક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામતીને લગતી પ્રધાનમંડળની સમિતિની બોલાવેલી બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, ગૃહપ્રધાન રાજનાથસિંહ અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા.

દેશના બધા રાજકીય પક્ષે ભારતીય હવાઇદળે પાકિસ્તાનમાં કરેલા આ હુમલા બદલ ભારતીય સૈન્યને અભિનંદન આપ્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મહામંત્રી રામમાધવે દાવો કર્યો હતો કે મોદીજી દેશના દુશ્મનોનો નાશ કરવા મક્કમ નિર્ધાર ધરાવે છે. જવાનોની શહાદતથી ગુસ્સે થયેલો દરેક ભારતીય આ હુમલાથી ખુશ થયો છે. આપણું લશ્કર વિશ્ર્વકક્ષાની ક્ષમતા ધરાવે છે.

કૉંગ્રેસના વડા રાહુલ ગાંધીએ પણ ભારતીય હવાઇદળની આ કામગીરી કરનારા પાઇલટોને ‘અભિનંદન’ પાઠવ્યા હતા.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે ભારતે પાડોશી દેશમાંની ત્રાસવાદી છાવણીઓ પર ત્રાટકવા માટે સૌપ્રથમ વખત હવાઇદળનો ઉપયોગ કર્યો હતો.

દરમિયાન, પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે સરહદ પરની અંકુશ હરોળ ઓળંગીને ‘હુમલો’ કર્યો હોવાથી ઇસ્લામાબાદને ‘વળતો હુમલો’ કરવાનો અધિકાર છે.

ઇસ્લામાબાદમાં સરકારની ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક યોજાઇ હતી અને તે પછી કુરેશીએ વડા પ્રધાન ઇમરાન ખાનને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતે આજે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારતે સરહદ પરની અંકુશ હરોળ પાર કરી છે.

આમ છતાં, પાકિસ્તાન લશ્કરના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું હતું કે ભારતીય વિમાન મુઝફરાબાદ ક્ષેત્રમાંથી પ્રવેશ્યું હતું. પાકિસ્તાનના હવાઇદળે તેને યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતીય વિમાનને ઉતાવળે પાછા ફરવાની ફરજ પડાઇ હતી અને તેના હુમલામાં કોઇ જાનહાનિ નથી થઇ.