CIA ALERT

Slider Archives - Page 390 of 491 - CIA Live

March 13, 2019
SpiceJet-MAX2.jpg
2min18500
  • બોઇંગ 737 મેક્સ પર પ્રતિબંધ મૂકાયા પછી પણ સ્પાઇસ જેટ એ દિલ્હી સુરત રૂટની સાથે દેશમાં 6-6 લોકેશન્સ પર ઉડતા કોફીન સમાન બોઇંગ 737 મેક્સ વિમાનો બેરોકટોક ઉડાડ્યા
  • ભારતમાં બોઇંગ 737 મેક્સ વિમાન પર પ્રતિબંધ મૂકાયા પછી તમામ એરલાઇન્સ એ આ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા ફક્ત સ્પાઇસ જેટએ 6-6 ફ્લાઇટ્સ ઉડતા કોફિન જેવા વિમાનોમાં ઉડાડીને હજારો પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા
  • બુધવારે સવારે 11 વાગ્યે સ્પાઇશ જેટ તરફથી કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી જે આ સમાચારના અંત ભાગમાં રજૂ કરવામાં આવી છે

(ઉડતા કોફીન મનાય રહ્યા છે બોઇંગ 737 મેક્સ વિમાનો)

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એરલાઇન કંપનીઓ પોતાના બિઝનેસને જતો ન કરવો પડે તેટલા માટે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતી નથી, આ બાબતની પ્રતીતિ કરાવતી ઘટના તા.13મી માર્ચ 2019ના રોજ દિલ્હી સુરત ફ્લાઇટમાં બની છે. આજે તા.13મી માર્ચને બુધવારે સવારે દિલ્હીથી સુરત આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટ 737 બોઇંગ મેક્સ વિમાનમાં મોકલવાની હતી. હજુ તા.12મીએ રાત્રે જ ડીજીસીએ સમેત ભારતીય ઉડ્ડયન ઓથોરિટીએ બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાંથી ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને એ મુજબ ભારતની સ્પાઇસ જેટ સિવાયની તમામ એરલાઇન્સ કંપનીઓએ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા હતા. પરંતુ, એકમાત્ર સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની ફ્લાઇટ બોઇંગ 737 મેક્સ વિમાન સાથે 189 પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા છે. એથી વિશેષ દિલ્હીથી સુરત આવેલી ફ્લાઇટ સુરતથી પરત દિલ્હી જવા માટે પણ એ જ પ્લેનનો ઉપયોગ કર્યો હતો.

રવિવાર. 11મી માર્ચ 2019ના રોજ ઇથોપિયાનું બોઇંગ 737 મેક્સ વિમાન તૂટી પડવાની ઘટના બાદ સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોએ બોઇંગ 737 મેક્સ મોડેલના વિમાનોને ઉડાડવા પર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે પ્રતિબંધ લાદી છે. ભારતે પણ તાકીદની અસરથી સરકારી અને પ્રાઇવેટ બન્ને એરલાઇન્સને બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડ્ડયન સેવામાં કોઇપણ સંજોગોમાં ઉપયોગમાં નહીં લેવાની કડક સૂચના જારી કરી છે.

અત્યાર સુધી ક્રેશ થયેલા મોટા ભાગના વિમાનો આ મોડેલના હોઇ આખી દુનિયામાં એ પુરવાર થઇ ચૂક્યું છે કે બોઇંગ 737 મેક્સ વિમાનો ઉડતા કોફિન જેવા છે. આમ છતાં તા.12મી માર્ચે સ્પાઇસ જેટ એરલાઇન્સએ દિલ્હી સુરતની પોતાની ફ્લાઇટ બોઇંગ મેક્સ 737 મોડેલમાં જ રવાના કરી હતી. જે લોકો સ્પાઇસ જેટની આ હરકતને પામી ચૂક્યા હતા તેમણે તાત્કાલિક ટ્વીટ કરીને પ્રાઇમ મિનિસ્ટર તેમજ ડીજીસીએને જાણ કરી હતી. સ્પાઇસ જેટ એ દિલ્હીથી સુરતની ફ્લાઇટ માં પ્રતિબંધિત બોઇંગ 737 મેક્સ વિમાન ઉડાડીને પેસેન્જરોનો તો જીવ જોખમમાં મૂક્યો હતો પરંતુ, નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના નીતિ નિયમોના પણ ધજ્જીયા ઉડાડી મૂક્યા છે.

સુરતના એવીએશન ક્ષેત્રના એક્સપર્ટ રાજેશભાઇ મોદીએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તા.12મીએ સાંજે ડીજીસીએ એ બોઇંગ 737 મેક્સ વિમાનો ગ્રાઉન્ડ કરી દેવાની સૂચના આપી હતી અને ભારતમાં સ્પાઇસ જેટ સિવાય બાકીની તમામ કંપનીઓએ આજે સવારથી બોઇંગ 737 મેક્સ વિમાનોમાં એકેય ફ્લાઇટ ઉડાડી ન હતી. પરંતુ, સ્પાઇસ જેટની સુરત દિલ્હી રૂટ ઉપરાંત દેશમાં 6 ફ્લાઇટ્સ પ્રતિબંધિત 737 બોઇંગ મેક્સ વિમાનોમાં ચાલી રહી હતી. રાજેશ મોદીએ સી.આઇ.એ.ને બોઇંગ 737 મેક્સ વિમાનોમાં ઉડતી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સની ઇમેજ પણ શેર કરી હતી.

ભારત સરકારે બોઇંગ 737 મેક્સ વિમાનોને પ્રતિબંધિત કર્યા પછી એક સાથે 6-6 ફ્લાઇટ્સ બેરોકટોક પણે ઉડાડનાર સ્પાઇસ જેટના સંચાલકોએ હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે. સુરતના રાજેશ મોદીએ કહ્યું કે તેઓ આ મુદ્દે ડીજીસીએ સાથે પત્ર વ્યવહાર કરીને આવું કેમ થયું તેનો જવાબ માગવાના છે.

ડરી રહી છે દુનિયા બોઈંગ 737થી

ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

માત્ર 6 મહિનામાં જ બોઈંગ 737 મેક્સ 8ના બે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાથી હવે વિશ્વભરના દેશો તેનાથી ડરી રહ્યા છે. ઈથોપિયામાં બોઈંગ 737ની દુર્ઘટના બાદ હવે ઘણા દેશો આ વિમાન પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે ભારતે પણ તાત્કાલિક અસરથી બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર રોક લગાવી દીધી છે.

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનના નિવેદન પ્રમાણે જ્યાં સુધી આ વિમાનની સુરક્ષા અંગેની તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી તેની ઉડાન પર પ્રતિબંધ રહેશે. મુસાફરોની સુરક્ષા સર્વોપરિ છે. DGCAએ કહ્યું કે તેઓ એરલાઈન્સ અને એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ તમામ એરલાઈન્સની ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જેમાં મુસાફરોની પરેશાની પર ચર્ચા થશે.

DGCA has taken the decision to ground the Boeing 737-MAX planes immediately. These planes will be grounded till appropriate modifications and safety measures are undertaken to ensure their safe operations. (1/2)

આ પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આયરલેન્ડ, આઈસલેન્ડ, ઓમાન, ચીન, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને આર્જેન્ટિના જેવા દેશો પણ બોઈંગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. આ વિમાનનો ખૌફ એટલો જબરજસ્ત છે કે યુકેએ તો પોતાની એરસ્પેસમાં પણ બોઈંગના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

At 11 a.m. on 13 March 2019 Spice Jet has made a Clarification, As Given Below.

March 12, 2019
surat.jpeg
1min15050

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતની ઓળખ હવે મૂળ સુરતીઓ કરતા બહારથી આવીને સુરતને કર્મભૂમિ બનાવનારા લોકો બની રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા ભાગે પરપ્રાંતિયોના હાથમાં પહોંચી ચૂક્યો છે અને ડાયમંડ ઉદ્યોગ ગુજ્જુ ખરાં પણ સૌરાષ્ટ્રવાસીઓના હાથમાં છે. વિધાનસભાની ચૂંટણીઓમાં 12-12 તમામ બેઠકો જીતીને આપનાર સુરતના મૂળ સુરતીને બબ્બે ટર્મથી ગુજરાત સરકારમાં મિનિસ્ટ્રી મળી નથી.  6 હજાર કરોડના વહીવટવાળી સુરત મહાનગરપાલિકામાં મેયર પદું પણ છેલ્લી ત્રણ ટર્મથી મૂળ સુરતી પાસે નથી બલ્કે મૂળ સૌરાષ્ટ્રીયન નેતાઓની નિમણૂંકો થઇ છે. હવે સુરતના સાંસદ કોણ એ મુદ્દે લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે જ્યારે ભાજપામાં સ્પર્ધાએ જોર પકડ્યું છે.

  • નિરંજન ઝાંઝમેરા, અસ્મિતા શિરોયા અને હવે ડો.જગદીશ પટેલ, મેયર પદ છેલ્લી ત્રણ ટર્મથી સુરતીઓને મળ્યું નથી
  • નાનુ વાનાણી અને એ પછી કિશોર કાનાણી, સુરતની બારેબાર બેઠકો જીતી લાવ્યા પછી પણ ગુજરાત સરકારમાં મંત્રી પદ સુરતીઓને મળ્યું નથી

સુરત સંસદીય મતવિસ્તારમાંથી કોને ઉમેદવાર બનાવવા એનો નિર્ણય સીધો જ ક્યાં તો ભાજપાના નેશનલ પ્રેસિડેન્ટ અમિત શાહ કરશે ક્યાં તો ખુદ પી.એમ. મોદી કરશે. કોને સુરત સંસદની સીટ મળશે એ અંગે જ્યાં સુધી આધિકારીક જાહેરાત ન થાય ત્યાં સુધી કોઇ જ નામ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. પરંતુ, એક હવે એવી ઉભી કરવામાં આવી રહી છે કે સુરત સંસદીય મત વિસ્તારમાં આ વખતે હવે બે ટર્મ ભોગવી ચૂકેલા મહિલા સાંસદ દર્શનાબેન જરદોષને બદલીને કોઇ સૌરાષ્ટ્રીયન નેતાની વરણી કરવામાં આવે.

સુરત સંસદીય મત વિસ્તારમાં ભાજપાના કેન્ડીડેટ તરીકે મનસુખ માંડવીયા, ડો. જગદીશ પટેલ અથવા નાનુ વાનાણી માટે થઇ રહેલું જોરદાર લોબિંગ

મળતી માહિતી મુજબ સુરત સાંસદની બેઠક માટે જે નામો જોરશોરથી ચર્ચાય રહ્યા છે અગર તો જેના માટે લોબિંગ થઇ રહ્યું છે એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મેયર ડો. જગદીશ પટેલ અને માજી મંત્રી નાનુભાઇ વાનાણીના નામો છે. મૂળ સુરતીઓ ક્યાંયો સ્પર્ધામાં જણાતા નથી. આમેય મૂળ સુરતીઓ ભાજપ પ્રદેશ મોવડીઓ સામે કશું બોલી શક્તા નથી તો કેન્દ્રીય નેતાગીરી સામે તો આંખ ઉઠાવીને જોઇ પણ ન શકે. સુરતની તમામ 12 વિધાનસભા બેઠકો પર બબ્બે ટર્મથી ક્લીન સ્વીપ કરી લાવતા સુરતને એકેય સુરતી એમ.એલ.એ.ને મંત્રી પદ નહીં આપવા છતાં સુરત ભાજપા એક હરફ ઉચ્ચારી શક્તી નથી. ઉલ્ટાનું વડોદરાના ધારાસભ્યોએ બાંયો ચઢાવીને છેલ્લા વિધાનસભા અધ્યક્ષ પદ મેળવ્યું હતું. પરંતુ, સુરત ભાજપાના નેતાઓ મોવડીઓ પાસે કશું હકથી માંગી શક્તા નથી.

ભાજપાની પ્રદેશ અને કેન્દ્રીય નેતાગીરી મૂળ સુરતીઓના નેતૃત્વની નબળાઇ ભાળી ગઇ છે, મૂળ સુરતીઓ હકનું માંગી શક્તા નથી તો બાંયો ચઢાવવાની વાત દૂર રહી

(હવે ખરેખર જો દર્શનાબેન જરદોષ પોલિટીકલ બુલડોઝર નહીં ફેરવે તો મૂળ સુરતીઓના હાથમાંથી સાંસદ પદું પણ જતુ રહેવાના ચાન્સિસ છે.)

સુરત સંસદીય બેઠક માટે ભાજપામાં ઉમેદવારની પસંદગીની ગતિવિધિઓ જોતા એવું સ્પષ્ટ જણાય રહ્યું છે કે હવે મૂળ સુરતીઓ પાસે જે બાકી બચ્યું હતું એ સંસદીય સીટ પણ સૌરાષ્ટ્રવાસી નેતાને ધરી દેવી પડે તેમ છે. કેન્દ્રીય મંત્રી મન્સુખ માંડવીયા માટે તો સુરતમાંથી એવા સેન્સ અને ફિડબેક પણ મોવડીઓને મોકલાય રહ્યા છે કે તેઓ સૌથી મેરીટ ધરાવતા ઉમેદવાર છે.

મૂળ સુરતી ઉમેદવારોમાં હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, અજય ચોક્સી, નિરવ શાહ, નીતિન ભજીયાવાળા, રાજેશ દેસાઇ વગેરે નામો તેમના સમર્થકો દ્વારા ચલાવાઇ રહ્યા છે પરંતુ, જે રીતે મન્સુખ માંડવીયા અગર તો ડો. જગદીશ પટેલ માટે સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિઓ લોબિંગ કરી રહ્યા છે એ રીતે માટે મોદી કે અમિત શાહ સાથે ઘરોબો ધરાવતા ઉદ્યોગપતિઓ મૂળ સુરતી માટે લોબિંગ નથી કરી રહ્યા. આમેય એ ઇતિહાસ રહ્યો છે કે સુરત ભાજપે અત્યાર સુધીમાં પ્રદેશ મોવડીઓએ જે મેન્ડેટ, હવાલાઓ મોકલ્યા છે એને આંખો બંધ કરીને સરઆંખો પર ચઢાવ્યા છે, સુરતી નેતાગીરી ક્યારેય પ્રદેશ કે કેન્દ્રીય મોવડીઓના નિર્ણય સામે એક સવાલ સુદ્ધાં ઉપસ્થિત નહીં કરે એ બાબત ભાળી ગયેલા કેન્દ્ર અને પ્રદેશ ભાજપાના નેતાઓ આ વખતે પણ સુરત સંસદીય મત વિસ્તારમાં પોતાનું ધાર્યું કરાવી જશે તો મૂળ સુરતીઓનો એકડો નીકળી જવાનો છે એ વાત નક્કી છે.

સુરત સંસદીય મત વિસ્તાર ભાજપા માટે સૌથી સેફ સીટ મનાય છે, અહીં કાશીરામ રાણાથી લઇને દર્શનાબેન જરદોષ વિક્રમી સરસાઇથી જીતતા આવ્યા છે. એટલે આ સૌથી સલામત સીટ પર ભાજપાની નેતાગીરી કોઇપણ વ્યક્તિને ઉમેદવાર બનાવી શકે છે. છેલ્લા બે ટર્મથી સુરતના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા દર્શનાબેન જરદોષ એટલા લૉ પ્રોફાઇલમાં રહ્યા કે મોટા ભાગના સામાન્ય લોકોમાં એવી જ છાપ છે કે સુરતના સાંસદ સી.આર. પાટીલ જ છે. સુરત એરપોર્ટનો પ્રશ્ન હોય કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનો જીએસટીનો પ્રશ્ન હોય કે પછી છેલ્લે તાપી નદીનો પ્રોજેક્ટ હોય સી.આર. પાટીલ નવસારીના સાંસદ હોવા છતાં સુરતના પ્રશ્નો માટે સરકારમાં લોબિંગ કરતા જોવાયા છે. સાંસદ તરીકે દર્શનાબેન જરદોષની બે ટર્મ દરમિયાન સુરતમાં સ્થાનિક સ્તરેથી પ્રાદેશિક કે કેન્દ્રીય સ્તરની નેતાગીરીની કેડર ઉભી થઇ શકી નહીં. એકેય સુરતી એમએલએ ને મિનિસ્ટરશીપ મળી નહીં કે એ પ્રાદેશિક લેવલ પર નેતૃત્વ સ્થાપી શકે, બધા નેતાઓ સુરત પૂરતા સિમીત બનીને રહી ગયા. સ્વાભાવિક છે કે પછી સુરતીઓ કેન્દ્રીય મોવડીઓને સાંસદ લિડરશીપ માટે વામણાં લાગે એમાં બેમત નથી.

આમેય સુરતમાં અસ્સલ સૂરતીઓ લઘુમતિમાં મૂકાઇ ગયા છે. એવી પરિસ્થિતિમાં મૂળ સુરતી પાસેથી સાંસદ પદું પણ છીનવાય જાય તો સુરતની ઓળખ સામે જ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે.

March 12, 2019
ceremic-1280x720.jpg
1min9220

  • કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ મામલે પ્રદૂષણ બોર્ડ સફાળું જાગ્યું
  • સાત દિવસમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ, નહીંતર કાર્યવાહી
મોરબીના સિરામિક એકમો દ્વારા સિરામિક ઉત્પાદનો બનાવવા માટે કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ નહીં કરી શકાય એવો આદેશ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કર્યા બાદ સફાળા જાગેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મોરબીના 925 સિરામિક એકમોને ઓનલાઈન નોટિસો મોકલીને સાત દિવસમાં કોલસા આધારિત ગેસીફાયરનો ઉપયોગ બંધ કરવા આદેશ આપ્યો છે અને જો એકમો સાત દિવસમાં કોલસાનો ઉપયોગ બંધ નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.
મોરબી સિરામિકના વિવિધ ઉત્પાદનોના નિર્માણ માટે કોલસા આધારિત ગેસીફાયર પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોલસા આધારિત પ્લાન્ટના કારણે આસપાસના વિસ્તારો સુધી હવામાં વ્યાપક પ્રદૂષણ ફેલાય છે. શ્વાસમાં કોલસાના કાળા રજકણ જઈ રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ રહ્યું છે. આ મામલે ગ્રીન ટ્રીબ્યૂનલમાં કેસ ચાલી રહ્યો હતો અને ગયા સપ્તાહે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે એવો ચૂકાદો આપ્યો કે, મોરબીમાં ચાલી રહેલા કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવા. આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ તાકીદે તેનો અમલ કરાવવો એવો આદેશ આપ્યો હતો.
આ આદેશના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સિરામિક એકમોને ઓનલાઈન નોટિસો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મોરબીના સિરામિક એકમોના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે. દેશમાં 70 ટકાથી વધારે સિરામિકનું ઉત્પાદન કરતા મોરબીના સિરામિક ઉદ્યોગને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચૂકાદાથી મોટો ફટકો પડે તેવી સંભાવના છે. મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં જ નહીં, વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. આ ઉદ્યોગમાં સ્થાનિક અને બહારના રાજ્યોના ચાર લાખ જેટલા મજૂરો રોજગારી મેળવે છે. આટલી મોટી રોજગારી પૂરી પાડતા આ સિરામિક ઉદ્યોગ પર હવે સંકટના વાદળો ઘેરાયા છે.
મોરબી સિરામિક ઉદ્યોગમાં ટાઈલ્સનું ઉત્પાદન કરવા માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ વપરાય છે. આ સિરામિક ઉદ્યોગ કોલગેસ આધારિત ઉદ્યોગ છે અને જો તેને બંધ કરવામાં આવશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ જ બંધ થઈ જાય તેવી ભીતિ છે અને તેની અસર ભારતના આર્થિક બજાર ઉપર પડી શકે છે. વર્ષોથી મોરબીના કોલસા આધારિત ગેસીફાયર પ્લાન્ટ માટે કોર્ટમાં વિવાદ ચાલતો આવે છે. છતાં મોરબીમાં કોલસા આધારિત પ્લાન્ટ ચાલુ રહ્યા છે. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નોટિસ ફટકારવાનું ચાલુ કર્યું છે.
આ અંગે મોરબી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કાણડીયાએ જણાવ્યું હતું કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે આપેલા આદેશના પગલે અમે મોરબીના નાના મોટા તમામ 925 જેટલા સિરામિક એકમોને તેમના એકમોની અંદર ચાલતા કોલગેસ (ગેસીફાયર) બંધ કરી દેવા ઓનલાઈન નોટિસો પાઠવવાનું શરૂ કર્યું છે. તમામને તાકીદ કરવામાં આવી છે કે, સાત દિવસમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. સાત દિવસ બાદ જો સિરામિક એકમો કોલગેસ પ્લાન્ટ ચાલુ રાખશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન સિરામિક ઉદ્યોગનું એક પ્રતિનિધિ મંડળ પોતાની સમસ્યા અને રજૂઆત લઈને ગાંધીનગર દોડી ગયાનું જાણવા મળે છે.
March 12, 2019
pubg.jpg
1min7130
સંલગ્ન કોલેજો, સંસ્થાઓમાંથી પણ આ દૂષણ કાઢવા તજવીજ: પ્રતિબંધ મુકતી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા પબજી ગેઈમ પર પ્રતિબંધ મુકાયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ પબજી ગેઈમ પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ગુજરાતમાં પબજી ગેઈમ પર પ્રતિબંધ મુકતી આ પહેલી યુનિવર્સિટી બની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે કુમળા અને યુવા માનસ પર આ ગેઈમનો દુપ્રભાવ પડે છે. આ રમત તેમને ઘાતક બનવા પ્રેરે છે. બાળક અને યુવાનો તેમાં રચ્યાપચ્યા રહે છે. અને આ રીતે પબજી ગેઈમ બાળકો-યુવાનોના વિકાસને કુંઠીત કરે છે. છેવટે ગેઈમ રમનારા આક્રમક બની જાય છે. આવું ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પબજી ગેઈમ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે હાલમાં આ પ્રતિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં મુકાયો છે. તેમજ આ મામલે યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો, સંસ્થાઓના આચાર્યો સાથે આ વાતચીત કરાશે. જો સર્વસંમતિ સધાશે તો સંલગ્ન દરેક સંસ્થા-કોલેજોમાં પણ પબજી પર પ્રતિબંધ મુકવામાં આવશે.
March 12, 2019
cvigil.png
2min8480

રાજકીય પક્ષો આચારસંહિતાનો ભંગ ન કરે તે માટે ખાસ સી વ્હિજિલ નામની ઍપ બનાવવામાં આવી છે, જેના પર નાગરિકો ફરિયાદ નોંધી શકે છે. ચૂંટણી પંચનો આ પ્રયોગ સફળ થયો છે અને અત્યાર સુધીમાં રાજ્યભરમાં 717 ફરિયાદ આ ઍપ પર નોંધાઈ છે, જેમાંથી 294 ફરિયાદમાં તથ્ય જણાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઍપ પર મળેલી ફરિયાદોમાં પૉસ્ટર અને બૅનર સંબંધની ફરિયાદો છે, જેમાં 36 ફરિયાદ યોગ્ય છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત દારૂ, પૈસા, પૅડ ન્યૂઝ, ધાર્મિક-સામાજિક ભાષણ, નિર્ધારિત સમય બાદ લાઉડસ્પીકરનો વપરાશ, લાઈસન્સ વિનાના વાહનોનો વપરાશ વગેરેની ફરિયાદો પણ મોટા પ્રમાણમાં છે.

રાજ્યમાં સૌથી વધારે સંખ્યામાં ફરિયાદો પુણેમાં 133 થઈ છે. તે બાદ થાણે 68, સોલાપુર 61, મુંબઈ ઉપનગર 45, જ્યારે મુંબઈ શહેર 41 ફરિયાદ દાખલ થઈ છે. આ ઉપરંત નાગપુરમાં 30, નાંદેડમાં 36, પાલઘરમાં 24 ફરિયાદ કરવામાં આવી હતી. અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ આચારસંહિતા ભંગની ફરિયાદો થઈ છે, પરંતુ શહેરમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય, ફરિયાદોની સંખ્યા વધારે છે. આચારસંહિતાનો ભંગ થતો લાગે તેવા ફોટા અથવા બે કે ત્રણ મિનિટનો વીડિયો ઍપ પર પૉસ્ટ કરવાનો હોય છે. આ ઍપ પર ફરિયાદી પોતાની ઓળખ છુપાવી શકે છે, તેથી નાગરિકો નિર્ભય થઈને ફરિયાદ કરી શકે છે.

સી વ્હિજિલ મોબાઈલ ઍપ ગુગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલૉડ કરી શકાય છે. તેમાં ફરિયાદ કર્યા બાદ દોઢ કલાકમાં જ ફરિયાદની સ્થિતિ શું છે, તે જણાવવામાં આવે છે.

ફેમિલી ફર્સ્ટ નહીં, ઈન્ડિયા ફર્સ્ટ : મોદી Blog

લોકસભા ચૂંટણીનાં પ્રચાર અભિયાનમાં તપી ગયેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપનાં સિલસિલામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખીને કોંગ્રેસ ઉપર કટોકટીથી માંડીને સીબીઆઈ, આંતરિક રાજકારણથી લઈને વંશવાદ સુધી ધગધગતા પ્રહારો કર્યા હતાં. મોદીએ પોતાનાં બ્લોગમાં લખ્યું હતું કે 2014માં દેશની જનતાએ વંશવાદ સામે પ્રમાણિકતા અને દૂષણ સામે વિકાસને પસંદગી આપી હતી. પોતાની સરકાર ફેમિલી ફર્સ્ટનાં સ્થાને ઈન્ડિયા ફર્સ્ટની નીતિથી કામ કરતી હોવાનું પણ મોદીએ ઉમેર્યુ હતું.

પોતાના લેખમાં મોદીએ સંસદ, સંવિધાન, સરકારી સંસ્થાન, સેના વગેરેનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, કોંગ્રેસના કાર્યકાળમાં તેનો દુરુપયોગ અને અપમાન કર્યું. મોદીએ એમ પણ કહ્યું છે કે કોંગ્રેસે તો સેનાને પણ હંમેશા કમાણીનું સાધન સમજી છે. દેશની સંસ્થાઓને નબળી કરી નાખી હતી.

ત્યારબાદ પીએમએ પોતાના કાર્યકાળમાં ચલાવેલી વિભિન્ન યોજનાઓનો ઉલ્લેખ કર્યો. મોદીના મતે સ્વચ્છતાનો દાયરો 2014મા 38 ટકા હતો તે આજે 98 ટકા થઇ ચૂકયો છે. આ સિવાય તેમણે ડાયરેકટ બેનિફિટ, લોન મેળવામાં સુવિધા, પછાત વર્ગ માટે ચલાવામાં આવેલી વિભિન્ન યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે.

મોદીએ આગળ લખ્યું કે, પ્રેસની સ્વતંત્રતા પર પહેલાં પ્રહારો યુપીએના શાસનકાળમાં પણ જોવા મળ્યા. લેખમાં લખ્યું, યુપીએ સરકાર કાયદાને લઇને આવી હતી તે મુજબ જો તમે કંઇ પણ અપમાનજનક પોસ્ટ કરો તો તમને જેલમાં નાંખી દેવાશે. મોદી આગળ લખે છે કે ઇમરજન્સી લઇ કોંગ્રેસે સંવિધાન અને કોર્ટનું અપમાન કર્યું હતું.

પીએમે આગળ લખ્યું કે યુપીએ સરકાર સીબીઆઈ, આઇબી અને રૉ જેવી સંસ્થાઓનો સમય-સમય પર દુરૂઉપયોગ કરતી રહી. તેમણે લખ્યું કે યુપી શાસનના સમયે સીબીઆઈ કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બની ગઈ હતી. તેમણે આગળ મોદી યોજના પંચનો ઉલ્લેખ કરતાં લખ્યું છે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતાની એક ટિપ્પણીમાં આયોજન પંચને વિદૂષકોનો સમૂહ ગણાવી નાખ્યું હતું. એ સમયે યોજના પંચના ઉપાધ્યક્ષ ડૉ.મનમોહન સિંહ હતા.

પીએમે સેનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે કોંગ્રેસે હંમેશા રક્ષા ક્ષેત્રને કમાણીના એક સ્ત્રોત તરીકે જોયું છે. આ જ કારણ છે કે આપણા સશસ્ત્ર બળોને કયારેય કોંગ્રેસ પાસેથી એ સમ્માન ના મળ્યું, જેના તેઓ હકદાર હતા.

આને કહેવાય પરિવર્તન! ચાયવાલા ચૌકીદાર બન્યા

ભાજપના ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાનની ઉત્તર પ્રદેશમાં મજાક કરતા માયાવતીએ જણાવ્યું હતું કે ચાયવાલા વડા પ્રધાન હવે ચૌકીદાર બન્યા અને આ આને એમની સરકારે લાવેલું પરિવર્તન કહેવાય.

વિરોધપક્ષ તરફથી માયાવતીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ભાજપે ‘મૈં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન શરૂ કર્યા બાદ પીએમ મોદી અને અન્યોએ પોતાના ટ્વિટર હેન્ડલની આગળ ચૌકીદાર શબ્દ ઉમેર્યો છે. પાછલી ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી ચાયવાલા હતા, પણ હવે તેઓ ચૌકીદાર બની ગયા છે.

ભાજપના શાસન હેઠળ ભારતમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે. શાબાશ!

એમના સાથી પક્ષ સપાના પ્રમુખ અખિલેશ યાદવે રાફેલ સોદાના સંદર્ભમાં કટાક્ષ કરતા સવાલ કર્યો હતો કે શું મંત્રાલયમાંથી ચોરાયેલી ફાઇલ માટે જવાબદાર ચૌકીદારને સજા થઇ? અખિલેશે મંગળવારે પોતાની ટ્વીટની આગળ ‘વિકાસ પૂછ રહા હૈ’નું કેપ્શન લગાવીને ભાજપના 2014ના વિકાસલક્ષી પ્રચાર પર કટાક્ષ કર્યો હતો.

મોદીના મંત્રી ગિરિરાજનો ‘બાગી’ મિજાજ : ચૂંટણી નવાદાથી જ લડીશ

ભાજપે પોતાની બેઠક સાથીઓને આપી દીધા પછી કેન્દ્રીય પ્રધાને બતાવી નારાજગી
પટણા, તા. 18:ચૂંટણી માટે બિહારમાં ઘમાસાણ વચ્ચે એનડીએ જોડાણે બેઠક વહેંચણીની ઘોષણા સાથે એવો સંકેત ભલે આપ્યો છે કે, સાથી પક્ષોમાં કોઈ જાતનો અસંતોષ નથી, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજસિંહે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.

મોદી સરકારના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મક્કમપણે જણાવ્યું હતું કે હું ચૂટણી લડીશ તો માત્ર નવાદા બેઠક પરથી જ લડીશ.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપે પોતાના બે મોટા નેતા શાહનવાઝ હુસેન અને ગિરિરાજસિંહની બેઠક પણ સહયોગીઓને આપી દીધી હતી.
આ નિર્ણયોની પ્રતિક્રિયામાં ગિરિરાજસિંહે સોમવારે કહ્યું હતું કે, આ અંગે હું કંઈ કરી શકું નહીં. પ્રદેશ પ્રમુખ જ કરી શકે. પરંતુ મારી પોતાની વાત કરું તો ચૂંટણી લડીશ તો માત્ર નવાદા બેઠક પરથી જ, તેવું તેમણે ઉમેર્યું હતું.

 

વડા પ્રધાન મોદી સામે ઉમેદવારી કરવા આતુર ભીમ સેનાના ચંદ્રશેખર

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણ વડા પ્રધાન મોદી સામે વારાણસી લોકસભા બેઠક પર ઊભા રહી શું સાબિત કરવા માગે છે તે બાબતમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. પોતાની પ્રથમ ચૂંટણીમાં યુવાન દલિત નેતા હારશે તે નિશ્ર્ચિત છે છતાં સૌથી શક્તિશાળી નેતા અને દેશના વડા પ્રધાન સામે ઊભા રહી તે દલિત રાજનીતિમાં મોટા નામ તરીકે ઊભરવા માગે છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

વારાણસીમાં ઉમેદવારી કરી તે યુવાન દલિતો અને મુસ્લિમ મતદારોમાં માયાવતીના સંભવિત વિકલ્પ તરીકે પોતાનો દાવો નોંધાવી રહ્યા છે.વારાણસી બેઠકમાં ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ૫,૮૧,૦૨૨ મત મળ્યા હતા, જયારે અરવિંદ કેજરીવાલને ૨,૦૯,૨૩૮ મત મળ્યા હતા. આગામી ચૂંટણીમાં ચંદ્રશેખર મોદીને નુકસાન પહોંચાડી શકે કે નહીં તે બાબતમાં કાશી હિન્દુ વિશ્ર્વ વિદ્યાલય (બનારસ હિંદુ યુનિવર્સિટી) છાત્રસંઘના અધ્યક્ષ રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અનિલ શ્રીવાસ્તવ કહે છે કે ચંદ્રશેખરને કયો પક્ષ સમર્થન આપે તે પરથી નક્કી થશે.

જો બધા વિપક્ષી નેતા એક જ ઉમેદવાર ઊભો રાખે તો ચૂંટણીજંગ રસપ્રદ બની જશે. વારાણસીના વરિષ્ઠ પત્રકાર વશિકરના અભિપ્રાય પ્રમાણે વડા પ્રધાન મોદીએ ઘણાં વિકાસ કાર્ય શરૂ કરાવ્યા છે પણ બનારસની પ્રજા ખુશ થઈ તેમની તરફેણમાં ભારે મતદાન કરે તેવી સંભાવના નથી. આ બેઠક પરથી મોદી જ જિતશે પણ ૨૦૧૪ની સરખામણીમાં તેમને ઓછા મત મળી શકે છે. કાશીમાં અભ્યાસ કરી રહેલા એક અનુસૂચિત જાતિના વિદ્યાર્થી કહે છે કે, વારાણસીના દલિતોમાં માયાવતીનો પ્રભાવ વધુ છે, જયારે ચંદ્રશેખર વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે. હવે ચંદ્રશેખર ડિપોઝિટ બચાવી શકશે કે નહીં તે અન્ય પક્ષોના વલણ પર નિર્ભર કરે છે.

‘મૈં ભી ચોકીદાર હું’ મોદીનું નવું સૂત્ર ઘર-ઘરમાં ચર્ચાયું

પોતાના ટેકેદારોને ‘ મૈ ભી ચોકીદાર હું ’ના શપથ લેવાની વિનંતી વડા પ્રધાન નરેન્દ્ર્ર મોદીએ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણની લડાઇમાં તેઓ એકલા નથી.

મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તમારો ચોકીદાર સતર્કતાથી ઊભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પણ હું એકલો નથી. દરેક વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, સામાજિક દુષણો અને કચરા સામે લડી રહ્યા છે, એ બધા જ ચોકીદારો છે. ભારતના વિકાસ માટે સખત મહેનત કરી રહેલી દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે દરેક ભારતીય બોલી રહ્યો છે કે ‘ મૈ ભી ચોકીદાર હું ’.

પોતાના સંદેશ સાથે એમણે એક નાનકડો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જોકે, આ વાત કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ગળે નહોતી ઊતરી અને

એણે થોડીવાર પછી મોદીને વખોડતા ટ્વિટર પર જણાવ્યું હતું કે સંરક્ષણાત્મક ટ્વિટ મિ. મોદી. આજે તમે થોડાક દોષી લાગી રહ્યા છો. આ સાથે રાહુલે મોદીના વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી, અનિલ અંબાણી અને ગૌતમ અદાણી સાથેના ફોટા પોસ્ટ કર્યા હતા.

રાહુલ સતત મોદી પર ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો અને રાફેલ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ કર્યા કરે છે તથા મોદીને ચોકીદાર તરીકે સંબોધીને ચોકીદાર ચોર હૈનો સૂત્રોચ્ચાર કરતો રહે છે.

રાહુલે ફરી એકવાર હિંદીમાં ટ્વિટ કરતા જણાવ્યું હતું કે જે રૂ. ૧૦ લાખનો સૂટ પહેરે છે અને મોદી-મેહુલ-માલ્યા જેવા બૅંકને લૂંટનારાને મદદ કરે છે, જે પ્રચાર માટે અને ૮૪ દેશમાં ફરવા માટે જનતાના કરોડો રૂપિયો વેડફે છે, જેણે રાફેલ સોદામાં કરોડો રૂપિયા લૂંટવામાં મદદ કરી એ એક જ ચોકીદાર ચોર છે.

 

મોદી હૈ તો મુમકિન હૈ: ભાજપનું નવું સૂત્ર

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષે “મોદી હૈ તો મુમકિન હૈ એટલે કે મોદી અશક્યને શક્ય બનાવે છે તેવો ભાવાર્થ ધરાવતું સૂત્ર પસંદ કર્યું છે.

નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં દિવસના ૨૪ કલાકમાંથી વધુમાં વધુ કલાક થાક્યા વગર પરિશ્રમ કરનારા વડા પ્રધાન મોદીએ કોઈ પણ મુશ્કેલ કાર્ય કરી શકાય છે તેવું દર્શાવ્યું છે.

“એજન્ડા ૨૦૧૯-ચોથો ભાગ બ્લોગપોસ્ટમાં જેટલીએ કહ્યું કે જટિલ મામલાઓમાં પણ સ્પષ્ટતા અને ઝડપભેર નિર્ણય લેવાની ક્ષમતા દેખાડી મોદીએ દર્શાવ્યું છે કે તે કોઈ પણ વિષય ઝડપભેર સમજી લેતા હોય છે. ૨૦૧૯ ચૂંટણી માટેના ભાજપના પબ્લિસિટી ડિવિઝનના ઈનચાર્જ અરુણ જેટલીએ કહ્યું કે “મોટા ભાગના ભારતીય હવે સમજે છે કે મોદી કોઈ પણ કાર્ય કરી શકે છે. ઝડપભેર નિર્ણય લઈ અમલીકરણ કરવાની ભારતની ક્ષમતાથી ભારતનો અભ્યાસ કરી રહેલા વિશ્ર્વભરના નિષ્ણાતો આશ્ર્ચર્યચકિત થઈ રહ્યા છે.

સતત પાંચ વર્ષ ભારતનું અર્થતંત્ર વિશ્ર્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની શક્યું છે તેવું પ્રથમ વાર બન્યું છે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે નેતૃત્વ, નિર્ણાયક ક્ષમતા, પ્રમાણિકતા અને કરેલા કાર્યોના આધારે વડા પ્રધાન મોદીને સમર્થન આપવાની પ્રજાને આગામી ચૂંટણીમાં તક મળશે.

“શું કોઈ સરકારે આટલું બધું કામ કર્યું છે? તે જ સરકારી તંત્ર, તે જ રાજકીય માળખું, સરકાર પાસે અમલીકરણનું તે જ સંસાધન તેમ છતાં ઘણું કામ કરી શકાયું છે. પ્રેરણાત્મક નેતૃત્વના લીધે આ શક્ય બન્યું છે.

૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈક અને ૨૦૧૯ની એરસ્ટ્રાઈકે ત્રાસવાદને તેના મૂળ સ્થાન પર જ ઘા કરવાની બિનપારંપરિક પદ્ધતિ ભારતે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં અપનાવી છે.

 

મતદાન જાગૃતિ માટે મોદીએ સંખ્યાબંધ Tweet કર્યા

આગામી ચૂંંટણીમાં ભારે મતદાન કરાવવા પ્રજાને પ્રોત્સાહિત કરવાની અપીલ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રની પ્રતિષ્ઠિત, લોકપ્રિય અને પ્રભાવશાળી વ્યક્તિઓને કરી હતી. તેમણે મતદાનને અતિ મહત્ત્વની ફરજ ગણાવતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, રતન તાતા અને પીવી સિંધુને વધુમાં વધુ મતદાન કરાવવા પ્રેરિત કરવાની જાહેર વિનંતી કરી હતી. સંખ્યાબંધ ટ્વીટ દ્વારા અને એક બ્લોગમાં મોદીએ લખ્યું હતું કે “મતદાન કરવું એ રાષ્ટ્રના વિકાસના માટે મહત્ત્વનું યોગદાન છે. પ્રજાજનો મત આપી રાષ્ટ્રના સ્વપ્ન અને આકાંક્ષાઓ સાથે પોતાને જોડી શકે છે. સમાજના વિવિધ વર્ગ જેમાં રાજકારણ, ઉદ્યોગ, મીડિયા, ફિલ્મ, સ્પોટ્ર્સ, સમાજસેવા વિગેરેના અગ્રણીઓને મતદાન વિષે જનજાગૃતિ ફેલાવવા તેમણે વિનંતી કરી છે.

રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, એમ. કે. ફટાલિન જેવા રાજકારણીઓને, મોહનલાલ, નાર્ગાજુન જેવા ફિલ્મસ્ટારોને તેમણે અપીલ કરી હતી.

વિનીત જૈન, સંજય ગુપ્તા, અરુણ પૂરી જેવા મીડિયા માંધાતાઓને અને પીટીઆઈ, એએનઆઈ જેવી એજન્સીઓને ટેગ કરતા તેમણે કહ્યું કે, “લોકશાહીમાં મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને લોકોના મનમાં ઊંડો પ્રભાવ ધરાવે છે.

મોદીએ કહ્યું કે, “શું તમે એવા સંજોગ ઈચ્છો છો કે દેશમાં કંઈક બને જે તમને ગમે નહીં અને તમે વિચારવા મજબૂર બનો છો કે હું તે દિવસે મત આપવા ન ગયો હોવાથી આવી વિકટ પરિસ્થતિ ઊભી થઈ છે અને દેશ મુસીબતમાં મુકાયો છે.

યુવાવર્ગને વિશેષ ધ્યાનમાં રાખી વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 21મી સદીમાં જન્મેલાઓ પ્રથમ વાર પોતાનો મત આપી શકશે. આથી 2019 ચૂંટણી તેમને માટે વિશેષ છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે “હું આશા રાખું છું કે જે પાત્ર યુવાનોને હજી મતદાન માટે નોંધણી કરાવી નથી તેઓ નોંધણી કરાવશે અને મત આપી આપણી લોકશાહીને સમૃદ્ધ કરશે. પાત્ર યુવાનો નોંધણી કરાવી શકે તે માટે તેમણે લિંક પણ શેર કરી હતી. વધુ મતદાન એટલે મજબૂત લોકશાહી અને મજબૂત લોકશાહી એટલે વિકસિત ભારત તેવું તેમણે કહ્યું હતું.

તેમણે બ્લોકમાં લખ્યું કે, “કેટલાક રાજ્યોમાં અને કેન્દ્રમાં યોજાયેલી છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભારે મતદાન નોંધાયું છે. આ પ્રોત્સાહજનક પ્રવાહ ચાલુ રાખવો જોઈએ અને તે માટે હું 2019 લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા મારા દેશવાસીઓને વિનંતી કરું છું.વડા પ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં ન થયું હોય તેટલા મોટા પ્રમાણમાં આગામી ચૂંટણીમાં મતદાન થશે. 11મી એપ્રિલથી લોકસભાની ચૂંટણી શરૂ થશે અને સાત તબક્કામાં ચાલશે. 11મી એપ્રિલ, 19 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ વિવિધ વિસ્તારમાં તબક્કાવાર મતદાન થશે. 23મી મેના દિવસે પરિણામ જાહેર થશે.

ફેસબૂક પર ફેબ્રુઆરી 19માં ભાજપે રૂ.2.37 કરોડની જાહેરાતો કરી

  • ભાજપ અને સહયોગી પક્ષોએ ફેબ્રુઆરીમાં ફેસબૂક પર રાજકીય વિજ્ઞાપન પાછળ ₹2.37 કરોડનો ખર્ચ કર્યો
  • પ્રાદેશિક પક્ષોએ ₹19.8 લાખ
  • કોંગ્રેસ અને સહયોગી પક્ષોએ લગભગ ₹10.6 લાખનો ખર્ચ કર્યો

(Symbolic Photo)

હજુ તો ચૂંટણી પ્રચારની ધીમેધીમે શરૂઆત થઈ રહી છે. જોકે, ફેસબૂક પર એડ્ ખર્ચની બાબતમાં ભાજપ અત્યારથી અન્ય રાજકીય પક્ષોની તુલનામાં ઘણો આગળ નીકળી ગયો છે. ફેબ્રુઆરીમાં ફેસબૂક પરના કુલ એડ્ ખર્ચમાં ભાજપ અને સહયોગી પક્ષોનો હિસ્સો 50 ટકા છે. જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો ત્રીજા નંબરે છે. રસપ્રદ વાત એ છે કે, ફેસબૂક પરના એડ્ ખર્ચમાં પ્રાદેશિક પક્ષોએ બીજું સ્થાન મેળવ્યું છે.

એડ્ ખર્ચની ગણતરીમાં સહયોગીઓનો આંકડો નક્કી કરતી વખતે પક્ષના સભ્યો, મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપના ચૂંટણીપ્રચાર સાથે સંકળાયેલા નેતાઓએ જણાવ્યું હતું કે, ચૂંટણીપ્રચાર પૂરો થશે ત્યાં સુધીમાં પક્ષના કુલ એડ્ ખર્ચમાં સોશિયલ મીડિયાનો હિસ્સો લગભગ 20-25 ટકા રહેશે.

ભાજપ અને સહયોગી પક્ષોએ ફેબ્રુઆરીમાં ફેસબૂક પર રાજકીય વિજ્ઞાપન પાછળ ₹2.37 કરોડનો ખર્ચ કર્યો છે. જેની તુલનામાં પ્રાદેશિક પક્ષોએ ₹19.8 લાખ તેમજ કોંગ્રેસ અને સહયોગી પક્ષોએ લગભગ ₹10.6 લાખનો ખર્ચ કર્યો છે.

ફેસબૂક પર નોંધપાત્ર એડ્ કરનારા પ્રાદેશિક પક્ષોમાં બીજુ જનતા દલ, NCP, TDP, YSR કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાનો સમાવેશ થાય છે. બ્રાન્ડ કન્સલ્ટન્ટ હરીશ બીજૂરે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયાનો આ એડ્ ખર્ચ માત્ર ટ્રેલર છે. ભાજપ માર્કેટિંગને ખાસ્સું મહત્ત્વ આપે છે. તેઓ બ્રાન્ડ બિલ્ડિંગ અને સોશિયલ મીડિયામાં માને છે.”

શરદ પવારનો યુ-ટર્ન : લોકસભાની ચૂંટણી લડશે નહીં

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એવી સ્પષ્ટતા કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી માઢામાંથી લડશે નહીં.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એવી સ્પષ્ટતા કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી માઢામાંથી લડશે નહીં. તાજેતરમાં એવી ચર્ચા હતી કે શરદ પવાર વિજયસિંહ મોહિતે-પાટીલને હટાવી જાતે માઢામાંથી ચૂંટણી લડશે.

મને ઘણા લોકોએ આગ્રહ કર્યો કે હું માઢામાંથી ચૂંટણી લડું એમ જણાવતાં શરદ પવારે કહ્યું હતું કે ‘જોકે હજી મેં કોઈ ઉમેદવારી નોંધાવી નથી. મારા કાર્યકાળમાં મેં ૧૪ ચૂંટણીઓ લડી છે તો તમને લાગે છે કે ૧૫મી ચૂંટણી મને રોકી શકે છે?’

શરદ પવારના ભત્રીજાના દીકરા પાર્થ પવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવા બાબતે ચાલી રહેલી ચર્ચા પર ટિપ્પણી કરતાં શરદ પવારે કહ્યું હતું કે ઘણા લોકો મને પાર્થની માવળથી ઉમેદવારી વિશે પણ પ્રશ્ન પૂછી રહ્યા છે.

March 12, 2019
congress.jpg
1min9520

58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અમદાવાદના સરદાર નેશનલ મેમોરિયલ ભવનમાં આ બેઠક મળી રહી છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી.

આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની દિશા નક્કી થશે. બેઠક પહેલા દાંડી માર્ચની જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કોંગ્રેસના નેતાઓ જોડાયા. બેઠક બાદ ગાંધીનગરના અડાલજમાં જય કિસાન જય જવાનના બેનર નીચે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પાટીદારના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે.

અમદાવાદના આંગણે સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા વાડરા-ગાંધી તેમજ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓનો કાફલો મંગળવારે  સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. અહીંથી તેઓ સાબરમતી ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. બાદમાં સરકાદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

 

March 11, 2019
parliament-election.jpg
1min9060

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત એક બિઝનેસ સિટી છે અને વ્યાપારીઓ વાત વાતમાં બે-પાંચ લાખની રોકડ લઇને ફરતા હોય છે. વેપારી વર્ગમાં એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી કે ચૂંટણી આચારસંહિતામાં ફકત રૂ.50 હજાર સુધીની રકમની જ હેરફેર થઇ શકે છે. પરંતુ, આ ગેરમાન્યતા છે. સુરતના બિનરાજકીય સામાન્ય વ્યક્તિ, વેપારી, ધંધાર્થી રૂ.10 લાખ સુધીની રોકડ રકમ સાથે લઇને ફરી શકશે. એવી સ્પષ્ટતા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ આજે પત્રકાર પરિષદમાં કરી હતી.

  • રાજકીય પક્ષ ઉમેદવાર સાથે સંકળાયેલા વ્યક્તિ રૂ.50 હજારની મર્યાદામાં રોકડ રાખી શકશે
  • બિનરાજકીય સામાન્ય વ્યક્તિ રૂ.10 લાખ સુધીની રોકડ રાખી શકશે, રૂ.10 લાખથી વધુ રકમ હશે તો ચૂંટણી તંત્ર ઇન્કમટેક્સ વિભાગને જાણ કરશે

સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા (મોડર્ન કોડ ઓફ કન્ડક્ટ) લાગૂ થઇ ગયા પછી સુરતના વ્યાપારીઓ, ધંધાર્થીઓમાં એવી દહેશત હતી કે રૂ.50 હજાર કે તેનાથી વધુની કેશ (રોકડ રકમ)ની હેરફેર નહીં થઇ શકે. પરંતુ, આ બાબતમાં મહત્વની સ્પષ્ટતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડો.ધવલ પટેલએ જણાવ્યું હતું કે રૂ.50 હજાર કે તેથી વધુ રકમની કેશ હેરફેરનો નિયમ ફક્ત રાજકારણ સાથે, રાજકીય પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની સામે ચૂંટણી પંચના કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. જો કોઇ બિનરાજકીય, સામાન્ય વ્યક્તિ હોય, કોઇ પાર્ટી કે ઉમેદવાર સાથે સંકળાયેલ ન હોય તેવી વ્યક્તિઓ રૂ.10 લાખ સુધીની રોકડની હેરફેર કરી શકશે. રૂ.10 લાખથી વધુની રોકડ સામાન્ય, બિનરાજકીય વ્યક્તિ પાસેથી મળી આવશે તો તેની જાણ ઇન્કમટેકસ વિભાગને કરવામાં આવશે.

  • ચૂંટણી આચારસંહિતાની ફરીયાદ માટે cVIGIL નામની એપ્લિકેશન

અગાઉની ચૂંટણીમાં વિવિધ ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા થતી આચારસંહિતા ભંગની ફરીયાદો માટે લેખિત સ્વરૂપનો આગ્રહ રાખવામાં આવતો હતો. કાગજકીય કાર્યવાહીને પગલે આચારસંહિતાના ભંગની ફરીયાદો થતી ન હતી કે વિલંબમાં મૂકાતી હતી.  આ વખતે ચૂંટણી પંચે સી.વિજિલ (cVIGIL) નામની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે. કોઇપણ સામાન્ય વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ પર ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરીને જો તેમને ક્યાંય કોઇપણ પ્રકારે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ દેખાય તો તેના પર ફોટો, વિડીયો અપલોડ કરીને ઓનલાઇન ફરીયાદ કરી શકશે અને ચૂંટણી પંચ તમામ ફરીયાદ પર તાત્કાલિક ફોલોઅપ કરશે.

  • 1950 નંબરની ટેલિફોનિક હેલ્પલાઇન સામાન્ય લોકો માટે

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. ધવલ પટેલએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે સામાન્ય લોકો, મતદારોમાં ચૂંટણી લક્ષી કોઇપણ પ્રકારની માહિતી જેવી કે મતદારયાદી, મતદાન મથક વગેરે જાણકારી માટે ટેલિફોનિક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક હેલ્પલાઇન નો નંબર 1950 છે. કોઇપણ વ્યક્તિ તેના પરથી ચૂંટણીની માહિતી લઇ શકશે.

 

March 11, 2019
abhyam.jpeg
1min18380
  • આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.
  • આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
  • રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.
  • ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
  • મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે.
  • રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે.
  • આ એપ સ્માર્ટ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇઓએસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાતની દરેક મહિલાઓ, યુવતિઓએ પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં અભયન 181 વુમન હેલ્પ લાઇનની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી જોઇએ. અભયમ 181 વુમન હેલ્પલાઇન એટલી જોરદાર મોબાઇલ એપ્લિકેશન છે કે કોઇપણ મહિલા, યુવતિ, કિશોરી કોઇપણ પ્રતિકૂળ સંજોગો, ઇમરજન્સી, કટોકટીની સ્થિતિમાં હોય અને અભયમ હેલ્પલાઇન એપ્લિકેશન પરથી થી 181 પર કોલ કરી દે એટલે જે તે મહિલા, યુવતિનું કરન્ટ લોકેશન સાથેની વિગતો અભયમ હેલ્પલાઇનના કન્ટ્રોલ રૂમને મળી જાય છે અને ગણતરીની મિનીટોમાં 181 અભયમ હેલ્પલાઇન તરફથી સ્થળ પર મહિલાને સપોર્ટ મળી જાય છે. ગુજરાતમાં અંદાજે 51 હજારથી વધુ મહિલાઓ, યુવતિઓ, સ્કુલ ગર્લ્સ વગેરેએ આ અભયમ 181 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખી છે.

મોબાઇલ એપ્લિકેશ  અભયમ 181 ડાઉનલોડ કર્યા બાદ જે તે મોબાઇલ નંબર અને અન્ય વિગતો સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે. આકસ્મિક સંજોગોમાં મહિલાઓ, યુવતિઓ, વિદ્યાર્થિનીઓને આ મોબાઇલ એપ અભયમ 181 ખૂબ જ ઉપયોગી નિવડી ચૂકી છે.

ગુજરાત સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ ૧૮૧ અભયમ મોબાઇલ એપ જીવીકે ઇએમઆરઆઇના સહયોગથી વિકસાવવામાં આવી છે.

  • મોબાઇલ એપમાં સમાવિષ્ટ બાબતો
  • ૧૮૧ એપ વેબસાઇટ તેમ જ ગૂગલ પ્લેસ્ટોર અને એપસ્ટોર IOS પર ઉપલબ્ધ રહેશે.
  • સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.
  • મોબાઇલ શેકિંગ કરતા (જોરથી હલાવતાં) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.
  • મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તરત જ ગૂગલના નકશામાં લેટ લોંગ (“Lat-Longs”) સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સિલર દ્વારા ઘટનાસ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરુરિયાત મુજબ રેસ્કયુકાર્ય થશે.
  • આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસ્કયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લિકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમનાં સગાં વ્હાલાને ત્વરિત મોકલી શકાશે જેથી મહિલાને શોધવાના સમયનો બચાવ થશે.
  • મહિલા ઘટનાસ્થળના ફોટો અને વિડીયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.
  • મહિલા ઘટનાસ્થળ વિશે માહિતી આપી શકે તેમ ન હોય તો પેનીક બટન દબાવતા ઘટનાસ્થળની એપ્લિકેશનના માધ્યમથી માહિતી હેલ્પલાઇનને પહોચી જશે.
  • એપમાં 181 બટન દબાવતાંની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક SMSથી સંદેશ મળી જશે.
  • એપ્લિકેશન થકી કોલ કરનાર મહિલાના ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે જેમાં તેનું (૧) કોલનું સ્થળ (ર) SDR ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોધાયેલ એડ્રસ (૩) એપ્લિકેશન રજિસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રસ.
  • આ બધી જ માહિતી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાને ત્વરિત રેસકયૂ કરવામાં હેલ્પલાઇન સેન્ટરને ઉપયોગી પુરવાર થશે.

આ એપની ડાઉનલોડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 51876 મહિલાઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશનના ઉપયોગથી કોલ કરનારનું ચોક્કસ સ્થળ ગુગલ મેપના માધ્યમથી રિસ્પોન્સ સેન્ટરને મળી જાય છે અને તત્કાળ મુશ્કેલીમાં રહેલી મહિલા કે યુવતીને મદદ માટે રેસ્કયુવાન મોકલવામાં આવે છે. એપ્લિકેશન દ્વારા ઘટના સ્થળના ફોટા કે વીડિયો પણ અપલોડ કરીને મોકલી શકાય છે. ચોક્કસ સ્થળ વિશે કોઇ મહિલા માહિતી આપી શકે તેમ ના હોય તો  પેનિક બટનનો ઉપયોગ કરીને પણ મહિલા મદદ મેળવી શકે છે.

March 11, 2019
epf_logo.jpg
1min13720

ઍમ્પ્લોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન-ઈપીએફઓના ગ્રાહકોએ આવનારા નાણાકીય વર્ષથી નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ કરવો નહીં પડે એમ જણાવતાં શ્રમ ખાતાએ કહ્યું હતું કે આ પ્રક્રિયાને હવે ઑટોમેટિક બનાવી દેવામાં આવશે.

યુનિવર્સલ અકાઉન્ટ નંબર (યુએએન) હોવા છતાં હાલ ઈપીએફઓના ગ્રાહકોએ નોકરી બદલતી વખતે ઈપીએફ ટ્રાન્સફર ક્લેમ ફાઈલ કરવો પડે છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દર વરસે ઈપીએફઓને ઈપીએફ ટ્રાન્સફર ક્લેમની આઠ લાખ જેટલી અરજી મળે છે. હાલ ઈપીએફઓ આ યંત્રણાનું પરીક્ષણ કરી રહ્યું છે. આવતા વરસે ગમે ત્યારે ગ્રાહકો માટે આ સુવિધાનો આરંભ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પેપરલેસ સંસ્થા બનવાનું લક્ષ્ય સિદ્ધ કરવા ઈપીએફઓએ આ યંત્રણાનો અભ્યાસ કરવા સી-ડૅક સંસ્થાને રોકી છે. હાલ ૮૦ ટકા કામકાજ ઑનલાઈન થાય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર જે ક્ષણે નવો માલિક નવા કર્મચારીના યુએએન સહિત માસિક ઈપીએફ રિટર્ન ફાઈલ કરશે ત્યારે જ ઈપીએફનું યોગદાન અને તેના પરનું વ્યાજ ઑટોમેટિક ટ્રાન્સફર થઈ જશે.

March 11, 2019
parliament-election.jpg
1min10320

લોકસભા ચુંટણી 11 એપ્રીલથી 19 મે દરમ્યાન થશે અને 23 મે પરીણામ જાહેર થશે

ભારતમાં લોકસભા ચુંટણી 11 એપ્રીલ થી 19 મે દરમ્યાન થશે અને પરીણામ 23 મેના રોજ થશે.

ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન 23 એપ્રિલના રોજ થશે.

પ્રથમ તબક્કો : 11 એપ્રિલ 2019

પહેલું તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

આંધ્ર પ્રદેશ 23, અરૂણાચલ પ્રદેશ 2, અસમ 5, બિહાર 4, છત્તીસગઢ 1, જમ્મુ-કશ્મીર 2, મહારાષ્ટ્ર 7, મણિપુર 1, મેઘાલય 2, મિઝોરમ 1, નાગાલેન્ડ 1, ઓડિશા 4, સિક્કિમ 1, તેલંગાણા 17, ત્રિપુરા 1, યુપી 8, ઉત્તરાખંડ 5, પ.બંગાળ 2, અંડમાન એન્ડ નિકોબાર 1 અને લક્ષદિપ 1 સીટોમાં મતદાન થશે.

બીજો તબક્કો : 18 એપ્રિલ 2019

બીજા તબક્કામાં  રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

બીજા તબક્કામાં અસમ 5, બિહાર 5, છત્તીસગઢ 3, જમ્મુ કાશ્મીર 2, કર્ણાટક 14, મણિપુર 1, ઓડિશા 5, તમિલનાડુંના તમામ 39, ત્રિપુરા 1, ઉત્તર પ્રદેશ 8, પ.બંગાળ 3 અને પોંડિચેરીની 1 સીટ માટે 18 એપ્રિલના વોટીંગ થશે.

ત્રીજો તબક્કો : 23 એપ્રિલ 2019

ત્રીજા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ત્રીજા તબક્કામાં અસમમાં 4, બિહારમાં 5, છત્તીસગઠમાં 7, ગુજરાતમાં 26, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, કેરળમાં 20, મહારાષ્ટ્રમાં 14, ઓડિશામાં 6, યુપીમાં 10, પ.બંગાળમાં 5, દાદરનગર હવેલીમાં 1, દમન દીવમાં 1 સીટમાં 23 એપ્રીલના રોજ વોટીંગ થશે.

ચોથો તબક્કો : 29 એપ્રિલ 2019

ચોથા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

ચોથા તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 1, ઝારખંડમાં 1, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 17, ઉડીસામાં 6, રાજસ્થાનમાં 13, યુપીમાં 13, બંગાળમાં 8 સીટો માટે 29 એપ્રીલના રોજ મતદાન થશે.

પાંચમો તબક્કો : 6 મે 2019

પાંચમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

પાંચમાં તબક્કામાં બિહારમાં 5, જમ્મુ કાશ્મીરમાં 2, ઝારખંડમાં 4, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાનમાં 12, ઉ. પ્રદેશમાં 14 અને પ.બંગાળમાં 7 સીટો પર 6 મેના રોજ મતદાન થશે.

છઠ્ઠો તબક્કો : 12 મે 2019

છઠ્ઠા તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

છઠ્ઠા તબક્કામાં બિહારમાં 8, હરિયાણામાં 10, ઝારખંડમાં 4, મધ્યપ્રદેશમાં 8, ઉત્તરપ્રદેશમાં 14, પ. બંગાળમાં 8 અને દિલ્હીમાં તમામ 7 સીટો માટે 12 મેના રોજ મતદાન થશે.

સાતમો તબક્કો : 19 મે 2019

સાતમાં તબક્કામાં ક્યા રાજ્યોમાં કેટલી સીટોમાં મતદાન થશે

સાતમાં ચરણ માટે બિહારમાં 8, ઝારખંડમાં 3, પંજાપમાં 13, પ.બંગાળમાં 9, ચંદિગઢમાં 1, ઉત્તર પ્રદેશમાં 13 અને હિમાચલ પ્રદેશમાં 4 સીટો માટે 19 મેના રોજ મતદાન થશે.

મત ગણતરી : 23 મે 2019

NOTA નો વિકલ્પ

આજથી ચુંટણીની જાહેરાત થતા આચારસંહિતતા લાગુ થઇ ગઇ છે. ચુંટણી કમિશ્નરના જણાવ્યા પ્રમાણે જો આચારસંહીતાના નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાયદાકીય કાર્યવાહી થશે. લોકસભા ચુંટણી 2019માં વોટર પાસે NOTA નો વિકલ્પ રહેશે. તો ચુંટણી કમિશ્નરે કડક શબ્દોમાં કહ્યું હતું કે વોટીંગના 48 કલાક પહેલા લાઉડસ્પીકર નહી વગાડવામાં આવે. જો નિયમું ઉલ્લંઘન થશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

90 કરોડ લોકો આપશે મત : EC

ચુંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર 90 કરોડ લોકો આ વખતે મત આપવા જઈ રહ્યા છે. 18-19 વર્ષનાં 1.5 કરોડ મતદારો છે. ચુંટણી કમિશ્નર સુનીલ અરોડાએ વધુમાં જણાવ્યું કે બૂથ પર પાણી, શૌચાલય અને વીજળી જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં પણ NOTAનો ઉપયોગ થશે અને ત્યારે બૂથો પર EVMની સાથે VVPT પણ લગાડવામાં આવશે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

ચુંટણી પંચ સોશિયલ મીડિયા પ્રચાર પર રાખશે નજર

ચુંટણી કમિશ્નર એરોડાએ જણાવ્યું કે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે.

ચુંટણી પંચ દ્રારા 1950 હેલ્પલાઇન ચાલુ કરાઇ

ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે

આ રાજ્યોમાં વિધાનસભા ચુંટણી પણ યોજાશે

તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઓડિશામાં વિધાનસભાની ચુંટણીનું મતદાન લોકસભા ચુંટણીની સાથે જ થશે. તો જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને જોતા વિધાનસભાની ચુંટણી લોકસભા સાથે નહી થાય.