Slider Archives - Page 391 of 487 - CIA Live

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min494010

સુરત એરફોર્સમાં કામ કરી રહેલી સુરતની એક યુવતિએ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મિરમાં ભારતીય એરફોર્સએ કરેલા હુમલામાં મોટું યોગદાન આપ્યું હોવાની વહેતી થયેલી અફવા મોડી સાંજ સુધીમાં દાવાનળની જેમ ફાટી નીકળી હતી. અંતે સુરતની આ યુવતિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર ખુદ એક સ્પષ્ટતા કરવી પડી હતી કે તેણે કોઇપણ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધો નથી. આ યુવતિએ એવી યાચના કરવી પડી કે તેના નામથી કોઇપણ પ્રકારની અફવા ન ફેલાવવામાં આવે. એ પોતે કોઇ સ્ટ્રાઇક મિશનમાં ન હતી. ખોટા સંદેશાઓ નહીં પ્રસરાવવા માટે તેણે લોકોને અપીલ કરવી પડી હતી. એ યુવતિએ કહેવું પડ્યું કે તે બિમાર છે અને રજા પર છે.

ઉર્વિશા જરીવાળા નામની સુરતની યુવતિ હાલમાં ઇન્ડિયન એરફોર્સમાં એરગ્રાઉન્ડ સ્ટાફ તરીકે કાર્યરત છે અને તેના નામે આજે સવારથી જ ખોટા મેસેજ ફેલાવવાના શરૂ કરતા મોડી સાંજે ઉર્વિશા જરીવાળાએ તેના ફેસબુક હેન્ડલ પર આ રીતે સ્પષ્ટતા કરવી પડી હતી. જે અત્રે પ્રસ્તુત છે.

ઉત્સાહના અતિરેકમાં સુરતીઓએ ઉર્વિશા જરીવાળાના નામથી જે અફવાઓ ફેલાવી તેનાથી તેના પરિવારજનો, સગાસબંધીઓ સમેત અનેક લોકોએ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

 

February 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16410
શહીદ જવાનોના પરિવારના સહાયતાર્થે અભિનેતા અક્ષયકુમાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ‘ભારત કે વીર- એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું 28મી ફેબ્રુઆરીએ આયોજન
ભારત કે વીર જવાન નામની વેબસાઇટ પર શહીદ થનારા પ્રત્યેક ભારતીય વીર જવાનની સઘળી વિગતો, બેંક અકાઉન્ટ નંબર વગેરે દર્શાવેલા હોય છે, કોઇપણ નાગરિક તેમને આર્થિક સહાય કરી શકે છે, સુરતના હર્ષ સંઘવી અને તેમના સમર્થકો દ્વારા આવા વીર શહીદોના પરિવારજનો માટે હાલ સુરતમાંથી દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તા.28મી ફેબ્રુઆરી 2019ના વનિતા વિશ્રામ ખાતેના કાર્યક્રમમાં આવનારા લોકો પણ  ભારત કે વીર જવાન નામના ચેક સાથે આવી ને તેમનું યોગદાન આપી શકે છે.
વધુમાં સુરત ખાતે યોજાયેલા એક પત્રકાર પરિષદમાં સુરત મજૂરાના એમ.એલ.એ. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પુલવામા ખાતે શહીદ થયેલા આપણા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સુરતના આંગણે 28મી ફેબ્રુઆરીના રોજ ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલીવુડના કેસરી એવા અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના લોકપ્રીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં દેશપ્રેમ, દેશ ભક્તિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે.
આયોજન અંગે માહિતી આપતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માતૃભૂમિની રક્ષા કાજે જવાનો વિકટ પરિસ્થિમા પણ સીમા પર અડગ રહીને ફરજ બજાવે છે. એટલું જ નહી પણ માતૃભૂમિની રક્ષા માટે પ્રાણની આહૂતિ પણ આપી દે છે ત્યારે દેશવાસી તરીકે આપણી સૌની ફરજ બને છે કે સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. પુલવામામાં થયેલ આત્મઘાતી આતંકી હુમલાથી આપણે સૌ વિચલિત છે. સાથે જ ભારત સરકાર પણ આ હુમલાનો અનેક રીતે જડબાતોઙ જવાબ આપી રહી છે. ત્યારે શહીદ જવાનોના પરિવારોના સહાયતાર્થે સુરત ખાતે 28મી ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ‘ભારત કે વીર-એક શામ શહીદો કે નામ’ ચેરીટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષ બાબત એ છે કે ખુદ બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયબાઈ રૂપાણી ઉપસ્થિત રહેનાર છે.
February 26, 2019
mirage_fighter.jpeg
1min11380

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
drought-1280x720.jpg
1min7690
  • શેત્રુંજી અને ભાદર ડેમમાં ફક્ત ૧૨ ટકા જ પાણી
  • સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક
  • ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો
  • કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન
  • આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો
  • રાજકોટ જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક
  • ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી

સૌરાષ્ટ્ર-કચ્છ પર ગંભીર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગત વર્ષે અત્યંત ઓછા વરસાદના લીધે હવે આગામી દિવસોમાં પીવા અને સિંચાઈના પાણીની તીવ્ર અછત ઊભી થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

હાલની પરિસ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયાં છે. ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો જ હવે બચવા પામ્યો છે. આ પરિસ્થિતિને લીધે હવે આ ડેમો પર નિર્ભર શહેરો અને ગામડાઓ માટે ફક્ત નર્મદાના નીર જ એકમાત્ર આધાર રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બે સૌથી મોટા ડેમો ભાદર અને શેત્રુંજીમાં પણ તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે ફક્ત ૧૦થી ૧૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે. કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન બની ગયાં છે.અને જે બે ડેમોમાં પાણીનો જથ્થો બચ્યો છે તે પણ એકાદ માસમાં ખાલી થઈ જવાની સંભાવના છે ત્યારે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ છે.

રાજકોટના જળાશયોની સ્થિતિ મોટાભાગે ખાલીખમ જોવા મળી રહી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સારી હતી તેવા જૂનાગઢ જિલ્લામાં પણ હવે ડેમો ખાલીખમ થઈ ગયા છે.

જોકે, ગીર સોમનાથ જિલ્લામાં ગત સાલ મેઘમહેરના પગલે જળાશયોમાં હજુ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે. તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે. તો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી. જળાશયોમાં ફક્ત માર્ચ માસના અંત સુધી ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે.

 

February 25, 2019
manv_b3.jpg
1min11240

દેશની સ્ત્રી વિકાસશીલ તો દેશ પ્રગતિશીલ” શિર્ષક સાથે વડોદરા ખાતે તા.24મી ફેબ્રુઆરી 2019ના રોજ સ્થાનિક એન.જી.ઓ. દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે ખાતે 3જા વર્ષે વુમન એમ્પાવરન્મેન્ટ દ્વારા પ્રદર્શન કમ સેલ તથા સાંસ્કૃતિક અને મનોરંજન પીરસે એવા કાર્યક્રમો થકી વડોદરાવાસીઓની રવિવારની સાંજને મેમોરેબલ બનાવી દીધી હતી.  આ સમારોહમાં વડોદરા શહેર મેયર ડૉ જીગીષાબેન શેઠ દીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. સ્થાનિક વિસ્તાર ના કોર્પોરેટર તેમજ હજારો ની સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. આયોજક મમતાબેન શાહ, નિલમબેન નગર તેમજ તેમની ટીમ દ્વારા  કરવામાં આવેલા ખુબ જ સુંદર આયોજનને સૌ કોઇએ બિરદાવ્યા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમની વિગતો આપતા વડોદરાના મહિલા આગેવાન શ્રીમતી ધ્રુવા ભટ્ટે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લઇને કાર્યક્રમો યોજાયા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ સ્વંયભુ હાજરી આપી હતી. વડોદરાના અનેક મહાનુભાવોએ પણ પ્રસંગને દિપાવ્યો હતો.

February 25, 2019
AffordableHousing.png
1min7120

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 21, 2019
gst.jpg
1min6900

જીએસટી રિટર્ન ફાઇલ કરતી વખતે કોડ લખવામાં થઇ ગયેલી ભૂલોને કારણે ગુજરાતના અને મોટા ભાગે સૌરાષ્ટ્રના નિકાસકારોના રૂ.725 કરોડથી વધુ રકમના જીએસટી  રિફંડ અટવાય ગયા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેકો વખત રજૂઆતો કરવા છતાં હવે  સવાસો કરોડનું  રિફંડ મળવાની આશા એટલા માટે ધૂંધળી બની ગઇ છે કેમકે કેન્દ્ર સરકારે નિકાસકારોને રિફંડ નહીં મળવા અંગેનો સત્તાવાર સરક્યુલર જારી કરી દીધો છે.

જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર-ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જીએસટીના અમલીકરણના પ્રારંભિક મહિનાઓમાં કાયદાની ગેરસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. 2017ના વર્ષના આઇજીએસટી રિફંડ ટેકનીકિલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની 125 કરોડ કરતા વધારે રકમ ફસાઇ ગઇ છે. 30 કરોડ જેટલી રકમ તો રાજકોટ ચેમ્બરના સભ્યોની જ હોવાની ધારણા છે

જીએસટી લાગુ થયો એ પછી જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2017ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુક્સાની ગઇ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ અશા રહી નથી. કારણકે ઓક્ટોબર 2018માં સીબીટીસીએ રિફંડ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે.

રાજકોટ ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઇ છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સમગ્ર મુદ્દા અંગે કહે છે, જીએસટી પૂર્વે એક્સાઇઝ લાગુ હતી. એ વખતે શીપીંગ બિલો ફાઇલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા. ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો.

જીએસટી લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શીપીંગ બિલો ફાઇલ કરતી વખતે સિસ્ટમમાં એ નો ઓપ્શન ચાલતો ન હતો. કેટલાકે એ વખતે સી લખીને ફાઇલ કર્યા અને થઇ પણ ગયા.

જોકે બાદમાં કેવી મુશ્કેલી પડશે તે કોઇએ વિચાર્યું ન હતુ તેમ પાર્થભાઇ કહે છે. નિકાસકારો કે ક્લીયરીંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી શીપીંગ બિલો ફાઇલ થતા રહ્યા. ઓક્ટોબર 2017માં સરકારે” એ બી કે સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઇ. જુલાઇથી ઓક્ટોબર 2017માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.
જોકે આ પ્રકારે દેશભરમાંથી રજૂઆતો આવવાથી સરકારે છેલ્લે 9 ઓક્ટોબર 2018ના રોજ સરક્યુલર બહાર પાડીને આવા કિસ્સાઓમાં રિફંડ નહીં અપાય તેવું જાહેર કરી દીધું. રાજકોટ ચેમ્બર સહિત દેશભરમાંથી અસંખ્ય નિકાસકારોની ભારે રજૂઆતો પછી આ સરક્યુલર જાહેર થયો છે. જોકે હવે સરકાર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.

રાજકોટ ચેમ્બર દ્વારા છેલ્લે 30 જાન્યુઆરીએ વાણિજ્ય મંત્રાલયના મનિંદર કુમારને રજૂઆત કરી છે પરતું કોઇ હકારાત્મક વલણ સરકારે દાખવ્યું નથી. ચેમ્બરે કહ્યું છેકે, નિકાસકારો પ્રમાણિક છે અને ભૂલમાં આવા કોડ લખાઇ ગયા હતા.

સરકારમાં વિવિધ સ્તરે મુખ્યમંત્રીથી લઇને નાણાપ્રધાન સુધીની રજૂઆતો થઇ રહી છે પરંતુ કોઇ ઉકેલ આવે એવી શક્યતા નહીં હોવાથી નિકાસકારોના કરોડો રૂપિયા અત્યારે તો ફસાઇ જ ગયા છે.

February 21, 2019
modik.jpg
1min6730

ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનને ગુરુવારે સિયોલમાં યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા. પ્રતિમાના અનાવરણ બાદ આ નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર વિશ્વના 155 દેશના ગાયકોએ તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેમને કહિએ ગાયું છે. હવે આ વૈશ્વિક વારસો બની ગયું છે જે અમારા માટે ગર્વનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે ગાંધીજી કોઈ એક યુગના બંધનમાં નથી બંધાતા. તેઓ આવનારા સમયમાં પણ આપણને પ્રેરણા આપતા રહેશે.


યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમાના અનાવરણના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર અને આદર્શ આપણને આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના ખતરાથી બહાર આવવામાં મદદ કરવાની શક્તિ આપે છે. તેમણએ કહ્યું કે આ બે મુદ્દાઓ જ દુનિયા સામે સૌથી મોટા પડકારો છે.

વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા. આ વડાપ્રધાન મોદીની બીજી દક્ષિણ કોરિયાની યાત્રા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સિયોલમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. જે બાદ વડાપ્રધાને ભારત-દક્ષિણ કોરિયાના ઉદ્યોગતિઓના એક કાર્યક્રમને સંબોધન કર્યું. એ દરમિયાન તેમણે કહ્યું કે અને ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે નવા સાથીની શોધ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા અમારું મહત્વનું સાથીદાર રહ્યું છે અને તે દેશના ટૉપ 10 ટ્રેડર્સમાં સામે છે.

February 21, 2019
st_bus-1.jpg
1min14770
  • એસટીના કર્મચારીઓ સાતમાં પગારપંચના અમલની માંગણી કરી રહ્યા છે.
  • તેમના પરના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.
  • એસટી બસના કર્મચારીઓને વર્ગ 3 ના કર્મચારીઓ ગણવામાં આવે છે પરંતુ તેમને પગાર વર્ગ 4નાં કર્મચારીઓ પ્રમાણે આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના 45 હજાર કર્મચારીઓ આજથી માસ સીએલ પર છે, જેને કારણે રાજ્યભરમાં એસટી બસ ઠપ થઈ ચૂકી છે.

તા.22મીએ યોજાયેલી રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી, સાથે જ માસ સીએલને સફળ બનાવવા માટે વ્યૂહરચના પણ બનાવાઈ હતી.

આ બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે એસટી નિગમના ત્રણેય યુનિયન બુધવારે મધરાતથી માસ સીએલ પર ઉતર્યા છે. જેને કારણે રાજ્યમાં 7 હજાર જેટલી બસો ડેપોમાં જ પડી રહી છે.

એસટીના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે માલ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે.

February 20, 2019
jab-koi-baat-05-1.jpg
1min24240

પોતાની 20મી મેરેજ એનિવર્સરીને એક અદ્દલ બોલીવુડ સોંગ બનાવડાવીને સેલિબ્રેટ કરનાર સુરતી યુગલ અજીતા અને જગદીશ ઇટાલિયા અભિનીત ગુજરાતી સોંગ જબ કોઇ બાત ને યુ ટ્યુબ પર ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ મળ્યા છે. કોઇ સુરતી બોલિવુડના ખ્યાતનામ સિંગર્સ કે એક્ટર્સને મળતા હોય તેવા વ્યુઝ મળે એ સુરતીઓ માટે ગૌરવપ્રદ ઘટના છે.

ફક્ત 3 દિવસમાં જ 1 મિલિયન (10 લાખ)થી વધુ વ્યુઝ કમાઇ ચૂક્યું છે સુરતી કપલનું રોમેન્ટિક સોંગ જબ કોઇ બાત-વાલમ આવોને

એડવેન્ચરિયસ સાઇકલિંગ માટે ખ્તાયનામ અજિતા અને જગદીશ ઇટાલિયા મ્યુઝિક તેમાં પણ ખાસ કરીને ગુજરાતી મ્યુઝિકના ભારોભાર પ્રેમી છે. તક અને સમય મળે ત્યારે અજિતા કે જગદીશ ગીત ગાવાની એકેય તક જતી કરતા નથી હોતા એવા આ સુરતી મ્યુઝિક લવર કપલ અજિતા અને જગદીશ ઇટાલિયાએ પોતાની 20મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા માટે જોધપુર ખાતે પોતાના પર જ જબ કોઇ બાત અને વાલમ આવોને ગીતનું ફિલ્માંકન કરાવ્યું હતું. સોંગ મેકીંગ પ્રોસેસ દરમિયાન તેમની અપેક્ષા બહાર આ ગીતની સિનેમેટોગ્રાફિ, મ્યુઝિક કમ્પોઝિશન, લિરીક્સ બધું જ એટલું યોગ્ય હતું કે વિશ્વ વિખ્યાત મ્યુઝિક કંપનીને એપ્રોચ કરીને તેનું વર્લ્ડ પ્રીમિયર અને એ પણ 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે ના ઉપલક્ષમાં કરવાનું નક્કી કરાયું હતું. વિનસ મ્યુઝિક કંપનીએ જબ કોઇ બાત વાલમ આવોને સોંગ યુ ટ્યુબ સમેત 9 મ્યુઝિક ચેનલ્સ પર લોંચ કર્યાના 3 જ દિવસમાં સુરતી કપલના અદ્લ બોલિવુડ સ્ટાઇલ ગુજરાતી સોંગને 10 લાખ કરતા વધુ વ્યુઅર્સ મળી ચૂક્યા છે.

  • ઓવર વ્હેલમિંગ રિસપોન્સની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ : જગદીશ ઇટાલિયા
  • અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે : અજિતા ઇટાલિયા

અમે જ્યારે જગદીશ અને અજિતાનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે આટલા વ્યુઅર્સ મળ્યા પછી કેવી ફિલિંગ થાય છે, ત્યારે સાહજિક રીતે જ જગદીશ ઇટાલિયાએ કહ્યું આ રિસ્પોન્સ કલ્પના બહારનો છે, સ્વપ્નેય વિચાર્યું ન હતું કે મારી એનિવર્સરી સેલિબ્રેશન માટે બનાવેલું સોંગ  ગુજરાતી મ્યુઝિક લવર્સને આટલી હદે ગમશે. આ એક ઉત્સાહ વર્ધક રિસ્પોન્સ છે, ઓવર વ્હેલમિંગની ડેફિનેશન અમે છેલ્લા 4 દિવસથી અનુભવી રહ્યા છીએ. અજિતા ઇટાલિયાએ સહજતાથી કહ્યું કે અમે કોઇ પ્રોફેશનલ એક્ટર્સ નથી કે પ્રોફેશનલ સિંગર્સ નથી, બટ અમે જે કર્યું છે ગીતમાં એ રિયાલિટી છે જેનું ફિલ્માંકન થયું છે. સોંગ પ્રત્યેના લોકોના પ્રતિભાવો અમે જ્યારે સોશ્યલ મિડીયા પર વાંચીએ છીએ ત્યારે એવી ફિલીંગ આવે છે કે જાણે અમે પ્રોફેશનલ હોઇએ.