CIA ALERT

Slider Archives - Page 337 of 487 - CIA Live

June 17, 2019
dr.jpg
1min983

સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.

કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.

દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.

તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.

June 17, 2019
indiawon.jpeg
1min5290

ભારતે ગઈ કાલે અહીં ૨૬,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં મેઘરાજાને કારણે ખૂબ ખોરવાઈ ગયેલી હાઈ-વૉલ્ટેજ ડ્રામાવાળી વર્લ્ડ કપની મૅચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૮૯ રનથી હરાવી દીધું હતું. ગઈ કાલે ફાધર્સ ડે હતો અને ક્રિકેટજગતમાં પાક સામે ‘બાપ’ ગણાતા ભારતે એ જ દિવસે એને કચડી નાખ્યું એ સાથે વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતના હાથે પાકનો સતત સાતમો પરાજય થયો હતો. ભારત સામે પાક ક્યારેય વિશ્ર્વ કપની મૅચ નથી

જીત્યું અને એ પરંપરા જળવાઈ છે. ભારતે આ શાનદાર વિજય સાથે ગયા વર્ષની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા (૧૪૦ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. અપરાજિત ભારત બે પૉઇન્ટ મેળવી કુલ ૭ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયું છે.

વર્લ્ડ કપની ‘ફાઇનલ’ જેવી ગણાતી આ મૅચ જીતી લેતાં ભારત હવે આ ટુર્નામેન્ટ નહીં જીતે તો પણ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ પાક સામેના વિજયથી સંતોષ માની લેશે એમાં બેમત નથી. ગઈ કાલે પહેલાં ભારતીય બૅટ્સમેનોએ પાક બોલરોને હંફાવ્યા અને ફીલ્ડરોને દોડાવ્યા, પરંતુ ત્યાર બાદ મેઘરાજાએ બધાને પરેશાન કર્યા હતા અને કરોડો ક્રિકેટચાહકોને રાહ જોતા કરી દીધા હતા.

વરસાદને કારણે લગભગ એક કલાકની રમત બંધ રહેવાની શરૂઆત થઈ ત્યારે પાકનો સ્કોર ૩૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન હતો. રમત ફરી શરૂ થઈ ત્યારે પાકને જીતવા વધુ પાંચ ઓવરમાં બીજા ૧૩૬ રન બનાવવાનું કહેવાયું હતું. એ રીતે પાકને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ ૪૦ એાવરમાં ૩૦૨ રનનો અસંભવ લક્ષ્યાંક અપાયો હતો. જોકે, પાકની ટીમ ૪૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૨ રન બનાવી શકી હતી. વિજય શંકર તેમ જ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.

ભુવનેશ્ર્વર કુમાર પોતાની ત્રીજી જ ઓવરમાં પગની ઈજાને કારણે પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો તેની ઓવર પૂરી કરવા આવેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર વિજય શંકરે પોતાના પહેલા જ બૉલમાં ઇમામ ઉલ હકની વિકેટ લઈને તે વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ બૉલમાં વિકેટ લેનારો વિશ્ર્વનો ત્રીજો બોલર બન્યો હતો.

એ પહેલાં, પહેલા બૅટિંગ કરવાનું કહેવામાં આવતાં ભારતે ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૩૩૬ રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના ૧૪૦ રન ઉપરાંત વિરાટ કોહલીના ૭૭ રન અને ઓપનર કે. એલ. રાહુલના ૫૭ રન હતા. હાર્દિકે ૨૬, ધોનીએ ૧ અને વિજય શંકરે અણનમ ૧૫ તથા કેદાર જાધવે અણનમ ૯ રન બનાવ્યા હતા. પાક ટીમ વતી આમિરે ત્રણ તથા હસન અલી અને વહાબે એક-એક વિકેટ લીધી હતી. ચાર સ્પિનરોને એકેય વિકેટ નહોતી મળી શકી.

રોહિતે ૮૫ બૉલમાં ૨૪મી સદી પૂરી કરી હતી. તેની ૨૪ સેન્ચુરીઓમાં આ ત્રીજા નંબરની સૌથી ઝડપી સદી હતી. અગાઉ તેણે ૨૦૧૮ની સાલમાં ઇંગ્લૅન્ડ સામે ૮૨ બૉલમાં અને એ જ વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૮૪ બૉલમાં સદી પૂરી કરી હતી.

June 17, 2019
Vayu-kach-sandesh.txt.jpg
1min1385

gujarat

ગુજરાત પરથી ફંટાઇને એક સમયે ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું મધદરિયાથી ફરીથી ગુજરાતની દિશામાં વળ્યું હતું અને હવે આજે રાત્રે કચ્છની ભૂમિ પર ત્રાટકી શકે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. કચ્છની દરીયાઇ સીમા પર એલર્ટ પોઝીશન જાહેર કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડું કચ્છના દરિયા કિનારાના લખપતથી માંડવી વચ્ચે વાયુ લેન્ડફોલ કરશે, જેના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવા ઉપરાંત તોફાની પવન ફુંકાઈ શકે છે. જોકે, વાયુ હાલ નબળું પડી ચૂક્યું છે, અને તેનાથી કોઈ તબાહી ફેલાય તેવી શક્યતા નથી.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, 18મી તારીખે પણ કચ્છમાં વાયુની અસર જોવા મળશે. તેના કારણે 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ ઉપરાંત, આ વાવાઝોડું કચ્છમાં ભારે વરસાદ પણ લાવી શકે છે. તેના લીધે સૂકા કચ્છમાં 8-10 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

કચ્છ ઉપરાંત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વાયુને કારણે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. હાલ કચ્છમાં વાયુના ખતરાને ધ્યાનમાં લેતા બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. કચ્છ સિવાયના ગુજરાતના બાકીના કોઈ વિસ્તારને આ વાવાઝોડાંની ખાસ અસર નથી થવાની.

વાવાઝોડાં દરમિયાન દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા હોવાના કારણે માંડવી બીચ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. માછીમારોને પણ હાલ દરિયામાં ન જવા માટે કહી દેવામાં આવ્યું છે, અને ફિશિંગની બોટ્સ કિનારા પર લાંગરી દેવામાં આવી છે.

June 17, 2019
sensex_down.jpg
1min4470

સોમવારે BSE સેન્સેક્સમાં 491 પોઈન્ટ્સ અથવા 1.25 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આજે મેટલ, બેન્ક, ઓટો, એનર્જી, ઓઈલ-ગેસ, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે 1.29 ટકા અને 1.35 ટકા ઘટીને બંધ રહ્યા હતા. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડ., ONGC, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, મારુતિનો સમાવેશ થાય છે. આજે વધેલા મુખ્ય શેરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા અને ઈન્ફોસિસનો સમાવેશ થાય છે.

June 16, 2019
shivsena.jpg
1min5610

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે પોતાના લાવલશ્કર સાથે રામજન્મભૂમિ અયોધ્યા પહોંચ્યા છે. તેમની સાથે તેમની પાર્ટીના 18 સાંસદોએ પણ અહીં રામલલાના દર્શન કર્યા હતા. પાર્ટીના મુખિયાની સાથે રામલલાના દર્શન કરવા માટે શિવસેનાના 10 સાંસદો પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે પત્ની અને દીકરો આદીત્ય સાથે અયોધ્યા પહોંચ્યા છે અને તેમણે રામમંદિર બનાવવા માટે શિવસેના ઝુંબેશ ચલાવશે એ વાત દોહરાવી હતી.

UDDHAV

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે જ્યારે પહેલી વાર ઉદ્ધવ ઠાકરે અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા માટે અયોધ્યા અને રામલલા રાજનીતિનો વિષય નથી. આ આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. અમારો સંબંધ અયોધ્યા છે. રામના નામ પર અમે ક્યારેય વોટ નહીં માંગ્યો પરંતુ ચૂંટણી બાદ શિવસેનાના તમામ વિજયી સાંસદોની સાથે દર્શન કરવા અયોધ્યા આવીશ.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું માનવું છે કે લોકો અયોધ્યામાં રામ મંદિર જોવા માંગે છે. મંદિર બનવાથી દેશમાં સુખ-સમૃદ્ધિનો નવો અધ્યાય લખવામાં આવશે. સાથે તેઓ મોદી લહેર માટે રામલલાનો ધન્યવાદ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સંબંધો સુધરી રહ્યા છે, અમે તેમની સાથે જ છે.

June 16, 2019
mevani.jpg
1min6260

વાતે વાતે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરીને લોકોમાં હાઇપ ઉભી કરવાના પ્રયાસમાં અપરિપક્વ યુવા નેતાઓ કેટલો મોટો દાટ વાળે છ તેની પ્રતીતિ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરાવી છે. કોઇ શિક્ષક એક વિદ્યાર્થિની સાથે મારઝૂડ કરી રહ્યાના વિડીયોને વલસાડની સ્કુલના નામ સાથે જોડીને તેને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાની કોશિસ કરનાર જિજ્ઞેશ મેવાણીની સામે આખરે પોલીસ ફરીયાદ થતાં તેની શાન ઠેકાણે આવી છે.

વડગામથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાની ટ્વીટર વોલ પર વલસાડની એક સ્કૂલને બદનામ થાય એ રીતનો વિદ્યાર્થિનીની મારઝૂડનો વીડિયો શેર કર્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટર પર 20 મેએ એક વીડિયો શેર કરાયો હતો. વીડિયોમાં વલસાડની એક સ્કૂલના નામે શિક્ષક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક લાકડીથી મારતા દેખાય છે. જે બાદ વસલાડ પોલીસ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે મેવાણીએ વાઈરલ વીડિયોને ક્રોસ ચેક કર્યા વિના તેને પોસ્ટ કરી દીધો.

મેવાણી વિરુદ્ધ આઈપીસીના સેક્શન હેઠળ બદનક્ષીનો દાવો કરાયો છે.

પોલીસે વિધાનસભાના સ્પીકરને માહિતી આપી હતી કે વલસાડની દેસાઈ સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ બિજલ પટેલે મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં બિજલ પટેલે જણાવ્યું કે મેવાણીએ વીડિયોનું સત્ય જાણ્યા વિના તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના કારણે શિક્ષકો તથા શાળાની શાખને નુકસાન થયું છે.

પોલીસ દ્વારા સ્કૂલની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.

મેવાણીએ વીડિયો શેર કરીને સ્કૂલના નામે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને મેસેજ શેર કરવા કહ્યું હતું ‘તે શિક્ષકનું બરતરફ ન કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે.’

આ મામલે જીગ્નેશ મેવાણીએ પોતે અધિકારીઓ સમક્ષ ઘટના લાવવા માટે વીડિયો શેર કર્યો હોવાનું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ટ્વીટમાં મેં PMOને પૂછ્યું હતું કે આ વીડિયો સાચો છે કે શું? મારો સ્કૂલની શાખને બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું દુઃખ પહોંચેલા લોકોની હજાર વખતે માફી માગવા તૈયાર છું. પોલીસે કેસ નોંધતા પહેલા મારો ખુલાસો લેવો જોઈતો હતો. પોલીસ દ્વારા મહિલાને જાહેરમાં લાત મારનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. પરંતુ ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે મેવાણીએ 21મેએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું અને સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે લાગણીમાં આવીને વીડિયો શેર કર્યો હતો.

June 16, 2019
metro.jpeg
1min4910

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર
મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે.
એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.
June 16, 2019
surandranagar.jpg
1min5320
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક જ દિવસમાં પપ લાખથી વધુના દારૂ સાથેના બે ટ્રક ઝડપાયા હતા. રાજસ્થાનથી આવેલા બન્ને ટ્રકના ચાલકની ધરપકડ કરાઈ હતી.’ સાયલા-બોટાદ હાઈવે પરથી રાજસ્થાન પાસીંગની દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે વોચ ગોઠવી હતી અને સાયલા-બોટાદ હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી રૂ. ર7.93 લાખની કિમતની 9303 બોટલ દારૂનો જથ્થો મળી આવતા દારૂ-ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી તરબુચની આડમાં દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીના સ્ટાફે હરીપર ગામના પાટિયા પાસેથી ટ્રક ઝડપી લીધો હતો. અને રૂ.ર7.66 લાખના દારૂનો જથ્થો-ટ્રક કબજે કર્યો હતો. જ્યારે નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
ધ્રાંગધા-માલવણ હાઈવે પરના હરીપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વોચ ગોઠવી હતી. અને રાજસ્થાન પાસીંગની ટ્રક નીકળતા ઝડપી લીધી હતી. અને ટ્રકની તલાસી લેતા તેમાથી તરબુચની આડમાંથી રૂ.ર7.66 લાખની કિંમતની 6916 બોટલદારૂનો જથ્થો મળી આવતા ટ્રક-દારૂ મળી કુલ રૂ.37.પ0 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે લુધીયાણાના ટ્રકચાલક રાજેશકુમાર પુથ્વીસીગ જાટને ઝડપી લીધો હતો. જ્યારે કારચાલક નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
લીંબડીમાંથી દારૂ-બીયરનો જથ્થો પકડાયો: મકાન માલિક ફરાર
લીંબડીમાં કબીર આશ્રમ પાછળ રહેતા ઘોઘા બેચર સોડલા નામના ભરવાડ શખસના મકાનમાં દારૂ-બીયરનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને 71 બોટલ દારૂ અને ર8 ટીન બીયરનો જથ્થો ઝડપી લીધો હતો જ્યારે ઘોઘા ભરવાડ નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.
June 16, 2019
indiavspakistan.jpeg
1min7470

આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.

June 16, 2019
dr_strike.jpg
2min8570

પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં એક તબીબ ઉપર જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખાના સેક્રેટરીએ 17મી જૂનના સોમવારે ગુજરાતના ડૉક્ટરો હડતાળ ઉપર ઊતરવાનું એલાન અપાયું હતું.

સુરતનું ચિત્ર

સુરતની વાત કરીએ તો સુરતના તબીબ અગ્રણી ડો. વિનોદ સી. શાહે સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું હતું કો કોલકાત્તામાં તબીબ થયેલા જીવલેણ હુમલાનો અમે સૌ સુરતના તબીબ આલમ વખોડી કાઢીએ છીએ. આ ઘટનાને અનુસંધાને તાજેતરમાં સુરત કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપી દેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં તબીબોની સ્ટ્રાઇકના ભાગરૂપે સોમવાર, તા.17મી જુને સુરત શહેરના લગભગ 99 ટકા તબીબો અને હોસ્પિટલ્સ કામકાજથી અળગા રહેશે. 500થી વધુ હોસ્પિટલ્સ પણ કાર્યરત નહીં રહીને પોતાનો વિરોધ દર્શાવશે.

ડો.વિનોદ શાહે કહ્યું હતું કે સુરતના તબીબોની માગણી છે કે એસોલ્ટ ઓન ડોક્ટર્સના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આવા સંજોગોમાં રાજ્યવાર નહીં બલ્કે દેશમાં તબીબોના રક્ષણ માટે એક સમાન કોમન કાયદો બને અને તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે.

(Symbolic Photo)

ગુજરાતનું ચિત્ર

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમવારે સવારે છ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી આ હડતાળ ચાલશે. પણ આ હડતાળમાં ઈમરજન્સી સેવાને કોઈ અસર નહીં થાય, માત્ર નોન-ઈમર્જન્સી સેવાને હડતાળ લાગુ પડે તે રીતે હશે.

17મી જૂને એસોસિયેશન સાથે સંકળાયેલા 28 હજાર ડોક્ટરો હડતાળ પાડશે. તમામ મેમ્બર્સને આ સંદર્ભે જાણ કરાઈ હતી. ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ડોક્ટરોની મિટિંગ યોજવામાં આવી હતી. ડૉક્ટરોએ વડા પ્રધાન અને દેશના ગૃહપ્રધાનને ઈ-મેઈલ કરી ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં હૉસ્પિટલ હુમલા માટે ઓછામાં ઓછા સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ તેવી માગણી કરાઈ હતી.

Guidance by IMA Gujarat

Date: 16-6-2019 To, All Local branches Presidents & Secretaries, All State Working Committee members. Dear Doctor,

1. The withdrawal of services on Monday, June 17th, 2019 for 24 Hours between 06:00 AM to 06:00 AM (next day) is hereby reconfirmed and reiterated. Everyone is requested to strengthen the agitation.

2. All health care institutions across the sectors are requested to participate.

3. All doctors in all sectors are requested to participate.

4. Emergency and casualties should function normally.

5. Already admitted inpatients should be cared for as usual.

6. All the local branches are directed to give a press statement regarding withdrawal of all non-essential services (especially O.P.D.). Model press statement will follow.

7. All local branches shall report in realtime with photographs at imagsb@gmail.com

8. Associated activities like Protest Marches, Public Meetings etc. can be held as per local exigency.

9. Posters and social media postings can be customised to local needs and prepared at local branches level.

10. Students of all medical colleges should be involved through IMA MSN and respective local branches.

11. IMA JDN and the state branches should coordinate will all Resident Doctors Associations and Junior Doctors.

12. Local Branches should request and involve all Government Doctors organisations.

13. Local branches should request and involve Local chapters of all speciality organisations.

14. Local branches and IMA HBI should involve all Hospital and Nursing Home Organisations.

 

Thanking You Yours sincerely, Dr. S.S. Vaishya Dr. Kamlesh Saini President Hon. State Secretary G.S.B. I.M.A. G.S.B. I.M.A.