કૈલાસ માનસરોવરના યાત્રાળુઓ નેપાળમાં ફસાયા?
તિબેટમાં કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા ફરી રહેલા 200 જેટલા ભારતીય યાત્રાળુઓ નેપાળના હુમલા જિલ્લામાં કથિત રીતે ખાનગી ટૂર ઑપરેટરના વાંકે ફસાયા હોવાનો દાવો યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
તિબેટના બુરાંગથી ભારત-ચીન સરહદ નજીક આવેલ હિલસા ટાઉનમાં ભારતીય યાત્રાળુઓ હાલ ફસાયા છે. અહીંથી તુરંત જ હેલિકોપ્ટર દ્વારા સિમિકોટ અને ત્યાંથી તેઓ નેપાલગંજ તરફ રવાના થવાના હતા, પણ જ્યારે તેઓ હિલસા પહોંચ્યા ત્યારે એમની પહેલાના યાત્રાળુઓને પણ રોકવામાં આવ્યા હતા અને આ કારણસર એમને પણ ત્યાં રોકાવાની ફરજ પાડવામાં આવી હતી. પંકજ ભટનાગર નામના એક યાત્રાળુએ જણાવ્યું હતું કે ટૂર ઓપરેટરે અમારી અગાઉના અનેક યાત્રાળુને ત્યાં રોકાવાની ફરજ પાડી હતી અને એ કારણે અમારે પણ ત્યાં રોકાવું પડયું હતું. તેઓ ત્રણ દિવસથી અહીં છે અને એમના ગયા બાદ અમને જવા મળશે.
અન્ય એક યાત્રાળુએ પણ ફરિયાદ કરી હતી કે યાત્રાળુઓની સંખ્યા પ્રમાણે અહીં વ્યવસ્થા નથી અને સતત પડી રહેલા વરસાદને લીધે એમાં વધારો થાય છે. ઓપરેટરો યોગ્ય જવાબ નથી આપતા. ભારતીય ટૂર ઓપરેટરે જણાવ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે હેલિકોપ્ટર સેવા હાલ બંધ હતી, પણ હવે હવામાન સુધરી રહ્યું હોવાથી હેલિકોપ્ટર સિમિકોટ મોકલવામાં આવી રહ્યા છે. જે લોકો હિલસામાં પહેલા આવ્યા હશે, એમને પહેલા સિમિકોટ મોકલવામાં આવશે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને બીમાર વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now