Slider Archives - Page 321 of 491 - CIA Live

August 6, 2019
narmada_dam.jpg
1min6780

ઉપરવાસમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં ૧.૧૭ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી હતી. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા ૧૦ કલાકમાં ૧૫ સેમીનો વધારો થયો હતો જેથી ડેમની જળ સપાટી ૧૨૬.૧૨ મીટર ઉપર પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદ પડતાં પાણીની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે નર્મદા કેનાલમાં પાંચ હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું. હાલ ડેમમાં ૧૭૬૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લાના નાંદોદમાં ૬.૨ ઇંચ, ગરુડેશ્ર્વરમાં ૩.૫ ઇંચ, તિલકવાડામાં ૪.૩ ઇંચ અને સાગબારામાં ૫.૩ ઇંચ પડ્યો હતો.

August 5, 2019
sarika-1280x853.jpg
1min16550
5 દેશોના અંદાજે 25 હજાર કિ.મી.ના બાઇકપ પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓ પૈકી એક જીનલ શાહને રશીયામાં પાસપોર્ટ ખોવાય જતા એકલી મૂકીને આગળ વધવા અંગે સારીકા મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે જીનલ શાહને એકલી મૂકી ન હતી, તેની સેફ્ટીની ખાતરી કર્યા પછી આગળ વધ્યા હતા, તેમની પાસે આગળ વધવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. વાંચો વિગતવાર સારીકા મહેતાની સ્પષ્ટતા

બાઇકિંગ ક્વીન્સના નામે સુરતની ત્રણ યુવતિઓ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલ બેટી બચાવો, બેટી પઢાવો અવેરનેસ અભિયાનના ભાગરૂપે ત્રણ ખંડોના 25 દેશોની અંદાજે 25 હજાર કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળ્યા હતા. રશીયાના મોસ્કો ખાતે બાઇકિંગ ક્વીન્સ પૈકીના જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયા બાદ જીનલ શાહને છોડીને કાફલો આગળ લઇ જવાના સારીકા મહેતાના નિર્ણયની ચોમેરથી ટીકા થઇ રહી છે ત્યારે સારીકા મહેતાએ પોતાની સ્પષ્ટતા સી.આઇ.એ.લાઇવને આ મુજબ આપી હતી.

સારીકા મહેતાએ પેરીસ ખાતેથી ટેલિફોનિક વાતચીતમાં સી.આઇ.એ. લાઇવના એડિટર જયેશ બ્રહ્મભટ્ટને જણાવ્યું હતું કે પાસપોર્ટ ખોવાય ગયા બાદ તેને શોધવા માટે ક્રુ મેમ્બરો વરસતા વરસાદમાં રાત્રીના અંધકારમાં સમગ્ર વિસ્તાર ખૂંદી વળ્યા હતા. બાદમાં નહીં મળતા એમ્બેસીમાં ફોન કરીને આગળની પ્રોસીજર શરૂ કરાવી હતી. બે વિકલ્પ હતા. એક વ્હાઇટ પાસપોર્ટ લઇને દિલ્હી પહોંચવું અને બીજો વિકલ્પ રશીયામાં પ્રિન્ટેડ પાસપોર્ટ લઇને બાદમાં ક્રુ સાથે જોડાવું.

સારીકા મહેતાના જણાવ્યા મુજબ જીનલ શાહે વ્હાઇટ પાસપોર્ટના વિકલ્પ ની પાડી હતી. પ્રિન્ટેડ પાસપોર્ટને આવતા 10-15 દિવસ લાગે એવું મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યું હતું. જીનલ શાહે આ માટે રશીયામાં 15 દિવસ સુધી રોકાવું પડે તેવી સ્થિતિ જાણતી હતી અને જીનલ શાહે જ રશીયામાં આટલા દિવસ રોકાવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

સારીકા મહેતાનું કહેવું હતું કે પાસપોર્ટ કદાચ મળી જાય એવી શક્યતાને જોતા તેઓ પાસપોર્ટ ખોવાયાના બે દિવસ સુધી રશીયા બોર્ડર પર ક્રુ સાથે રોકાયા હતા. છેવટે તેમણે જીનલ શાહની હેલ્થ અને સિક્યુરિટી અંગે ઇન્ડીયન એમ્બેસીના અધિકારીઓ સાથે વ્યક્તિગત વાત કરીને બાંયધરી મેળવીને તેને છોડવાનો નિર્ણય લીધો હતો.

જીનલ શાહનું બાઇક મૂકવા માટે હની દેસાઇ નામના ક્રુ મેમ્બર મોસ્કો સુધી ગયા હતા.

સારીકા મહેતાએ જણાવ્યું કે તેઓ મિશન પર હતા, તેમના વિઝાથી લઇને હોટેલ બુકિંગ્સ બધું જ નિર્ધારિત સમયનું હતું. તેમની સાથે બાઇક પણ હતા આ બધી પરિસ્થિતિમાં તેઓ એક સભ્ય માટે આખું મિશન અટકાવી શકે તેવી સ્થિતિમાં ન હતા. અન્યથા બધાએ મુશ્કેલીમાં મૂકાવું પડ્યું હોત. તેમણે જણાવ્યું કે મારી પાસે કાફલાનો આગળ વધારવા સિવાયનો વિકલ્પ ન હતો.

સારીકા મહેતાએ વધુમાં ઉમેર્યું કે જીનલ શાહને એકલી અટૂલી મૂકીને આવવાનો પ્રશ્ન જ નથી, તેમની સલામતિ સેફ્ટી વગેરેની બાયધરી મળ્યા પછી તેઓ ત્યાંથી રવાના થયા હતા. સારીકા મહેતાએ કહ્યું કે પહેલા જ દિવસથી ક્રુ મેમ્બરને જણાવી દીધું હતું કે પાસપોર્ટ સમેતના ડોક્યુમેન્ટસ સંભાળીને રાખવા આમ છતાં, રશીયામાં એક રેસ્ટોરેન્ટના રિસેપ્શન પર જીનલ અને રુતાલી પટેલ પાસપોર્ટનું પાઉચ ભૂલી ગયા હતા. ત્રીસ કિ.મી. પાછા જઇને ત્યારે પાસપોર્ટ લેવો પડ્યો હતો.

August 5, 2019
CIA_Live_Logo_New2.jpg
2min45110
3 ખંડના 25 દેશોના બાઇક પ્રવાસે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ બાઇકિંગ ક્વીન સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલ

સુરતથી 25 દેશોના પ્રવાસે નીકળેલી 3 બાઇકિંગ ક્વીનમાંથી જીનલ શાહને રશીયા બોર્ડર પર એકલી તરછોડી દેવાઇ

બેટી બચાવો, બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ મહિલા બાઇકર્સે એક મહિનામાં 10 હજારથી વધુ કિ.મી.નું અંતર કાપીને રશીયા પહોંચી હતી. રશીયા પહોંચેલા સુરતના આ ત્રણેય બાઇકર્સ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલએ રશીયાના મોસ્કોમાં રોકાણ કર્યું હતું એ સમયે તા.22મી જુન 2019ના રોજ જીનલ શાહનું એક પર્સ ચોરાઇ ગયું હતું. જ્યારે પર્સ ચોરાયું ત્યારે જીનલ શાહ કે અન્ય ક્રુ મેમ્બર્સને ખબર પણ નહોતી પડી.

બાઇકિંગ ક્વીન જીનલ શાહનું પર્સ ગઇ તા.22મી જુલાઇએ રશીયાના મોસ્કોમાં ચોરાઇ ગયું હતું જેમાં પાસપોર્ટ, આર.સી.બુક સમેતના ડોક્યુમેન્ટસ હતા

મોસ્કોથી 630 કિ.મી. દૂર જ્યારે રશીયા બોર્ડર પર પહોંચ્યા ત્યારે બાઇકિંગ ક્વીન જીનલ શાહને ખબર પડી કે તેનું એક પર્સ મિસિંગ છે અને તેમાં પાસપોર્ટ, લાઇસન્સ, બાઇકની આર.સી. બુક અને એ.ટી.એમ. કાર્ડ હતા.

જેવું પર્સ ચોારાયાની ભાળ થઇ એટલે તરત જ બાઇકિંગ ક્વીન તરીકે દેશ વિદેશમાં નામના મેળવી રહેલી સારીકા મહેતાએ રંગ બદલ્યો અને જીનલ શાહને રશીયા જેવા દેશમાં મોસ્કોથી 630 કિ.મી. દૂર અજાણ્યા પ્રદેશમાં, અજાણી ભાષાના લોકો વચ્ચે એકલી અટૂલી છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો અને તા.23મીએ સુરતની જીનલ શાહને છોડીને સારીકા મહેતા અને અન્ય ક્રુ મેમ્બર્સ ચાલી નીકળ્યા.

સારીકા મહેતાએ સુરત ખાતે જીનલ શાહના પરિવારજનો સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે તે જીનલ માટે રોકાઇ શકે નહીં, નિર્ધારિત સમયે જર્ની પુરી કરવાની લ્હાયમાં બેટી બચાવો બેટી બચાવો અવેરનેસ માટે નીકળેલી સારીકા મહેતાએ જીનલ શાહને તરછોડી દેવામાં એક મિનિટનો પણ વિચાર કર્યો નહીં.

સારીકા મહેતા સાથે બાઇક સવાર રુતાલી પટેલ ઉપરાંત અન્ય ત્રણ બેકઅપ ટીમના સભ્યો જીનલ શાહને મોસ્કોથી 630 કિ.મી. દૂર વેરાન જગ્યા પર એકલી મૂકીને આગળ વધી ગયા. માનસિક રીતે હતાશ, શારીરીક રીતે થાકી ગયેલા જીનલ શાહે જ્યારે એમ કહ્યું કે તેનાથી એક કિ.મી. પણ બાઇક ચાલી શકે તેમ નથી ત્યારે એક ક્રુ મેમ્બર જીનલ શાહનું બાઇક મોસ્કો ડ્રોપ કરવા માટે સાથે ગયા હતા.

ઘટનાના એક અઠવાડીયા પછી આ અંગે સારીકા મહેતાએ તેની ફેસબુક વોલ પર આ સંદેશો લખ્યો હતો.

એક તરફ પોતાનો પાસપોર્ટ સમેત અગત્યના ડોક્યુમેન્ટસની ચોરી થઇ હોય અને મોસ્કોથી પણ 630 કિ.મી. દૂર જ્યારે પોતાના સાથીઓ જ છોડી જાય ત્યારે અજાણ્યા પ્રદેશમાં કોઇપણ માનવીની શું હાલત થાય, જીનલ શાહ એટલી માનસિક યાતનામાં હતી કે તે એક ડગલું પણ ભરી શકે તેમ ન હતી. જીનલના પરિવારજનોએ મૂળ સુરતના જ અને મોસ્કોમાં ડાયમંડનું કામકાજ કરતા જિજ્ઞેશભાઇ અને પ્રીતિબેનને ફોન કરીને તેમની દિકરી જીનલ શાહને હેલ્પ કરવા જણાવ્યું.

મોસ્કોમાં રહેતા જિજ્ઞેશભાઇ અને તેમના ધર્મપત્ની પ્રીતિબેનએ જીનલ શાહને સાથ આપ્યો, તેને મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે મુલાકાત કરાવી, તેના ડોક્યુમેન્ટસ સબમિટ કરાવ્યા અને છેવટે પાસપોર્ટ મળતા જીનલ શાહ ઇન્ડિયા પરત ફરી રહી છે.

બાઇકિંગ ક્વીનના સૂત્રો શું કહે છે

બાઇકિંગ ક્વીનના સૂત્રો જણાવે છે કે જ્યારે એવું ખબર પડી કે જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયો છે ત્યારે બાઇકિંગ ક્વીન ક્રુ બે દિવસ સુધી જીનલ શાહ સાથે બોર્ડર પર રહ્યા હતા, અને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું નહીં લાગતા તેમણે જીનલ શાહને છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
બાઇકિંગ ક્વીનના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જીનલ શાહને મોસ્કોમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ તરફથી હેલ્પ મળી હતી. જીનલ શાહને એસ્કોર્ટ વીથ ડિપ્લોમેટ કાર પ્રોવાઇડ કરવામાં આવી હતી.

તા.23 જુલાઇ 2019 પછી સુરતની ત્રણ બાઇકિંગ ક્વીનની જગ્યાએ 2 જ બાઇકિંગ ક્વીનના ફોટા સ્પ્રેડ કરાયા

પોતાની ત્રીજી સાથી જીનલ શાહને રશીયાના મોસ્કોથી 630 કિ.મી. દૂર એકલી અટૂલી છોડીને ગઇ તા.23મી જુલાઇ 2019 પછી બધા જ અપડેટમાં આ રીતે સારીકા મહેતા અને રુતાલી પટેલે સોશ્યલ મિડીયા વાહવાહી મેળવી રહ્યા છે.

સારીકા મહેતાએ ધાર્યું હોત તો જીનલ શાહ આજે પણ જર્નીમાં હોત

ત્રણ ખંડોના 25 દેશોની 25 હજારથી વધુ કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓમાં સારીકા મહેતા પોતે જ લીડર બની બેઠી હતી. જ્યારે તેની સાથે બાઇક પ્રવાસે નીકળેલી જીનલ શાહનો પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ ચોરાય ગયા ત્યારે સારીકા મહેતાએ અત્યંત નિર્દયી રીતે જીનલ શાહને રશીયાના મોસ્કોથી દૂર એકલી અટૂલી મૂકી દીધી ત્યારે કુલ 5 ક્રુ મેમ્બર માંથી એકેય સારીકા મહેતાના નિર્ણયનો વિરોધ ન કર્યો. ત્રણ યુવતિઓ સાથે એક ફોટોગ્રાફર સમેત અન્ય ત્રણ ક્રુ મેમ્બર્સ પણ છે. જાણકારો કહે છે કે જો સારીકા મહેતા સમેત ક્રુ મેમ્બર્સ જીનલ શાહ માટે રોકાયા હોત તો તેમને સત્વરે જીનલ શાહનો પાસપોર્ટ સમેત અન્ય ચીજવસ્તુઓ પરત મળી શકી હોત અને જીનલ શાહ આજે પણ બાઇક રેલીનો એક ભાગ બની શકી હોત. પરંતુ, સારીકા મહેતાએ ફિક્સ શિડ્યુલ્ડના બહાને સુરતની એક યુવતિ જીનલ શાહને રશીયામાં તરછોડીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

જીનલ શાહ મંગળવાર તા.5મી ઓગસ્ટે દિલ્હીથી સવારે 7ની ફ્લાઇટમાં સુરત આવી રહી છે

25 દેશોની 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળેલી બાઇકિંગ ક્વીન જીનલ શાહએ કમનસીબે ક્રુ 23મી જૂન 2019 પછી છોડી દેવી પડી હતી.

રશીયાના મોસ્કોમાં પાસપોર્ટ ચોરાય જવાના કારણે 25 દેશની 25 હજાર કિ.મી.ની બાઇક યાત્રામાંથી બહાર કરી દેવામાં આવેલી સુરતની બેટી જીનલ શાહ તા.6 ઓગસ્ટ, મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં પોતાના ઘરે પરત ફરી રહી છે.

August 5, 2019
dhara_370_jk_.jpg
1min16030

ગૃહ મંત્રી અમિત શાહે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તની સાથે અમીત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ગૃહપ્રધાને રજૂ કરેલા સુધારા બિલમાં 370 કલમમાંથી પેટાલ કલમ 1 સિવાય તમામ પેટાકલમો દૂર કરવાની ભલામણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવ્યું. 370(3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપિત ખંડ(1) સાથે રાષ્ટ્રપતિ સંસદની ભલામણ સાથે આ ઘોષણા કરે છે કે કલમ 370(1) સિવાય અન્ય તમામ પેટાકલમો લાગુ નહીં પડે.

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અંતર્ગત રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. જેમાં લદ્દાને જમ્મુ કાશ્મીરથી અલગ પાડીને વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં રહે.

અમીત શાહએ દરખાસ્ત રજૂ કરતા જ રાજ્યસભામાં ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો અને રાજ્યસભાના અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવી પડી હતી. 

અમિતશાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે. 

અમિત શાહે પ્રસ્તાવ રજૂ ક્રયા બાદ રાજ્યસભામાં જબરજસ્ત હોબાળો શરૂ થઈ રહ્યો છે.

August 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7100
5 August 2019 પહેલા કલાકમાં સેન્સેક્સ 600 પોઇન્ટ ડાઉન

શેરબજાર ઉંધા માથે, શરુઆતના 1 કલાકમાં જ સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો

કાશ્મીરમાં કાર્યવાહી થતાં થશે પરંતુ, કાશ્મીરના ડેવલપમેન્ટે ભારતીય શેર બજારને લોહીલૂહાણ કરી મૂક્યું હતું. આજે વધુ 500 પોઇન્ટના કડાકા સાથે માર્કેટ ખૂલતા શેરબજારના લોકો નાહી ઉઠ્યા હતા. આમેય ભારતીય શેરબજાર છેલ્લા કેટલાય દિવસોથી ડાઉનફોલમાં છે અને તેમાં કાશ્મીરના મુદ્દાએ આજે સાર્વત્રિક રેડ ઝોનમાં ફેરવી નાંખ્યો હતો.

શુક્રવારે સામાન્ય રિકવરી સાથે બંધ થયેલું બજાર આજે તા.5મી ઓગસ્ટને સોમવાર, સપ્તાહારંભે જ માર્કેટ શરૂ થયના પહેલા જ કલાકમાં 620 સેન્સેક્સમાં 600  પોઈન્ટ્સથી વધુનો કડાકો બોલી ગયો હતો.

સેન્સેક્સ-30માં લગભગ તમામ શેર્સના ભાવ ઘટી જતા માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. સવારે 10 વાગ્યે 627 પોઈન્ટ્સના ઘટાડા સાથે સેન્સેક્સ 36,490 પર ટ્રેડ કરી રહ્યો હતો.

માર્કેટ એક્સપર્ટસના કહેવા અનુસાર કાશ્મીરમાં પ્રવર્તી રહેલી અસમંસજસની સ્થિતિને પગલે શેરબજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે.

આજે સૌથી મોટો કડાકો યસબેંકના શેરમાં પડ્યો હતો. યસ બેંકનો શેર સવારે દસ વાગ્યે 7.30 ટકાના ઘટાડા સાથે ડાઉન ફોલમાં સૌથી ટોચ પર જોવાયો હતો.

યશબેંકનો શેર 81.85ની પોતાની 52 વીકની સૌથી નીચી સપાટીને પણ તોડી ગયો છે.

નિફ્ટી-50માં પણ આજે 177 પોઈન્ટ્સનો ઘટાડો સવારે દસ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

August 5, 2019
smith.jpg
1min6840

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટીવન સ્મિથે બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષના પ્રતિબંધ બાદ ટેસ્ટ ક્રિકેટમાં જબરદસ્ત પુનરાગમન કર્યું છે. તેણે એશિઝ સિરિઝના પહેલા ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી ફટકારી છે. આથી ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ સુધરી છે અને જીતની તક બની છે. પહેલા દાવમાં લડાયક 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ સદી કરી હતી અને 142 રન કર્યા હતા. એશિઝ શ્રેણીમાં તે એક ટેસ્ટના બન્ને દાવમાં સદી કરનારો પાંચમો કાંગારૂ બેટધર બન્યો હતો. આ સૂચિમાં આ પહેલા મેથ્યૂ હેડને 2002માં બ્રિસ્બેન ખાતે 197 અને 103 રનની ઇનિંગ રમી હતી. સ્ટીવ વોએ માંચેસ્ટરમાં 1997માં 108 અને 116 રન કર્યાં હતા. આર્થર મોરિસે 1947માં એડિલેડમાં 122 અને 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે 1909માં વોરેન બારડસર્લીએ ઓવલના મેદાન પર 136 અને 130 રન કર્યાં હતા. સ્મિથે આ સાથે એશિઝ સિરિઝમાં 43 ઇનિંગમાં 10 સદી કરી છે. આ સૂચિમાં પહેલા નંબર પર મહાન ડોન બ્રેડમેન છે. તેમણે 63 ઇનિંગમાં 19 સદી કરી છે. ઇંગ્લેન્ડના જેક હોબ્સે એશિઝની 71 ઇનિંગમાં 12 સદી કરી છે. સ્ટીવ વોએ 72 ઇનિંગ રમીને 10 સદી કરી છે.
————-
એશિઝમાં ઓસિ. ડ્રાઇવિંગ સીટ પર: સરસાઇ 350 ઉપર
મેથ્યૂ વેડે પણ સદી ફટકારી: બીજા દાવમાં ઇંગ્લેન્ડના બોલરો ધોવાયા
બર્મિંગહામ તા.4: વાપસી સાથે બન્ને ઇનિંગમાં સદી કરનાર ‘સુપ્રિમ’ સ્ટીવન સ્મિથ અને મેથ્યૂ વેડની લડાયક સદીની મદદથી એશિઝ ટ્રોફીના પહેલા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા બાઉન્સ બેક થયું છે અને ડ્રાઇવિંગ સીટ પર આવી ગયું છે. સ્ટીવન સ્મિથે, મેથ્યૂ વેડ અને ટ્રેવિસ હેડે ઇંગ્લેન્ડના બોલરોને હંફાવીને પહેલા ટેસ્ટના ચોથા દિવસે ચાના સમય બાદ તેની ટીમ ઓસ્ટ્રેલિયા માટે જીતની તક ઉભી કરી હતી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 7 વિકેટે 445 રન થયા હતા. આથી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડથી 355 રને આગળ થયું હતું. વેડે તેની બીજી ટેસ્ટ સદી કરી હતી. તે 110 રને અને સુકાની ટિમ પેન 34 રને આઉટ થયા હતા.’ પહેલા દાવમાં 144 રન કરનાર સ્મિથે બીજા દાવમાં પણ લાજવાબ સદી કરીને 207 દડામાં 14 ચોકકાથી 142 રન કર્યાં હતા. વેડે તેની સદી 133 દડામાં 1પ ચોકકાથી બનાવી હતી. સ્મિથ અને વેડ વચ્ચે પાંચમી વિકેટમાં 126 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જયારે સ્મિથે ટ્રેવિસ હેડના સાથમાં ચોથી વિકેટમાં 130 રનનો ઉમેરો કર્યોં હતો. આજે ઉસ્માન ખ્વાઝા 40 રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોકસને બે અને બ્રોડ, વોકસ અને અલીને 1-1 વિકેટ મળી હતી. અનફિટ એન્ડરસન બોલિંગ કરી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 284 રન થયા હતા. આ સામે ઇંગ્લેન્ડે પહેલા દાવમાં 374 રન કર્યાં હતા. આથી તેને 90 રનની સરસાઇ પ્રાપ્ત થઇ હતી.

August 5, 2019
sensex.jpg
1min11040

સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૩૭,૮૮૨.૭૯ના બંધથી ૭૬૪.૫૭ (૨.૦૨ ટકા) પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૩૮,૦૪૩.૨૨ ખૂલી તેજ દિવસે ઊંચામાં ૩૮,૦૪૩.૨૨ સુધી અને ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નીચામાં ૩૬,૬૦૭.૪૧ સુધી જઈ છેવટે ૩૭,૧૧૮.૨૨ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૧૩૯.૯૮ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૧૪૮.૦૮ લાખ કરોડ હતું. મિડકેપ ઈન્ડેક્સ ૨.૨૩ ટકા, સ્મોલ કેપ ૪.૩૨ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૨.૫૨ ટકા, બીએસઈ-૨૦૦ ૨.૫૩ ટકા અને બીએસઈ-૫૦૦ ૨.૬૭ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ૧.૭૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૩.૭૪ ટકા ઘટ્યા હતા. બીએસઈ કાર્બોનેક્સ ૨.૬૧ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૨.૨૭ ટકા વધ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ૦.૫૮ ટકા વધ્યો હતો, જ્યારે ટેક ૦.૨૭ ટકા, એફએમસીજી ૧.૨૦ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, પાવર ૨.૭૯ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૮૪ ટકા, હેલ્થકેર ૩.૧૨ ટકા, ઓટો ૩.૪૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૪ ટકા, બેન્કેક્સ ૩.૬૭ ટકા, રિયલ્ટી ૪.૦૪ ટકા, પીએસયુ ૫.૫૫ ટકા અને મેટલ ૮.૯૪ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: ટીસીએસ ૪.૪૧ ટકા, ભારતી એરટેલ ૨.૫૨ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૩૩ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૦.૯૭ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૦ ટકા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: વેદાંતા ૧૪.૬ ટકા, ટાટા મોટર્સ ડીવીઆર ૧૩.૭૨ ટકા, ટાટા મોટર્સ ૧૨.૭૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧.૦૧ ટકા અને ટાટા સ્ટીલ ૮.૮૫ ટકા. 

August 5, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5920

રાજ્યના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગે ૯મી ઓગસ્ટની રાત્રે આઠ કલાક પછી ત્રણ દિવસ માટે ગુજરાત સરકારની તમામ પ્રકારની ઓનલાઈન સેવાઓ, વેબસાઈટ, એપ્લિકેશન, ઈ-મેલ, ઈન્ટરનેટ બંધ કરવા તમામ વિભાગોને આદેશ કર્યો હતો. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં રિપેરિંગનું કામ શરૂ કરવાનું હોવાથી ૧૨મી ઓગસ્ટની રાત્રે ૧૧-૫૯ મિનિટ સુધી જીસ્વાન નેટવર્ક બેઝડ ડેટા સેન્ટર કનેક્ટેડ તમામ સેવાઓને શટડાઉન કરી દેવાશે. આગામી સપ્તાહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના ત્રણ વર્ષની ઉજવણી માટે મહાત્મા મંદિરમાં કાર્યક્રમનું આયોજન થશે તેના બીજા જ દિવસથી ગુજરાત સરકારની ઓનલાઈન સેવાઓ શટડાઉન થવાની સૂચના પછી આ કાર્યક્રમમાં જેમને સહાય આપવાની છે તેવા લાભાર્થીઓની વિગતો, ખર્ચના બીલોની પ્રક્રિયા- નોંધણી ડેટા સેન્ટર બંધ થાય તે પહેલા પૂર્ણ કરવા કૃષિ, ઊર્જા, શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગમાં દોડધામ શરૂ થઈ છે.

જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાઈસન્સ, ઈ-ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઇન સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાય છે. જે આગામી સપ્તાહે ગુરુવારની રાતથી રવિવારની મધ્યરાત્રી દરમિયાન બંધ રહેશે એવું મહેસૂલ વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

August 5, 2019
kashmir-news.jpg
1min12970

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 5, 2019
Kashmir-situation-2.jpg
1min14140

જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે.