કાશ્મીરમાં અજંપાની સ્થિતિ
જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now