CIA ALERT

Slider Archives - Page 319 of 487 - CIA Live

August 2, 2019
airtel.png
1min3677

ટેલિકોમ સેકટરમાં સર્જાયેલી તીર્વ સ્પર્ધાને કારણે ભારતી એરટેલે નાણાકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૨૮૬૬ કરોડની ખોટ નોંધાવી છે.ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૯૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. ૧૯,૭૯૯ કરોડ સામે ૪.૭ ટકાના વધારા સાથે રૂ. ૨૦,૭૩૮ કરોડ નોંધાઇ હતી. 

ઈન્ફોસિસનુ રોમાનિયામાં સાયબર સેન્ટર

મુંબઇ: એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં આપેલી માહિતી અનુસાર ઈન્ફોસિસ લિ.એ એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં જણાવ્યું છે કે કંપનીએ બુકારેસ્ટ, રોમાનિયામાં અત્યાધુનિક સાયબર ડિફેન્સ સેન્ટર શરૂ કર્યો છે. 

સિપ્લા, એલ્વોટેક વચ્ચે ભાગીદારી કરાર

મુંબઇ: સિપ્લાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સિપ્લા ગલ્ફ એફઝેડ એલએલસી અને એલ્વોટેકે ‘એવીટી૦૨’ના વેપારીકરણ માટે ભાગીદારી કરાર કર્યા છે. ‘એવીટી૦૨’ રુમેટોઈડ આર્થરાઈટિસ, એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ, પ્લેક્યુ પીસોરાઈસિસ સિહતના રોગોના ઉપચાર માટે વપરાય છે. 

સ્ટર્લિંગ એન્ડ વિલ્સનની ઓએફએસ

મુંબઇ: ગ્લોબલ સોલાર ઇપીસી કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર લિમિટેડ રૂ. ૩૧૨૫ કરોડના ભરણાં મારફત પ્રમોટર્સ સ્ટેકની ઓફર ફોર સેલ (ઓએફએસ) છઠી ઓગસ્ટે લાવી રહી છે, જે આઠમી ઓગસ્ટે બંધ થશે. ફ્લોર પ્રાઇસ રૂ. ૭૭૫ અને કેપ પ્રાઇસ રૂ. ૭૮૦ નક્કી થઇ છે. લઘુત્તમ બિડ ૧૯ શેરની છે. 

જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની સીએસઆર

મુંબઈ: જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.ની સીએસઆર પાંખ જેએસપીએલ ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્વયં સિદ્ધ સન્માનની ત્રીજી આવૃત્તિ માટે પશ્ર્ચિમ ભારતમાંથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે આવેલી કુલ ૧૦૬માંથી ૬૦ એન્ટ્રીની અને પશ્ર્ચિમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ૧૦ વ્યક્તિગત અને ૧૦ સંસ્થાની પસંદગી કરી છે.

પીએનબી હાઉસિંગે આઈએફસી પાસેથી ભંડોળ એકત્ર કર્યું

મુંબઇ: પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં ખરીદદારને ધિરાણ આપવા માટે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી – વૈશ્વિક બેન્ક ગ્રુપની સભ્ય) પાસેથી ૧૦ કરોડ ડોલર એકત્ર કર્યા છે. 

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનની ચોખ્ખી ખોટ રૂ.૨૩૩.૪૧ કરોડ

મુંબઇ: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ને ૩૦ જૂન, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૩૩.૪૧ કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૫૬.૦૨ કરોડનો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.૧૨,૭૩૮.૨૯ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૨,૩૬૩.૮૧ કરોડ થઈ હતી. 

નવ કંપનીના સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર

મુંબઇ: ૩૧ જુલાઈ, ૨૦૧૯થી અહીં જણાવેલી નવ કંપનીના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિમટા લેબ્સ લિ., બિંદાલ એક્સપોર્ટ લિ., પટેલ ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ લિ., સિમ્પલેક્સ કાસ્ટિંગ્સ લિ. અને આરસીઆઈ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટેક્નોલોજીસ લિ.ને દસ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. એમટી એડ્યુકેર લિ. અને જીસીએમ કેપિટલ એડવાઈઝર્સ લિ.ને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. શ્રીવત્સા ફાઈનાન્સ એન્ડ લીઝિંગ લિ. અને ગ્રેસેલ્સ એજ્યુકેશન લિ.ને બે ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. 

August 2, 2019
un_logo.jpg
1min5020

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી સપ્ટેમ્બરે સવારે વાર્ષિક યુએન જનરલ ઍસેમ્બ્લી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રોના આ ૭૪મા સત્રને સંબોધન કરનારા વિશ્ર્વના જે નેતાઓની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં મોદીનું પણ નામ છે.

સંયુક્ત રાષ્ટ્રોની આ મહાસભાના ટાંણે મોદી કેટલીક અન્ય ઉચ્ચ-સ્તરિય શિખર મંત્રણામાં પણ હાજરી આપશે એવી ધારણા છે. એટલું જ નહીં, ન્યૂ યૉર્કની મુલાકાત દરમિયાન તેઓ અમુક દ્વિપક્ષી તેમ જ બહુરાષ્ટ્રીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે.

મોદી ૨૦૧૪ની સાલમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે યુએનજીએ ખાતે પહેલી વાર સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બરનું તેમનું સંબોધન વડા પ્રધાન તરીકેની બીજી મુદત શરૂ કર્યા પછીનું પ્રથમ કહેવાશે. મોદી યુએનજીએના સત્ર માટે ન્યૂ યૉર્ક આવશે એ પહેલાં બાવીસમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન ખાતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. યુએનજીએના વક્તાઓમાં વિશ્ર્વના કુલ ૧૧૨ નેતાઓના નામનો સમાવેશ છે. એમાંથી ૪૮ રાષ્ટ્ર-વડા તથા ૩૦ વિદેશ પ્રધાન સામેલ છે.

August 2, 2019
unnav.jpg
1min5220

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.

પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં 

આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી. 

August 1, 2019
sensex_down.jpg
1min5680

ભારતના શેરબજારો નવા નવા તળિયા રોજ શોધી રહ્યા છે અને રોકાણકારોના કરોડો રૂપિયા રોજેરોજ ધોવાય રહ્યા છે. આજે તા.1લી ઓગસ્ટ 2019ના દિવસે બપોરે સાડાબાર વાગ્યે સેન્સેક્સ 475 અંક અને નિફ્ટ 110 અંક ડાઉન જોવાયા હતા.

ભારતીય શેરજારમાં બીએસઈનો સેન્સેક્સ 468 અંક ઘટ્યો છે. જે 37, 103ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે એનએસઈના સૂચકાંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 106.60 અંક ડાઉન છે અને તે 10, 978.80 પર પહોંચ્યો છે. એનએસઈના નિફ્ટીમાં સામેલ 50માંથી 42 કંપનીઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. માત્ર 8 જ શેર લીલા નિશાનમાં છે. જ્યારે બીએસઈના 30માંથી 27 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

BSE સેન્સેક્સમાં સામેલ જે શેરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં વેદાંતા, ટાટા મોટર્સ, યસ બેન્ક, ઈન્ફોસિસ, એલ એન્ડ ટી સામેલ છે. નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી સૌથી વધુ ઘટાડો ઝીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ અને હિંડાલ્કો સામેલ છે.

ભારતીય શેર બજારમાં ભલે આજે ભારે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ કેટલાક શેર્સ એવા પણ છે જે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી ઈન્ફ્રાટેલ, પાવરગ્રિડ, વિપ્રો, બજાજ ફિન્સર્વ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.

August 1, 2019
New-Traffic-Rules-Fine-Challan-Tariff.jpg
1min10540
  • હેલ્મેટ વિના વાહન ચલાવવામા 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ થશે
  • લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા, જે દંડ અત્યારસુધી 500 રૂપિયા હતો
  • મોબાઈલ ઉપર વાત કરતા પકડાવાથી 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે વધીને 5000 રૂપિયા થયો છે
  • દારૂ પીને વાહન ચલાવવાનાં ગુનામાં હવે 2 હજારને બદલે 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાય તો 100નાં સ્થાને હવે 1000 રૂપિયાનો દંડ.
  • ટિકિટ વિના સરકારી બસોમાં મુસાફરી કરતાં કોઈ પકડાશે તો હવે 200નાં સ્થાને પ00 રૂપિયાનો દંડ લાગશે.
  • સગીર વાહન ચલાવતા પકડાય તો તેનાં વાલી અથવા તો વાહનનાં માલિકને દોષિત માનવામાં આવશે અને તેમાં 2પ હજારનાં દંડથી લઈને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકશે.
  • અતિ ઝડપે વાહન હંકારવામાં હવે 100 રૂપિયાનાં બદલે 2000 રૂપિયાનો દંડ લાગશે.
  • ઓવરલોડિંગમાં અત્યાર સુધી 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયાનો દંડ લાગતો હતો જે હવે અનુક્રમે 20 હજાર અને 2000 રૂપિયા થશે.
  • એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધવામાં 10 હજાર રૂપિયાનો દંડ થશે.
  • ટ્રાફિક વિભાગનાં આદેશનાં ઉલ્લંઘનમાં 2000 રૂપિયાનો દંડ લાગુ થશે.
  • ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવામાં 1000ને સ્થાને હવે 2000 રૂપિયાનો દંડ.
  • હિટ એન્ડ રનમાં બે લાખ રૂપિયાથી વધુ સહાય મૃતકનાં પરિજનને મળશે.
  • ઓટો કંપનીઓ એન્જીનનાં માપદંડમાં કસૂર કરે તો પ00 કરોડ રૂપિયા સુધીનો દંડ
  • રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનને આરટીઓ લઈ જવું નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે
  • લાયસન્સ વિના અનઅધિકૃત વાહન ચલાવવા બદલ 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે 5000 રૂપિયા થયો છે,
  • લાયસન્સ વગર ઓવરસાઈઝ વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડની જોગવાઈ

ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

August 1, 2019
icc_world_test_championship_jpg.jpg
2min5150

આજે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦થી લાઇવ) ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મૅચની ઍશિઝ ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે એ સાથે સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો પણ આરંભ થઈ રહ્યો છે. બે વર્ષ સુધી ચાલનારી આ પહેલવહેલી ટેસ્ટની સ્પર્ધામાં કુલ ૯ ટીમ ભાગ લેશે. બે વર્ષમાં કુલ ૨૭ ટેસ્ટ-સિરીઝ રમાશે અને બધી મળીને ૭૧ ટેસ્ટ મુકાબલા થશે.

ટેસ્ટનું નંબર-વન ભારત આ ચૅમ્પિયનશિપમાં પહેલી મૅચ બાવીસમી ઑગસ્ટે રમશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ત્યારે એકમેક સામેના ટેસ્ટ-મુકાબલાથી ડબ્લ્યૂટીસીમાં ઝુકાવશે.

—–

ટેસ્ટ-રૅન્કિંગ: ભારત મોખરે

રૅન્ક ટીમ રેટિંગ પોઈન્ટ

૧ ભારત ૧૧૩

૨ ન્યૂ ઝીલૅન્ડ ૧૧૧

૩ સાઉથ આફ્રિકા ૧૦૮

૪ ઇંગ્લૅન્ડ ૧૦૫

૫ ઑસ્ટ્રેલિયા ૯૮

૬ શ્રીલંકા ૯૪

૭ પાકિસ્તાન ૮૪

૮ વેસ્ટ ઇન્ડિઝ ૮૨

૯ બંગલાદેશ ૬૫

નોંધ: ઝિમ્બાબ્વે ૧૦મા સ્થાને છે અને એને તેમ જ ટેસ્ટ-ક્રિકેટના બે નવા દેશો અફઘાનિસ્તાન તથા આયર્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નથી રમવા મળવાનું. બીજી રીતે કહીએ તો તેમની કોઈ પણ ટેસ્ટ-શ્રેણી આ વિશ્ર્વસ્પર્ધાનો હિસ્સો નહીં કહેવાય.

——

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ વિશે કૅપ્ટનો શું કહે છે?

ક વિરાટ કોહલી (ભારત): સાચું કહું તો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ રમવાની મજા પડી જશે. અમે બધા એની રાહ જોઈ રહ્યા હતા અને હવે એ સ્પર્ધા નજીક આવી ગઈ છે. ટેસ્ટ-ક્રિકેટ માટે પણ આ બહુ સારો અવસર છે. ટેસ્ટ-ક્રિકેટને આ રીતે જ બળ આપવાની જરૂર છે. દરેક ટેસ્ટ વધુ રસપ્રદ અને વધુ રોમાંચક બનશે. દરેક ટીમ અને ક્રિકેટચાહકો ખૂબ એન્જૉય કરશે.

ક ટિમ પેઇન (ઑસ્ટ્રેલિયા): ટેસ્ટને વધુ રોમાંચક બનાવવા આ બહુ સારી પહેલ કરવામાં આવી છે. અમારા દેશ માટે ટેસ્ટ-ક્રિકેટ સર્વોત્તમ છે. એકસાથે દરેક ક્રિકેટ-રાષ્ટ્રો ટેસ્ટ-ક્રિકેટને પ્રાધાન્ય આપે એ આ ફૉર્મેટની વિશેષતા છે અને એ ક્રિકેટના ભાવિ માટે પણ સારું જ કહેવાય.

ક જેસન હોલ્ડર (વેસ્ટ ઇન્ડિઝ): આ સ્પર્ધાથી ટેસ્ટ-ક્રિકેટને અનોખું પ્રેરકબળ મળશે. આ ફૉર્મેટ એવું છે જેમાં ક્રિકેટ પ્રત્યેનો લોકોનો ખરો પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે. સ્પર્ધા દ્વારા ટેસ્ટની બેસ્ટ ટીમ નક્કી થશે એ જોવાની મજા પડી જશે. પ્લેયરની જર્સીની પાછળ નામ અને નંબર પણ જોવા મળશે એ બીજું મોટું આકર્ષણ બની રહેશે. ટેસ્ટનો ડ્રેસ ભલે સફેદ રહ્યો, પણ આ ફૉર્મેટને ‘નવો રંગ’ જરૂર મળશે.

ક ફૅફ ડુ પ્લેસી (સાઉથ આફ્રિકા): ટેસ્ટ-ક્રિકેટને ખરા અર્થમાં જેની જરૂર હતી એ હવે પ્રત્યક્ષ જોવા મળશે. દ્વિપક્ષી ટેસ્ટ-શ્રેણીઓમાં અમારી ટીમ ઘણા પ્રકારની કમાલ કરી દેખાડતી હોય છે અને હવે એ કમાલ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં બતાવીશું. ૧૪૨ વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટમાં આવતી કાલથી નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે.

August 1, 2019
ausi-flood6.jpg
1min5820

ગુજરાતમાં હાલમાં સર્વત્ર મેઘમહેર વરસી રહી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ ૪૦ ટકાથી વધુ વરસાદ વરસતા ૩૩ જળાશયો ૫૦ ટકા સુધી ભરાઇ ચૂક્યા છે. જેથી હવે રાજ્યની પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ખાસ કરીને સોરઠમાં મેઘરાજાની મહેરને લીધે મોટા ભાગના ડેમ અને જળાશયોમાં ૫૦ ટકાથી વધારે પાણીની આવક થઇ છે. જ્યારે ગીર જંગલમાં આવેલા ચેકડેમ પણ છલકાઇ ગયાં છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યનાં ૨૧૬ તાલુકાઓમાં સારા વરસાદના કારણે ર કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૩ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા જ્યારે બે જળાશયો સંપૂર્ણ, સાત જળાશયો ૭૦થી ૧૦૦ ટકા તેમજ આઠ જળાશયો ૫૦થી ૭૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર જળાશય ૫૫.૮૯ ટકા ભરાયું હતું. હાલ ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૩૦,૫૮૩, ઉકાઇમાં ૨,૦૩,૯૪૬ દમણ ગંગામાં ૫૯,૯૬૫, આજી-૩માં ૯,૮૩૦, કરજણ અને ઉન્ડર-૨માં ૫,૩૭૦, મીટ્ટીમાં ૪,૧૮૭, ઉન્ડ-૧માં ૨,૯૪૦, સાનન્દ્રોમાં ૨,૨૫૮, કડાણામાં ૨,૦૫૦, ડેમી-૧માં ૧,૮૦૮, કંકાવટીમાં ૧,૬૭૯, આજી-૪માં ૧,૬૩૦, વણાકબોરીમાં ૧,૫૦૦, આજી-૨માં ૧,૪૨૨, ગોધાતડમાં ૧,૨૮૫, જાંગડીયામાં ૧,૧૮૯ તેમજ ન્યારી-૨માં ૧,૦૬૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૨.૦૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૨.૮૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪.૬૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૪.૧૦ ટકા મળીને રાજ્યના કુલ ૨૦૪ ડેમોમાં ૨૩.૯૭ ટકા એટલે કે ૧,૩૩,૪૬૫.૯૭ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો.

August 1, 2019
1min5670

ભારતની ટેરિટોરિયલ આર્મીના માનદ્ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં પહોંચીને બુધવારે ચોકી-પહેરાની, રક્ષક તરીકેની તેમ જ દેખરેખના કાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. તે આ વિવિધ પ્રકારની ફરજના હેતુસર બુધવારે સવારે જ કાશ્મીરમાં પોતાના દળમાં જોડાઈ ગયો હતો. ધોની ૧૫મી ઑગસ્ટ સુધી વિક્ટર ફૉર્સનો હિસ્સો બનીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારતીય લશ્કરને વિવિધ પ્રકારની સેવા આપશે.

ધોની મંગળવારે કાશ્મીર નહોતો પહોંચી શક્યો, પરંતુ તેણે દિલ્હી-સ્થિત સંબંધિત લશ્કરના સંચાલનમાં જાણ કરી દીધી હતી અને બુધવારે દિલ્હીથી કાશ્મીર પહોંચી ગયો હતો. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે 

ધોની એક પખવાડિયું કાશ્મીરમાં રહેશે અને સામાન્ય રીતે પોતાની જવાબદારીઓ સંભાળશે.

ભારતીય લશ્કરના માનદ્ લેફટનન્ટ કર્નલે કાશ્મીર ખીણપ્રદેશમાં

૨૦૧૨ની સાલમાં ધોનીએ કાશ્મીરમાં ભારતીય લશ્કર સાથે એક અઠવાડિયું માણ્યું હતું. ત્યારે ધોનીએ અલગ-અલગ સ્થળે જઈને સૈન્યના જવાનો તેમ જ અધિકારીઓનું મનોબળ વધાર્યું હતું. ધોની ત્યારે ઉરી ક્ષેત્ર સહિત ઉત્તર કાશ્મીરમાં પાક સાથેની અંકુશ હરોળની નજીકના કેટલાક સ્થળે પણ ગયો હતો. ત્યાર પછી ૨૦૧૭માં પણ તે કાશ્મીર આવ્યો હતો અને ભારતીય લશ્કર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ધોની સામાન્ય લશ્કરી અધિકારીની જેમ કાશ્મીરમાં લગભગ ૧૫ દિવસ સુધી રહેશે એવું પહેલી વાર બની રહ્યું છે. તેને દક્ષિણ કાશ્મીરમાં કયા સ્થળે ચોકીપહેરા માટે મોકલવામાં આવ્યો છે એની જાણકારી નથી આપવામાં આવી.

શું ધોનીને કોઈ ખાસ વિસ્તારમાં કે જ્યાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યાં દેખરેખ માટે રાખવામાં આવશે કે કેમ? એવા સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે ‘એ હજી સુધી નક્કી નથી. જોકે, લશ્કરની ૧૦૬-ટીએ બટાલિયનમાં તે લેફ્ટનન્ટ કર્નલ તરીકે દાખલ થયો છે અને પોતાની જવાબદારીઓ અનુસાર ગતિવિધિમાં સામેલ થશે

August 1, 2019
loksabha.png
1min4670

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમના પ્રધાનો અને પ્રથમ વારના લોકસભાના સભ્ય- અમિત શાહ, રવિ શંકર પ્રસાદ અને સ્મૃતિ ઇરાનીને યુપીએના વડા સોનિયા ગાંધી સાથે નીચલા ગૃહમાં પ્રથમ હરોળમાં સ્થાન મળ્યું છે, જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજી હરોળની તેમની બેઠક જાળવી રાખી છે. બુધવારે સ્પીકરે સીટની ફાળવણી કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, અન્ય પ્રધાનો-નીતિન ગડકરી, સદાનંદ ગોવડા, નરેન્દ્ર સિંહ તોમાર, અર્જુન મુંડા અને અરવિંદ સાવંતને પ્રથમ હરોળમાં બેઠક મળી છે. 

વિરોધ પક્ષમાંથી કૉંગ્રેસના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી, સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવ અને ડીએમકેના નેતા ટી. આર. બાલુને પણ પ્રથમ હરોળમાં બેઠક ફાળવવામાં આવી છે. 

સ્મૃતિ ઇરાની અગાઉ રાજ્યસભાના સભ્ય હતા. તેમને લોકસભામાં પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

July 31, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6780

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો તમે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા હોવ અને કંઇક નવું કરી છૂટવાની તમન્ના ધરાવતા હોવ તો આગામી તા.3થી 5 ઓગસ્ટ દરમિયાન સરસાણા એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો 2019ની મુલાકાત જરૂર લેજો અને તેમાં પણ જો સગવડ થાય તો શનિવાર તા.3 ઓગસ્ટ 2019ની સાંજે એ જ સ્થળે આયોજિત શહેરના પ્રતિષ્ઠિત ટેક્સટાઇલ ઉદ્યોગ, લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) દ્વારા આયોજિત ફેશન શૉ ની મુલાકાત જરૂર લેજો.

લિબર્ટી ગ્રુપ (રિઘન) આયોજિત ફેશન શૉ એ દર્શાવશે કે ફાઇબર ટુ ફેશન બનવા માટે સુરત અને સુરતના ઉદ્યોગપતિઓ, કારખાનેદારોમાં પોટેન્શિયલ છે, બસ ફક્ત જરૂર છે કેટલાક પગલાં ભરવાની.

લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ અંગે સંસ્થાના શ્રી દિનેશભાઇ ધનકાનીએ જણાવ્યું હતું કે ફેશન શૉમાં રેમ્પ પર કેટવૉક કરનાર મોડેલ્સ એવા ગારમેન્ટસનું નિદર્શન કરશે કે જે મલ્ટી બ્લેન્ડ યાર્નમાંથી બન્યા હશે. કેટલાક એવા પણ વસ્ત્રો હશે જે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનાવવામાં આવ્યા હશે.

ટેક્સટાઇલ ઉદ્યોગ જે બીબાઢાળ અને પરંપરાગત બ્લેન્ડ યાર્નથી ફેબ્રિક્સ બનાવે છે તેમાંથી બહાર નીકળીને આકર્ષક પરીણામો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવી રીતે મળે એનું નિદર્શન આ ફેશન શૉમાંથી થશે.

લિબર્ટી ગ્રુપ (રિઘન)ના ફેશન શૉ ના આયોજક શ્રી દિનેશભાઇએ જણાવ્યું હતું કે ફેશન શૉ માં ડિસ્પ્લે થનાર ગારમેન્ટ્સના ફેબ્રિક્સ અલગ અલગ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના વિવિધ ડેનિયર કેવી રીતે બની શકે એ પણ જાણી શકાશે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની સાથે ફેબ્રિક્સમાં અન્ય યાર્ન જેમકે કોટન, મોડાલ, લીનન અને એર ટેક્ષ્ચ્યુરાઇઝ્ડ યાર્નનો પણ ઉપયોગ કરીને આકર્ષક ફેબ્રિક બનાવવામાં આવ્યા છે, તેમાંથી વસ્ત્રો તૈયાર કરાયા છે અને એ વસ્ત્રો પરિધાન કરીને ફેશન શૉ માં મોડેલ્સ તેને ડિસ્પ્લે કરશે.

મલ્ટીબ્લેન્ડ યાર્ન અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાંથી બનેલા ફેબ્રિક્સના ગારમેન્ટસનું નિદર્શન ફેશન શૉમાં થશે

આ ઉપરાંત સ્પેશ્યલાઇઝ્ડ યાર્નમાં સિલ્ક કટ યાર્ન, ડલ યાર્ન અને મલ્ટી ફિલામેન્ટ યાર્નના ઉપયોગથી બનાવવામાં આવેલા ફેબ્રિક્સનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો મલ્ટી બ્લેન્ડ યાર્નના ઉપયોગથી કેવા ક્રાંતિકારી ફેબ્રિક્સ તૈયાર કરીને સીધા ફાઇબર ટુ ફેશન કન્વર્ઝન કરી શકાય એ જો જોવું જાણવું હોય તો તા.3 ઓગસ્ટને શનિવારે યાર્ન એક્ષ્પોમાં યોજાઇ રહેલા લિબર્ટી ગ્રુપ (રિઘન ફેશન) ના ફેશન શૉ ને અવશ્ય નિહાળવો પડશે.

રિઘન ફેશન શૉ ના આયોજક અંગે

રિઘન ફેશન પ્રાઇવેટ લિ. એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાણીતી કંપની છે. તેમની લિબર્ટી ગ્રુપ બ્રાન્ડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ક્વોલિટી માટે જાણીતી છે. આ કંપનીના ચેરમેન શ્રી દિનેશભાઇ ધનકાની છે જેઓ ચેમ્બરના યાર્ન એક્ષ્પો 2019માં ફેશન શૉ નું આયોજન કરી રહ્યા છે.