નર્મદા ડેમમાં સપાટી 127.9 મીટરે પહોંચી, 131 મીટર સુધી પાણી ભરાશે
સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન બની ચૂકેલા નર્મદા ડેમમાં ડેમમાં તા.7મી ઓગસ્ટ 2019ના રોજ પાણીની સપાટી 127.90 મીટર નોંધાઇ હતી. ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર ડેમને 131 મીટર પાણી ભરાવો કરશે.
રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા નદીના આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હોવા છતાં આ વર્ષે સરદાર સરોવર ડેમ હાઇએસ્ટ લેવલ 138.68 મીટરના સંપૂર્ણ જળાશય સ્તર પર ભરાઈ તેવી કોઈ શક્યતા નથી. આવું એટલા માટે કારણ કે ડેમને FRL સુધી ભરવા માટેનો પ્રસ્તાવ નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસે પેન્ડિંગ છે.
નર્મદા ડેમને 138.68 મીટરના સંપૂર્ણ જળાશય સ્તર પર ભરવા માટેની મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે.
એક વખત નર્મદા ડેમમાં જળસ્તરની સપાટી 131 મીટરે પહોંચી જાય બાદમાં રાજ્ય સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસેથી વધારાની મંજૂરી લેવી પડશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now