એમેઝોને તેનો ઓનલાઇન ગ્રોસરી સ્ટોર ‘એમેઝોન ફ્રેશ’ ભારતમાં શરૂ કર્યો છે, જેની હેઠળ કંપની તાજાં ફળ, શાકભાજી, ડેરી અને મીટ આઇટમ તેમજ અન્ય પેકેજ્ડ ફૂડ આઇટમનું વેચાણ કરશે.
ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં સ્પર્ધા વધી રહી છે અને હરીફ કંપની ફ્લિપકાર્ટ પણ આ માર્કેટમાં પ્રવેશવા માટે નજર દોડાવી રહી છે તેવા સમયે એમેઝોન તરફથી આ હિલચાલ જોવા મળી છે. ભારતના ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી માર્કેટમાં અત્યારે બિગબાસ્કેટ સૌથી મોટું નામ છે, ત્યાર બાદ ગ્રોફર્સનો ક્રમ આવે છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
એમેઝોન ફ્રેશ સૌ પ્રથમ 2007માં સીટલમાં લોન્ચ થઈ હતી. એમેઝોને ભારતમાં તેનું લોન્ચિંગ નહોતું કર્યું અને તેના સ્થાને પ્રાઇમ નાઉ એપ્લિકેશન દ્વારા ફૂડ આઇટમની એક્સપ્રેસ ડિલિવરી શરૂ કરી હતી.
એમેઝોને જણાવ્યું છે કે, તેની મુખ્ય વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા એમેઝોન ફ્રેશનો ઉપયોગ થઈ શકશે. કંપની તેની પ્રાઇમ નાઉ સર્વિસ 23 ઓગસ્ટે બેંગલુરુમાં લોન્ચ કર્યા બાદ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ જેવાં શહેરોમાં પણ લોન્ચ કરશે. એમેઝોન ફ્રેશ પરથી ગ્રાહકો 5,000 ફળ, શાકભાજી, ડેરી, મીટ, આઇસક્રીમ, ડ્રાય ગ્રોસરી જેવી વસ્તુઓ ખરીદી શકશે.
MBBS અને BDSમાં પ્રવેશ માટે લેવાતી NEETની પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓ ૨ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીની મુદ્દત નક્કી કરાઈ છે અને ત્યારબાદ ૨૭ માર્ચના રોજ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ૪ જૂનના રોજ NEETનું પરિણામ જાહેર કરાશે.
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) અંતર્ગત એમબીબીએસ અને બીડીએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાનારી પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા ૩ મે, ૨૦૨૦ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટે ૨ ડિસેમ્બરથી ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.
ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર રાખવામાં આવી છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા હોય તેઓ NEETની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. NEETની પરીક્ષા માટે જે ઉમેદવારોએ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી લીધી છે તેઓ જ ફોર્મ ભરી શકશે. NEET માટે જાહેર કરાયેલાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે. ઓફલાઈન એટલે કે પેન-પેપર પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૨૭ માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂન, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવશે.
NEETની પરીક્ષામાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. આ ત્રણેય વિષયના મળી કુલ ૧૮૦ પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજીને લગતા ૯૦ પ્રશ્નો અને ફિઝિક્સ તથા કેમેસ્ટ્રીના ૪૫-૪૫ પ્રશ્નો પૂછવામાં આવશે. NEETની પરીક્ષા ત્રણ કલાકની રહશે. દરેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને ૪ ગુણ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક આપવામાં આવશે. વિદ્યાર્થી જે પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયાસ નહીં કરે તેના માટે કોઈ માર્ક કાપવામાં આવશે નહીં. NEETની પરીક્ષાનો સિલેબસ NCERTનો ધોરણ-૧૧ અને ૧૨નો રહેશે. અગાઉ આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી, પરંતુ હવે NEETની પરીક્ષા NTA દ્વારા લેવામાં આવશે.
ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે સરદાર સરોવરમાં પાણીની સપાટી અભૂતપૂર્વ ૧૩૩ મીટર પાર કરી ગઇ હતી. ૧૩૮.૮૬ મીટરની પૂર્ણ સપાટી સામે નર્મદામાં સપાટી પહેલીવાર ૧૩૩.૩૯ મીટર પર પહોંચી હતી.
સરદાર સરોવરમાં ૯૪૬૦ એમ.સી.એમ. સ્ટોરેજ ક્ષમતા સામે અત્યારે ૭૭૯૦.૨૦ એમ.સી.એમ (૭.૭૯ લાખ કરોડ લિટર) એટલે કે ૮૨.૩૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી ૧૩૩.૩૯ મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી થતા પાણીની આવકને પગલે નર્મદા ડેમે આ વર્ષે આ ઐતિહાસિક લેવલ મેળવ્યું છે.
હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા માત્ર ૫૮૫૪ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક ૬૬૪૧૦ ક્યુસેક છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ગત વર્ષે વર્તમાન સમયે ૪૩૩૦ એમ.સી.એમ. પાણીનો સંગ્રહ હતો.
ગત વર્ષ કરતાં આ વર્ષે ૩૪૫૯ એમ.સી.એમ. પાણી વધારે છે. ૩૧મી મેના રોજ પાણીનો જથ્થો ૪૯૩૦ એમ.સી.એમ. હતો. અઢી મહિનામાં પાણીના જથ્થામાં ૨૮૫૯ એમ.સી.એમ.નો વધારો થયો છે. જ્યારે રાજ્યના અન્ય જળાશયોમાં ગત વર્ષે વર્તમાન સમયે ૬૫૩૧ એમ.સી.એમ. પાણી હતું એટલે કે ૪૬૪૦ એમ.સી.એમ. પાણી આ વખતે વધારે છે. ગત ૩૧ મેના રોજ ૨૦૪ ડેમમાં ૨૬૭૩ એમ.સી.એમ. પાણી હતું એટલે કે અત્યારે ૮૪૯૮ એમ.સી.એમ.પાણીનો જથ્થો વધારે છે.
સરકારી નોકરીમાં કેટલી સરસ અનુકૂળતાઓ હોય છે તેની પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો સુરતની ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની ચૂંટણીના વિવાદમાંથી સપાટી પર આવ્યો છે. સુરતની સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ વિભાગીય વડા તરીકે નોકરી કરતા ડો.પારુલ વડગામા કે જેઓ સરકારી ચોપડે હાલ બિમાર છે અને બિમારીની બેમુદતી રજા પર છે અને બીજી તરફ તેઓ જોરશોરથી IMA સુરતના પ્રમુખ પદ માટેની ચૂંટણી લડી રહ્યા છે.
ડો. પારુલ વડગામા જેઓ હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના એક વિભાગના ઇન્ચાર્જ વડા છે અને માંદગીની બેમુદતી રજા પર છે, રજાઓમાં તેઓ IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે.
તબીબોના ક્લિનીકે ક્લિનિકે, હોસ્પિટલે હોસ્પિટલે ફરી ફરીને કેન્વાસિંગ એવી રીતે કરી રહ્યા છે કે પ્રથમદર્શી નજરે જણાય જ આવે કે તેઓ બિમાર નથી. પણ સરકારી નોકરી છે એટલે બધું ચાલ્યા કરે.
આગામી રવિવારે યોજાઇ રહેલી ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એક તરફ સિનિયર મોસ્ટ ડો.યોગેશ દેસાઇ લડી રહ્યા છે અને તેમની સામે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચેસ્ટ-ટીબી વિભાગના ઇન્ચાર્જ વડા ડો.પારુલ વડગામાએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
તા.5મી ઓગસ્ટ 2019થી ડૉ.પારુલ વડગામા અચોક્કસ મુદતની માંદગીની રજા મૂકીને હાલ આઇ.એમ.એ. સુરતના પ્રમુખપદની ચૂંટણી જોરશોરથી લડી રહ્યા છે
સી.આઇ.એ. લાઇવની તપાસમાં એવી વિગતો મળી છે કે ગઇ તા.5મી ઓગસ્ટ 2019ના રોજ ડો. પારુલ વડગામાએ નવી સિવિલ હોસ્પિટલની સરકારી નોકરીમાં અચોક્કસ મુદતની સિક લીવ (માંદગીની રજા) મૂકી છે. માંદગીની રજા મૂક્યા પછી તરત જ ડો.પારુલ વડગામાએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની ચૂંટણી લડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
છેલ્લા કેટલાક દિવસોની ગતિવિધિઓ જોતા ડો.પારુલ વડગામા સરકારી નોકરીના ચોપડે બેમુદતી રજા પર છે અને આ રજાઓ દરમિયાન અને હાલમાં IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મિટીંગો, સિટીંગો કરી રહ્યા છે. જુદી જુદી હોસ્પિટલો અને દવાખાનાઓના સીસી ટીવી કેમેરાઓના ફૂટેજ જોઇએ તો તેઓ બિલકુલ સ્વસ્થતાથી ચૂંટણી કેન્વાસિંગ કરી રહ્યા છે.
કમનસીબી નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓની છે કેમકે તેમની માંદગીમાં નવી સિવિલ હોસ્પિટલના એક વિભાગીય વડાની ટ્રીટમેન્ટ મળી નથી રહી તો બીજી તરફ રજા પર ઉતરેલા ડો.પારુલ વડગામા પોતાનો સમય IMA સુરતના પ્રમુખ પદની ચૂંટણીમાં વ્યતિત કરી રહ્યા છે
એક તરફ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ કહે છે કે હાલ વરસાદ બાદ બિમારીઓ ફાટી નીકળી છે અને આરોગ્ય કર્મચારીઓ રજાઓ કેન્સલ કરીને લોકોને સેવામાં મંડી પડે, ત્યારે સુરતમાં માંદગીની રજાનો ઉપયોગ કરીને IMA સુરતના પ્રેસિડેન્ટની ચૂંટણી લડાઇ રહી છે, આનું નામ સરકારી નોકરી.
રાજ્યમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલએ હેલ્થ વિભાગના તમામને એલર્ટ પર રહેવા સૂચના આપી છે
એ ખાસ નોંધનીય છે કે જ્યારે પારુલ વડગામાએ સરકારી નોકરીમાંથી માંદગીની રજા મૂકી ત્યારે ગુજરાતમાં અતિવૃષ્ઠિ હતી અને એ પછી બિમારીઓના દૌર વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલએ એવા આદેશો કર્યા હતા કે સરકારી તબીબોની તમામ રજાઓ કેન્સલ કરી દેવામાં આવે. નીતિન પટેલએ ત્યાં સુધી કહ્યું કે બિમારીઓ દૂર કરવામાં જે કર્મચારીઓ સારુ કામ કરશે તેમને શિરપાવ અપાશે અને જેઓ કસૂરવાર ઠરશે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
સ્પષ્ટતા
વાચકોને ખાસ સ્પષ્ટતા એ કરવાની કે IMA સુરતની ચૂંટણી અંગે અમે ડો. પારુલ વડગામા પાસેથી કેટલાક તથ્યો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે અમારા સવાલો વાંચ્યા બાદ, હું તમને પછી ફોન કરીશ એવો રિપ્લાય કર્યો હતો અને એ પછી તેમણે અમારો નંબર જ બ્લોક કરી દીધો હતો. આથી અમે તેમનો પ્રતિભાવ લઇ શક્તા નથી.
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ અહીં ગુરૂવારથી વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલા ટેસ્ટમાં મેદાને પડીને કરશે. ત્યારે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય સમતોલ ઇલેવનના સંયોજન સાથે વિજયનું રહેશે.
ભારત જો વેસ્ટ ઇન્ડિઝ સામેનો આ ટેસ્ટ મેચ જીતશે તો કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીની 27મી જીત હશે અને તે પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લેશે. આ મેચમાં સદી કરવાથી કપ્તાનના રૂપમાં તે 19 ટેસ્ટ સદી સાથે ઓસ્ટ્રેલિયાના રીકિ પોન્ટિંગની પણ બરાબરી કરી લેશે. બે ટેસ્ટની શ્રેણીમાં પહેલો મેચ ભારતીય સમય અનુસાર ગુરૂવારથી સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.
સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માના રહેતા ભારતીય ટીમ કાગળ પર મજબૂત લાગી રહી છે. આમ છતાં જેસન હોલ્ડરના નેતૃત્વ હેઠળની કેરેબિયન ટીમને હળવાશથી ન લઇ શકાય. ઇંગ્લેન્ડ તેનો અનુભવ કરી ચૂકયું છે. જેને આ જ વર્ષે વેસ્ટ ઇન્ડિઝની જીવંત પિચો પર 1-2થી પરાજય સહન કરવો પડયો હતો.
એન્ટીગ્વાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમની પિચ ઝડપી બોલરોને મદદગાર રહેશે. પિચમાં ગતિ અને ઉછાળ હોવા પર સુકાની કોહલી ચાર વિશેષજ્ઞ બોલર સાથે ઉતરવાનું પસંદ કરશે. અહીં પાછલા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ 187 અને 132 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. ભારતીય ઇલેજનમાં ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનરનું સંયોજન હશે. સ્પિનર તરીકે કુલદિપ અને અશ્વિનમાંથી એકને તક મળી શકે છે. અશ્વિન અનુભવ અને સારા બેટિંગને લીધે લગભગ પસંદ થશે.’ જ્યારે ત્રણ ફાસ્ટ બોલરના રૂપમાં જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી હશે.
ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝના હાલના રેકોર્ડને જોતા ભારતની ઇલેવનમાં વધારાના એક બેટધરને મોકો મળી શકે છે. આથી રોહિત શર્મા અને અંજિકયા રહાણે મીડલઓર્ડરમાં જોવા મળી શકે છે. જો પાંચ બોલર સાથે ભારતીય ટીમ ઉતરવાનું પસંદ કરશે તો ઓલરાઉન્ડરના રૂપમાં રવીન્દ્ર જાડેજાને તક મળશે. ઓપનિંગમાં મયંક અગ્રવાલ સાથે ઓપનિંગમાં હનુમા વિહારી અને કેએલ રાહુલમાંથી એકની પસંદગી થશે.
બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પાસે સાઇ હોપ, જોન કેંપબેલ, શિમરોન હેટમાયર જેવા પ્રતિભાશાળી બેટધર છે. અનુભવી ડેરેન બ્રાવો, રોસ્ટન ચેસ, ક્રેગ બ્રેથવેટ ભારતને સારી ટકકર આપવા સક્ષમ છે. ખાસ કરીને વિન્ડિઝની પેસ બેટરી’ મજબૂત છે.
ગુજરાતની જુદી જુદી ડિસ્ટ્રીક્ટ કોર્ટસ મળીને અંદાજે 18 લાખ 21 હજાર જેટલા કેસો પેન્ડીંગ પડ્યા છે. ઇન્સાફની રાહ જોઇ રહેલા કેસોની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધી રહી છે. કેન્દ્રીય કાયદા મંત્રીએ રાજ્યસભામાં આપેલા એક પ્રશ્નના જવાબમાંથી આ વિગતો સપાટી પર આવી હતી.
ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયેલા નારણ રાઠવાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદએ ઉપરોક્ત વિગતો રાજ્યસભામાં રજૂ કરી હતી.
ગુજરાતની કોર્ટસમાં પેંન્ડિંગ કેસોની વધતી સંખ્યા પાછળ અનેક પરીબળો છે, સૌથી મોટું પરિબળ મહેકમ છે, અપૂરતા સ્ટાફને કારણે કોર્ટસમાં કેસોનો ભરાવો થઇ રહ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસો અંગેની માહિતી આપતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં કુલ 1,23,478 કેસો પેન્ડિંગ છે જેમાંથી 3159 કેસો એવા છે જે 15 કે તેથી વધુ વર્ષથી પેન્ડિંગ છે. આ જ પ્રશ્નના ઉત્તરમાં જડ્જોની અપૂરતી સંખ્યાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જેના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત હાઇકોર્ટમાં કુલ 9 જ્ડજોની નિમણૂંક કરવામાં આવી ચૂકી છે.
આ કારણોથી ગુજરાતની કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે
availability of adequate number of judges
judicial officers
supporting court staff and
physical infrastructure
complexity of facts involved
nature of evidence
co-operation of stake holders like bar, investigation agencies, witnesses
litigants and
proper application of rules and procedures.”
ગુજરાતની ડિસ્ટ્રીક્ટ કોર્ટસમાં પેન્ડિંગ કેસો અંગે વિગતવાર માહિતી અનુસાર કુલ 16 લાખ 97 હજાર 830 કેસો પેન્ડિંગ છે તેમાંથી 4,45,643 સિવિલ કેસો છે જ્યારે 12,52,187 ક્રિમિનલ ટાઇપના કેસો પેન્ડિંગ છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક હાઈવે બંધ છે, મહારાષ્ટ્ર તરફથી આવતાં શાકભાજીની ટ્રકો ફસાઇ હોવાથી ગુજરાતના જુદાજુદા શહેરોમાં શાકભાજીનો સપ્લાય અનિયમિત બન્યો છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ સુધી શાકભાજીની સપ્લાય ચેઇન બ્રેક થઇ જતા હાલ શાકભાજીના ભાવો ચોમાસામાં ભડકે બળ્યા છે. રિંગણા અમદાવાદમાં 130 રૂપિયે કિલો જ્યારે સુરતમાં 120 રૂપિયે કિલો વેચાયા હોવાના અહેવાલો છે.
symbolic Photo
સુરત સમેત ગુજરાતની શબ્જી મંડીઓમાં શાકભાજીનો માલ સમયસર પહોંચતો ન હોવાથી તેમના દ્વારા માલની હેરફેર બંધ કરવામાં આવી હતી. શાકભાજીની નવી આવક ઘટવાના પગલે લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો હતો.
ગુજરાતમાં ધોધમાર વરસાદથી પીવાના અને સિંચાઈના પાણીમાં રાહત મળી છે, પરંતુ ભારે વરસાદના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે. પરિણામે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.
સિંગતેલ અને કઠોળના ભાવ વધારા પછી હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હતો. સૌથી વધુ રીંગણા મોંઘા બન્યા છે. ચાર પાંચ દિવસ પહેલા ૧૦-૧૫ રૂપિયાના કિલો વેચાતા રીંગણા યાર્ડમાં હરાજીમાં રૂ. ૧૩૦માં વેચાયા હતા જ્યારે છૂટક માર્કેટમાં રૂ.૧૫૦ સુધી ભાવ બોલાયા હતા.
ધ્રાબડિયા વાતાવરણને કારણે રીંગણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. જે ફૂલ અને કળી આવી હતી તે ખરી ગઈ છે એટલે ભાવ વધ્યો છે. સિઝનમાં ૧૦૦ ટન જેટલી આવક થાય છે તેના બદલે હાલની આવક માત્ર ૫ ટન જ છે. જેથી સામાન્ય રીતે ૩૦-૪૦ રૂપિયે મળતા શાકભાજી અત્યારે ૮૦થી ૧૦૦ રૂપિયા સુધી થઇ ગયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું છે. ઠેર-ઠેર પાણી ભરાતા પરપ્રાંતથી આવતી શાકભાજીની આવકમાં પણ ૪૦ ટકાનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો થતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાયા છે.
વડોદરામાં ૩૧મી જુલાઇએ આવેલા ભયાનક પૂર બાદ આજ સુધીમાં ૩૫ મગરને રેસ્કયુ કરવામાં આવ્યા છે. વન ખાતાએ જણાવ્યા અનુસાર વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્ર્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરને કારણે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વિશ્ર્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.
૩૧ જુલાઈથી ૧ ઑગસ્ટ સુધીમાં વડોદરામાં ૫૦૦ મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો અને વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું હતું. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીમાં મગર દેખાવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. ૮ ઑગસ્ટ સુધીમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૨૨ મગરને પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ જુદા જુદા સ્થળેથી ૧૩ મગર રેસ્કયુ કરવામાં આવ્યા છે. વડોદરા વન વિભાગના અધિકારી નિધી દવેએ જણાવ્યું છે કે, વડોદરા જંગલ વિભાગ ઉપરાંત એનડીઆરએફની કુશળ ટીમ અને અન્ય એનજીઓના કાર્યકરો પણ મગર રેસ્કયુ ઓપરેશનમાં જોડાયા હતા. વિશ્ર્વામિત્રી નદી વડોદરાની મધ્યમાંથી પસાર થઈ ધાધર નદીને મળે છે. માનવામાં આવે છે, કે બન્ને નદીઓ મગરનું મુખ્ય રહેઠાણ છે. આશરે ૨૫૦ જેટલા મગર બન્ને નદીઓમાં રહે છે. વડોદરાના કલાલી ગામ ઉપરાંત સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડ, ફતેહગંજ, સયાજીગંજ, રાજમહેલ રોડ તેમજ એકોટા વિસ્તારમાંથી મગર પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વિજ્ઞાન પ્રવાહના સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેરમાંથી પાસ થતાં હોઇ, કેટલાક ધંધાદારી લોકોએ સુરતમાં એવું વિચારીને કોલેજો શરૂ કરી દીધી કે વિદ્યાર્થી સંખ્યા મળી જશે અને દુકાન ચાલવા માંડશે. પરંતુ, ઢંગધડાવગરની કોલેજો શરૂ કરનારા સંચાલકોને પ્રવેશાર્થીઓ એવી ખો ભૂલાવી રહ્યા છે કે ધંધાદારીઓની દુકાન બંધ થવા માંડી છે. જેમકે એન્જિનિયરિંગમાં જેમની 85 ટકા સીટો ખાલી પડી રહી છે એ ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની દાનત પારખી ગયેલા વિદ્યાર્થીઓએ આર્કિટેક્ચર પ્રવેશમાં પણ તેમને જાકારો આપ્યા છે.
તાજેતરમાં રાજ્ય સરકારની પ્રવેશ સમિતિએ ફર્સ્ટ ઇયર બી.આર્ક કોલેજમાં પહેલા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશની માહિતી રજૂ કરી હતી. જેમાં ભગવાન મહાવીર ગ્રુપની મહાવીર સ્વામી આર્કિટેક્ચર કોલેજમાં ફક્ત બે વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરી હતી અને બન્નેને પ્રવેશ મળ્યા છે એ સિવાય આ કોલેજની 96 ટકા સીટો ખાલી પડવા પામી છે.
ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજની કુલ 95માંથી 85 સીટો ખાલી
એવી જ રીતે ભગવાન મહાવીર ગ્રુપની બીજી આર્કિટેક્ચર કોલેજ ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં સ્ટેટ ક્વોટાની 95 બેઠકો પૈકી માંડ 10 વિદ્યાર્થીઓએ ચોઇશ ફિલિંગ કરતા તમામ દસેદસને પ્રવેશ મળી ગયો છે. આ કોલેજમાં 90 ટકા બેઠકો ખાલી પડી રહી છે.
ગુજરાતી એકમાત્ર મહિલા આર્કિટેક્ચર કોલેજ સુરતની વિદ્યામંદિર કોલેજમાં 4 પ્રવેશાર્થી
એવી જ રીતે મહિલાઓ માટેની આખા રાજ્યની એકમાત્ર સુરતની વિદ્યામંદિર વિમેન્સ આર્કિટેક્ચર કોલેજમાં સંચાલકો અને અધ્યાપકોની જોહુકમીઓથી કંટાળી ગયેલી સિનિયર વિદ્યાર્થીઓના અનુભવો જાણ્યા બાદ આ કોલેજમાં નવા વર્ષમાં કોઇ પ્રવેશ લેવાલ નથી. વિદ્યામંદિર વિમેન્સ કોલેજમાં કુલ 48 સીટ પૈકી ફક્ત 4 વિદ્યાર્થિનીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ કોલેજની પણ 92 ટકા સીટો ખાલી પડી રહેવા પામી છે. વિદ્યામંદિર કોલેજ માટે તો એવું સંભળાય છે કે આ કોલેજના અધ્યાપકો તીસમારખાં હોય એ રીતે વિદ્યાર્થિનીઓને પરેશઆન કરવામાં કશું બાકી રાખતા નથી. ભૂતકાળમાં અનેક વખત ગંભીર ફરીયાદો ઉઠી ચૂકી છે છતાં સંચાલકોએ અધ્યાપકોની સામે પગલાં ભરવાને બદલે વિદ્યાર્થિનીઓના પેરેન્ટ્સને બોલાવીને મોઢું બંધ કરાવી દેવાના ધંધા કર્યા હતા હવે એ સંચાલકોને પણ પ્રવેશાર્થીઓની ભીખ માંગવા જવું પડે છે.
ભગવાન મહાવીર અને વિદ્યામંદિર વિમેન્સ બન્ને કોલેજોના સંચાલકોની કુલ ત્રણ આર્કિટેક્ચર કોલેજો મળીને રોકડા 16 પ્રવેશાર્થીઓ ફાળવાયા છે. આ 16માંથી કેટલા પ્રવેશ લે છે એ પણ જોવાનું રહે છે.
ગજેરા બંધુઓની લક્ષ્મી વિદ્યાપીઠમાં એકપણ પ્રવેશાર્થી નહીં
સુરતના ગજેરા બંધુઓએ વલસાડ નજીક સ્થાપેલી લક્ષ્મી વિદ્યાપીઠની હાલત બી.આર્ક.ની પ્રવેશ કાર્યવાહીમાં સૌથી કંગાળ રહી છે. લક્ષ્મી વિદ્યાપીઠની આર્કિટેક્ચર કોલેજમાં કુલ 29 સીટ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, 29 પૈકી 29 સીટો પહેલા રાઉન્ડના અંતે ખાલી પડી રહેવા પામી છે.
દક્ષિણ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
કોલેજનું નામ
સ્થળ
કુલ સીટ
પ્રવેશ ફાળવણી
ખાલી બેઠકો
સ્કેટ કોલેજ
સુરત
75
75
0
જીસી પટેલ, વીર નર્મદ યુનિ
સુરત
95
93
2
ભગવાન મહાવીર કોલેજ
સુરત
95
10
85
રમણ ભક્તા કોલેજ
બારડોલી
71
21
50
લક્ષ્મી વિદ્યાપીઠ
વલસાડ
29
0
29
વિદ્યામંદિર વિમેન્સ કોલેજ
સુરત
48
4
44
મહાવીર સ્વામી કોલેજ
સુરત
48
2
46
પી.પી.સવાણી યુનિ.
કોસંબા
38
11
27
ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા રાઉન્ડના અંતે પરિસ્થિતિ
તાજેતરમાં માંડવી તાલુકાના બિદડા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવ અને પરિસંવાદમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન અરુણ જેટલીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી.
સ્વતંત્રતા પર્વે જાહેર કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડએ કાશ્મીરની કલમ 370ની જગ્યાએ 170 કહીને ભાંગરો વાટ્યો અને અમીત શાહની જગ્યાએ નીતિન પટેલના નામોલ્લેખ કરીને હાંસીપાત્ર બન્યા હતા.અગાઉ ગુજરાત સરકારના મંત્રી વાસણ આહિરે એક જાહેર કાર્યક્રમમાં જીવીત અરુણ જેટલીને શ્રદ્ધાંજલી પાઠવી દીધી હતી.
ગુરુવારે ગુજરાત સરકારના પશુપાલન પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરમાં ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારના પ્રધાન બચુ ખાબડની જીભ બે વખત લપસી હતી. બચુ ખાબડે જાહેરસભામાં ૩૭૦ને બદલે ૧૭૦ની કલમ રદ્દ કરીને તેમ જણાવીને ભાંગરો વાટ્યો હતો. ત્યાર બાદ બીજી વખત પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે કહ્યુ હતું કે, આ દેશ પૂરા વિશ્ર્વમાં મહાસત્તા બને તે દિશા તરફ વડા પ્રધાન મોદી અને દેશના અમારા ગૃહ પ્રધાન નીતિન પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં દેશ વિકાસની તરફ આગળ જઇ રહ્યું છે. આમ બચુ ખાબડે દેશના ગૃહ પ્રધાન અમિત શાહના બદલે નીતિન પટેલ કહીને ભાંગરો વાટ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.