CIA ALERT

Slider Archives - Page 300 of 487 - CIA Live

October 1, 2019
bajrang_dal.png
1min6550

બજરંગ દળે ગુજરાતમાં ગરબાના આયોજકોને તેમના આયોજનના સ્થળે ‘બિન-હિન્દુઓ’ને પ્રવેશવા નહીં દેવા કહ્યું છે. બજરંગ દળનો એવો દાવો છે કે નવ દિવસ લાંબો નવરાત્રિનો ઉત્સવ હિન્દુ મહિલાઓને ફસાવવા માટેનો મંચ બની ગયો છે.

આ જમણેરી જૂથે ગુજરાતભરમાં રાસ-ગરબા માટેના તમામ સ્થળોની બહાર સતતપણે દેખરેખ રાખવા ટુકડીઓ તૈયાર કરી છે અને ‘લવ જેહાદ’ વિશે લોકોને સતર્ક કરતા પોસ્ટરો પણ લગાવ્યાં છે.

અમદાવાદમાં ગરબાની ઇવેન્ટના તમામ મોટા સ્થળોની નજીક અને ખાસ કરીને મુસ્લિમોના વર્ચસ્વવાળા વિસ્તારોની નજીકના ગરબાના સ્થળોની આસપાસ આવા પોસ્ટરો લગાડી દેવામાં આવ્યા છે. આ જાણકારી બજરંગ દળના અમદાવાદ ઝોનના કો-ઑર્ડિનેટર જ્વલિત મહેતાએ સોમવારે આપી હતી.

મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આ પોસ્ટરો દ્વારા વ્યાપક પ્રમાણમાં લોકોને એવા પેંતરા વિશે સાવચેત કરી દેવા માગીએ છીએ કે જેમાં નવરાત્રિ દરમિયાન બિન-હિન્દુઓ દ્વારા હિન્દુ છોકરીઓ અને મહિલાઓને લક્ષ્યાંક બનાવવામાં આવતી હોય છે. દર વર્ષે ત્રણ લાખ કરતાં પણ હિન્દુ ક્ધયાઓ અને મહિલાઓ લવ જેહાદનો શિકાર બનતી હોય છે.’

બજરંગ દળે હિન્દુ છોકરીઓના માતા-પિતાને પણ સતર્ક રહીને પોતાની છોકરીઓને લવ જેહાદથી બચાવવા ચેતવ્યાં છે. આ દળે અમદાવાદમાં ગરબાના તમામ મોટા સ્થળે દેખરેખ રાખવા ટુકડીઓ પણ બનાવી છે. મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘ગરબાના સ્થળે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા અમે ગરબાના આયોજકોને કહી દીધું છે. જો અમે કોઈ છોકરી કે મહિલા સાથે કોઈ વિધર્મીને પકડીશું તો પહેલાં તો અમે એ છોકરીના મમ્મી-પપ્પાને તેમ જ મહિલાના પરિવારને વાકેફ કરીશું અને પછી પેલા બિન-હિન્દુ છોકરા કે પુરુષનો કોઈ ગુપ્ત ઇરાદો છે કે કેમ એ વિશે બનતી બધી જ વિગતો મેળવવાની કોશિશ કરીશું.’

બજરંગ દળે હિન્દુ ધર્મની પવિત્રતા જાળવવા અને છોકરીઓ-મહિલાઓને લવ જેહાદથી બચાવવા બાબતમાં સ્થાનિક પોલીસ તંત્ર અને વહીવટતંત્રને પણ અરજ કરી છે.

બજરંગ દળના ઉત્તર ગુજરાતના સંકલનકાર એમ. કે. પટેલે પીટીઆઇને કહ્યું હતું કે ‘નવરાત્રિ હિન્દુઓનો ખૂબ મહત્ત્વનો તહેવાર છે અને આ ઉત્સવ લવ જેહાદ માટેનો મંચ ન બની જવો જોઈએ. બિન-હિન્દુઓને આ હિન્દુ તહેવાર સાથે કંઈ જ લેવાદેવા નથી, પરંતુ તેઓ ફાયદો ઉઠાવીને અમારા ધર્મની છોકરીઓ/મહિલાઓને ફસાવતા હોય છે.’

દળના નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ તેમ જ સ્થાનિક સત્તાધીશોને હિન્દુ છોકરીઓ/મહિલાઓની સલામતી જળવાય એની કાળજી લેવાની વિનંતી કરતા આવેદનપત્ર મોકલ્યા છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ભૂતપૂર્વ વડા પ્રવીણ તોગડિયા દ્વારા રચાયેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (એએચપી) પણ ગુજરાતમાં ગરબાના સ્થળો ખાતે બિન-હિન્દુઓને પ્રવેશ ન આપવા સંબંધમાં કાર્ય કરી રહી છે.

એેએચપીના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘અમે ગરબાના આયોજકોને સૂચિત કરી દીધા છે કે આ હિન્દુ પર્વની પવિત્રતા સાથે કોઈ પણ વ્યક્તિ છેડછાડ ન કરે એનું ધ્યાન રાખજો. જો કોઈ બિન-હિન્દુ વ્યક્તિ ગરબા રમવા ઇચ્છે તો તેણે સૌથી પહેલાં તો હિન્દુ ધર્મ અંગીકાર કરવો પડશે, ગૌમૂત્રનું પાન કરવું પડશે અને પછી જ તે ગરબા રમી શકશે. અમે કોઈપણ બિન-હિન્દુ પુરુષની લવ જેહાદની પ્રવૃત્તિ નહીં સાંખી લઈએ.’

એએચપીના બીજા નેતા જિતેન્દ્ર પ્રજાપતિએ કહ્યું હતું કે ‘બિન-હિન્દુઓને ગરબાની ઇવેન્ટના સ્થળે આવતા રોકવા એએચપીએ ચોકીપહેરા માટેની ટુકડીઓ તૈયાર કરી છે જે ગરબાના સ્થળોની બહાર ખેલૈયાઓ પર ગૌમૂત્ર છાંટે છે.’

ગુજરાતમાં બજરંગ દળની આયોજકોને ચેતવણી ક હિન્દુ છોકરીઓને ‘લવ જેહાદ’માં ફસાવવામાં આવતી હોવાનો આક્ષેપ

October 1, 2019
jitu_vaghani.jpg
1min10060

ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા, ગાંધીજીનું બીજું વિશેષણ મોદીને મળ્યું

આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ પૂર્વે આજરોજ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના રોજ ગુજરાતની ધરતી પર મહાત્મા ટુ મહાત્મા, નરેન્દ્રભાઇ મોદી ગાંધી બાપૂની 150મી જન્મજયંતિના કાર્યક્રમોમાં ઉપસ્થિત થઇ રહ્યા છે, ગુજરાત માટે તેમણે આ ઘટના ગૌરવવંતી ગણાવી હતી.

ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીએ તા.1લી ઓક્ટોબર 2019ના રોજ સુરત ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે તા.2જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ પર્વે ગુજરાત આવી રહેલા વડાપ્રધાન શ્રી મોદીના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઇ વાઘાણીએ નરેન્દ્ર મોદીને મહાત્મા ગણાવ્યા હતા.

થોડા દિવસો અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમેરીકાના પ્રવાસે હતા ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીજીનું એક વિશેષણ ફાધર ઓફ ધ નેશન શબ્દ પ્રયોગ શ્રી નરેન્દ્ર મોદી માટે કર્યો હતો. એ વાત સોશ્યલ મિડીયા પર ભારે ટ્રોલ થઇ હતી. આજે તા.1લી ઓક્ટોબર 2019ના રોજ ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મહાત્મા ગાંધીને અપાયેલું એક વિશેષણ મહાત્મા શબ્દ પ્રયોગથી શ્રી નરેન્દ્ર મોદીને નવાજ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધેલા કાશ્મીરમાંથી 360મી કલમ દૂર કરવા સંદર્ભે લીધેલા પગલાંને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી હોવાનું જણાવીને સમગ્ર દુનિયામાં ભારતનું સ્વાભિમાન વધારનાર નેતા તરીકે શ્રી મોદીને ગણાવ્યા હતા. અમેરીકાના સફળ પ્રવાસ બાદ પહેલી વખત ગુજરાત આવી રહેલા શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપા દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તા.2જી ઓક્ટોબર 2019ના રોજ જોરદાર બહુમાન કરવામાં આવશે.

ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન

ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ ખાદી પ્રિય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યોમાં સૌથી મહત્વની ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન સૂત્ર આપીને ખાદી ખરીદીને દેશભરમાં પ્રચલિત કરનાર નેતા શ્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા.

જીતુભાઇ વાઘાણીએ વડાપ્રધાન શ્રી મોદીના આવતીકાલ તા.2જી ઓક્ટોબર 2019ના ગુજરાતના ટૂંકા પ્રવાસ અંગેના ટેન્ટીટીવ કાર્યક્રમ પત્રકાર પરીષદમાં ઘોષણા કરી હતી.

શ્રી મોદીના તા.2જી ઓક્ટોબરના સંભવિત સૂચિત કાર્યક્રમની રૂપરેખા

  • 5.30થી 5.45 વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આગમન સમયે એરપોર્ટ પ્રીમાઇસીસમાં જ ભાજપા પ્રદેશ એકમ દ્વારા ભવ્યાતિભવ્ય સમારોહ
  • 6.15 વાગ્યે સાબરમતિ આશ્રમ ખાતે મહાત્મા ગાંધી પ્રતિમાને ફૂલહાર, સૂતરની આંટી પહેરાવવાના કાર્યક્રમોમાં હાજરી આપશે
  • 7થી 7.30 દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જ્યાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશભરના 20000 ગામડાઓના સરપંચોના સમારોહને સંબોધશે
  • 8.40 સુધીમાં અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા ગુજરાત સરકારના નવરાત્રી ઉત્સવમાં હાજરી આપશે. માં અંબાની આરતી ઉતારશે.
  • 9.10 પછી અનુકૂળ સમયે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે

6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોના વિજય માર્જીન વધારે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા હોવાનું જણાવતા જીતુ વાઘાણી

સુરત ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપાના ઉમેદવારો 6 એ બેઠકો પર માર્જિન વધારીને જીત મેળવશે એવા ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે. તેમનો કહેવાનો મતલબ એ હતો કે કોંગ્રેસના ઉમેદવારો હારેલા, જાકારો પામેલા છે, ભાજપાની જીતને આસાન બનાવી દીધી છે.

September 30, 2019
s1-1280x960.jpg
1min12370

સુરતમાં હડતાળ પાડનાર શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા આદેશો જારી

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં ઘૂસીને અસામાજિકોનો કહેવાતો સાથ મેળવીને શિક્ષકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં વિલંબ થતાં નારાજ થયેલા સુરતના શાળા સંચાલકોએ 1200 જેટલી સ્કૂલ સમેતની શૈક્ષણિક સંસ્થાઓમાં સજ્જડ હડતાળ પાડી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ રજૂઆત કરવા ગયેલ સંચાલકોને જણાવ્યું કે આશાદીપ સ્કુલમાં શિક્ષક પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની લાગણી છે કે સંચાલકોએ હવે અડધા દિવસની હડતાળ પણ સમેટીને સમાજમાં એક સારો મેસેજ જાય એ માટે હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરવી જોઇએ.

શિક્ષણાધિકારી શ્રી રાજ્યુગુરને શાળા સંચાલકોએ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી

શિક્ષણાધિકારી મારફતે મળેલી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની લાગણી સંદર્ભે સુરતના શાળા સંચાલકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરીને હડતાળ પૂરેપૂરી રીતે જારી રાખી હતી. શિક્ષકો, સંચાલકો પર થઇ રહેલા હુમલાની સાથે સરકાર દ્વારા અને સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી કનડગત અંગે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે આજે શિક્ષણાધિકારીને અનેક ખરીખોટી સંભળાવી હતી.

પણ આજે અડધા દિવસની હડતાળ સમેટીને શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવાની શિક્ષણમંત્રીની ઓફર બિલકુલ ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હડતાળ પાડનાર સંચાલકો સામે પગલાં ભરવા કડક સૂચના

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુરતના શાળા સંચાલકોને હડતાળ નહીં પાડવાની અપીલ ઠુકરાવ્યા બાદ આજે સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ જબરદસ્ત ઐક્ય દેખાડીને શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે શાળા સંચાલકોની માગણી હતી કે શિક્ષક પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની માગણી પૂરી થઇ છે. દસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે આજે આવેદનપત્ર આપવા આવેલા સંચાલકો

મુખ્યમાગણી સંતોષાઇ ચૂકી હોઇ, સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ હડતાળ સમેટી લેવી જોઇએ, જેથી લોકોમાં એક સદભાવનાભર્યો મેસેજ જઇ શકે. શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ શાળા સંચાલકોના પ્રતિનિધિઓને આ બાબતથી માહિતીગાર કર્યા હતા પરંતુ, શાળા સંચાલકો અધવચ્ચેથી હડતાળ સમેટવા બિલકુલ રાજી થયા ન હતા. પરીણામે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હડતાળ પાડનાર શાળા સંચાલકો તેમજ હડતાળમાં જોડાનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં શાળા સંચાલકોને પણ સાણસામાં લેવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.

September 30, 2019
close.jpg
1min11870

શિક્ષક પર હુમલાના વિરોધમાં સુરતની પ્રાઇવેટ સ્કુલો સ્વયંભુ અને સજ્જડ બંધ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં નાના વરાછા સ્થિત આશાદીપ ગ્રુપ ઓપ સ્કુલ્સના એક શિક્ષકને શાળા કેમ્પસમાં ઘૂસીને વાલીઓ દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે સોમવાર, તા.30મી સપ્ટેમ્બરના રોજ સવારની પાળીમાં ચાલતી સુરત શહેર જિલ્લાની તમામ પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોએ સજ્જડ બંધ પાળીને આ મુદ્દા પર પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું હતું કે કોઇ એક શિક્ષક પર હુમલો એ સમગ્ર શિક્ષણ જગત પર હુમલો છે.

શાળાઓની ઇવેન્ટ્સ ખોરવાય, પહેલા નોરતેેં રવિવાર હતો, બીજા નોરતેં રજા મળી

આજે સવારની પાળીમાં સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, પ્રાઇવેટ ટ્યુશન, પર્સનલ ટ્યુશન, કોચિંગ ક્લાસીસો તમામ બંધ રહેતા સુરતમાં કમસેકમ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓનું એક દિવસનું શિક્ષણ કાર્ય ખોરવાય જવા પામ્યું હતું. અનેક શાળાઓમાં આજે ગરબા સ્પર્ધા તેમજ અન્ય ઇવેન્ટ ખોરવાય જવા પામી હતી. પહેલા નોરતાં એ રવિવારની રજા હતા અને સુરતમાં આજે બીજાં નોરતાં એ પણ વિદ્યાર્થીઓને રજા મળી જવા પામી હતી.

પ્રાઇવેટ સ્કુલોના વર્ગખંડો વિદ્યાર્થી વિહીન નિસ્તેજ દેખાયા

શાળાના વર્ગખંડો વિદ્યાર્થી વગર સૂનાસૂના ભાસતા હતા. સાંકેતિક ફોટો

વિદ્યાર્થી વગરના વર્ગખંડો વિદ્યાર્થીઓના અભાવે બિલકુલ વેરાન અને સૂના સૂના ભાસતા હતા. સુરત શહેરની એકેય પ્રાઇવેટ સ્કુલ શરૂ હોવાનો અહેવાલ કે અફવા પણ ફેલાઇ ન હતી એટલી મજબૂતાઇથી આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બંધના એલાનને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે સવારની પાળીમાં ફક્ત ગ્રાન્ટઇન એઇડ પ્રકારની અને શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય શરૂ રહ્યું હતું.

પ્રાઇવેટ સ્કુલો બંધ હોવા અંગે રવિવારે જ વાલીઓના મોબાઇલ પર મેસેજ પહોંચી ગયા હતા

સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ પ્રાઇવેટ શાળાઓ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલો, ટ્યુશન ક્લાસીસો બંધ રહેવા અંગે રવિવારે જ સંચાલકોએ પોતપોતાના વાલીઓને બંધ અંગેના મેસેજ પાઠવી દીધા હતા. બીજી તરફ વિદ્યાર્થીઓને શાળાએ લાવવા લઇ જવાનું કામ કરતા સ્કુલ બસ, સ્કુલ ઓટો, સ્કુલ વાનવાળાઓને પણ સોમવારે બંધ અંગેની જાણકારી આપી દેવામાં આવી હતી. પરીણામે આજે સવારે સ્કુલોને બંધ પાળવા, પળાવવામાં કોઇ મુશ્કેલી જણાઇ ન હતી.

બરાબર એક વર્ષ અગાઉ સ્કુલ સંચાલકો અને સરકાર આમને સામને હતા

બરાબર એક વર્ષ અગાઉ ગઇ નવરાત્રીમાં પણ રાજ્ય સરકાર અને સ્કુલ સંચાલકો આમને સામને હતા અને આજે બીજા નોરતેં પણ આ જ પરિસ્થિતિ સર્જાઇ છે. એક વર્ષ અગાઉ સરકારે આપેલા બિનજરૂરી, બિનઉપયોગી નવરાત્રી વેકેશનનો મુદ્દો હતો, ત્યારે સરકાર સ્કુલ બંધ કરાવવા માંગતી હતી અને સંચાલકો સ્કુલ શરૂ રાખવા માંગતા હતા. આજે એક વર્ષ પછી સંચાલકો સ્કુલ બંધ કરાવી છે, જ્યારે સરકારે સ્કુલ બંધ રાખવા સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. આમ પરિસ્થિતિ એ જ છે મુદ્દાઓ બદલાયા છે.

September 30, 2019
dropout.jpg
1min6730

એમ. ટૅક.ના અભ્યાસક્રમને વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા પાસ ન કરી લે કે નોકરી ન મળે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા માનતા હોવાને કારણે આઈઆઈટી ખાતે એમ. ટૅક.નો અભ્યાસક્રમ અધવચ્ચે જ છોડી જનારાંઓનું પ્રમાણ પચાસ ટકા કરતા પણ વધુ હોવાનું આઈઆઈટી દિલ્હીના ડિરેક્ટર રામગોપાલ રાવે કહ્યું હતું.

તાજેતરમાં કરવામાં આવેલા ફી વધારાને તેમણે રસ ન ધરાવતા વિદ્યાર્થીઓ પરની સર્જિકલ સ્ટ્રાઈક લેખાવી હતી. ફી વધારો કરવાનો આઈઆઈટી કાઉન્સિલનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે અને સરકારી ભંડોળની બચત કરશે.

આ અભ્યાસક્રમમાં રસ ન ધરાવતા વિદ્યાર્થીઓને અમુક મફત સુવિધાઓ આપીએ છીએ તે હવે બંધ થવી જોઈએ અને બેજવાબદાર બનેલી સિસ્ટમને ક્યાંક અટકાવવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

અનેક વિદ્યાર્થી એમ. ટૅક.નો અભ્યાસ કરવા માટે ઍડમિશન લે છે, પરંતુ તેમાંથી પચાસ ટકા કરતા પણ વધુ વિદ્યાર્થી જેવી તેમને નોકરી મળે કે તરત જ અભ્યાસ અધવચ્ચેથી જ પડતો મૂકી દે છે.

બાકી બચેલા વિદ્યાર્થીઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેમને હાલના તેમનાં અભ્યાસમાં બિલકુલ રસ હોતો નથી, એમ દેશની ૨૩ આઈઆઈટીની ટોચની નિર્ણાયક સંસ્થા આઈઆઈટી કાઉન્સિલના સભ્ય રાવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ બાબત દેશના મૂલ્યવાન સ્રોતોનો બગાડ કરવા બરાબર છે. આઈઆઈટીમાં માસ્ટર્સની ડિગ્રીના અભ્યાસક્રમમાં પચાસ ટકા કરતા પણ વધુ ડ્રૉપઆઉટનો મતલબ વિદ્યાર્થીઓ માટે બી. ટૅક. બાદ તેમને મળતી નોકરીનું મૂલ્ય એમ. ટૅક.ના અભ્યાસ બાદ તેઓ જે કારકિર્દી ઘડી શકે છે તેનાં કરતા વધુ છે.

આવા વિદ્યાર્થીઓને અમે કરદાતાઓની મહેનતના રૂપિયાથી મફત શિક્ષણ કઈ રીતે આપી શકીએ જ્યારે તેમને પોતાને જ એ અભ્યાસક્રમનું મૂલ્ય નથી એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ ચેતવણીરૂપ પરિસ્થિતિ છે.

September 30, 2019
onion.jpg
1min5910

કેન્દ્ર સરકારે રવિવારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી હતી. રિટેલ વેપારીઓ સો ક્વિન્ટલ સુધી અને હોલસેલ વેપારીઓ ૫૦૦ ક્વિન્ટલ સુધી ડુંગળીનો જથ્થો સ્ટોક કરી શકશે. સંગ્રહખોરી અટકાવવા કડક પગલાં ભરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવ્યા છે, તેવું ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયે રવિવારે કહ્યું હતું.

એમઇપી (મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ- લઘુતમ ટેકાના ભાવ) ભાવે બંગ્લાદેશ અને શ્રીલંકામાં કરવામાં આવતી નિકાસ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ ૬૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા પ્રમુખ ડુંગળી ઉત્પાદક રાજ્યમાં પૂર પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ડુંગળીની અછત સર્જાઇ છે.

કોમર્સ મંત્રાલયના ડીજીએફટી (ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ)એ એક જાહેરનામામાં કહ્યું કે તમામ પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અગાઉ ૧૩મી સપ્ટેમ્બરે ડુંગળીની નિકાસ પર મિનિમમ ઍક્સપોર્ટ પ્રાઇસ (એમઇપી) પ્રતિ ટન ૮૫૦ ડૉલર લાદવામાં આવી હતી. સંગ્રહખોરી અટકાવવા સરકારે વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદી છે. 

September 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9980

હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ આલમ પર, હવે એ સાંખી નહીં લેવાય

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના એક શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિચકારા હુમલાની વિરુદ્ધમાં સુરતનું સમગ્ર શિક્ષણ જગત સોમવાર તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ અભૂતપૂર્વ રીતે જડબેસલાક બંધ પાળશે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે કોઇ શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં પ્રાઇવેટ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, બાળમંદિરો બંધ રહ્યા હોય. સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ આ ઘટના બનવાની છે.

કઇ સ્કુલો બંધ અને કઇ સ્કુલો ચાલુ રહેશે

  • તમામ પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કુલો બંધ પાળશે
  • તમામ પ્રાઇવેટ બાળમંદિરો બંધ પાળશે
  • સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો બંધ પાળશે
  • સુરત શહેર જિલ્લાની તમામ સેન્ટ્રલ બોર્ડની સ્કુલો બંધમાં જોડાશે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલશે
  • ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
  • જુદા જુદા શૈક્ષણિક સંઘોએ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

પ્રાઇવેટ સ્કુલો, કોચિંગ ક્લાસીસો સમેત આગેવાનોની મળેલી બેઠકમાં શિક્ષકો પર થઇ રહેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ જગત પર છે. શિક્ષકો, આચાર્યો, સંચાલકો કે અન્ય કોઇ કર્મચારીઓ પર થતાં હુમલાને હવે સાંખી નહીં લેવાય. આ વખતે સમગ્ર શિક્ષણ જગત જબરદસ્ત ઐક્ય દેખાડી રહ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આશાદીપ વિદ્યાલયના શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત એકેડેમિક એસોસીએશ એટલે કે સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો પણ જોડાઇ રહ્યા છે. એવી જ રીતે પ્રાઇવેટ બાળમંદિરો પણ જોડાઇ રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કુલો પણ સોમવારના બંધમાં જોડાશે.

સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ સોમવાર તા.30મી સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં શિક્ષણ કાર્ય યથાવત રાખવાની સૂચના આપી છે, અને હડતાળ પાડનાર સંસ્થા સામે પગલાં ભરવાની ચેતવણી આપી છે, આમ છતાં સુરત શહેરનું શિક્ષણ જગત સોમવારે બંધ પાળશે એમાં બે મત નથી.

11 કલાકે સંચાલકોને પોલીસ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહેવા આહવાન

સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તા.30મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 11.45 કલાકે તમામ શાળા સંચાલકોને પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. શિક્ષકો પર થઇ રહેલા હુમલાનો વખોડી કાઢીને જવાબદારો સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યમાં આવી હરકતો ન થાય તે માટે વ્યવસ્થાતંત્ર વિકસાવવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

September 27, 2019
speed-boat-500x500.jpg
1min6340

વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.

એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.

September 26, 2019
CIA_Live_Logo_New2.jpg
2min7710

રાજ્ય સરકારે વી.સી. ગુપ્તા સામેની ગંભીર ફરીયાદો પર ધ્યાન ન આપ્યું ને બે ડઝનથી વધુ કેસો હાઇકોર્ટમાં થઇ ગયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે બિરાજ્યા બાદ ડો.શિવેન્દ્ર ગુપ્તા કોણ જાણે કોની દુશ્મનાવટોનો બદલો લઇ રહ્યા હોય, અનેક શિક્ષણશાસ્ત્રીઓની કારકિર્દી રંગદોળવાનો સિલસિલો તેમણે એક પછી એક હાથ ધર્યો છે. ગઇ તા.23મી ઓગસ્ટ 2019ના રોજ વીર નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય તરીકેની માન્યતાને ગેરકાનૂની ગણાવીને તેને રદ કરી તેના આધારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનું યુનિ.ના તમામ અધિકારમંડળોમાંથી વજુદ મિટાવી દેવા સબબનું જાહેરનામું જારી કરનાર વીર નર્મદ યુનિવર્સિટીને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી લપડાક મળી છે.

34 દિવસમાં ન્યાય મળી ગયો

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની ફાઇલ તસ્વીર. જેમની સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના શાસનમાં કિન્નાખોરી રાખીને તેમની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કરાયેલી નિમણૂંકને રદ કરીને યુનિવર્સિટીના તમામ અધિકારમંડળોના સભ્યપદેથી તેમનું વજુદ મિટાવી દેવાની કરવામાં આવેલી પેરવીને ગુજરાત હાઇકોર્ટે લપડાક મારી છે. હાઇકોર્ટે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિને બરકરાર રાખવા સંદર્ભનો આદેશ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ કર્યો હતો.

સુરતના ડુમસ રોડ પર બિગબાઝાર પાછળ આવેલી ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.શિવેન્દ્ર ગુપ્તા એન્ડ કંપનીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે શું વાંકુ પડ્યું ભગવાન જાણે પણ તેમણે યુનિવર્સિટીમાંથી ડો. ચૌહાણનો કાંટો કાઢી નાંખવાની નેમ લીધી હોય એ રીતે તેમની પાછળ પડી ગયા હતા અને મનસ્વી રીતે, સરકારે વખતોવખત કરેલા હુકમોની ઐસીતૈસી કરીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને ભારતીમૈયા કોલેજના આચાર્ય પદેથી તેમની માન્યતા રદ કરીને તેમને દૂર કરવાનું રીતસર જાહેરનામું બહાર પાડ્યું હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ સામે યુનિવર્સિટીએ ખોટી રીતે શિક્ષાત્મક પગલાં ભરીને આ જાહેરનામુ ચગાવી તેમની ભારોભાર બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો

ઉપરોક્ત જાહેરનામુ ચગાવીને ડો.મહેન્દ્રસિંહ ચૌહાણને તમામ અધિકાર મંડળોમાંથી પણ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના સમાચારો વહેતા કરાવવામાં આવ્યા હતા. ટૂંકમાં વીર નર્મદ યુનિ.માં હોનહાર કામગીરી કરી રહેલા ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનો કાંટો કાઢી નાંખવા સબબની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી હતી.

ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ એકલા દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ તબીબ છે. તેમની સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહી અંગે મિડીયામાં સામે ચાલીને માહિતીઓ આપીને તેમની બદનામી કરાવવામાં ડો.શિવેન્દ્ર ગુપ્તા એ કશું બાકી રાખ્યું ન હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાની સામે થયેલી કાર્યવાહીને મનસ્વી રીતે, નીતિ નિયમોથી પર થઇને કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન કરી હતી.

દેર હોય પણ અંધેર ન હોય

મળતી માહિતી મુજબ આજે ગુજરાત હાઇકોર્ટે આ અંગે કરેલા આ દેશમાં જણાવ્યું હતું કે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કામકાજ કરી શકશે. યુનિવર્સિટીએ તેમની સામે કરેલી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

યોગાનુંયોગ આ હિયરીંગ આજરોજ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ હાથ ધરાયું અને આદેશ પણ આજે જ હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તા આજે તેમની જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસે તેમણે હાથે કરેલા હૈયે વાગ્યા જેવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

18 મહિનામાં ડો.શિવેન્દ્ર ગુપ્તાના નિર્ણયો સામે ગુજરાત હાઇકોર્ટમાં 27 પીટીશનો થઇ ગઇ, હવે સરકાર જાગશે

જે દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ એ દિવસથી જ તેમની સામે, તેમની લાયકાત સામે, તેમની વર્તણૂંકો સામે ફરીયાદો ઉઠી હતી. રાજ્ય સરકારને વખતોવખત ફરીયાદો કરવામાં આવી પણ રાજ્ય સરકારે ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે એકેય હરફ ન ઉચ્ચાર્યો પરીણામે જેમની સાથે અન્યાય થયો તેમણે ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં જવું પડ્યું. ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે કુલ 27 કેસો હાઇકોર્ટમાં થઇ ગયા.

September 26, 2019
iima.jpg
1min6900

અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.

અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 

પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.