GJEPC, સૂરત ડાયમંડ એસોશીએશન અને જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશને GSTમાં રાહત માટે ડેપ્યુટી CMને સન્માનિત કર્યા
સુરતમાં હીરા ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કર્યું ભવ્ય અભિવાદન
સૂરતના હીરા ઉદ્યોગકારોએ આજે ભેગા મળીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનો જાહેર અભિવાદન કાર્યક્રમ શાનદાર રીતે સંપન્ન કર્યો હતો. હીરા ઉદ્યોગ પર લાગૂ પાડવામાં આવેલા જીએસટીના દરો ઘટાડવા સંદર્ભે કેન્દ્ર સરકારમાં પરીણામલક્ષી રજૂઆતો કરવામાં આગેવાની લેવા બદલ સૂરતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી), સૂરત ડાયમંડ એસોસીએશન તેમજ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઉપક્રમે સૂરતના અમેઝીયા સંકુલમાં આજે તા.14મી ઓક્ટોબર 2019ના રોજ બપોરે 3 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સૂરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટક સંઘો, નવસારીના હીરા ઉદ્યોગકારો, ખંભાતના હીરા ઉદ્યોગકારો સમેત અનેક સંસ્થાઓએ આ પ્રસંગે નીતિન પટેલનું બહુમાન કર્યું હતું.
હીરા ઉદ્યોગને કનડી રહેલા જીએસટીના અતિશય દરોને ઓછા કરવા સંદર્ભની કાર્યવાહી હાથ ધરાય એ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમેતના નેતાઓએ કરેલી ધારદાર રજૂઆતોની જાહેર નોંધ લઇને તેમનો જાહેરમાં ઋુણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
હીરા ઉદ્યોગના પ્રશ્નો પરત્વે કેન્દ્રમાં કરેલી રજૂઆતો ફળદાયી નિવડી : દિનેશ નાવડીયા
સમારંભના આરંભમાં જેજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ તમામ મહાનુભાવોને આવકારતા નિખાલસ વાતો કરી હતી. તેમણે કહ્યું કે જેમ જેમ જીએસટીનો અમલ શરૂ થયો તેમ તેમ તેની નકારાત્મક બાબતે સામે આવી હતી. જીએસટી સમેત અન્ય પ્રતિકૂળતાએ જ્યારે સામે આવે ત્યારે જ તેની અસરકારકતાની પ્રતીતિ થાય. સૂરતના હીરા ઉદ્યોગકારો વતી અનેક વખત રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં, સ્થાનિક સાંસદો દ્વારા, ધારાસભ્યો દ્વારા રજૂઆતો થઇ. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ સમગ્ર પ્રશ્નનો સમજ્યો અને પછી કેન્દ્રમાં તેમણે પરીણાલક્ષી રજૂઆતો કરી, જેની ફળશ્રૃતિ રૂપે હીરા ઉદ્યોગ પરથી જીએસટીનો બિનજરૂરી ભાર ઓછો થયો છે.
પોતાના જાહેર અભિવાદન બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલએ સૂરતના હીરા ઉદ્યોગકારો તેમજ મહાનુભાવોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.
આ લોકોએ સમારોહને શાનદાર બનાવ્યો
આ સમારોહને સફળ બનાવવામાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા, જિલ્પાબેન શેઠ તેમજ સમગ્ર કાઉન્સિલ સ્ટાફ ઉપરાંત સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી બાબુભાઈ કથીરિયા અને તેમની ટીમ તથા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખશ્રી જયંતીભાઈ સાવલીયા તેમજ તેમની ટીમે છેલ્લા દસ દિવસથી ભારે જહેમત ઊઠાવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now