કોરોના કોણ કોણ ફેલાવી રહ્યું છે એ નામાવલિમાં હવે પાણીપુરીવાળા પણ આવી ગયા છે. અનલૉક-1ના અમલ સાથે જ ખાણીપીણી વેચતી સંસ્થાઓ ફરી શરૂ થતાં લોકો જીભના ચટાકા પુરા કરવા માટે બહારનું ખાતા થઇ ગયા છે. એમાં પણ પાણીપુરી કે ગોલગપ્પેના ચાહકો રીતસર તૂટી જ પડ્યા છે.
પણ પાણીપુરી ખાનારાઓ માટે સેડ ન્યુઝ એ છે કે હવે પાણીપુરીના વિક્રેતાઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોઇ, તેઓ પણ સુપરસ્પ્રેડરની શ્રેણીમાં આવી ગયા છે અને કાનપુર પ્રશાસને તો પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે.
દેશભરમાં પાણીપુરી એ ગોલગપ્પા, બતાશા અને પુચકા જેવા અલગ-અલગ નામની ઓળખાય છે. અનલોક-1 જાહેર થતા પાણીપુરીનું વેચાણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ પાણીપુરીની લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે તેવા ભયથી જિલ્લા પ્રશાસને મંગળવારે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. બ્રહ્મદેવ રામ તિવારીએ જણાવ્યું કે, ‘એવા ઈનપુટ હતા કે અનલોક-1માં છૂટછાટ મળ્યા બાદ વિક્રેતાઓ દ્વારા સરકારની જાહેર ગાઈડલાઈન્સનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનું જોયા બાદ અમારે તેના પર બેન લગાડી દેવો પડ્યો છે. ખાસ કરીને પાણીપુરીના સ્ટોલમાં ધારાધોરણોનું પાલન ન થતા હોવાનું પણ જણાય રહ્યું હતું.
પાણીપુરીના વેન્ડર્સે માસ્ક, ગ્લોવ્ઝ અને યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું જોઈતું હતું તેવું કઈંજ દેખાયું નહોતું. રાજ્યમાં પહેલાથી જ કેસો વધી રહ્યા હોવાથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ CISCE Board ના સત્તાધીશોએ આજે જારી કરેલી એક અખબારી યાદીમાં પોતાના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ જોગ જણાવ્યું છે કે તેઓ બોર્ડના બન્ને ધોરણોના વિદ્યાર્થીઓને બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું જણાવી રહ્યા છે.
ગુજરાતમાં CISCE Boardની કુલ 39 શાળાઓ છે.
સુરત શહેર જિલ્લામાં કુલ 05 શાળાઓ CISCE Board એફિલિયેટેડ છે.
CISCE Boardમાં ધો.12 એટલે ICSE અને ધો.10 એટલે ISC.
વિકલ્પ-1
જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે એ વિદ્યાર્થીઓ CISCE Board દ્વારા જાહેર કરવામાં આવેલા ફેર પરીક્ષાના કાર્યક્રમ અનુસાર બાકી રહેતા વિષયોની પરીક્ષા આપે. CISCE Board 22મી મે 2020ના રોજ જાહેર કરેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર સમગ્ર દેશવ્યાપી ધોરણે પરીક્ષાઓ લેવાનું આયોજન કરશે.
વિકલ્પ-2
જે વિદ્યાર્થીઓએ બાકી રહેલી પરીક્ષા આપવી ન હોય તેવા વિદ્યાર્થીઓએ વિકલ્પ-2 એટલે કે તેમને પ્રમોશન આપીને પાસ કરવામાં આવશે. તેમનું મૂલ્યાંકન તેમની શાળાએ કરેલા આંતરીક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમનું રિઝલ્ટ પાસ જાહેર કરવામાં આવશે.
CISCE Board દરેક શાળાઓને સૂચના
CISCE Board બોર્ડની દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બન્ને વિકલ્પોની જાણ કરીને તેમની પાસે લેખિતમાં વિકલ્પ પસંદગી અંગેનું માર્ગદર્શન મેળવીને બોર્ડને જાણ કરે જેથી બોર્ડ આગળની કાર્યવાહી કરી શકે.
CISCE Boardની સત્તાવાર અખબારી યાદી
To download above notification please click link below
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૩૪૪ ટેસ્ટ થકી નવા ૫૧૪ પોઝિટિવ દર્દીઓ શોધી શકાયા છે એ સાથે રાજ્યનો આંક ૨૪૦૦૦ને પાર થઇ ૨૪૦૧૪ સુધી પહોંચ્યો છે. ૧૩ જૂને ૫૧૭ના વિક્રમી આંક પછીના આ બીજા સૌથી વધારે કેસ છે. ૨૭ દિવસમાં રાજ્યમાં નવા ૧૨૦૦૦ કેસ ઉમેરાયા છે. જ્યારે સોમવારે સાંજે પ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૮ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૫૦૦ને પાર થઇ ૧૫૦૬ સુધી પહોંચ્યો છે.
અમદાવાદમાં વધુ ૩૨૭ કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૬૯૮૭ એટલે કે ૧૭૦૦૦ની નજીક પહોચી ગયો છે. આ જ સમયગાળામાં ગ્રામ્યમાં ૩ સહિત કુલ ૨૩ દર્દીઓએ કોરોના સંક્રમણ સામે હારી જતાં મૃત્યુ પામ્યા છે એના પગલે મૃત્યુ આંક ૧૨૦૦ને પાર થઇ ૧૨૧૦ સુધી પહોંચી ગયો છે.
અમદાવાદની જેમ સુરતમાં પણ નવા કેસ અને મૃત્યુનો સીલસીલો હજીયે યથાવત રહ્યો છે નવા ૬૪ કેસ ઉમેરાયા છે સાથોસાથ વધુ ૪ દર્દીઓએ જાન ગુમાવતા કુલ મૃત્યુ આંક ૧૦૦ને પાર થઇ ૧૦૪ થયો છે. અરવલ્લી જિલ્લામાં વધુ એક મૃત્યુ નોંધાયું છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૩૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિકવરી આંક ૧૬૬૭૨ સુધી પહોંચ્યો છે.
સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ, નગરોમાં સંક્રમણની સ્થિતિ ઉપર નજર કરીએ તો સુરત પછી વડોદરામાં વધુ ૪૪ પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. ગાંધીનગરમાં વધુ ૧૫, જામનગર અને ભરૂચમાં એકાએક ફરીથી કેસ વધ્યા છે. આ બન્ને જગાએ નવ નવ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં એક સાથે ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જૂનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.
સતત છેલ્લા ત્રણ દિવસથી દેશમાં 24 કલાકમાં નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 11,000ના આંકડાને પાર કરી જાય છ. સોમવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,502 નવા કેસ નોંધાયા છે અને 325 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3,32,424 કન્ફર્મ કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે 1,53,106 એક્ટિવ કેસ છે. કોરોના વાયરસથી અત્યાર સુધી દેશભરમાં 9,520 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બીજી તરફ 1,69,797 લોકો સાજા પણ થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3,390 કેસ નોંધાયા હતા અને 120 લોકોનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,07,958 કેસ છે. જેમાંથી 53,030 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 50,978 લોકો સારવાર બાદ સાજા થયા છે અને 3,950 લોકો મૃત્યુ પામ્યા છે.
ગુજરાત રાજ્યમાં રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં કોરોનાના વધુ 511 કેસ નોંધાયા હતા અને 29 દર્દીઓના મોત થયા હતા. 442 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 23,590 અને મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. સુરત શહેરમાં એ-૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬, જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડમાં પાસ થયા છે.
તાજેતરમાં જાહેર થયેલા ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ ગત વર્ષની સરખામણીએ ઘટ્યું હતું પણ આજે જાહેર થયેલું ધો.૧૨ કોમર્સનું પરિણામ ત્રણ ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ અગ્રેસર રહી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે. માર્ચ- ૨૦૨૦ની પરીક્ષા માટે રેગ્યુલર ૩.૭૪ લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે ૭૯ હજાર વિદ્યાર્થીઓ રિપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.
પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે દર વધારો થયો હતો. સોમવારે પેટ્રોલના દરમાં ૪૮ પૈસાનો અને ડીઝલના દરમાં ૨૩ પૈસાનો વધારો થયો હતો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા. ૨નો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના દર પ્રતિ લિટરે રૂ. ૭૫.૭૮થી વધીને રૂ. ૭૬.૨૬ થયા હતા, જ્યારે ડીઝલના દર પ્રતિ લિટરે રૂ. ૭૪.૦૩થી વધીને રૂ. ૭૪.૨૬ થયા હતા, એમ સ્ટેટ ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવાયું હતું.
સંપૂર્ણ દેશમાં આ વધારો લાગુ થયો છે અને દરેક રાજ્યમાં સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા વેટને આધારે તેના દર અલગ અલગ હશે. સાતમી જૂનથી ઓઇલ કંપનીઓએ દરમાં સુધારો કરવાનું શરૂ કર્યા બાદ સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થયો હતો.
નવ દિવસમાં પેટ્રોલના દરમાં પ્રતિ લિટરે રૂ. પાંચ અને ડીઝલના દરમાં પ્રતિ લિટરે રૂ. ૪.૮૭નો વધારો થયો હતો.
વધારાનું ભંડોળ ભેગુ કરવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યા બાદ માર્ચના મધ્યમાં દરને ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. ૧ જૂનથી અનલોક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે. ઉદ્યોગધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.
તા.4થી જુન 2022ના રોજ ધો.12 કોમર્સનું ગુજરાત બોર્ડનું પરીણામ જાહેર થશે. એ પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધો.12 પછી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રમાં કયા કોર્સમાં પ્રવેશ મેળવવો જોઇએ એ કામ એટલું અગત્યનું છે કે તેના પર વિદ્યાર્થીઓની જ નહીં બલ્કે સમગ્ર પરિવારનું ભવિષ્ય નિર્ભર રહેલું હોય છે. ધો.12 કોમર્સને આમેય સામાન્ય પ્રવાહ તરીકે જ ગણવામાં આવે છે ત્યારે ફક્ત કાગળની ડિગ્રી આપે એવા કોર્સની જગ્યાએ એવા કોર્સમાં જોડાવું જોઇએ જેનો કન્ટેન્ટ વ્યાવસાયિક કારર્કિર્દીના ઘડતરમાં ઉપયોગી થાય.
કેમ્પસ નહીં કોર્સ કન્ટેન્ટ જોઇને પ્રવેશ લેવો જોઇએ
ધો.12 કોમર્સ પછી કોલેજ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે તે કોલેજ કેમ્પસ કે તેમાં આપવામાં આવતી ફેસેલિટીઝીની જગ્યાએ કોર્સ કન્ટેન્ટ કે તેમાં શું અભ્યાસ કરાવવામાં આવશે એ જોઇને પ્રવેશ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.
કોમર્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના વિકલ્પો
• B.Com. stands for Bachelor of Commerce. Generally a 3 years long course. • B.B.A. stands for Bachelor of Business Administration. 3 years course. • B.M.S. stands for Bachelor of Management Science. 3 years long course. • L.L.B. Integrated Law course. Duration is 5 years. It is a combination of General Graduation course and Law • B.B.S. stands for Bachelor of Business Studies. Course duration is 3 years. • B.H.M. stands for Bachelor of Hotel Management. duration is 4 year. • B.A. Eco. stands for Bachelor of Economics. Course duration is 3 years. • B.F.A. stands for Bachelor of Finance and Accounting. duration is 3 years. • B.C.A. stands for Bachelor of Computer Applications. duration is 3 years. • B.Sc.I.T. Information Technology. Course duration is 3 and 5 years. • B.Sc.Statistics Course duration is 3 years. • B.M.M. stands for Bachelor of Journalism and Mass Media. Course duration is 3 years. • B.Sc.Animation and Multimedia. Course duration is 3 years. • B.E.M. stands for Bachelor of Event Management. duration is 3 years. • B.F.D. stands for Bachelor of Fashion Design. Course is 3-4 years. • B.El.Ed. stands for Bachelor of Elementary Education. Duration is 4 years. • B.P.Ed. stands for Bachelor of Physical Education. Course duration is 1 year. • D.El.Ed. stands for Diploma in Elementary Education. Course duration is generally 2 years. • B.SW. stands for Bachelor of Social Work. Course duration is 3 years.
ધો.12 કોમર્સ પછી એક રેગ્યુલર ડિગ્રી અને નીચેમાંથી કોઇ એક સર્ટિફિકેશન્સનું કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
• Business economics:
This would cover concepts like the laws of demand and supply, law of returns, elasticity, theory of pricing under different market forms etc.
• Financial accounting:
This subject would deal with the preparation of profit and loss statements, balance sheets and final accounts of a company, knowledge of Indian and international accounting standards, calculation of depreciation and valuation of shares and goodwill of a company.
• Cost accounting:
This would include process, job and contract costing, costing of overheads, standard and variance costing and budgetary control. • Income tax:
This would encompass the nature and basis of charge of income tax, tax planning, tax deduction, incomes not taxable etc.
• Auditing :
This would deal with vouching, valuation and verification of transactions, assets and liabilities. It will also include studying the auditing of different organizations like clubs, hospitals and charitable concerns.
• Business finance:
This would include in its scope financial analysis as a diagnostic tool, the management of working capital and its components as well as capital structure leverages.
• Business law :
This subject would discuss the different laws in India relating to, among others, the Companies Act and the Consumer Protection Act.
• Marketing :
This subject would deal with products, pricing methods, promotion, channels of distribution, logistics etc.
PG course after graduation
Economics Marketing Entrepreneurship Mathematics Computer Applications and IT Business Regulatory Framework Company Laws Corporate Accounting Income Tax Business Communications Business Environment Management Accounting Auditing Statistics Human Resource Management Banking and Insurance
Law lines
Constitutional Laws Property Laws Banking Laws Environmental Laws Company Laws Consumer Protection Laws Family Laws Labour and Industrial Laws Human Rights laws Administrative Laws Public International Laws
Accounts line
Accounting Economics Taxation Tax Laws Auditing Business Laws Financial Management Business Communication Corporate Laws
Management line
Financial Management Marketing Economics Human Resource Management Accounting Statistics Business Communications Entrepreneurship skills
Economics Line
Agricultural Economics Macro Economics Principles of Economics Indian Economics Macro Economics Industrial Economics Banking Economics Public Finance International Trade Regional Economics
With hospitality management
Food Production
Front Office Operations
Human Resource Management
Housekeeping and Maintenance
Communication Skills
Travel Management
Accounting
Mass communication Line
Media Ethics Mass Communication Editing Reporting Languages and Translation Communication Skills Electronic Media Print Media
Event management subjects
Study of main events
Planning
Human Resource Management
Accounting
Marketing and Advertising
Public Relations
Business Law
Inbuilt with hotel management Communication Skills Foreign Language Food Production Travel Management Front Office Operations Housekeeping Management Accounting Nutrition and Food Science Public Relations Marketing
ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસી વગેરેમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાઓ હજુ તો જુલાઇ માસના અંતમાં લેવામાં આવશે, એ પહેલા હાલ જુનના બીજા અઠવાડીયાથી જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી.ના પહેલા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને રજિસ્ટ્રેશન બાદ તા.7મી જુલાઇએ પ્રવેશ કન્ફર્મ કરીને ફી ભરવા માટેની તારીખ પણ જાહેર કરી દીધી છે.
આ સ્થિતિમાં ધો.12 સાયન્સ પ્રવાહ પાસ થયેલા વિદ્યાર્થીઓ એ મૂંઝવણમાં છે કે તેઓ મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ પહેલા બી.એસસી.ના પ્રવેશ પ્રાધાન્ય કેવી રીતે આપી શકે. જો બી.એસસી.માં પ્રવેશ કન્ફર્મ કરાવે તો કોલેજો ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને પછી એ પરત મેળવવામાં ભારે ધાંધીયા થયાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે.
Options Beside B.Sc….
MBBS
Dental
Homeopathy
Aurvedic
Optometry
Nursing
Pharmacy
Agriculture
Physiotherapy
હવે શું થશે
વીર નર્મદ યુનિવર્સિટીએ ભલે બી.એસસી.માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી હોય. હવે એ પરિસ્થિતિ ઉદભવશે કે પ્રવેશાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે. એવા પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે જેમને નીટ કે ગુજકેટના આધારે પ્રવેશ મળવાનું નિશ્ચિત છે, આમ છતાં સેફ્ટી ખાતર મોટા ભાગના વિદ્યાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે અને જ્યાં સુધી પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહીનો પહેલો રાઉન્ડ જાહેર ન થાય ત્યાં સુધી બી.એસસી.માં એડમિશન કન્ફર્મ નહીં કરાવે. 2019માં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે.
સ્વાભાવિક છે કે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નર્સિંગ, ફાર્મસી વગેરે પ્રોફેશનલ કોર્સિસની પ્રવેશ શક્યતાઓ તપાસ્યા વિના વિદ્યાર્થીઓ બી.એસસી.ને કેવી રીતે અપનાવી શકે.
જૂનમાં મહિનામાં ૧૧ દિવસમાં ૫૨૭ કેસ નોંધાયા અને ૩૪૭ મૃત્યુ થયાં છે. આ કેસને દર ૧ કલાક સાથે ડિવાઇડ કરો તો ૧૧ દિવસના ૨૬૪ કલાકમાં પ્રતિ કલાકે રાજ્યમાં ૧૯.૯ એટલે કે વીસ જેટલા કેસ અને ૧.૩ એટલે કે ઍવરેજ એક મોત તો નીપજ્યું છે.
રાજ્ય સરકારે લૉકડાઉન ખોલીને અનલૉક જાહેર કરતાં તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલૉક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલૉક-1ના પ્રથમ ૧૧ દિવસમાં ૫૨૭૩ પૉઝિટિવ કેસ અને ૩૪૭ મોત થયાં છે. આ આંકડાને ૧૧ દિવસના કલાકો સાથે ભાંગીને આંકડો મેળવો તો ચોંકાવનારું તથ્ય જાણવા મળે છે.
આ સ્થિતિ ગંભીર છે અને એની ગંભીર નોંધ લેવાય એ આવશ્યક છે. જોકે વેપારધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી એમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કૅલ્ક્યુલેટેડ જોખમમાં પ્રથમ ૧૧ દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય એવું માલૂમ થઈ રહ્યું છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનવતા નેવે મૂકી પ્રાઇવેટ હૉસ્પિટલો દરદીઓને લૂંટી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.