CIA ALERT

Slider Archives - Page 159 of 486 - CIA Live

March 22, 2021
corona_india.jpg
1min413

24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં આ એક દિવસના રેકોર્ડ કેસ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કુલ કોરોના સંક્રમણના કેસો વધીને 1,15,99,130ને પાર થઈ ગયા છે. સતત 11માં દિવસે કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,09,087 થઈ ગઈ છે જે કુલ કેસ લોડના 2.66 ટકા હોવાનું જણાય છે.

કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓની ટકાવારી ઘટીને 95.96 ટકા રહી છે. રવિવારે સવારના 8 વાગ્યા સુધી પ્રાપ્ત ડેટા મુજબ કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે જે વિતેલા 115 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં 197 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,59,755 થઈ ગયો છે. એક દિવસમાં મોતના આંકડાની દ્રષ્ટિએ આ આંકડો વિતેલા 97 દિવસનો સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.

આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 23,35,65,119 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. 20 માર્ચના રોજ દેશમાં 11,33,602 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. દેશમાં એક દિવસમાં 197 દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 92, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તિસગઢમાં 11 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના મતે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓમાં 70 ટકાનાં મોત કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીથી પણ થયા હોવાનું  જણાયું છે.

March 22, 2021
rupani-1280x789.jpg
1min441

 ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે ‘હું મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે હવે કોઈ નવું લોકડાઉન થવાનું નથી, નથી અને નથી જ. થોડા નિયંત્રણ સાથે ચાલવાનું છે. કોઈ અફવાનો વિશ્વાસ કરવાનો નથી. લોકોએ ગભરાવાની નહીં પરંતુ સાવચેતી અને સંયમ રાખવાની જરૂર છે. આપણે સૌ અવશ્ય માસ્ક પહેરીએ. સરકારને માસ્કના રૂપિયામાં રસ નથી. હાઈકોર્ટના ઓર્ડરથી આપણે 1 હજાર રૂપિયા દંડ કરીએ છીએ. આશા રાખીએ કે કોઈએ દંડ ભરવો ન પડે. સૌ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરે અને વારો આવે ત્યારે વેક્સિન અવશ્ય લઈએ.’
તેમણે જણાવ્યું હતું કે દરેક રાજયોમાં કેસ વધ્યા છે. ત્યારે આપણું ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. સંક્રમણને વધતું અટકાવવા માટે મહાનગરોમાં રાત્રી કરફયુનો સમય વધાર્યો, હોટેલ રેસ્ટોરન્ટ પર થોડા અંકુશ મુકયા, હું સમજુ છું કે તેનાથી આપણા રોજિંદા જીવનમાં અગવડતા પડશે પરંતુ આ બધુ ન છુટકે કરવું પડયુ છે. સંક્રમણ ઓછું થયું કે આપણે નિયમોને હળવા પણ કર્યા છે.

રાજ્યમાં ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે, હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કર્યો છે, દરેક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજી બાજુ રસીકરણનું કામ પણ ઝડપથી ચલાવી રહ્યા છીએ.’ તેમણે અંતમાં જણાવ્યું હતું કે ફરીથી કહું છું કે ફરીથી લોકડાઉન થવાનું નથી. ‘જાન ભી હૈ, જહાન ભી હૈ,’ આમ બન્ને વસ્તુ સંતુલીત રીતે કરવાની છે. કોરોના અટકાવીએ. કોરોના હારશે, ગુજરાત જીતશે.’

March 21, 2021
corona-gujarat.jpg
1min505

૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.

તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.

રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.

March 21, 2021
india_won.jpg
1min464
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.

March 20, 2021
air-india.jpg
1min523

એવિએશન ટર્બાઈન ફ્લુઅલ એટલે કે એટીએફની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ડોમેસ્ટિક એર ફેરની લોઅર લિમિટ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.

આ જાણકારી સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ સુરીએ આપી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે પ્લેનની ટિકિટોના પ્રાઈસ બેન્ડને વધારવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મિનિમમ ભાડામાં 10 ટકાનો અને મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો.

હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્લેનની ટિકિટો માટે સેટ કરાયેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગુ રહેશે. સાથે જ એમ પણ કહ્યું છે કે, પ્લેનની ટિકિટોના દરની અપર લિમિટ વર્તમાન સ્તર પર જ રહેશે. સરકારે મે 2020માં ડોમેસ્ટિક એર ટ્રાવેલના ભાડા માટે લોઅર અને અપર લિમિટને સેટ કરાઈ હતી.

એર ટિકિટ પર લોઅર અને અપર લિમિટ સેટ કરાઈ હતી અને તેને 7 કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. આ કેટેગરી ફ્લાઈટની ડ્યુરેશનના આધાર પર નક્કી કરવામાં આવી હતી. પહેલી કેટેગરી 40 મિનિટથી ઓછા ડ્યુરેશનના એર ટ્રાવેલની, બીજી કેટેગરી 40-60 મિનિટની મુસાફરી, ત્રીજી કેટેગરી 60-90 મિનિટની મુસાફરી, છઠ્ઠી કેટેગરી 150-180 મિનિટની મુસાફરી અને સાતમી કેટેગરી 180-210 મિનિટની મુસાફરીની છે. હવે વધારા બાદ 40 મિનિટથી ઓછા અંતરની ફ્લાઈટ માટે એર ફેરની લોઅર લિમિટ 2310 રૂપિયા હશે, તો 180-210 મિનિટના ડ્યુરેશનવાળા સૌથી ઉચ્ચ બેન્ડ માટે એર ફેરની લોઅર લિમિટ 760 રૂપિયા હશે.

મંત્રીએ 100 ટકા ક્ષમતા સાથે એરલાઈનના સંચાલનને લઈને કહ્યું કે, જો રોજના આધાર પર પેસેન્જરની સંખ્યા 35 લાખ ક્રોસ કરી જાય છે, તો એરલાઈનને 100 ટકા ક્ષમતા સાથે ઓપરેશનની મંજૂરી મળી જશે. જોકે, એક મહિનામાં ઓછામાં ઓછું 3 વખત એવું થવું જરૂરી છે. હાલમાં એરલાઈન્સને 80 ટકાથી વધુ ક્ષમતાની સાથે સંચાલન કરવાની મંજૂરી નથી.

March 20, 2021
indiavsenglandt20.jpg
1min404

ભારતીય ટીમ આજરોજ તા.૨૦મી માર્ચને શનિવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ T-20 મેચ સાથે આગામી વર્લ્ડ કપ T-20 પહેલાની અંતિમ મેચ પણ ભારત રમશે. હાલ પાંચ મેચની શૃંખલા 2-2ની બરાબરી પર ચાલી રહી છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

ટીમ ઇન્ડિયા શ્રેણી જીતીને આગામી ટી-20 વર્લ્ડ કપનો વિજયી મંચ તૈયાર કરવા અને તેની તરફ મજબૂત રીતે આગેકૂચ કરવાનું’ લક્ષ્ય રાખે છે. ભારતીય ટીમે આ શ્રેણી દરમિયામ નીડર અને સાહસિક રવૈયો અપનાવ્યો છે. પાંચમા મેચનું પરિણામ જે પણ હોય, પણ વિશ્વ કપની તૈયારી સાચી દીશામાં આગળ વધી રહી છે તેવું કહી શકાય. શ્રેણી દરમિયાન કોહલીની ટીમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં બે હુકમના એક્કા મળી ગયા છે. જો કે આ શ્રેણીમાં રોહિત અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી ટીમની ચિંતા જરૂર વધી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે પાછલા ત્રણ વર્ષથી એક પણ ટી-20 શ્રેણી હારી નથી. તે પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને આગળ વધી રહી છે. તેનો ઇરાદો આખરી મેચમાં આક્રમક બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણથી ટીમ ઇન્ડિયાની ભીંસમાં લેવાનો રહેશે. ઇંગ્લેન્ડના બે ઝડપી બોલર આર્ચર અને વૂડ શાનદાર ફોર્મમાં છે. જે નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય બેટધરો પર ભારે પડી શકે છે. જો કે તેને ક્રિસ જોર્ડન તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. બેટિંગમાં બટલર અને મલાનમાં નિરંતરતાનો અભાવ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પહેલા રેડ સિગ્નલ જેવો છે.

ભારતીય ટીમની તેના સ્ટાર બેટસમેન રોહિત શર્મા પાસેથી એક સારી ઇનિંગની આશા રહેશે. કેએલ રાહુલને વિશ્રામ મળી શકે છે. તે સતત નિષ્ફળ રહ્યો છે. તેના સ્થાને યુવા ઇશન કિશનની વાપસી શકય છે. ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિકે પાછલા મેચમાં અસરકારક બોલિંગ પ્રદર્શન કર્યું છે, પણ તે હજુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જેવો બેટિંગ ફોર્મમાં હતો તેવો આ શ્રેણીમાં હજુ સુધી જોવા મળ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ અનુભવી શિખર ધવન પર ભરોસો મુકે છે કે નહીં તે પણ જોવું રહ્યંy. તે પહેલા મેચ પછીથી ઇલેવનની બહાર છે.

ઇંગ્લેન્ડે અંતિમ ટી-20 શ્રેણી જુલાઇ 2018માં ભારત સામે જ ગુમાવી હતી. આ પછીથી પાછલી 8 સિરીઝમાં ઇંગ્લેન્ડે સાત જીતી છે અને એક ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ હવે ભારતને તેની સરજમીં પર ટી-20માં હાર આપવા માંગે છે. ટીમના કેપ્ટન મોર્ગને કહ્યંy છે કે અમે દબાણભર્યા મેચ રમવા માંગીએ છીએ. જેથી વિશ્વ કપની તૈયારી થઇ શકે. વિદેશી ધરતી પર ટી-20 શ્રેણી જીતવી શાનદાર બની રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્ને બળિયા બરાબરી પર છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેના નામે 9-9 જીત છે. ભારતની ધરતી પર બન્ને વચ્ચે 10 ટી-20 ટક્કર થઇ છે. જેમાં પણ બન્ને પ-પ વિજય સાથે સમતોલ છે.

March 20, 2021
corona_india.jpg
1min747

ભારતમાં શુક્રવાર Dt. 19/3/21 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં આજે 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે. ભારતમાં આજે પણ સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે.

રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં આજે વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે. સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય દેશોની એસ્ટ્રાજેનેકાને મંજૂરી

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય સંઘના અનેક દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની વાત માની લેતાં આખરે એસ્ટ્રાજેનેકા રસીને પાછી મંજૂરી આપી દીધી છે. યુરોપીય તબીબી નિયામક (ઈએમએ) સંસ્થા દ્વારા પણ કોરોનારોધક એસ્ટ્રાજેનેકા રસીને સુરક્ષિત અને અસરકારક ગણાવી દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ઉપરાંત બ્રિટનના તજજ્ઞોએ પણ આ રસીને સલામત લેખાવતાં કહ્યું હતું કે, રસી ન લેવાથી વધારે ખતરો થઈ શકે છે. આવી ઘોષણા બાદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, લિથુઆનિયા, લાતવિયા, સ્લોવેનિયા, બલ્ગેરિયા સહિતના યુરોપીય દેશોએ આ રસીનો ઉપયોગ પુન: શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.

રસીની ડીએનએ ઉપર કોઈ અસર નહીં : સ્વાસ્થ્ય મંત્રી

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે રસીને લઈને લોકોની આશંકાઓ ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને લોકસભામાં જવાબ આપ્યો છે. તેમણે કોરોના રસીને લઈને ઉઠી રહેલી આશંકાઓને ફગાવતા કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે. તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળમાં કહ્યું હતુ કે, દેશ-દુનિયામાં ઘણા લોકોના મનમાં આશંકા છે કે કોરોના વાયરસની રસી આગામી સમયમાં નુકશાન તો નહી પહોંચાડે ?. ભારતમાં જે બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સુરક્ષા, પ્રભાવશિલતા અને પ્રતિરક્ષા ક્ષમતા પેદા કરવાના માપદંડોમાં યોગ્ય છે.

સ્પૂતનિકના 20 કરોડ ડોઝ બનાવશે બેંગલુરૂની સ્ટેલિસ ફાર્મા
ભારતના બેંગલુરૂ સિથત સ્ટેલિસ બાયોફાર્મા રશિયાની કોરોના રસી સ્પૂતનિક-વીના ઓછામાં ઓછા 20 કરોડ ડોઝ બનાવશે. કંપની આ મામલે રશિયાન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સમજૂતિ કરી છે. ભારતમાં આઈડીઆઈએફની કોર્ડિનેશન પાર્ટનર એન્સો હેલ્થકેર એલએલપી મારફતે આઈડીઆઈએફ અને સ્ટેલિસ વચ્ચે સમજૂતિ થઈ છે. સ્ટેલિસ સ્ટ્રાઈડસ ફાર્મા સાયન્સનો હિસ્સો છે. સમજૂતિ અનુસાર ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપની ડોઝની સપ્લાય શરૂ કરી દેશે. સ્પૂતનિક સાથે સમજૂતિ કરનારી ચોથી ભારતીય કંપની સ્ટેલિસ છે. આ સાથે રસી બનાવવાની ભારતની ક્ષમતા 80 કરોડ ડોઝ થઈ છે.

March 20, 2021
Teerath.jpg
1min454

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ‘ફાટેલા જીન્સ’ને લગતા પોતાના નિવેદન અંગે માફી માગી હતી અને જણાવ્યું હતું કે મારા સંબંધિત નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોઇ તો હું તેમની માફી માગું છું. આમ છતાં, તેમણે જણાવ્યું હતું કે ફાટેલા જીન્સ પહેરવા અયોગ્ય છે.

તીરથસિંહ રાવતે જણાવ્યું હતું કે છોકરાઓ મોંઘાં જીન્સ ખરીદે છે અને ઘરે જઇને કાતરથી ફાડે છે.

તેમણે જણાવ્યું હતું કે જો ઘરમાં બાળકોને સારા સંસ્કાર આપીએ તો તેઓ ભવિષ્યમાં ક્યારેય નિષ્ફળ નથી જતા.

મુખ્ય પ્રધાન રાવતે જણાવ્યું હતું કે હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. હું શાળામાં ભણતો હતો ત્યારે ફાટેલા પૅન્ટ હોય તો શિક્ષક વઢતા હતા. બાળકોને વિવિધ સામાજિક દૂષણથી દૂર રાખવા પણ જરૂરી છે.

રાવતે એક સમયે ફ્લાઇટમાં પોતાની બાજુમાં બેઠેલી મહિલાના કપડાંનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મારી બાજુમાં બેઠેલી મહિલાએ બૂટ્સ, ફાટેલા જીન્સ, બંગડીઓ પહેરી હતી. તેની સાથે તેના બાળકો પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

March 19, 2021
night_curfew.jpg
1min493

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ વધવા માંડતાં જ સાવચેતીનાં પગલા લેતાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને લોકલ ઓથોરિટીઓએ બન્ને મહાનગરોમાં રાત્રિ કરર્ફ્યુની અવધિ રાત્રે ૧૦ વાગ્યાને બદલે ૯ વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજરોજ તા.૧૯મી માર્ચથી રાત્રિ કરર્ફ્યુ રાત્રે ૯થી શરૂ થશે તેમજ બન્ને્ શહેરોમાં શનિવાર-રવિવારનાં રોજ તમામ મોલ-થિયેટરો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના શહેરોમાં કોરોનાને વકરતો રોકવા માટે અને અસરકારક પગલા લેવા માટે રાજય સરકારે વધુ સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને શહેરોમાં આજે મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં વ્યાપી રહેલી કોરોના મહામારીને ફરી કઇ રીતે અંકુશમાં લઇ શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.

મ્યુનિ.નાં કમિશનર મુકેશકુમાર તથા ડે.કમિશનરો, હેલ્થ ઓફિસર, સોલીડ વેસ્ટ ખાતાનાં ડાયરેકટર વગેરે સાથે યોજાયેલી બેઠકમાં ડો.રાજીવકુમાર ગુપ્તાએ કોરોના કેસ વધે તેવા સંજોગોમાં નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે સંપાદિત હોસ્પિટલો અને બેડ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા, ટેસ્ટીંગ માટેની સુવિધા વધારવા તેમજ દવાની ઉપલબ્ધતા અને કોરોના રસીકરણની કામગીરી વગેરે બાબતોની માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી.

બેઠકમાં ચર્ચાવિચારણાનાં અંતે જાહેરહિતમાં શહેરમાં આવતીકાલ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય ૧૦ વાગ્યાને બદલે નવ વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી રાખવાનો અને તેનો કડકાઇથી અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તદઉપરાંત શહેરમાં શનિ-રવિવારે જુદા જુદા વિસ્તારોમાં આવેલાં મોલ-મલ્ટીપ્લેકસ તેમજ થિયેટરોમાં ભીડ જામતી હોવાથી કોરોના સંક્રમણ ફેલાવી શક્યતા વધી જવાની બાબતને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓએ શનિવાર-રવિવારે તમામ મોલ અને થિયેટરો સંપૂર્ણપણે બંધ રખાવવાનો નિર્ણય લીધો હતો અને બાકીનાં દિવસોમાં મોલ-થિયેટરોમાં કોરોના ગાઇડલાઇનનો કડકાઇથી પાલન કરાવવાની તાકીદ કરવામાં આવી છે.

March 18, 2021
Schoolsclosed4.jpg
1min575

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.