પૂણે, નાગપુર, મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, જલગાંવ અને આકોલા મહારાષ્ટ્રમાં છે જયારે બેંગ્લૂરુ (અર્બન) કર્ણાટકમાં
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ચંડીગઢ અને ગુજરાતમાં કોવિડ-૧૯ના નવા કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાની અને આ પાંચ રાજ્યમાં કુલ કેસના ૭૭.૪૪ ટકા કેસ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે તા.૨૫મી માર્ચ ૨૦૨૧ના રોજ આપી હતી.
દેશમાં સૌથી વધુ કેસ જે ૧૦ જિલ્લામાં છે તેમાંથી નવ જિલ્લા મહારાષ્ટ્રમાં છે તેવું આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું. પૂણે, નાગપુર, મુંબઈ, થાણે, નાસિક, ઔરંગાબાદ, નાંદેડ, જલગાંવ અને આકોલા મહારાષ્ટ્રમાં છે જયારે બેંગ્લૂરુ (અર્બન) કર્ણાટકમાં છે.
ગત ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસમાંથી ૮૧.૬૫ ટકા નવા કેસ છ રાજ્યમાં નોંધાયા હતા. રોજનાં ધોરણે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૨૮,૬૯૯ કેસ, ત્યાર બાદ પંજાબમાં ૨૨૫૪ કેસ અને કર્ણાટકમાં ૨૦૧૦ કેસ નોંધાયા હતા.
આઠ રાજ્યમાં સાપ્તાહિક ધોરણે રાષ્ટ્રીય સરેરાશ ૪.૧૧ ટકા કરતા વધુ સક્રિય કેસ નોેંઘાયા હતા અને એમાં પણ મહારાષ્ટ્રમાં સાપ્તાહિક ધોરણે સૌથી વધુ ૨૦.૫૩ ટકા કેસ નોંધાયા હતા. અત્યાર સુધી અપાયેલી કુલ રસીની ૬૦ ટકા રસી છ રાજ્યોમાં આપવામાં આવી છે.
કોરોનાને કારણે ગત ૨૪ કલાકમાં થનાર દરદીઓના કુલ મોતમાંથી ૮૩.૨૭ ટકા મોત છ રાજ્યમાં નોંધાયા હતા અને એમાં પણ સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં ૧૩૨, ત્યાર બાદ પંજાબમાં ૫૩ અને છત્તીસગઢમાં ૨૦ દરદીનાં મોત થયાં હતાં.








