CIA ALERT

Slider Archives - Page 128 of 485 - CIA Live

July 23, 2021
Kangra-cloudburst.jpg
1min553
Raigad Landslide: প্রবল বৃষ্টিতে ধস, রায়গড়ে মৃত্যু কমপক্ষে ৩০ জনের,  অনেকের আটকে থাকার আশঙ্কা - Raigad Landslide: At least 30 people killed in  landslide at Talie village amid incessant ...

મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તળઈ ગામમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન સર્જાતા પ્રાથમિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે હજુ સુધી 40 લોકો ગુમ છે અને તેમની શોધ ચાલુ છે.

સંપૂર્ણ રાયગડ જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. તેવામાં આજે ફરી એકવાર રાયગડ જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. મહાડ તાલુકાના તળઈ ગામમાં ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ 35 મકાનો આ દુર્ઘટનામાં ધરાશાયી થયા હોવાના અહેવાલ મળ્યા છે અને 40 લોકો હજી ગુમ છે. તો જિલ્લાના સાકર સુતાર વાડી ગામમાં પણ વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ બંને ઘટનામાં કુલ 36 લોકોનાં મોત નીપજ્યાં છે.


ગુરુવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ અકસ્માતમાં લગભગ 80 લોકો દબાઈ ગયા હોવાની માહિતી ગ્રામજનોએ આપી છે. એનડીઆરએફ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિપક્ષી નેતા પ્રવીણ દારેકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાયગડના પાલકમંત્રી અદિતિ તટકરે પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી છે.
તળઈ ગામ એક અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર હોવાથી રાહત કામગીરીમાં ઘણી અડચણો આવી રહી છે. જ્યારે થોડા સમય પહેલા જ એનડીઆરએફની ટીમ અહીં પહોંચી ત્યારે આ ભયંકર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ આ સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની આશંકા છે. છેલ્લા કેટલાક કલાકોથી અહીં બચાવ કામગીરી ચાલુ છે.


ખેડમાં 17 લોકો ફસાયા હતા

તેવી જ રીતે રાયગડના ખેડ તાલુકામાં પણ શુક્રવારે સવારે ચોંકાવનારી દુર્ઘટના બની છે. તાલુકાના પોસરે બૌદ્ધવાડીમાં 17 લોકો ભૂસ્ખલન બાદ કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા છે જ્યારે બે અન્ય લોકો બીરમણીમાં ફસાયેલા છે. આ બંને જગ્યાએ એનડીઆરએફની એક ટીમ મોકલવામાં આવી છે. કાટમાળ હેઠળ દબાયેલા લોકોને સત્વરે બહાર કાઢવા માટે એનડીઆરએફની અન્ય એક ટીમ બોલાવવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય યોગેશ કદમે માહિતી આપી છે કે યુદ્ધ સ્તરે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. જાણવા મળ્યું છે કે તાજેતરમાં બિરમણી તરફ જતા બે કિ.મી.ના માર્ગને નુકસાન થયું છે.


મહાડ નજીક તળઈ આ ગામમાં પરિસ્થિતિ ભયાનક છે. કેટલાક લોકોના મૃતદેહોને કાટમાળ હેઠળથી ખુદ ગામલોકોએ જ બહાર કાઢ્યા છે. એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે. તેવી માહિતી મને પ્રવીણ દરેકર અને ગિરીશ મહાજન દ્વારા મળી છે. એવી પણ આશંકા છે કે હજુ કેટલાક વધુ લોકો કાટમાળ હેઠળ ફસાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખતા સ્થાનિક વહીવટીતંત્રએ વધુ ધ્યાન આપવાની જરૂર છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ સમયે નાગરિકોને તાત્કાલિક સહાયની જરૂર છે.

July 23, 2021
Tokyo-2020-Olympics.png
1min434

સમગ્ર વિશ્વને જીવલેણ ભરડામાં લેનાર કોરોના વાઇરસ મહામારી વચ્ચે આજે શુક્રવાર તા.23 જુલાઇ 2021થી જાપાનની રાજધાની ખાતે ટોકયો ઓલિમ્પિકનો સત્તાવાર પ્રારંભ સાદગીપૂર્ણ અને નાના સમારોહથી કરવામાં આવ્યો છે. કોરોનાને લીધે એક વર્ષ સ્થગિત થયા બાદ પહેલીવાર બંધ સ્ટેડિયમોમાં દર્શકોની ગેરહાજરી વચ્ચે યોજાઇ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં 206 દેશના 11238 ખેલાડીઓ તા. 8 ઓગસ્ટ સુધી ચંદ્રક માટે એડી ચોટીનું જોર લગાવશે.

ટોકયોના ખેલ મહાકુંભમાં ભારતના 124 એથ્લેટ પડકાર આપશે. જેમાં અનેક ખેલાડી ઇતિહાસ રચીને ચંદ્રક જીતવાના પ્રબળ દાવેદાર છે. ખાસ કરીને રિયો ઓલિમ્પિકની સિલ્વર ગર્લ પીવી સિંધુ, કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટ, નિશાનબાજ સૌરભ ચૌધરી, મનુ ભાકર, કુસ્તી ખેલાડી બજરંગ પૂનિયા, બોકિસંગના ખેલાડીઓ, આર્ચરીમાં દીપિકાકુમારી, ભાલા ફેંકમાં નિરજ ચોપરા, હોકીની પુરુષ ટીમ ટોકયો ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચી શકે છે. આ સિવાયના અન્ય ભારતીય ખેલાડીઓ પણ સુખદ પરિણામ આપવા ઉત્સાહિત છે. રિયો ઓલિમ્પિકમાં માત્ર બે ચંદ્રક જીતનાર ભારતને આ વખતે ટોકયોમાં ડબલ ફીગરમાં પહોંચવાનો ભરોસો છે.
એક અબજ અને 30 કરોડની જનસંખ્યા ધરાવતા ભારત દેશ પાસે ઓલિમ્પિક ઇતિહાસમાં ફકત 28 ચંદ્રક છે. જેમાં 8 ગોલ્ડ તો ફકત હોકીના છે. એકમાત્ર વ્યકિતગત ગોલ્ડ મેડલ નિશાનેબાજ અભિનવ બિન્દ્રાના નામે છે. જે તેણે 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં જીત્યો હતો. હવે દેશના ખેલાડીઓ પાસે નવો ઇતિહાસ રચવાનો મોકો છે. પૂરા દેશની આશા આ ખેલાડીઓ પર ટકી છે. મેદાન પરની તેમની સફળતા કોરોના મહામારીને લીધે પેદા થયેલા હતાશા, દુ:ખ, દર્દ, ડર અને આશંકાઓને ભુલાવવામાં નિમિત બની શકે છે.
દુનિયાના સૌથી વધુ વસતિવાળા શહેર પૈકીના એક ટોક્યો પરથી હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. આમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે ઓલિમ્પિકનું આયોજન સફળતાથી પાર પડશે.
આ વખતે ભારતના 124 એથ્લેટ ટોકયો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં 69 પુરુષ અને પપ મહિલા ખેલાડી છે. બાકીનો સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ છે. ભારતીય ખેલાડીઓ 8પ મેડલની દાવેદારી રજૂ કરશે. ટોકયો ઓલિમ્પિકમાં કુલ 33 રમતની જુદી જુદી 339 સ્પર્ધા યોજાશે.

July 23, 2021
backtoschool.png
1min617

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગોની શાળાઓમાં 26મી જુલાઈ 2021ને’ સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઈ’ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’

કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા-વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર’ સમગ્ર રાજ્યમાં આગામી 26મી’ જુલાઈથી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યપ્રધાને કોર કમિટીમાં કર્યો હતો.’

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ શરૂ થશે ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. કોર કમિટીની’ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપાસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ’ અનિલ મુકિમ અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

July 23, 2021
Cia_business_news-1280x936.jpg
1min957

ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે ભારતનું સૌથી પહેલો વિવનીટ એક્સપો સુરતમાં ચેમ્બર દ્વારા આયોજિત કરાશે

વિવનીટ એક્સ્પોમાં વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બિઝનેસ ટુ બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શૉ બની રહેશે : દિનેશ નાવડિયા


સુરત સમેત સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે ત્યાં ત્યાં ફેબ્રિક મેન્યુફેક્ચર્સ, ફેબ્રિક પ્રોસેસર્સ અને વિક્રેતાઓ વચ્ચે સીધો સેતુ નથી પણ વચ્ચે દલાલ, આડતિયાઓ વગેરેની પણ એક કડી ઉમેરાય રહી છે. પરીણામે ફેબ્રિક કોસ્ટથી લઇને ઇચ્છિત ક્વોલિટી, માગ, જરૂરીયાત બધી જ બાબતો અસરગ્રસ્ત થાય છે. પણ જો ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ જેમાં મોટા ભાગે વીવર્સ, નીટર્સ, પ્રોસેસર્સ સામેલ છે આ કડી તેમજ ફેબ્રિકના વિક્રેતાઓ, ફેશન મેકર્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, સ્ટીચર્સ વગેરે વચ્ચે સીધો સેતુ જો સધાય તો અનેક પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવે તેમ છે અને આ પ્લેટફોર્મ સૌથી પહેલી વખત સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પૂરું પાડવા જઇ રહી છે. વીવનીટ એક્ષ્પો એક એવું પ્રદર્શન હશે જે ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ તેમજ વિક્રેતા, ફેશન મેકર્સ વચ્ચે સીધો સેતુ કાયમ કરશે. જે સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગેમ ચેન્જર બની રહેશે.

સુરતનો વણાટ ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે, તેમાં પણ સોને પે સુહાગા કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે કેમકે વણાટ ઉદ્યોગને સ્પર્શતો પહેલો બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) એક્સપોનું આયોજન સુરત ખાતે થઇ રહ્યું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.11થી 12 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે વીવનીટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાના કહેવા મુજબ વીવનીટ એક્સ્પો સ્થાનિગ વણાટ ઉદ્યોગકારો માટે ગેમ ચેન્જર સમાન નિવડશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વખત યોજાઇ રહેલા વિવનીટ એક્સ્પો વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.

આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.

ભારતના 10થી વધુ શહેરોના મોટાગજાના બાયર્સ આવશે

વીવનીટ એક્સ્પોમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.

હેડિંગ બોક્સમેન્યુફેક્ચરર્સ માટે વન સ્ટોપ શોપનું પ્લેટફોર્મ

વિવનીટ એકઝીબીશન થકી વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી રહેશે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.

July 21, 2021
vidaadhar.jpg
1min639

હવે ટપાલીની મદદથી ઘેરબેઠાં આધાર કાર્ડ માટે મોબાઇલ નંબર અપડૅટ કરી શકાશે. 
ઇન્ડિયા પોસ્ટ અને યુનિક આઇડેન્ટિફિકૅશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કરેલી ગોઠવણ પ્રમાણે આધાર કાર્ડધારકના મોબાઇલ નંબર અપડૅટ કરવાની પરવાનગી ટપાલીને આપવામાં આવી છે. 

આ સેવા દેશની ૬૫૦ ઇન્ડિયા પોસ્ટ પૅમેન્ટ બૅન્ક (આઇપીપીબી), ૧.૪૬ લાખ ટપાલી અને ગ્રામીણ ડાક સેવક (જીડીએસ) દ્વારા ઉપલબ્ધ રહેશે. 

આઇપીપીબીના એમડી અને સીઇઓ જે વેંકટરામુએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઇપીપીબી હાલ ફક્ત મોબાઇલ અપડૅટ સેવા જ આપે છે, પણ ટૂંક સમયમાં એ પોતાના નૅટવર્ક દ્વારા ચાઇલ્ડ ઇનરોલમેન્ટ સર્વિસ પણ આપશે. 

૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ યુઆઇડીએઆઇએ ૧૨૮૯૯ કરોડ આધાર નંબર ભારતના નાગરિકોને આપ્યાં હતાં.     

July 20, 2021
pulses.jpg
1min623

સરકારે કઠોળના આયાતકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપી હતી. મિલરો અને હોલસેલરો માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. ફકત તુવર, અડદ, ચણા, મસૂર માટે ૩૧મી ઑકટોબર સુધી સ્ટોક લિમિટ અમલમાં રહેશે તેવું સરકારે સોમવારે બહાર પાડેલા એક જાહેરનામામાં કહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના વેબપોર્ટલ પર સ્ટોક જણાવવાનો રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

‘કઠોળના આયાતકારોને સ્ટોકલિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના પોર્ટલ પર કઠોળનો સ્ટોક જાહેર કરવાનું ચાલુ રાખવાનું રહેશે.’

હોલસેલરો માટેની સ્ટોકલિમિટ ૫૦૦ ટન રહેશે, પણ કોઈ એક કઠોળનો ૨૦૦ ટનથી વધુ સ્ટોક રાખી શકાશે નહીં. મિલરો છ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ક્ષમતાના પચાસ ટકા (જે પણ વધુ હોય) તેટલો સ્ટોક રાખી શકશે.

રિટેલરો માટેની સ્ટોકલિમિટ યથાવત્ પાંચ ટન રાખવામાં આવી છે.

બીજી જૂને સરકારે મગ સિવાયના તમામ કઠોળ પર સ્ટોક લિમિટ જાહેર કરી હતી. આયાતકારો અને હોલસેલરો પર ૨૦૦ ટનની અને રિટેલરો પર પાંચ ટનની સ્ટોકલિમિટ જાહેર કરવામાં આવી હતી. મિલરો પર છેલ્લા ત્રણ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના ૨૫ ટકા (જે પણ વધુ હોય) તેટલી સ્ટોકલિમિટ રાખવામાં આવી હતી.

July 20, 2021
Gautam_Adani.jpg
1min482

ગૌતમ અદાણીની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે કેટલાક એફપીઆઈના ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે, જેમણે અદાણીની કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે. તે સમાચાર પછી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત ઘણા દિવસો સુધી ઘટાડો જોવા મળ્યો હતો. બસ, હવે તેની કંપનીના શેરની હાલત થોડીક સ્થિર હતી કે ઇડી દ્વારા આ કંપનીઓની તપાસના સમાચાર આવવા લાગ્યા. સરકારે સ્પષ્ટ કર્યું કે આ કંપનીઓની તપાસ ઇડી દ્વારા નહીં પરંતુ સેબી અને ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમાચાર પછી અદાણીની કંપનીઓમાં ઘટાડાનો સમય ફરી શરૂ થયો છે.

6માંથી 4 કંપનીઓમાં લાગી લોઅર સર્કિટ

મંગળવારે શેર બજાર ખુલતાંની સાથે જ અદાણીની 6 માંથી 3 કંપનીઓ લોઅર સર્કિટમાં આવી ગઈ. થોડીવાર પછી, બીજી કંપની નીચલી સર્કિટને સ્પર્શી. અન્ય બે કંપનીઓ પણ સતત ઘટતી રહી. મંગળવારે બજાર ખુલતાંની સાથે જ અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શેર લોઅર સર્કિટ મળ્યા અને થોડા સમય પછી અદાણી પાવર પણ લોઅર સર્કિટને સ્પર્શી ગયો.

બજાર નિયમનકાર સેબી (સેબી) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અદાણી જૂથની કેટલીક કંપનીઓની તપાસ કરી રહ્યા છે. આ કંપનીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. નાણામંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ વાત જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું નથી કે અદાણી જૂથની કઈ કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. સેબીએ આ તપાસ ક્યારે શરૂ કરી તે હજુ જાણી શકાયું નથી. પંકજ ચૌધરીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. આ નિવેદન બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.

આ મોટા ઘટાડા પાછળનું કારણ એનએસડીએલ દ્વારા લેવામાં આવતી કાર્યવાહી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ભંડોળ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના ખાતા ફ્રીઝ કરી દીધા છે. અદાણી ગ્રૂપની 4 કંપનીમાં તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુના શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. જો કે, ગૌતમ અદાણીએ કોઈપણ એકાઉન્ટ ફ્રીઝ થવાના સમાચારને નકારી દીધા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કસ્ટોડિયન તેમના ગ્રાહકોને આવી કાર્યવાહી વિશે ચેતવણી આપે છે, પરંતુ જો ભંડોળ આનો જવાબ નહીં આપે અથવા તેનું પાલન ન કરે તો એકાઉન્ટ્સ ફ્રીઝ કરી શકાય છે. ખાતું ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફંડ હાલની સિક્યોરિટીઝ વેચી શકશે નહીં અથવા નવી ખરીદી શકશે નહીં. આ સંદર્ભે એનએસડીએલ, સેબી અને અદાણી જૂથને મોકલવામાં આવેલા ઇમેઇલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સંપર્ક કરી શકાયો નહીં. આ ત્રણ ભંડોળ સેબી સાથે વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી સંચાલન કરે છે. ત્રણેય લોકો પોર્ટ લૂઇસમાં સમાન સરનામાં પર નોંધાયેલા છે અને તેમની વેબસાઇટ નથી.

2019 માં કેપિટલ બજારના નિયમનકારે પીએમએલએ મુજબ એફપીઆઇ માટે કેવાયસી દસ્તાવેજો બનાવ્યા. 2020 સુધીના નવા નિયમોનું પાલન કરવા માટે ભંડોળને સમય આપવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે નવા નિયમોનું પાલન ન કરતા ભંડોળના ખાતા સ્થિર કરવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઈને કેટલીક વધારાની માહિતી પૂરી પાડવાની હતી. આમાં સામાન્ય માલિકીની જાહેરાત અને ફંડ મેનેજરો જેવા મુખ્ય કર્મચારીઓની વ્યક્તિગત વિગતોનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં છેડછાડની પણ તપાસ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના શેરમાં 200 થી 1000 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ મામલાના નિષ્ણાંતે જણાવ્યું હતું કે સેબીએ આ મામલે 2020 માં તપાસ શરૂ કરી હતી જે હજી ચાલુ છે. સેબીએ આ મામલે તેને મોકલેલા પ્રશ્નોનો જવાબ આપ્યો નથી.

July 20, 2021
rajkundra.jpg
1min510

અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની Dt.19/07/2021 સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે Dt.20/07/2021 કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23/07/2021 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે Dt.19/07/2021 સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં રાજ કુંદ્રા અને તેના પાર્ટનર્સ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.

બીજી તરફ, આ કેસની આરોપી ગહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે આ કોઈ પોર્ન ફિલ્મો નહોતી. એકતા કપૂર, અનુરાગ કશ્યપ, વીભુ અગ્રવાલ સહિતના અનેક ફિલ્મ મેકર્સ બનાવે છે તેવી જ બોલ્ડ ફિલ્મો હતી. નેટફ્લિક્સ અને એમેઝોનની માફક અન્ય એપ્સમાં પણ આ ફિલ્મોને અપલોડ કરવામાં આવી હતી. તેણે આ કેસમાં કોઈપણ કૉમેન્ટ કરતા પહેલા લોકોને તે ફિલ્મો જોવા અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ તેનો ખોટો મતલબ કાઢી રહી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ ફેબ્રુઆરી 2021માં નોંધાયેલી અશ્લિલ ફિલ્મોના પ્રોડક્શન અને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવાની એક ફરિયાદની તપાસ કરી રહી છે. આ સંદર્ભે જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજ કુન્દ્રા પર ઠગાઈ ઉપરાંત અશ્લિલ સામગ્રીનું પ્રોડક્શન અને વિતરણ કરવાના આરોપ લગાવ્યા છે.

અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફિલ્મો તેમજ ટીવીમાં કામ કરવા માટે આવતા અને સંઘર્ષ કરતા યુવક-યુવતીઓને લઈને આરોપીઓ અશ્લીલ ફિલ્મ બનાવતા હતા, અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી તગડી કમાણી કરતા હતા. આ પ્રકારની ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈના મડ આયલેન્ડમાં એક બંગલો પણ ભાડે લેવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો કેટલીક યુવતીઓ દ્વારા કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી.

ફેબ્રુઆરીમાં આ કેસની ઈન્ક્વાયરી શરુ થઈ ત્યારે પણ રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. જોકે, રાજ કુન્દ્રાએ આ મામલામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આખરે, પોલીસને તેની સામે પુરાવા પ્રાપ્ત થતાં ગઈકાલે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવાયો અને રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ તેને જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ પોલીસ કમિશનર ઓફિસમાં તેને આખી રાત ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રખાયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

રાજ કુન્દ્રા સાથે આ કેસમાં કુલ નવ આરોપી છે. જેમાં એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠનો પણ સમાવેશ થાય છે, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ કાંડમાં યુકે સ્થિત પ્રોડક્શન કંપની કેનરિનની સંડોવણી બહાર આવી હતી, જેના થકી રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. પોલીસે કંપનીના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરી હતી, જે રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી છે ને તે જ અશ્લીલ સામગ્રી જુદા-જુદા પ્લેટફોર્મ પર પબ્લિશ કરતો હતો.

જે અશ્લીલ વિડીયોને ઓનલાઈન મૂકાતા હતા, તેમનું શૂટિંગ ગહેના વશિષ્ઠ દ્વારા કરવામાં આવતું હતું. પોલીસને એ વાતની પણ શંકા છે કે રાજ કુન્દ્રા કેનરિન નામના પ્રોડક્શન હાઉસમાં હિસ્સો ધરાવતો હોય તો પણ નવાઈ નહીં. મુંબઈ પોલીસના કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, આ કાંડમાં રાજ કુન્દ્રા મુખ્ય કાવતરાખોર હોવાની શંકા છે.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર 4ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, શિલ્પા શેટ્ટી શોના શૂટિંગ માટે નહોતી આવી. જોકે, હાલ તેના શૂટિંગનું કોઈ રિશિડ્યૂલિંગ પણ નથી કરવામાં આવ્યું.

July 19, 2021
Modi-Parliament.jpg
1min468

ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુ:ખી થઈ ગયા છે. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદી ઉઠ્યા અને પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરવામાં આવ્યો. વડાપ્રધાને કહ્યું કે તે વિચારીને આવ્યા હતા કે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, પરંતુ આવુ ના થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ જણાવ્યું કે, તેમણે પાછલા 24 વર્ષમાં આવું નથી જોયું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષને ફટકાર લગાવી.

વિપક્ષના હોબાળા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં વિચાર્યુ હતું કે આજે સભામાં ઉત્સાહનું વાતાવરણ હશે, કારણકે મોટી સંખ્યામાં મહિલા સાંસદ, દલિત ભાઈ, આદિવાસી, ખેડૂત પરિવારના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમનો પરિચય કરવાનો આનંદ હશે. પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, ખેડૂતોના દીકરા મંત્રી બન્યા તે વાત અમુક લોકોને રાસ ના આવી. માટે તેમનો પરિચય પણ નથી આપવા દેતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ વિપક્ષને ફટકાર લગાવી. તેમણે જણાવ્યું કે, પાછલા 24 વર્ષના સંસદના ઈતિહાસમાં તેમણે આવુ ક્યારેય નથી જોયું. સંસદની પરંપરાઓ તૂટી રહી છે. સ્પીકર ઓમ બિરલાએ પણ વિપક્ષી સાંસદોની તેમના વ્યવહાર માટે ટીકા કરી. વિપક્ષના સાંસદોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

July 19, 2021
parliament.jpg
1min453

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું હોવા વચ્ચે સરકાર અનેક ખરડા રજૂ કરવાના એજન્ડા સાથે સજ્જ છે તો વિપક્ષ ઈંધણનાં વધતા જતા ભાવ અને કોવિડ મેનેજમેન્ટને મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે.  સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ૧૭ જેટલા નવા ખરડા રજૂ કરશે. 

સરકાર આ સત્રમાં અનેક ખરડા (વિધેયક) પસાર કરાવવાની તૈયારીમાં છે તો વિપક્ષો કોરોના ગેરવ્યવસ્થા અને પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસના ઉંચા ભાવ, મોંઘવારી જેવા મુદ્દે સરકારને ઘેરવા સજ્જ છે. મોદી સરકારે ચોમાસું સત્રમાં કુલ 17 ખરડાને રજૂ કરવા માટે ક્રમબદ્ધ કર્યા છે. જેમાં ત્રણ તાજેતરમાં જારી કરાયેલા વટહુકમના સ્થાને લાવવામાં આવશે કારણ કે નિયમ છે કે સંસદ સત્ર શરૂ થયા બાદ વટહુકમના સ્થાને ખરડાને 4ર દિવસ અથવા 6 સપ્તાહમાં પસાર કરવો જરૂરી છે.

તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા વટહુકમને રદ કરવાની ત્રણ ખરડામાં માગણી કરવામાં આવી છે. એક વખત સત્ર શરૂ થઈ ગયા બાદ વટહુકમને ૪૨ દિવસ કે છ અઠવાડિયામાં ખરડા તરીકે મંજૂર કરાવવા જરૂરી છે અન્યથા તે રદબાતલ થઈ જાય છે.

૩૦ જૂને બહાર પાડવામાં આવેલા એક વટહુકમમાં અતિઆવશ્યક સંરક્ષણ સેવા સાથે સંકળાયેલી  વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવા પર અને હડતાળ પાડવા પર પ્રતિબંધ ફરમાવે છે. ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ (ઓએફબી)નું કૉર્પોેરેટાઈઝન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા જુલાઈના અંતમાં અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ફેડરેશન ઑફ ઑર્ડિનન્સ ફેક્ટરી બૉર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પગલે ઍસૅન્શિયલ ડિફેન્સ સર્વિસિસ ઑર્ડિનન્સ ૨૦૨૧ લાવવામાં આવ્યો હતો.

કમિશન ફૉર ઍર ક્વૉલિટી મેનેજમેન્ટની નેશનલ કૅપિટલ દિલ્હી ઍન્ડ ઍડજેસન્ટ એરિયા બિલ ૨૦૨૧ એ અન્ય એક ખરડો છે જેમાં વટહુકમને બદલવાની માગણી કરવામાં આવી છે. સોમવારથી શરૂ થતું સંસદનું ચોમાસુ સત્ર તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. કોરોનાની ખતરનાક બીજી લહેર, વૅક્સિન પૉલિસી, ખેડૂત આંદોલન, ઈંધણનાં ભાવમાં વધારો, ફુગાવો, ભારત-ચીન સંબંધ સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરશે.