૧૭ ડિસેમ્બરે ICAI દ્વારા લેવામાં આવેલી CA ફાઉન્ડેશનની પરીક્ષાના ગણિત વિષયના પ્રશ્નપત્રમાં 4 પ્રશ્નોમાં ગંભીર ભૂલો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સી.એ. ફાઉન્ડેશનના ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોવાથી આખરે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન છોડવા પડ્યા હતા. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની આ બાબત ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણિતના પેપરમાં ચાર પ્રશ્નો અને આપવામાં આવેલા વિકલ્પો ખોટા હતા, જેને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે.
વાયરલ થયેલા પેપર અનુસાર પ્રશ્ન નંબર 27, 52, 69, 75 પ્રશ્ન ભૂલભરેલા છે.
પ્રશ્ન નંબર 27માં જેમાં વિદ્યાર્થીઓને ‘a’નું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પ્રશ્નનો જવાબ ‘0.5’ છે, પરંતુ આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.
પ્રશ્ન નંબર 52માં વિદ્યાર્થીઓને આપેલી સંખ્યાઓનો મધ્યગા (Median) શોધવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એક આંકડો ‘19. 66’ આપવામાં આવ્યો હતો. તેથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા હતા કે ડૉટ કોમાની જગ્યાએ ભૂલથી મૂકવામાં આવ્યું છે કે તે સંખ્યા ખરેખર 19.66 છે? જો આ સંખ્યા 19.66 હોય તો તેનો જવાબ વિકલ્પમાં આપવામાં આવ્યો ન હતો.
પ્રશ્ન નંબર 69 ‘ઓગિવ કર્વ (ઓજાઇવ કર્વ – Ogive Curve)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થતો નથી?’માં ત્રણ વિકલ્પો સાચા હતા અને એક વિકલ્પ ખોટો હતો, તેથી પ્રશ્નમાં ગોટાળો હોવાનું પુરવાર થાય છે. ઓજાઈવ કર્વ (Ogive Curve)નો ઉપયોગ મધ્યગા Median નક્કી કરવા માટે થાય છે. વિકલ્પમાં Mean, Median, Mode, Range આપવામાં આવ્યા હતા.
પ્રશ્ન નંબર 75માં વિદ્યાર્થીઓને Zebra, Giraffe, horse અને Tiger પૈકી અયોગ્ય વિકલ્પ શોધવાનું કહેવાનું આવ્યું હતું. હવે આ પ્રશ્નના જવાબમાં બે શક્યતા છે. જો માંસાહારી કે શાકાહારી પ્રાણીઓના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ Tiger છે, પરંતુ જો પાલતું પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓ સંદર્ભે આ સવાલ હોય તો તેનો જવાબ અચૂક Horse આવે. જોકે, પ્રશ્નમાં આ બાબતે કોઈ ચોખવટ કરવામાં આવી ન હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાનારી સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (CTET) આ વખતે કમ્પ્યુટર બેઝ્ડ લેવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી આ પરીક્ષા ઓફલાઈન લેવાતી હતી. જોકે, પ્રથમ વખત કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ લેવાનું નક્કી કરાયું છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં 16 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 20 ભાષામાં આ પરીક્ષા લેવાશે.
CBSE સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવાતી CTET પ્રથમ વખત ઓનલાઈન લેવાનો નિર્ણય કરાયો છે. 16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 13 જાન્યુઆરી સુધી ચાલશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો મોડ બદલ્યા બાદ પણ ફીમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાનું જાણવા મળે છે. પ્રથમ વખત ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેવામાં આવનાર હોઈ બોર્ડ દ્વારા પ્રેક્ટિસ સેન્ટર અને મોક ટેસ્ટ માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે. બોર્ડ દ્વારા CTETની 15મી આવૃત્તિમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે.
16 ડિસેમ્બરથી શરૂ થનારી ઓનલાઈન પરીક્ષા 13 જાન્યુઆરી સુધી ચાલશે
CTET આપનારા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં બોર્ડ દ્વારા સમગ્ર દેશના લાખો ઉમેદવારો માટે પ્રેક્ટિસ સેન્ટરની યાદી પણ જાહેર કરી દીધી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા સમગ્ર દેશમાં કુલ 356 પ્રેક્ટિસ સેન્ટર નક્કી કર્યા છે. આ સેન્ટર પર જઈને ઉમેદવાર ઓનલાઈન યોજાનારી પરીક્ષા માટે અભ્યાસ કરી શકે છે. ઉપરાંત વેબસાઈટ પર પણ મોક ટેસ્ટ માટેની લિંક મુકવામાં આવી છે. ત્યાં જઈને પણ ઉમેદવાર પરીક્ષાની તૈયારી કરી શકે છે.
CTET પ્રથમ વખત ઓનલાઈન યોજવામાં આવનાર છે, ત્યારે સીબીએસઈ બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષાની નવી પેટર્નની સમજ મળી રહે તે માટે મોક ટેસ્ટ અને અભ્યાસ કેન્દ્રોની યાદી જાહેર કરી દીધી છે. CTETમાં બે પેપર રહેશે. જેમાં પેપર-1 ધોરણ-1થી 5ની શાળામાં શિક્ષક બનવા માટે લેવાશે. જ્યારે પેપર-2 ધોરણ-6થી 8ની સ્કૂલમાં શિક્ષક બનવા માટે લેવાશે.
પેપર-1માં પાંચ ભાગમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ભાષા-1, ભાષા-2, બાળ વિકાસ અને શિક્ષાશાસ્ત્ર, પર્યાવરણ અધ્યયન અને ગણિતનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે, CTETનો સ્કોર હવે જીવનભર માન્ય રહેશે. જેથી એકવાર પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર માટે તે કાયમ માટે માન્ય ગણાશે. આ નિર્ણયથી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારનો ખુબ જ મોટી રાહત મળશે.
પરીક્ષા માટે ગુજરાતમાં 13 સેન્ટરો નક્કી કરાયા છે. જેમાં અમદાવાદમાં પ્રકાશ સ્કૂલ નક્કી કરવામાં આવી છે. આ જ રીતે રાજ્યમાં આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આમ, રાજ્યના મોટાભાગના શહેરોને પરીક્ષા સેન્ટર તરીકે આવરી લેવાયા હોવાનું જાણવા મળે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) એ તેની સત્તાવાર વેબસાઇટ પર આગામી 2022ના વર્ષ માટે બેચલર ઓફ ડિઝાઇન તેમજ બેચલર ઓફ ફેશન ટેક્નોલોજી પ્રોગ્રામ્સ (B.Des & B.FTech) માં પ્રવેશ માટેની સૂચના બહાર પાડી છે.
ભારતના કોઈપણ રાજ્યમાંથી લાયકાત ધરાવતા ઉમેદવાર જે સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નિર્ધારિત વય અને શૈક્ષણિક લાયકાતના માપદંડોને પૂર્ણ કરે છે તે અધિકૃત વેબસાઇટ – http://niftadmissions.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
ઉમેદવારની સાહજિક ક્ષમતા, કન્સેપ્ટ ડેવલપમેન્ટમાં અવલોકનની શક્તિ અને ડિઝાઇન ક્ષમતા નક્કી કરવા માટે એન્ટ્રન્સ એકઝામ અન્ડર ગ્રેજ્યુએટ UG અને PG પોસ્ટ ગ્રેજ્યુએટ ડિઝાઇન પ્રોગ્રામ બંને માટે લેવામાં આવે છે. કસોટીનું મહત્વનું પાસું એ છે કે રંગ અને ચિત્રણ કૌશલ્યોનો સર્જનાત્મક અને નવીન ઉપયોગ.
લેખિત પ્રવેશ પરીક્ષામાંથી B.Des માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ સિચ્યુએશન ટેસ્ટ લેવાની જરૂર છે જે સામગ્રીના આપેલ સેટ સાથે આપેલ પરિસ્થિતિમાં સામગ્રીના સંચાલન માટે ઉમેદવારની કુશળતા અને નવીન ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ પરની કસોટી છે.
ઉમેદવારોએ તેમના દ્વારા પસંદ કરેલ NIFT કેમ્પસમાં સ્ટુડિયો ટેસ્ટ, વ્યક્તિગત ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી માટે હાજર રહેવું પડશે. સ્ટુડિયો ટેસ્ટ પસંદ કરેલ પ્રોગ્રામ માટે ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યની યોગ્યતા ચકાસવા માટે રચાયેલ છે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માત્ર એડમિટ કાર્ડ સાથે જ આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અને અન્ય ઈન્ફોટેક ગેજેટ્સને મંજૂરી નથી. મોબાઇલ અથવા અન્ય ઇન્ફોટેક ગેજેટ્સ સાથે મળી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર છોડવા માટે કહેવામાં આવશે અને ગેરલાયક ઠેરવવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું જોઈએ. સ્ટુડિયો ટેસ્ટ NIFT કેમ્પસમાં યોજાશે.
NIFT Admission 2022: Important dates
Event
Dates
Last date to apply online
January 17, 2022
Registration with late fee of Rs. 5000
January 18 to 22, 2022
NIFT Admit Card release date
January 29, 2022
NIFT Entrance Exam 2022 date
February 6, 2022
Result of Written Entrance Examination
March 2022
Situation Test/ Group Discussion/ Interview
April 2022
Last date for online registration for foreign nationals/SAARC/NRIs/OCI
April 30, 2022
Declaration of Final Result (Online)
May 2022
Counselling
May-June2022 onwards
NIFT Admission 2022: How to apply online
1) Register yourself for the online application process at http://niftadmissions.in/. 2) Activate your online Application with the Activation Code received on your Email ID during the registration process.
3) The applicant is required to fill his/her “Personal Information” after registration only. The application form will appear on the screen. The applicant is required to fill up the details in the application form
4) In the next step, the applicant is required to upload scanned image file of his/her Photograph and Signature one by one.
5) In the next step, the applicant may be required to fill the Educational Information (as per requirement).
6) Once all the details are filled in, the candidate is required to Review the details entered and Confirm. No editing will be allowed once the application is confirmed by the candidates.
7) Your form will be completed only after paying the application fees, after confirmation using any of the available online modes of payment.
NIFT Admission 2022: Scheme of examination
Candidates will have to appear for a studio test, personal interview and verification of documents at the NIFT Campus opted by them. The studio test is designed to test the knowledge and skill aptitude of the candidate for the programme opted. Entry to the Examination Centre will be allowed with Admit Card only. Mobiles and other infotech gadgets are not allowed inside the Examination Centre. Candidates found with mobile or other infotech gadgets will be asked to leave the examination centre and shall be disqualified. Candidates should reach the Examination Centre at least 30 minutes before the commencement of the examination. The studio test will be held at NIFT Campuses.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે.
આઈઆઈટી ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની 400 ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે.
આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે 2.40 કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના 1100 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે.
આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે. પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.
આઈઆઈટી દિલ્હીના 400 વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ 2.15 કરોડ રુપિયાનુ રહ્યુ છે.
આઈઆઈટી ગૌહાટીના 200 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં 43 ટકાનો વધારો થયો છે.
મેડીકલ ખાસ કરીને એમબીબીએસમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે સેકન્ડ ટ્રાયલનો ટ્રેન્ડ એટલી હદે વધી ગયો છે કે આ વર્ષે 2021માં ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એપ્લાય કરનારા કુલ 24,228 પ્રવેશાર્થીઓ પૈકી 40 ટકા એટલે કે 9,331 પ્રવેશાર્થીઓ એવા છે જેમણે નીટની પરીક્ષા બીજી વખત આપીને સ્કોર મેળવ્યો છે. આવું કરવા પાછળ બે કારણો છે (1) એડમિશન મળે તેટલો નીટનો સ્કોર આવે એટલા માટે (2) સરકારી મેડીકલ કોલેજો કે જ્યાં ઓછી ફીમાં એમબીબીએસનો અભ્યાસ કરી શકાય તે માટે બીજી વખત નીટની પરીક્ષા આપવાના વલણનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે.
ગુજરાતની મેડિકલ કોલેજોમાં 2021માં એડમિશન લેવા માટે ફોર્મ ભરનારા કુલ 24,228 ઉમેદવારોમાંથી 9,331 એવા હતા જેમણે ધોરણ 12ની પરીક્ષા 2020 અથવા તે પહેલાના વર્ષમાં પાસ કરી હતી
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ (ACPUGMEC) દ્વારા MBBS સહિતની 5504 મેડિકલ બેઠકોની એડમિશન પ્રક્રિયા માટે વેરિફેકશન કરવામાં આવ્યું ત્યારે આ આંકડો બહાર આવ્યો હતો.
મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા રિપીટ કરવાનું પસંદ કરી રહ્યા છે તેની પાછળ નક્કર કારણ રહેલું છે. ખાનગી કોલેજમાં એમબીબીએસ કરવું હોય તો દર વર્ષે 8થી 14 લાખ રૂપિયા ફી ભરવી પડે છે. મોટાભાગની પ્રાઈવેટ કોલેજો કરતાં સરકારી કોલેજોમાં કટ-ઓફ ઊંચું હોય છે અને ત્યાં વાર્ષિક ફી પણ 25,000 રૂપિયા જેટલી હોય છે. સરકારી ટ્રસ્ટ દ્વારા ચાલતી GMERS કોલેજોની વાર્ષિક ફી આશરે 3 લાખ રૂપિયા જેટલી હોય છે.
2021માં લેવાયેલી નીટ પરીક્ષાના સ્કોરથી અસંતુષ્ઠ વિદ્યાર્થીઓ 2022માં મોટી સંખ્યામાં નીટની સેકન્ડ ટ્રાયલ આપે તેવી શક્યતા
જે રીતે નીટની સેકન્ડ ટ્રાયલ આપવાનો ટ્રે્ન્ડ વધી રહ્યો છે. 2017થી શરૂ થયેલો નીટ સેકન્ડ ટ્રાયલ આપવાના ટ્રેન્ડને જોઇએ તો દર વર્ષે સેકન્ડ ટ્રાયલ આપનારા વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને જોતા આ વર્ષે 2021માં પહેલી વખત નીટ આપનારા હજારો વિદ્યાર્થીઓએ તેમના સ્કોરથી અસંતોષ વ્યક્ત કરીને નીટ 2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જણાય રહ્યું છે. ક્લાસીસોના સંચાલકો પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રમાણે બ્રેઇન વોશ કરીને નીટ સેકન્ડ ટ્રાયલ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે.
સેન્ટ્રલ બોર્ડની તા.1લી ડિસેમ્બરે ગુજરાતમાં ધો.12ના વિદ્યાર્થીઓની લેવાયેલી સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતના રમખાણો વિષય પર પૂછાયેલા એક પ્રશ્નએ ગુજરાતના રાજકારણ તેમજ સેન્ટ્રલ બોર્ડના તંત્રમાં મોટું રમખાણ સર્જ્યું છે. છેવટે સેન્ટ્રલ બોર્ડે એવી જાહેરાત કરી છે કે ગુજરાત રમખાણ પર અયોગ્ય સવાલ પૂછનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. સમગ્ર પ્રકરણ આ મુજબ જાણવા મળ્યું હતું.
સીબીએસઈએ બુધવાર તા.1લી ડિસેમ્બર 2021ના ધો. 12ની પરીક્ષામાં સમાજશાસ્ત્રના પ્રશ્ન પત્રમાં વિદ્યાર્થીઓને એ રાજકીય પક્ષનું નામ જણાવવા કહ્યું જેના કાર્યકાળમાં 2002માં ગુજરાતમાં કોમી મુસ્લિમ વિરોધી હિંસા થઈ હતી. સીબીએસઈએ આ પ્રશ્નને અયોગ્ય અને તેની ગાઈડલાઈન વિરુદ્ધનો ગણાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ જણાવ્યું કે આ મામલે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સીબીએસઈની સત્ર કસોટીમાં ધો.12 સમાજશાસ્ત્રના પેપરમાં વિવાદિત પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ વિવાદ થતાં બોર્ડે પગલાં ભરવામાં આવશે એમ જણાવ્યું
સીબીએસઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, બુધવારે ધો. 12ના સમાજશાસ્ત્રની સત્ર કસોટીમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે અયોગ્યો છે અને પ્રશ્ન પેપર તૈયાર કરવાની બાબતે બાહરના વિષય નિષ્ણાતો માટે સીબીએસઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરાયું છે. સીબીએસઈ આ ભૂલને સ્વીકારે છે અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.
સીબીએસઈની ગાઈડલાઈન મુજબ પરીક્ષામાં પ્રશ્ન પત્રમાં પૂછવામાં આવતા પ્રશ્નો એકેડેમિક જ હોવા જોઈએ અને વર્ગ-ધર્મ-તટસ્થ હોવા જોઈએ. સામાજીક અને રાજકીય પસંદને આધારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે એવા કોઈ વિષયને છેડવો જોઈએ નહીં.
સીબીએસઈ ધો. 12ના સમાજશાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્યું હતું કે, 2002 ગુજરાતમાં મોટાપાયે મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકારના કાર્યકાળાં થઈ? આ માટે જવાબના વિકલ્પ હતા. કોંગ્રે, ભાજપ, ડેમોક્રેટિક અને રિપબ્લિકન. ઉલ્લેખનીય છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સાશનકાળમાં 2002માં ગોધા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાને આગ ચાંપી દેવાયા બાદ રાજ્યમાં વ્યાપક કોમી રમખાણ ભડક્યા હતા. ટ્રેનમાં આગની ઘટનામાં 59 હિન્દુ કારસેવકના મોત થયા હતા. રમખાણોમાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મેડિકલ-ડેન્ટલના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ વેરિફેકશન કરાવ્યુઃ
ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ૧૧ હજાર યુવકો સામે ૧૩ હજાર યુવતીઓ પ્રવેશની લાઈનમાં છે.
રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ૨૫૩૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોય વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ જ ફાઈનલ મેરિટમાં સમાવિષ્ટ થઈ શકે છે.આજે રાજ્યના નક્કી કરાયેલા ૩૨ હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ હતો.કુલ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.
મહત્વનું છે કે પ્રથમવાર મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા ઘણી વધી છે.આ વર્ષે પ્રવેશ માટેની લાઈનમાં ઉભેલા કુલ વિદ્યાર્થીઓમાં ૧૧૧૦૦ યુવકો છે અને જેની સામે યુવતીઓ ૧૩૧૧૮ છે.આમ યુવકો કરતા યુવતીઓ ૨ હજાર જેટલી વધારે છે.પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નર્સિંગમાં મોટા ભાગે વિદ્યાર્થિનીઓ વધુ પ્રવેશ લેતી હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ મેડિકલ-ડેન્ટલમાં પણ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે. જો કે નીટ આપનારા સ્ટુડન્સમાં વિદ્યાર્થિનીઓ વધુ છે અને પરિણામ પણ તેઓનું વધુ આવ્યુ છે.
ગુજરાત સરકારની મેડીકલ પેરામેડીકલ એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ફક્ત ચાલુ વર્ષ પૂરતું વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ પણ એમબીબીએસ, ડેન્ટલમાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. વિદેશમાં વસતા એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનો ભારત સરકારે આપેલો કાર્ડ છે.
ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગઇ તા.8મી નવેમ્બર 2021ના રોજ આપેલા એક ચુકાદાને આધિન ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડીયા કાર્ડ હોલ્ડર વિદ્યાર્થીઓને મેડીકલ, ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ફક્ત આ વર્ષ 2021-22 માટે સરકારી (સ્ટેટ) ક્વોટા તેમજ મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટે લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હશે તો તેમને મેરીટમાં સરકારી ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મળી શકશે.
સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાં વસતા અને ઓસીઆઇ કાર્ડ હોલ્ડર અનેક ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેરીટમાં એડમિશન મળી શકશે. આવા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી એન.આર.આઇ. ક્વોટામાં લાખો રૂપિયાના ખર્ચે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવો પડતો હતો.
આ પ્રકારની જાહેરાત એડમિશન કમિટીએ પોતાની વેબસાઇટના હોમ પેજ પર કરી છે
OCI = Overseas Citizen of India
(a) The following categories of persons (except Pakistan and Bangladesh) are eligible to apply under OCI scheme:
Who is a citizen of another country, but was a citizen of India at the time of, or at any time after, the commencement of the constitution; or
Who is a citizen of another country, but was eligible to become a citizen of India at the time of the commencement of the constitution; or
Who is a citizen of another country, but belonged to a territory that became part of India after the 15th day of August, 1947; or
Who is a child or a grand-child or a great grandchild of such a citizen; or
(b) A person, who is minor child of a person mentioned in clause (a); or (c) A person, who is a minor child, and whose both parents are citizens of India or one of the parents is a citizen of India; or (d) Spouse of foreign origin of a citizen of India or spouse of foreign origin of an Overseas Citizen of india Cardholder registered under section 7A, Citizenship Act 1955 and whose marriage has been registered and subsisted for a continuous period of not less than two years immediately preceding the presentation of the application under this section: Provided that no person, who is or had been a citizen of Pakistan, Bangladesh or such other country as the Central Government may, by notification in the Official Gazette, specify, shall be eligible for the registration as Overseas Citizen of India Cardholder.
ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા અને નીટનો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એ ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહીની ઘોષણા કરવામાં આવી છે.
પ્રવેશ કાર્યવાહીનું સંપૂર્ણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે. તા.17મી નવેમ્બરથી તા.28મી નવેમ્બર સુધી ઓનલાઇન પીન ખરીદીને વિદ્યાર્થીઓ એ પીન મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
નીટ 2021 પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ ગુજરાતમાં મેડીકલ, પેરામેડીકલ, આયુર્વેદિક અને હોમીયોપેથી કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ એજ્યુકેશન કોર્સીસ દ્વારા ધો.12 પછી મેડીકલ પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ લેવાની ઇચ્છા રાખનારા વિદ્યાર્થીઓએ કયા ડોક્યુમેન્ટસ હાથવગા રાખવા પડશે તેની વિગતો પ્રકાશિત કરી છે.
એક મહત્વના મુદ્દા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ માટે જ ફરજિયાત છે. જેમનો જન્મ ગુજરાતમાં થયો છે એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની કોઇ જ જરૂરીયાત નથી. હાલમાં દરેક વિદ્યાર્થીઓ ડોમિસાઇલ કઢાવવા માટે ધક્કા ખાય રહ્યા છે. તેમણે આ બાબત ધ્યાનમાં લેવી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.