CIA ALERT

ઇન્ડીયા Archives - Page 211 of 217 - CIA Live

August 14, 2018
rupee-full.jpg
1min7650

રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.

ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.

August 13, 2018
major1.jpg
1min6810

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 13, 2018
siachen-glacier.jpg
2min6730

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે 

હાલ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે ખાસ પ્રકારનાં કપડાં, સ્લિપીંગ કિટ્સ તથા અન્ય ખાસ ઉપકરણો તૈયાર કરાવવા અંગેની યોજનાને આખરી ઓપ આપી રહી છે. સિયાચીન ખાતે અતિશય ઠંડી પડે છે. તે લડાઈનું સૌથી ખતરનાક ક્ષેત્ર માનવામાં આવે છે.

૧૬૦૦૦ ફૂટથી ૨૦૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ક્ષેત્રના ભારતીય લશ્કરના જવાનોને અતિશય ઠંડી સામે રક્ષણ આપતા ખાસ ટેક્નિક ધરાવતા કપડાં (એક્સટ્રીમ કોલ્ડ વેધર ક્લોધિંગ સિસ્ટમ)ની આયાત તથા માઉન્ટેનિયરિંગ કિટની આયાત પાછળ ભારત સરકાર પ્રતિ વર્ષ ૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે.

હાલ આ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે, પરંતુ તેનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે તો પ્રતિવર્ષ ૩૦૦ કરોડ રૂપિયાની બચત થઈ શકશે. ખાનગી ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમ હેઠળ સિયાચીન ગ્લેસિયર ખાતે ફરજ બજાવનાર લશ્કરી જવાનની જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન અંગેની યોજના લગભગ ફાઇનલ થઈ ગઈ હોવાનું લશ્કરી સૂત્રોએ જણાવ્યું છે. સામગ્રીમાં થર્મલ ઇનસોલ્સ, સ્નો ગોગલ્સ, આઇસ એક્સ, બૂટ, એવેલેન્ચ વિક્ટીમ ડિટેક્ટર, રોક પાઇટોન્સ, સ્લિપીંગ બેગ્સ ઉપરાંત પર્વતારોહણને આવશ્યક સામગ્રીનો સમાવેશ થશે. સિયાચીન ગ્લેશિયર ઉપરાંત ડોકલામ તથા અન્ય ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ફરજ બજાવતી લશ્કરી ટુકડીઓને પણ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે. કારાકોરમ રેન્જમાં આવેલી સિયાચીન ગ્લેશિયરને હાઈએસ્ટ મિલિટરાઈઝ્ડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્ર્વનો આ સૌથી ખતરનાક વિસ્તાર છે. જ્યાં સૈનિકોએ અતિશય ઠંડી અને તેજ પવનની વચ્ચે થીજી જવાય એવા વાતાવરણમાં લડવું પડે છે. શિયાળા દરમિયાન સિયાચીન ગ્લેશિયરનું તાપમાન માઇનસ ૬૦ ડિગ્રી જેટલું નીચું જાય છે.

As legend goes, Colonel Narendra Kumar, the legendary
mountaineer after whom the mid way point of Siachen is
named, lost an ice axe presented to him by Indira Gandhi
while trekking up the glacier. The firm belief is that till
the army finds the missing piece of equipment, soldiers are
doomed to stay on the glacier.
AT 22,000ft, WITH TEMPERATURES FALLING BELOW MINUS 65 DEGREE CELSIUS, SIACHEN IS THE WORLD’S HIGHEST AND COLDEST BATTLEFRONT. ON AN EIGHT-DAY AND 84 Kms TREK UP THE GLACIER, MEMBERS OF SIACHEN GLACIER TRACKERS CLIMBING ON THE GLACIER TOWARDS CAMP THREE (NEAR KUMAR POST). IT WAS 84 Kms TRACK FROM BASE CAMP TO CAMP-3 AND BACK. IT WAS A CIVILIAN EXPENDITION UP THE SIACHEN GLACIER ORGANIZED BY THE INDIAN ARMY.
PHOTO BY — PRAVEEN KHANNA (17-10-2008)
SIACHEN-GLACIER.

પાછલા ૧૦ વર્ષમાં ભારતે સિયાચીન ગ્લેસિયર ખાતે તેના ૧૬૩ જવાન ગુમાવ્યા છે. ભારત તથા પાકિસ્તાન તરફથી ૧૯૮૪થી સિયાચીન ખાતે લશ્કરી ટુકડીઓ લાદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટ બે કેટેગરીમાં ડીવાઈડ કરવામાં આવશે જે અંતર્ગત એક કેટેગરીમાં ૯૦૦૦ ફટથી ૧૨૦૦૦ ફૂટ તથા બીજી કેટેગરીમાં ૧૨૦૦૦ ફૂટ ઉપરનો સમાવેશ કરવામાં આવશે.

એનડીએ સરકાર તરફથી મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણને લગતી સાધાનસામગ્રીનું ઉત્પાદન દેશમાં કરવા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતીય ફર્મ સાથે જોડાઈને હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. આર્મી દ્વારા ૧૦ વર્ષ પહેલાં જ હાઈ અલ્ટિટ્યૂટ કપડાં તથા સામગ્રીના સ્વદેશી ઉત્પાદનનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.

August 11, 2018
logo.jpg
1min9050

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને નિર્ધારિત સ્થળે એકત્રિત કરીને એને ભૂખ્યા લોકો સુધી સમયસર પહોંચાડવાનું ઉત્કૃષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં આવી કોઇ રોટી બેંકની શરૂઆત થશે ખરી

સુરત શહેરમાં આમ તો છુટીછવાયી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ ગરીબ લોકો સુધી ખાવાનું પહોંચતું કરી રહ્યા છે પરંતુ, તેમાં એકસૂત્રતો જોવા મળતી નથી. મુંબઇમાં રોટી બેંકની કામગીરી જોઇને સુરતમાં જો આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સુરતમાં કદાચ કોઇ ભૂખ્યું નહીં સૂવે.

 

મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે.

 

રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય.

મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી.

રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે.

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મળ્યો છે.

લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે.

રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે.

રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો.  

 

August 10, 2018
mumbai.jpg
1min9330

મુંબઇને માથે કોઇને કોઇ આપત્તિ મંડળાયેલી રહેતી હોય છે. હાલમાં મેઘરાજાએ મુંબઇમાં પોરો ખાધો છે ત્યારે હવે દરિયો મુંબઇવાસીઓ માટે નવું સંકટ લઇને આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં મુંબઇના દરીયાકાંઠે મોટી ભરતી આવશે અને આ મોટી ભરતી સમુદ્રનો કચરો મુંબઇના દરીયા કિનારાઓ પર ઘસડી લાવશે. આ સમસ્યાથી છુટકારો મેળવતા ફરીથી મુંબઇગરાઓ સમેત તંત્રવાહકોએ દિવસો સુધી સફાઇ કામગીરી કરવી પડશે.

જાણકારો કહે છે કે આગામી સપ્તાહમાં દરિયામાં મોટી ભરતી આવશે અને દરિયાઇ મોજાં ઉંચા ઉછળશે તેની સાથે જ મુંબઈના કિનારા પર મોટા પ્રમાણમાં કચરો તણાઈને આવવાની શકયતા છે.  આ મહિને દરિયામાં છ દિવસ મોટી ભરતી છે. દસમી ઑગસ્ટથી 15 ઑગસ્ટ દરમિયાન મોટી ભરતી છે, જેમાં સૌથી ઊંચી ભરતી સોમવાર 13 ઑગસ્ટના છે, તે દિવસ દરિયામાં 4.96 મીટર ઊંચા મોજાં ઉછળશે. તો આજે 4.60 મીટર, શનિવારે 4.82 મીટર, રવિવારે 4.95 મીટર, મંગળવારે 4.85 મીટર અને બુધવારે 4.62 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે. છેલ્લાં થોડાં વર્ષમાં દરિયામાં કચરો નાખવાનું પ્રમાણ વધી ગયું છે. ચોપાટી પર મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. તેમાંથી મોટાભાગના લોકો દરિયામાં કચરો નાખતા હોય છે. તો જહાજના માધ્યમછી પણ નાખવામાં આવતો કચરો ભરતીના સમયમાં મોજાની સાથે કિનારા પર ધસડાઈને આવતો હોય છે. 15 જુલાઈના મોટી ભરતી હતી અને મોજાં 4.97 મીટર ઊંચાં ઉછળ્યાં હતાં ત્યારે કચરાના ઢગલા ને ઢગલા મરીન ડ્રાઈવ, જૂહુ, દાદર, માહિમ ચોપાટી પર પાણીની સાથે તણાઈને આવ્યા હતા. લગભગ 2015 મેટ્રિક ટન જેટલો કચરો મુંબઈના દરિયા કિનારા પર ઠલવાયો હતો. તેથી આજથી છ દિવસ ભરતીના છે ત્યારે ફરી મોજાની સાથે મોટા પ્રમાણમાં કચરો તણાઈ આવવાની શકયતાને પગલે પાલિકાએ મોટી સંખ્યામાં સફાઈ કામગારોને તહેનાત રાખ્યા છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા કલાકના 50 મિલીમીટર વરસાદી પાણીનો નિકાલ કરવાની છે પણ દરિયામાં મોટી ભરતી હોય અને દરિયામાં મોજા 4.5 મીટરથી ઊંચા ઉછળતા હોય અને બરોબર તે જ સમયે મુશળધાર વરસાદ પડતો હોય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. તેને કારણે દર વર્ષે ચોમાસામાં મોટી ભરતીના દિવસની પાલિકા યાદી બનાવીને તે દિવસે દરિયા કિનારા પર પાલિકા યંત્રણા સુજ્જ રહેતી હોય છે.

August 9, 2018
india.jpg
1min10410

અગાઉના ચાર વર્ષની તુલનામાં છેલ્લાં ચાર આર્થિક વર્ષમાં દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થઇને 79,882 રૂ. થઇ છે, એવી સંસદમાં માહિતી આપવામાં આવી હતી.

2011-12થી 2014-15માં લોકોની સરાસરી માથાદીઠ આવક 67,594 રૂ. હતી. જ્યારે 2014-15થી 2017-18 સુધીમાં લોકોની સરેરાશ માથાદીઠ આવક 79,882 રૂ. થઇ છે, એવી માહિતી લોકસભામાં રાજ્યકક્ષાના આંકડાકીય બાબતોના પ્રધાન વિજય ગોયલે આપી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેશના લોકોની માથાદીઠ આવકમાં અગાઉના વર્ષોની સરખામણીમાં વધારો થયો છે કે નહીં એ અંગેના સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

August 8, 2018
maratha.jpg
1min11570

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 7, 2018
rakesh-maria-and-meghna-1533547219-lb.jpg
1min8390

અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ ગુના અને આતંકવાદના ઘટનાક્રમને ઉમેરીને લોકોને પોલીસ ખાતાની કામગીરીથી માહિતગાર કરવામાં આવશે. મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘આ સિરીઝ માટે કન્ટેન્ટ વિશાળ છે, જેને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’

રાકેશ મારિયાએ ૧૯૮૧ના બૅચમાં IPSની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૯૩માં તેઓ ટ્રાફિક-પોલીસ વિભાગમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર હતા અને એ વર્ષે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાનો કેસ તેમણે ઉકેલ્યો હતો. ત્યાર બાદ તેઓ ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને બાદમાં જૉઇન્ટ પોલીસ-કમિશનર બન્યા હતા. તેમણે ૨૦૦૩માં ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્વિન બ્લાસ્ટ કેસને ઉકેલ્યો હતો એટલું જ નહીં, તેમને ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસની સાથે આતંકવાદી અજમલ કસબની પૂછપરછ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વેબ-સિરીઝ સંદર્ભે રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘આ આખી જર્નીને ફરીથી જીવવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. મેઘના ગુલઝાર જેવી શાનદાર અને સંવેદનશીલ ડિરેક્ટર એને નવો આયામ આપશે.’

મેઘનાની પ્રશંસા કરતાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના વાઇસ ચૅરમૅન અમિતાભ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ‘તે દેશની સૌથી વધુ ટૅલન્ટેડ યંગ ડિરેક્ટર્સમાંની એક છે. શહેરના પ્રતિષ્ઠિત ઑફિસર રાકેશ મારિયાના જીવન પર સિરીઝ બનાવવા માટે મેઘના સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમની કરીઅરની સિદ્ધિઓને અને મુંબઈ પોલીસના હજારો સદસ્યોના યોગદાનને તથા આપણા શહેરની આખું વર્ષ ચોવીસે કલાક સુરક્ષા કરતા અધિકારીઓના કામને બિરદાવવામાં આવશે.’

August 7, 2018
fish.jpg
1min6060

પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

 

fish1

 

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

 

fish

 

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’

આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’

August 4, 2018
drug.jpg
1min5760
આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇસરી બોડીની એક પેટા-સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 300 થી વધુ દવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) મેડિસિન છે. સરકારના આ નિર્ણયથી એબોટ જેવા વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસીજ) સહિત પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપીન જેવી ઘરેલૂ દવા ઉત્પાદકો ઉપરાંત અનેક કંપનીઓ પણ પ્રભાવિત થશે. શક્ય છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ કંપનીઓ કોર્ટમાં પણ પહોંચે. બેન સંબંધિત પ્રારંભિક સ્તરે અનેક અધિસૂચનાઓ જોવા મળી છે. જો તેને લાગુ કરવામાં આવે તો લોકોની વચ્ચે સામાન્ય થઇ ચૂકેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી’કોલ્ડ લોટલ જેવી કફ સિરપ, દર્દ નિવારક અને ફ્લૂની દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આરોગ્ય મંત્રાલય જે 343 ફિક્સડ ડઝ કોમ્બિનેશન મેડિસીન્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેનું ડ્રાફ્ટ લિસ્ટ ડ્રગ ટેક્નોલોજી એડવાઇઝર બોર્ડ (ડીટીએબી)ની ભલામણો પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડીટીએબીએને કહ્યું હતું કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપી કે તેઓ કઇ દવાઓ પર રેગ્યુલેટ, રેસ્ટ્રિક્ટ અથવા સંપૂર્ણ પ્રતિબંધ કરે છે. સર્વોચ્ચ અદાલતનો આ આદેશ એફડીસી બેન મુદ્દાઓ પર સરકાર અને દવા કંપનીઓ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ લેવાયો છે.
શું છે એફડીસી?
બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે કે બેથી વધુ સામગ્રીના મિશ્રણથી બનતી દવાને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં પેરિસટામોલ+ ફેનીલેફ્રાઇન+કૈફિન, ક્લૉરફેનિરામાઇન મેલીઆટ+ કોડાઇન સિરપ અને પારાસીટમોલ+ પ્રોપિફેનાજૉન+કૈફીન જેવા કોમ્બિનેશનને એફડીસીઝમાં સામેલ કરાયો છે