CIA ALERT

ઇન્ડીયા Archives - Page 212 of 217 - CIA Live

August 7, 2018
fish.jpg
1min6100

પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

 

fish1

 

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

 

fish

 

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’

આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’

August 4, 2018
drug.jpg
1min5820
આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇસરી બોડીની એક પેટા-સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 300 થી વધુ દવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) મેડિસિન છે. સરકારના આ નિર્ણયથી એબોટ જેવા વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસીજ) સહિત પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપીન જેવી ઘરેલૂ દવા ઉત્પાદકો ઉપરાંત અનેક કંપનીઓ પણ પ્રભાવિત થશે. શક્ય છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ કંપનીઓ કોર્ટમાં પણ પહોંચે. બેન સંબંધિત પ્રારંભિક સ્તરે અનેક અધિસૂચનાઓ જોવા મળી છે. જો તેને લાગુ કરવામાં આવે તો લોકોની વચ્ચે સામાન્ય થઇ ચૂકેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી’કોલ્ડ લોટલ જેવી કફ સિરપ, દર્દ નિવારક અને ફ્લૂની દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આરોગ્ય મંત્રાલય જે 343 ફિક્સડ ડઝ કોમ્બિનેશન મેડિસીન્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેનું ડ્રાફ્ટ લિસ્ટ ડ્રગ ટેક્નોલોજી એડવાઇઝર બોર્ડ (ડીટીએબી)ની ભલામણો પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડીટીએબીએને કહ્યું હતું કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપી કે તેઓ કઇ દવાઓ પર રેગ્યુલેટ, રેસ્ટ્રિક્ટ અથવા સંપૂર્ણ પ્રતિબંધ કરે છે. સર્વોચ્ચ અદાલતનો આ આદેશ એફડીસી બેન મુદ્દાઓ પર સરકાર અને દવા કંપનીઓ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ લેવાયો છે.
શું છે એફડીસી?
બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે કે બેથી વધુ સામગ્રીના મિશ્રણથી બનતી દવાને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં પેરિસટામોલ+ ફેનીલેફ્રાઇન+કૈફિન, ક્લૉરફેનિરામાઇન મેલીઆટ+ કોડાઇન સિરપ અને પારાસીટમોલ+ પ્રોપિફેનાજૉન+કૈફીન જેવા કોમ્બિનેશનને એફડીસીઝમાં સામેલ કરાયો છે
July 25, 2018
truck-1.jpg
1min6170

ટ્રકચાલકોની હડતાલ પાંચમા દિવસમાં પ્રવેશી છે ત્યારે રોજિંદી જરૂરિયાતની ચીજો, ઘરવપરાશની વસ્તુઓ અને મોબાઇલ ફોનના સપ્લાય પર પ્રતિકૂળ અસર શરૂ થઈ છે. કેટલાક કિસ્સામાં કાચા માલના પુરવઠાના અભાવે ફેક્ટરીઓ બંધ રાખવાની ફરજ પડી છે. સ્થિતિ થોડો વધુ સમય ચાલુ રહેશે તો રિટેલ સ્ટોર્સમાં સપ્લાયની તંગી થવાની આશંકા છે.

ટ્રકની હડતાલને પગલે ઇ-કોમર્સ કંપનીઓના પેકેજની ડિલિવરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. રોજિંદી જરૂરિયાતની ચીજો અને ખાસ કરીને ફળો, ડેરી પ્રોડક્ટ્સના મર્યાદિત પુરવઠાના કારણે ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તમામ કેટેગરીના કન્ઝ્યુ ગૂડ્ઝના સપ્લાય પર માઠી અસર થશે. અત્યારે અમારા સ્ટોકની હેરફેર યોજના મુજબ થઈ રહી છે. જોકે, કેટલાક સ્થળે થોડી મુશ્કેલી છે, જેનો ઉકેલ પછીના દિવસે આવી જાય છે.

ટ્રકચાલકોની હડતાલ એવા સમયે થઈ છે જ્યારે સારા ચોમાસાના કારણે કન્ઝ્યુ ગૂડ્ઝ ઉદ્યોગને પ્રોત્સાહક ક્વાર્ટરનો અંદાજ હતો. કેટલાક અંદાજ મુજબ હડતાલથી ₹૧૦,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. હડતાલને સ્થાનિક કામદાર સંઘોનો ટેકો છે. જેની અસર તમામ સેક્ટર્સને થઈ છે.

કન્ઝ્યુ ગૂડ્ઝ કંપનીઓની ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો સપ્લાય બે દિવસમાં ધીમો પડ્યો છે. અમને આશા છે કે, ટૂંક સમયમાં સ્થિતિ ઉકેલાશે અને ફળો, શાકભાજીના સપ્લાય પર વધુ માઠી અસર નહીં થાય.

July 23, 2018
GST-28.jpg
1min6180

તા.1લી જુલાઇ 2017ના દિવસે જ્યારે ભારતમાં જીએસટી દાખલ થયો હતો ત્યારે સૌથી હાઇએસ્ટ રેટ 28 ટકાના સ્લેબમાં કુલ 228 જેટલી ચીજવસ્તુઓ સામેલ હતી. 228 ચીજવસ્તુઓનો આંક ગઇ તા.21 જુલાઇ 2018ના રોજ જીએસટી કાઉન્સિલની લેટેસ્ટ મિટીંગ બાદ ઓછો થઇને હવે 35 ચીજવસ્તુઓ પર આવીને ઉભો છે.

GST કાઉન્સિલે સૌથી ઊંચા ૨૮ ટકાના ટૅક્સ-સ્લૅબમાંની વસ્તુઓની યાદી ઘટાડીને ૩૫ કરી દીધી છે. હવે આ યાદીમાં AC, ડિજિટલ કૅમેરા, વિડિયો રેકૉર્ડર, ડિશ વૉશિંગ મશીન અને વાહન જેવી માત્ર ૩૫ વસ્તુઓ બચી છે. છેલ્લા એક વર્ષમાં GST કાઉન્સિલે સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબવાળી ૧૯૧ વસ્તુઓ પરના ટૅક્સ ઘટાડી નાખ્યા છે.

GST ૨૦૧૭ની ૧ જુલાઈએ લાગુ કરવામાં આવ્યો હતો. એ સમયે ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ૨૨૬ વસ્તુઓ હતી. GST કાઉન્સિલે એક વર્ષમાં ૧૯૧ વસ્તુ પરથી ટૅક્સ ઘટાડ્યો છે. GSTના નવા દર ૨૭ જુલાઈથી લાગુ થશે. જે ૩૫ વસ્તુઓ સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબમાં બચી છે એમાં સિમેન્ટ, વાહનોના પાર્ટ્સ, ટાયર, વાહનો માટેનાં સાધનો, કાર, યૉટ, પ્લેન, ઍરેટેડ ડ્રિન્ક્સ અને તમાકુ, સિગારેટ અને પાનમસાલા જેવી આરોગ્ય માટે હાનિકારક વસ્તુનો સમાવેશ થાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે આગળ જઈને મહેસૂલી આવક સ્થિર થયા બાદ કાઉન્સિલ ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ફક્ત સુપરલક્ઝરી અને આરોગ્યને હાનિકારક વસ્તુઓ સુધી મર્યાદિત રાખી શકે છે. એવી આશા કરી શકાય કે દરેક આકારનાં ટીવી, ડિશ વૉશર, ડિજિટલ કૅમેરા, AC પર ૧૮ ટકાના દરે GST લાગુ થઈ શકે છે. સારી સ્થિતિ એ હશે કે ફક્ત આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને જ ૨૮ ટકાના સ્લૅબમાં રાખવામાં આવે.

July 22, 2018
100-1280x720.jpg
1min8190

ઑટૉમેટેડ ટેલર મશીન્સ (એટીએમ)ના ઑપરેટરોએ જણાવ્યું હતું કે નવી રૂપિયા 100ની નૉટો માટે દેશના 2,40,000 ઑટૉમેટેડ ટેલર મશીનમાં સુધારણા કરવા માટે અંદાજે રૂપિયા એક અબજની જરૂર પડશે અને તેના માટે એક વર્ષથી વધુ સમય લાગશે.

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ ગઇ તા.19મી જુલાઇ 2018ના રોજ જાહેર કર્યું હતું કે અમે ટૂંક સમયમાં જાંબુડિયા રંગની રૂપિયા 100ની નવી નૉટ બહાર પાડીશું અને તેના પર મધ્યવર્તી બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલની સહી હશે.

આરબીઆઇએ જણાવ્યું હતું કે હાલની રૂપિયા 100ની નૉટની સરખામણીમાં નવી નૉટ કદમાં નાની હશે. એક પૅમૅન્ટ સર્વિસના વડાએ જણાવ્યું હતું કે જો એટીએમની સુધારણાનું કામ યોગ્ય રીતે હાથ નહિ ધરાય તો તે પૂરું કરવા એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.

કૉફેડરેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે પ્રસારમાધ્યમ દ્વારા સંબંધિત સમાચાર જાહેર કરતા પહેલાં એટીએમના સંચાલકોનો અભિપ્રાય નહોતો લેવાયો.

ભારતીય રિઝર્વ બૅન્કે 2016ના નવેમ્બરની નૉટબંધી બાદ આ પાંચમી નવી નૉટ બહાર પાડશે. અગાઉ, તેણે રૂપિયા 2,000, રૂપિયા 500 અને રૂપિયા 200ની નવી નૉટ બહાર પાડી હતી. એટીએમના સંચાલકોએ જણાવ્યું હતું કે આ મશીનોની સુધારણા પાછળ ઘણો સમય જવાનો હોવાથી એટીએમમાંથી નવી નૉટ કાઢવાની સમસ્યા સર્જાઇ શકે છે.

July 21, 2018
pc-1.jpg
1min8370

છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સનાં દુર્ઘટનાગ્રસ્ત ઍરક્રાફ્ટની યાદી જાહેર

દેશમાં ઍરફોર્સનાં ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાઓ જાણે કે સામાન્ય થઈ ગઈ છે. ગયા જૂન મહિનામાં બે જૅગ્વાર અને સુખોઈ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં હતાં. તા.19મી જુલાઇ 2018ના દિવસે પણ ઍરફોર્સનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ હિમાચલ પ્રદેશમાં તૂટી પડ્યું હતું.

જૂન અને જુલાઈના બે મહિનામાં ત્રણ ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટના તો સામાન્ય છે, પણ જો સુખોઈ અને મિગના ક્રૅશ થવાની ઘટનાઓ પર નજર નાખીએ તો ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે. લોકસભામાં તા.19મી જુલાઇએ છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સની દુર્ઘટનાનો શિકાર થયેલાં ઍરક્રાફ્ટની એક યાદી જાહેર કરવામાં આવી હતી.

આ યાદીમાં લાખો રૂપિયાનાં ઍરક્રાફ્ટ તૂટી પડવાના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા જ હતા, પરંતુ ઍરક્રાફ્ટની સાથે જ શહીદ થનારા ઍરફોર્સના અધિકારીઓ અને જવાનોના આંકડાઓ ચોંકાવનારા છે. દેશમાં છેલ્લાં ૪૫ વર્ષમાં ૪૬૫ મિગ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં છે અને એ પણ દુશ્મન સામે લડ્યા વિના જ. યુદ્ધના મેદાનમાં તૂટી પડનારાં ઍરક્રાફ્ટની સંખ્યા માત્ર 11 છે. ૯૪૬ મિગ ઍરક્રાફ્ટમાંથી બે ૧૯૬૫ની લડાઈમાં, આઠ ૧૯૭૧ની લડાઈમાં અને એક ૧૯૯૯માં કારગિલની લડાઈમાં ક્રૅશ થયું છે.

ઍરફોર્સનાં 8 સુખોઈ ઍરક્રાફ્ટ પણ ક્રૅશ થઈ ચૂક્યાં છે. હેલિકૉપ્ટર્સમાં ચેતક અને MI-૧૭ જેવાં હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ચૂક્યાં છે. એક MI-૧૭ હેલિકૉપ્ટર તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ક્રૅશ થયું હતું. ૨૦૧૭ના માર્ચમાં પણ રાજસ્થાનમાં એક હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

બચેલાં ઍરક્રાફ્ટમાંથી કેટલાંક સરકાર દૂર કરવા વિચારી રહી છે, જ્યારે ૧૩૮ મિગ-૨૧ અપગ્રેડ કર્યા બાદ ૨૦૨૨ સુધી ઉડાડવામાં આવશે. મિગના સ્થાને સરકાર HAL દ્વારા તૈયાર કરવામાં આવેલા તેજસને લાવવાની વાત કરી રહી છે. જોકે હાલમાં તેજસ પણ વિવાદમાં સપડાયું છે.

July 19, 2018
cn1.jpg
1min5210

મોંઘવારી ભથ્થાની રકમની ગણતરી(ડીએ) કરવા ઉપયોગમાં લેવાતા બૅઝ યર અને ઇન્ડેક્સમાં સુધારા કરવા કેન્દ્ર સરકાર સજજ છે. આ પગલાંને પરિણામે આ વર્ષે ભથ્થામાં બે ટકા વધારો મળ્યા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજી વાર વધારો મળશે.

મોંઘવારી ભથ્થાની રકમ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને જીવન ખર્ચપેટે આપવામાં આવે છે. વેતનનો એક ભાગ છે અને તેની ગણતરી વ્યક્તિના બેઝિક વેતનની નિશ્ર્ચિત ટકાવારી પ્રમાણે કરવામાં આવે છે.

એક અંગ્રેજી દૈનિકના જણાવ્યા પ્રમાણે શ્રમ મંત્રાલય દ્વારા ઔદ્યોગિક કામદારો(સીપીઆઇ-આઇડબ્લ્યુ) માટે નવી પ્રાઇસ ઇન્ડેક્સ પર કામગીરી ચાલી રહી છે. મંત્રાલય હેઠળના લેબર બ્યૂરોએ નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ બેઝ યર 2016 તરીકે નક્કી કર્યું છે અને એવું સૂચન કરવામાં આવ્યું છે કે જીવન નિર્વાહ ખર્ચ બદલાતો રહેતો હોવાથી દર છ વર્ષે બેઝ પ્રમાણે સુધારા કરવા જોઈએ.

સીપીઆઇ-ડબ્લ્યુ માટે હાલનું બૅઝ યર 2001 હોવાથી આ પગલું મહત્ત્વનું બની રહે છે.

કિંમતમાં વધુ પારદર્શકતા લાવવા નવા ઇન્ડેક્સમાં નવા ઔદ્યોગિક સેન્ટરનો ઉમેરો કરવામાં આવશે. 78 સેન્ટર સામે 88 સેન્ટરનો સમાવેશ કરાશે. અહેવાલમાં જણાવાયા પ્રમાણે નવા સીપીઆઈ-આઈડબ્લ્યુમાં કાર અને મોબાઈલ જેવી આઈટેમનો સમાવેશ કરવામાં આવશે.

નવા ઇન્ડેક્સની ઝીણવટભરી તપાસ કરવા ટૅક્નિકલ એડવાઈઝરી કમિટીને મોકલવામાં આવ્યા પછી તેને આખરી ઓપ આપતાં પહેલાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રિપક્ષી સલાહ મસલત કરાશે. લેબર બ્યુરોએ દરેક સ્ટેજ પર ઈન્ડેક્સ નક્કી કરવા સ્ટેન્ડિંગ ટ્રાઈપાઈટ્રાઈટ કમિટીની મંજૂરી મેળવી છે. આ પગલાંનો 110 લાખ સરકારી કર્મચારી અને પેન્શન ધારક ને લાભ થશે.

આ વર્ષે કૅબિનેટે મોંઘવારી ભથ્થું (ડીએ) પાંચ ટકા પરથી વધારીને સાત ટકા કર્યું હતું. આ પગલાંથી આશરે 48.41 લાખ સરકારી કર્મચારી અને 61.17 લાખ પેન્શનધારકને લાભ થયો હતો. સાતમા વેતન પંચની ભલામણ અનુસાર ઉક્ત વધારો કરવામાં આવ્યો હતો.

July 18, 2018
modi2.jpg
1min5620

આજથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. મોદી સરકાર સામે ચાર વર્ષમાં પહેલી વખતનો પ્રસંગ છે કે વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હોય.

કેન્દ્ર સરકાર સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્પીકર સુમીત્રા મહાજને સ્વીકાર્યો હતો. અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવા સરકારે તૈયારી દર્શાવી હતી જો કે હજુ તેના પર ચર્ચાનો સમય નિશ્ચિત થયો નથી. સંસદમાં મોદી સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવતા સરકાર સામે મોટું સંકટ ઘેરાયું છે. જો કે એક અંદાજ મુજબ સરકાર પાસે સાંસદોનું સંખ્યાબળ પુરતું છે જેને પગલે સરકાર અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. બહુમત માટે 268 સંસદની જરૂર છે.

 

July 12, 2018
pilot-1.jpg
1min7050

ભારતીય વિમાની કંપનીઓ આગામી વર્ષોમાં સેંકડો વિમાનની ડિલિવરી લેવાની છે ત્યારે તેમને મોટાપાયા પર પાઇલટ્સની અછતનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ, જેટ એરેવેઝ, ગોએર, વિસ્તારા અને એરએશિયા જેવી એરલાઇન્સ માર્ચ 2019 સુધીમાં લગભગ 100 પ્લેનની સંયુક્ત ડિલિવરી મેળવશે, તેમ એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇન્સને એક જ વર્ષની અંદરના સમયગાળામાં 800થી 1000 પાઇલટ તથા તેનાથી અડધી સંખ્યામાં ફર્સ્ટ ઓફિસર્સ અને કમાન્ડર્સની જરૂર પડશે. હાલમાં ફર્સ્ટ ઓફિસર્સ વિપુલ પ્રમાણમાં છે. પરંતુ પ્લેનની ડિલિવરી મળશે ત્યારે સૌથી મોટી તકલીફ કમાન્ડરને લગતી છે.

ભારતીય એરલાઇન્સને આગામી એક વર્ષમાં 800થી વધુ કમાન્ડરની જરૂર પડશે, તેમ સિડની સ્થિત કન્સલ્ટન્ટ કાપા સેન્ટરના સાઉથ એશિયાના સીઇઓ કપિલ કૌલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સમયે 30 ટકા કે 240 જેટલા પાઇલટની ઘટ પડશે તેમ લાગે છે. એરલાઇન ફર્સ્ટ ઓફિસર્સથી કેપ્ટનને તાલીમ આપી અપગ્રેડ કરવા પ્રયત્નશીલ છે અને ઘણી એરલાઇનને આગામી વર્ષોમાં તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કમાન્ડરની ભરતી કરવાની જરૂરિયાત લાગતી નથી.

તેના પરિણામે પાયલોટોએ વધુ કામ કરવું પડશે, તેમના કામકાજના કલાકો વધી જશે અને તેમને આરામનો ઓછો સમય મળસે. વિકસતા અર્થતંત્રમાં સતત વિકસતા મધ્યમ વર્ગ અને વધતી જતી વ્યક્તિગત આવકે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બનાવી દીધું છે. આગામી દાયકામાં ભારતીય વિમાની કંપનીઓ એક હજારથી વધારે પ્લેનની ડિલિવરી લેવાની છે ત્યારે આ જરૂરિયાત 8,000થી 10,000 પાઇલોટ્સની હશે.

એકબાજુ ઘરઆંગણે કમાન્ડરોની મર્યાદિત સંખ્યા અને સરકાર દ્વારા વિદેશી પાઇલટને લેવા સામેની અનિચ્છાના લીધે આ સ્થિતિ વધુ વણસી શકે છે, તેમ એરલાઇન એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારતીય એરલાઇનો જે રીતે વૃદ્ધિ પામી છે તેની સામે સ્થાનિક સ્તરે વિકસેલા પાઇલોટ્સનો ખાસ પ્રવાહ નથી. તેને ધ્યાનમાં રાખતા  વિદેશી પાઇલોટ્સ પર જ આધાર રાખવો પડશે. અમલદારશાહી અને આકરી નિયમનકારી નીતિના લીધે વિદેશી પાઇલટ લાવવા મુશ્કેલ પડી શકે છે. રેગ્યુલેટરી મંજૂરીમાં 40થી 60 દિવસ લાગી જાય છે. બીજા દેશો કરતાં ભારતમાં રેગ્યુલેટરી પ્રક્રિયા વધારે આકરી છે. ડીજીસીએ ભારતીય હવાઈદળના પાઇલોટ માટે જે મેડિકલ ધોરણો હોય તેવા ધોરણોની અપેક્ષા કોમર્સિયલ પાયલોટ પાસે પણ રાખે છે.

યાદ રાખો, ભારતીય કંપનીઓને અમેરિકન કે યુરોપીયન પાઇલોટ પોસાઇ શકે તેમ નથી. તેઓ મુખ્યત્વે રશિયા, યુક્રેન કે મેક્સિકોના પાયલોટ્સની ભરતી કરે છે. તેઓને સરેરાશ ભારતીય કમાન્ડરને ચૂકવાતા વેતન કરતાં 30થી 35 ટકા વધારે માસિક બેઝિક પગાર ચૂકવવો પડે છે. ભારતીય પાયલોટને મહિને ₹6,50,000 પગાર મળે છે જ્યારે વિદેશી પાયલોટને ₹8,84,000 (13,000 ડોલર) ચૂકવવા પડે છે.

July 12, 2018
net.jpg
1min5190

સરકાર નેટ ન્યુટ્રાલિટી અંગેના નિયમ સમાવવા ટૂંક સમયમાં ટેલિકોમ લાઇસન્સમાં ફેરફાર કરશે. તેમાં કન્ટેન્ટને બ્લોક કે ધીમું કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહત્ત્વની સેવાઓ માટે ફાસ્ટ લેન ફાળવાશે અને ‘કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક’ને કંપનીઓના અધિકારક્ષેત્રની બહાર મૂકવામાં આવશે. ટેલિકોમ કમિશન (TC)એ તા.11મી જુલાઇ 2018ના રોજ ટેલિકોમ નિયમનકર્તાની નવેમ્બર 2017ની ભલામણોને સંપૂર્ણપણે સ્વીકારી લીધી હતી. આ સાથે ઓપન ઇન્ટરનેટને ટેકો આપવાના ભારતના વલણને સમર્થન મળ્યું છે. નેટ ન્યુટ્રાલિટીના સમર્થકોએ આ પગલાને આવકાર્યું હતું. જોકે, ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેને લીધે ઇનોવેશન પર અસર થવાની શક્યતા છે.

ટેલિકોમ કમિશને નવી ટેલિકોમ પોલિસી ‘નેશનલ ડિજિટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018’ને મંજૂરી આપી હતી. પોલિસીનો લક્ષ્યાંક ભારતમાં ૨૦૨૨ સુધીમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનું રોકાણ આકર્ષવાનો અને રોજગારી સર્જનનો છે. કેબિનેટને બે સપ્તાહમાં નવી પોલિસી રજૂ કરવામાં આવશે.

નેટ ન્યુટ્રાલિટી અંગે ટ્રાઇની તમામ ભલામણો સ્વીકારી લેવામાં આવી છે. કેટલીક મહત્ત્વની સર્વિસિસ સિવાય તમામ બાબતોમાં નેટ ન્યુટ્રાલિટીના મહત્ત્વના સિદ્ધાંતોને અનુસરવામાં આવશે.

DoT દ્વારા આ મહત્ત્વની સેવાઓને નોટિફાય કરવામાં આવશે. આ બાબત અન્ય દેશોની પદ્ધતિ મુજબની છે. ટ્રાઇ સાથેની ચર્ચા કરીને આગામી કેટલાક મહિનામાં મહત્ત્વની સર્વિસિસ અંગે નિર્ણય લેવાશે. જોકે, આ માળખું હાલ નવું અને સતત બદલાતું હોવાના કારણે સરકાર અક્કડ વલણ નહીં અપનાવી શકે.

પેનલ ટેલિકોમ કંપનીઓની સેવાની ગુણવત્તા નક્કી કરવા ટ્રાફિક મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ (TMPs)નું માળખું નક્કી કરશે. ઉપરાંત નેટવર્કની સિક્યોરિટી, ઇમરજન્સી સર્વિસિસ, કોર્ટના આદેશનો અમલ અને સરકારના દિશાનિર્દેશ પારદર્શક હશે તો તેને પણ સમાવવામાં આવશે.

DoT ટેલિકોમ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (ISP) લાઇસન્સમાં તાત્કાલિક ફેરફાર કરશે, જે ઓપન વેબના સિદ્ધાંતોને આધિન રહેશે. નિયમો માટે કેબિનેટની મંજૂરી જરૂરી નથી, પણ અમલ પહેલાં તેમને નોટિફાય કરવા પડશે.

ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષની સઘન વાટાઘાટ પછી ફ્રી ઇન્ટરનેટનો માર્ગ મોકળો થયો છે.

નેટ ન્યુટ્રાલિટી અંગે મોબાઇલ ફોન ઓપરેટર્સ વિરુદ્ધ કન્ટેન્ટ પ્રોવાઇડર્સ અને એપ મેકર્સ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટેલિકોમ કંપનીઓના જણાવ્યા અનુસાર તેઓ કોઈ પણ કેસમાં મતભેદ નહીં કરતા હોવાથી નિયમનની જરૂર નથી. જ્યારે એપ મેકર્સે કોઈ ભેદભાવ વગર સ્પષ્ટ નિયમોની માંગણી કરી હતી.