CIA ALERT

ઇન્ડીયા Archives - Page 210 of 216 - CIA Live

August 11, 2018
logo.jpg
1min9000

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને નિર્ધારિત સ્થળે એકત્રિત કરીને એને ભૂખ્યા લોકો સુધી સમયસર પહોંચાડવાનું ઉત્કૃષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં આવી કોઇ રોટી બેંકની શરૂઆત થશે ખરી

સુરત શહેરમાં આમ તો છુટીછવાયી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ ગરીબ લોકો સુધી ખાવાનું પહોંચતું કરી રહ્યા છે પરંતુ, તેમાં એકસૂત્રતો જોવા મળતી નથી. મુંબઇમાં રોટી બેંકની કામગીરી જોઇને સુરતમાં જો આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સુરતમાં કદાચ કોઇ ભૂખ્યું નહીં સૂવે.

 

મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે.

 

રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય.

મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી.

રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે.

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મળ્યો છે.

લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે.

રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે.

રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો.  

 

August 10, 2018
mumbai.jpg
1min9260

મુંબઇને માથે કોઇને કોઇ આપત્તિ મંડળાયેલી રહેતી હોય છે. હાલમાં મેઘરાજાએ મુંબઇમાં પોરો ખાધો છે ત્યારે હવે દરિયો મુંબઇવાસીઓ માટે નવું સંકટ લઇને આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં મુંબઇના દરીયાકાંઠે મોટી ભરતી આવશે અને આ મોટી ભરતી સમુદ્રનો કચરો મુંબઇના દરીયા કિનારાઓ પર ઘસડી લાવશે. આ સમસ્યાથી છુટકારો મેળવતા ફરીથી મુંબઇગરાઓ સમેત તંત્રવાહકોએ દિવસો સુધી સફાઇ કામગીરી કરવી પડશે.

જાણકારો કહે છે કે આગામી સપ્તાહમાં દરિયામાં મોટી ભરતી આવશે અને દરિયાઇ મોજાં ઉંચા ઉછળશે તેની સાથે જ મુંબઈના કિનારા પર મોટા પ્રમાણમાં કચરો તણાઈને આવવાની શકયતા છે.  આ મહિને દરિયામાં છ દિવસ મોટી ભરતી છે. દસમી ઑગસ્ટથી 15 ઑગસ્ટ દરમિયાન મોટી ભરતી છે, જેમાં સૌથી ઊંચી ભરતી સોમવાર 13 ઑગસ્ટના છે, તે દિવસ દરિયામાં 4.96 મીટર ઊંચા મોજાં ઉછળશે. તો આજે 4.60 મીટર, શનિવારે 4.82 મીટર, રવિવારે 4.95 મીટર, મંગળવારે 4.85 મીટર અને બુધવારે 4.62 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે. છેલ્લાં થોડાં વર્ષમાં દરિયામાં કચરો નાખવાનું પ્રમાણ વધી ગયું છે. ચોપાટી પર મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. તેમાંથી મોટાભાગના લોકો દરિયામાં કચરો નાખતા હોય છે. તો જહાજના માધ્યમછી પણ નાખવામાં આવતો કચરો ભરતીના સમયમાં મોજાની સાથે કિનારા પર ધસડાઈને આવતો હોય છે. 15 જુલાઈના મોટી ભરતી હતી અને મોજાં 4.97 મીટર ઊંચાં ઉછળ્યાં હતાં ત્યારે કચરાના ઢગલા ને ઢગલા મરીન ડ્રાઈવ, જૂહુ, દાદર, માહિમ ચોપાટી પર પાણીની સાથે તણાઈને આવ્યા હતા. લગભગ 2015 મેટ્રિક ટન જેટલો કચરો મુંબઈના દરિયા કિનારા પર ઠલવાયો હતો. તેથી આજથી છ દિવસ ભરતીના છે ત્યારે ફરી મોજાની સાથે મોટા પ્રમાણમાં કચરો તણાઈ આવવાની શકયતાને પગલે પાલિકાએ મોટી સંખ્યામાં સફાઈ કામગારોને તહેનાત રાખ્યા છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા કલાકના 50 મિલીમીટર વરસાદી પાણીનો નિકાલ કરવાની છે પણ દરિયામાં મોટી ભરતી હોય અને દરિયામાં મોજા 4.5 મીટરથી ઊંચા ઉછળતા હોય અને બરોબર તે જ સમયે મુશળધાર વરસાદ પડતો હોય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. તેને કારણે દર વર્ષે ચોમાસામાં મોટી ભરતીના દિવસની પાલિકા યાદી બનાવીને તે દિવસે દરિયા કિનારા પર પાલિકા યંત્રણા સુજ્જ રહેતી હોય છે.

August 9, 2018
india.jpg
1min10360

અગાઉના ચાર વર્ષની તુલનામાં છેલ્લાં ચાર આર્થિક વર્ષમાં દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થઇને 79,882 રૂ. થઇ છે, એવી સંસદમાં માહિતી આપવામાં આવી હતી.

2011-12થી 2014-15માં લોકોની સરાસરી માથાદીઠ આવક 67,594 રૂ. હતી. જ્યારે 2014-15થી 2017-18 સુધીમાં લોકોની સરેરાશ માથાદીઠ આવક 79,882 રૂ. થઇ છે, એવી માહિતી લોકસભામાં રાજ્યકક્ષાના આંકડાકીય બાબતોના પ્રધાન વિજય ગોયલે આપી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેશના લોકોની માથાદીઠ આવકમાં અગાઉના વર્ષોની સરખામણીમાં વધારો થયો છે કે નહીં એ અંગેના સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

August 8, 2018
maratha.jpg
1min11500

આરક્ષણની માગણીને લઇ મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલ તા. 9 ઓગસ્ટને ગુરુવારે બંધની હાકલ કરી હોઇ બંધ દરમિયાન રાજ્યમાં હિંસાની ઘટના રોકવા મુંબઈ પોલીસ આજે તા.8મી ઓગસ્ટથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળે છે. અગાઉ આંદોલન દરમિયાન જ્યાં હિંસાની ઘટના બની હતી, એવા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યને વધારાની સિક્યોરિટી ફોર્સ પૂરી પાડી છે. મહારાષ્ટ્રએ 15 કંપનીની માગણી કરી હતી, પરંતુ કેન્દ્રે માત્ર સાત કંપની મોકલી છે, જેમાં રેપિડ એક્શન ફોર્સની છ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (એસઆરપીએફ)ની એક કંપનીનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર પોલીસદળનું સંખ્યાબળ બે લાખ જેટલું છે અને તેમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો પણ સમાવેશ છે. પોલીસની મદદ માટે હોમગાડર્સને પણ તહેનાત કરવામાં આવશે. લોકોને શાંતિપૂર્વક આંદોલન કરવાની પરવાનગી આપવામાં આવી હોઇ અમે લોકોને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે અને અફવા પર ધ્યાન ન આપવાનું જણાવ્યું છે.

જો કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઇ આવશે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવાનું પણ જણાવાયું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

આંદોલનનું વીડિયો શૂટિંગ કરવામાં આવશે અને આ વીડિયો તથા સીસીટીવી ફૂટેજ ગુનેગારો તથા તોફાની તત્ત્વોને ઓળખી કાઢવામાં મદદરૂપ થશે, જે તકનો લાભ લઇને હિંસામાં આચરી શકે છે.

નોંધનીય છે કે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્ર તેમ જ નવી મુંબઈ અને થાણેમાં મરાઠા સંગઠનો દ્વારા ગયા મહિને બંધની હાકલ કરી હતી અને બંધ દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી. 18 જુલાઇથી 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં હિંસાના 276 કેસ નોંધાયા હતા. ઉપરાંત 250 સ્થળે પથ્થરમારાની ઘટના, જ્યારે આગજનીની 198 ઘટના બની હતી. રૂ. 4.5 કરોડથી વધુની સરકારી તથા ખાનગી મિલકતને નુકસાન પહોંચ્યું હતું.

August 7, 2018
rakesh-maria-and-meghna-1533547219-lb.jpg
1min8360

અનિલ અંબાણીના રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટનું પ્રોડક્શન-હાઉસ ફૅન્ટમ ફિલ્મ્સ આ વેબ-સિરીઝ બનાવશે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર અને એક બાહોશ પોલીસ-અધિકારી રાકેશ મારિયાએ તેમની જુદી જુદી જગ્યાઓની ફરજ દરમિયાન ઉકેલેલા વિવિધ કેસ પર આધારિત હોય એવી એક રસપ્રદ વેબ-સિરીઝ બનાવવાનું કામ શરુ થયું છે, આ વેબ સિરીઝનું નિર્દેશન મેઘના ગુલઝાર કરશે. આ સિરીઝમાં રાકેશ મારિયાના અનુભવોને કંડારવામાં આવશે. વિવિધ ગુના અને આતંકવાદના ઘટનાક્રમને ઉમેરીને લોકોને પોલીસ ખાતાની કામગીરીથી માહિતગાર કરવામાં આવશે. મેઘના ગુલઝારે કહ્યું હતું કે ‘આ સિરીઝ માટે કન્ટેન્ટ વિશાળ છે, જેને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું.’

રાકેશ મારિયાએ ૧૯૮૧ના બૅચમાં IPSની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૯૩માં તેઓ ટ્રાફિક-પોલીસ વિભાગમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર હતા અને એ વર્ષે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાનો કેસ તેમણે ઉકેલ્યો હતો. ત્યાર બાદ તેઓ ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી પોલીસ-કમિશનર અને બાદમાં જૉઇન્ટ પોલીસ-કમિશનર બન્યા હતા. તેમણે ૨૦૦૩માં ગેટવે ઑફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્વિન બ્લાસ્ટ કેસને ઉકેલ્યો હતો એટલું જ નહીં, તેમને ૨૦૦૮માં ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસની સાથે આતંકવાદી અજમલ કસબની પૂછપરછ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. વેબ-સિરીઝ સંદર્ભે રાકેશ મારિયાએ કહ્યું હતું કે ‘આ આખી જર્નીને ફરીથી જીવવા માટે હું ખૂબ એક્સાઇટેડ છું. મેઘના ગુલઝાર જેવી શાનદાર અને સંવેદનશીલ ડિરેક્ટર એને નવો આયામ આપશે.’

મેઘનાની પ્રશંસા કરતાં રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના વાઇસ ચૅરમૅન અમિતાભ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે ‘તે દેશની સૌથી વધુ ટૅલન્ટેડ યંગ ડિરેક્ટર્સમાંની એક છે. શહેરના પ્રતિષ્ઠિત ઑફિસર રાકેશ મારિયાના જીવન પર સિરીઝ બનાવવા માટે મેઘના સાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. તેમની કરીઅરની સિદ્ધિઓને અને મુંબઈ પોલીસના હજારો સદસ્યોના યોગદાનને તથા આપણા શહેરની આખું વર્ષ ચોવીસે કલાક સુરક્ષા કરતા અધિકારીઓના કામને બિરદાવવામાં આવશે.’

August 7, 2018
fish.jpg
1min6010

પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

 

fish1

 

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

 

fish

 

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’

આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’

August 4, 2018
drug.jpg
1min5710
આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇસરી બોડીની એક પેટા-સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 300 થી વધુ દવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) મેડિસિન છે. સરકારના આ નિર્ણયથી એબોટ જેવા વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસીજ) સહિત પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપીન જેવી ઘરેલૂ દવા ઉત્પાદકો ઉપરાંત અનેક કંપનીઓ પણ પ્રભાવિત થશે. શક્ય છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ કંપનીઓ કોર્ટમાં પણ પહોંચે. બેન સંબંધિત પ્રારંભિક સ્તરે અનેક અધિસૂચનાઓ જોવા મળી છે. જો તેને લાગુ કરવામાં આવે તો લોકોની વચ્ચે સામાન્ય થઇ ચૂકેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી’કોલ્ડ લોટલ જેવી કફ સિરપ, દર્દ નિવારક અને ફ્લૂની દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આરોગ્ય મંત્રાલય જે 343 ફિક્સડ ડઝ કોમ્બિનેશન મેડિસીન્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેનું ડ્રાફ્ટ લિસ્ટ ડ્રગ ટેક્નોલોજી એડવાઇઝર બોર્ડ (ડીટીએબી)ની ભલામણો પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડીટીએબીએને કહ્યું હતું કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપી કે તેઓ કઇ દવાઓ પર રેગ્યુલેટ, રેસ્ટ્રિક્ટ અથવા સંપૂર્ણ પ્રતિબંધ કરે છે. સર્વોચ્ચ અદાલતનો આ આદેશ એફડીસી બેન મુદ્દાઓ પર સરકાર અને દવા કંપનીઓ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ લેવાયો છે.
શું છે એફડીસી?
બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે કે બેથી વધુ સામગ્રીના મિશ્રણથી બનતી દવાને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં પેરિસટામોલ+ ફેનીલેફ્રાઇન+કૈફિન, ક્લૉરફેનિરામાઇન મેલીઆટ+ કોડાઇન સિરપ અને પારાસીટમોલ+ પ્રોપિફેનાજૉન+કૈફીન જેવા કોમ્બિનેશનને એફડીસીઝમાં સામેલ કરાયો છે
July 25, 2018
truck-1.jpg
1min5980

ટ્રકચાલકોની હડતાલ પાંચમા દિવસમાં પ્રવેશી છે ત્યારે રોજિંદી જરૂરિયાતની ચીજો, ઘરવપરાશની વસ્તુઓ અને મોબાઇલ ફોનના સપ્લાય પર પ્રતિકૂળ અસર શરૂ થઈ છે. કેટલાક કિસ્સામાં કાચા માલના પુરવઠાના અભાવે ફેક્ટરીઓ બંધ રાખવાની ફરજ પડી છે. સ્થિતિ થોડો વધુ સમય ચાલુ રહેશે તો રિટેલ સ્ટોર્સમાં સપ્લાયની તંગી થવાની આશંકા છે.

ટ્રકની હડતાલને પગલે ઇ-કોમર્સ કંપનીઓના પેકેજની ડિલિવરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. રોજિંદી જરૂરિયાતની ચીજો અને ખાસ કરીને ફળો, ડેરી પ્રોડક્ટ્સના મર્યાદિત પુરવઠાના કારણે ભાવોમાં વધારો થઈ રહ્યો છે.

સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તમામ કેટેગરીના કન્ઝ્યુ ગૂડ્ઝના સપ્લાય પર માઠી અસર થશે. અત્યારે અમારા સ્ટોકની હેરફેર યોજના મુજબ થઈ રહી છે. જોકે, કેટલાક સ્થળે થોડી મુશ્કેલી છે, જેનો ઉકેલ પછીના દિવસે આવી જાય છે.

ટ્રકચાલકોની હડતાલ એવા સમયે થઈ છે જ્યારે સારા ચોમાસાના કારણે કન્ઝ્યુ ગૂડ્ઝ ઉદ્યોગને પ્રોત્સાહક ક્વાર્ટરનો અંદાજ હતો. કેટલાક અંદાજ મુજબ હડતાલથી ₹૧૦,૦૦૦ કરોડના નુકસાનનો અંદાજ છે. હડતાલને સ્થાનિક કામદાર સંઘોનો ટેકો છે. જેની અસર તમામ સેક્ટર્સને થઈ છે.

કન્ઝ્યુ ગૂડ્ઝ કંપનીઓની ફિનિશ્ડ પ્રોડક્ટ્સનો સપ્લાય બે દિવસમાં ધીમો પડ્યો છે. અમને આશા છે કે, ટૂંક સમયમાં સ્થિતિ ઉકેલાશે અને ફળો, શાકભાજીના સપ્લાય પર વધુ માઠી અસર નહીં થાય.

July 23, 2018
GST-28.jpg
1min6060

તા.1લી જુલાઇ 2017ના દિવસે જ્યારે ભારતમાં જીએસટી દાખલ થયો હતો ત્યારે સૌથી હાઇએસ્ટ રેટ 28 ટકાના સ્લેબમાં કુલ 228 જેટલી ચીજવસ્તુઓ સામેલ હતી. 228 ચીજવસ્તુઓનો આંક ગઇ તા.21 જુલાઇ 2018ના રોજ જીએસટી કાઉન્સિલની લેટેસ્ટ મિટીંગ બાદ ઓછો થઇને હવે 35 ચીજવસ્તુઓ પર આવીને ઉભો છે.

GST કાઉન્સિલે સૌથી ઊંચા ૨૮ ટકાના ટૅક્સ-સ્લૅબમાંની વસ્તુઓની યાદી ઘટાડીને ૩૫ કરી દીધી છે. હવે આ યાદીમાં AC, ડિજિટલ કૅમેરા, વિડિયો રેકૉર્ડર, ડિશ વૉશિંગ મશીન અને વાહન જેવી માત્ર ૩૫ વસ્તુઓ બચી છે. છેલ્લા એક વર્ષમાં GST કાઉન્સિલે સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબવાળી ૧૯૧ વસ્તુઓ પરના ટૅક્સ ઘટાડી નાખ્યા છે.

GST ૨૦૧૭ની ૧ જુલાઈએ લાગુ કરવામાં આવ્યો હતો. એ સમયે ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ૨૨૬ વસ્તુઓ હતી. GST કાઉન્સિલે એક વર્ષમાં ૧૯૧ વસ્તુ પરથી ટૅક્સ ઘટાડ્યો છે. GSTના નવા દર ૨૭ જુલાઈથી લાગુ થશે. જે ૩૫ વસ્તુઓ સૌથી ઊંચા ટૅક્સ-સ્લૅબમાં બચી છે એમાં સિમેન્ટ, વાહનોના પાર્ટ્સ, ટાયર, વાહનો માટેનાં સાધનો, કાર, યૉટ, પ્લેન, ઍરેટેડ ડ્રિન્ક્સ અને તમાકુ, સિગારેટ અને પાનમસાલા જેવી આરોગ્ય માટે હાનિકારક વસ્તુનો સમાવેશ થાય છે.

નિષ્ણાતોનું માનવું છે કે આગળ જઈને મહેસૂલી આવક સ્થિર થયા બાદ કાઉન્સિલ ૨૮ ટકા ટૅક્સ-સ્લૅબમાં ફક્ત સુપરલક્ઝરી અને આરોગ્યને હાનિકારક વસ્તુઓ સુધી મર્યાદિત રાખી શકે છે. એવી આશા કરી શકાય કે દરેક આકારનાં ટીવી, ડિશ વૉશર, ડિજિટલ કૅમેરા, AC પર ૧૮ ટકાના દરે GST લાગુ થઈ શકે છે. સારી સ્થિતિ એ હશે કે ફક્ત આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓને જ ૨૮ ટકાના સ્લૅબમાં રાખવામાં આવે.

July 22, 2018
100-1280x720.jpg
1min8090

ઑટૉમેટેડ ટેલર મશીન્સ (એટીએમ)ના ઑપરેટરોએ જણાવ્યું હતું કે નવી રૂપિયા 100ની નૉટો માટે દેશના 2,40,000 ઑટૉમેટેડ ટેલર મશીનમાં સુધારણા કરવા માટે અંદાજે રૂપિયા એક અબજની જરૂર પડશે અને તેના માટે એક વર્ષથી વધુ સમય લાગશે.

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ ગઇ તા.19મી જુલાઇ 2018ના રોજ જાહેર કર્યું હતું કે અમે ટૂંક સમયમાં જાંબુડિયા રંગની રૂપિયા 100ની નવી નૉટ બહાર પાડીશું અને તેના પર મધ્યવર્તી બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલની સહી હશે.

આરબીઆઇએ જણાવ્યું હતું કે હાલની રૂપિયા 100ની નૉટની સરખામણીમાં નવી નૉટ કદમાં નાની હશે. એક પૅમૅન્ટ સર્વિસના વડાએ જણાવ્યું હતું કે જો એટીએમની સુધારણાનું કામ યોગ્ય રીતે હાથ નહિ ધરાય તો તે પૂરું કરવા એક વર્ષથી વધુ સમય પણ લાગી શકે છે.

કૉફેડરેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે પ્રસારમાધ્યમ દ્વારા સંબંધિત સમાચાર જાહેર કરતા પહેલાં એટીએમના સંચાલકોનો અભિપ્રાય નહોતો લેવાયો.

ભારતીય રિઝર્વ બૅન્કે 2016ના નવેમ્બરની નૉટબંધી બાદ આ પાંચમી નવી નૉટ બહાર પાડશે. અગાઉ, તેણે રૂપિયા 2,000, રૂપિયા 500 અને રૂપિયા 200ની નવી નૉટ બહાર પાડી હતી. એટીએમના સંચાલકોએ જણાવ્યું હતું કે આ મશીનોની સુધારણા પાછળ ઘણો સમય જવાનો હોવાથી એટીએમમાંથી નવી નૉટ કાઢવાની સમસ્યા સર્જાઇ શકે છે.