CIA ALERT

ઇન્ડીયા Archives - Page 187 of 216 - CIA Live

April 25, 2019
cji.jpg
1min14300

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતિય શોષણના આક્ષેપો પાછળ મોટાપાયે ષડયંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિવૃત જજ એ.કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટના જજે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધ જાતિય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની તપાસ પેનલમાં રહેવાનો જસ્ટિસ એન વી રમનાએ ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની તપાસ પેનલમાંથી જસ્ટિસ રમના ખસી ગયા છે. સુપ્રીમ કોર્ટના જ એક મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર જાતિય શોષણનો આક્ષેપ કરતા ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેંચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બૈંસના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

April 25, 2019
metoo-1.jpg
1min10610

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.

April 24, 2019
ca_logo.jpg
3min17280

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આગામી મે-2019ની પરીક્ષાથી અમલમાં આવે એ રીતે ઇન્ટરમિડીયેટ (જૂના આઇ.પી.સી.) તેમજ ફાઇનલ્સના પ્રશ્નપત્રની પેટર્નમાં અનેક ફેરફારો કર્યા છે. આઇ.સી.એ.આઇ.એ અનેક પ્રશ્નપત્રમાં 30 માર્કસના મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ.સી.ક્યુ. માટે ઓ.એમ.આર. આન્સરશીટમાં જવાબો લખવાના રહેશે.

તા.23મી એપ્રિલના રોજ આઇ.સી.એ.આઇ.એ પ્રશ્નપત્રમાં ફેરફાર અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

 

Page 2

Page 3

Check the ICAI CA revised exam pattern here

https://resource.cdn.icai.org/54976exam44180.pdf

: Institute of Chartered Accountants of India (ICAI) has revised the exam pattern of the CA examinations.
The changes will be effective in the CA examinations which are scheduled to be held in May 2019 and onwards. ICAI has listed some papers from ICAI Intermediate (New and IPC) and Final (New and Old) courses and announced that all those papers will have Multiple Choice Questions or MCQs to the tune of 30 per cent marks.

As per the notification released by ICAI, the CA exam question papers will have two parts, Part I comprising MCQs to the tune of 30 marks (each carrying 1 to 2 marks) and Part II comprising descriptive type questions to the tune of 70 marks.

The candidates will have to write their answers in respect of Part I of the paper (i.e. MCQs) in OMR answer sheet by darkening the appropriate circles with HB pencil and Part II of the paper (i.e. the descriptive type questions) in the descriptive type answer book in the normal course.

After finishing the paper, the candidates will have to submit OMR answer sheet, Answer book used for answering the
descriptive answers (relating to Part II) and MCQ booklet to the invigilator before leaving the exam hall.

The ICAI will conduct the CA exams between May 27-June 12, 2019. The exams will be conducted for – Students Examinations, Foundation Course (under New Scheme), Intermediate (IPC) Course (Old Scheme), Intermediate Course (New Scheme), Final Course under Old and New Scheme, and Members’ Examination. ICAI is a professional organisation that conducts Chartered Accountants’s examinations in India

April 24, 2019
maharashtra_map.jpg
1min4610

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની 14 બેઠક પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 57.01 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં સૌથી વધુ કોલ્હાપુરમાં 65.70 ટકા અને સૌથી ઓછું પુણેમાં 43.63 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં છૂટા છવાયા બનાવને બાદ કરતાં મતદાન શાંતીપુર્ણ રહ્યું હતું.

મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં રાજ્યના પ્રધાન ગિરીશ બાપટ, કોંગ્રેસમાંથી આવેલા સુજય વિખે-પાટીલ, એનસીપીના સુપ્રિયા સુળે, ઉદયનરાજે ભોસલે, સુનિલ તટકરે, રાવસાહેબ દાનવે-પાટીલ અને સ્વાભિમાની શેતકરી સંઘના રાજુ શેટ્ટીનું ભાવી મતપેટીમાં બંધ થયું હતું. રાજ્યમાં સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું હતું.

રાજ્ય ચૂંટણી પંચે આપેલા આંકડા અનુસાર કોલ્હાપુરમાં 65.70, હાથકણંગલેમાં 64.79, જાલનામાં 59.92, સાંગલીમાં 59.39, ઔરંગાબાદમાં 58.52, અહમદનગરમાં 57.75, રત્નાગિરિ-સિંધુદુર્ગમાં 57.63, જળગાંવમાં 52.28, રાવેરમાં 56.98, રાયગઢમાં 56.14, બારામતીમાં 55.84, માઢામાં 56.41, સાતારામાં 55.40 અને સૌથી ઓછું પુણેમાં 43.63 ટકા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયું હતું.

April 23, 2019
milind_deora.jpg
1min5620

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમેન અને જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જાહેરમાં દક્ષિણ મુંબઈના કૉંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાને સમર્થન આપ્યું છે.

દેવરા દ્વારા પૉસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં અંબાણીએ કહ્યું છે કે મિલિન્દ દક્ષિણ મુંબઈ માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. આ વિસ્તારનું સતત દસ વર્ષ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ તે અહીંના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક માહોલને ઊંડાણપૂર્વક સમજે છે.

રાફેલ જેટ ડીલ મામલે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનીલ અંબાણી પર સીધા પ્રહારો કરે છે ત્યારે મુકેશ અંબાણીનું આ નિવેદન આશ્ર્ચર્ય પમાડનારું હતું. આ મામલે દેવરાએ જણાવ્યું હતું કે મુકેશ અને અનિલ અલગ અલગ વ્યક્તિમતા છે અને બન્નેમાંથી એક પણ બીજા સાથે સરખાવવાનું અન્યાયપૂર્ણ કહેવાશે. દેવરાએ એમ પણ જણાવ્યું હતું કે અંબાણીથી માંડી સાદા પાનવાળા કે નાના વેપારી દ્વારા તેને મળતા સમર્થન માટે તેને ગર્વ અને આનંદ છે.

મુકેશ અંબાણીની જાહેરાત બાદ અહીંના મોટા ઉદ્યોગપતિઓથી લઈ નાના વેપારી સંગઠને પણ મિલિન્દને ટેકો આપવાની જાહેરાત કરી હતી. દેવરા આ વિસ્તારના બે ટર્મ માટે સાંસદ રહી ચૂક્યા છે.

વરિષ્ઠ કૉંગ્રેસી નેતા મુરલી દેવરાના પુત્ર મિલિન્દ આ ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને હાલના સાંસદ અરવિંદ સાવંત સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે દેવરાને હાલમાં મુંબઈનું સુકાન પણ પક્ષે આપ્યું છે. યુવા અને શિક્ષિત ઉમેદવાર તરીકે તે આ વિસ્તારના ગુજરાતી-મારવાડી ઉપરાંત મરાઠી અને મુસ્લિમ સમાજમાં પણ તેમની લોકપ્રિયતા વધી રહી છે.

2004 અને 2009માં દેવરા દક્ષિણ મુંબઈમાં જીત્યા હતા અને તેઓ યુનિયન કેબિનેટમાં રાજ્યકક્ષાના પ્રધાન પણ રહી ચૂક્યા છે. ઑનલાઈન પાસપોર્ટ આપવા સહિતના ઘણા મહત્ત્વના નિર્ણયો તેમણે લીધા છે. દેવરાને હાલમાં ઝવેરી બઝાર, સ્ટીલ મર્ચન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી વગેરે એસોસિયેશનનું સમર્થન મળી રહ્યું છે. કોઈ પણ જાતના નાત-જાત કે ભાષા-પ્રાંતનું રાજકારણ ન ખેલતા દેવરા તેમના અનુભવની મદદથી દરેક વર્ગના લોકો સુધી પહોંચી રહ્યા છે. દેવરા ટેકનોસાવી હોવાથી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

April 22, 2019
NEET-1.png
1min14530
  • 5મીએ લેવાનારી નીટમાં રાજ્યમાં 75 હજારથી વધારેનું રજિસ્ટ્રેશન

 

મેડિકલ-ડેન્ટલમા પ્રવેશ માટે તા.૫મી મેના રોજ નીટ લેવાશે. આ વર્ષે નીટમાં ૧૫.૧૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે ૧૩.૨૮ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે ગતવર્ષની સરખામણીમાં ૧૪ ટકા જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જેના કારણે મેડિકલમાં પ્રવેશ માટેનું કટ ઓફ પણ ઊંચુ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે.

નીટ માટે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨ લાખ ૧૯ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાંથી અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મહત્વની વાત એ કે ગુજરાત બોર્ડમાં બી ગ્રૂપમાં માત્ર ૭૪ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ પાસ થતા નથી. આ ઉપરાંત પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં નથી. આ સ્થિતિમાં ગુજરાતમાંથી ૭૫ હજાર વિદ્યાર્થીઓએ નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવ્યું?

ગુજરાત બોર્ડ ઉપરાંત ગુજરાતની સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ નીટ માટે રજિસ્ટ્રેશન કરે છે. આ સ્થિતિમાં ૭૫ હજાર વિદ્યાર્થી નીટ આપશે તે નક્કી છે. ગુજરાત બોર્ડમાં પણ ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૧૨ હજાર વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત નીટ આપનારા કુલ પૈકી ૫ હજાર વિદ્યાર્થી એવા છે કે જેઓ ૨૫ વર્ષ કરતાં વધુ વયના છે. અગાઉ ૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ નીટ આપી શકે કે નહીં તે મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. છેવટે આ અંગેની છૂટ આપવામાં આવતાં આ વર્ષે પ્રથમ વખત ૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહેશે.

April 21, 2019
modi.jpg
1min4610

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર હુમલોે કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ સ્પીડબ્રેકર દીદીની ઊંઘ ઊડી ગઈ છે. મા, માટી અને માનુષના નામે જનતાને છેતરી રહ્યાનો આક્ષેપ મોદીએ કર્યો હતો. દીદીએ ટીએમસીના પ્રચાર માટે પડોશી દેશમાંથી લોકોને બોલાવ્યા છે જે શરમજનક છે. બંગલાદેશના અભિનેતા ફરદોશ તેના પક્ષનો પ્રચાર કરી રહ્યો છે, આવું ભારતમાં પ્રથમવાર બન્યું છે.

પાકિસ્તાનના બાગલકોટ સ્થિત આતંકી કેમ્પ પર હવાઈ હુમલાનો મમતા બેનરજી પુરાવા માગે છે તેની ટીકા કરતા મોદીએ કહ્યું હતું કે ચીટફંડ કૌભાંડ પાછળના લોકોના પુરાવા દીદીએ લાવવા જોઈએ.

એનડીએ સરકાર આવ્યા બાદ સરહદપારથી થતી ઘૂસણખોરીને અટકાવાશે, એમ તેમણે કહ્યું હતું. 23 મે બાદ સરહદ પર વાડ બાંધવા અડચણરૂપ તત્ત્વોને વાસ્તવિકતાનું ભાન કરાવાશે.

શરણાર્થીઓને નાગરિકતાનો દરજ્જો આપવા એનડીએ સરકાર પ્રતિબદ્ધ છે. દેશના વિભાજન વખતે અમુક લોકો અન્ય દેશમાં રહ્યા હતા, પરંતુ ધર્મ અને આસ્થાના કારણે તેઓ બીજા દેશમાં હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ લોકો ક્યાં જશે? એમ તેમણે પ્રશ્ર્ન કર્યો હતો. તમામ ભારતીય અને સરકારની ફરજ છે કે આવા લોકોને બચાવવામાં આવે. સંસદમાં નાગરિકતા બિલ પસાર કરવા એનડીએ પ્રતિબદ્ધ છે. અમુક પાર્ટી આ બિલ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરે છે.

ટીએમસી, કૉંગ્રેસ અને ડાબેરીઓ વિભાજનની નીતિ અપનાવે છે. અમે જોડવાની અને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ.

April 19, 2019
votingsign.jpg
1min7520

ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવે, મતદાન શક્ય એટલું વધુ થાય તે માટે કોર્પોરેટ કંપનીઓ મતદાતાઓ માટે અનેક આકર્ષક ઓફરો અમલમાં મૂકી છે.

મતદારની આંગળી પર મતદાન કરવા અગાઉ લગાડવામાં આવતી શાહીનું નિશાન મતદારો ખાસ કરીને પહેલી વખત વોટિંગ કરી રહેલા યંગસ્ટર મતદાતાઓ માટે અનેક લાભદાયક ઓફરોનો લાભ અપાવશે. જેમાં એક ઓફર હિરો હોન્ડા મોટોકોર્પ જે રૂ.199માં બાઇક સર્વિસ કરી આપશે.

વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે વોટર બેનિફિટ સ્કીમ લોન્ચ કરી છે. કંપની તમારું ટુ-વ્હીલર મફતમાં ધોઈ આપશે અને ₹199માં સર્વિસ કરી આપશે. સામાન્ય રીતે, આવી સર્વિસિસ માટે ₹500-600 ચાર્જ કરતી હોય છે. આ સ્કીમ એપ્રિલ અને મે મહિનામાં તમામ શહેરોમાં મતદાન પછીના બે દિવસ સુધી લાગુ રહેશે.

અગ્રણી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) કંપની સબવે પણ મતદારોને તેની ફૂડ આઇટમ્સ પર 19 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે, તે 8 કરોડ ફર્સ્ટ-ટાઇમ વોટર્સને ટાર્ગેટ કરી રહી છે. આ લોકો લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મત નાખવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાના છે.

સબવેના કન્ટ્રી ડિરેક્ટર કહ્યું હતું કે, ભારતમાં 18 વર્ષ પૂરાં કર્યાં છે અને તેની ઉજવણી કરવાના ભાગરૂપે, આ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છીએ, જેનો પ્રાથમિક હેતુ યુવાનોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવાનું છે.

QSR બ્રાન્ડ મેક્‌ડોનાલ્ડ્’સ માટે જાણીતી વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ મેકસ્પાઇસી ચિકન, મેકસ્પાઇસી પનીર બર્ગજ જેવી આઇટમ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

April 19, 2019
petrol-diesel-1.jpg
1min8570

Jayesh Brahmbhatt

પેટ્રોલ પંપ પર રૂ. ૫૦, રૂ. ૧૦૦ અને રૂ. ૫૦૦ જેવા રાઉન્ડ ફીગરમાં ડીઝલ અથવા પેટ્રોલ પૂરાવતા વાહનચાલકોએ ટૂંક સમયમાં લિટરના હિસાબ અને માપથી જ  ઇંધણની ખરીદી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલિયમ કંપનીઓથી લઇને પેટ્રોલ પંપ સંચાલકોને એવી માર્ગદર્શક સૂચનાઓ અપાઈ ચૂકી છે. ટૂંકસમયમાં આ નિર્ણય અમલમાં મૂકવામાં આવે તેવા સંકેતો મળ્યા છે. જોકે, હાલ ચૂંટણીની આચારસંહિતાના કારણે આ શક્ય બનશે કે કેમ તેના પર સવાલ ઉદભવ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્ય તોલમાપ ખાતાએ પેટ્રોલિયમ કંપનીને પત્ર મોકલીને લિટર અનુસાર ઇંધણનું વેચાણ કરવાનો આદેશ દીધો હોવાનું જાણવા મળે છે.

તોલમાપ ખાતાના એક અધિકારીએ ઇંધણ પૂરું પાડતી બીપીસીએલ, એપીસીએલ અને આઇઓસીએલ કંપનીને આ મહિનામાં લિટરના હિસાબે ઇંધણ વેચવાનો અને મશીનના રૂપિયા આંકડામાં સેટ કરવા તેમ આદેશ આપતો પત્ર પાઠવ્યો હતો. લીગલ મેટ્રોલોજી નિયમ અનુસાર ડીઝલ પૈસાના હિસાબેથી વેચાય છે, પણ હવે લિટરના હિસાબેથી વેચવું એવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના વિદર્ભ પેટ્રોલિયમ ડિલર્સ એસોશિયેસને આ નિર્ણયનો સ્વીકાર કર્યો હોવાની માહિતી મળી હતી.

ઇંધણની સિસ્ટમને લિટરમાં અપગ્રેડ થાય તો છુટ્ટા પૈસા પરત કરવાની સમસ્યા ઉદભવશે

જાણકારો જણાવે છે કે પેટ્રોલ ડિઝલના ભાવો રૂપિયા અને પૈસા એમ બન્નેના પ્રમાણમાં હોય છે. હાલમાં છુટ્ટા પૈસા કે રૂપિયાની મગજમારીને કારણે લોકો રાઉન્ડ ફિગરમાં અને પેટ્રોલ પંપ ધારકો પણ એવો આગ્રહ રાખે છે કે ગ્રાહકો 50, 100, 200, 500 જેવા રાઉન્ડ ફિગરમાં જ પેટ્રોલ ડિઝલ પૂરાવે. પરંતુ, હવે જો લિટરના હિસાબે જ પેટ્રોલ-ડિઝલ પૂરાવવાની સૂચના મળશે તો પેટ્રોલ પંપો પર રોજેરોજ છુટ્ટાની રામાયણ સર્જાશે. વાહન ચાલકો અને પેટ્રોલ પંપ કર્મચારીઓ વચ્ચે રોજેરોજ છુટ્ટા પૈસાના મુદ્દે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળશે.

April 19, 2019
indiavtoes.jpg
1min4690

દેશમાં ૧૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાંની લોકસભાની ૯૫ બેઠક માટે ગુરુવારે યોજાયેલા મતદાનમાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું હતું. આમ છતાં, મહારાષ્ટ્રની ૧૦ બેઠક પરનું સરેરાશ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ૫૭.૨૨ ટકા રહ્યું હતું જે ૨૦૧૪ની સરખામણીમાં ઓછું હતું.

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં પશ્ર્ચિમ બંગાળ અને મણિપુરમાં હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા તેમ જ મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનો (ઇવીએમ)માં ખામી સર્જાવાના કિસ્સા પણ નોંધાયા હતા.

પુડુચેરીમાં સરેરાશ ૭૮ ટકા અને મણિપુરમાં અંદાજે ૭૫ ટકા મતદાન થયું હતું.

શ્રીનગરમાં ૨૦૧૪ની જેમ આ વખતે પણ ઘણું જ ઓછું મતદાન થયું હતું. શિયાઓની બહુમતીવાળા બડગામ જિલ્લામાં બપોરના ૩ વાગ્યા સુધીમાં ૧૭.૧ ટકા મતદાન થયું હતું, જ્યારે આ બેઠક પર સરેરાશ મતદાન માત્ર ૧૨.૪૩ ટકા જ થયું હતું.

તમિળનાડુની ૩૮ બેઠક પર બપોરના ૩ વાગ્યા સુધી ૫૨.૦૨ ટકા મતદાન થયું હતું. કરુરમાં ૫૬.૮૫ ટકા, જ્યારે ચેન્નઇ મધ્યમાં ૪૫.૬૫ ટકા મતદાન નોંધાયું હતું.

વિધાનસભાના ૧૮ મતવિસ્તારમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બપોરના ૩ વાગ્યા સુધી ૫૫.૯૭ ટકા મતદાન થયું હતું.

તમિળનાડુ ઉપરાંત, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૦, ઉત્તર પ્રદેશના ૮, આસામની પાંચ, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, છત્તીસગઢની ત્રણ, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, જમ્મુ અને કાશ્મીરની બે, મણિપુુરની એક અને પુડુચેરીની લોકસભાની એક બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું.

ઓડિશાના વિધાનસભાના ૩૫ મતવિસ્તારમાં પણ મતદાન થયું હતું.

તમિળનાડુના વેલ્લૂરમાં દ્રમુકના નેતાના એક સાથી પાસેથી મોટી રોકડ રકમ મળતાં ચૂંટણી પંચે અહીં મતદાન રદ કર્યું હતું.

ત્રિપુરા (પૂર્વ)ની લોકસભાની બેઠક પર કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ હોવાનું કારણ આપીને ત્યાં મતદાન ૨૩મી એપ્રિલે ત્રીજા તબક્કા પર મુલતવી રખાયું હતું.

પશ્ર્ચિમ બંગાળના રાયગંજ લોકસભા બેઠક ખાતે પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને ગોળીબાર કર્યો હતો. અહીંના ચોપડા વિસ્તારમાં તોફાનીઓએ બૉમ્બ પણ ફેંક્યા હતા.

રાજગંજના કાટાફૂલવાડીમાં મતદાનનો અહેવાલ લેવા ગયેલા સમાચારની સ્થાનિક ચૅનલના પત્રકાર અને કૅમૅરામૅનને ધક્કે ચઢાવાયા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની ત્રણ બેઠક ખાતે હિંસા, રસ્તારોકો, બૉમ્બ ફેંકવાના અને પોલીસ ગોળીબારના બનાવો નોંધાયા હતા.

છત્તીસગઢની લોકસભાની ત્રણ બેઠક પર બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ અંદાજે ૫૯.૭૨ ટકા મતદાન થયું હતું, પરંતુ બાદમાં તે વધીને સરેરાશ ૬૯ ટકા થયું હતું.

ઓડિશાની લોકસભાની પાંચ બેઠક અને વિધાનસભાની ૩૫ બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૩ ટકા મતદાન થયું હતું.

કર્ણાટકમાં બપોરે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૧.૮૪ ટકા મતદાન નોંધાયું હતું.

આસામના કરીમગંજમાં બપોરે ત્રણ વાગ્યા સુધી ૬૩.૬૬ ટકા મતદાન થયું હતું. બાદમાં, મતદાનની ટકાવારી વધીને સરેરાશ ૭૩.૩૨ ટકા થઇ હતી.

બિહારની પાંચ બેઠક પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૫.૭૭ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં સરેરાશ ૫૦.૩૯ ટકા મતદાન નોંધાયું હતું, પરંતુ બાદમાં છ વાગ્યા સુધીમાં આ ટકાવારી વધીને સરેરાશ ૬૨.૩૦ થઇ હતી.

મણિપુરમાં બે મતદાન કેન્દ્ર ખાતે હિંસાના બનાવ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ ૭૫.૬૯ ટકા મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણીના હવે પછીના તબક્કા ૨૩મી એપ્રિલે, ૨૯મી એપ્રિલે, છઠ્ઠી મેએ, ૧૨મી મેએ અને ૧૯મી મેએ યોજાવાના છે તેમ જ મતગણતરી ૨૩મી મેએ થશે.