CIA ALERT

ઇન્ડીયા Archives - Page 188 of 216 - CIA Live

April 18, 2019
voting.jpg
1min5480

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ. રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપના નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા

લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયામાં 11મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આજરોજ તા.18મી એપ્રિલ 2019ને ગુરૂવારે સવારે 8 વાગ્યાથી દેશની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આરંભના કલાકોમાં મતદાન સાવ મંદ ગતિએ ચાલી રહ્યાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા.
બીજા તબક્કામાં આજે તા.18મી એપ્રિલના રોજ દેશના 12 રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી 96 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં કુલ 1644 ઉમેદવારોનાં ભાવી આજે ગુરુવારે સાંજે 5 કલાકે ઇવીએમમાં કેદ થઈ જશે.
આજે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે 38 સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો.
April 18, 2019
mugfali-1280x720.jpg
1min5980
 
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.
April 18, 2019
Farmers-Suiciding.jpg
1min5620

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

April 18, 2019
maharashtra_map.jpg
1min4970

દસમી માર્ચના લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછીના સમયગાળાથી અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ મહારાષ્ટ્ર રાજ્યમાં 15,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 118.20 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ, ઈન્કમ ટેક્સ સહિત એન્ફોર્સિંગ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 45.47 કરોડના મૂલ્યની સોનાના દાગીના સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુ જપ્ત કરી હતી, જ્યારે 22.05 કરોડનો દારૂ તથા રૂ. 6.30 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. અલબત્ત, ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 15,095 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં સૌથી વધારે કેસ ગેરકાયદે દારૂના સંગ્રહ તથા હથિયાર રાખવાના કેસ હતા, એવું એડિશનલ ચીફ ઈલેક્ટ્રોલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા પછી આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બધી વસ્તુ કાયદેસર હશે તો તેના મૂળ માલિકને પરત કરવામાં આવશે, નહીં તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂના વિતરણ તથા દારૂ રાખવાના 13,702થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે હથિયાર રાખવાના 602 જેટલા કેસ નોંધાયા હતા. એ સિવાયના બાકી કેસ ડ્રગ્સ તથા સોનું-રોકડના કેસ નોંધાયા હોવાનું વધુમાં જણાવ્યું હતું.

April 17, 2019
jet.jpg
1min6630

આર્થિક ભીંસમાં સપડાયેલી જૅટ ઍરવેઝની ઇન્ટરનેશનલ ફલાઇટ્સની સર્વિસ અચાનક બંધ થયા બાદ લોકોની વેકેશનની યોજના પડી ભાંગી છે. છેલ્લી ઘડીએ એડવાન્સમાં બુક કરાવેલી ફલાઇટની ટિકિટો રદ થતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીઓએ તેના ભાવમાં એકાએક વધારો કરતા અનેક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં વેકેશનની સિઝન ચાલુ હોવાથી ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ જ અન્ય ઍરલાઇન્સના ભાડા પણ તુલનામાં વધુ છે, તેને કારણે ટ્રાવેલ્સ કંપનીઓએ તેના ટૂરના પૅકેજના ભાવ વધારી દીધા છે. પરિણામે લોકોને તેના ખિસ્સામાંથી વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા હોવાથી તેમનું આર્થિક બજેટ પણ ખોરવાયું છે.

એપ્રિલથી જૂન મહિનો એ વેકેશનનો સમયગાળો હોય છે. શાળા-કૉલેજમાં રજા હોવાથી મોટા ભાગના લોકો સહપરિવાર બહારગામ અથવા દેશ-વિદેશમાં પોતાની મેળે અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેવ્સ મારફત ફરવા માટે જતા હોય છે. આ સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ફલાઇટની ટિકિટો પણ પ્રમાણમાં મોંઘી થાય છે. તેને કારણે અનેક લોકો અગાઉથી જ ફલાઇટની ટિકિટ બુક કરાવીને રાખતા હોય છે, જેથી કરીને તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. જોકે, જૅટ ઍરવેઝે છેલ્લી ઘડીએ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ રદ કરતા અનેક પ્રવાસીઓની વેકેશનની યોજના અટવાઇ પડી છે. અનેક લોકો પર બહારગામ પહોંચ્યા પછી પાછા ફરવા માટે મોંઘી ટિકિટ ખર્ચવાની નોબત આવી છે.

આ અંગે એક પર્યટન કંપનીના જણાવ્યા અનુસાર પર્યટન કંપનીઓ એકસાથે અનેક પર્યટકોની વિમાનની ટિકિટ આરક્ષિત કરતી હોય છે. એવામાં છેલ્લી ઘડીએ ફલાઇટ રદ થતા નવેસરથી ટિકિટ કાઢવાનું ખર્ચાળ પડે છે. ટૂરના ખર્ચમાં વધારો થતા અમારે પણ પર્યટકો પાસેથી પૈસા વસૂલવા પડે છે. જો એમ ન કરીએ તો અમારે નુકસાન વેઠવાનો વારો આવે. જૅટની પરિસ્થિતિનો ફટકો આગામી એકાદ બે વર્ષ સુધી પર્યટન વ્યવસાય પર પડવાની શકયતા છે.

દરમિયાન એક પ્રવાસીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે સિંગાપુર જવા માટે જૅટની ટિકિટ 27 હજાર રૂપિયામાં મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં ઍર ઇન્ડિયા અને સિંગાપુર ઍરલાઇન્સની ટિકિટ છેલ્લી ઘડીએ 72 હજાર રૂપિયા પર ગઇ. તેને કારણે બીજી કંપનીના વિમાન મારફત ચેન્નઇ દ્વારા પ્રવાસ કરવો પડ્યો. સવા પાંચ કલાક માટે 12 કલાક પ્રવાસ કરીને હાલાકી ભોગવવી પડી હોવાથી પ્રશાસન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

April 16, 2019
neet.jpg
4min995

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી તા.5મી જૂન 2019ના રોજ લેવામાં આવનારી ભારતમાં મેડીકલ, ડેન્ટલ હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019 માટેના એડમિટ કાર્ડ એન.ટી.એ.ની વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકાશે.

એન.ટી.એ. દ્વારા કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓએ સત્વરે તેમના એડમિટ કાર્ડ ડાઉલોડ કરીને તેમાં નામ, સરનામા, સેન્ટર વગેરે વિગતો ચેક કરી લેવી હિતાવહ છે.

તા.5મી મે 2019ના રોજ પરીક્ષા યોજાયા બાદ તા.5મી જૂન સુધીમાં નીટનું પરીણામ જાહેર કરી દેવામા આવશે.

National Testing Agency (NTA) has released the admit card for NEET 2019 on its official website today, i.e., April 15, 2019. Candidates who have registered for the NEET 2019 can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the answer key.

NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm

Candidates need to enter their application number and password to obtain the NEET 2019 admit card. NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm. Candidates are required
to bring NEET 2019 admit card on the day of examination. Candidates can download their NEET 2019 admit card either from the official website or from the direct link provided below.

Here is the direct link to download NEET 2019 admit card

The official notification reads ” The candidates (who have paid the fees as on the last date 08.12.2018) can download the eAdmit Cards of NEET (UG) – 2019 from NEET website www.ntaneet.nic.in w.e.f. 15.04.2019. The candidates are advised to download their e-admit card of NEET (UG) – 2019 using their Application Number and Password. In case, a candidate has misplaced or forgotten the Password, he/she may use the Date of Birth option given in the website.

Candidates should note that the NEET 2019 examination centre will be as same as indicated on the admit card.
It is to be noted that no candidate will be allowed to enter the examination centre without admit card. The information bulletin reads “The candidate must show, on demand, the Admit Card for admission in the Examination Hall. A candidate who does not possess the valid Admit Card shall not be admitted to the Examination Hall under any circumstances by the Centre Superintendent.”

If candidates find any issue while downloading the NEET 2019 admit card, they can send an email to neetug-nta@gov.in.

The notification further says “In case any candidate is not able to download his/her e-Admit card, he/she may send email to neetug-nta@gov.in. Such candidates must mention ‘NEET Admit Card’ in the subject line. The candidates may note that no eAdmit Card will be sent to them by post.”

How to download NEET 2019 admit card
Candidates can follow the step guide given below to download NTA NEET 2019 admit card.

1. Go to the official website of NTA- ntaneet.nic.in

2. On the homepage, click on the link which reads “NEET 2019 admit card”

3. It will direct to login based page

4. Enter your application number and password

5. Your NTA NEET 2019 admit card will be displayed on the screen

6. Download and take a print out of the NTA NEET admit card for the future use

As per the information given on the bulletin, NTA will declared NEET 2019 results by June 5, 2019.

April 15, 2019
bcci_logo.jpg
1min12250

આગામી મહિનાથી ઇંગ્લેડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ ક્રિકેટ માટે આજે બીસીસીઆઇ દ્વારા ભારતની સ્કવોડ જાહેર કરવામાં આવી હતી. રિષભ પંત, અજિક્ંય રહાણે વગેરે જેવા ક્રિકેટરોને સાઇડ પર મૂકવામાં આવ્યા છે.

વિરાટ કોહલી (સુકાની),

રોહિત શર્મા,

શિખર ધવન,

લોકેશ રાહુલ,

વિજય શંકર,

મહેન્દ્રસિંહ ધોની,

કેદાર જાધવ,

દિનેશ કાર્તિક,

યુઝવેન્દ્રસિંહ ચહલ,

કુલદીપ યાદવ,

ભુવનેશ્વર કુમાર,

જસપ્રિત બુમરાહ,

હાર્દિક પંડ્યા,

રવીન્દ્ર જાડેજા,

મોહમ્મદ શમી.

April 15, 2019
model-code-of-conduct.jpg
1min5510

લોકસભા ચૂંટણીની આચારસંહિતાના ભંગ બદલ ૧૦મી માર્ચથી ૧૧મી એપ્રિલ વચ્ચે રાજ્યમાં ૧૦,૦૦૦થી વધુ એફઆઇઆર નોંધવામાં આવી છે. ૧૦,૩૯૭ પૈકી સૌથી વધુ કેસ મતદાતાઓને લલચાવવા માટે દારૂના વપરાશ અને ગેરકાયદે હથિયારો રાખવાના છે, એમ રાજ્ય ચૂંટણી કમિશનના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

ગેરકાયદે દારૂનો જથ્થો રાખવા અને તેનું વિતરણ કરવાના કેસમાં રાજયભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯,૦૦૦ એફઆઇઆર નોંધાઇ છે. તેમ જ લાઇસન્સ વગર હથિયાર રાખવા બદલ ૪૫૭ એફઆઇઆર નોંધાઇ હોવાનું એડિશનલ ચીફ ઇલેકટોરલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું. તે સિવાય ગેરકાયદે બેનર્સ, લાઉડસ્પીકરના વપરાશ, ભડકાઉ ભાષણ, મંજૂરી વગર રેલી યોજવી, વગેરે અંગેની ફરિયાદો પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

નોંધનીય છે કે રાજ્યમાં ૪૮ લોકસભા સીટ માટેનું મતદાન ચાર તબક્કામાં થનાર છે. તે પૈકી પહેલા તબક્કાનું મતદાન ૧૧ તારીખે પૂર્ણ થયું હતું. આગામી ત્રણ તબક્કાનું મતદાન ૧૮,૨૩ અને ૨૯ તારીખે થવાનું છે. તેમ જ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે

April 14, 2019
cm-helicopter-1280x720.jpg
1min7200

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હૅલિકૉપ્ટરને ખરીદવા માટે કોઈ કંપની આગળ ન આવતા ટેન્ડર ભરવાની સમયમર્યાદા વધારવી પડી છે. મુખ્ય પ્રધાનના હૅલિકૉપ્ટર માટે કોઈ કંપની સત્તાવાર રીતે આગળ આવી ન હતી. બે કંપનીઓએ માત્ર પૂછપરછ કરી હતી. આ હૅલિકૉપ્ટર સાથેનો ફડણવીસનો અનુભવ સારો રહ્યો નથી.

ફડણવીસ અને સરકારી અધિકારીઓ હૅલિકૉપ્ટરમાં બેઠા હતા ત્યારે તે ઑવરહેડ વાયરમાં અટવાઇ ગયું હતું અને વિમાનને અચાનક લેન્ડ કરવાની ફરજ પડી હતી. સદ્ભાગ્યે કોઈ અઘટિત ઘટના ઘટી ન હતી.

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું. 2017માં અકસ્માત બાદ આ હૅલિકૉપ્ટરને વેચવા કાઢવામાં આવ્યું છે.

April 12, 2019
indiavtoes.jpg
1min12080

પ્રથમ તબક્કામાં દેશના 18 રાજ્યમાં કુલ 91 બેઠક માટે ગુરુવારે મતદાન કરવામાં આવ્યું હતું.

ભારતમાં 17મી લોકસભા માટેનું પ્રથમ તબક્કાનું મતદાન 18 રાજ્ય, બે કેન્દ્રશાસતિ પ્રદેશમાં 91 બેઠક પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્રના છ પ્રધાનનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું. વર્તમાન લોકસભામાં 91માંથી 32 બેઠક ભાજપ પાસે છે. જ્યારે કૉંગ્રેસ સાત બેઠક ધરાવે છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની 175, સિક્કીમની 32, અરુણાચલ પ્રદેશની 57 અને ઓડિશાની 28 બેઠક માટે મતદાન થયું હતું. આંધ્રપ્રદેશમાં લોકસભાની તમામ 25, તેલંગણામાં તમામ 17, ઉત્તરાખંડની તમામ પાંચ, મેઘાલયની બે, અરુણાચલ પ્રદેશની બે, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, સિક્કીમ, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપની એક એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, બિહારમાં છ, આસામમાં પાંચ, ઓડિશાની ચાર, જમ્મુ-કાશ્મીરની બે, પશ્ર્ચિમ બંગાળની બે અને છત્તીસગઢની એક બેઠક પર મતદાન કરવામાં આવ્યું હતું.

ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર 55.97 ઉત્તર પ્રદેશમાં 64 ટકા, બિહારમાં 53.06 ટકા,ઓડિશા 66 ટકા, તેલંગણામાં 61 ટકા, સિક્કિમ 69 ટકા, મિઝોરમ 61.29 ટકા, મણીપુર 78.20, બસ્તર 57 ટકા, ત્રિપુરા 77.6 ટકા, આંધ્ર પ્રદેશ 73 ટકા, મેઘાલય 67 ટકા,લક્ષ્યદ્વીપ 65.9, નાગાલેન્ડમાં 78.76, આસામમાં 68 ટકા મતદાન થયું હતું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), કિરેન રિજ્જુ (અરુણાચલ વેસ્ટ), વી. કે. સિંગ (ગાઝિયાબાદ), મહેશ શર્મા (ગૌતમ બુદ્ધ નગર), હંસરાજ આહીર (ચંદ્રપુર), સત્યપાલ સિંહ (બાગપત) બેઠક પર મતદાન થયું હતું.

લોકસભાની 543 બેઠક માટે મતદાન સાત તબક્કામાં થવાનું છે જેમાંથી પ્રથમ તબક્કાનું મતદાન આજે સંપન્ન થયું હતું. 23મીએ મતગણતરી કરવામાં આવશે.