ઇન્ડીયા Archives - Page 136 of 216 - CIA Live

February 5, 2020
icai_logo.jpeg
3min8910

C.A. ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ : જાણો કેવી રીતે રજિ. થાય ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી મે 2020માં લેવામાં આવનારી સી.એ. કોર્સની તમામ ત્રણેય સ્તરની પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્ર (રજિસ્ટ્રેશન પ્રક્રિયા)નો આરંભ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ મે 2020માં ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ (જૂનો અને નવો કોર્સ) તેમજ ફાઇનલ્સ (જૂનો અને નવો કોર્સ)ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોને તા.26મી ફેબ્રુઆરી 2020 સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપૂર્ણ વિગત સાથેની ફાઇલ ડાઉનલોડ કરો

https://icaiexam.icai.org/Announcements/May_2020_Announcement.pdf

How to apply for ICAI CA May 2020 exam?

1) Open the official website of the ICAI – icaiexam.icai.org and click on Login/Register

Click here to register for ICAI CA May 2020 exam

2) Select your program, enter the seven digits of your registration number, date of birth, email ID, phone number and other details as asked in the form and click on Register

3) Fill the application form and select an exam centre

4) Upload all the documents as asked in the application process

5) Make application fee payment and download the PDF of registration form

6) Make sure your Photo is appearing on the PDF. If not, take a print out of PDF, paste a passport size photo and send it to ICAI. Also, keep a copy of the same with you for future reference

February 5, 2020
trains.jpg
1min6230

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.

બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.

બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.

બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.

February 5, 2020
gst.jpg
1min4720

ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બનાવી રહી છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટૅક્સ ચૂકવવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.

‘અમે નવી લોટરીની સિસ્ટમ લઇને આવ્યા છીએ. જીએસટી હેઠળ દરેક બિલ વિજેતા લોટરીની ટિકિટ હોવાનું માનવામાં આવે છે. તે ડ્રો માટે જશે અને ભાવ એટલા ઊંચા છે કે ૨૮ ટકા બચાવ્યા વિના મારી પાસે રૂપિયા દસ લાખથી લઇને એક કરોડ સુધી જીતવાની તક છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો આ પ્રશ્ર્ન છે,’ એમ જોસેફે એસોચેમના કાર્યક્રમમાં જણાવ્યું હતું.

આ યોજના મુજબ ખરીદીના બિલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અને આપમેળે ડ્રો થઇ જશે અને વિજેતાને જણાવવામાં આવશે. ચાર સ્તરના જીએસટી અંતર્ગત માલ અને સેવાઓ પર ૫, ૧૨,૧૮ અને ૨૮ ટકા કર લાગે છે. આ ઉપરાંત લક્ઝરી, સીન અને ડીમેરિટ ગુડ્ઝ પર સૌથી વધુ ટૅક્સ રેટ ઉપરાંત સેસ પણ લગાવવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાત્ર બનવા મિનિમમ કેટલી રકમનું બિલ હોવું જોઇએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આ લોટરી યોજના માટે નાણાં આવશે.

જીએસટીની આવકના છિંડા (લુપહોલ્સ) પૂરવા માટે સરકાર લોટરી અને ક્યુઆર કોડ આધારિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા સહિત બિઝનેસથી ગ્રાહક સોદાના વિકલ્પ અંગે વિચારણા કરશે.

જીએસટીની આવકમાં વધારો કરવાના પગલાં સૂચવવા સરકારે અધિકારીઓની કમિટી બનાવી છે. જીએસટીમાં તબક્કાવાર ફેરફારો સૂચવવાનું કામ પેનલને સોંપવામાં આવ્યું છે. કર માળખાના વિસ્તરણ માટે ઇનપૂટ્સ આપવા પણ તેમને જણાવવામાં આવ્યું છે.

૧૮ ડિસેમ્બરના રોજ કમિટીએ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી અને સંસાધનો વધારવા મુક્તિની સૂચિ ઘટાડવાનું સૂચન કર્યું હતું.

February 5, 2020
airindia.jpg
1min4640

ચીનના કોરોના વાઈરસે વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં ૪92 લોકોના મોત થયા છે, અનેક દેશોએ ચીનની હવાઈસેવા બંધ કરી છે. ચીનમાં રહેલા નાગરિકોને પાછા લઈ આવ્યા છે.

ઍર ઈન્ડિયાએ ૮ ફેબ્રુઆરીથી દિલ્હી-હૉંગકૉંગ ફલાઈટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, એમ ઍર ઈન્ડિયાના ચેરમેન અને એમ. ડી. અશ્ર્વિની લોહાનીએ કહ્યું હતું. કોરોના વાઈરસ ઝડપથી આસપાસના દેશોમાં ફેલાયો છે.

દિલ્હી-હૉંગકૉંગની છેલ્લી ફલાઈટ એવન-૩૧૪ની ઉડાન બાદ ૮ ફેબ્રુઆરીથી બંધ થશે. અગાઉ ઈન્ડિગોએ ભારત-ચીન વચ્ચેની તમામ ત્રણ ફલાઈટ બંધ કરી હતી. કોલકાતા-ગુચાંગઝેની ફ્લાઇટ પણ બંધ કરી છે. ઍર ઈન્ડિયાએ દિલ્હી-શાંઘાઈ ફલાઈટ રદ કરી છે. દિલ્હી-હૉંગકૉંગ માર્ગની ફલાઈટમાં કાપ મુકાયો હતો. ૮ ફેબ્રુઆરીથી તમામ ફલાઈટ બંધ થશે.

February 5, 2020
no_nrc.jpg
1min4670

એનઆરસી મુદ્દે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સીએએ અને એનઆરસીને સાથે જોડીને વિરોધ થઈ રહ્યો છે, જોકે સરકારે મંગળવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્રીય સ્તરે નેશનલ રજિસ્ટર ઑફ ઈંડિયન સિટીઝન (એનઆરઆઈસી) તૈયાર કરવા બાબતમાં કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે આપી હતી.

એનઆરસી મુદ્દે સંસદમાં પુછાયેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું. સંસદના ગત સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પસાર કરાયું હતું અને બાદમાં સીએએ ઍક્ટ બન્યો હતો.

એનઆરસી મુદ્દે ગૃહપ્રધાને અગાઉ જણાવ્યું હતું કે દેશમાં એ લાગુ કરાશે ત્યાર બાદ આસામ, ત્રિપુરા, બંગાળ સહિત દેશભરમાં હિંસક પ્રદર્શન થયાં છે. એક રેલીમાં વડા પ્રધાન મોદીએ પણ કહ્યું હતું કે હજુ સુધી એનઆરસીને લઈ કોઈ બેઠક થઈ નથી. હવે ગૃહમંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું ત્યારે પણ એનઆરસીનો ઉલ્લેખ કરાયો નહોતો.

દરમિયાન નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના અપડેટ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં. વસતિ ગણતરીની કામગીરી દરમિયાન આધાર નંબર પૂરો પાડવાનું મરજિયાત છે, એમ ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું હતું.

એનપીઆરની તૈયારી બાબતમાં જે રાજ્યોને ચિંતા છે તેમની સાથે સરકાર ચર્ચા કરી રહી છે. તમામ વ્યક્તિ અને પરિવારની વિગતોની ડેમોગ્રાફિક ભેગી કરીને અપડેટ કરાશે.

એનપીઆરની અપડેટ કામગીરી દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ લેવાશે નહીં બીજું જેની નાગરિકતા શંકાસ્પદ છે તેનું કોઈ વેરિફિકેશન કરાશે નહીં.

એનપીઆરની કામગીરી ૧ એપ્રિલથી ૩૦, સપ્ટેમ્બર સુધી ચાલશે. ઘરે ઘરે જઈને વસતિ ગણતરી કરાશે. દરેક નાગરિક સાચી માહિતી પૂરી પાડે એમ જણાવાયું છે. એનપીઆર પ્રથમવાર ૨૦૧૦માં તૈયાર કરાયું હતું, જેે ૨૦૧૫માં અપડેટ કરાયું હતું. આસામ સિવાય દેશના અન્ય ભાગમાં એનપીઆર માટે માહિતી ભેગી કરાશે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ઈશાનના રાજ્યો અને ભાજપ સિવાયના રાજ્યોના તેમના સમકક્ષને અપીલ કરી છે કે એનપીઆર ફોર્મનો કાળજીપૂર્વક અભ્યાસ કરે. એનપીઆરની કામગીરી જોખમી ગણાવી છે.

કેરળ સરકારે એનપીઆરમાં સહકાર નહીં આપવા જાહેરાત અગાઉ કરી હતી. એનપીઆર અને એનઆરસીનો વિરોધ વધારે જોવાયો છે. સીએએને પણ તેની સાથે જોડી દેવાયું છે. 

February 4, 2020
sensex-up.jpg
1min4570

આજે તા.4 ફેબ્રુઆરીને મંગળવારે એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ધૂમ લેવાલીથી BSE સેન્સેક્સ સવારે 11.35 વાગ્યે 492.74 પોઈન્ટ્સ અથવા 1.24 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતના શેરબજાર એક દિવસ અપ અને એક દિવસ ડાઉન ટ્રેડ કરી રહ્યા છે. રોકાણકારો હવે એટલા ફ્રસ્ટ્રેટ છે કે શું કરવું શું ન કરવું ખબર પડતી નથી કેમકે શેરબજારનું કશું ઠેકાણું નથી.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 200 પ્લસ પોઈન્ટ્સ અથવા 2 ટકાના હાઈજમ્પ સાથે 12 હજાર નજીક ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા અનુક્રમે અને 0.94 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે BSEમાં રિયલ્ટી અને ટેલીકોમને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

February 4, 2020
indvspak.jpg
1min5070

ચાર વખતની ચેમ્પિયન ભારતીય યુવા ટીમ અન્ડર-19 વર્લ્ડ કપના ફાઇનલમાં સતત ત્રીજીવાર પહોંચવા માટે આજે 4 February મંગળવારે સેમિ ફાઇનલમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. બન્ને ટીમ અપરાજિત રહીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. અન્ડર-19 વર્લ્ડ કપના આ મુકાબલાને સૌથી હાઇ વોલ્ટેજ માનવામાં આવે છે. બન્ને ટીમ ફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે. જે ટીમ મેદાન પર દબાણમાં આવ્યા વિના શાનદાર દેખાવ કરશે તેને ફાઇનલ નસીબ થશે.

મેચનો પ્રારંભ મંગળવારે બપોરે 1-30થી થશે. જેનું લાઇવ ટેલિકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ પર થશે.

ભારતીય યુવા ટીમ આ પહેલા ગત સપ્ટેમ્બરમાં એશિયા કપમાં પાકિસ્તાનની ટીમને હાર આપી ચૂકી છે. આથી અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ પ્રિયમ ગર્ગના સુકાનીપદ હેઠળની ભારતીય યુવા ક્રિકેટ ટીમનો હાથ ઉપર રહેશે તેવું માનવમાં આવી રહ્યંy છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને અને પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને હાર આપીને સેમિમાં પહોંચી છે. ભારતના કાર્તિક ત્યાગી અને આકાશસિંઘ શાનદાર ફોર્મમાં છે. બીજી તરફ પાક.ની બોલિંગ ધાર વધુ મજબૂત છે. આવતીકાલે રમાનાર આ સેમિ ફાઇનલના મેચમાં વરસાદ વિઘ્ન સર્જી શકે છે. આથી ટોસની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.

February 4, 2020
aadhaar-pan-link.jpg
1min4820

આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.

૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.

ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.

February 3, 2020
CIA_Live_Logo_New2.jpg
4min11420

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ કહ્યું કે ચીનમાં નવા કોરોના વાયરસના પ્રકોપથી મૃત્યુ આંક વધીને 630 થઈ ગયો છે, કારણ કે ગુરુવારે વધુ 69 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, આ એક દિવસમાં થયેલા સૌથી વધુ મોતની સંખ્યા છે. જ્યારે કોરોના વાયરસની અસર કુલ 30000 કરતા વધુ લોકોને થઈ છે. બુધવારે વાયરસના કારણે 69 લોકોના મોત થયા છ અને આ મહામારીના નવા 2500 કેસોની પુષ્ટિ થઈ છે, તેમ દેશના સ્વાસ્થ્ય આયોગે જાહેરાત કરી છે.

મૃતકોમાં 70 હુબેઈ પ્રાંત અને તેના વુહાનના લોકો સામેલ છે, આ ક્ષેત્રમાં કોરોનાની સૌથી વધુ અસર છે. ટિયાંજિન, હેઇલોંગજિયાંગ અને ગુઇઝોંગ પ્રાંતમાં એક-એક ડઝન લોકોના મોત થયા છે. બુધ અને ગુરુવારે ચીનમાં નવા સંદિગ્ધ 7500 કેસો સામે આવ્યા છે, જેમાં 2987 કેસો હુબેઈ પ્રાંતન છે.

ચીનના સ્વાસ્થ્ય આયોગે ગુરુવારે સાંજે એમ પણ કહ્યું કે કોરોનાગ્રસ્ત 640 દર્દીઓની હાલત ખૂબ ગંભીર છે, તેમની સારવાર ચાલી રહી છે, જ્યારે 3859ની હાલત ગંભીર છે. કેમ કે હવે કોરોના મનુષ્ય-થી-મનુષ્ય સુધી પ્રસરી રહ્યો છે. 1.86 લાખથી વધુ લોકો હજુ પણ પરીક્ષણ હેઠળ છે.

6 February 2020

ચીનમાં કોરોના વાઈરસ : મરણાંક 576 થયો : 28 હજારથી વધુ કેસો

ચીનમાં કોરોના વાઈરસે અત્યાર સુધીમાં 576નો ભોગ લીધો છે. વાઈરસ ઈન્ફેક્શનના ૨8૦૦૦થી વધુ કેસ નોંધાયા છે, એમ ચીનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 1100 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. 3800 દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૫ લાખ લોકો નિગરાની હેઠળ છે. ચીનની આસપાસના દેશોમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ચીનના સત્તાવાળાઓએ આ વાઈરસનો મુકાબલો કરવા તીવ્ર પ્રયાસ શરૂ કર્યા છે. અલગ હૉસ્પિટલ ટૂંકા ગાળામાં ઊભી કરી છે. અન્ય હૉસ્પિટલ પણ ટૂંકમાં ખૂલનાર છે. મિલિટરી મેડિકલ ટીમ દ્વારા સંચાલન થઈ રહ્યું છે.

આઠ વધુ મોબાઈલ કેબિન હૉસ્પિટલ ઊભી થનાર છે. આ વાઈરસ 27 દેશોમાં ફેલાયો છે. ભારતમાં ત્રણ કેસ જોવાયા છે તે તમામ કેરળના છે. ચીને આશા દર્શાવી છે કે ભારત કોઈ વેપાર અંકુશ મૂકશે નહીં. ચીનમાંના ભારતીયોની સુરક્ષા માટે સત્તાવાળાઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ચીનની ઈકોનોમીને કામચલાઉ અસર થઈ શકે છે. ડબ્લ્યુએચઓએ વૈશ્ર્વિક હેલ્થ કટોકટી જાહેર કરેલી છે તેનાથી ગભરાટ નહીં ફેલાવવા ચીને વિનંતી કરી છે.

ચીન જવાબદાર દેશ છે તે ફક્ત તેમના દેશના જ નહીં, પરંતુ વિશ્ર્વભરના નાગરિકોની સુરક્ષાના પગલાં લેશે. ભારત સાથેના તમામ કામકાજ-વેપાર ચાલુ રહે તેવી આશા દર્શાવાઈ હતી. ચીને અગાઉ સાર્સની કટોકટી વખતે સફળતાપૂર્વક સામનો કરીને ઉકેલ લાવ્યા હતા.

તા.4 ફેબ્રુઆરીનો અહેવાલ

તા.4 ફેબ્રુઆરી 2020ની સવારે કોરોના વાઇરસ અપડેટ અંગે ચીનની સત્તાવાર વેબસાઇટ પરથી લેવાયેલી માહિત અનુસાર કોરોના વાઇરસને પગલે અત્યાર સુધીમાં કુલ 421 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના વાઇરસથી પ્રભાવિત નાગરીકોની સંખ્યાની સત્તાવાર વિગતો આ મુજબ છે.

  • Confirmed: 20,471 (+3,266)
  • Suspected: 23,214 (+1,656)
  • Recovered: 632 (+157)
  • Deaths: 425 (+64)

નવા જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં સોમવારે એક જ દિવસમાં વધુ 56 જણનાં મોત થતાં કુલ મરણાંક વધીને 421 પર પહોંચ્યો હોવા વચ્ચે આ વાઈરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હોવાની ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી.

ચીનના નેશનલ હૅલ્થ કમિશને સોમવારે જાહેર કરેલા તેનાં દૈનિક અહેવાલમાં જણાવ્યું હતું કે સોમવારે દિવસ દરમિયાન દેશભરમાં કોરોના વાઈરસના નવા 3500 કન્ફર્મ કેસ તો ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેને પગલે આ વાઈરસની અસરમાં આવેલા લોકોની સંખ્યાનો આંક 20,471 પર પહોંચ્યો હતો.

સોમવારે ચીનના દેશભરમાં કોરોના વાઈરસના નવા ૫૧૭૩ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે રવિવારે આ વાઈરસને કારણે નોંધાયેલા કુલ ૫૭ મોતમાંથી ૫૬ મોત આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર મનાતા હુબેઈ પ્રાન્તમાં નોંધાયા હતા.

સોમવારે ૧૮૬ દરદીની હાલત એકદમ ગંભીર થઈ ગઈ હતી તો ૧૪૭ દરદીને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

પંચનાં જણાવ્યાનુસાર દેશભરમાં આ વાઈરસના ભોગ બનેલા ૨૨૯૬ દરદીની હાલત ગંભીર છે તો ૨૧૫૫૮ લોકોને આ વાઈરસની અસર થઈ હોવાની શંકા છે.

આ વાઈરસની અસર પામેલા લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧,૮૯,૫૮૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦૫૫ લોકોને રવિવારે તબીબી ચકાસણી બાદ રજા આપી દેવામાં આવી હતી તો ૧,૫૨,૭૦૦ લોકો હજુ પણ તબીબી દેખરેખ હેઠળ હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના દર્દીઓ મળી રહ્યા હોઇ કેરળમાં સ્ટેટ ડિઝાસ્ટર ઘોષિત

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ હવે કેરળ રાજ્યમાં તેને રાજ્ય આપદા ઘોષિત કરી દેવામાં આવી છે. કેરળ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને હવે રાજ્ય આપદા ઘોષિત કરી તમામ જિલ્લાઓમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાના ત્રણ કેસોની પુષ્ટિ થઈ છે અને આ તમામ કેસ કેરળથી જ છે. જે દર્દીઓમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે તેઓ તાજેતરમાં જ ચીનથી પરત ફર્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજો શખસ તાજેતરમાં જ ચીનના વુહાન શહેરથી પરત આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે અને ડૉક્ટર તેની સતત દેખરેખ રાખી રહ્યાં છે. આ દર્દી કેરળના કસારગોડનો રહેવાસી છે. આની વચ્ચે કોરોના વાયરસના કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા બાદ પાડોશી રાજ્ય કર્ણાટકના પણ ઘણા જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે.

કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયનના નિર્દેશો પર કોરોના વાયરસને રાજકીય આફત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી ડરવાની કોઈ જરૂર નથી અને રાજ્યમાં આ સંક્રમણથી બચવા તમામ સાવધાનીઓ વર્તવામાં આવી રહી છે. તમામ જિલ્લાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને પ્રભાવિત દેશોથી આવનારા મુસાફરોની તપાસ કરાઈ રહી છે.

સતર્કતા માટે કર્ણાટકના મેંગલુરુ, કોડાગૂ, ચામરાજનગર અને મૈસૂરમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. કર્ણાટક સરકાર અનુસાર, અત્યાર સુધી 51 મુસાફરો કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવ્યા છે અને તેમાંથી 46 લોકોને તેમના ઘરોથી અલગ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે ચીનથી આવનારા વિદેશીઓ માટે ઈ-સેવાઓ અત્યાર પૂરતી સસ્પેન્ડ કરી દીધી છે.

Dated 03/02/2020

362ના મોત : 17,386 દર્દીઓ : 27 દેશોમાં પહોંચ્યો વાઇરસ

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ હવે 27 દેશો સુધી વિસ્તરી ચૂક્યો છે. હજુ સુધી જેને ડામવા માટે કોઇ રસી કે દવા શોધી શકાઇ નથી એ કોરોના વાઇરસે તા.2 ફેબ્રુઆરી 2020ના રોજ ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. રવિવારે એક જ દિવસમાં ચીનમાં 57 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 2800 જેટલા નવા કન્ફર્મ કેસો કોરોના વાઇરસના દર્દીઓના મળી આવ્યા છે.

તા.3 ફેબ્રુઆરી 2020ને સવારે 8.30 વાગ્યાની માહિતી અનુસાર કોરોના વાઇરસના કારણે કુલ 362 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં 361 અને ફિલિપાઇન્સમાં 1 દર્દીનું મોત કોરોના વાઇરસને કારણે નિપજ્યું છે.

ચીનમાં કોરોના વાઇરસના કુલ 17,205 કેસો નોંધાયા છે.

ભારતમાં કોરોના વાયરસનો બીજો દર્દી

ભારતમાં ખતરનાક ચીની કોરોના વાયરસનો વધુ એક કેસ મળ્યો છે. કેરળમાં જ આ વાયરસનો બીજો દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

પહેલાં ચીનથી પરત ફરેલી એક છાત્રમાં કોરોના વાયરસ હોવાના વાવડ મળ્યા હતા. થ્રિસૂર મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે, જ્યાં તેની તબિયત સ્થિર જળવાઇ રહી છે.
ચીનની યાત્રા કરનાર કેરળના અન્ય એક વ્યક્તિમાં આ ચીની વાયરસનું સંક્રમણ એટલે કે ચેપ હોવાનું બહાર આવતાં ભારતમાં કોરોનાની બીમારીનો બીજો કેસ સામે આવ્યો છે.

બીજા દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે, જ્યાં તેનું ગહન પરીક્ષણ કરાઇ રહ્યું છે. કેરળના આરોગ્ય મંત્રી કે.કે. શૈલજાએ જણાવ્યું હતું કે અલપ્પુઝા મેડિકલ કોલેજમાં તેનો ઇલાજ જારી છે. આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી તરફથી અહેવાલ આવવાની રાહ જોવાઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસનો બીજો મામલો પણ કેરળમાં જ જોવા મળ્યો છે. આ બીજા દર્દીની હાલત સ્થિર છે અને તેની સતત સારવાર થઇ રહી છે.

ભારતે રવિવારે ચીનમાંથી આવતા ચીની તેમજ અન્ય વિદેશી યાત્રીઓ માટે ઇ-વીઝાની સુવિધા અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી હતી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે 300થી વધુ લોકોના મોત, ભારત, અમેરિકા, બ્રિટન સહિત 25 દેશોમાં આ ઘાતક વાયરસના ફેલાવાને ગંભીરતાથી ધ્યાને લેતાં ભારતે આજે આ પગલું લીધું હતું. ભારતીય દૂતાવાસે એવી ઘોષણા કરી હતી કે, પ્રવર્તમાન કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિના કારણે તત્કાલ પ્રભાવથી ઇ-વીઝા દ્વારા ભારત યાત્રા પર રેક લગાવાય છે.

આ ફેસલો ચીની પાસપોર્ટ ધારકો અને અન્ય દેશોના એ યાત્રીઓ પર લાગુ થશે, જે ચીનમાં રહે છે. એ જ રીતે જે યાત્રીઓને અગાઉથી ઇ-વીઝા જારી કરી દેવાયા છે, તેમનાં પણ ઇ-વીઝા માન્ય નહીં રહે તેવું દૂતાવાસે સ્પષ્ટ કહ્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, જેમના માટે ભારતની યાત્રા અનિવાર્ય છે, તેવા યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા યાત્રીઓ પેઇચિંગ સ્થિત ભારતીય દૂતાવાસ અને શાંઘાઇ અને ગ્વાંગઝોઉ સ્થિત મહાદૂતાવાસ તેમજ આ શહેરોમાં સ્થિત ભારતીય વીઝા આવેદન કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે.

શ્રેષ્ઠ મેડીકલ એજ્યુકેશનનો દાવો કરતા ચીનમાં જ વાઇરસે પોલ ખોલી નાંખી

ચીન છેલ્લા એક દસકાથી એકધારું એવો દાવો કરતું હતું કે મેડિકલનું શ્રેષ્ઠ એજ્યુકેશન ચીનમાં આપવામાં આવે છે. આ જાહેરાતોને પગલે જ ભારતથી સ્ટુડન્ટ્સ મેડિકલ એજ્યુકેશન લેવા માટે ચીન ગયા અને હવે એ જ સ્ટુડન્ટ્સ કુદરતના આ કેરને લીધે પાછા આવી રહ્યા છે. મેડિકલ ભણવા જઈ રહેલા સ્ટુડન્ટ્સ મેડિકલ ગ્રાઉન્ડ પર જ પાછા આવે એ જ દેખાડે છે કે ઈશ્વરના સંકેત સામે કોઈનું કશું ક્યારેય ચાલ્યું નથી કે ચાલવાનું નથી.

આખા વિશ્વને માસ્ક વેચતા ચીને માસ્ક બીજા દેશો પાસેથી ખરીદવા પડ્યા

બીજી વાત, અત્યારે ભારતમાં માસ્કનું ઉત્પાદન લગભગ દરેક કંપનીએ ડબલ કરી નાખ્યું છે. આ એ કંપનીની વાત છે જે કંપનીના માસ્ક ખરીદવાને બદલે ચીનમાં બનતા માસ્ક ખરીદવામાં આવતા હતા. ભાવની દૃષ્ટિએ પણ એ માસ્ક વધારે પોસાતા અને ક્વૉલિટીના નામે પણ એ માસ્કની ડિમાન્ડ રહેતી, પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ઇન્ડિયન માસ્ક વધારે માગવામાં આવી રહ્યા છે. આખા વિશ્વમાં માસ્ક સપ્લાય કરતા ચીને માસ્ક વિદેશોમાંથી મંગાવવા પડ્યા છે.

ચીન ઑલમોસ્ટ અત્યારે એ માસ્કના ઉત્પાદન સુધી પહોંચી શકે એમ રહી નથી. મોટા ભાગની ફૅક્ટરીઓએ રજા જાહેર કરી દીધી છે તો સાથોસાથ વર્કર્સ પણ રહ્યા નથી. ચીન સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે બહાર જ નહીં, ઘરમાં પણ માસ્ક પહેરીને રાખવો. હવે એ ઑર્ડર ભારતને સબમિટ કરવામાં આવ્યો છે અને ભારતથી ચીન માસ્ક મોકલવા માટે ઉત્પાદન ડબલ કરી નાખવામાં આવ્યું છે.

February 2, 2020
airport.jpg
1min5540

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતા કહ્યું કે દેશમાં વર્ષ 2024 સુધી 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે દેશમાં પાંચ નવી સ્માર્ટ સિટી બનાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ નવા સ્માર્ટ સિટી પીપીપી મોડલના આધારે બનાવવામાં આવશે.

સીતારામને કહ્યું કે, ઉડાન (ફ્લાઇંગ દેશનો સામાન્ય નાગરિક) પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતને વધુ 100 એરપોર્ટ મળશે. આજે બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેરાત કરી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તે જ સમયે, તે વર્ષે ચેન્નાઇ-બેંગલુરુ એક્સપ્રેસ વે પણ શરૂ થશે. સીતારામને કહ્યું કે હાઈવેનો ઝડપી વિકાસ પણ કરવામાં આવશે.