CIA ALERT

ઇન્ડીયા Archives - Page 137 of 217 - CIA Live

February 8, 2020
kejriwal.jpg
3min6090

દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૫૭.૦૬ મતદાન થયું હતું. સત્તાવાર સમય મુજબ મતદાનનો સમય ૬.૦૦ વાગ્યે પૂરો થઈ ગયો હતો. જોકે, અમુક મતદાન-કેન્દ્રોમાંથી અહેવાલો આવવાના બાકી હોવાથી મતદાનનો આંકડો થોડો વધી શકે, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

વિધાનસભાની ૭૦ બેઠકો માટેની મતદાન-પ્રક્રિયામાં ૧.૪૭ કરોડ કરતાં વધુ મતદારોને વોટ આપવા માટેનો અધિકાર હતો. આ વોટિંગ ૬૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતગણતરી મંગળવાર, ૧૧મીએ થશે. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૬૭.૦૮ ટકા મતદાન થયું હતું.

પાટનગરમાં શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં માત્ર ૪૧ ટકા વોટિંગ થયું હતું. એકંદરે, મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું, કારણકે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો હતો. સુરક્ષા-વ્યવસ્થામાં દિલ્હી પોલીસને અર્ધ-લશ્કરી દળોની મદદ પણ મળી હતી. ખાસ કરીને

ઇશાન દિલ્હી, શાહદરા અને પૂર્વ દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં આ દળોએ સલામતીના હેતુસર કૂચ કરી હતી.

આ ચૂંટણીમાં ૭૦ બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે અને એના ત્રણ હરીફ પક્ષોમાં આમ આદમી પાર્ટી (આપ) તેમ જ વિપક્ષ ભારતીય જનતા પક્ષ (ભાજપ) તથા કૉંગ્રેસનો સમાવેશ છે.

રાજધાનીના અમુક વિસ્તારોમાં વીવીપૅટ સ્લિપના સંબંધમાં કેટલીક ફરિયાદો કરાઈ હતી. કૉંગ્રેસના ઉમેદવાર રોમેશ સભરવાલે કહ્યું હતું કે વીવીપૅટ સ્લિપ પરથી તેમનું નામ અને ફોટો ગાયબ હતા. ‘મેં મતદાન-કેન્દ્રના સત્તાવાળાઓને લેખિતમાં ફરિયાદ કરી હતી જેને પગલે મશીન બદલવામાં આવ્યું હતું’, એમ સભરવાલે જણાવ્યું હતું.

શનિવારે મતદાન કરનારી જાણીતી વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ચીફ મિનિસ્ટર તથા ‘આપ’ના નેશનલ ક્ધવીનર અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા, દિલ્હી ભાજપના વડા મનોજ તિવારી, કેન્દ્રિય પ્રધાનો એસ. જયશંકર વગેરેનો સમાવેશ હતો.

કેજરીવાલ નવી દિલ્હી મતવિસ્તારમાંથી લડી રહ્યા છે. તેમણે રાજપુર ટ્રાન્સપોર્ટ ઑથોરિટી પોલીસ સ્ટેશનમાં મતદાન કર્યું ત્યારે તેમના પત્ની સુનિતા તથા પુત્ર પુલકીત પણ તેમની સાથે હતા. કેજરીવાલે મતદાન માટે જતાં પહેલાં માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

આ વખતે પહેલી વાર મતદાન કરનારાઓમાં પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન તથા કેજરીવાલના પુત્ર પુલકીતનો સમાવેશ હતો.

12 વાગ્યા સુધી 15.47 ટકા મતદાન :

મંદ ગતિએ ચાલી રહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનમાં બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 15.47 ટકા મતદાન થયું હોવાની સત્તાવાર માહિતી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી. મતદાન મથકની અંદર સ્માર્ટ ફોન નહીં લઇ જવા દેવાના નિયમનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો તેમજ ઘણા મતદારોએ મતદાન કરતી વખતે પોતાનો ફોન કોને આપવો એ પણ મુશ્કેલી અનુભવી હતી. વેબસાઇટ થકી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી છે. 

11 વાગ્યા સુધી 6.28 ટકા મતદાન

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે તા.8મી ફેબ્રુઆરી 2020ને શનિવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ક્યૂઆર કોડ્સ અને મોબાઇલ એપ્સ જેવા ટેક્નોલોજીનો ઉપયોગ આ ચૂંટણીમાં થઈ રહ્યો છે. દિલ્હીની ચૂંટણી લડાઇમાં આશરે દોઢ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે એમ છે, જોવાનું એ રહે છે કે મતદાન કેટલું થાય છે.

સવારે 11ના ટકોરે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઓવરઓલ 6.28 ટકા મતદાન થયાના સત્તાવાર આંકડા ચૂંટણીતંત્રએ જાહેર કર્યા હતા. જોકે, આ મતદાન રાજકીય પક્ષોની અપેક્ષા કરતા ઓછું હોઇ, મુખ્ય રાજકીય પક્ષોએ મતદાન વેગવંતુ બનાવવા માટે કાર્યકરોને મતદાન બુથ સુધી દોરી લાવવા માટે કાર્યકરોને રેસિડેન્સીયલ સોસાયટીઓમાં દોડાવ્યા હતા.

દિલ્હીમાં સવારે 10 વાગ્યા સુધી 4.33 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં બનેલા મતદાન મથકોએ લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સહિત સિવિલ લાઈન્સ સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું છે. આ ઉપરાંત વિદેશ મંત્રી જયશંકર, દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 

શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ પોલિંગ વિસ્તારોમાં વધારાની દેખરેખ સાથે રાજધાની દિલ્હીમાં સલામતીનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હીમાં મતદાન માટે 2,689 સ્થળોએ 13,750 પોલિંગ બૂથ્સ ગોઠવી દેવાયા હતા. 516 સ્થળો પરના 3,704 લોકેશન્સને સંવેદનશીલ જાહેર કરાયા છે.  સવારે આઠ કલાકેથી શરૂ થયેલું મતદાન સાંજે છ કલાકે પૂર્ણ થશે. 

News in Hindi

दिल्ली में मतदान के लिए 13 हजार 750 मतदान केन्द्र बनाए गए : 70 सीटों पर 672 उम्मीदवार मैदान में : 148 निर्दलीय उम्मीदवार

दिल्ली की सभी 70 सीटों के लिए आज सुबह 8 बजे से वोटिंग जारी है. मतदान केंद्रों पर मतदाताओं की लंबी कतारे देखने को मिल रही है. इस चुनावी मुकाबले में सत्ता में काबिज AAP, बीजेपी और कांग्रेस मुख्य रूप से मैदान में हैं. इस चुनाव में कुल 672 प्रत्याशी अपनी किस्मत आजमा रहे हैं. दिल्ली के 1,47,86,382 मतदाता आज तय करेंगे कि दिल्ली की सत्ता पर कौन सी पार्टी काबिज होगी. चुनाव के नतीजे 11 फरवरी को आएंगे.

  • राष्ट्रपति रामनाथ कोविंद ने अपनी पत्नी सविता कोविंद के साथ राष्ट्रपति भवन में मौजूद राजेंद्र प्रसाद केंद्रीय विद्यालय में वोट डाला
  • पूर्व प्रधानमंत्री डॉ मनमोहन सिंह और उनकी पत्नी ने निर्माण भवन में वोट डाला
  • मुख्यमंत्री अरविंद केजरीवाल ने अपने परिवार के साथ सिविल लाइन्स के एक मतदान केंद्र पर वोट डाला. इस बार भी सीएम केजरीवाल नई दिल्ली विधानसभा सीट से मैदान में हैं. उनके खिलाफ बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सब्बरवाल चुनाव लड़ रहे हैं
  • पूर्व उपराष्ट्रपति हामिद अंसारी और संघ के वरिष्ठ नेता रामलाल ने निर्माण भवन में अपना वोट डाला. इस सीट से सीएम अरविंद केजरीवाल, बीजेपी के सुनील यादव और कांग्रेस के रोमेश सभरवाल चुनाव लड़ रहे हैं.
  • दिल्ली के एलजी अनिल बैजल और उनकी पत्नी माला बैजल ने ग्रेटर कैलाश के बूथ में अपना वोट डाला. इस सीट से आप उम्मीदवार सौरभ भारद्वाज और बीजेपी की शिखा राय और कांग्रेस के सुखबीर पवार मैदान में हैं
  • विदेश मंत्री एस जयशंकर ने तुगलक क्रिसेंट के स्कूल में बने पोलिंग बूथ पर दिल्ली विधानसभा के लिए वोट डाला
  • बीजेपी सांसद प्रवेश वर्मा ने मटियाला विधानसभा के लिए वोट डाला
  • जस्टिस आर भानुमति ने तुगलक क्रिसेंट के पोलिंग स्टेशन पर वोट डाला
  • दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया ने अपनी पत्नी के साथ पांडव नगर के एमसीडी स्कूल पहुंचर वोट डाला, मनीष सिसोदिया पटपड़गंज विधानसभा सीट से उम्मीदवार हैं
  • कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी ने औरंगजेब रोड के पोलिंग बूथ संख्या 81 में अपना वॉट डाला

विधानसभा चुनाव में आम आदमी पार्टी (AAP), भारतीय जनता पार्टी (BJP) और कांग्रेस (Congress) के बीच त्रिकोणीय मुकाबला है. मुख्यमंत्री अरविंद केजरीवाल जहां पांच साल के AAP सरकार के कामों को लेकर जनता से वोट मांग रहे हैं. वहीं, बीजेपी राष्ट्रवाद, नागरिकता कानून और शाहीन बाग में प्रदर्शन का मुद्दा उठा रही है

बाबरपुर में चुनाव अधिकारी की मौत

उत्तर पूर्वी दिल्ली के बाबरपुर में ड्यूटी के दौरान एक चुनाव अधिकारी की मौत हो गई है. ये घटना पोलिंग बूथ के अंदर मौत बाबरपुर प्राइमरी स्कूल में हुई है. पुलिस ने शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए गुरु तेग अस्पताल भेज दिया है.

दिल्ली के शाहीन बाग में मतदाताओं की लंबी कतार देखने को मिल रही है. शाहीन पब्लिक स्कूल ओखला में बड़ी संख्या में वोटर दिख रहे हैं. AAP के अमानतुल्लाह यहां से मौजूदा विधायक है. इस बार उनका मुकाबला कांग्रेस के परवेज हाशमी और बीजेपी के ब्रह्म सिंह बिधुरी से है.

February 7, 2020
coronavirus.jpg
1min5510

સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાઇરસની ભારતમાં ચકાસણી માટે હાલમાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી મોકલવામાં આવે છે. પણ હવે અમદાવાદના બી. જે. મેડિકલ કૉલેજમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજમાં કોરોના વાઇરસને લઈ ટેસ્ટિંગ લેબ પણ ઊભી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ભારતના તમામ ઍરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગ માટે શું વ્યવસ્થા કરી છે તેની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ મોકલી હતી. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ઍરપોર્ટ પર તબીબી સુવિધા ચકાસી સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોરોના વાઇરસનો ટેસ્ટ કરી શકાય તે માટે ટૂંક સમયમાં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાં બ્લડ સેમ્પલના ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. ટેસ્ટ માટે જરૂરી કીટ ઉપલ્બ્ધ કરવામાં આવશે, જેના કારણે હવે પછી કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ પુણે મોકલવાની જરૂર નહીં પડે.

February 7, 2020
vidaadhar.jpg
1min5840

દેશનાં સાત રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજની અનુમાનિત વસતી કરતાં વધારે આધારકાર્ડ ધારકો હોવાની માહિતી ગુરુવારે રાજ્યસભામાં આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન સંજય ધોતરેએ જોકે, આ માટે મૃતક આધારકાર્ડ ધારક જવાબદાર ના હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે અનુમાનિત વસતીગણતરીમાં મૃત્યુ પામેલા લોકોનો પણ હિસાબ રાખવામાં આવ્યો હતો. તેથી એમ કહી શકાય કે વસતીનો અંદાજ લગાવવામાં કોઇ ભૂલ થઇ હોઇ શકે છે.

એવું કોઇ રાજ્ય છે જેમાં રાજ્યની કુલ વસતી કરતાં આધારકાર્ડ ધારકોની સંખ્યા વધારે હોય એવા એક સ્પષ્ટ સવાલના જવાબમાં ધોતરેએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે સાત રાજ્યમાં આમ થયું છે.

અન્ય એક સવાલના જવાબમાં ધોતરેએ જણાવ્યું હતું કે એમ-સીપ્ઝ યોજના હેઠળ સેમીકંડક્ટર એફએબી સ્થાપવા માટે કોઇ પ્રસ્તાવ તેમને મળ્યા નથી.

February 7, 2020
income_tax.png
1min5630

વા વિકલ્પ પ્રમાણે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ ગણી શકાય તે માટે આવકવેરા વિભાગે ઈ-કેલક્યુલેટર લૉન્ચ કર્યું છે. આવકવેરા વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ, વેબસાઈટ પર કેલક્યુલેટર ‘હોસ્ટ’ કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક (સાઠ વર્ષથી ઓછી વય), વરિષ્ઠ નાગરિક (૬૦-૭૯ વર્ષ), તમામ સ્ત્રોતથી થનારી વાર્ષિક આવક પોર્ટલમાં પંચ કરી શકે છે. પાત્ર ડિડકસન (કપાત) અને એકઝેમ્પશન (રાહત) પણ પંચ કરી તેમની કરપાત્ર રકમ જોઈ શકે છે. આ પછી નવો વિકલ્પ સ્વીકારવો કે કપાત, રાહતવાળો જૂનો વિકલ્પ ચાલુ રાખવો તે બાબતમાં કરદાતાઓ નિર્ણય લઈ શકે છે.

હાલમાં વ્યક્તિગત કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળે છે અને વિવિધ બચત યોજનાઓમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. નવા વિકલ્પ પ્રમાણે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. પાંચ લાખથી સાડા સાત લાખ રૂપિયા પર ૧૦ ટકા, સાડા સાતથી દસ લાખ રૂપિયા પર ૧૫ ટકા, દસ લાખથી સાડા બાર લાખ રૂપિયા પર ૨૦ ટકા, સાડા બાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધી ૨૫ ટકા અને પંદર લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈ-કેલક્યુલેટરમાં બંને વિકલ્પની સરખામણી કરતો કોઠો ધરાવે છે.

इनकम टैक्स विभाग ने नए टैक्स स्लैब के अनुसार अपने टैक्स का आकलन करने और कितना टैक्स देना होगा इसके जोड़ घटाव के लिए ई-कैलकुलेटर लॉन्च किया है। इस कैलकुलेटर के लिए आपको कही जाने की जरूरत नहीं है क्योंकि यह इनकम टैक्स की साइट पर ही उपलब्ध है। यह कैलकुलेटर और टेबल आपको इनकम टैक्स विभाग की आधिकारिक ई-फाइलिंग वेबसाइट https://www.incometaxindiaefiling.gov.in पर मिल जाएगा। जिसके जरिए आप आराम से अपनी इनकम और टैक्स का जोड़ घटाव कर सकते हैं।

विभाग के अधिकारियों की माने तो इस कैलकुलेटर के जरिए बजट में हुए एलान के मुताबिक जिन लोगों ने नई व्यवस्था को चुना है उनको बिना डिडक्शन और छूट के अपना आईटीआर फाइल करने में मदद मिलेगी। इस कैलकुलेटर में कई ऑप्शन दिए गए हैं। जिसको आपको भरना होगा और फिर इनकम कैलकुलेट होकर आएगी। इसमें पहला ऑप्शन उम्र का है जिसमें तीन कैटेगिरी दी गई है। जिसमें अलग-अलग स्लैब में आने वाले टैक्सपेयर्स इलेक्ट्रॉनिक इनकम टैक्स रिटर्न को फाइल करने के लिए कर सकते हैं

पहला 60 साल से नीचे और दूसरा 60 से 70 साल के बीच और तीसरा 79 साल से उपर। इसके बाद दूसरे नंबर पर अनुमानित वार्षिक आय का ऑप्शन दिया गया है। इसके बाद तीसरा ऑप्शन है कम: छूट / कटौती। इतना करने के बाद आपको कम्पेयर वाले बटन पर क्लिक करना होगा। उसके बाद सब कुछ आपके सामने डिस्प्ले हो जाएगा।

टैक्स स्लैब में हुए हैं बदलाव
वित्त मंत्री निर्मला सीतारमण ने शनिवार को वित्त वर्ष 2020-21 का बजट पेश करते हुए टैक्स स्लैब में बदलाव किए हैं। नई कर व्यवस्था में 2.5 लाख तक की आय पर कोई टैक्स नहीं लगेगा। 2.5 लाख से 5 लाख तक की आय पर 5 फीसदी टैक्स लगेगा। 5 से 7.5 लाख तक आय पर 10 फीसदी का टैक्स लगेगा। पहले 10 फीसदी का स्लैब नहीं था। 7.5 लाख से 10 लाख की आय पर 15 फीसदी टैक्स होगा। 10 लाख से 12.5 लाख की आय पर 20 फीसदी टैक्स होगा। नई टैक्स व्यवस्था के तहत इसमें कोई डिडक्शन शामिल नहीं होगा, जो डिडक्शन लेना चाहते हैं वो पुरानी दरों से टैक्स दे सकते हैं। यानी कि टैक्सपेयर्स के लिए वैकल्पिक व्यवस्था होगी। यह नए स्लैब तब लागू होंगे, जब टैक्सपेयर अपने दूसरे एक्जेम्पशन यानी दूसरे छूट या लाभ को छोड़ेगा।

February 7, 2020
air-india.jpg
1min6030

સરકાર દ્વારા જેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે આર્થિક કટોકટીમાં સપડાયેલી ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ. ૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાહેર કરવામાં આવેલી આંકડાઓની યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું.

કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી છે. સ્થળાંતર કરાવવાની કામગારી પેટે વધારાના રૂ. ૯.૬૭ કરોડ અને વિદેશી મહાનુભાવોને લાવવા લઈ જવા બદલ રૂ. ૧૨.૬૫ કરોડનાં લેણાં બાકી હોવાનું તેમણે કહ્યું હતું.

વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ હેઠળ ઍર ઈન્ડિયા પ્રમુખ, ઉપપ્રમુખ, રાષ્ટ્રપતિને લાવવા લઈ જવાનું કામ ઍર ઈન્ડિયા કરે છે જેનું બિલ સંબંધિત ખાતા દ્વારા ચુકવવામાં આવે છે.

આ ઓછું હોય તેમ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકારી અધિકારીઓની ટિકિટ પેટે વસૂલવાની બાકી નીકળતી રકમનો આંક રૂ. ૫૨૬.૧૪ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું. આ રૂ. ૫૨૬.૧૪ કરોડમાંથી રૂ. ૨૩૬.૧૬ કરોડ તો છેલ્લાં ત્રણ વરસથી લેવાનાં બાકી છેે, એમ તેમણે કહ્યું હતું. વસૂલી નહીં થઈ શકે તેવી સંભવિત રકમનો આંક રૂ. ૨૮૧.૮૨ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.

February 6, 2020
bhutan-1280x720.jpg
1min9350

ભૂટાન સરકારે નિયમોમાં ફેરબદલ કરતાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં ફ્રી એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

નિયમોમાં ફેરફાર કરતા હવે જૂલાઇ 2020થી ભારતીય ટૂરિસ્ટએ ભૂટાન જવા માટે પ્રતિ દિવસના હિસાબથી 1200 રુપિયા ફી પેટે ભૂટાન સરકારને ચૂકવવા પડશે. ભૂટાને ફી નિયમમાં ફેરફાર ભારત સહિત માલદીવ અને બાંગ્લાદેશથી આવતા ટૂરિસ્ટ માટે પણ કર્યા છે. ભૂટાન જતાં ટૂરિસ્ટમાં 6થી 12 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે પ્રવેશ ફી 600 રુપિયા રહેશે. ભૂટાન સરકાર મુજબ આ પ્રવેશ ફીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF)કહેવામાં આવે છે.

ભારતીય ટૂરિસ્ટ માટે SDF હેઠળ વસૂલવામાં આવતી ફી, અન્ય દેશોના ટૂરિસ્ટ માટે રાખવામાં આવેલી ફીની સરખામણીએ ઘણી ઓછી છે. અન્ય દેશોના ટૂરિસ્ટએ હવે ભૂટાનમાં પ્રવેશ ફી તરીકે 65 ડોલર એટલે કે 4631 રુપિયા ચૂકવવા પડશે. આ સિવાય તેઓએ 250 ડોલરનું ફ્લેટ કવર ચાર્જ પણ આપવો પડશે. 

February 6, 2020
ayodhyay3.jpg
1min6390

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે સરકારે ત્રણ માસની અંદર ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. રામ જન્મભૂમિની તરફેણમાં ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ ચુકાદો આવ્યો હતો. ૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધીમાં ટ્રસ્ટ સ્થાપવા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એ

પ્રમાણે ૫ ફેબ્રુઆરીએ ટ્રસ્ટની જાહેરાત કરી હતી.૬૭.૭૦૩ એકર જમીન ટ્રસ્ટને આપવા કેબિનેટે નિર્ણય લીધો હતો. સ્વાયત્ત ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરશે.

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ૫, ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે. સરકાર તેની પ્રતિબદ્ધતામાં આગળ વધ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટી રહેશે જેમાં એક દલિતનો સમાવેશ કરાશે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારે મસ્જિદ બાંધવા માટે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન આપવા સહમતી દર્શાવી છે. પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, અયોધ્યાના ધન્નીપુર ગામમા લખનઊ હાઈવે નજીક જમીન છે. નવા ટ્રસ્ટની જાહેરાત કરનાર વડા પ્રધાન મોદીનો તેમણે આભાર માન્યો હતો. બધાને સાથે મળીને એક પરિવારની જેમ આ કાર્યમાં કામ કરવા વડા પ્રધાને અપીલ કરી હતી.

February 5, 2020
icai_logo.jpeg
3min9070

C.A. ફાઉન્ડેશન, ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન શરૂ : જાણો કેવી રીતે રજિ. થાય ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી મે 2020માં લેવામાં આવનારી સી.એ. કોર્સની તમામ ત્રણેય સ્તરની પરીક્ષા માટેના ઓનલાઇન આવેદનપત્ર (રજિસ્ટ્રેશન પ્રક્રિયા)નો આરંભ કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ મે 2020માં ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ (જૂનો અને નવો કોર્સ) તેમજ ફાઇનલ્સ (જૂનો અને નવો કોર્સ)ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા ઉમેદવારોને તા.26મી ફેબ્રુઆરી 2020 સુધીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે.

વધુ માહિતી માટે સંપૂર્ણ વિગત સાથેની ફાઇલ ડાઉનલોડ કરો

https://icaiexam.icai.org/Announcements/May_2020_Announcement.pdf

How to apply for ICAI CA May 2020 exam?

1) Open the official website of the ICAI – icaiexam.icai.org and click on Login/Register

Click here to register for ICAI CA May 2020 exam

2) Select your program, enter the seven digits of your registration number, date of birth, email ID, phone number and other details as asked in the form and click on Register

3) Fill the application form and select an exam centre

4) Upload all the documents as asked in the application process

5) Make application fee payment and download the PDF of registration form

6) Make sure your Photo is appearing on the PDF. If not, take a print out of PDF, paste a passport size photo and send it to ICAI. Also, keep a copy of the same with you for future reference

February 5, 2020
trains.jpg
1min6350

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.

બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.

બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.

બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.

February 5, 2020
gst.jpg
1min4850

ગ્રાહકોને ખરીદી કરતી વખતે બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર જીએસટી અંતર્ગત રૂ. ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોટરીની યોજના બનાવી રહી છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સ (સીબીઆઇસી)ના સભ્ય જ્હોન જોસેફે જણાવ્યું હતું કે ગુડ્ઝ અને સર્વિસ ટૅક્સ (જીએસટી) હેઠળના દરેક બિલ ગ્રાહકોને લોટરી જીતવાની તક પૂરી પાડશે અને તે ટૅક્સ ચૂકવવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.

‘અમે નવી લોટરીની સિસ્ટમ લઇને આવ્યા છીએ. જીએસટી હેઠળ દરેક બિલ વિજેતા લોટરીની ટિકિટ હોવાનું માનવામાં આવે છે. તે ડ્રો માટે જશે અને ભાવ એટલા ઊંચા છે કે ૨૮ ટકા બચાવ્યા વિના મારી પાસે રૂપિયા દસ લાખથી લઇને એક કરોડ સુધી જીતવાની તક છે. લોકોની માનસિકતામાં બદલાવ લાવવાનો આ પ્રશ્ર્ન છે,’ એમ જોસેફે એસોચેમના કાર્યક્રમમાં જણાવ્યું હતું.

આ યોજના મુજબ ખરીદીના બિલ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. અને આપમેળે ડ્રો થઇ જશે અને વિજેતાને જણાવવામાં આવશે. ચાર સ્તરના જીએસટી અંતર્ગત માલ અને સેવાઓ પર ૫, ૧૨,૧૮ અને ૨૮ ટકા કર લાગે છે. આ ઉપરાંત લક્ઝરી, સીન અને ડીમેરિટ ગુડ્ઝ પર સૌથી વધુ ટૅક્સ રેટ ઉપરાંત સેસ પણ લગાવવામાં આવે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ રાજ્યના નાણાપ્રધાનોની બનેલી જીએસટી કાઉન્સિલ પ્રસ્તાવિત લોટરી યોજનાની તપાસ કરશે. લોટરીની યોજના માટે પાત્ર બનવા મિનિમમ કેટલી રકમનું બિલ હોવું જોઇએ એ પણ નક્કી કરવામાં આવશે. યોજના મુજબ ગ્રાહક કલ્યાણ ભંડોળમાંથી આ લોટરી યોજના માટે નાણાં આવશે.

જીએસટીની આવકના છિંડા (લુપહોલ્સ) પૂરવા માટે સરકાર લોટરી અને ક્યુઆર કોડ આધારિત ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા સહિત બિઝનેસથી ગ્રાહક સોદાના વિકલ્પ અંગે વિચારણા કરશે.

જીએસટીની આવકમાં વધારો કરવાના પગલાં સૂચવવા સરકારે અધિકારીઓની કમિટી બનાવી છે. જીએસટીમાં તબક્કાવાર ફેરફારો સૂચવવાનું કામ પેનલને સોંપવામાં આવ્યું છે. કર માળખાના વિસ્તરણ માટે ઇનપૂટ્સ આપવા પણ તેમને જણાવવામાં આવ્યું છે.

૧૮ ડિસેમ્બરના રોજ કમિટીએ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી અને સંસાધનો વધારવા મુક્તિની સૂચિ ઘટાડવાનું સૂચન કર્યું હતું.