CIA ALERT

ઇન્ડીયા Archives - Page 127 of 215 - CIA Live

March 16, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5510

કેન્દ્ર સરકારે કોરોના સામે શ્રેણીબદ્ધ પગલાંઓ ભર્યા છે. કોરોના ટેસ્ટિંગ માટેની સિસ્ટમ જડબેસલાક બનાવી છે. કોરોનાના દર્દીઓને કેવી રીતે ઓળખવા અથવા તો કેવા પ્રકારની ગાઇડલાઇન્સ તબીબોએ ફોલો કરવી તે અંગે પણ સ્પેશિફિક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

કોરોના શંકાસ્પદ દર્દીઓનો પહેલો ટેસ્ટ જો નેગેટીવ આવે તો સંબંધિત ડોક્ટરની સલાહને અનુસરીને જે તે દર્દીને જવા દેવામાં આવશે અને એ ફર્સ્ટ નેગેટીવ પેશન્ટનું 14 દિવસ સુધી ફોલોઅપ તંત્ર દ્વારા લેવામાં આવશે.

કોરોના પોઝીટીવ દર્દીઓ માટેની ગાઇડલાઇન અનુસાર ટ્રીટમેન્ટ લઇ રહેલા દર્દીના એક દિવસમાં જો બે સેમ્પલ ટેસ્ટ નેગેટીવ આવે તો તેને ડિસ્ચાર્જ કરી શકાશે. આ ગાઇડલાઇન્સ અનુસરવા માટે ભારતભરમાં સૂચના જારી કરવામાં આવી છે.

In English

The government has issued a discharge policy for Covid-19, Cases of suspected coronavirus, who test negative in the first instance, can be discharged on doctor’s advice but will be monitored for 14 days after their last contact with a confirmed Covid-19 case, the guidelines said.

cases under which a positive case shall be managed as per protocol and discharged after only two samples test negative within 24 hours and there’s evidence of chest radiographic clearance and viral clearance in respiratory samples.

March 16, 2020
sbii-1.jpg
1min6340

Shares of SBI Cards & Payment Services (SBI Cards) listed at Rs 661, 12.45 per cent below its issue price of Rs 755 on the National Stock Exchange (NSE) on Monday. On the BSE, it opened at Rs 658, 13 per cent lower against issue price

ભારતના રોકાણકારોમાં બહુ જ ગાજેલા અને ખાસ્સા ચર્ચાસ્પદ બનેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસબીઆઇ કાર્ડના આઇપીઓમાં બેંકને અંદાજે 10 હજાર કરોડનું ભંડોળ મળી ગયા બાદ આજે તા.16મી માર્ચે જ્યારે શેરબજારમાં એસબીઆઇ કાર્ડ શેરનું લિસ્ટીંગ થયું ત્યારે કોરોના એસબીઆઇ કાર્ડના લિસ્ટીંગની હવા કાઢી નાંખી હતી. અપેક્ષા એવી હતી કે 750ના શેરનું લિસ્ટીંગ 950 સુધી તો થશે જ પરંતુ, એસબીઆઇ કાર્ડના શેરનું લિસ્ટીંગ 115 રૂપિયા down થયું અને પછી સાવ સામાન્ય ભાવે શેર બપોરે 12 વાગ્યા સુધી ટ્રેડ કરી રહ્યો હતો.

એક તબક્કે 12.45 ટકા ડિસ્કાઉન્ટમાં શેર મળતો થઇ ગયો

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્કના ક્રેડિટ કાર્ડ એકમ SBI કાર્ડના શેર લિસ્ટીંગનો ફિયાસ્કો થયો હતો. કંપનીના શેરનું આજે સવારે ₹661ના ભાવે લિસ્ટિંગ થયું હતું જે ₹755ના ઓફર ભાવની સરખામણીમાં 12.45 ટકાનું ડિસ્કાઉન્ટ સૂચવે છે. જોકે, થોડા સમય બાદ કંપનીના શેરનું 7.2 ટકાના ઘટાડા સાથે ₹700ની સપાટીએ ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવા SBI કાર્ડનો ઈશ્યૂ ભારે ચર્ચામાં રહ્યો હતો પણ કોરોના વાઈરસના ઓથાર હેઠળ આવી ગયેલા શેરબજારમાં મંદીના ભણકારા વચ્ચે આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થયું હતું.

SBI કાર્ડે ₹755ની અપર પ્રાઈસ સાથે ઈશ્યૂ જારી કરીને બજારમાંથી દસેક હજાર કરોડ રૂપિયાનું મૂડી ભંડોળ એકત્રિત કરી લીધું છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાં આવેલો સૌથી મોટો પબ્લિક ઈશ્યૂ હતો. એસબીઆઇ કાર્ડનો આ આઇ.પી.ઓ. 22.45 ગણો છલકાયો હતો.

Yes Bank શેર 50 ટકા અપ

બીજી તરફ યસ બેંક પરથી નિયંત્રણો ઉઠાવી લેવાની ઘોષણાના બાદ આજે સોમવારે પ્રારંભિક ટ્રેડીંગમાં જ શેરબજારમાં યસ બેંકનો શેર છવાય ગયો હતો અને સીધો 50 ટકા અપ થઇને ટ્રેડ થઇ રહ્યો હતો.

March 14, 2020
usa_flag.png
4min11600

ભારત સ્થિત અમેરિકી એમ્બેસીએ એવી જાહેરાત કરી છે કે તા.16મી માર્ચ 2020થી લાગુ થાય તે રીતે અમેરીકન વીઝા માટે ભારતમાં આપવામાં આવેલી તમામે તમામ એપોઇન્ટમેન્ટસ અચોક્કસ મુદત માટે રદ કરવામાં આવી છે. જે ભારતીય નાગરીકોને તા.16મી માર્ચથી એપોઇન્ટમેન્ટસ આપવામાં આવી છે તેમણે મુંબઇ, દિલ્હી તેમજ અન્ય અમેરીકન એમ્બેસી ખાતેની કચેરી પર નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે.

અચોક્કસ મુદત માટે વીઝાની તમામ પ્રોસીજર બંધ કરવામાં આવી છે. લાગતાવળગતા અરજદારોને ભવિષ્યમાં કામગીરી યથાવત થયેથી વધુ જાણકારી તેમના સત્તાવાર ઇમેલ પર કે એજન્ટસ થકી પહોંચાડવામાં આવશે.

On Twitter

https://twitter.com/USAndIndia/status/1238658443470196737

Alert: Cancelling of immigrant and nonimmigrant visa appointments

U.S. Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward. Your visa appointment stands as cancelled. Once Mission India resumes regular consular operations, appointments will be made available and you will be able to reschedule. Please see www.ustraveldocs.com/in  and in.usembassy.gov/covid-19-information/ for further information.

Coronavirus: US Embassy, Consulates in India cancel all visa appointments

The US Embassy and Consulates in India have cancelled all visa appointments from March 16 in the wake of coronavirus outbreak.

US President Donald Trump on Friday officially declared a national emergency that he said would give states and territories access to up to $50 billion in federal funds to combat coronavirus.

A statement issued by the US Embassy here said, “US Mission India posts, in light of the global COVID-19 pandemic, are cancelling immigrant and nonimmigrant visa appointments from March 16, 2020, onward.”

“Your visa appointment stands as cancelled. Once Mission India resumes regular consular operations, appointments will be made available and you will be able to reschedule,” it said.

March 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5150

ભારતની સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ ગણાતી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ. 2020 કોરોના વાઇરસને કારણે 29 માર્ચ 2020ના રોજથી શરૂ થવાની હતી એ હવે મીડ એપ્રિલ, ઘણું ખરું 15 એપ્રિલ 2020થી શરૂ કરવા અંગે સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે.

હાલ તા.13મી માર્ચ શુક્રવારે જ્યારે આ લખાઇ રહ્યું હતું બપોરે અઢી વાગ્યે બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી શાહની મુંબઇમાં મિટીંગ યોજાઇ હતી. શનિવાર તા.14મી માર્ચે મુંબઇમાં જ મળનારી આઇ.પી.એલ. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આઇ.પી.એલ.ના આરંભને લંબાવવા અંગે નિર્ણય કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

અગાઉ એવું નક્કી થયું હતું કે આઇપીએલ બંધ બારણે, પ્રેક્ષકો વગર રમાડીને તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવશે. પરંતુ, કેટલાક સ્ટેક હોલ્ડર્સે પ્રેક્ષકો વગર ટિકીટ વેચાણની રકમની મોટી નુકસાની થાય તેવી રજૂઆતો કરી હતી. પરીણામે તા.15મી એપ્રિલ 2020 સુધી કોરોનાની સ્થિતિ ભારતમાં સુધરી શકે તેમ હોવાથી આઇ.પી.એલ. 2020ના આરંભને પખવાડીયા જેટલું પાછળ ઠેલવવા અંગે બીસીસીઆઇમાં મિટીંગોનો દૌર શરૂ થયો છે.

March 13, 2020
rana-kapoor_rg_660_12301402123-770x433.jpeg
1min5880

યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે તેની મુદતમાં જે રૂ. 30 હજાર કરોડની લોનો મંજૂર કરી હતી તે પૈકી રૂ. 20 હજાર કરોડની બેડ લોનમાં ફેરવાઈ ગયાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ખાસ પીએમએલએ કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું. કોર્ટે ઈડીમાંની તેની કસ્ટડી 16 માર્ચ સુધી લંબાવી છે. રાણાના કુટુંબ સાથે સંકળાયેલી 78 કંપનીઓ ભણી (એનપીએ) થયેલા આ માતબર રકમ વાળી દેવાઈ છે કે કેમ તેની તપાસ એજન્સી કરી રહી છે.

March 13, 2020
nita_ambani-1280x720.jpg
1min5620

મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.

યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.

સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 

March 13, 2020
tokyo.jpg
1min5770

મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને ૧૬મી માર્ચના રોજ વિશ્ર્વાસનો મત લેવા નિર્દેશ આપ્યા હતા.

શનિવારે મધ્ય રાત્રિએ ગવર્નરનો એક પત્ર મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્ર્વાસનો મત લેવાનું કાર્ય પૂરું થવું જોઇએ અને તેમાં વિલંબ અથવા મોકૂફ રાખવાનું થવું જોઇએ નહીં. ગવર્નરના પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ૨૨ વિધાનસભ્યાએેે તેમના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે અને આ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બંનેમાં જાણ કરી છે. બંને મીડિયા પર આ અંગેનું કવરેજ મેં ધ્યાનપૂર્વક વાંચ્યું છે અને જોયું છે.

૧૦મી માર્ચે તેમણે મને પત્ર પણ લખ્યો છે અને સ્પીકરને રાજીનામું આપતી વખતે વિધાનસભ્યોએ સુરક્ષાની પણ માગ કરી છે. આર્ટિકલ ૧૭૪ અને ૧૭૫ (૨) હેઠળ હું નિર્દેશ આપું છું કે વિધાનસભાનું સત્ર ૧૬ માર્ચે ૧૧ કલાકે મારા અભિભાષણથી ચાલુ કરવામાં આવશે અને તે પછી એકમાત્ર કામ વિશ્ર્વાસના મત પર મતદાન કરવાનું રહેશે. ડિવિઝન પ્રક્રિયા દ્વારા વિશ્ર્વાસનો મત લેવાનો રહેશે અને વિધાનસભાએ સ્વાયત્ત પ્રક્રિયા દ્વારા સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. કમલનાથની ભલામણને આધારે અને સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા હોવાના આધારે છ પ્રધાનોની હાકલપટ્ટી કરી હતી જેનો ગવર્નરે ઉલ્લેખ કર્યો હતો. તમે તમારા ૧૩ માર્ચના પત્રમાં લખ્યું હતું કે ફ્લોર ટેસ્ટ માટે તમે તૈયાર છો અને ભાજપ પાસેથી પણ આ અંગે મને પત્ર મળ્યો છે. ઉપર જણાવેલી હકીકતોને આધારે પ્રથમદર્શી નજરે હું માનું છું કે તમારી સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવ્યો છે અને લઘુમતીમાં આવી ગઇ છે. આથી મારા અભિભાષણ પછી તમારે વિધાનસભામાં વિશ્ર્વાસનો મત લેવો જરૂરી છે.

ટોક્યો ઑલિમ્પિક્સની જ્યોત પ્રજવળીત

જાપાનના ટોક્યોમાં ૨૦૨૦માં રમાનારી ઑલિમ્પિક્સની જ્યોત ગુરુવારે ગ્રીસના પ્રાચીન શહેર ઑલિમ્પિયા ખાતે પૌરાણિક પરંપરા અને વિધિસર પ્રગટાવાઇ હતી.

વિશ્ર્વભરમાં કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ટોક્યોમાં ઑલિમ્પિક્સ યોજાશે કે નહિ તે અંગે હજી શંકા સેવાઇ રહી છે. પૌરાણિક ગ્રીક પહેરવેશમાં સજ્જ એક અભિનેત્રીએ સૂર્યકિરણોનું અંત:ગોળ કાચથી ઝીલીને ઑલિમ્પિક્સની જ્યોત પ્રગટાવી હતી. આ પ્રસંગે દર્શકો પર પ્રતિબંધ મુકાયો હતો.

ટોક્યોમાંની ઑલિમ્પિક્સના આયોજકોને ૧૯મી માર્ચે આ જ્યોત સોંપાશે, પરંતુ તેની પહેલાં ગ્રીસમાં એક અઠવાડિયા સુધી ઑલિમ્પિક્સની મશાલને ફેરવવામાં આવશે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચે જણાવ્યું હતું કે ઑલિમ્પિક્સ જ્યોતની જાપાન સુધીની સફર શરૂ થઇ છે. જાપાનના ટોક્યોમાં ઑલિમ્પિક્સનું આયોજન ૨૪મી જુલાઇથી ૯મી ઑગસ્ટ સુધી થવાનું છે. આયોજનના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં તેને નિર્ધારિત સમયે જ યોજવી કે થોડા મહિના પાછળ મુલતવી રાખવી તે અંગે શંકા સેવાઇ રહી છે. ચીન, જાપાન, ઇટલી, ઇરાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોના વાઇરસનો ચેપ મોટા પાયે ફેલાયો છે અને તેના દુનિયાભરમાં કુલ એક લાખથી વધુ દરદી છે.

March 13, 2020
Coronavirus-Getty-photovs-1280x822.jpg
1min4930

વિદેશીઓના આગમન પર એક મહિના સુધી પ્રતિબંધ મૂકવાના પગલે પ્રવાસન ક્ષેત્રને ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે, તેવું ક્ષેત્રના અગ્રણીઓ જણાવે છે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઈએટીઓ) અને એસોચેમ જેવી ઉદ્યોગ જગતની સંસ્થાઓ કહે છે કે પ્રવાસન ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે.

MERS-CoV chinese infection Novel Corona virus Jet engine against a middle size plane at the airport on loading aircraft at the International Airport

આઈએટીઓના મહામંત્રી રાજેશ મુડગિલે કહ્યું કે, ‘વિઝા રદ થવાથી સમગ્ર હૉટેલ, એવિયેશન અને ટ્રાવેલ ક્ષેત્રમાં બેરોજગારી વધી જશે. ૮૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે તેવો અમારો અંદાજ છે. એસોચેમ ટૂરિઝમ એન્ડ હૉસ્પિટલિટી કાઉન્સિલના ચેરમેન સુભાષ ગોયલે કહ્યું કે, ‘બુધવારે રાતે વિઝા રદ થવાનું જાહેર થયું હતું. સમગ્ર પ્રવાસન, એવિયેશન અને હોટેલ ક્ષેત્રને પ્રતિકૂળ અસર પહોંચશે. દસ દિવસમાં ટ્રાવેલ, ટૂરિઝમ ઉદ્યોગમાં હિલચાલ બંધ થઈ જશે. દરેક પેઢી ખર્ચમાં કાપ મૂકશે, બિનજરૂરી સ્ટાફને છુટો કરશે અને વધારાના સ્ટાફની ભરતી બંધ કરશે.’

મુડગિલે કહ્યું કે ‘દસ દિવસ પછી પરિસ્થિતિની સમીક્ષા કરવી જોઈએ તેવી વિનંતી અમે સરકારને કરીએ છે. આ ક્ષેત્રને કરવેરામાં પણ રાહત આપવી જોઈએ.’ફેડરેશન ઑફ હૉટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન્સ ઑફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ ગુરુબક્ષસિંહ કોહલીએ કહ્યું કે, ‘કોરોના વાઈરસના સમાચાર પ્રસિદ્ધ થયા તે પછી નવેમ્બરથી હૉટલ રૂમ કેન્સલેશન ૮૦ ટકાથી વધી ગયું છે. એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં એનઆરઆઈ સેગમેન્ટનો ધંધો વધુ થયો હોય છે, પણ આ વખતે નવા બુકિંગ થઈ રહ્યા નથી. એક અન્ય જાણકારે કહ્યું કે ‘વિદેશ જનારા પ્રવાસીઓ પાસેથી કેન્સલ માટે પૂછનારાઓની સંખ્યા ૩૫% જેટલી નોંધાઈ છે. પ્રભાવિત દેશોના વિમાની ભાડાઓમાં લગભગ ૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. યાત્રા.કોમના સબિના ચોપરાએ કહ્યું કે ‘હૉટેલના દરોમાં લગભગ ૧૮ ટકા ઘટાડો થયો છે. ભારતની અંદર પ્રવાસ કરનારાઓની પણ અમને કેન્સલ કરવા અંગેની માહિતી પૂછી રહ્યા છે.’

દેશમાં આવનારા, દેશમાંથી બહાર જનારાઓ, દેશની અંદર એમ તમામ ટૂરિઝમ સેગમેન્ટમાં અને તમામ પ્રકારના ટૂરિઝમ વર્ટિકલ્સમાં મંદી નોંધાઈ છે. ટૂરિઝમ સેક્ટરમાં કાર્યરત ઉદ્યોગ ગૃહની વર્કિંગ કેપિટલમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે, જયારે એમએસએમઈ ક્ષેત્રમાં ૮૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

March 13, 2020
CIA_Live_Logo_New2.jpg
3min12450

ભારતમાં 16 March 2020 નોવેલ કોરોના વાઇરસ કેસોની સંખ્યા વધીને 112 થઇ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩ કેસ અને કેરળમાં ૨૨ કેસ નોંધાયા હતા.

ભારતે ઇટાલી અને ઇરાનથી ૪૫૦ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા હતા અને તેમને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા હતા.

રવિવારે મધ્યરાત્રિથી સરકારે કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓની નોંધણી બંધ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાનમાં જવાનું બંધ કરાવ્યું હતું. આ અગાઉ ભારત-બંગલાદેશ, ભારત-નેપાળ, ભારત-ભુતાન અને ભારત-મ્યાનમાર સરહદ પરથી લોકોનું આવનજાવન બંધ કરાવી હતી. જોકે, કેટલાક ચેકપોસ્ટ પર અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ હજી સુધી ભારતમાં ૧૭ વિદેશી સહિત ૯૬ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક અને દિલ્હીમાં એકનું મોત નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં વધુ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો વધીને ૩૩ થયો હતો. કેરળમાં ૨૨, ઉત્તર પ્રદેશમાં ૧૧ અને દિલ્હીમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી છ સપ્તાહ માટે લંબાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકોને ગભરાયા અને રઘવાયા નહી બનવાની અપીલ કરી હતી.

Corona Update : on 14 March 2020

ભારત : 83 કેસ : 2 ના મોત : 10 સાજા થઇ ગયા : 71ની ટ્રીટમેન્ટ ચાલુ : અડધું ભારત બંધ139 દેશોમાં : મૃત્યુઆંક 5429, કન્ફર્મ કેસ 145369

લગભગ અઢી મહિના પહેલા ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વિશ્વના 139 દેશોમાં ફેલાઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાને વેશ્વિક મહામારી જાહેર કરાયા બાદ મૃત્યુઆંક 5429 સુધી પહોંચી ગયો છે. તેમજ 145369 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યાં છે.

ભારતમાં 10 દર્દી સાજા થઇ ગયા, 71ની ટ્રીટમેન્ટ ચાલે છે, 2 ના મોત

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસે બે લોકોના જીવ લીધા છે. બન્ને વૃદ્ધ વ્યક્તિઓ હતા. સદનસીબ ભારતનું એ પણ છે કે કોરોનાના કહેર વચ્ચે ખુશી થાય તેવા સમાચાર એ છે કે નવા સાત દર્દી અને કેરળના પહેલાના 3 મળીને કુલ 10 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તા.14મી માર્ચે બપોરે 12 વાગ્યાન સ્થિતિએ ભારતમાં કોરોનાના કુલ 83 દર્દીઓ નોંધાયા હતા. જેમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના 7 દર્દી સાજા થઈ ગયા છે. આ સિવાય કેરળમાં પણ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે. મતલબ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 82 કેસ નોંધાયા હતા જેમાંથી 10 દર્દી સાજા થયા છે. હાલ 71 દર્દીઓની સારવાર ચાલી રહી છે કારણકે બેનાં મોત થયા છે.

શનિવારથી અડધું ભારત બંધ અત્યાર સુધીમાં દેશનાં કુલ 11 રાજ્યોમાં કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, ઓડિશા, હરિયાણા અને દિલ્હીમાં સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા, પંજાબ, દિલ્હી, હરિયાણા, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સ્કૂલો, કોલેજો, થિયેટરો, મલ્ટીપ્લેક્સીસ સહિતનાં જાહેર સ્થળો પર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

દિલ્હીમાં વૃદ્ધાનું મોત, ભારતમાં 2ના મૃત્યુ

કર્ણાટકમાં કોરોના વાઇસરથી ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયા બાદ શુક્રવારે દિલ્હીમાં ૬૮ વર્ષની વૃદ્ધાનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલી મહિલા ડાયાબિટીસ અને હાઇપર્ટેન્શનથી પીડાતી હતી. વૃદ્ધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધા સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ થઇ હતી. કોરોના વાઇરસથી વૃદ્ધાનું મૃત્યુ થતાં હવે મરણાંક બે પર પહોંચ્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં સારવાર દરમિયાન મગંળવારે વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધ તાજેતરમાં સાઉદી અરેબિયાથી આવ્યો હતો અને તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ઈટાલી : કોરોનાથી એક જ દિવસમાં 250ના મોત

ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે 24 કલાકની અંદર ઈટાલીમાં 250 લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે. ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે. 

રિપોર્ટેડ ઓન 13 માર્ચ

કોરોના વાઇરસથી ભારતમાં પહેલું મૃત્યુ થયું છે. કર્ણાટકમાં સારવાર દરમિયાન મંગળવારે રાતે ૭૬ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જેને કોરોના થયો હોવાનું ગુરુવારે ક્ધફર્મ થયું હતું. આ વૃદ્ધ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી આવ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પણ ગયો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ ટ્વિટ કર્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે તબીબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલો વૃદ્ધ કલબુર્ગીનો રહેવાસી હતો. આ વૃદ્ધ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે સાઉદી અરેબિયા ગયો હતો અને ૨૯ ફેબ્રુઆરીએ પાછો ફર્યો હતો. બાદમાં તાવ આવતાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યાં ડોક્ટરોએ તેને હૈદરાબાદ લઇ જવાની તેના પરિવારને સલાહ આપી હતી. હૈદરાબાદમાં રાત્રે ૧૧ વાગે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક હાઈપર્ટેન્શન, ડાયાબીટીસ અને અસ્થમાથી પીડાતો હતો. તેના મૃતદેહને સરકારી પ્રોટોકોલ પ્રમાણે નિકાલ કરવામાં આવ્યો હતો.ભારતમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કિસ્સો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩

નવી દિલ્હી: ભારતના મહારાષ્ટ્રમાં નવ, દિલ્હી, લડાખ અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં એક અને એક વિદેશી નાગરિક મળીને ૧૩ નવા નોંધાયેલા કેસ સાથે દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩ થયા હોવાની માહિતી ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે રાજ્ય પ્રમાણે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં છ, ઉત્તર પ્રદેશમાં ૧૦, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં ૧૧ અને લડાખમાં ત્રણ કેસ પોઝિટિવ હોવાની જાણ થઇ છે.

આ સિવાય રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં પ્રત્યેકમાં એક કેસ નોંધાયો છે.

કેરળમાં અત્યાર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે અને એમાંથી ત્રણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કુલ ૭૩ કનફર્મ્ડ કેસમાંથી ૧૭ વિદેશી, ૧૬ ઇટાલીના પર્યટક અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

ભારતીય ડૉક્ટરોની એક ટીમ ગુરુવારે ઇરાન જવા રવાના થઇ હતી. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેમ્પલ એકઠાં કરીને તપાસ માટે તેઓ અહીં મોકલશે જેથી એમના આવ્યા અગાઉ ટેસ્ટના પરિણામ જાણી શકાય.

ઇરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયા છે એમાં તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને માછીમારોનો સમાવેશ થાય છે.

કોરોનાની રસી ડેવલપ કરી હોવાનો ઈઝરાયલના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાઈરસ સામે રક્ષણ આપે તેવી વેક્સિન બનાવવામાં સફળતા મળી છે, તેવી જાહેરાત ઈઝરાયલના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કરશે, તેવું મીડિયાના એક અહેવાલામાંથી જાણવા મળ્યું છે. વાઈરસના ગુણધર્મો અને રચના સમજવામાં ઈઝરાયલના ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો સફળ થયા છે, તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. જો કે સંરક્ષણ મંત્રાલયે મીડિયા અહેવાલને સમર્થન આપ્યું ન હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ‘કોરોના વાઈરસ સામેની વેક્સિન અથવા પરીક્ષણ માટેની કિટ તૈયાર થઈ નથી. ઈન્સ્ટિટ્યૂટની કામગીરી યોજના પ્રમાણે ચાલતી હોય છે. હાલમાં ૫૦થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો વાઈરસનો ઈલાજ શોધવામાં કાર્યરત છે.’

ઈઝરાયલના સૌથી લોકપ્રિય પોર્ટલ વાયનેટએ ત્રણ સપ્તાહ અગાઉ એવો અહેવાલ આપ્યો હતો કે જાપાન, ઈટાલી અને અન્ય દેશોમાંથી પાંચ વાઈરસ સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. આ સેમ્પલ માઈનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચમાં રાખવામાં આવ્યા હતા. નિષ્ણાતો સહિત વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન વિકસાવવાનું સંશોધન સતત ચાલી રહ્યું છે. દોઢ વર્ષ સુધીમાં વેક્સિન વિકસાવી શકાશે, તેવું નિષ્ણાતો માને છે.

ઈઝરાયેલના નેસ ઝિયોના શહેરમાં સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસની દેખરેખમાં આ સંસ્થાનું કામ ચાલતું હોય છે. પહેલી ફેબ્રુઆરીએ વડા પ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુએ વેક્સિન વિકસાવવાનો ઈન્સ્ટિટ્યૂટને આદેશ આપ્યો હતો.

વિશ્ર્વમાં સંખ્યાબંધ સંશોધકો વેક્સિન વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાણીઓમાં વાઈરસની પ્રવૃત્તિ બાબતમાં ઘણા સંશોધકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યારે વાઈરસ પ્રાણીઓમાંથી માનવીઓમાં પ્રવેશે છે ત્યારે તેમાં જે બદલાવ થઈ જાય તે સમજવાનો પકડાર મોટો છે.

જાન્યુઆરીમાં વાઈરસથી રોગચાળો ફેલાયો તે પછી ચીને વાઈરસની જિનેટિક સિકવન્સ જાહેર કરી હતી. આ રીતે સંશોધકોને સેમ્પલ વગર વેક્સિન અને સારવારની પદ્ધતિ વિકસાવવાની તક મળી હતી. તાજેતરમાં બોસ્ટનની બાયોટેક્નોલોજિ કંપનીએ વેક્સિન તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, તેનું પરીક્ષણ એપ્રિલમાં કરવામાં આવશે.

March 12, 2020
bitcoin.jpg
1min4910

અઠવાડીયા પહેલા જ ક્રિપ્ટો ના કારોબારમાં ઘૂસેલા સટ્ટોડીયાઓની છાતીના પાટીયા બેસી ગયા

ભારતીય શેરબજારો માટે જે રીતે તા.12મી માર્ચ 2020નો દિવસ કાળમુખો રહ્યો અને ઇન્ટ્રા ડે સૌથી તોતિંગ ઘટાડો સેન્સેક્સમાં 2919 અને નિફ્ટીમાં 868 પોઇન્ટ ડાઉન ફોલ જોવા મળ્યો, આ સમાચારમાંથી કળ મળે એ પહેલા તો ક્રિપ્ટો કરન્સીમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

ગત સપ્તાહે જ સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારના લીલીઝંડી આપ્યા બાદ બીટકોઇનના ધંધામાં પડેલા લોકોએ એક જ સપ્તાહમાં ધોળે દિવસે તારા જોવા મળ્યા હતા. આજે બીટકોઇનનો ભાવ કાલના બંધ ભાવ કરતા 1500 યુએસ ડોલર જેટલો નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

Bitcoin (BTC) made further dramatic losses on March 12, falling below $6,000 for the first time since May 2019

આજે આવેલ ક્રિપ્ટોકરન્સીના કડાકાએ પણ સૌને આઘાત પહોંચાડ્યો છે. 7500 ડોલરનો મહત્વનો સપોર્ટ ગુમાવ્યા બાદ બિટકોઈન આજના ટ્રેડિંગમાં એકાએક ઘટીને 5700 ડોલર સુધી ગગડી ગયો હતો. એકાએક બિટકોઈન 27% તૂટ્યો અને 5700 ડોલર સુધી ઘટીને એકાએક 6500 ડોલર સુધી રિકવર પણ થયો હતો.

સાંજે 5 વાગે બિટકોઈનનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 23%ના ઘટાડા સાથે 6080 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લીલીઝંડી આપ્યા પછી અનેક સટ્ટોડીયાઓ બીટકોઇન સમેત અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોક્યા હતા

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના કારોબારને લીલીઝંડી આપી હતી. ભારતીય બેંકો ક્રિપ્ટો કરન્સીના કારોબારીઓને બેંકીંગ ફેસેલિટી આપી શકે એ મતલબના સુપ્રીમ કોર્ટના રૂલિંગ બાદ ભારતમાં અનેક લોકો સત્તાવાર રીતે બીટકોઇન તેમજ અન્ય કોઇનના ધંધામાં રૂપિયા રોકવા માંડ્યા હતા. પરંતુ, આજે કોરોના વાઇરસને પગલે બીટકોઇનના ભાવમાં આવેલા તોતિંગ ઘટાડાએ ભારે કરી હતી. હજુ અઠવાડીયા પહેલા જ બીટકોઇમાં લાખો કરોડો રૂપિયા રોકનારા કેટલાક સટ્ટોડીયાઓના આજે છાતીના પાટીયા બેસી ગયાના અહેવાલો મળી રહ્યા છે.