CIA ALERT
30. April 2024
March 24, 20201min6670

Related Articles



લૉકડાઉનનું પાલન ન થતું હોય ત્યાં કરર્ફ્યુ લગાડવા કેન્દ્રનો રાજ્યોને આદેશ

Share On :
Print Friendly, PDF & Email

સમગ્ર દેશમાં 606 જિલ્લાઓમાં કોરોના વધતા વ્યાપ વિસ્તારને કાબૂમાં રાખવા માટે આજે તા.24મી માર્ચથી લૉકડાઉનની સ્થિતિ છે. આમ છતાં, લોકો લૉકડાઉનમાં પણ ઘરોની બહાર નીકળી રહ્યા છે. કેન્દ્ર સરકારે આજે બપોરે 12 કલાકના અરસામાં રાજ્યોને આદેશ કર્યા છે કે જ્યાં લોકો લૉકડાઉન નથી કરી રહ્યા ત્યાં કરર્ફ્યુ લગાડી દેવામાં આવે.

કોરોના વાઇરસ કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કે સામાન્ય લોકોમાં લાગૂ ન પડી જાય એ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ થાય એ માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. આમ છતાં લોકો સમજી રહ્યા નથી.

કોરોના વાયરસ સામેની લડાઈમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ બાદ આખા ગુજરાત રાજ્યને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ડૉક્ટર અને પોલીસ દ્વારા કોરોના વાયરસની ગંભીરતા અંગે વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વારંવાર જણાવવામાં આવી રહ્યું છે છતાં લોકો કોરોના વાયરસનો કોઈ ડર ના હોય તે રીતે ઘરોની બહાર નીકળી રહ્યા છે. આ જ રીતે સુરતમાં પણ લોકો રાતના સમયે ઘરી બહાર નીકળતા જોઈને પોલીસને તેમને પાઠ ભણાવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :